Yearly Archives: 2010


અપ્રાપ્ય પુસ્તક (અને માણસ) – ગિરીશ ગણાત્રા 8

ક્યારેક એક નાનકડો પ્રસંગ પણ જીવનભરનું સંભારણું બની રહે છે, એક નાનકડી ઘટના પણ માનસપટ પર તેની અમિટ છાપ છોડી જાય છે. આવી જ કાંઈક વાત અહીં પ્રસ્તુત વાતમાં લેખક કહે છે. એક પુસ્તકની શોધ માટેનો પુસ્તકવિક્રેતાનો પ્રયત્ન અને પુસ્તક મળ્યા પછી તેની સાથે જોડાયેલા સંસ્મરણો લેખક માટે એક આગવો પ્રસંગ બની રહ્યાં એ ઘટનાનું સુંદર આલેખન અત્રે થયું છે. પ્રસ્તુત લેખ ‘પ્રસાર’ ના પુસ્તક ‘વાચન – ૨૦૦૮’ માંથી સાભાર લેવામાં આવ્યો છે.


આણાં – દામોદર બોટાદકર (ગીત) 1

લગ્ન પછી પહેલું આણું વાળીને પિયર જવા તૈયાર દિકરી રાહ જુએ છે કે પિયરથી ભાઈ તેને લેવા ક્યારે આવે. આપણાં લોકજીવનની અને ખાસ તો હજુયે ગ્રામ્યસમાજમાં સચવાઈ રહેલી આણું વાળવાની આ પરંપરા અનેરી છે. લગ્ન થઈ ગયા પછી પ્રથમ વખત પોતાના પિયરે પાછાં જવાનો ઉત્સાહ સમાતો નથી એવામાં ભાઈને આવવામાં સહેજ મોડું થાય તો અનેક વિચારો તેના મનને ઘેરી વળે છે, અને અંતે ભાઈ આવે ત્યારે તેની સાથે પિયરની બધી યાદોને ફરી જીવવા તે નીકળે છે એમ દર્શાવતું આ ગીત ખરેખર એક લોકગીતનો હોદ્દો ભોગવે છે. કવિ શ્રી બોટાદકરનું આ ગીત તેમના ગીતોનું સંપાદન એવા મધુરૂ માંગલ્ય માંથી સાભાર લેવામાં આવ્યું છે.


દર્પણ – મીનળ દીક્ષિત (ટૂંકી વાર્તા) 4

પ્રસ્તુત ટૂંકી વાર્તા સંબંધોના અનોખા જાળાને વર્ણવે છે. ખૂબ જ સહજ પરંતુ સરસ બોધ સરળ રીતે આપતી વાત અહીં થઈ છે. એક દીકરીની ગૃહલક્ષ્મી બનવાની સફર અને સાસરા પ્રત્યે તેની ફરજોનું સાચું ભાન તેને કઈ રીતે થાય છે એવી વાત ખૂબ માર્મિક રીતે વર્ણવતી આ સુંદર વાર્તા શ્રી મીનળ દીક્ષિતની રચના છે અને જનકલ્યાણ સામયિકના એપ્રિલ ૨૦૦૮ ના અંક માંથી સાભાર લેવામાં આવી છે.


શબ્દનું સામર્થ્ય – જીજ્ઞેશ ચાવડા (ચિંતનાત્મક લેખ) 12

આપણે રોજબરોજના જીવનમાં અસંખ્ય શબ્દો સાંભળીએ છીએ. પણ એમાંથી કેટલા શબ્દો ખરેખર સાંભળીએ છીએ એમ કહી શકાય? સાંભળેલા બધાંય શબ્દો કાંઈ ઉપયોગી કે જીવન પરિવર્તન કરી શકે એવા હોતા નથી. પણ એ અનેક શબ્દોના મહાસાગરમાં કાંઈક એવા મોતી તો હોય જ છે જે જીવનની દિશા બદલી શકે. કહે છે કે જ્યાં સુધી શબ્દરૂપી હથોડીની ચોટ આપણા મન પર નથી લાગતી ત્યાં સુધી તેની કોઈ અસર આપણા વર્તન પર કે વિચારો પર થતી નથી. શબ્દોના સામર્થ્યને દર્શાવતા આવા જ વિચારો સાથેનો શ્રી જીજ્ઞેશ ચાવડાનો આ ચિંતનાત્મક લેખ મનનીય છે.


