સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


મુસાફર.. – બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

૪ જૂન ૧૮૫૭ના રોજ ઓસ્ટ્રેલીયાના ન્યૂ સાઉથ વેલ્સમાં જન્મેલ બાર્બરા જેન બેયન્ટનની પ્રસ્તુત અનુદિત વાર્તા મૂળ ઓસ્ટ્રેલીયામાં સૌપ્રથમ વખત ૧૨ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ સિડનીથી પ્રકાશિત‘ધ બુલેટીન’ સામયિકમાં‘’ધ ટ્રેમ્પ’ના શીર્ષક સાથે પ્રસિદ્ધ થઈ હતી,ત્યારબાદ ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત તેમના પુસ્તક “બુશ સ્ટડીઝ” માં એ ફરી પ્રકાશિત થઈ. ઓસ્ટ્રેલીયાના અંતરીયાળ, ઝાડી ઝાંખરાવાળા મેદાની પ્રદેશોમાં છૂટાછવાયાવસતા લોકોના જીવનની હાડમારીઓ અને મુશ્કેલીઓને તેમણે તાદ્દશ ઝીલવાનો પ્રયાસ કર્યો. એ પ્રકારના જીવનની નિર્દય, ભયાવહ અને એકાંતિક નિષ્ઠુરતાને પોતાના લખાણોમાં તેમણે વાતાવરણના વર્ણનનો કે શાબ્દિક ચમત્કૃતિનો આધાર લીધા વગર ઘટનાઓની અને પાત્રોની ખૂબ વિગતે છણાવટથી પ્રસ્તુત કરી. અવાચક કરી દેતી ભયાનકતા અને તીખી વાસ્તવિકતા તેમના સર્જનોની વિશેષતા રહી છે. તેમના સર્જનોને વિવેચકોની પ્રસંશા અને નિંદા બંને ભરપૂર મળ્યાં છે..


પૉડકાસ્ટ : પ્રાથમિક જરૂરીયાતો (ભાગ ૧) 5

મુક્ત અભિવ્યક્તિના આ વિશ્વમાં એક પછી એક અવનવા સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ થતા રહે છે જે અનેક માધ્યમો દ્વારા આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાને નવું પરિમાણ આપે છે. બ્લોગિંગ અને સોશિયલ મિડીયા પછી જે નવું પરિમાણ મેં અપનાવ્યું છે એ છે પૉડકાસ્ટ.. પોડકાસ્ટ એટલે તમારા અવાજમાં તમે પ્રસ્તુત કરવા માંગો છો તેવી વાત ઑડીયો સ્વરૂપે, તેના બધાં ટેકનીકલ પાસા સહિત પ્રસિદ્ધ કરવાની આખી પ્રક્રિયા. અહીં વિષયવસ્તુની પસંદગીથી લઈને તેનું રેકોર્ડિંગ, રેકોર્ડ કરેલ સામગ્રીનું ઑડીયો ફોર્મેટિંગ અને આખરી ઓપ આપવો, તેને પ્રસિદ્ધ કરતા પહેલા ટેકનીકલ જરૂરીયાતો, ક્યાં અને કઈ રીતે પ્રસિદ્ધ કરવું તથા તેની પ્રસિદ્ધિ વગેરે વિષયો પણ સમાવિષ્ટ છે.


સર્જનાત્મકતા આડેના અવરોધ પાર કરવાની રીત.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

આપણે સર્જનની સામેના અવરોધોથી કાયમ માટે છૂટકારો મેળવી શક્તા નથી – એ કળાસર્જન હોય, વ્યવસાય માટે હોય કે લેખન પ્રવૃત્તિ હોય. અવરોધ કાયમ ઉભો થવાનો જ છે, પણ તેને હરાવી એ અવરોધને પાર કરવાની રીત આપણે શીખવી જ રહી. શું તમે પણ આ અવરોધ અનુભવો છો? તમને પણ તમારી હાથ પરનું કામ મુલતવી રાખવાની ઈચ્છા સામે લડો છો? તમે પણ રોજ સર્જન કરવા માંગો છો પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મનને અન્યત્ર જતું રોકવામાં મુશ્કેલી પડે છે? તો સર્જનની આ આદતની આડે આવતા વિઘ્નોને પાર કરીને એ ધ્યાન ફરીથી કેન્દ્રિત કરી શકાય એ માટેની રીત વિશે વાત કરીએ…


અકસ્માતનો અનુભવ.. 11

ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો છે.


મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

પોતાની નોકરી અને ઘરેડમાં બંધાયેલા જીવનથી ત્રસ્ત અને નિરાશ બ્રોની વેર એવું કાંઈક કરવા માંગતી હતી જે તેને કાંઈક ઉપયોગી કર્યાનો અહેસાસ અને આત્મસંતોષ આપી શકે. તેણે મૃત્યુશય્યા પર પોતાના આખરી દિવસો વીતાવી રહેલા લોકોને જ્યાં સારવાર મળી રહી હોય એવી એક હોસ્પિટલમાં તેમની કાળજી લેવાનું શરૂ કર્યું. અનેક દર્દીઓની અંગત કાળજી લેતાં તેણે એ દર્દીઓના જીવનને, તેમની આશાઓ અપેક્ષાઓ અને નિરાશાઓને, મૃત્યુ વખતના તેમના રંજ અને અફસોસને ખૂબ નજીકથી અવલોકવાની તક મળી. આાવા દર્દીઓની સાથે તેમના જીવનના છેલ્લા ત્રણથી બાર અઠવાડીયા વીતાવવાનો અવસર તેને મળ્યો, અને આ દરમ્યાનમાં તેણે જે નોંધ્યું એ હતું એ દર્દીઓને મૃત્યુશય્યા પર થયેલ જીવનમાં કાંઈક ન કર્યાનો અફસોસ કે રંજ…


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૫ 3

એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આ શ્રેણી હવે ફરીથી આગળ વધારવાનો પ્રયત્ન છે, એ જ શૃંખલાને આગળ વધારતા એવી અન્ય ઉપયોગી એપ્લિકેશન્સ વિશે જાણીએ.


એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ 11

તમને પણ મારી જેમ ક્યારેય એવો અસંતોષ થયો છે ખરો કે આજે કરવાના કામની યાદીમાંથી ઘણાંબધા કામ બાકી રહી ગયા હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે તમારા દિવસભરના સમયમાં અત્યંત વ્યસ્ત રહ્યા હોવ? આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા? આ કરવું હતું પણ રહી ગયું.. જો તમને એમ લાગતું હોય કે તમને તમારી રોજીંદી ક્રિયાઓ કરવા માટે, તમારી મનપસંદ પ્રવૃત્તિ માટે, પરિવારને સમય આપવા કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવા દિવસના ૨૪ કલાક ઓછા પડે છે તો આ વિચારમંથન એક વખત અવશ્ય વાંચશો અને પછી તમારા પ્રતિભાવ આપો.


મારી બે ગઝલરચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

લાંબા સમય પછી આજે મારી બે ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રથમ રચના વિયોગમાં કે મોહભંગમાં ઝૂરતા એક પ્રેમીની સ્થિતિ બતાવે છે તો બીજી રચના જીવનના અનેક વળાંકો, અનેક ઘટનાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. સર્જન હમણાં ખૂબ ઘટી ગયું છે એવા અહેસાસ છતાં ગત અઠવાડીયે પૂર્ણ થયેલી આ બે ગઝલ રચનાઓ આપને ગમશે એવી આશા છે.


ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

સ્વભાવની કડવાશ નકારાત્મક લાગણીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને એ અંતે અધોગતિ તરફ દોરી જાય છે, કડવાશનો જવાબ કડવાશથી આપવો એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. આવી નકારાત્મક લાગણીને દૂર કરવાનો ઉપાય છે હકારાત્મક વિચારો, લોકો અને પરિસ્થિતિઓથી સતત ઘેરાયેલા રહેવું જેથી અન્યોનો મુકાબલો કરતા આપણે આપણો મૂળભૂત સ્વભાવ ગુમાવી કડવા ન બની બેસીએ. આશા છે આજનો આ લેખ હકારાત્મક બનવા વિશેના કેટલાક સચોટ અને પ્રાયોગિક સૂચનો આપી શક્શે. ઝેનહેબિટ્સ પરથી લેવાયેલ લીઓ બબૌતાના આ લેખ નો ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂએ કર્યો છે.


