સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


સાંતીડુ જોડીને – અખો 2

આપણા આદ્ય સાહિત્યકારોએ સામાન્ય જીવનપ્રવૃત્તિઓનો સહારો લઈને તેની પ્રવૃત્તિઓમાં સમજણના સૂર કેવા પ્રગટાવ્યા છે તેનું ઉદાહરણ અખાની આ સુંદર રચના છે. ખેડૂત ખેતી કરવા સાંતીડુ જોડે છે, ત્યારથી લઈને વાવણી સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેને સતત માનવતા અનુભવવા, શ્રદ્ધા રાખવા અને મહેનત કરવાની શીખ કેવી માર્મિક રીતે અહીં અપાઈ છે !


શે’ર સમૃદ્ધિ – સંકલિત 8

આજે પ્રસ્તુત છે વિવિધ સંદર્ભોમાંથી મેળવેલા અને મને ગમતાં શે’રોનું એક નાનકડું સંકલન. આ શે’ર સંકલન વિવિધ વિષયોને આવરી લે છે અને વિવિધ ગઝલકારોના શે’ર અહીં સાભાર લીધાં છે. ક્યાંક વસંતનો વૈભવ તો ક્યાંક તૂટેલા હૈયાની વેદના, વિષયવૈવિધ્ય પણ આપોઆપ જળવાયું છે.


આપણે… – ‘રાઝ’ નવસારવી 5

સૈયદ સગીરઅહમદ અલીજાન ઉર્ફ રાઝ સાહેબની ઉપરોક્ત ગઝલ ‘આપણે’ શબ્દને રદીફ તરીકે તેના વિશાળ અર્થમાં લઈ સરસ ગઝલ પ્રયોજે છે. ગઝલ પોતાની સાથેની જ વાત અથવા અંતરંગ સંવાદની પરિભાષામાં છે. શે’રની પ્રથમ પંક્તિઓમાં આપણને મળેલા અવસરોની વાત કરાઈ છે, અને બીજી પંક્તિઓમાં તેને આપણે કઈ રીતે વેડફી રહ્યા છીએ તેનું ચિંતન વ્યક્ત થયું છે. તો ગઝલની રવાની એની ચરમસીમા પર પહોંચે એવા મક્તાના શેરમાં ગઝલકાર એક ચોટદાર વિકલ્પ પણ આપે છે. આજે પ્રસ્તુત કરેલી, સ્વની સાથેના સંવાદરૂપી આ ગઝલ ખરેખર માણવાલાયક થઈ છે.


કોઇને કોઇની સાંકડ તો ન પડે ! – નિરંજન ટોલિયા 3

કોઈ એક જગ્યાની ક્ષમતાથી વધુ દ્રવ્ય કે લોકોનો સમાવેશ ન કરી શકાય તેવી સ્થિતિને સાંકડ કહે છે, તેના પરથી સાંકડમુકડ શબ્દ આવ્યો છે, પરંતુ પ્રસ્તુત અછાંદસમાં સાંકડ શબ્દને જેટલા અવનવા અને ક્યારેય વિચાર્યા ન હોય એવા અર્થો સાથેની વિભાવનાઓ સાથે ઉપયોગમાં લીધો છે એ જોઈને ખરેખર આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. આમ પણ મનની સાંકડ સ્થળની સાંકડ કરતા વધુ હાનિકારક અને અકળાવનારી બની રહે છે.


આંસુઓ, મિથ્યા આંસુઓ – આલ્ફ્રેડ ટેનિસન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 1