અમે અમારી કબર….. – દક્ષા દેસાઈ (અછાંદસ) 3

માણસ જીવનની બધી તૈયારીઓ કરે છે, જીવવા માટેની બધી જ સુખ સગવડોની, સાધનોની, ઐશ અને આરામની તેઓ વ્યવસ્થા કરી રાખે છે પરંતુ જીવન પછીના સફરની તે કોઈ તૈયારી કરતો નથી. પ્રસ્તુત અછાંદસ ક્યાંક આ વાતની જ મજાક ઉડાવે છે. મૃત્યુ પછીની તૈયારીઓ એટલે સાધન સગવડોની તૈયારી કરવાની વાત કરીને કવયિત્રીએ અહીઁ આપણી સમજની નિષ્ફળતા દર્શાવી છે. માણસ પોતાની ભૌતિક સગવડોથી જીવન પછીની સફર પણ તોળવાનો યત્ન કરે છે, જે વ્યર્થ છે એમ સમજાવવાનો અહીં પ્રયત્ન છે.


(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ) 9

ગુજરાતી ભાષાના ઉચ્ચારો અને તેમાંની અશુદ્ધિઓ વિશે માર્મિક ભાષામાં હાસ્યરસની સાથે તાર્કિક દલીલો સાથે અને ચોટદાર ઉદાહરણો સહિત આ લેખ આપણી ભાષા શુદ્ધિ વિશેની વાતોની ઠેકડી ઉડાડે છે. બહુ વખત પહેલા અક્ષરનાદ પર ડો. શ્યામલ મુન્શીની ‘ ળ ને બદલે ર ‘ એ રચના મૂકેલી એ પછી આ બીજી એ જ પ્રકારની રચના છે, જો કે એ પદ્ય રચના હતી તો આ હાસ્યનિબંધ છે, પરંતુ અહીં ભાષા શાસ્ત્રીઓને દર્પણ દેખાડવાનો પ્રયત્ન છે.

પ્રાંતભાષાઓનું અને એક જ ભાષાના શબ્દોના વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોનું પોતાનું એક સાર્વભૌમત્વ સ્થપાઈ રહ્યું છે ત્યારે સાહિત્યના ક્ષેત્રમાં, લેખનમાં શુધ્ધિકરણ અનિવાર્ય છે જ પરંતુ તેની અતિશયોક્તિ અથવા ઉચ્ચારશુદ્ધિનું તીવ્ર સભાનપણું હાસ્યાસ્પદ સ્થિતિઓ તરફ ન લઈ જાય એ પણ જોવું રહ્યું એમ દર્શાવતો શ્રી ચુનીલાલ મડિયાનો આ હાસ્યનિબંધ ખરેખર માણવાલાયક છે.


સાયર હુંદા સૂર ! અને પૂરાં પરમાણ – સંત મેકરણ 1

મેકરણ, કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ, કાપડી સાધુ. જન્મસ્થળ અને વતન કચ્છ ખોંભડી, સમય ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ (એક એક તપ) કચ્છમાં, વચ્ચેના ત્રણ તપ હિમાલય, સૌરાષ્ટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો, ત્યાં તેમની સિધ્ધશીલા આવેલી છે. હિન્દુ મુસ્લિમ બન્નેને સાચી વાત કહેનાર સમદ્રષ્ટા સિધ્ધપુરૂષ. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની બે રચનાઓ.


ડૂબેલા સૂરજનું અજવાળું – સ્વ. શ્રી જાતુષ શેઠ નો અક્ષરદેહ 2

વડોદરાની મ. સ. યુનિ. માંથી ન્યુક્લીયર ફિઝિક્સ વિષયમાં ગોલ્ડ મેડલ, પૂનાની ઈન્ટર યુનિ. સેન્ટર ઓફ એસ્ટ્રો ફિઝિક્સમાંથી મરણોત્તર પી. એચ ડી., જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર ફેલોશિપ માટે આખા વિશ્વના દોઢસો ઉમેદવારોમાંથી પસંદગી પામનાર એક માત્ર ઉમેદવાર, કોસ્મોલોજીના ક્ષેત્રે ડો. જયંત નારલીકર જેવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકના શિષ્ય એવા શ્રી જાતુષ શેઠ જર્મનીની મેક્સ પ્લાન્ક યુનિવર્સિટીમાંથી સંશોધનકાર્યના પ્રારંભના દોઢેક માસ પછી સાપ્તાહિક રજાઓ ગાળવા ઈટાલીના પ્રવાસે જતા અકસ્માત મૃત્યુને ભેટ્યા. તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી તેમણે મિત્રોને, સ્નેહીઓને લખેલાં પત્રો, તેમની ડાયરીના અંશો વગેરેનું સુંદર સંકલન કરી તેમના પિતા અને ભાઈએ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. આ પત્રો કે વિચારોનો સંચય સ્પષ્ટ રીતે તેમની અધ્યાત્મ દ્રષ્ટિ, મનનાં ઉર્ધ્વગામી વિચારો અને લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાનો સુંદર પડઘો પડે છે. આ જ પુસ્તકમાંથી તેમની ડાયરીના અંશો માંથી બે અંકો અત્રે પ્રસ્તુત છે.


શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ? – વિશનજી નાગડા (કાવ્ય) 8

રામને માટે જીવનભર રાહ જોનારી ભીલડી એટલે ‘શબરી’. શ્રધ્ધા અને ભક્તિ બંને છેક સુધી તરસાવે અને અંતે મુક્તિના મધુર રસનું અમૃતપાન કરાવે એનું શ્રેષ્ઠ ઉદાહરણ, પરંતુ પ્રસ્તુત ભાવગીતમાં વાત કાંઈક અલગ છે. ક્રિયાત્મક તથ્યોથી અલગ કવિને ઘટનાઓમાં કાંઈક ભાવાત્મક ઊંડાણ દેખાય છે. એ બોર ચૂંટતા શબરીના હાથના ટેરવે નીકળેલા લોહીને લીધે બોરનો લાલ રંગ હોય કે રામ રામ બોલીને થાકેલી એની જીભ, કવિનું મનોવિશ્વ એની સાબિતિ પોતે જ આપે છે. ખૂબ ભાવસભર અને સુંદર રીતે ગાઈ શકાય એવા આ ગીતને અંતે એટલું તો કહેવું જ જોઈએ, ” ઘૂંટવી છે જીંદગીને એટલી, જેટલી કડવાશ પામે, એટલી મીઠાસ દે “


Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 13

જીવનને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સરખાવતાં આવું વિચારાઈ ગયું, કેટકેટલી વાતો સરખી ને તોય કેટલી અલગ? કી બોર્ડ જે છાપે એ સ્ક્રીન બતાવે, પણ મનના કી બોર્ડ અને આપણા ચહેરાના સ્ક્રીનનું શું? કેટલાક તો એક સાથે બે ત્રણ જીંદગી જીવી શકે છે, મહોરામાં જીવી શકે છે. કોમ્પ્યુટર માં જેમ My Computer, My Documents એમ જીવનમાંય મારું ઘર, મારા મિત્રો, મારા પૈસા……. પણ એ ક્યાં સુધી? બીજાની માન્યતાઓ અને ઈચ્છાઓ પર જીવતા આપણે કોઈકના બનાવેલા નિયમો પર જીવીએ છીએ તો આપણે Pirated Software જેવા નથી શું? આવી ઘણી વિચારધારાઓને અહીં વહેવા દીધી છે ને રહેવા દીધી છે…..


નહીં માફ નીચું નિશાન – ઈશ્વર પરમાર 4

જીવન વ્યવહાર ચલાવવા માટે કંઈ ને કંઈ લક્ષ્ય નજર સમક્ષ રાખવાનું થાય ત્યારે, નિષ્ફળ જવાનો ભય ન રહે તે અનુભવીએ છીએ ! આપણને એ ખ્યાલ નથી રહેતો કે આપણે મેળવી તેથી અનેકગણી સિધ્ધિ મેળવી શકવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ છીએ. વ્યક્તિ પોતાનું લક્ષ્ય ઉંચુ રાખી, સંકલ્પ પૂર્વક વિચારે તો અનેક સિધ્ધિઓ હાસલ કરી શકે. આ લેખના લેખક પોતે જ આવી સિધ્ધિઓ મેળવનાર એક સફળ પ્રશિક્ષક છે. આવો સુંદર અને પ્રેરણાદાયક લેખ માણવો એ એક લહાવો છે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઈશ્વરભાઈ પરમાર (દ્વારકા) નો ખૂબ ખૂબ આભાર. આ લેખ સમણું સામયિકના જૂન ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.


