Daily Archives: November 29, 2010


શે’ર સંકલન અને આસ્વાદ – ડૉ. રશીદ મીર

આપણા ગઝલકારોએ ગુજરાતી ગઝલના સ્વરૂપઘડતર અને વિકાસમાં અદા કરેલી ભૂમિકા દ્રષ્ટિ સમક્ષ રાખી છે, ગુજરાતી ગઝલવિકાસના વિવિધ વળાંકોને અવલોકતા સર્જકોનું કર્તૃત્વ ધ્યાન ખેંચે છે, આવા જ આપણા સર્જકોના પસંદગીના શે’ર અને તેમના વિશેની ટૂંકી નોંધ સાથેનું સુંદર પુસ્તક એટલે શ્રી રશીદ મીરનું ‘આપણા ગઝલસર્જકો’. આ જ પુસ્તકમાંથી સંકલિત શે’રો આજે પ્રસ્તુત છે.