Daily Archives: March 27, 2014


વિચારમાળાના કેટલાક મોતી… – હર્ષદ દવે 13

વિચારમાળાના મોતીઓ મનની પાચકદવા છે, જેમ ભારેખમ ખોરાકને પચાવવા એક નાનકડી ગોળી કામ કરી જાય છે તેમ જીવનના મોટા વિઘ્નો, તકલીફો અને દુઃખોની સામે લડવા આવી વિચારકણીકાઓ અનેરું પ્રેરકબળ અને શક્તિ પૂરી પાડી જાય છે. કયા સમયે કઈ પંક્તિ કે વાત નવો માર્ગ ચીંધી જશે એ તો કોણ કહી શકે? આજે પ્રસ્તુત છે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા સંકલિત આવા જ કેટલાક વિચારમાળાના મોતીઓ.