સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હર્ષદ દવે


ગાળ, ગુંડા અને રાજકારણ – ડૉ. સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે 12

આજકાલ રાજકારણમાં અપશબ્દો અને ગાળો બોલવી એ એક ફેશન જેવું બની ગયું છે. વ્યક્તિ અને વાત ગમે તે હોય, કાંઈપણ જોયા જાણ્યા વગર બસ દઈ દીધી એક ગંદી ગાળ. પછીથી એ જ ગાળ ચર્ચાનો એક વિષય બની જાય છે. શું ખરેખર તેને ગાળ ગણી શકાય? તે ગાળ છે કે નહીં. શું તે સંપૂર્ણપણે નકારાત્મક છે? શું તેનું કોઈ સકારાત્મક પાસું નથી? બુદ્ધિજીવી આવી ચર્ચાઓમાં ખૂબ જ રસ લેતા હોય છે. તેઓ ચોળીને ચીકણું કરે છે!


માનવતા અને મહાનતા.. – ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, અનુ.: હર્ષદ દવે 9

તાતા ગ્રૂપ મુંબઈની જાણીતી તાજમહાલ હોટેલની માલિકી ધરાવે છે અને એનું સંચાલન કરે છે. આ હોટેલ પર નવેમ્બર ૨૬, ૨૦૧૦, ના રોજ પાકિસ્તાની ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો.
એક પત્રકારે રતન તાતાને પ્રશ્ન પૂછ્યો કે ‘તાતા ગ્રુપ રિલાયન્સ ગ્રુપ જેટલી કમાણી કેમ નથી કરતું?’ (રિલાયન્સ ગ્રુપ ભારતનું બીજા નંબરનું એક મોટું કોર્પોરેશન છે. રિલાયન્સ ગ્રુપના માલિકોનું નામ વિશ્વના ટોચના દસ ધનિકોમાં છે.) ત્યારે તેમણે જવાબ આપ્યો : “અમે ઉદ્યોગપતિ છીએ અને તેઓ વેપારી છે.”


સંકલિત કાવ્યરચનાઓ.. 5

આજે પ્રસ્તુત છે મિત્રોનું સર્જન એવી સંકલિત કાવ્યરચનાઓ, જેમાં શ્રી મિતુલ ઠાકર, શ્રી દેવિકા ધ્રુવ, શ્રી સરયૂ પરીખ અને શ્રી હર્ષદ દવેની રચનાઓ સમાવિષ્ટ છે. ઈ-મેલ દ્વારા રચનાઓ પાઠવવા બદલ બધા જ સર્જક મિત્રો નો ખૂબ ખૂબ આભાર.


ભય – ઓશો, અનુ. હર્ષદ દવે 14

એક માણસ રાત્રે ચાલતાં ચાલતાં લાપસી જાય છે અને પર્વતીય રસ્તા પરથી પડી જાય છે. હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડાશે એવો તેને ભય લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે રસ્તાની ધારે બહુ ઊંડી ખીણ છે. એવામાં તેનાં હાથમાં તે રસ્તાની ધાર પર લટકતી ઝાડની એક ડાળી આવી ગઈ. તેને ડાળીને જોરથી પકડી લીધી. રાતના અંધારામાં તેને અંતહીન ઊંડી ખીણ જ દેખાઈ. તેણે ઘણી બૂમો પાડી પરંતુ તેને માત્ર પડઘા જ સંભળાયા – તેની બૂમો સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું.
તમે કલ્પના કરો કે આ માણસે આખી રાત કેવા ત્રાસમાં વિતાવી હશે. દરેક પળે તેને નીચે મોત દેખાતું હતું.


પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે 6

ઓસ્કાર વાઈલ્ડની ૧૮૮૮ માં પ્રથમવાર પ્રકાશિત ‘ધ હેપી પ્રિન્સ’, સચોટ અને હૃદયસ્પર્શી ઉત્તમ વાર્તાને અમુક ફેરફાર સાથે અહીં રજૂ કરી છે. વાચકોને મૂળ વાર્તા વાંચવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

