સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા 2

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત ગઝલો તેમની સત્વશીલ મરમી વાતોને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા ખૂબ જ થાય છે, પરંતુ તેમાં રહેલા સત્વને માણવાનું આવી ચર્ચાઓમાં રહી જાય છે. ગઝલનું આવું સૌંદર્ય માણવા મળે એ આપણું સદભાગ્ય જ કહેવાય ને!


ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ 1

પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું – દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય – તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, “ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું” દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી “બસ સહનનું એવું બલ દે” – એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૯ – ગૌરાંગ ઠાકર (ગઝલ આસ્વાદ) 9

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે ગઝલના આસ્વાદની વાત કરીએ. ગઝલનો પૂરેપૂરો આનંદ પામવા તેની સાચી સમજણ અને તેમાં વપરાયેલા વિવિધ પ્રતીકો અને કવિકર્મની સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિભાવંત ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા સૂરત શહેરના હાલનાં અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોમાં તેમના બંને ગઝલસંગ્રહો, “મારા હિસ્સાનો સૂરજ ” અને “વહાલ વાવી જોઈએ” પ્રસંશા પામ્યા છે, તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ સાથે સાથે અધ્યાત્મિકતાનો રંગ પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. અક્ષરનાદની ચાલો ગઝલ શીખીએ શ્રેણી માટે આજનો આ આસ્વાદ લેખ શ્રી ગૌરાંગ ઠાકરે ખૂબ જ સ્નેહપૂર્વક તૈયાર કરી આપ્યો તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ 6

લગાગા નાં બે આવર્તન વાળી ટૂંકી બહેરની ગઝલ રચનામાં આ પ્રથમ પગરવ છે, એક પ્રેમી પ્રેમની સજા રૂપે, એને મળેલી નિષ્ફળતા વિશે શું વિચારી શકે એ આલેખવાનો એક નાનકડો પ્રયત્ન છે. એકમેકના થવાની જે તીવ્રતા હોય છે તેને બદલે અચાનક પ્રેમમાં મળેલી નિષ્ફળતા જે અજબ ઉદાસીનો, હ્રદય તૂટ્યાંનો અને એકલતાનાં લખલખાં જેવો અનુભવ કરાવી જાય છે એનું અછડતું આલેખન મૂકવાનો યત્ન છે.


ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા 5

સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ “તારા અભાવમાં…” સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે. ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આજે પ્રસ્તુત છે શ્રી ધૂની માંડલિયાના આ કાવ્યસંગ્રહનો તરુણ મહેતા દ્વારા આસ્વાદ લેખ.


એક વરસાદી અછાંદસ – જીજ્ઞેશ અધ્યારૂ 6

વરસાદની આ મૌસમમાં જો કોઈનો વિયોગ સૌથી વધુ સાલે તો એ છે પ્રિયપાત્ર. એ સ્નેહીજન આવી ભીની રંગતમાં પણ દૂર છે, એમના આવવાનો વર્તારો છે, પણ એ ક્યારે આવશે એ તો કેમ કહેવાય? કુદરત પણ જાણે એમના આવવાના સમાચારથી ખુશ થઈ ઉઠી છે, ઝૂમી ઉઠી છે, આવા વિહવળતાભર્યા સંજોગોમાં એક અછાંદસ સ્ફૂર્યું ને અહીં મૂક્યું એ બધુંય પેલી નાનીશી વાદળીએ વરસાવેલી વાછટ જેટલું જ સાહજીક, આહ્લાદક છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. આજે ગઝલના છંદો પારખવા વિશે જાણીએ. ગઝલના છંદો પારખતાં શીખવા ગઝલના લગા’ત્મક સ્વરૂપનો પરિચય જરૂરી છે, આ શૃંખલામાં આપણે ગઝલરચના માટે વિવિધ લગા’ત્મક સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે કેટલીક ગઝલોના છંદ પારખવાનો મહાવરો અને પ્રયત્ન કરીશું


