Yearly Archives: 2011


બે માઈક્રોફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 13

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, પ્રસંગો અને સંવાદોનું મહત્વ અદકેરું થઈ જાય છે. પ્રસ્તુત ત્રણ આ જ પ્રકારની લધુકથાઓ આપણા પ્રસ્થાપિત સાહિત્યકારોની કલમની પ્રસાદી છે. એક એકથી ચડીયાતી એવી આ વાતો વાર્તાઓના આ પ્રકારમાં ખેડાણ કરવા માંગતા મિત્રો માટે માર્ગદર્શક બની રહેશે એ ચોક્કસ.


If you call me – સરોજીની નાયડુ, અનુ. મકરન્દ દવે 2

સરોજીની નાયડુ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્યાનના તેમના ઈંગ્લેંડ નિવાસ દરમ્યાન લંડનની કિંગ્સ કોલેજમાં ભણ્યા. અહીં તેમનો પરિચય અને સંપર્ક અંગ્રેજ કવિ આર્થર સિમન્સ સાથે થયો. સરોજીની નાયડુના કાવ્યોના પુસ્તકોમાં ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલ “ધ ગોલ્ડન થ્રેશોલ્ડ”, “ધ બર્ડ ઓફ ટાઈમ” અને “ધ બ્રોકન વિંગ” મુખ્ય છે. ઉપરોક્ત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ “ધ બ્રોકન વિંગ” માંથી લેવામાં આવેલું છે. પ્રિયતમના ફક્ત એક જ ઈશારે, ફક્ત એક પોકાર પર ઓળઘોળ થવા, દોડીને આવવા તત્પર પ્રેમિકાનું પ્રાથમિક શબ્દચિત્ર અહીં દેખાય, પણ અંતિમ ચાર કડીઓમાં એ કાવ્ય પ્રિયતમથી ક્યાંય આગળ વધીને વિશ્વસમ્રાટ ઈશ્વર સુધી પહોંચતું હોવાની અનુભૂતિ થાય જ.


બે ગઝલો – શૂન્ય પાલનપુરી 9

અલીખાન ઉસ્માનખાન બલૂચ ‘શૂન્ય પાલનપુરી’ સાહેબના સમગ્ર સર્જનનો રસથાળ પીરસતું પુસ્તક શૂન્યની સૃષ્ટિ હમણાં માણી રહ્યો છું. તેમના અનેક સદાબહાર સર્જનોનો અહીં ભંડાર છે. સંવેદનાની સણસણતી ચોટ, સૂર શબ્દ અને ભાષા પર પ્રભુત્વ તથા ક્યારેક અધ્યાત્મવાણીની ઝલક તેમની ગઝલોમાં દેખાઈ આવે છે. હૈયામાં ઉઠેલી ટીસ અને દર્દનો નાતો તેમની ગઝલો સાથે કાયમ રહ્યો છે. એમની જે ગઝલોમાં ભારોભાર દર્દ છે તે હૈયાને રડાવી જાય છે, તો તેમના અર્થસભર શબ્દપ્રયોગો થાકેલા મનને નવી વિચારદિશા આપે છે.


ત્યારે કરીશું શું? – સ્વામી અખંડાનંદ સરસ્વતી 5

એક બાળક હાથમાં ઉઘાડું ચાકૂ લઈને રમે છે ને તેથી એને વાગી જવાની પૂરી બીક છે. તો તેની પાસેથી ચાકૂ મુકાવી દેવા શું કરશો ? દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં પોતપોતાની સમજ મુજબ પગલાં ભરશે. માનવનું મન – ચિત્ત પણ પેલા બાળક જેવું છે. એ પણ વિષમય ધારવાળુ વિષયરૂપી ઉઘાડુ ચાકૂ લઈને સંસારમાં રમ્યા કરે છે અને તેમ કરતા તેને વાગી બેસવાનો પૂરેપૂરો ભય હોવાથી તે વિષયરૂપી ચાકૂથી મુક્ત કરવાની ખૂબ જ જરૂર છે એ વિષયાનુસંગત વાત અહીં થઇ છે.


મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast) 38

શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે વિદ્યાર્થિઓનું આગમન થતું હોય એ સમયે દેશભક્તિના ગીતો વગાડાતાં, અને આવી સુંદર પ્રાર્થનાઓ પણ વાગતી. એ સમયની યાદોમાંથી જ એક પ્રાર્થના આજે આપ સૌ સાથે વહેંચી છે. સંગીત આયોજન તથા રેકોર્ડિંગ શ્રી માર્કંડભાઈ દવે દ્વારા કરાયું છે. અક્ષરનાદ સાથે આવી સુંદર ઑડીયો રચનાઓ વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


વાનરો વેચવાનો વેપાર એટલે… 17

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી પણ શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે.


એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ 76

લાગણીઓ વિશે, એના અનુભવ વિશે ગમે તેટલું લખીએ કે વાંચીએ, પણ એને જ્યારે ખરેખર અનુભવવા મળે ત્યારે મને કંઇક એવી પરિસ્થિતિમાં મૂકાયા જેવું લાગે છે જ્યાં આનંદનો ઉભરો મનને વિચારશૂન્ય કરીને મૂંઝવણમાં મૂકી દે છે. આટલી પૂર્વભૂમિકા પછી આપની સાથે મારે એક ખૂબ આનંદના સમાચાર વહેંચવા છે.


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૩ 6

ગયા વખતે આપને પાઠની લંબાઇ અને વિષયોની વિવિધતાને લઇને જે તકલીફ પડી હશે તેને નિવારવા આ વખતે પ્રયત્ન કર્યો છે. ઉપરાંત અમુક વાચકમિત્રોના પ્રતિભાવમાં પ્રથમ પુરૂષ વિશે સમજવામાં તકલીફ જણાઈ હતી. ત્રણ ખૂબ જ વિશ્વાસપાત્ર સંદર્ભપુસ્તકોની છબી અત્રે દર્શાવી છે, આપ નીચે દર્શાવેલા નાનકડા ફોટૉ પર ક્લિક કરીને આખી છબી જોઈ શક્શો. આશા છે આ વખતે અભ્યાસ વધુ સુગમ રહેશે. આપના અનુભવો અને પ્રતિભાવો સતત મળતા રહે છે તે ખૂબ પ્રેરણાદાયક છે.


વાચન ૨૦૧૦ – ૨૦૧૦ના કેટલાક સુંદર પુસ્તકો 4

વર્ષ ૨૦૧૦માં બહાર પડેલા પુસ્તકોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલાં પુસ્તકોની એક યાદી “વાચન ૨૦૧૦” ના શીર્ષક હેઠળ, “પ્રસાર” દ્વારા પ્રકાશિત કરાઈ છે. અત્રે એ યાદી પ્રસ્તુત છે. અક્ષરનાદ પર તેને મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી જયંત મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા કેટલાક દિવસો – મહીનાઓથી વિવિધ દેશોમાં જેમ પ્રજામાં જાગૃતિની અનોખી જ્યોતિ ઝળહળવાની શરૂઆત થઈ છે તેનો ભારતનો હિસ્સો અન્ના હજારે પ્રગટાવી ચૂક્યા છે. વિશ્વકપ વિજયને લઈને આખાય દેશમાં જે દેશભક્તિનો અને એકતાનો અનોખો જુવાળ ઉઠ્યો હતો એ વખતે દેખાયેલ તણખો હવે મશાલ બની ચુક્યો છે. ભ્રષ્ટાચારની સામે ખુલ્લો પડકાર લઈને, સરકાર, વિરોધપક્ષથી લઈને આખા દેશના એકે એક અદના નાગરીકને પણ લોકશાહી / સ્વતંત્રતા માટે જેમણે વિચારવા મજબૂર કર્યા છે એવા અન્ના હજારે વિશે, તેમના હેતુ અને લક્ષ્ય વિશે તો હવે લગભગ બધાને ખબર છે જ, મારે ફક્ત એ વિશે મારા વિચાર અહીં મૂકવા છે.