* * *

ઘણાં ઘણાં વર્ષો પહેલાં એક મોટો દેશ આખી દુનિયામાં એટલો બધો સમૃદ્ધ હતો કે એ ‘દૂધ અને મધના દેશ’ તરીકે જાણીતો હતો. એ દેશ તેનાં પ્રાકૃતિક સૌન્દર્ય માટે પણ બહુ પ્રખ્યાત હતો: હિમાચ્છાદિત પર્વતો તે દેશની મનોહર અજાયબીમાં ગણાતા હતા. આ પર્વતો બારે માસ વહેતી નદીઓનું જળસ્રોત હતા. તે નદીઓ ત્યાંની જમીનને ફળદ્રુપ અને ખેતીને લાયક બનાવતી હતી. આ દેશમાં લીલાછમ પર્વતો, વળાંકદાર ટેકરીઓ, સરોવરો, નિર્મળ સ્ફટિક જેવું નીર વહાવતાં ઝરણાં, ફૂલોથી લચી પડતી ખીણો અને વન્યજીવનથી ભરપૂર જંગલો કે જેમાં કેટલીક અસાધારણ ગણાતી જાતિનાં પક્ષીઓ પણ હતાં. ત્યાંના લોકો પ્રકૃતિની પૂજા કરતા અને ખૂબ જ શાંત અને સુખી જીવન જીવતા હતા. ત્યાં નાણાનું ચલણ ન હતું. તેઓ વસ્તુઓની અદલાબદલી કરતા હતા. ત્યાં સંપત્તિનો સંગ્રહ કરવાની હરીફાઈ ન હતી અને તેઓ એકબીજાને જરૂર પડ્યે સાથ આપતા હતા. તેમનામાં સૃષ્ટિના રહસ્યો જાણવાની ખૂબ જ ઉત્કંઠા હતી. તેઓ ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ મનોમંથન કરતા હતા, જેવા કે……


જોરદાર ગોળની ગળચટ્ટી વાતો… – હર્ષદ દવે 13

તમે અમિતાભ બચ્ચનને શું વેચતા જોયા છે? આમ તો અનેક વસ્તુઓ પણ ફક્ત જાહેરાત નહીં, સાચ્ચે વસ્તુ વેચતા! અરુણાબેન અને પૂર્વીબેનના મીઠાસભર્યા લેખ પછી એ જ શ્રેણીમાં આજે હર્ષદભાઈનો ગોળ વિશેનો રસપ્રદ લેખ પ્રસ્તુત છે. આપણા જીવનમાં વણાઈ ગયેલ ગોળની અનેક વાતો લઈને હર્ષદભાઈ આજે ઉપસ્થિત થયા છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો આભાર અને શુભકામનાઓ.


નારીની વ્યથા… – પલ્લવી ત્રિવેદી, અનુ. હર્ષદ દવે. 11

શ્રી પલ્લવી ત્રિવેદીનું આ કાવ્ય જેનો અનુવાદ હર્ષદ દવે દ્વારા કરાયો છે, એ આજના સમયની નારીનું, કદાચ સૌથી ધગધગતું અને પુરુષોને તેમની જ ભાષામાં કહેવાયેલું એક અનોખું સત્ય છે. આજકાલના વિશ્વમાં નારી પર થતા અનેક આક્રમણો, બળાત્કારો અને અન્યાયની ખબરોથી જ્યારે સમાચારપત્રો અને ટીવી વગેરે સતત ચમકતા રાખે છે એવામાં પ્રસ્તુત કાવ્ય એક અનોખી આભા સાથે એક નારીનો, એક ગૌરવાન્વિતા નારીનો વિશ્વની આંખમાં આંખ નાખીને અપાયેલ જવાબ છે. સર્જન બદલ પલ્લવીબેન અને અનુવાદ બદલ તથા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


કૃષ્ણકર્મ (પ્રેરણાકથા) – હર્ષદ દવે 17

દર વખતે નવું અને વિચારશીલ પ્રસ્તુત કરતા હર્ષદભાઈ દવે આજે એક સુંદર વાત લઈને આવ્યા છે. ઇન્ટરનેટ વિશ્વ પર અનેક પ્રેરણાદાયક અને ચિંતનશીલ સારી અને પ્રેરક વાતો મળી આવે છે, લંબાઈમાં નાની પણ ચમત્કૃતિપૂર્ણ અને બોધપ્રદ એવી એક વાત આજે હર્ષદભાઈ પ્રસ્તુત કરે છે. આશા છે વાચક મિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ આભાર…


પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે 8

મનની શાંતિ અને પ્રસન્નતા ઉછીની મળતી નથી. તે ધનદોલતથી ખરીદી શકાતી નથી. પોતાને કે બીજા કોઈને છેતરીને પ્રસન્નતા પામી શકાતી નથી. મનમાં દુર્ભાવના અને છળકપટ હોય તેનું ચિત્ત શાંત કે પ્રસન્ન ન હોઈ શકે. પ્રસન્નતાના પુષ્પો તો સુખ, શાંતિ અને સ્વસ્થતાના બાગમાં જ ખીલે. સહુને પ્રસન્નતા મળે તેવું કાંઇક કરવું જોઈએ. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વિકસાવી શકાય. સુખી થવાનો ઈજારો કોઈ પાસે નથી. પરંતુ જો તમે પ્રામાણિકપણે, નિખાલસપણે, અહીં કહેલી બાબતો પર વિચાર કરી યથાશક્તિ તેનાં પર અમલ કરશો તો સુખ-શાંતિ તમારા હૃદયમાં જરૂર આવી વસશે. ત્યારે તમે સુખ-શાંતિ અને પ્રસન્નતાના સરોવરમાં તરી શકશો અને આહ્લાદક શીતળતા અનુભવી શકશો. તો તમે જીવનનો સાચો, પરમ આનંદ અનુભવશો અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પણ કેળવી શકશો. તમને પ્રસન્ન થતાં તમારા સિવાય કોઈ અટકાવી નહીં શકે એ અભય વચન છે!


મૈકૂ – પ્રેમચંદ, અનુવાદ : હર્ષદ દવે 10

આ પ્રેમચંદની ‘મૈકૂ’ વાર્તાનો અનુવાદ છે. અનુવાદ કરતી વખતે મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ભાષા એવી જ અસરકારક ‘મુહાવરેદાર’ બને અને એ પણ ગુજરાતી તળપદી બોલીના પ્રયોગો સાથે. પીઠું આપણે ત્યાં વપરાતો શબ્દ છે… તાડીખાના એટલે દેશી શરાબની દુકાન. ટૂંકમાં તાડી એટલે કે તાડ/ખજૂર નાં વૃક્ષનો સફેદ કેફી રસ. આપણે ત્યાં ‘નીરો’ (સાવ તાજો ) સ્વાસ્થ્યપ્રદ પીણું માનવામાં આવે છે ( તે છે અને મેં નીરો પીધો પણ છે…) જે અમુક -સવારનો- સમય જતાં કેફી દ્રવ્ય (દારુ) માં બદલાઈ જાય છે. તેથી નશાખોરો નશો કરી પોતાની જાતને પાયમાલ બનાવે છે અને પોતાનાં પરિવારને પણ પાયમાલ કરે છે. બરબાદી નોતરતા આવાં વ્યસનથી બચાવવા માટે ગાંધીજીએ તેમનાં સ્વયંસેવકોને ગાંધીગીરી રાહે હાકલ કરી હતી. ત્યારે પોતાનાં વશમાં રાખવા માટે દારૂડીયાઓ દારૂના વ્યસનથી ન છૂટે અને પોતાની તિજોરી ભારતી રહે તે માટે ઠેકેદારો ઇચ્છતા કે તેઓ વધુ દારૂ પીએ. તેથી ઠેકેદારો અને સ્વયંસેવકો વચ્ચે પ્રેમભાવ ન જ રહે તે સ્વાભાવિક છે. નામર્દ એટલે કે બાયલા ઠેકેદારો ‘મૈકૂ’ જેવાને હાથો બનાવી પીઠ પાછળ ઘા કરનારા અને સમાજને આવી બદીઓમાં સબડતો રાખવાના મલિન ઈરાદા ધરાવતા લોકોથી છુટકારો મળે તે માટે કથા સમ્રાટ પ્રેમચંદે આ રસપ્રદ વાર્તાના માધ્યમથી સમાજના નિમ્ન વર્ગને દારુ અને ઉચ્ચ વર્ગને શરાબ છોડવા માટે સચોટ અપીલ કરી છે.


વિચારમાળાના કેટલાક મોતી… – હર્ષદ દવે 13

વિચારમાળાના મોતીઓ મનની પાચકદવા છે, જેમ ભારેખમ ખોરાકને પચાવવા એક નાનકડી ગોળી કામ કરી જાય છે તેમ જીવનના મોટા વિઘ્નો, તકલીફો અને દુઃખોની સામે લડવા આવી વિચારકણીકાઓ અનેરું પ્રેરકબળ અને શક્તિ પૂરી પાડી જાય છે. કયા સમયે કઈ પંક્તિ કે વાત નવો માર્ગ ચીંધી જશે એ તો કોણ કહી શકે? આજે પ્રસ્તુત છે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા સંકલિત આવા જ કેટલાક વિચારમાળાના મોતીઓ.


