Daily Archives: June 6, 2013


ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે 12

ગીતા જો એક ગઝલ રૂપે લખાઈ હોય તો કયા સ્વરૂપમાં હોય એ વિષયને લઈને આપણા શીર્ષ હાસ્યકાર સ્વ. શ્રી જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ આ હાસ્યલેખ વિશે તેઓ લેખમાં કહે છે, “સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગઝલમાં યોગ્ય ભાષાંતર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ — પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે.” ગીતાની ગઝલનો આ સુંદર હાસ્યલેખ આજે પ્રસ્તુત છે…