Yearly Archives: 2009


ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા 2

ગંગાસતીના અમુક ભજનો આપણે જાણીએ છીએ અને ક્યારેક સાંભળીએ છીએ પણ એમના વિશે, એમની જીવનકથા અને એમની ભજનવાણીના મર્મ વિશે આપણે કેટલું જાણીએ છીએ? પ્રસ્તુત છે આ કડીઓમાં ગંગાસતી વિશે થોડીક વિશેષ જાણકારી.


એ જિંદગી – ઉશનસ 3

ઉશનસની રચનાઓનો વૈભવ વસંતના વૈભવથી ઘણો વધારે છે. વસંત તો ફક્ત થોડાક સમય પૂરતી હોય છે પરંતુ તેમની કવિતાઓ સદાબહાર છે. જિંદગી વિશેની આ રચના જ જુઓ, જિંદગીની આટલી સચોટ વ્યાખ્યા તેમના જેવો સમર્થ રચનાકાર જ કરી શકે. માણો આ ખૂબ સુંદર રચના.


યાદ કીયા દિલને… – હસરત જયપુરી 5

એકલતાની અમુક ક્ષણોમાં, જ્યારે કોઇકના ખભા પર માથું મૂકીને રડવાનું, કોઇકને જોઇને હસવાનું મન થાય આવા અવિસ્મરણીય સમયે તમારું મનપસંદ ગીત કયું? ફ્રેન્ડશીપ ડે માટે મારા તમામ મિત્રોને મારા તરફથી સાદર ભેટ આ મારું મનપસંદ ગીત.


દીકરાની ઝંખના – લોકગીત 9

આ કદાચ આપણા લોકગીતોની વિશાળ ક્ષમતા જ છે કે જે બતાવે છે આપણી સમૃધ્ધ પરંપરામાં સર્વ પ્રકારના ગીતો છે. આજના યુગમાં આવા વિષયો પર ગીત રચાય એ તો કલ્પના જ રહે. પુત્રહીન માતાથી હવે તો વાંઝિયા મહેણાં સહેવાતા નથી. માતાજીની પાસે એ કેવો દીકરો માંગી રહી છે? માણો આ લોકગીત…


ફાનસ તારા હાથમાં છે – હરીન્દ્ર દવે 6

ગુરૂ અને શિષ્યના સંબંધો અને સાચા ગુરૂની તલાશ પર અનેક લેખો લખાયા છે. શ્રી હરિન્દ્ર દવે તેમની આગવી શૈલીમાં અહીં સાચા ગુરુની ઉપસ્થિતિ વિશે ખૂબ સુંદર રીતે સમજાવે છે. ખૂબ વિચારપ્રેરક અને માણવાલાયક, મમળાવવા લાયક લેખ.


ચાલોને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી 5

ચાલોને રમીએ હોડી હોડી એ શ્રી પિનાકીનભાઇ ત્રિવેદીએ રચેલું સદાબહાર બાળગીત છે. ગુજરાતી માધ્યમમાં ભણતા કદાચ જ કોઇ એવા બાળકો હશે જેમને આ ગીતે નહીં આકર્ષ્યા હોય. બાળપણ વીતી જવા છતાં હોડી બનાવતા નાના બાળકોને જોઇને આ ગીત અચૂક યાદ આવેજ.


અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ 6

અક્ષરનાદ.કોમ પર ઉમેરા ઇરહેલી ત્રણ સુવિધાઓની જાહેરાત. વાચક મિત્રો માટે અક્ષરનાદને માણવાની સરળતા ખાતર તથા તેમની સુવિધા માટેની આ ત્રણેય સગવડો વિશે વિગતવાર માહિતિ માટે જુઓ.