મારી દીકરીના પરિવારને… – હર્ષદ દવે 7

હું મારી વહાલસોઈ દીકરીના ‘નવા’ પરિવારને કાંઇક કહું એવું વિચારતો હતો. પણ મને થયું કે એ તો અવિવેક ગણાશે કારણ કે હવે તેનાં લગ્ન થઇ ગયા છે, તેને માટે હવે તે જ ‘પરિવાર’ છે. સાચું કહું છું, મને તેની સામે કોઈ વાંધો નથી. ખરું જોતાં મારી દીકરી હવે પહેલાં ‘તમારી’ જ કાળજી લે એવું હું ઈચ્છું છું. તેના જીવનમાં મારે હવે પાછળ રહીને મારી ભૂમિકા નિભાવવાનો સમય છે. આ વાત હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું. પરંતુ હું એક અનુરોધ જરૂર કરીશ કે …..

દીકરીઓ વિશેના સર્જનોને અક્ષરનાદ સદાય વાંછતુ રહ્યું છે, અને એ જ ઇચ્છા અંતર્ગત આજે પ્રસ્તુત છે હર્ષદભાઈની દીકરીના પરિવારને, જેના નજીકના ભૂતકાળમાં જ લગ્ન થયા છે એવી દીકરીના પરિવારને કાંઈક અંશે વિનંતિ, થોડીક ભલામણ અને હ્રદયસ્થ ઈચ્છાઓ… અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે 10

‘ઘણીવાર એક હૂંફાળો સ્પર્શ, એક સ્વાભાવિક સ્મિત, પ્રેમાળ શબ્દ, કોઈને સાંભળવા માટે ઉત્સુક કાન કે નિખાલસ અને સાચો અભિપ્રાય અથવા એકાદા નાના એવા પરોપકારના કામની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ પરંતુ તે બધામાં જીવનની દિશા બદલી નાખવાની જબરદસ્ત સંભવિતતા રહેલી હોય છે.’ એવા સુંદર સંદેશ સાથેની પ્રસ્તુત પ્રસંગવાર્તા જીવનમાં મદદની અને હકારાત્મક વિચારસરણીની અગત્યતા દર્શાવે છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે 9

સ્ત્રી ભૃણહત્યા એવો વિષય છે જેના વિશે અનેક વખત લખાયું છે, લખાયું તેના એક ટકા જેટલું પણ સમાજ દ્વારા ભાગ્યે જ અનુસરાયું છે, મોટી ગુલબાંગો અને વાતો છતાં આજે પણ, અત્યારે પણ ક્યાંક ભૃણહત્યા થઈ જ રહી હશે, અને એ પણ ભૃણના માદા હોવાના કારણે… હર્ષદભાઈનો લેખ આપણા સંકુચિત અને વિકૃત સમાજની આ જ બદી સામે લખાયેલો છે અને અક્ષરનાદ આવી કૃતિઓ પ્રસિદ્ધ કરીને ખરેખર ગર્વ અનુભવે છે, એકાદ પણ ભૃણ જો આ આખીય વેબસાઈટના બધાંય પ્રયત્નોને લીધે બચી શક્યું હોય – બચી શકે તો તેથી વધુ શું હોઈ શકે? આશા રાખીએ કે આવા અનેક લેખો એકાદ વિકૃત અને ભૃણ હત્યા કરવા તત્પર માનસીકતાને બદલવામાં ભાગ ભજવી શકે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…! – હરેશ દવે, હર્ષદ દવે 4

શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ હિમાલયની ટોચે પહોંચવાની હિંમત ન કરી શકે એ વાત સમજાય તેવી છે. સાહસ કરાય પણ આંધળું સાહસ ન કરાય. તમારી વાત સાચી છે, પરંતુ ગિરનાર ઊંચો પર્વત છે, કદાચ તે હિમાલય કરતાં પણ જૂનો છે. આ પર્વતનું ઐતિહાસિક મહત્વ ચમત્કૃતિપૂર્ણ છે પરંતુ આજે આપણે તેનાં ધાર્મિક ગુણગાન નથી ગાવા. આજે તો આપણે વાત કરવી છે આ ગરવા અને નરવા ગિરનારની સાહસિક સફરની!