મુક્તિ મળે કે ના મળે.. – ચિંતન – જીજ્ઞેશ અધ્યારૂ 5

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે… અચાનક આ ભજન સાંભળવા મળ્યું, ફરી સાંભળ્યું, ફરી ફરી સાંભળ્યું… શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઈ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ પ્રકારના સાહિત્ય મંથનમાં કદાચ સફળતા મેળવવાની શક્યતાઓ ઓછી હોય તો પણ એ પ્રયત્નમાંય સંતોષ અને શાંતિ મળે છે. એ મંથન મનને એક અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે, અને સાથે સાથે એ આંતરીક સંવાદ બ્રાહ્ય વ્યસ્તતાને કંઈક અંશે શૂન્યતા તરફ થોડીક ક્ષણો પૂરતી પણ, લઈ જાય છે.


અક્ષરનાદનો નવમો જન્મદિવસ 29

અક્ષરનાદનો આજે નવમો જન્મદિવસ છે. ૨૦૦૭થી સતત ‘અધ્યારૂનું જગત’ અને પછી ‘અક્ષરનાદ’.. આપણી માતૃભાષાના સાહિત્ય અને સર્જન સાથે સંકળાયેલી આ સફરને આગળ વધારવાનો પ્રયત્ન કરતું જ રહ્યું છે. આ વર્ષે એ પ્રયત્ન પાછલા આઠેય વર્ષોમાં સહુથી મુશ્કેલ થઈ રહ્યો, એટલો મુશ્કેલ કે એક સમયે અઘોષિત બંધ જ થઈ ગયેલી આ વેબસાઈટ ફરીથી બેઠી થઈ શકી, અચોક્કસ અને અનિયમિતપણે પણ ચલાવી શકું છું એનું એક માત્ર કારણ છે વાચકમિત્રોનો અઢળક પ્રેમ અને પ્રોત્સાહન. ફક્ત એક જ વાતનો સંતોષ છે કે હતાશાના સમયમાં મારી જ મહેનત મને ઉપયોગી થઈ પડી છે, આ જ સાહિત્યલેખો અને સર્જનો કપરા સમયના સંગાથી થઈ રહ્યાં છે.


અક્ષરનાદનું નવું સ્વરૂપ… 18

અક્ષરનાદની થીમ બદલ્યે લગભગ સાડા ત્રણ વર્ષ થયાં, ત્યારથી વર્ડપ્રેસના અનેક અપડેટ્સ થઈ ગયાં, થીમ પણ અપડેટ માંગતી હતી પણ કોડમાં કરેલ ફેરફારને લીધે એ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે છેલ્લા લગભગ ચારેક મહીનાથી થીમ બદલવાની આ પ્રક્રિયા શરૂ કરેલી. પણ છેલ્લા ચારેક મહીના જ વ્યવસાયિક જીવનના સૌથી વધુ અગવડભર્યા દિવસો થઈ રહ્યાં. એક એક દિવસ ભયાનક તાણ અને મુશ્કેલીભર્યો રહ્યો અને એ હજુ પણ ચાલુ જ છે… ખેર એ વાત ફરી ક્યારેક!

તો…. અનેક થીમની ભયાનક ઉલટફેર, સાઈટના દેખાવ અને સુવિધાઓ અંગેની મથામણ, ખૂબ લાંબા સમયની મહેનત અને સમયનો સખત અભાવ, આ બધાંય તત્વોને પાર કરીને આજે અક્ષરનાદનું નવું સ્વરૂપ પ્રસ્તુત કરી રહ્યો છું.


