અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

લઘુકથા સ્વરૂપપરિચય : મોહનલાલ પટેલ; પુસ્તકસમીપે – અંકુર બેંકર 7

એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.
“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”
ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.


નીતિશતકના મૂલ્યો (૩) – ડૉ. રંજન જોશી 6

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૮ થી ૧૦ ના અર્થ સહ વિસ્તાર.


અધ્યાત્મનો અણસાર – પ્રદીપ રાવલ ‘સુમિરન’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ

કવિશ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.

જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.


નૃત્યનિનાદ ૧ : નૃત્ય – એક લલિતકળા 19

નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


સ્મશાન યાત્રા – કમલેશ જોષી 6

પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.


એક પત્ર સારંગપુરના ઘરને.. – નેહા રાવલ 13

તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં… એ સમયની હુંફ મને ઘેરી વળે છે!


આઝાદીની પૂર્વસંધ્યાએ.. : અર્ધી રાત્રે આઝાદી – ધર્મેન્દ્ર કનાલા 14

આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.


શ્રદ્ધા મતલબ.. – શ્રદ્ધા ભટ્ટ 19

શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?


લદ્દાખ (સફરનામું) ભાગ ૨ – સ્વાતિ મુકેશ શાહ 9

પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,


મોહી પડવાની પળ – રાજુલ ભાનુશાલી 32

ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું.


ન્યુઝ સ્ટોરી – મનહર ઓઝા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 12

મારી દ્રષ્ટિએ આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી કટાક્ષિકા છે. જેમાં એક ફિલ્મની ગતિએ દ્રશ્યો બદલાય છે. આ વાર્તા હજુ ધીમી અને લાંબી થઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં દરેક પાત્રના મનોમંથનનો અવકાશ હતો. જેને કારણે પાત્રના ઘડતરને પણ મજબૂતી મળી શકત. હજુ વધારે ઘૂંટી શકાય તેવી વાર્તા ચોક્કસપણે સામાજિક નિસબત ધરાવે છે.


ન્યુઝ સ્ટોરી – મનહર ઓઝા 2

“યુ વોન્ટ બીલીવ પાર્થ, તે દિવસે સ્ટોરી માટે હું ભૂખ્યો તરસ્યો આખીરાત રખડ્યો હતો. બસ, મનમાં નક્કી કર્યું હતું, કે સવારે એક સરસ સ્ટોરી લઈને જ ઓફિસે જઈશ.”


boy in gray hoodie doing with tongue out

બાળકોની ધમાચકડી એટલે તાન, જુસ્સો અને થનગનાટ! – ભારતીબેન ગોહિલ 16

આપણે આપણાં બાળકોને શિસ્તમાં રાખી ડાહ્યાં ડમરાં બેસાડી દેવાને બદલે તેને ધમાચકડી કરતાં, નવું શીખતાં, જુસ્સો વ્યક્ત કરતાં ને થનગનાટ કરતાં કરી દઈએ. તેનું અમૂલ્ય બાળપણ સૌ સાથે મળીને ઉજવીએ!


લાગણીના વિસામે (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી 4

કાલે જયારે હું મારા ઘરની અગાસી પર હતી, અને નીચે તું ઉભો હતો, કાળા જેકેટ અને કાનપટ્ટીમાં સજ્જ. ઠંડીનો પ્રકોપ ચારેબાજુથી આપણને વીંટળાયેલો હતો.


મને આકાશ કેમ બોલાવે છે? (યે શામ મસ્તાની) – હર્ષદ દવે 4

ભાષાની કમાલ જુઓ! હિન્દી ભાષામાં સ્વરબદ્ધ થયેલું આ ગીત બંગાળી ભાષામાં, અલગ શબ્દોમાં, છતાં એ જ સૂરમાં સ્વરબદ્ધ થયેલું છે. સૂર અને સ્વરનો કેવો અદભુત સમન્વય! આવા ગીતોને બંગાળીમાં ‘આધુનિક ગાન’ કહે છે!


The trial of the Chicago 7: સામા પ્રવાહના તરવૈયાઓની કથા – નરેન્દ્રસિંહ રાણા 5

જો તમને અન્યાય અને સામાજિક અસમાનતા ખટકતા હોય કે ક્યારેય તમારો માંહ્યલો અન્યાય સામે લડી લેવા કહેતો હોય તો આ ફિલ્મ તમને ચોક્ક્સ ગમશે.


પરમ સખા પરમેશ્વરને – નીલમ દોશી (એક સુંદર શરૂઆત) 1

સૌ પ્રથમ તો હે પરમાત્મા, આજે ફરી એકવાર જાગી શકાયું એ માટે દિલથી આભાર. અનેક લોકો સૂતા પછી બીજી સવાર જોઇ શકતા નથી એ હું જાણું છું. પણ તેં મને એક વધુ સવારની અણમોલ ભેટ આપી છે.


જીવનનો વલવલાટ : ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ 1

હાથ ફેલાવી જુઓ મન થાય તો-
ભેટવાની ઝંખના શું થાય છે?

જીવનનો વલવલાટ : ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ


નીતિશતકના મૂલ્યો (૨) – ડૉ. રંજન જોશી

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે.


ધ રામબાઈ : જીતેશ દોંગા – હીરલ વ્યાસ 10

અક્ષરનાદના માધ્યમથી હું પુસ્તકોના દરિયામાં ડૂબકી લગાવું છું અને નવાં નવાં મોતી તમારા સૌ સાથે વહેંચી રહી છું એ અંતર્ગત આજે જે પુસ્તકની વાત કરું છું એ છે શ્રી જીતેશ દોંગાનું ‘ધ રામબાઈ’


woman reading book

એ ય… સાંભળને, તને કહેવું છે કે… – નેહા રાવલ 10

એ ય… સાંભળને,

તને કશુંક કહેવું છે.