જય સોમનાથ ! – હરેશ દવે, પ્રસ્તુતિ : હર્ષદ દવે 8

સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું પુરણ-પ્રસિદ્ધ શિવલિંગ મહાદેવના બાર જ્યોતિર્લીંગોમાનું ‘સોમનાથ’ મહાદેવનું શિવલિંગ પ્રથમ શિવલિંગ છે. ગુજરાતના વેરાવળના સાગરતટે પ્રતિષ્ઠિત સોમનાથનું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં સહુથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે અને તેનું પૌરાણિક, ઐતિહાસિક, સામજિક તથા ધાર્મિક મહત્વ આગવું અને અનેરું છે. પ્રસ્તુત છે સોમનાથ અંગે શ્રી હરેશ દવેનું આલેખન, પ્રસ્તુતિ હર્ષદભાઈ દવે દ્વારા કરાઈ છે.


હું શીખ્યો છું… – એન્ડી રૂની, અનુ. હર્ષદ દવે 6

આમ તો પ્રસ્તુત પોસ્ટ કેટલીક સૌમ્ય પણ જીવનમાં ઉપયોગી એવી પ્રેરણાદાયક વાતો, નિયમો કે રીતો વિશે કહે છે, પરંતુ ‘હું શીખ્યો છું કે…’ હેઠળ હર્ષદભાઈ એ બધાંયને એકછત્રે કરે છે. લેખકની સૌમ્ય મનોવૃત્તિના દ્યોતક એવા આ આચરણસૂત્રો સાચે જ પ્રેરક અને પ્રાયોગિક બની રહે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


મન્ના ડે : એક અંજલિ – હર્ષદ દવે 8

‘સાંભળવું ગમે પણ શાસ્ત્રીય સંગીતમાં આપણને કાંઇ ખબર પડે નહીં.’ ઘણાં લોકો આવું કહેતા હોય છે. પણ ફિલ્મી સંગીતના ‘ભીમસેન જોશી’ મન્ના ડેનાં શુદ્ધ શાસ્ત્રીય કે ઉપ-શાસ્ત્રીય ગીતો સાંભળીને સહુ તેને મોજથી ગણગણતા થઇ જાય છે. મન્ના ડેનો અદ્વિતીય અને અવિસ્મરણીય એવો જાદુઈ સૂર હમણાં (૨૪ ઓક્ટોબર, ૨૦૧૩, ગુરુવારે બ્રાહ્મ મુહૂર્તમાં) બ્રહ્મ લીન થઇ ગયો. સૂર અને સ્વરની અટપટી સફરના મેધાવી ગાયક મન્ના ડે હવે નથી, છે તેમનાં અનશ્વર મધુર, ગંભીર અને મસ્ત ગીતો…


લેટ્સ વોક…! – હર્ષદ દવે 10

સમય ચાલે છે પણ તમે ચાલો છો? તમે સમય સાથે ચાલો છો? નથી ચાલતા? એવું તે કાંઇ ચાલે? એવું ન પૂછો કે શા માટે ચાલું ? તમે જાણો છો કે ‘ચલના હી જિંદગી હૈ…’. પગ અને પથ ચાલવા માટે જ છે. કવિ કહે છે: તૂ ન ચલેગા તો ચલ દેગી રાહેં… ‘વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઈઝ’. બાળક ચાલતાં શીખે ત્યારે સહુને કેટલો બધો હરખ થાય છે! તમે ચાલશો તો તમે પણ આનંદ પામશો, ભલે એનું પ્રમાણ કદાચ થોડું ઓછું હોય પણ મહત્વ તો બિલકુલ ઓછું નથી. આ રસપ્રદ લખાણ વાંચીને તમે સહર્ષ ચાલશો એની મને ખાતરી છે.