બે પદ્ય રચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 9

ઘણાં વખતથી ડ્રાફ્ટમાં રહેલ આ બંને રચનાઓ પ્રસ્તુત કરવાની લાલચ આજે રોકી શક્તો નથી. મેં સામાન્યપણે અનુભવ્યું છે કે વ્યવસાયિક તણાવ અને ખેંચતાણ અત્યંત વધી જાય ત્યારે મારું સર્જન પણ વધતું જાય છે, એ રીતે છેલ્લા પાંચેક મહીનાની કપરી વ્યવસાયિક રાજકીય અવ્યવસ્થાને લીધે થયેલ સર્જનો હવે બહાર નીકળવા તક શોધશે. આજે પ્રસ્તુત છે મારી બે રચનાઓ, એક ગીત છે અને એક ગઝલ (જેવું, જો ગઝલ ન લાગે તો!) છે. આશા છે મિત્રોને ગમશે. આપના અભિપ્રાય જાણવા ગમશે.


જીમેલમાં ખાંખાખોળા… – જીજ્ઞેશ અધ્યારૂ 13

ગૂગલે જ્યારે ૧ એપ્રિલ ૨૦૦૪ના દિવસે જીમેલની જાહેરાત કરી ત્યારે માઈક્રોસોફ્ટ અને યાહુ ઈ-મેલ સુવિધા આપતી અગ્રગણ્ય કંપની હતી. માઈક્રોસોફ્ટના હોટમેલ કરતા લગભગ ૫૦૦ ગણી વધારે એવી ૧ જીબીના સ્ટોરેજ સાથે ગૂગલે જાહેર કરેલ જીમેલને ત્યારે મોટા ભાગના લોકો એપ્રિલફૂલ જોક સમજ્યા હતા. એ સમયે જીમેલ ‘ઇન્વાઈટ ઓન્લી’ સુવિધા હતી, ૨૦૦૭માં તેને પૂર્ણપણે સાર્વજનિક કરાઈ ત્યારથી લઈને આજ સુધી એ નિઃશુલ્ક વેબમેઈલ વિભાગમાં એકહથ્થુ સામ્રાજ્ય કરે છે. પણ તેની શરૂઆતના સમયે જીમેલને અન્ય સ્પર્ધકોથી આગળ લઈ જનાર વસ્તુ હતી તેની મોટી સ્ટોરેજ ક્ષમતા અને ‘ઇ-મેલમાં આંતરીક શોધની સુવિધા.’


નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય 16

સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો – સ્નેહીજનોને દિવાળીની શુભેચ્છાઓ.. નવા વર્ષના ઘણાં સાલમુબારક. આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ, જ્ઞાન અને પ્રગતિ પામી જીવનના સાચા મર્મને સમજવામાં સીમાચિહ્નરૂપ બની રહો તેવી શુભેચ્છાઓ.


કાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 13

રવિન્દ્રનાથ ઠાકુરની કલમે સર્જાયેલ કાબુલીવાલા એક સુંદર વાર્તા છે, વર્ષો પહેલા શાળા શરૂ થતાં પહેલા હિન્દી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકોની વાર્તાઓ હું વાંચી જતો, અને પછી શાળામાં અભ્યાસ દરમ્યાન એ ટેવ મદદરૂપ થઈ રહેતી. કાબુલીવાલા વાર્તાની વિશેષતા છે તેનું કથાનક, એક કાબુલી અને નાનકડી છોકરી મિની વચ્ચેની દોસ્તીની વાત, એ છોકરીમાં પોતાની દીકરીને જોતા કાબુલીના મનોભાવ અને મિનીના પિતા દ્વારા આલેખાતી આ વાત એટલી તો સુંદર થઈ કે તેના પર બંગાળીમાં (૧૯૫૭માં), હિન્દીમાં (૧૯૬૧માં) અને મલયાલમમાં (૧૯૯૩માં) ફિલ્મ પણ બની. કાબુલીવાળાનું પાત્ર સ્વદેશથી દૂર કામ કરતા એવા દરેકના સંવેદનોને વાચા આપે છે જેઓ પોતાના સ્વજનોથી દૂર રહીને રોજગાર માટે મજબૂર છે. પ્રસ્તુત છે આ સુંદર વાર્તાનો અનુવાદ. હિન્દીમાં મળેલ કાબુલીવાલામાંથી કર્યો છે.


૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 25

પ્રસ્થાપિત લેખકો માને છે કે માઈક્રોફિક્શન કે જેને અક્ષરનાદ ગુજરાતીમાં ‘વાર્તાપ્રકાર’ તરીકે વિકસાવી રહ્યું છે એ શબ્દરમત છે, એ કોઈ વાર્તાપ્રકાર નથી. એક સર્જકે કહ્યું, ‘એ થોડો સ્વીકાર્ય પ્રકાર છે? કયું સામયિક તેને વાર્તાપ્રકાર ગણશે? કયા સંપાદકો તેને પોતાના સંપાદનમાં સમાવશે?’ મારે તેમને કહેવું છે, ‘જરા ઘરેડમાંથી બહાર આવો સાહેબ, ગાર્ડિયન જેવું અખબાર જેને આજના જમાનાનો સર્વાધિક લોકપ્રિય વાર્તાપ્રકાર ગણાવે છે, વિશ્વના અગ્રગણ્ય અને પ્રચલિત વિદ્યાલયો જેની સ્પર્ધાઓ વર્ષોથી યોજે છે, ૧૯૪૮થી જે અંગ્રેજીમાં સર્જાઈ રહી છે એ માઈક્રોફિક્શનને ગુજરાતીમાં વિકસવા કોઈ સર્ટિફિકેટની જરૂર છે?’

માઈક્રોફિક્શનના આ યજ્ઞમાં, અક્ષરનાદ આયોજીત પ્રથમ ગુજરાતી માઈક્રોફિક્શનની આ સ્પર્ધામાં અમે આયોજકો તરીકે ભાગ નહીં લઈ શકીએ તો શું થયું? સર્જન પ્રક્રિયા તો સતત રહે જ છે. આજે પ્રસ્તુત છે મારી ૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ. હું આજે પહેલા એક માઈક્રોફિક્શન વાર્તાકાર અને પછી સંપાદક. નિખાલસ પ્રતિભાવોનું સ્વાગત છે.


અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 6

લિઓનો બ્લોગ મારા વ્યવસાયિક જીવનમાં અનેક વખત ઉપયોગી થયો છે, અને ઉપરોક્ત અનુવાદ કર્યો છે એ લેખને હું લગભગ નિયમિતપણે વાંચતો રહું છું, આવા અનેક લેખ જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. ઝેનહેબિટ્સની હેબિટ ઘણીવાર નાની બાબતો પર મોટી વાત કહી જાય છે. આ સુંદર લેખ બદલ લિઓનો આભાર, આશા છે મારી જેમ અન્ય વાચકોને પણ આ બાબતો ઉપયોગી થશે.


માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે. વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે. ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. રૂઢીગત વાર્તા પ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, ચમત્કૃતિ, વાચકના મનને હલબલાવી મૂકે એવ અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે. આ અનોખા વાર્તાસ્વરૂપ વિશે વધુ જાણો…


વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

અંગત વ્યવસાયિક જીવનની તકલીફો, અનુભવો અને રાજકારણ વિશે અંગત ડાયરીમાં લખવું અલગ વાત છે પણ એ જ જાહેર મંચ પર મૂકવું એ મુશ્કેલ છે. એમાં અનેક ભયસ્થાનો છે. લોકોની નજરમાં આળસુ, રઘવાયા, ગાંડા કે તકવાદી ગણાઈ જવાનો ભય, કોઈકની સામેના માનસિક વિરોધને શબ્દદેહ આપી બેસવાનો અને એ રીતે અંગત અણગમાને વ્યક્ત થઈ જવા દેવાનો ભય, પોતાની જાતને વધુ પડતી પ્રોજેક્ટ કરી બેસવાનો ભય, પોતાની ક્ષમતાઓને વધારે આંકી બેસવાનો ભય, વ્યવસાયિક ગુપ્તતા અને ‘ટ્રેડ સીક્રેટ’ના છત્તા થઈ જવાનો ભય, કોઈકના નજીકના ગણાઈ જવાનો ભય, કોઈકના તમારા પ્રત્યેના અકારણ અણગમા વિશે તમે જાણો છો એ બતાવવાનો ભય…. પણ છતાંય એક ત્રીજો પુરુષ એકવચનના સ્વરૂપે ૧૧થી વધુ વર્ષના વ્યવસાયિક જીવનમાં મેં જે અનુભવ્યું છે એ આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાય અને શોખને મેં અત્યાર સુધી પ્રયત્ને અલગ જ રાખ્યા છે, ક્યારેક સાહિત્યનો સહારો વ્યવસાયિક તકલીફોને હળવી કરવામાં ઉપયોગી થયો છે, પણ એ વિશે ઉપર બતાવ્યા એ બધાંય ભયસ્થાનોથી ઉપર જઈને લખવું એ મારૂ એક પ્રકારનું માનસીક દુઃસાહસ જ કહી શકાય…