તને ઘણુંબધું કહેવું છે.

તને કહેવું છે કે જયારે પણ તને કશુંક કહેવા જાઉં ત્યારે તારો ચહેરો મારી આંખો સામે આવે અને મારે જે કહેવું હોય એ જ વાત એ પૂછે!


સૂર્ય પ્રત્યેની આધ્યાત્મિકતા – શ્રદ્ધા ભટ્ટ 17

બુદ્ધિની તેજસ્વિતા એ દરેક મનુષ્યની આંતરિક બાબત છે. પ્રકાશથી ઝળહળ થતો પૂંજ બાહ્ય અંધકારને દૂર કરી શકે પણ માનવના અંતરમનમાં વ્યાપેલો અંધકાર તો એણે જાતે જ દૂર કરવો રહ્યો! સૂર્યનું સવિતૃ રૂપ આ આંતરિક અંધારાને દૂર કરી ભીતર પ્રકાશ પાથરવા નિમિત્ત બને છે! પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય એટલે જ સવિતૃ!
देवो दानाद्, ध्योतनाद् दीपनाद् वा |


ભૂલ કબૂલીને પાછા વળવાનો સમય – અલકેશ પટેલ 1

તમારું ધ્યાન એવા ટ્વિટર ટ્રેન્ડ ઉપર ગયું છે કે નહીં જ્યાં પ્રખર રાષ્ટ્રવાદની વાત કરતા અથવા જેહાદી આતંક વિરુદ્ધ રિપોર્ટિંગ કરતા મીડિયાને જાહેરખબરો નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય જાહેરખબર એજન્સીઓને હાકલ થતી હોય!


લદ્દાખ (સફરનામું) ભાગ ૧ – સ્વાતિ મુકેશ શાહ 14

આજે સૌ મિત્રોને આપણાં શીર્ષ જમ્મુ કાશ્મીરના લદ્દાખની મુલાકાતે લઈ જઉં. ભગવાને લદ્દાખમાં ભરપૂર કુદરતી સૌન્દર્ય ઠાલવ્યું છે. સામાન્ય રીતે બધાં લેહ લદ્દાખ બોલતાં હોય છે પરંતુ લેહ એ લદ્દાખની રાજધાની છે. બાકી અહીં લદ્દાખ આખામાં જોવાલાયક ઘણું બધું છે. ચાલો મારી સાથે તમે પણ સફર કરી લો આ અદ્રુત પ્રદેશની.


પરમ સખા પરમેશ્વરને – નીલમ દોશી (પ્રસ્તાવના) 3

આ પુસ્તક વાંચતા ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા, પ્રાર્થનાનું મહત્વ અને સાચી પ્રાર્થનાનો મર્મ ભાવકોના અંતરમાં ઊઘડી શકે, સૌના જીવનમાં ઉજાસનું એકાદું કિરણ પ્રવેશી શકે એવી સાચી નિષ્ઠાથી, દિલની ભાવનાથી પ્રાર્થના..


ઉંબરો – નરેન્દ્રસિંહ રાણા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 14

આખી વાર્તામાં એક અબુધ કિશોરીનું મનોમંથન સરસ રીતે નીપજ્યું છે. વરસાદ આવ્યો એમાં મારો શું વાંક? કાલ સુધી મન ભરી પલળતી છોકરીને આજે બીજાની નજરોને કારણે અનાવૃત કેમ અનુભવવું પડે?


ઉંબરો (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – નરેન્દ્રસિંહ રાણા 7

શ્રેયા ઉઠી ત્યારે નિશાળે પહોંચવામાં મોડું થઈ ગયેલું. બાજુમાં માને સુતેલી નહિ જોઈને ખ્યાલ આવી ગયો કે આજે તે મોડી ઉઠી છે. મા તેને ક્યારેય ઉઠાડતી નહિ. એ માને સમયસર ન ઉઠાડવા માટે ફરિયાદ કરતી તો મા કાયમ તેને કહેતી કે, ‘હા, પણ હવે… કેટલીવાર ફરિયાદ કરીશ? તું મારો રાજા દીકરો છે. તને મારે વહેલી ઉઠાડીને પાપમાં નથી પડવું. બાળકોને ઊંઘમાંથી ઉઠાડીએ તો બ્રહ્મહત્યાનું પાપ લાગે.’ આ કારણે જ શ્રેયા જાતે ઉઠતા શીખી ગયેલી. તેને મોડું થયાનું ભાન થતા જ તેણે પલંગ પરથી રીતસર ઠેકડો માર્યો.

woman in red and black dress posing for a photo

શું કહ્યું? બાળપણ અને આધ્યાત્મિકતા? – ભારતીબેન ગોહિલ 11

બાળકોને બહાર ખૂબ ઘુમાવ્યાં. ભીતરનો પ્રવાસ કરાવ્યો કદી? પ્રયોગ કરવા જેવો.. મનની આંખે ને કલ્પનાની પાંખે! શરૂઆતમાં આંગળી પકડી તેને દોરજો. પછી ધીમે ધીમે મુક્ત રીતે વિહરવા ને નિજાનંદ માણવા દેજો. જોજો. સમગ્ર બ્રહ્માંડ આ નાનકડા પ્રવાસીઓને આવકારવા કેવું તત્પર હશે!