શમણાંનું મોત – વંદિતા રાજ્યગુરૂ દવે 11

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. ગરીબ ખોરડાંની એક વૃદ્ધાની પોતાની પૌત્રીને પરણાવવાની ઇચ્છા અને સગવડ ન હોવા છતાં ગમેતેમ કરીને આયોજન કર્યું છે એવો કરીયાવર આપવાના શમણાંનું કઈ રીતે અણધાર્યું મોત થાય છે એ પ્રસ્તુત વાર્તામાં બતાવવાનો તેમનો પ્રયત્ન છે. ગામઠી બોલીને ઉતારવાનો તેમનો પ્રયત્ન તથા ઝડપી પ્રસંગપટ વાર્તાની ખાસીયતો છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 15

જીવન એક પ્રવાસ છે તો એ પ્રવાસના અવરોધભર્યા, મુશ્કેલ માર્ગો પર આગળ વધવામાં હતાશા અનુભવાય, ઉત્સાહ ઓસરી જાય અને કોઇ બાજી ધારી હોય તે રીતે પાર ન પડતી હોય, સતત ચાલવા, પ્રગતિના પંથે સતત આગળ વધવા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણા વિદ્વાનોએ, સાક્ષરોએ ઉદાહરણો દ્વારા સૂચવેલા પ્રસંગોને – તેના મર્મને ઓળખીએ અને તે દ્વારા આપણા જીવનને વધુ ઉપયોગી, સાર્થક બનાવી શકીએ. પ્રસ્તુત છે આવા જ અત્યંત સુંદર ત્રણ પ્રસંગમોતી.


સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા 10

શ્રી દિપક મહેતા દ્વારા સંપાદિત ‘માતૃવંદના’ શ્રેણીના ચાર પુસ્તકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં આપણા કેટલાક આદરણીય સારસ્વતોએ તેમની માતાના ચહેરાઓની થોડીક રેખાઓ ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. માતૃવંદના પુસ્તક ભાગ ૧ નો પ્રથમ લેખ શ્રી વર્ષા અડાલજાનો છે, અને ભાગ્યે જ કોઈ એવો ભાવક મળે જેની આંખ આ સુંદર વૃત વાંચીને ભીની થયા વગર રહે. ‘બા’ શબ્દની સાથે સંકળાયેલી લાગણીઓની અનુભૂતિ ખરેખર શબ્દશઃ ચિત્રણ પામી છે, આજે આ લેખ ‘માતૃવઁદના’ પુસ્તક ભાગ ૧ માંથી સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.


માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast) 23

માં બાપને ભૂલશો નહીં; સંત પુનિતની આ રચના જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે એક અનોખી લાગણી ઉભરાઈ આવે. આજના અતિઆધુનિક ઝડપી યુગમાં ઘરથી, માતાપિતા અને સગાવહાલાઓથી કેટલાય જોજનો દૂર, ભલેને એ મજબૂરીને લીધે હોય, છતાંય વસતાં આપણે આ ગીતની શીખને કેટલી પચાવી શકીએ છીએ, અને એ પચાવીએ તોય તેને કેટલી અમલમાં મૂકી શકીએ છીએ એ સમજવાનો અને વિચારવાનો વિષય છે. એવામાં આપણા સાહિત્યરત્નોમાં રહેલો આવો જ કોઈક ‘નાદ’ મનને ક્યાંક ઝંઝોળતો હશે, શું કહેતો હશે ? સાંભળો ……