‘જે તરફ તું લઈ જશે..’ એ તરફ.. – રાકેશભાઈ હાંસલિયાના ગઝલસંગ્રહનો આસ્વાદ 13

બાળપણથી અનેક સર્જકોની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એ ગઝલોને અનેરા આદરથી જોઈ છે – માણી છે. ગઝલ સાંભળ્યા પછી સદાય થતું કે અરે, આ તો મારી પોતાની જ વાત તેમણે કહી.. નવોદિત ગઝલકારોની શ્રેણીમાંથી પ્રસ્થાપિત રચયિતાની શ્રેણીમાં પ્રવેશેલા રાકેશભાઈ હાંસલિયા તેમની રચનાઓ દ્વારા એવી જ વાત અને એ જ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે. અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતી તેમની ગઝલો સદાય તેમના સુંદર હસ્તાક્ષરોમાં અને આનંદિત થઈ જવાય તેવા પત્ર સાથે મળે તેની સદાય રાહ જોતો હોઉં છું, એવામાં તેમનો ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ મળ્યો. વરસાદી મૌસમમાં એ ગઝલો માણવાની મજા આવી, એક નહીં પણ અનેક વખત એ ગઝલોનો સાથ માણ્યો. આજે એ સંગ્રહ વિશે લખી રહ્યો છું ત્યારે એક સર્જકને તેમના ભાવક દ્વારા અપાયેલું આ એક આભારદર્શન જ ગણી શકાય. પ્રસ્થાપિત કવિમિત્રોની જેમ ‘ગઝલસઁગ્રહનો આસ્વાદ’ એવું શિર્ષક લખવાની ધૃષ્ટતા તો કરી, પણ અંતે તો આ ગઝલસંગ્રહની સફરમાં જે મેળવ્યું એ જ, કે એથી ક્યાંય ઓછું મૂકી શક્યો છું. રાકેશભાઈ આવી વધુ રચનાઓ દ્વારા સતત સર્જનરત રહે અને તેમની કલમે અનેક હ્રદયંગમ કૃતિઓ આપણને મળતી રહે એવી શુભેચ્છા સહ પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ બદલ અનેક શુભેચ્છાઓ.


ગુરુપૂર્ણિમાએ યાદોના પ્રદેશમાં…. – જીજ્ઞેશ અધ્યારૂ 19

આજની આ વાત અંગત છે, પણ ગુરુ વિશેની વાત તો આમ જ રહેવાની. મારા એ આદરપાત્ર, ખૂબ સ્નેહી અને પોતાની ફરજનિષ્ઠામાં અચૂક એવા શાળા સમયના શિક્ષકો વિશે આજે અહીં વાત મૂકી રહ્યો છું. ગુરુપૂર્ણિમા બધાને માટે ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા જ છે કે આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર એવા આપણા શ્રદ્ધેય ગુરુને આજના દિવસે વિશેષતઃ આદર અને સન્માન આપી શકીએ, તેમને યાદ કરી શકીએ.


ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ટૉરન્ટ વપરાશકર્તાઓને એક માહિતી પુસ્તિકા આપવાની અને તેના વિશે ન જાણતા લોકોને મૂળભૂત જાણકારી આપવાનો પ્રયત્ન આ ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાના મૂળમાં છે. ટૉરન્ટ પદ્ધતિ વડે ફાઇલ શેરીંગનું આખુંય વિશ્વ હવે તમારી સમક્ષ ઉપલબ્ધ છે અને આ ઈ-પુસ્તિકા તેના માટે પાશેરામાં પહેલી પૂણી પૂરી પાડશે એવી આશા છે.


