અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે 9
સ્ત્રી ભૃણહત્યા એવો વિષય છે જેના વિશે અનેક વખત લખાયું છે, લખાયું તેના એક ટકા જેટલું પણ સમાજ દ્વારા ભાગ્યે જ અનુસરાયું છે, મોટી ગુલબાંગો અને વાતો છતાં આજે પણ, અત્યારે પણ ક્યાંક ભૃણહત્યા થઈ જ રહી હશે, અને એ પણ ભૃણના માદા હોવાના કારણે… હર્ષદભાઈનો લેખ આપણા સંકુચિત અને વિકૃત સમાજની આ જ બદી સામે લખાયેલો છે અને અક્ષરનાદ આવી કૃતિઓ પ્રસિદ્ધ કરીને ખરેખર ગર્વ અનુભવે છે, એકાદ પણ ભૃણ જો આ આખીય વેબસાઈટના બધાંય પ્રયત્નોને લીધે બચી શક્યું હોય – બચી શકે તો તેથી વધુ શું હોઈ શકે? આશા રાખીએ કે આવા અનેક લેખો એકાદ વિકૃત અને ભૃણ હત્યા કરવા તત્પર માનસીકતાને બદલવામાં ભાગ ભજવી શકે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.