ત્યાગ ન ટકે વૈરાગ વિના – નિષ્કુળાનંદજી 5

ત્યાગ ન ટકે વૈરાગ વિના – શ્રી નિષ્કુળાનંદ દ્વારા લખાયેલું આ ભજન ખૂબજ સુંદર અને ભાવવહી છે. મુક્તિનો – ભક્તિનો માર્ગ પામવામાં આવતી તકલીફો, છલનાઓ અને વિટંબણાઓનો અહીં માર્મિક ભાષામાં સુંદર ચિતાર અપાયો છે.


ભૂતળ પ્રેમ પદારથ … – જીગ્નેશ અધ્યારૂ 7

પ્રેમને અને તેના પ્રભાવને શબ્દના વાઘાથી શણગારવો એ અશક્ય વસ્તુ છે, કારણકે પ્રેમ મૂળતો મૌનની ભાષા છે, મનનો વિષય છે, છતાંય પ્રેમ નામની એ અનોખી લાગણી, તેની અભિવ્યક્તિ, અને તેના સત્વ વિશે થોડાક વિચારો આલેખવાનો આ નમ્ર પ્રયત્ન છે.


બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી 7

શ્રીમતી ડિમ્પલ આશાપુરી સાહિત્યના અભ્યાસી છે. ગુજરાતી સાહિત્યમાં બીએ અને એમ એ કર્યા પછી હાલ તેઓ વડોદરામાં સ્થાયી થયા છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર પદ્ય રચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


એલફેલ પ્રિપેઇડ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ 23

ગામડાનો એક વ્યક્તિ ફોન કરે છે “એલફેલ” મોબાઇલ કંપનીના કસ્ટમરકેર વિભાગમાં અને તેની ગ્રાહક સુવિધા અધિકારી સાથે થયેલી થોડીક અસામાન્ય પણ મલકાવતી વાતચીતના અંશો માણો અહીં…. માણો થોડી મરકતી, હસતી, હળવી પળો ….


કન્યા વિદાય – અનિલ જોશી 17

કવિ શ્રી અનિલ જોશી દ્વારા રચિત આ સુંદર અને ભાવસભર ગીત લગ્નની સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ઢોલ, ઘરચોળું, દિવડો, શેરી, સાફો વગેરેના માધ્યમથી કન્યા વિદાય પછી વ્યાપેલા સૂનકારને ખૂબ અચૂક રીતે પ્રસ્તુત કરે છે.


અલક મલકની કન્યા – ઉમાશંકર જોશી 2

શ્રી યશવંત શુક્લ દ્વારા સંપાદીત પુસ્તિકા “ઉમાશંકરની વારતાઓ” શ્રી ઉમાશંકર જોશીની કેટલીક શ્રેષ્ઠ ટૂંકી વારતાઓના સંગ્રહ છે. તેમાંથી આભાર સહ આજે વાંચો કૃતિ “અલક મલકની કન્યા” જે ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ સમાન રચના છે.


ઘાયલ સાહેબની ત્રણ ગઝલો 21

આજે અમૃત ઘાયલ સાહેબની મને અતિ પ્રિય એવી ત્રણ ખૂબસૂરત ગઝલો…
1. મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,….
2. ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે, …… અને
3. છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ…..


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) 10

ગીરયાત્રાના અનુભવો ભાગ ૧ અને ભાગ ૨ આપે અહીં વાંચ્યા. આજે વાંચો તુલસીશ્યામ પાસે આવેલી દોઢી નેસ અને આસનઢાળી નેસની મુલાકાતો સાથેનો ત્રીજો અને અંતિમ ભાગ.


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2

ગીરના જસાધાર પાસે ચીખલકૂબા નેસથી થોડેક દૂર જંગવડ ની અગણિત વડવાઇઓ નીચે વનભોજન અને તે પછી આધ્યાત્મિક રંગે રંગાયેલી એ યાદગાર રાત્રી, ગઇકાલે આપે માણ્યો પ્રથમ પરિચય, આજે માણો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં… ( ભાગ 1 ) 8

ગરવા ગીરના એક તદન નવા સ્વરૂપનો પરિચય. આ ગીરના સિંહ કે હરણાં, કે ગીરની હરીયાળીની વાત નથી. આ વાત છે ગીરમાં અફાટ પાંગરેલા અધ્યાત્મની, તેની સંત પરંપરાઓ અને ગીરની સ્વાભાવિક ફકીરીની. માણો અમારો ગીરનો અનોખો અનુભવ.


બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી 10

શું તમે ક્યારેય અમાસની કાળી રાતે આકાશમાં તારાઓ અને ગ્રહોના સમૂહને જોયા છે?

ક્યારેય એ આકાશને નજીકથી જોવાની, એની ઉંડાઇનો તાગ મેળવવાની ઇચ્છા થઇ છે? દૂર સુદૂર પ્રકાશિત એ કયો ગ્રહ છે કે તારો છે એ તમને ખબર છે?

અહીં બે ઉપલબ્ધ નાનકડા સોફ્ટવેર વિશે આપને જણાવી રહ્યો છું જે આપને આપના કોમ્પ્યુટરમાં આખાય આકાશનો ખૂબ સુંદર ચિતાર તેના ગ્રહો અને તારાઓની ઓળખાણ સાથે આપે છે.


મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ 6

જીગ્નેશ અધ્યારૂની બે રચનાઓ, ગઝલ…, પ્રથમ ગઝલ સમર્પિત છે એવા મનુષ્યને જે પોતાની સાચી ઓળખાણ શોધી રહ્યો છે, દરીયા સાથે આ સમગ્ર પ્રયાસની સરખામણી છે, તો બીજી ગઝલ યુવાનીના પ્રેમના સ્મરણો વિશેની છે.


કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો 1

કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી ખૂબ ભાવવહી, સરળ અને હૈયા સોંસરવુ ઉતરી જતુ ભજન છે. ભક્તિ સંપ્રદાયના ફેલાવામાં આવા સરળ ભજનોએ ખૂબ ફાળો આપ્યો છે…. માણો આ સુંદર ભજન અને સાથે તેની વિશદ સમજૂતી.


શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા 9

મહુવા ખાતે યોજાયેલ શ્રી શેખર સેનનો ભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ અને તેમણે પ્રસ્તુત કરેલ કેટલીક ખૂબ સુંદર અને ભાવવહી રચનાઓનો અનોખો સંગ્રહ. એક માણવાલાયક પ્રસ્તુતિ.


આજથી અક્ષરનાદ ગૂંજે છે… 8

માણો અક્ષરનાદ નો પ્રથમ સંપાદકીય લેખ. આજથી શરૂ થાય છે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ એક તદન નવા સ્વરૂપે, એ જ વૈવિધ્યસભર લેખો, વધુ સગવડો અને પોતાના ડોમેઇન પર આજે ગુરૂપૂર્ણિમાના શુભ દિવસથી ગૂંજશે અક્ષરનાદ…