We shall overcome થી હમ હોંગે કામિયાબ – મહેન્દ્ર મેઘાણી 2

ભારતમાં આ ગીત પહેલવહેલું ગવાયું ૧૯૬૩ માં, કલકત્તાના પાર્ક સરકસ મેદાનમાં. એક અમેરિકન લોકગાયકે એ ગીત ગાયું અને ૨૦,૦૦૦ ની મેદનીએ તે સમૂહમાં ઝીલ્યું. પછી તો ગીતને પાંખો ફૂટી અને તે દેશભરમાં ફેલાઈ ગયું. એ ગીતના ગાનાર હતા પીટર સીગર. આજે પ્રસ્તુત છે એ પ્રેરણાદાયિ વ્યક્તિત્વ વિશે થોડીક ઓછી જાણીતી માહિતિ અને અંતે ગીત તો ખરું જ.


તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.


પ્રેરક પ્રસંગો – સંકલિત 16

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.


તમને દીકરીના પપ્પા થવાનું ગમે? – જીજ્ઞેશ અધ્યારૂ 25

દીકરી વગરનું જીવન એટલે ધબકાર વગરનું હૈયું. દીકરી હોય અને તેનાથી થોડાક દિવસ પણ દૂર રહેવું પડે તો જાણે જીવનની સૌથી મોટી સજા મળી હોય એમ લાગે. ક્યાંક દૂર રહેલી દીકરી શું કરતી હશે, મારા વગર કેમ રહેતી હશે એવા વિચારે પિતાનું હૈયું વ્યાકુળ થઈ જાય છે. અને એ જ દીકરીને વળાવ્યા પછી તો વાત જ ન પૂછશો. પિતા અને દીકરીની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. પ્રસ્તુત રચનામાં એ જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પુત્રી વિશે હું તો આવું જ અનુભવું છું. આશા છે દરેક પિતાને પણ આવી લાગણીઓ જ થતી હશે. તમને દીકરીના પિતા થવાનું ગમે એ સવાલ છે એક પિતાનો સમાજના એવા બધાંય લોકોને જેઓ આજે પણ પુત્રઝંખનામાં ઘેલા છે.


દલિતોના બેલી – દાન વાઘેલા 4

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત દલિત કાવ્ય તેમની દલિતોની, વંચિતોની વેદનાને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા જવલ્લે જ થાય છે, અને એથીય ઓછું તેમને માણવાનું, એમાંય કરકસર કરાય છે. પરંતુ દલિત સાહિત્ય એક વિશાળ વિસ્તૃત રચનાકારોનું વૃત્ત છે, અને એટલે વંચિતો અને સમાજના આ મહત્વના પણ ઉપેક્ષિત વર્ગની વાતો વ્યક્ત કરતી રચનાઓની અગત્યતા સમજવી જરૂરી છે.


મૃત્યુ – જયન્ત પાઠક 5

મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે…..


દુ:ખદ સમાચાર

‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. લિ. મૃગેશ શાહ વડોદરા.


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4

કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.


શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી 8

કોઈકના જીવનની સત્યકથા એક વાર્તા માત્ર ન હોઈ શકે, અને લાગણીઓનું એ ઘોડાપૂર, વ્યક્તિવિશેષ માટે વીતેલા એ પ્રસંગોની મહત્તા આમ કોઈ કૃતિમાં પૂર્ણપણે વ્યક્ત પણ ન જ થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે શ્રી વિકાસ બેલાણીએ તેમના મિત્ર એવા વિશ્વાસની આ વાત અક્ષરનાદ માટે મોકલી ત્યારે બે ઘડી થયું કે આ વાત મૂકવી જોઈએ કે નહીં? સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. અને આ વાત સત્યઘટના છે, કોલેજમાં ભણતા, મુગ્ધાવસ્થાના આકર્ષણમાં પ્રેમરોગી થતાં કોઈને પણ આ વાત સામાન્ય લાગે, પરંતુ એ વ્યક્તિવિશેષ માટે તો એ અસામાન્ય જ રહેવાની. આ વાત અહીં મૂકવાનો હેતુ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે અનેક શુભેચ્છાઓ.