ત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત ત્રણ કાવ્ય રચનાઓ વિવિધ વિષયોને આવરી લઈને તેમણે કરેલા સુંદર સર્જનનું પ્રતીક છે. પ્રથમ કાવ્યમાં તેઓ પૃથ્વીની, ધરતીની કેટલીક વિશિષ્ટતાઓ વર્ણવી છે, બીજી કાવ્ય રચનામાં તેમણે હરીયાળી વિશે મનોહર વર્ણન કર્યું છે અને ત્રીજા કાવ્યમાં જીઁદગીની વિવિધ પરિસ્થિતિઓને આલેખવાનો સુંદર પ્રયાસ એમણે કર્યો છે. ત્રણેય કાવ્યરચનાઓ સુંદર થઈ છે એ બદલ શ્રી જનકભાઈને અભિનંદન અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ફિલ્મી ગઝલો અને છંદો) 4

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વિશે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. વિવિધ ફિલ્મી ગઝલો અને તેમના છંદો વિશે જાણીએ.


ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ 1

ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે. પ્રથમ રુબાઈમાં ચિત્રણ, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા – આ બધું જ આપણને સમજાવે છે. અને આ ત્રણેય રુબાઈઓના શૂન્ય પાલનપુરીના અનુવાદનો આસ્વાદ હરિન્દ્ર દવે કરાવે ત્યારે કેવો અનેરો સંગમ થાય?


દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ 6

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા – અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા વિશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે….? કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૬ – જીજ્ઞેશ અધ્યારૂ (રદીફ, કાફિયા, મત્લા, મક્તા..) 6

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે એના બીજાં અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે વાત કરીએ. ગઝલના પૂર્ણ સ્વરૂપને સમજવા આ અંગોની અને તેમના વિશેના વિવિધ નિયમોની સમજ મેળવવી જરૂરી બની રહે છે. જો કે એ પહેલા આ વિશિષ્ટ અંગો ગઝલમાં ક્યાં ક્યાં આવે છે એ જોવા એક ઉદાહરણરૂપ ગઝલ અને તેની સાથે વિવિધ અંગોનું સ્થાન જાણીએ. એ પછી ગઝલના એ અંગોની વિસ્તૃત ચર્ચા લઈએ.


એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 11

હમણાં થોડાક વખત ઉપર એક વડીલના સંપર્કમાં આવેલો, વાત પરથી તેઓ દુઃખી જણાતા હતાં, કહે, “ભગવાને કાયમ અન્યાય જ કર્યે રાખ્યો, તેનામાં આસ્થા રાખનાર પર કાયમ તે કસોટીઓ અને પરીક્ષાઓના ડુંગર ખડક્યા જ કરે છે. તેના પરની શ્રદ્ધા કદી ડગી નથી, પરંતુ એનો પ્રત્યુત્તર તેણે કદી સાનુકૂળ આપ્યો નથી.” જો કે તેમના દુઃખો વ્યાજબી હતા, એમના પુત્રો તેમને મૂકવા કોઈ “વ્યવસ્થિત” વૃદ્ધાશ્રમ શોધતા હતાં. જો કે તેમની પાસે એટલી મિલ્કત છે કે તે પોતે એક આખોય વૃદ્ધાશ્રમ ખોલી અને પાલવી શકે, પણ એ મિલ્કત માટેના કારસાઓ પણ ચાલ્યા જ કરે છે. એમની વેદનાઓ અને શ્રધ્ધા વચ્ચે અથડાતી લાગણીઓને સ્વરૂપ આપવાનો આ ગઝલ એક નાનકડો પ્રયત્ન છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..) 6

આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી અને ગઝલના છંદશાસ્ત્ર અંતર્ગત આઠ સંપૂર્ણ છંદો વિશે જાણકારી પછી આજે મિશ્ર વિકારી છંદો અને તેમના ઉદાહરણો જોઈએ. શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માં ગઝલનું મુખ્ય સંધી (પદભાર) ને આધારે ગણવિભાજન દર્શાવે છે, તે મુજબ આપણે આજે મિશ્ર તથા વિકારી છંદો વિશે ઉદાહરણો સહિત જોઈશું.