અક્ષરનાદનો આઠમો જન્મદિવસ 33

‘અક્ષરનાદ’ નામની આપણી માતૃભાષાના વૈભવ અને મહેકને વિશ્વભરમાં વસતા ગુજરાતીના વાચકો, ભાવકો અને ચાહકો સુધી પહોંચાડતી એક નાનકડી વેબસાઈટ, એક સાવ અવ્યવસાયિક પ્રયત્ન આજે ગુજરાતી વેબવિશ્વમાં સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં પ્રવેશી રહી છે. સાત વર્ષ એક ખૂબ લાંબો સમયગાળો છે. ગુજરાતી ભાષાએ જ આ સાત વર્ષોમાં અનેક બ્લોગ, અનેક બ્લોગર અને અનેકાનેક વેબસાઈટ્સની ઉભરતી અને ઓસરતી લાલિમાઓ જોઈ છે, એ બધાંની વચ્ચે સતત આ સાત વર્ષ ઉભા રહી શકાયું, આગળ વધી શકાયું અને હજુ પણ એ જ ઉત્સાહ, એ જ પ્રેરણા મળી રહી છે એ બદલ વાચકો, વડીલો, સાહિત્યકાર મિત્રો અને લેખકોને, સર્વેને નતમસ્તક.


મૃગતૃષ્ણા.. (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 17

ગુજરાતી વાર્તાઓના સામયિક ‘મમતા’ના મે ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલી મારી વાર્તા ‘મૃગતૃષ્ણા’ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ વાર્તા લગભગ બે વર્ષ પહેલા લખાઈ હતી, અક્ષરનાદના ડ્રાફ્ટમાં ખૂબ લાંબા સમયથી પડી રહેલી અને એક કે બીજા કારણે પ્રસિદ્ધ ન થઈ શકી. શંકા હતી કે આ પ્રકારની કૃતિ વાચકો સમજી કે સ્વીકારી શક્શે ખરાં? આપણી વાર્તાઓ જીવનની ‘હકીકતો’ કરતા ‘આદર્શ’ની વધુ નજીક હોય છે, અને એવી હકીકતોને નિરુપવાનો પ્રયત્ન ક્યાંક બૂમરેંગ તો સાબિત ન થાય ને! આ જ પ્રકારના અનેક સવાલોનો ઉત્તર મેળવવા એ શ્રી મધુરાય સાહેબને ‘મમતા’ માટે પાઠવી હતી. મને આનંદ છે કે તેમણે આ વાર્તાને પ્રસ્તુત કરવા યોગ્ય ગણી. આશા છે અક્ષરનાદના વાચકોને પણ તે ગમશે. આપના પ્રતિભાવની અપેક્ષામાં…


અક્ષરનાદ + ન્યૂઝહન્ટ = મોબાઈલ સાધનો પર નિઃશુલ્ક ગુજરાતી ઈ-પુસ્તકો 7

હા! અક્ષરનાદ ઈ-પુસ્તકોના વાચકો માટે ખુશખબર છે! હવે ન્યૂઝહન્ટ એપ્લિકેશનના માધ્યમથી તમે કોઈ પણ ઑપરેટીંગ સિસ્ટમ ધરાવતા ફોન પર અક્ષરનાદના ઈ-પુસ્તકો નિઃશુલ્ક વાંચી શક્શો. ઉપરાંત આ સુવિધા વિશે વિગતે માહિતી અને લેખક / પ્રકાશક મિત્રો માટે કેટલીક વાત…


ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને આપણી યાદશક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ (સાયબર સફર) 9