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૨ 40

આપણે આજે વર્તમાનકાળની ક્રિયાઓ માટેનું પ્રથમ, દ્વિતિય તથા તૃતિય પુરુષ માટે એકવચન, દ્વિવચન અને બહુવચનના રૂપોનું કોષ્ટક જોઈશું. તેને કંઠ:સ્થ કરી લેવું આવશ્યક છે જેથી આગળ તે ઉપયોગી થઈ રહેશે. ઉપરાંત આજે સંજ્ઞા અને સર્વનામ વિશે પણ પ્રાથમિક પરિચય મેળવશું. સાથે પ્રસ્તુત કરાયેલા ઉદાહરણોનો અભ્યાસ આ વિષયને સરળતાથી સમજવામાં મદદ કરશે, આપને આ પ્રકરણમાં કોઇ પણ વિગત સમજવામાં મુશ્કેલ લાગે તો તે વિશે પ્રતિભાવમાં જણાવી શકો છો.


નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ 2

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતાં, એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. પ્રસ્તુત ભજનમાં નમ્રતાનો મહિમા વ્યક્ત થતો હોય એવું ઉપરછલ્લું ચિત્ર, પણ તેના મૂળભૂત ભાવમાં ભક્તિ અને સમર્પણની વાત પડી છે. ધાર્મિક પાત્રોના ઉદાહરણો સાથે ખૂબ સુંદર એવા આ ભજનની રચના જેટલી સરળ દેખાય છે એટલી જ તેની અભિવ્યક્તિ ગહન છે


મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણી 11

. . . . . . . . . . અને લોકોની “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” સંભળાઈ. હું પણ એ જલસામાં જોડાવા ત્યાં પહોંચ્યો. લોકલ ટીવી ચેનલોના કેમેરામેન અને સભ્યો માઈક લઈને બધાને “તમારે શું કહેવું છે” પૂછતા ફરી . . . . . મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણીના કેટલાક ફોટા અને સાથે સાથે વિચારમાળા . . .


લાડકડી – બાલમુકુંદ દવે 5

વહાલી લાડકડી દીકરીને વિદાય આપતી વખતે, કન્યાદાન કરતી વખતે માતા પિતાના મનમાં ઉગતા મનોભાવો, સુખ અને દુ:ખની મિશ્ર લાગણીઓની વાત શ્રી બાલમુકુંદ દવેની આ રચનામાં અદભુત રીતે ઝીલાય છે. કન્યાવિદાયના ગીતો અને કાવ્ય રચનાઓની આપણા સાહિત્યમાં કોઇ ખોટ નથી અને ભાવપૂર્ણ રચનાઓ પહેલેથી જ ભાવકોને આકર્ષતી રહી છે. આજે પ્રસ્તુત છે એવી જ એક વહાલભરી, પ્રેમસભર સુંદર રચના


રમ્મફાસ્ટ કાકા – હાર્દિક યાજ્ઞિક 14

હાર્દિકભાઈનું નામ અક્ષરનાદના વાંચકો માટે નવું નથી. તેમની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર આવી ચૂકી છે. આજે પ્રસ્તુત વાતમાં હાર્દિકભાઈ એક પાત્રની, નામે ‘રમ્મફાસ્ટ કાકા’ની વાત કરવા તેમનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેમના ગુણોને અને પોતાના પર કરેલા ઉપકારને વર્ણવે છે. વાર્તાનો અંત તેની સતત જકડી રાખતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ) 4

કનૈયાલાલ મુનશીને આપણે તેમની ઐતિહાસીક પાત્રો અને ઘટનાઓને આલેખતી કેટલીક અમર કૃતિઓને લઈને ઓળખીએ છીએ. ગુજરાતનો નાથ હોય કે પ્રૃથિવિવલ્લભ કે પછી જય સોમનાથ હોય, ક. મા. મુનશીની કલમની એ પ્રસાદી આપણા સાહિત્યને તત્કાલીન રસિકોથી લઈને આવતી પેઢીઓ સુધી વહેંચવા મળેલો ખજાનો છે, પરંતુ તેમની કલમની હાસ્યલેખનમાં હથોટી બતાવવા આ એક લેખ જ પૂરતો છે. “રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે”, “માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી.” કે “કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.” જેવા અનેક વાક્યોની મૂડી સાથેની પ્રસ્તુત વાત કવિ બનવા માટેનું પ્રશ્નપત્ર ઉકેલવાના અપેક્ષિત પ્રશ્નોના સચોટ ઉત્તરો છે.


જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન… – સતી લોયણ 1

આટકોટના લંપટ રાજવી લાખો વિલાસી હતો‚ તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો. તે પછી લોયણ એના કોઢ સાથેની કાયાનું જતન અને સેવા સુશ્રુષા કરતાં કરતાં વર્ષો સુધી તેને મુક્તિનો – અલખનો મારગ બતાવતાં ૮૪ જેટલાં ભજનો લાખાને ઉદેશીને ગાયેલા. પ્રસ્તુત ભજનમાં પણ લોયણ લાખાને નિજ ધરમ વિશે સમજાવે છે. સરળ અને પ્રત્યક્ષ વાત રૂપે કહેવાયેલ ઉદાહરણોથી આ ભજન જેટલું સરળ બને છે એટલું જ ગૂઢ રહસ્ય પણ તેમાં સમાયું છે


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૧ 58

સંસ્કૃત અને સંસ્કૃતિ એ ભારતીય પ્રતિષ્ઠાના આધરસ્તંભ છે. આપણે આપણી સંસ્કૃતિનો આદર કરીએ છીએ તેમજ તેનુ જતન પણ કરીએ છીએ, સંસ્કૃતભાષા પ્રત્યેનો પ્રેમ આપણા હ્રદયમા અનન્ય સ્થાન ધરાવે છે. સંસ્કૃતમા ઉચ્ચરિત થતા મંત્રો આપણા સૌના માનસીક સંવેદનને આકર્ષે છે તેમજ હ્રદયને શાન્તિ અર્પે છે. સંસ્કૃત જેટલી વૈજ્ઞાનિક ભાષા છે તેટલીજ સરળ પણ છે, સાહિત્યિક છે તેટલીજ મધુર પણ છે. આપણે સૌ સંસ્કૃતભાષા ને વ્યવહારિક ભાષા બનાવીએ. ચાલો સંસ્કૃત શીખીએ. . .


મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) 2

સંપાદકોએ કવિની સમગ્ર ગઝલ કૃતિઓમાંથી ચુનંદા ૧૫૧ શેરોની પસંદગી કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું શીર્ષક ૧૫૧-હીરા યથાર્થ છે કારણ કે કવિ મુસાફિર પાલનપુરીના વિપુલ ગઝલ સર્જનરૂપી સાગરમાં મહાલતાં-મહાલતાં અને ડૂબકીઓ લગાવતાં હાથ લાગેલા રત્ન સમા ચુનંદા શેરો અમોએ આ પુસ્તિકાના પાને પાને ટાંક્યા છે ! કવિની મૂડી એના શબ્દનું તેજ હોય છે, એના ઝળહળાટ થકી કવિ સહ્રદયોના દિલ-દિમાગને અજવાળી શકે. અહીં મૂકાયેલા કવિ મુસાફિરના આ બધા જ શેર કવિની સંવેદી ચેતનાનો અમૂલ્ય ખજાનો છે. પ્રતિભાશાળી ભાવકો માટે આ પુસ્તિકા રત્નવાટિકા જ નહી, રસવાટિકા પણ બની રહેશે.


શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) 6

વિચારપ્રેરક અને પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ ભટ્ટ દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. ભક્તિ રચના હકિકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે આ “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરેલી. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ-ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે.અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરનાદ ભેટ યોજના ૨ – “ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)” ના વિજેતાઓ 6

ગંગાસતીના ભજનોની ટી-સીરીઝ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ઑડીયો સી.ડી અક્ષરનાદ દ્વારા તદ્દન મફત ભેટ સ્વરૂપે આપવા ઉપલબ્ધ છે. આ માટે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા કહેવાયેલું. આ પ્રશ્નોત્તરી ઉત્તરો સહિત તૈયાર કરી આપવા માટે શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરૂનો આભાર. આ સ્પર્ધામાં બધા પ્રશ્નોના ઉત્તરો આપવા ફરજીયાત હતા. સ્પર્ધાને સરસ પ્રતિસાદ મળ્યો તે બદલ સર્વે વાચકમિત્રોનો આભાર માનવાની આ તક ઝડપી લઉં છું. પ્રશ્નોના સાચા જવાબ તથા વિજેતા મિત્રોના નામ દર્શાવ્યા છે.