ગાંધીજી અને જન્મદિવસની દિનચર્યા.. – સંકલન: હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે 12

૧૯૧૫ થી ૧૯૪૭ સુધી તેમનાં જન્મદિવસે ૨ જી ઓક્ટોબરે તેઓ ક્યાં હતા અને જન્મદિવસ કેવી રીતે ઉજવતા તેની ઉપરોક્ત વિગતો શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ સંપાદિત, ‘ગાંધીજીની દિનવારી’ અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ઉપરથી હરેશ દવે અને હર્ષદ દવેએ અહીઁ સંકલિત કરી પ્રસ્તુત કરી છે. હર્ષદભાઈ કહે છે, ‘જેઓ સંપન્ન છે તેમને પણ રાષ્ટ્રીય સંપત્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ અને કરોડો વંચિત લોકોની વેદનાનું કારણ ન બનવાનો સંદેશ અહીં સૂક્ષ્મપણે વ્યક્ત થયો છે. ‘હું શ્રીમંત છું તેથી પાણીના ટીપા માટે ટળવળતા લોકોનું ટીપું છીનવીને હું બેફામપણે પાણીનો દુરુપયોગ કરું કારણ કે મને તે પરવડે છે’ આવી ભાવના સ્વીકાર્ય ન બનવી જોઈએ. વિશ્વબંધુત્વની ભાવનાની પરવા ન કરતાં લોકો જન્મ દિવસે આડંબર, ભપકા, ખોટાં ખર્ચા, ગિફ્ટ અને રીટર્ન ગિફ્ટ! કદાચ તેમાં વ્યક્ત થતી ભાવના ઉત્તમ હોય પણ કરકસરની વાતને પણ ઉવેખી શકાય નહીં એવું મારું માનવું છે. વિવેકબુદ્ધિ શબ્દ અહીં મદદે આવી શકે અને ‘અતિની ગતિ નહીં’ એ વાત પણ અહીં વિસ્મૃત કરવા જેવી નથી જ. ત્યાગ, સાદગી, સરળતા સુખ સાથે અને મનની શાંતિ સાથે સાચું સગપણ ધરાવે છે તેમ શું તમને નથી લાગતું? ત્રસ્ત, અશાંત, દુખી, ભાગતા, હફ્તા અને અને બે છેડા ભેગા ન કરી શકતા માનવોની વચ્ચે આપણે રહીએ છીએ એ કેમ ભૂલી શકાય? બાપુની વેદનાને વ્યક્ત થઇ જોઈએ તેમનાં જન્મ દિવસે…’


બે પ્રસંગકથાઓ.. – પ્રસ્તુતિ: હર્ષદ દવે 12

નાનકડી કથા, નાનકડો પ્રસંગ કેવો સુંદર સંદેશ આપી શકે છે! હર્ષદભાઈ દવે દ્વારા અહીં પ્રસ્તુત પ્રસંગકથાઓ પણ થોડામાં ઘણું કહે છે. એક કથા મનની શાંતિ અને સ્વસ્થતાની અગત્યતા વિશે કહી જાય છે ત્યાં બીજી કથા ઉપદેશ આપવા અને સ્વયં તેનું પાલન કરવા વચ્ચેનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિઓ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો આભાર તથા શુભકામનાઓ.


બ્રહ્મ, બ્રહ્મતેજ અને યજ્ઞોપવિત – હર્ષદ દવે 11

બ્રહ્મસૂત્ર એટલે જનોઈ. જનોઈને ઉપવીત અથવા ઉપનયન શબ્દથી પણ ઓળખવામાં આવે છે. એક બીજો શબ્દ પણ છે, યજ્ઞસૂત્ર. બટુક એટલે કે પુત્રને યજ્ઞ કરીને આપવામાં આવેલું ઉપવીત. આપણાં ચાર વર્ણો પૈકી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને આપવામાં આવેલા સંસ્કારની નિશાની તરીકે બટુકને જનોઈ આપવામાં આવે છે. જનોઈ આપવાની વિધિને યજ્ઞોપવિત કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. તે ધર્મપુરુષાર્થમાં કહેલી બત્રીસ કળાઓમાંની એક કળા છે. તે માન આપવાની અથવા પૂજા કરવાની અઢાર રીતોમાંની એક રીત છે. જનોઈ એટલે રૂના તારના ૨૭ તાંતણાવાળું સૂત્ર. ઉપવીતમાં એક ગાંઠ હોય છે એ ગાંઠને બ્રહ્મગાંઠ કહેવામાં આવે છે. હર્ષદભાઈ દવે અહીં પ્રસ્તુત કૃતિમાં ‘બ્રહ્મ’, ‘બ્રહ્મતેજ’ અને ‘બ્રહ્મસૂત્ર’ અથવા યજ્ઞોપવિત એ શબ્દો તથા તેમના તાત્પર્ય અને વિચારસરણી વિશે વિગતે વાત કરે છે. સમયાનુકુળ રીતે પ્રસ્તુત રચના અક્ષરનાદ વાચકો માટે પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે 6

