રોગ, યોગ અને પ્રયોગ : જ્યોતીન્દ્ર દવેનું અદ્રુત સર્જન 3
જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.
જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.
દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.
ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.
જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાનની વાત કહેતી હ્રદયસ્પર્શી ફિલ્મ એટલે ‘Sound of Metal’. મનની શાંતિ ત્યારે જ મળે જ્યારે તમેં અલગ ભૂતકાળની ઈચ્છા છોડી દો.
એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’
વાલીએ બાળકની ‘સાથે’ રહેવાનું છે, બાળકની ‘માથે’ નહિ. વાલીઓ જો આ સ્વીકારે તો વાલી-બાળક વચ્ચે અને વાલી-શાળા વચ્ચેના ઘણા સંઘર્ષોનો અંત આવી જશે.
કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.
નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે?
મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.
જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી, સુરતીના લોચા જેવી તીખી, બાબુભાઈની ભેલ જેવી ચટપટી, લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ, સુરતી પોંક જેવી અનોખી, તાપી જેવી વહેતી અને દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે ફરી મળીશું.
પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.
ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.
શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એ કાયમ શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત સમાજશાસ્ત્રીઓ અને દરેક કોલમિસ્ટ માટે ચર્ચાનો મનપસંદ વિષય રહ્યો છે.
“પણ એવી જગ્યાએ થઈ છે કે…” હરેશભાઈ ઢીલા અવાજે કરાંજ્યા. પછી તો તેમને બેસવાની તકલીફ વધવા માંડી અને ફોડકીએ મટવાને બદલે પોતાનો ઘેરાવો વધારીને ગૂમડીમાંથી ગૂમડાનું સ્વરૂપ ધારણ કર્યું.
‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.
પ્રેમ જેવી અદ્ભુત ઘટના અનાયાસ થઇ જાય છે, પણ ‘અપ્રેમ’ જેવી તુચ્છ ઘટના માટે પ્રયત્નો કરવા પડે છે, જીવનનો આ તે કેવો વિરોધાભાસ! તને ચાહતા જ હું મારા અસ્તિત્વને’ય ચાહવા લાગી છું..! તને હ્રદયમાંથી જાકારો આપીને હવે જાતને ચાહવું અશક્ય છે.
મનહર ઉધાસનો જમાનો હતો. અવસર અને આગમનની કેસેટ્સ ધમધોકાર વેચાતી. જય આદ્યાશક્તિ, ઉતરાયણની કેસેટ્સ, નવરાત્રી માટે ખેલૈયો ૧ અને ૨ – આ બધી સદાબહાર કેસેટ્સ હતી.
વેદ સંપૂર્ણ રીતે સમજવા વેદાંગ ઉપયોગી છે. મંત્રોના ઉચ્ચારણથી લઈને ગ્રહ, નક્ષત્ર અને વૈદિક શબ્દોની ઉત્પત્તિ વિશેની વાતો પદ્ધતિસર રીતે શીખવતું શાસ્ત્ર એટલે વેદાંગ.
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી.
એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું.
શાળા કૉલેજ અભ્યાસ શીખવાડી શકે, એને જીવનમાં વાપરવાની રીત નહીં. આપણે ચૅટમાં ઇમોજીનું પૂર લાવી શકીએ પણ મળીએ ત્યારે સરખી રીતે વાત પણ નથી કરી શક્તા.
આરાધના બ્લોકબસ્ટર બની, કુછ તો બાત હૈ ઇસમેં! સિનેમાના સ્ક્રીન સિવાય પરસ્પર પ્રેમની આટલી સુંદર અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ પ્રેમી યુગલે કરી હશે!
પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી
Minari એટલે અમેરિકામાં સ્થાયી થવા મથતા કૉરિયન કુટુંબની કથા. ફિલ્મનો મુખ્ય વિષય છે – ઘર. ઘરથી દૂર હોવા છતાં સતત એને હૃદયમાં લઈને જીવતા લોકોની લાગણી મુખ્ય છે.
નૃત્ય કે અભિનય કરતી વખતે પાત્રમાં પ્રાણનો સંચાર કેવી રીતે થાય છે? આ માર્ગદર્શિકાની રચના કોણે કરી? સ્વર્ગની અપ્સરાઓનું પણ મૂલ્યાંકન થતું, કયા આધારે?
આવતું-જતું હર કોઈ મને વહાલ કરતું હતું. કો’ક કો’ક મને ‘અદા’ કહેતું, ત્યારે હું એમને કહેતો, “અદા તો અંદર છે, હું બંટી છું..” એ લોકો હસતા.
બાળપણ, શાળાજીવન, હોસ્ટેલજીવન કોઈ પણ માણસ માટે યાદગાર હોય છે. બાળપણની ગળચટ્ટી યાદો હોય છે તો શાળાજીવનની ખાટ્ટી-મીઠ્ઠી યાદો. જોકે હોસ્ટેલજીવનની તો વાત જ સાવ નોખીં છે. ‘રેન્ડિયર્સ’ આવી જ હોસ્ટેલજીવનની રૉલર કૉસ્ટર રાઈડ છે.
શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life.
તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.