અધ્યારૂ નું જગતની છેલ્લી પોસ્ટ

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં, સમજી હવાને ભીંત અઢેલી જવાય છે. જનાબ શ્રી અમૃત ઘાયલ સાહેબનો તેમને પ્રિય આ શે’ર મને ઘણી વખત મારી સ્થિતિ સાથે બંધબેસતો લાગે છે. બ્લોગનો, વેબસાઈટનો, કોઈ પુસ્તકનો કે સાહિત્યના કોઈ પણ પ્રકારનો મૂંળ ઉદ્દેશ શું હોય? લેખક માટે એ પોતાના ભાવવિશ્વની ઉર્મિઓ, તેની નવીનતા, સંવેદના અને અનુભવોનું આગવું નિરૂપણ છે, તો વાંચક માટે એ ભાવવિશ્વની ઉંડાઈ સુધી પહોંચવાની તમન્ના અને તેના મૂળ ગુણધર્મને પામવાનો પ્રયત્ન છે. શ્રી અંકુરભાઈ દેસાઈ કહે છે તેમ આત્મ વિસ્તરણમાં મૂળભૂત અજ્ઞાત હોવાનો ભાવ જ ઉર્ધ્વગામી પરીબળોને સાર્થક કરે છે. આત્મવિકાસના શૂન્યમાં જ્યાં સુધી “સ્વ” વિશેની સભાનતા ઓગળતી નથી ત્યાં સુધી તેના સ્વરૂપો અનંતગતિને સાધી શક્તા નથી. સાહિત્યનો કોઈ પણ પ્રકાર તેના મૂળ ઉદ્દેશ સુધી પહોંચતો નથી. વાચકને મજા આવશે કે નહીં એવું વિચારીને લખનાર પોતાની લેખનની મજાને તો જોખમમાં મૂકે જ છે પરંતુ વાચકની પસંદને પહેલેથી ધારીને તે વર્તુળ પણ સીમીત કરી દે છે. લેખન એ પૂજા જેવું કાર્ય છે, તેની પવિત્રતા, તેની અખંડિતતાને માન મળવું જો ઓછું થાય તો સાહિત્યનું સ્તર પણ નીચે ઉતરી આવે. છેલ્લા થોડાક દિવસથી અધ્યારૂ નું જગત બ્લોગ અનિયમિત થઈ ગયો હતો, કારણમાં મૂળ “થાક”, કૌટુંબિક જવાબદારીઓ, નોકરી, પિપાવાવ થી વડોદરાની નવ કલાકની અપડાઉન જેવી આવનજાવન, અને ગીરમાં સતત ભટકવાની અદમ્ય ઝંખના, સમયનો અભાવ અને પોસ્ટ કરવાની અવગણી ન શકાય તેવી તીવ્ર ઈચ્છા જેવા બે છેડાઓ વચ્ચે હું, આ બધા પરિબળો એક પછી એક ભેગા થતા ગયાં, અને બ્લોગ પર પોસ્ટ ઘટતી રહી, અનિયમિત થતી રહી. અનિયમિત થવા કરતાં બ્લોગને સતંદર બંધ જ કરી દેવો અને એક લાંબો વિરામ લેવો એવો નિર્ણય અંતે લીધો […]


બહેન મારી – સોમાભાઇ ભાવસાર 5

લાલ ને લીલી, વાદળી પીળી, કેસરી વળી, જાંબલી વળી, રંગબેરંગી ઓઢણી લઉં, બહેન મારીને ઓઢવા દઉં! સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં, નાના નાના ઘૂઘરા ઝીણા, એવી બે ઝાંઝરીઓ લઉં, બહેન મારીને પહેરવા દઉં! ચંપા બકુલ, બોરસલી ફૂલ, માલતી ને મોગરાનાં ફૂલ, બાગમાંથી હું લાવી દઉં, બહેનને વેણી ગૂંથવા દઉં! ઓઢણી તમે ઓઢજો બેની, ઝાંઝર પગે પહેરજો બેની, વેણી માથે ગૂંથજો રે….! બાગમાં ઘૂમી હીંચકે હીંચી, સાંજરે વહેલા આવજો રે, ભાઇને સાથે લાવજો રે…..! -સોમાભાઇ ભાવસાર