વિક્ટોરીયન સમયના નોંધપાત્ર કવિ આલ્ફ્રેડ, લોર્ડ ટેનિસન (૧૮૦૯-૧૮૯૨) દ્વારા “ધ પ્રિન્સેસ” ના ગીત સ્વરૂપે લખાયેલ આ રચના માઉન્ટમાઉથશાયર નામના સ્થળના એક ખંડેર મઠની મુલાકાતથી પ્રેરાઈને તેમણે આ કવિતા “Tears, idle tears” લખેલી. વિલિયમ વર્ડ્ઝવર્થ દ્વારા પણ આ જ સ્થળની મુલાકાતે એક રચના લખાયેલી. શબ્દોના લાલિત્યને લઈને આ રચના ખૂબ સભર લેખાઈ છે. વિરોધાભાસી અને દ્વિઅર્થી સૂરોને લઈને આ કવિતા ચર્ચામાં રહી છે, જેમ કે આંસુઓ મિથ્યા છે અને છતાંય હ્રદયની ગહનતામાંથી ઉભરે છે, શરદઋતુના લહેરાતા ખેતરો ઉદાસી ઉભી કરે છે. એક વિવેચક કહે છે કે જ્યારે ટેનિસન આવા શબ્દો અને વલણો દાખવે છે ત્યારે તે શબ્દોની અદભુતતા સાથે નાટકીય પાસું પણ ઉમેરાય છે. આ જ કવિતાના ભાવાનુવાદનો એક નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે.


આજ – દક્ષા વ્યાસ 3

વિવેચક અને કવયિત્રી દક્ષા વ્યાસ વ્યારાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા છે. ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧) અને ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન વિવેચનના ગ્રંથો છે. ‘અલ્પના’ (૨૦૦૦) એમનો કાવ્યસંગ્રહ છે. પ્રસ્તુત રચનામાં વીતી રહેલી આજનું માનસ દર્શન કવયિત્રીએ કરાવ્યું છે. સાંજની વીતતી ક્ષણો અને રાત ઢળવાની ઘટનાને અનોખા મિજાજથી આલેખીને તેમણે અહીં કમાલ કરી છે. વિશેષણો અને ઘટનાઓની અનોખી ગૂંથણી પ્રસ્તુત અછાંદસને સુંદર માણવાલાયક રચના બનાવે છે.


પૈસો અને લક્ષ્મી – વિનોબા 7

મોંઘવારી, ફૂગાવો ને આર્થિક મંદી વગેરે તો રોગનું આજે ઉભરી આવેલ લક્ષણ માત્ર છે, મૂળ રોગ માટે તો ઉંડી તપાસ થવી જોઈએ. તે હેતુથી અર્થવ્યવસ્થાનું વિહંગાવલોકન અને વિશદ છણાવટ વિનોબાજીએ વર્ષો પહેલા કરેલી. પૈસાને અને લક્ષ્મીને આપણે એક જ ગણી લઈએ છીએ પણ એ ભ્રમને વિશે વિનોબાએ પદ્યરૂપે આપેલી પ્રસ્તુત રચના કેટલું બધું સમજાવી જાય છે? પૈસાને તેઓ લફંગો લબાડ અને અળવીતરો કહે છે. અનુભવો લક્ષ્મી અને પૈસા વચ્ચેનો ફરક.


છેલ્લી ઘડી – ચૈતન્યબાળા દિવેટિયા 3

ચૈતન્યબાળા દિવેટિયા (૧૯૧૯-૧૯૯૪) રચિત ‘અક્ષત’ (૧૯૬૦) તેમનો સ્વરચિત કાવ્યરચનાઓનો સંગ્રહ છે. પ્રસ્તુત રચના તેમના આ જ સંગ્રહમાંથી લેવાઈ છે, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, વસંતતિલકા, શિખરિણી, ઇન્દ્રવજ્રા જેવા છંદોનો ઉપયોગ કરીને શાહજહાંની વેદના અને તાજમહાલ સાથેના તેના જીવનની કરુણતા તેમણે બખૂબી વર્ણવી છે. પોતાના જ વારસો દ્વારા કેદમાં નખાયા પછી પશ્ચાતાપ રૂપે કહેવાયેલી વાત એ મહેલના ઘડવૈયાઓના કાપી નંખાયેલા હાથ અને તેમની બદદુવાઓને લઈને, એક પ્રેમી મટીને રાજા બનવાની સજા ભોગવી રહ્યા હોવાની કથની સુંદર રીતે કહેવાઈ છે.


રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ 3

કૃષ્ણ રાજા થઈ ગયા છે, ગોકુળમાં તેમનું આગમન ઝંખી રહેલા બધાંની આંખો તરસી થઈ રહી છે, પણ કૃષ્ણ આવવાનું નામ લેતા નથી. એવામાં જો કૃષ્ણ છાનામાના ગોકુળમાં આવવાનું વિચારે અને વિરહમા ઝૂરતી રાધાને ખબર પડે કે તેઓ આમ આવી ગયા તો એની વેદના કેવી વસમી બની રહે એ જ બતાવવાનો પ્રયત્ન અહિં થયો છે.


ત્રણ ગઝલો – જલન માતરી 10

કેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.


રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક 22

૨૫ ડિસેમ્બરે અવસર પરિવાર, વડોદરાની બીજી બેઠકમાં જેમની એકથી એક જોરદાર એવી રચનાઓએ ખૂબ દાદ મેળવી એ મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની એમાંની એક રચના અત્રે પ્રસ્તુત છે. અને આ ત્રણ રચના સિવાય હાર્દિકભાઈની એક અન્ય રચના મિત્ર શ્રી મહેશભાઈએ ગાઈ પણ હતી. અલ્લાહ અને ઈશ્વરની અદલાબદલીનો ખ્યાલ અને ચાલને… આમ કરી જોઈએ ની વિભાવના કેટલી સુંદર રીતે વ્યક્ત થઈ છે !


ને હું એકલો – અલ્પ ત્રિવેદી 7

શ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. ‘ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.


ભોલારામની ત્રણ છબી – મકરન્દ દવે

પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ ભોલારામ કોને કહેવાયું છે? ત્રણે છબીઓ અલગ અલગ છે, ત્રણેયમાં ભોલાને અલગ રૂપમાં કલ્પીને કવિએ એક અનોખો તાર રણઝણાવ્યો છે, ત્રણેય રચનાઓમાં ભોલારામ કોણ એ સહજ સ્પષ્ટ થતાં વાર નથી લાગતી, પણ તોય, શું એ વિચાર, એ માનવું કે “ભોલારામ આના માટે કહેવાયું છે” અંતિમ સત્ય છે? ક્યાંય ત્રણેય છબીઓ એક થતી દેખાતી હોય એવો કોઈ ત્રિભેટો આંખોને દેખાય છે ખરો? શ્રી મકરન્દ દવેની રચનાઓને સમજવા અને સમજાવવા માટે ક્યાંક વિચારનો પ્રસાર અને વિસ્તાર ખૂબ નાનો પડતો જણાય એ અનુભૂતી ખૂબ સહજ છે, આશા છે એથી વધુ આપને પહોંચે.


અમાસની રાતનું અજવાળુ – ચિંતન શેલત 3

પ્રસ્તુત રચના અમદાવાદથી અક્ષરનાદના વાંચકમિત્ર ચિઁતનભાઈ શેલતની છે. દીવાની જ્યોતમાં બળી મરતા પતંગીયાની વાતને કેન્દ્રસ્થાને રાખીને એક પ્રેમીના હ્રદયની વાત કહેવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પ્રકાશના વિવિધ સ્ત્રોતોને દર્શાવીને – સરખામણી કરીને તેમણે અનોખી સુંદરતા સર્જી છે. આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા બદલ શ્રી ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર.


અને… એક દી’ ગરીબની આંખ ફરશે – ડૉ. વસંત પરીખ 3

વડનગરમાં ૧૯૮૪માં સ્વ. શ્રી વસંતભાઈ પરીખ અને તેમના સહધર્મચારિણી સ્વ. રત્નપ્રભાબેનના પ્રયત્નોથી સ્થપાયેલ કરુણાસેતુ ટ્રસ્ટ એક અનોખી સમાજસેવા કરે છે, વસંતપ્રભા હોસ્પીટલ હોય કે અગરીયાઓના બાળકો માટે ભણવાની સગવડ પૂરી પાડવાની વાત, બિહારમાં પૂરપિડીતોને સહાય હોય કે જરૂરતમંદોને વસ્ત્રો, ભોજન અને રોજગાર સુધ્ધાં આપવાની વાત, કરુણાસેતુ ટ્રસ્ટ આ બધાંય કામો સહજતાથી કોઈ પણ અવાજ વગર કર્યે જાય છે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ની તેમની વાર્ષિક અહેવાલની પુસ્તિકા ‘વરસની વાત’ ના દ્વિતિય મુખપૃષ્ઠ પરથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે.