ત્રણ અછાંદસ કાવ્યો – જમીલા નિશાત 2

જમીલા નિશાત ઉર્દૂ કવયિત્રી છે, એ કહે છે કે એમને કવિતા સ્વપ્નપ્રતિમા રૂપે સ્ફૂરે છે, રંગબેરંગી વિવિધ આકારોમાં. મંદિરોની મુલાકાતો, મસ્જીદોના તહેવારોની ખુશાલીઓ વગેરેના મૈત્રી અને સહિયારાપણાની ભાવનાવાળા વાતાવરણમાં તેમનો ઉછેર થયો હોવાથી હૈદરાબાદના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની ઘૃણા અને દુશ્મનાવટ એમનું કોમળ હ્રદય સ્વિકારી શક્તું નથી. સ્ત્રિઓને અનેક પ્રકારના બંધનો અને દબાણોને તાબે થયેલી જોનારી એક નારી તરીકે જમીલા મુસ્લિમ યુવતિઓમાં સભાનતા, આત્મવિશ્વાસ અને શક્તિ જગાવવા પ્રયત્નશીલ છે. એ ઉર્દૂ માં લખે છે, તેમના કાવ્યોમાં વેદનાની લહેર છે, ૧૯૯૮માં ‘સ્પેરો’ની એક કાર્યશિબિરમાં તેઓ પોતાના જીવન અને કાર્ય વિશે બોલ્યાં હતાં, અને કવિતાઓનું પઠન કરેલું, પ્રસ્તુત રચનાઓ એ રેકોર્ડીંગ પર આધારિત સંકલન પુસ્તક માંથી લેવામાં આવી છે. તેમનાં શિર્ષક વગરનાં અછાંદસ કાવ્યોમાં એક અનોખી દર્દરેખા ઝળકી જાય છે જે ભાવકને દર્દના એ વિસ્તારનો સહજ અનુભવ કરાવી જવા સમર્થ છે.


રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત રચના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેમની કલમે થયેલું સુંદર સર્જન છે શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આ પહેલા ઘણી વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે તેમની કલમે પ્રસ્તુત રચનાના માધ્યમથી તેઓ ભાઈને રક્ષાબંધનના કાવ્યમય મુબારક પાઠવે છે. બંને મિત્રોનો આ સુંદર રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૪ – જીજ્ઞેશ અધ્યારૂ (આઠ સંપૂર્ણ બહેરોની છંદસમજ..) 9

“ચાલો ગઝલ શીખીએ…” શૃંખલા અંતર્ગત આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ અને છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી. હવે ગઝલના છંદો વિશે જાણીએ. આ વિષય લાંબો અને વિશદ છણાવટવાળો હોઈ વિભાગોમાં વહેંચેલો છે, અને તેથી ક્રમશઃ તેના ખંડો પ્રસ્તુત થશે. આજે રૂકન, અરકાન, અને તેનાથી બનતી આઠ સંપૂર્ણ (સાલિમ) બહેરોની માહિતિ એ. આ પહેલાના આ શ્રેણીના લેખો અહીં ( ચાલો ગઝલ શીખીએ) ક્લિક કરીને વાંચી શકાય છે.


પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત 1

આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.


મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ” 4

આપણે ત્યાં અનેક પ્રકારના ‘વા’ નું વર્ણન આવે એ, જેમ કે હડકવા, રતવા, લકવા, સંધિવા વગેરે, આમ સંસારશાસ્ત્રમાં પણ એક ‘વા’ નો ઉપદ્રવ ફેલાયેલો છે, એ પરણ’વા. અનેક માંગા નાખ્યા પછી, ટ્રાય કર્યા પછી, રિજેક્ટ થયા પછી હજુ પણ જેને સંસાર-કાર ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી એવાઓ માટે આ રચના પ્રસ્તુત છે. આવા ચૂંટાવા લાયક મૂરતીયાઓ તે પછી સાધુ સંતો, દોરા ધાગાના રવાડે ચઢી જાય છે, કોઈક પોતાના જીવનરથના પૈડાની વ્યવસ્થા કરી આપે તે માટે કંઈ પણ કરવા તૈયાર લોકોના મનની વેદનાને વાચા આપી છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ‘સરળ’ ની પ્રસ્તુત રચનાએ. તો કાવ્યનું જેમ પ્રતિકાવ્ય હોય તેમ આ ગઝલની પ્રતિગઝલ આપી છે આશિત હૈદરાબાદીએ. આવો આજે આ હાસ્યહોજમાં ડૂબકા મારીએ.


વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ 3

સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.

વહાલ વાવી જોઈએ - ગૌરાંગ ઠાકર

ચાલો ગઝલ શીખીએ… (ભાગ 3) આશિત હૈદરાબાદી (છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો) 10

આજે ગઝલ સિવાય છંદશાસ્ત્રના ઉપયોગથી સર્જાતી અન્ય પ્રકારની રચનાઓ વિશે માહિતિ લઈએ. જો કે ગઝલના છંદશાસ્ત્રનો પરિચય આ બધાજ પ્રકારોની મૂળભૂત સમજ માટે જરૂરી છે, પરંતુ તેમના બાહ્ય માળખામાં આવતા ભેદનો પ્રથમ પરિચય કરીએ. એ પ્રકારો છે, મુસલ્સલ ગઝલ, મુખમ્મસ (પંચપદી), મુસદ્સ (ષટપદી), નઝમ, રૂબાઈ, કસીદા, તરહી ગઝલ, મુક્તક, તઝમીન, હઝલ અને પ્રતિ-ગઝલ. આજે છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના આ પ્રકારો વિશેની માહિતિ. આવતા અંકથી હવે ગઝલના છંદશાસ્ત્ર અને વિવિધ બહેરોનો વિગતવાર અભ્યાસ શરૂ કરીશું.


….તોય કા’ને અંતમાં રાધા સ્મરી – જીજ્ઞેશ અધ્યારૂ 7

ગાલગાગા ગાલગાગા ગાલગા એ લગા’ત્મક સ્વરૂપમાં સર્જનનો પ્રયત્ન કર્યો છે એવી આ ગઝલ રાધિકાના મનોભાવો વ્યક્ત કરવાનો એક પ્રયત્ન છે. જો કે અહીં રદીફ અને કાફિયાની અપાર છૂટછાટ લીધી હોઈ દોષ લાગી શકવાની શક્યતાને લીધે ગઝલ કહેવી ઉચિત છે-નથી તે અલગ વિષય છે, માટે ફક્ત પદ્ય કહીશું. રાધાના કા’ન પ્રત્યેના અપાર અને અફાટ સ્નેહને કોઈ પણ પરિમાણમાં વ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ લોકો તેમની વાતો કરે છે. અને છતાંય એ સ્નેહના પ્રવાહને કોઈ દુન્યવી આયોજનો અટકાવી શક્યા નથી. એક જ સમયે મહુવા – પીપાવાવ બસમાં સળંગ અવતરેલી આ રચનામાં ક્યાંય કોઈ સુધારો કર્યો નથી, કે એમ કરવા મન માન્યું નથી. ફક્ત ભાવવિશ્વની દ્રષ્ટિએ પ્રસ્તુત રચનાને નિહાળવા વિનંતિ. પ્રસ્તુત રચનાને અમે “દિલ કે અરમાં આંસુઓમેં બહ ગયે” ગીતના રાગમાં ગાયેલી, અને ખૂબ મજા પડી હતી.


ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ) 14

વાણી શબ્દોની બનેલી છે અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષરોમાં સ્વરો તેમજ સ્વરના ટેકાથી ઉચ્ચારાતા વ્યંજનોનો સમાવેશ થાય છે. અક્ષરો ઉચ્ચારના એકમ છે. પદ્યના લયબદ્ધ પઠન અને તાલ સહિતના ગાયન માટે અક્ષરોને લઘુ અને ગુરુ એમ બે માપમાં વહેંચી શકાય. ભારતીય પિંગળના અક્ષરમેળ અને માત્રામેળ, બંને પ્રકારના છંદોમાં લઘુ અને ગુરુની વિભાવના પાયાના સ્થાને છે. લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચાર સમયનું પ્રમાણ ગઝલની પરિભાષામાં વજન તરીકે ઓળખાય છે. તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષરના વજનથી બમણું છે તેમ કહેવાય છે. આજે લઘુ ગુરુ અક્ષરોની વિભાવનાની અહીં વિગતે ચર્ચા કરીશું તથા નિયમોમાંથી લેવામાં આવતા અપવાદો વિશે નોંધવાનો પ્રયત્ન પણ કરીશું.