વરસાદની ઋતુ છે, શ્રાવણ મહીનો શરૂ થયો છે, ભક્તિ અને વર્ષાની અદભુત સરવાણી વહી રહી છે, વડીલો જ્યાં ધર્મ, ધ્યાન, ભક્તિ, વાવણી અને ખેડ જેવી બાબતોમાં વ્યસ્ત થઈ ગયા છે એવામાં બાળકો તો એ સરવડાંને મન ભરીને માણી જ રહ્યાં હશે. આવા અદભુત સમયે અક્ષરનાદને તેમની કલમ પ્રસાદી વડે સતત સમૃદ્ધ કરતા હર્ષદભાઈ દવે એ બાળકોના મનોભાવોને પદ્યમાં વણીને સરસ પ્રસ્તુતિ લઈ આવ્યા છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ભલાઈનો બદલો… – હર્ષદ દવે 17

એનિડ બ્લાયટનની એક વાર્તા ઉપર આધારિત હર્ષદભાઈ દવે રચિત પ્રસ્તુત વાર્તાની સરળ પરંતુ ઉપયોગી અને અચૂક શીખામણ આ બાળવાર્તાને મોટેરાંઓને માટે પણ એટલી જ જરૂરી અને પ્રેરક બનાવે છે. આપણા ધર્મગ્રંથો અને વેદો પુરાતનકાળથી જે વાત કહેતા આવ્યા છે એ સરળ અને બાળકો સમજી શકે એવા સ્વરૂપે મૂલતઃ ‘કોઈકને મદદ કરવી’ ના વિચાર સાથે શરૂ થયેલ હારમાળા કેવું સુંદર સ્વરૂપ લે છે એ અહીં જોઈ શકાય છે. અક્ષરનાદને આ સુંદર અને પ્રેરણાત્મક કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે 8

હર્ષદભાઈ દવેના પુસ્તક ‘પલ દો પલ’માંથી સાભાર લેવામાં આવેલ પ્રસ્તુત ત્રણ મોતીઓ વિશેષ બોધપ્રદ પ્રસંગો છે. પ્રથમ ઘટનાક્રમ પ્રેમ અને તેની અભિવ્યક્તિના ખયાલોને સુંદર રીતે વર્ણવે છે અને તેની જરૂરત વિશે સહજતાથી ઘણું બધું કહી જાય છે. એક અનાથ બાળકીના જીવન વિશે કહેતી કહેતી બીજી વાત ભાગ્ય અને તકના ચક્રને વર્ણવે છે તો ત્રીજો પ્રસંગ ભાષાકીય દ્રષ્ટિએ રૂમાલ શબ્દના ઉંડાણમાં લઈ જાય છે. ત્રણેય પ્રસંગો અહીં પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ચુગલીખોર (બાળવાર્તા) – એનિડ બ્લાયટન, અનુ. હર્ષદ દવે 10

એનિડ બ્લાયટન રચિત અને શ્રી હર્ષદભાઈ દવે દ્વારા અનુવાદિત આ સુંદર બાળવાર્તા ‘ચુગલીખોર’ બાળમનમાં ચાડી-ચુગલી જેવા દુર્ગુણો પ્રત્યે એક તિરસ્કાર ઉત્પન્ન કરી શકે છે. બાળકોને નર્યો ઉપદેશ આપવાને બદલે તેમને આવી વાર્તાઓ અને સરળ પાત્રો દ્વારા સંદેશ આપવામાં આવે તો એ તરત ગ્રહણ કરી શકે છે. એ પાત્રો દ્વારા અપાયેલ પરોક્ષ ઉપદેશ તથા એ દ્વારા જરૂરી સારી આદતો સરળતાથી બાળકમાં કેળવી શકાય છે. પ્રસ્તુત સુંદર વાર્તા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


વિલક્ષણ ‘વોલી’ની પસંદગી…! – કેન બ્લન્ચાર્ડ અને બાર્બરા ગ્લેન્ઝ, અનુ. હર્ષદ દવે. 7