શે’ર સંકલન અને આસ્વાદ – ડૉ. રશીદ મીર

આપણા ગઝલકારોએ ગુજરાતી ગઝલના સ્વરૂપઘડતર અને વિકાસમાં અદા કરેલી ભૂમિકા દ્રષ્ટિ સમક્ષ રાખી છે, ગુજરાતી ગઝલવિકાસના વિવિધ વળાંકોને અવલોકતા સર્જકોનું કર્તૃત્વ ધ્યાન ખેંચે છે, આવા જ આપણા સર્જકોના પસંદગીના શે’ર અને તેમના વિશેની ટૂંકી નોંધ સાથેનું સુંદર પુસ્તક એટલે શ્રી રશીદ મીરનું ‘આપણા ગઝલસર્જકો’. આ જ પુસ્તકમાંથી સંકલિત શે’રો આજે પ્રસ્તુત છે.


તુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા

કહે છે કે તુલા નામના રાક્ષસને ભગવાને જ્યારે માર્યો ત્યારે તેણે એક માંગણી કરી કે મને હવે દરેક જન્મ તમારી ભક્તિ મળે, પ્રભુએ તેને તથાસ્તુ કહ્યું અને સાથે આશિર્વાદ આપ્યા કે તારૂ નામ અહીં મારા નામની આગળ આવશે, આ રીતે નામ પડ્યું તુલસીશ્યામ, ગીરના વનની વચ્ચે અનેરી ગાઢ વનરાજીઓની વચ્ચે વિકસેલા આ મનોહર તીર્થસ્થાનની યાત્રા કરવાનો આનંદ અનેરો હોય છે. આનું જ મહત્વ દર્શાવતી રચના આજે પ્રસ્તુત છે.


પાઠકની છીંકે ? – સ્નેહરશ્મિ

શ્રી સ્નેહરશ્મિ તેમના પુસ્તક ‘સાફલ્યટાણું’ માં વર્ણવે છે, ‘પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.’ પ્રસ્તુત છે આ સુંદર હાસ્યાસ્વાદ.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૪ – અલ્પ ત્રિવેદી (ગઝલરચનાની લપસણી ભૂમી) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા તથા ગઝલરચના વિશેના ખ્યાતનામ પુસ્તકો વિશે ટૂંક પરિચય વગેરે વિશે જાણ્યું. આજે પ્રસ્તુત છે ‘ગઝલની લપસણી ભૂમી’ એ વિષય પર શ્રી અલ્પ ત્રિવેદી દ્વારા આ શૃંખલા માટે લખાયેલ વિશેષ લેખ. તેમનું મૂળ નામ હરેશભાઈ ત્રિવેદી, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક – આચાર્ય. આરંભકાળથી પ્રતિભા સંપન્ન અને ચીવટવાળા કવિ. તેમની સર્જનયાત્રામાં ક્યાંય જરાય ઉતાવળ નહીં, ઉલટું ખૂબ સંયમના દર્શન થાય છે. થોડા જ સમય પહેલા તેમના ગઝલસંગ્રહ ‘પછી…’ નું વિમોચન થયું હતું. અક્ષરનાદ પર ચાલી રહેલી ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા માટે પ્રસ્તુત વિશેષ કૃતિ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૩ – સંકલિત (ગઝલ વિશેનાં પુસ્તકો) 1

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું. ગઝલરચના વિશેના પુસ્તકોનો ટૂંક પરિચય આ સાથે પૂર્ણ થાય છે. ગઝલરચના વિશે વિદ્વાનોના લેખો આવતા અંકથી શરૂ થશે.