આવકારો… – રાવજી પટેલ 3

રાવજી પટેલની પ્રસ્તુત ગઝલ ગુજરાતી સાહિત્યમાં ભવ્ય રીતે બિરાજમાન છે. દરિયાનો સ્હેજ ઈશારો થતાં જ દૂર પ્હાડમાં સૂતેલાં ઝરણ જાગી જતાં હોય છે, આ દિવ્ય પ્રેમનો તલસાટ સામાપક્ષે પણ એટલો જ હોય છે. પ્રસ્તુત ગઝલ એ જાગૃત અને અર્ધજાગૃત મન વચ્ચેના એક પડાવનું સુંદર આલેખન છે. ક્યાંક રઝળપાટ ભૂલીને પરમાનંદમાં લીન થતાં વેંત દુનિયા જેને સફળતા કહે છે તેનું સ્મરણ થતાં ઉઠવું પડે એ દુર્ભાગ્ય જ છે. તો ત્રીજા શે’રમાં પ્રેયસીની પણ અનોખી વિભાવના… તો અંતિમ શે’રમાં રાહ જોયા પછી શરૂ થયેલું કાર્ય ઉપસ્થિતી અનુપસ્થિતીનો ચિતાર રજૂ કરે છે. પ્રતિપળ નાવિન્ય એ જીવનનો ક્રમ છે, પણ એને સ્વીકારીને સહજ જીવવું જ પડે છે. કોઈ વિશેષના ઈન્તજાર છતાં આવી ગયેલાની વાસ્તવિકતા પણ સ્વીકારીને કવિ ‘માફ કર’ શબ્દસમૂહ પ્રયોજી લે એ, એને સ્વીકારી જીવાતા જીવનનો અનુબંધ જાળવે છે.


ચક્કર ચક્કર ફરતાં રહ્યાં – લીના ત્રિવેદી 3

સમાજના બદલાઈ રહેલા પરિમાણોની, માપપટ્ટીઓના ભેદભાવની અને પરિવર્તનના પરીણામોની વાત ખૂબ ચોટદાર અને માર્મિક રીતે કવિયત્રી પ્રસ્તુત અછાંદસમાં રજૂ કરે છે. અહિં તેમણે ઘણાં વિષયોને સ્પર્શ્યા છે, અબોર્શનથી સ્ત્રી ભ્રૂણહત્યા, પહેલું સુખ તે જાતે નર્યા થી એચ આઈ વી, આદર્શોથી લઈને ભ્રષ્ટાચાર, ગાંધીજીથી લઈને આગરા શિખર સંમેલન સુધી અને અંતે ગુજરાતી ભાષાથી લઈ અંગ્રેજી સુધી એમ વિવિધ વિષયોને આવરી લઈને પરિવર્તનનો પવન કેવો ફૂંકાયો છે તેનું જલદ આલેખન તેમના અછાંદસમાંથી ઉપસી આવે છે.


પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6

કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે.