દાસ્યભક્તિ – આનંદશંકર ધ્રુવ 2

આ અનોખા નિબંધમાં દાસ્યભક્તિનો મર્મ ખૂબ સુંદર અને અર્થદર્શક રીતે સ્ફૂટ થાય છે. દાસ્યભક્તિ નવધાભક્તિનો એક પ્રકાર છે. શ્રી આનંદશંકર ધ્રૃવ દ્વારા આલેખાયેલા આ નિબંધમાં ધર્મભક્તિ અને ધર્મતત્વ વિચારણા શબ્દરૂપ પામી છે. દાસ્યભક્તિ એટલે માત્ર શરણાગતિનો ભાવ નહીં, એમાં વિશુધ્ધ હ્રદયનો પ્રેમ પણ ભળેલો હોય છે. કૃષ્ણભક્તિમાં રત યોગીઓ કેટલા યત્ન અને તપથી તેમને મેળવે છે જ્યારે મીરાં તેમના પ્રતિ ઉત્કટ ભક્તિભાવ અનુભવે છે, પ્રેમમાર્ગ દ્વારા તેમને પામવાનો યત્ન કરે છે, પ્રાપ્ત કરે છે એ વાતનું પ્રતિપાદન મીરાંના જ એક પદ દ્વારા કર્યું છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ આવિર્ભાવ ખૂબ ઉત્કટ આલેખન બની રહે છે.


વહુનું વાસીદું – મકરન્દ દવે 7

એક વહુના મનની વ્યથા, એક પરણીત પરતંત્ર સ્ત્રીના હદયનો વલોપાત કવિએ ઉપરોકત રચનામાં સુપેરે આલેખ્યો છે. ઘરનાં બધાને જ્યારે મનગમતા ભોજન કરવા મળે છે ત્યારે વહુને ભાગે સુકો રોટલો અને ખાટી છાશ આવે છે. આયુષ્ય જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જતું લાગે છે અને તેને માનું વાત્સલ્ય યાદ આવ છે. પ્રભુએ આવો અવતાર આપ્યો તે બદલ કોને પુછવું એવી વ્યથા પણ તે અનુભવે છે. આ બધી વાત તે પોતાના ભાઈને સંબોધીને કહે છે. શ્રી મકરન્દ દવેની આ સુંદર કવિતા દરેક પરતંત્ર પરણીત સ્ત્રીના મનની વાત બની રહે છે.


“કૃષ્ણાયન” એટલે પરમ સ્વીકાર અને મુક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ 13

આપણા ધર્મગ્રંથો, કર્મગ્રંથોના કોઈ પાત્રવિશેષ વિશે જ્યારે નવું પુસ્તક જોઈએ ત્યારે એ પ્રશ્ન સહજ થાય કે સર્વવિદિત પ્રસંગો, આપણા જીવન સાથે સહજપણે વણાઈ ગયેલા, સંકળાયેલા, આબાલવૃધ્ધ સહુના પરિચિત એવા પાત્રો વિશે હવે તો એવો કયો નવો પરિમાણ લેખક કે લેખિકા ઉભું કરી શકે? એમનું દ્રષ્ટિબિંદુ એવું તે શું બતાવવા સમર્થ છે જે આપણે હજુ સુધી જોયું નથી? આ પ્રશ્નનો એક સચોટ અને પૂરતો જવાબ એટલે શ્રી કાજલબહેનની નવલકથા, “કૃષ્ણાયન”. ઘણી વખત એમ થાય કે એક પાત્ર સાથે સંકળાયેલો વાંચક તેના મનોદ્રશ્યમાં થોડોક વખત જ રહે, પરંતુ બબ્બે વખત, એક પછી એક સળંગ બે વખત આ નવલકથા વાંચ્યા પછી પણ હું તેને ત્રીજી વખત વાંચવા ઉત્સુક છું. પ્રેમમાં પડી જવાય એવા સંવાદો સાથેનો આ સુંદર પ્રવાસ દરેક કૃષ્ણપ્રેમીએ કરવો જ રહ્યો. આજે આ પુસ્તક વિશે પ્રસ્તુત છે મારા થોડાક વિચારો.


નો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા) 2

ગુજરાતી ભાષામાં આવી સુંદર વિજ્ઞાનકથાઓ (સાયન્સ ફિક્શન) ખૂબ જૂજ છે; શોધી ન મળે. વર્ષો પહેલાં શાળામાં કોઈક ધોરણમાં આ વાર્તા ભણ્યા હતાં, કદાચ ધોરણ આઠમાં. જોકે ત્યારે વાર્તાને સમજવાનો દ્રષ્ટિકોણ અપરિપક્વ હતો. મને આવી વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. જોકે કાલ્પનિક હોવા છતાં વાર્તાનો અંત ખૂબ અદ્ભુત થયો છે. પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય મનુષ્યના અંત પછી પણ સતત રહેશે એ વાતની અનુભૂતિ અહીં ખૂબ સુંદર(અનુભૂતિ સુંદર ન હોય ) રીતે થાય છે. વૈજ્ઞાનિક પરિકલ્પના દ્વારા લેખકે ભાવનાત્મક હેતુ સિદ્ધ કરવાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. માનવજાતને બચાવવા પ્રેમથી મોટું પરિબળ બીજું કોઈ નથી એ વાત પણ સુંદર રીતે પ્રતિપાદિત થાય છે.


શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦ 2

સી.એન.એન તરફથી આ વર્ષે જેમને રીયલ હીરોઝ તરીકે સન્માનવામાં આવ્યા છે એવા શ્રી નારાયણન ક્રિષ્ણન આ પહેલા પણ અક્ષરનાદ પર તેમના કાર્યોને લઈને અક્ષરદેહે આવી ચૂક્યા છે. આજે જ્યારે હવે ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમની અને તેમના કામની કદર થઈ રહી છે ત્યારે અક્ષરનાદ અને તમામ વાંચકો વતી શ્રી ક્રિષ્ણનને ખૂબ ખૂબ શુભકામનાઓ.

શરૂ કરવા ધારેલું એક સત્કર્મ કદી કોઈ પણ અભાવે અટકતું નથી, એનું જીવતું જાગતું ઉદાહરણ તેઓ છે. અને ભારતમાંથી ફક્ત એક જ એવી વ્યક્તિ જેમને આ વર્ષે ખરેખરા નાયક તરીકે સન્માનવામાં આવ્યા છે. સીએનએન વેબસાઈટ પર આ વિષયની જાણ તથા વિડીયો, લેરી કિંગ શો માં તેમની વાત વગેરે આપ અહીંથી જોઈ શક્શો.


એક થા ગુલ ઔર એક થી બુલબુલ… 7

ઇ.સ. ૧૯૬૫ માં રજૂ થયેલી, શશિકપૂર અને નંદા અભિનીત હિન્દી ફિલ્મ જબ જબ ફૂલ ખિલે ના બધાંય ગીતો મને ખૂબ પ્રિય છે, પરંતુ આ એક ગીત બાળપણથી ગાતો રહ્યો છું, ગણગણતો રહ્યો છું. એક બુલબુલની પ્રેમકથા વર્ણવતું આ સુંદર ગીત ખૂબ હ્રદયસ્પર્શી છે. આવી સુંદર કથા વર્ણવતા ગીતો એક અલગ આભા ઉપસાવે છે અને શ્રોતાના મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે. આજે પ્રસ્તુત છે આ ગીતના શબ્દો. આનંદ બક્ષીએ લખેલા આ ગીતને સંગીતબધ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ અને ગીતને મહંમદ રફી તથા નંદાજીએ સ્વર આપ્યો છે.


તારા વિનાની જીંદગી (ગઝલ) – વિકાસ બેલાણી 5

સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.


એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ) 3

શ્રી મણિલાલ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિલાલ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.


આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે

મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.


શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી 1

આપણા લોક સાહિત્યમાં, દુહા છંદ સાહિત્યમાં પણ શૃંગારરસનું ખૂબ ભાવપૂર્ણ નિરૂપણ છે. ક્યાંક એ રસદર્શન ખૂબ ઉત્કટ છે તો ક્યાંક ફૂલની બંધ પાંખડી જેટલું, પ્રફુલ્લિતકર ઉષ્માસમું છે, જલદ કામોદ્દીપન જેવું નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક “લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો” અંતર્ગત આપણા લોકસાહિત્યને ખૂબ સુંદર અને ઊંડાણથી ખેડ્યું છે, સમજણ આપી છે અને રસદર્શન કરાવ્યું છે. પ્રસ્તુત રચના તેમના આ જ પુસ્તકના “લોકસાહિત્યનું સમાલોચન” એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. શૃંગારરસનું ભારોભાર તેમાં નિરૂપણ છે. લડવૈયા શૂરવીરના લગ્નની પ્રથમ રાત્રીનું તેમાં નિરૂપણ છે. લોકસાહિત્યની આ રચના સ્વયંસ્પષ્ટ સમજી શકાય એવી સહજ છે. આ જલદ શૃંગારસાહિત્ય છે, પ્રથમ મિલનરાત્રિએ પહોરેપહોરે ઉદ્દીપન, પ્રણય અને રસોપભોગ સઘન બને છે.