કારણ તો બીજુ કાંઈ નહીં – બકુલ ટેલર 5

બે સ્પંદિત હૈયાઓ વચ્ચે પ્રણયાંકુર ફૂટે અને એ પ્રણયના બીજ સ્નેહની વેલ થઈને શ્રદ્ધા અને પરસ્પરના વિશ્વાસને આધારે પાંગરે છે એ દરમ્યાનનો એ પછીનો સૌથી મહત્વનો પડાવ ગણાય છે લગ્ન. પ્રેમ પછી લગ્ન અને પછી સંસારની અનેક અનોખી લાગણીઓ અનુભવવી તથા સંબંધોનું વહન કરવામાં પ્રેમ ક્યાંક અદ્રશ્ય થઈ જતો હોય એમ લાગે છે, આવામાં કવિહ્રદય પોતાની પ્રેયસીને લગ્ન ન કરવા માટેના કારણો સમજાવે છે. એક ખૂબ જ સુંદર અને સચોટ અછાંદસ ઓક્ટોબર ૨૦૧૦ ના નવનીત સમર્પણ સામયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.


વરસ પૂરું થવામાં છે – મહેશ શાહ 3

દીવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો પોતાના ઘરની, ખૂણે ખાંચરેથી સફાઈ કરે છે, પણ મનમાં મેલના થર જામેલા જ રહે છે, એવી સફાઈનો શો અર્થ? એક તહેવાર ઉજવવા માટેના અવસરમાં વધારો ન કરે તો તેવા તહેવારનો એક સામાન્ય દિવસથી વધુ ઉપયોગ કેવો થઈ શકે? આ જ ભાવની વાત પ્રસ્તુત ગઝલમાં શ્રી મહેશ શાહ ખૂબ સુંદર રીતે કરી જાય છે. ‘વરસ પૂરું થવામાં છે’ જેવો સુંદર કાફિયા વાપરવાથી ગઝલ સાંગોપાંગ સુંદર અને માણવાલાયક રચના થઈ છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૨ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો)

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ. આવતા અંકોમાં શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.


કસર તો રહી છે – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 5

જીવનમાં આવી, પોતાની આગવી અસર અને પ્રભાવ મૂકીને જતા રહેનારા, જીવનભર જુદાઈનો અભિશાપ આપી જનારા પ્રિયપાત્રને તેના પ્રિયતમનો સંદેશ કેવો હોઈ શકે? તે દ્રષ્ટિપટમાં નથી, તે સ્મરણોના રણમાં ઝાંઝવાસમ ભાસે છે, પણ છતાંય નિષ્ફળ પ્રેમની અભિલાષા તો જુઓ, એ હજુય એમ વિચારીને જીવે છે કે એમને પણ અમારી કસર ક્યાંક તો વર્તાતી જ હશે ને? તેમની નજરમાં પણ આપણા માટે થોડીક ફિકર ક્યારેક તો આવી હશે ને. મૃગજળોમાં જીવતા અભિપ્સાના હરણાંને તરફડતું મૃત્યુ જ મળે એમાં શી નવાઈ? એટલે અંત અવશ્યંભાવી હોવા છતાં વિચારોના મહેલોમાં વિહરનારાના મનોભાવોનું થોડુંક પ્રદર્શન પ્રસ્તુત ગઝલના માધ્યમથી કરવાનો પ્રયત્ન કર્યો છે.


હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…. 9

ગીરના જંગલોની વચ્ચેથી, અનેક વહેળાઓને પોતાનામાં સમાવતી, સર્પાકારે, ક્યાંક ગહન તો ક્યાંક આછરતી વહેતી હીરણ નદી ગીરના જીવનનું એક જીવંત પાત્ર છે. ઉનાળામાં તેના પટની પાસે બેસીને નેસના મિત્રો સાથે કરેલી અનેક અલકમલકની વાતો અને ચોમાસામાં તેમાં નહાવાનો લીધેલો આનંદ એ બધુંય એક અનોખો અનુભવ છે. કવિદાદની પ્રસ્તુત રચના આ હીરણ નદીને અપાયેલી કદાચ સૌથી ઉચિત બિરદાવલી હોઈ શકે. મને યાદ છે લીલાપાણી નેસમાં કાનાને કંઠે ગવાયેલી આ બિરદાવલી શોધવાની મસમોટી ઈચ્છા ત્યારે તો પૂરી નહોતી થઈ, એ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની ગીરમય નવલકથા ‘અકૂપાર’માં મળી આવી. જેણે આ રચના હીરણને કાંઠે બેસીને કોઈક નિર્લેપ મનુષ્યના કંઠે લલકારીને ગવાતી નથી સાંભળી એણે એક અનેરો આનંદ ગુમાવ્યો છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૧ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો) 2

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ ગતાંકથી શરૂ થયેલી આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ.


રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ) 8

75મી મેઘાણી જયંતિના અવસરે 1972માં ‘રઢિયાળી રાતના રાસ’ નામની 35 લોકગીતોની પુસ્તિકા બહાર પડી, તેની હજારો નકલોનો ફેલાવો થયો. એ પુસ્તિકાનું આ ઈ-પુનર્મુદ્રણ કરવાની તક અક્ષરનાદને મળી તે બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને યશ આપવો રહ્યો. તો એને ટાઈપ કરીને મોકલવાની સઘળી મહેનત વાપીના ગોપાલભાઈ પારેખની એટલે આ પ્રક્રિયાના ધારક તેઓ છે. તો અક્ષરનાદના સંપાદક અને મારા પત્નિ પ્રતિભા અધ્યારૂને એમાં સુધારા – વધારા અને ગોઠવણી તથા ઈ પુસ્તક સ્વરૂપ આપવા બદલ અભિનંદન પાઠવવા કદાચ પોતાને થાબડ્યા જેવું થાય. આ રઢિયાળી રાતના રાસ સાથે અન્ય કેટલાક પ્રચલિત ગરબાઓ, વિશ્વંભરી સ્તુતિ અને જય આદ્યાશક્તિ આરતી સાથે કુલ ૭૦ નો આંકડો પહોંચ્યો છે. આશા છે ભાવકોને આ ગરબા – રાસનું ઈ-પુસ્તક ગમશે.


બે ઉર્દૂ ગઝલો – અહમદ ફરાઝ 6

અહમદ ફરાઝ પાકિસ્તાનની આજની પેઢીના અગ્રણી શાયર, પાકિસ્તાનની તત્કાલીન પરિસ્થિઓની મજબૂરીને લીધે ૧૯૮૩ પછી પાકિસ્તાન છોડી લંડન સ્થિર થયેલાં, ઉર્દુ ગઝલિયતના એક અનોખા ધારક, વાહક અને ચાહક. તેમની ગઝલોમાં પ્રેમ અને વિરહની વાતોની સાથે ક્યારેક અધ્યાત્મના ચમકારા અને સૂફી સાહિત્યની અસર પણ ઝળકી જાય છે. તેમની એક ખૂબ સુંદર ગઝલ જેને મહેંદી હસનનો સ્વર મળેલો અને જે ખૂબજ લોકપ્રિય થયેલી એ, “રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લીયે આ” અત્રે પ્રસ્તુત છે. એની સાથે મહેંદી હસનના જ સ્વરમાં ગવાયેલી આ સુંદર ગઝલનો વિડીયો. અને તેની સાથે તેમની એવી જ બીજી સુંદર ગઝલ “અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોમેં મિલેં”.


ત્રણ ગઝલો – અમિત પંડ્યા 5

શ્રી અમિત પંડ્યાની અત્રે પ્રસ્તુત ત્રણ ગઝલો ભિન્ન વિષયાસ્વાદની અનુભૂતી કરાવે છે, એ ત્રણેય રચનાઓની પોતપોતાની આગવી ખૂબી છે, ત્રણેયના શીર્ષકો પણ એવાં જ ભિન્ન છે. ત્રીજી રચનામાં એક કૂતરાની વાત થઈ છે, જો કે એ વિશેષણ કોના માટે વપરાયું છે એ ભાવકો સુપેરે સમજી શકે તેમ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી અમિત પંડ્યા (ઘાયલ બીજો) નો ખૂબ ખૂબ આભાર.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૦ – શકીલ કાદરી (ગઝલ વિશેનાં પુસ્તકો)

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ આજથી શરૂ થઈ રહેલી આ શૃંખલા અંતર્ગત ત્રણથી ચાર ભાગમાં વિભાજિત થશે. આજે આ અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જાણીશું. આવતા અંકોમાં શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.