વર્ષો પહેલાના સમયમાં, કદાચ આજથી ત્રણ ચાર દાયકાઓ પહેલા વાંચનનો – મનોરંજન અને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રાથમિક અને મહત્વપૂર્ણ સ્ત્રોત હતો પુસ્તકાલય. અનેક વિષયોને આવરી લેતા પુસ્તકો વાંચવા માટે મેળવવાનો ફક્ત એ એક જ સરળ, સસ્તો અને હાથવગો ઉપાય હતો. એ સમયે પુસ્તકાલય પણ ખૂબ જૂજ હતા. નવલકથાઓ, વાર્તા સંગ્રહો, કાવ્ય સંગ્રહો, વિવેચન, ચિંતન નિબંધ, બાળ સાહિત્ય, પ્રવાસ વિષયક પુસ્તકો, આત્મકથાઓ, અનુભવકથાઓ, વિવેચન, ધર્મ અધ્યાત્મ વગેરે જેવા વિભિન્ન વિષયની સાથે વિજ્ઞાનની નવી શોધ વિશે જાણવા તથા અભ્યાસુઓને તથા કૉલેજના વિદ્યાર્થીઓને કોઈ વિષયવિશેષના ઉંડાણપૂર્વકના અને વિગતે અભ્યાસ માટે પણ પુસ્તકાલયનો ઉપયોગ થતો. તો માહિતી મેળવવાનો બીજો ઉપયોગી સ્ત્રોત હતો એ વિશેના જાણકારોને પૂછવાનો અને તેમની મદદથી સંશયો દૂર કરીને જોઈતી જે તે માહિતીને ચોક્કસ કરવાનો….


માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ફિક્શન એટલે શું? ગુજરાતી લેક્સિકોન પર તેનો અર્થ છે, ‘ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત, કલ્પિત વાત કે કથન નવલકથા સાહિત્ય, માની લીધેલી (રૂઢ અસત્ય) વાત, જૂઠાણું, સાહિત્યની એક શાખા કે પ્રકાર તરીકે વાર્તાલેખન.’ શું બધી જ વાર્તાઓ આ માપદંડમાં બંધબેસતી હોય છે? સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય? ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તાના મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે? માઈક્રોફિક્શન વાર્તાઓ અક્ષરનાદ પર ધમાકેદાર કાર્યસિદ્ધિ અને નોંધપાત્ર અસર ઉપજાવે છે, એ જ યજ્ઞમાં મારા તરફથી એક નાનકડી આહુતી…. આજે પ્રસ્તુત છે મારી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ…


હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ્સ / બ્લોગ્સ… ભાગ ૨ 6

આજે હિન્દી વેબસાઈટ્સ / બ્લોગ્સ વિશેના બીજા ભાગમાં પ્રસ્તુત છે પાંચ વેબસાઈટ્સ / બ્લોગ્સની કડીઓ સાથે તેમનો ટૂંકો પરિચય. હિન્દીઝેન, મેં લાંચ આપી છે, ઈપ્ટાનામા, વિજ્ઞાનવિશ્વ અને હિન્દી સમય એ પાંચ વેબસાઈટ્સ છે જે નેટ પર હિન્દી વાચકોનો પ્રેમ પામી રહી છે. આશા છે આપને આજે દર્શાવેલ પાંચેય વેબસ્ત્રોત જોવા – વાંચવા ગમશે અને ઉપયોગી થશે. આવા જ વધુ હિન્દી બ્લોગ્સ / વેબસાઈટ્સ વિશે અહીં શક્ય એટલું જલદી લખવાનો ધ્યેય પણ ખરો.


કોંકણના કેટલાક અદ્રુત, નયનરમ્ય, શાંત બીચ પર… – જીજ્ઞેશ અધ્યારૂ 21

પૂનાથી અમારી કોંકણના બીચ અને રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલા રમણીય અને સુંદર બીચ દિવેઅગાર જવાની અને આસપાસના સ્થળોએ ફરવાની આખીય સુંદર પ્રવાસ સાથે આનંદોત્સવની વાત અહીં ફોટોગ્રાફ સહીત મૂકી છે. ડિસેમ્બર ૨૧થી ૨૫ સુધીમાં બે દિવસ અમે આ સ્થળોએ વીતાવ્યા હતાં. એ ઘટનાના સંભારણા રૂપે આ કૃતિ પ્રસ્તુત કરી છે.