અક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર 21

અક્ષરનાદના ‘નાદ’ એટલે કે ઑડીયોકાસ્ટ વિભાગની શરૂઆત કરી ત્યારથી એક ઈચ્છા હતી કે અક્ષરનાદની પોતાની એક ઓળખ આપતી સૂરાવલી / ધૂન બને, ‘સિગ્નેચર ટ્યૂન’ હોય. આ જ આશા સાથે ધૂળેટીના દિવસે શ્રી જયેશભાઈ પરમારના સહયોગથી નડીયાદના ડી-સ્ક્વેર સાઊન્ડ રેકોર્ડિંગ સ્ટૂડીઓ ખાતે એક ધૂન સ્વરબદ્ધ, સૂરબદ્ધ – રેકોર્ડ કરવામાં આવી, સ્વર આપ્યો છે નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે.


કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7

શ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.


ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત 2

ધૂળેટીનો સપરમો દહાડો છે, ઘેરૈયાઓના ટોળા મળ્યાં છે અને આવતા જતા બધાંયને વિવિધ રંગોએ રંગવા ઘેરૈયાઓ તૈયાર થઈ ઉભા છે, તેમણે ઘેરો ઘાલ્યો છે. આવા જ અર્થની વાત શ્રી વેણીભાઈ પુરોહિત પ્રસ્તુત કાવ્યરચના અંતર્ગત કહે છે. નવા ઇલાલને સંબોધીને કહેવાયેલી આ વાતઆજના તહેવાર સાથે કેટલી બંધબેસતી આવે છે?

સર્વે વાંચક મિત્રોને અક્ષરનાદ તરફથી હોળી – ધૂળેટીની અનેક શુભકામનાઓ.


આશિર્વાદ – રૂપેન પટેલ 20

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘આશિર્વાદ’ જીવનના સંજોગોમાં થતા ફેરફારને લીધે ક્યારે કોની જરુરત પડે એવી અનિશ્ચિતતાઓનિ વચ્ચે મહેકતા માનવધર્મને, સમાજવ્યવસ્થાને લીધે જળવાઇ રહેલિ વર્ણવ્યવસ્થા અને તેને લઇને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ વિશેનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે 4

શ્રી હરિન્દ્ર દવેની અનેકો રચનાઓમાં કૃષ્ણપ્રેમ અચૂક ઝળકે છે. તેમની આવી જ કૃષ્ણના રંગે રંગાયેલ રચનાઓનો સંગ્રહ એટલે સંગ્રહ ‘મારગે મળ્યા’તા શ્યામ’. આ સુંદર સંગ્રહમાંથી આજે પ્રસ્તુત છે બે કૃષ્ણપ્રીતીની રચનાઓ. પ્રથમ રચનામાં જ્યાં કૃષ્ણના વાંક દેખાડીને ગોપીઓ તેમની હાજરીને ઝંખે છે તો બીજી રચના, ‘રથના ચીલામાં આંખ પૂરો’ તેમના મથુરા ચાલ્યા ગયા પછીની રાધા અને ગોપીઓની મનોસ્થિતિનું પ્રભાવી વર્ણન કરી જાય છે. સુંદર ઉપમાઓને લીધે આ કાવ્ય પણ માણવાયોગ્ય અને મનભાવન થયું છે. તો સાથે એ જ પુસ્તકમાંથી કાંગડા શૈલીમાં અંકિત થયેલી રાધા કૃષ્ણની છબી મૂકી છે.