Daily Archives: June 29, 2013


જેસલ જગનો ચોલટો હો જી.. – જેસલ તોળલ 1

જેસલ જાડેજો હાલ્યો જાય છે, પાછળ આખુંય ગામ વાતોએ વળગ્યું છે, આ શું અચરજ? જેસલના માથે આ પોટલું શેનું? ખબર પડે છે કે ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો તળાવ કિનારે.. આ શું? એક વખતનો ક્રૂર અને નરાધમ બહારવટીયો જેસલ આટલો બધો રાંક કઈ રીતે બની ગયો હશે? એ ચમત્કાર કોણે કર્યો જેના પ્રતાપે આ હિંસક માણસ આવો સાદગીભર્યો થઈ ગયો? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલાં ને લૂગડાં ધુએ છે. લોકો નિંદા કરે છે ત્યારે તોળલ કહે છે, ‘જેસલજી, શરમાશો નહીં, આ કળીયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે, નિંદાનાં નીરથી જ સાધુજનો નિર્મળા બને છે. એનાથી જ શિર પરનો ભાર ઉતરશે.’ નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો – ન પહોંચ્યો ત્યાં તો તેનો દેહ ઊજળો બની ગયો… જેસલ પીર અને સતી તોળલની આવી જ વાતચીતનો પડઘો ઉપરોક્ત કૃતિમાં પડે છે.