ચાલો ગઝલ શીખીએ (ભાગ ૧) – તરૂણ મહેતા (ગઝલની પૃષ્ઠભૂમી) 14

અક્ષરનાદ પર ગઝલ કેમ રચાય, તેની વિગતવાર સમજ આપતા લેખો મૂકવાની ઈચ્છા લાંબા સમયથી હતી. દરેકે દરેક વિગતનો ઝીણવટથી અભ્યાસ કરવા મળે, લઘુ ગુરૂ અક્ષરોની સમજ અને વિવિધ નિયમો તથા અપવાદોથી શરૂ કરીને ગઝલના વિવિધ અંગો જેમ કે રદીફ, કાફિયા, મત્લા, મક્તા, વિવિધ છંદો અને તેમનું ગણવિભાજન, છંદોના નિરૂપણની વિગતવાર સમજ, ગઝલમાં આવતા દોષો વગેરે વિશે વિગતવાર લખી શકાય અને તેની સાથે સાથે સર્જનના વિવિધ તબક્કાઓનું ઉદાહરણો દ્વારા નિદર્શન કરી સમજ મેળવી શકાય તેવો હેતુ ધ્યાનમાં રાખીને આ લેખમાળા શરૂ કરી રહ્યાં છીએ. ગઝલરચનાનાં વિવિધ વિષયો પરત્વે જાણકાર અને અધિકારી વ્યક્તિઓ દ્વારા માર્ગદર્શન મળે તો સોનામાં સુગંધ ભળે. આ વિષય પરત્વે પ્રાથમિક ચર્ચા કરતા ઘણાં આદરણીય પ્રસ્થાપિત ગઝલકારોએ પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન આપવાની સંમતિ આપી તેના લીધે જ આ લેખમાળા શરૂ કરી શકાઈ છે.


મા, મને વાર્તા કહો…- નીના જે. ક્રિસ્ટી 5

કેટલીક રચનાઓ વાંચીને અવાચક થઈ જવાય છે, કાંઈ કહેવાનું રહેતું નથી, પોતાની માંને વાર્તા કહેવાની આજીજી કરતી એક દિકરી પ્રસ્તુત રચનામાં પરીઓની કે રાજકુમારની વાત સાંભળવા માંગતી નથી. તેને હકીકતનો સામનો કરવો છે એવા અર્થનું પ્રસ્તુત અછાંદસ સિક્કાની બીજી બાજુ બતાવી જાય છે અને એમાંય અંતિમ પંક્તિઓમાં જાણે કવયિત્રી અચાનક ખૂબ ઉંડી વાત કરી જાય છે, એક સચોટ ધ્વનિ સાથેનું અને પ્રથમથી અંતિમ પંક્તિ સુધી જકડી રાખતું આવું કાવ્ય ખરેખર માણવાનો લહાવો ચૂકવા જેવો નથી. પ્રસ્તુત અછાંદસ પુસ્તક ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ …..’ – અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય માંથી સાભાર લેવામાં આવ્યું છે.


અને શબમાં સંજીવની પ્રકટી – મનસુખલાલ ઝવેરી 1

શ્રી કાકા કાલેલકરે કહ્યું છે કે માણસજાતને માણસાઈની દીક્ષા આપનાર ઋષિમુનિઓ અને પયગમ્બરોની પરંપરાના ગાંધીજીએ પોતાના જીવન દ્વારા માણસજાતની એવી તે સેવા કરી, એટલી પ્રેરણા, શ્રધ્ધા અને દીક્ષા આપી છે કે તે જીવનમાં ઉતારતાં, વિસ્તારતાં અને આત્મસાત કરતાં હજાર વરસનો પુરૂષાર્થ માણસજાતે વાપરવાનો રહેશે. ગાંધીજી વિશે ઘણુંય લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. ગાંધીજી વિશેના આવા સુંદર લખાણોને વીણી વીણીને સંકલન કરનાર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના ગાંધી-ગંગા એ નામના બંને પુસ્તકો ખૂબ હોંશથી વંચાય છે, વહેંચાય છે, તેમાંથી પ્રસ્તુત રચના લીધી છે. ગાંધીજીએ જાણે કે ભારતના શબવતજનોમાં સંજીવની પ્રગટાવી, શ્રધ્ધા અને આત્મવિશ્વાસનું સિંચન કર્યું, અને તેમની દોરવણી હેઠળ આખાય દેશને સ્વરાજ્યનો એક માર્ગ મળ્યો અને જ્યારે વિદેશથી પાછા ફરી ગાંધીજીએ ભારતની ભૂમી પર પગ મૂક્યો હતો એ દિવસે ભારતમાં સૂરજ ઉગેલો એ મતલબની પ્રસ્તુત રચના ખૂબ મનનીય છે.