શ્રી હર્ષદભાઈ દવેને તેમના એક મિત્ર પાસેથી મળેલા અલગ અને વિચારતંત્રને વેગ આપે એવા ઇ-મેલનો અનુવાદ તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે, તે અહીં પ્રસ્તુત કર્યો છે. મુદ્દાની વાત એ છે કે એક ‘સર્વિસ પ્રોવાઈડર’ એટલે કે ‘સેવાઓ ઉપલબ્ધ કરાવતા વ્યક્તિ’ તરીકે તમને ગમે તો જ તમે ગ્રાહકોને સારી સેવા આપી શકો, તે માટે કોઈ તમને પરાણે રાજી કરી ન શકે. કારણ કે ઉત્કૃષ્ટ સેવા આપવી એ આપણી પસંદગીની વાત છે. અહીં ‘વોલી’ નામના એક વિલક્ષણ ડ્રાઈવરની અને તેણે કરેલ આગવી પહેલની વાત મૂકાઈ છે. નાનકડો ફેરફાર પણ સફળતામાં કેવડું મોટું યોગદાન આપી શકે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


એક અદભુત વર્કશોપ… (ઉત્પાદન ખર્ચમાં ઘટાડો…જાપાની રીત !) – અનુ. હર્ષદ દવે. 18

તાજ હોટેલ ગ્રૂપે શ્રી માસાઈ ઇમાઇને જાપાનથી પોતાના સ્ટાફ માટે આયોજિત એક કાર્યશાળા (વર્કશોપ) માટે આમંત્રિત કર્યા હતા.

આ હોટેલ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. સ્ટાફ સભ્યોના મનમાં આશંકા હતી કે જાપાનથી આવતા આ માણસને હોટેલ ઇન્ડસ્ટ્રીનો બિલકુલ અનુભવ ન હતો તેથી તે આ વિષયમાં આપણને શું શીખવશે?
પરંતુ નક્કી થયા મુજબ બધા વર્કશોપ માટે કોન્ફરન્સ હોલમાં સવારે નવના ટકોરે આવી ગયા…..


પક્ષીરાજનું પ્રેરક પરિવર્તન – હર્ષદ દવે 4

આકાશમાં ઉડવાનું કોને ન ગમે? પણ ઉડવું શી રીતે? હનુમાન અને સુપરમેન ઉડી શકે પણ આપણે કેવી રીતે ઉડવું? ભલે આપણે ન ઉડી શકીએ પણ ઉડવામાં જેને ગોલ્ડ મેડલ મળી શકે તેવાં ગોલ્ડન ગરુડના વિશ્વમાં તો આપણે વિહરી શકીએ ને ! જેને પાંખ હોય તેને પંખી કહેવાય. પંખીઓમાં જેને રાજા ગણવામાં આવે છે તેને પંખીરાજ કહે છે. પંખીરાજ એટલે ગરુડ! એટલે જ તો તે ગરુડગામીનું એટલે કે વિષ્ણુનું વાહન છે. ધજા પર ગરુડના ચિન્હવાળા વિષ્ણુને ગરુડધ્વજ કહ્યા છે.


બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે 4

ભાષા અને બોલી સમયાંતરે અપડેટ થતા રહે છે અને તેનું જીભવગું ઉદાહરણ, ‘બોલવું’તું ને મોબાઈલ મળ્યો !’ દોડવું હોય અને ઢાળ મળે એ હવે ઢળેલી વાત થઈ ગઈ કહેવાય. ગાંધીજી પહેલાં ભારેખમ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવવામાં આવતો હતો. હવે ભારતીયો ગૌરવભેર હિંગ્લિશ, બિંગ્લિશ, પંજલિશ, તમલિશ બોલે છે. ચટણીના ચટાકાના રસિયા છીએ એટલે આપણને ‘ચટણીફાઈડ’ ઈંગ્લિશ વગર કેવી રીતે ચાલે? જેટલો હિંગ્લિશનો ચાહકવર્ગ છે એટલો જ વિશાળ વર્ગ તેનાથી મોં મચકોડનારાઓનો ચે એ પણ એટલી જ વિચિત્ર છતાં સાચી વાત છે. શેરબજારના કૌભાંડો તથા ભ્રષ્ટાચારની જેમ હિંગ્લિશની લોકપ્રિયતા અને લોકબોલિતા સર્વત્ર દ્રષ્ટિગોચર થાય તેનું કારણ તેનામાં રહેલું નાવિન્ય, તેની સરળતા, બુદ્ધિમત્તા અને ભારતીયતા છે. તેથી જ તો તે આપણે રવાડે ચડી ગઈ !