મારો પ્રિય શે’ર – કાબિલ ડેડાણવી 5

ઠેસ પહોંચાડવી છે હૈયાને? કોઇ તાજું ગુલાબ લઇ આવો. -કાબિલ ડેડાણવી પ્રભુના પયગમ્બર, કુદરતના પ્રતિનિઘિ એવા કવિઓને દૈવ વાણી-આત્મસ્ફૂરણા થતી હોય એવા સ્વયંસ્ફૂરિત શે’રો-કાવ્યોને ઇલ્હામી કહે છે. એટલે આ શે’ર પોતાને કેમ પ્રિય છે, કેમ ગમે છે અને ક્યા સંજોગોમાં ઉદભવેલો એનો ખુલાસો કરવાનું કહેવામાં આવે ત્યારે એમ લાગે છે કે મને મારી જ મનોસૃષ્ટિમાં પુન:પ્રવેશી, અતીત ઉલેચીને મારી જ અભિવ્યક્તિ પર સંશોઘન – Research નું કામ સોંપવામાં આવ્યું છે. બીજાની કૃતિઓ – અન્યોનાં સર્જન ઉપર સંશોઘન કરવું કદાચ ઘણું દુષ્કર નથી હોતું. પરંતું પોતાના જ વિચાર –કાવ્યો, શે’રો કે સ્ફૂરણા પર reflect કરવું સંભવિત તો હોય છે. પણ ઇલ્હામી શે’ર માટે હું એવું ખાતરીપૂર્વક કહી શકું નહીં. ઉપરોક્ત શે’ર મેં જેટલીવાર સંભળાવ્યો છે. એના કરતાં અનેકવાર વઘારે મને અન્ય કવિમિત્રો-રસિકોએ સંભળાવ્યો છે અને શ્રોતાઓએ મને યાદ અપાવ્યો છે. ક્યારેક તો મને એવું લાગ્યું છે કે મેં આ સિવાય પણ કોઇ અન્ય સર્જન કર્યું છે ખરું? ખરી રીતે તો જેમને પંસદ છે એવા લોકોને આ પ્રશ્ર્ન પૂછવો જોઇએ કે આ શે’ર એમને કેમ પ્રિય છે? કોઇ શુભ સર્જનને પોષક એવી પળે આ શે’રે અવતાર ઘારણ કર્યો છે કે કદાચ મારી શોકસભામાંય એ સંભાળાવવામાં આવશે અને પછીય આ શે’ર મને સુખે મરેલો રહેવા નહીં દે  – કાબિલ ડેડાણવી ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે) 14

અર્જુને પ્રભુ શ્રી કૃષ્ણને આ અધ્યાયમાં સાત પ્રશ્નો પૂછે છે. તેને પૂછવો હોય છે એક જ પ્રશ્ન પણ જો તે સીધે સીધું જે પૂછવાનું છે તે પૂછી લે તો પ્રભુને લાગે કે હજી તેનો મોહ ગયો નથી, એટલે તે આડા અવળા પ્રશ્નો પૂછીને છેલ્લે સાતમો મુખ્ય પ્રશ્ન પૂછે છે. . . . प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥ જેઁમણે પોતાનું ચિત્ત વશ કર્યું છે તેઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? જવાબમાં પ્રભુ કહે છે કે …. अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥ જે અંતકાળે મારૂ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં શંશય નથી. અંતકાળ એટલે શું? દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ. મૃત્યુના આ વિવિધ પ્રકારો છે. દૈનિક મૃત્યુ એટલે ઉંઘ, એમાં બધુંજ છૂટી જાય છે. ઉંઘમાં પડ્યા એટલે વિદ્યા નહીં, પૈસા નહીં, મોહ, માયા, ગાડી, બંગલો, પત્ની, છોકરા બધાં ક્યાં જતા રહે છે? પણ જેવા સવારે ઉઠ્યા એટલે એ બધાં છે. કહે છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર છે. अजो नित्यं शाश्वतोऽयं पुराळो, न हन्यते हन्यमाने शरीरे ॥ અવસ્થાંત્તર મૃત્યુ એટલે कौमारं, यौवनं, जरा એવી અવસ્થાઓ આવે અને જાય તે. યુવાની આવે અને જાય, કુમારાવસ્થા આવે અને જાય, વૃધ્ધાવસ્થા પણ એમ જ આવે અને જાય, એ કોઇ લાખ પ્રયત્ન કરે તો પણ રોકી શકાય તેમ નથી, એટલે કુમારાવસ્થાનું મૃત્યુ એટલે યુવાની અને યુવાની નું મૃત્યુ એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થાનું મૃત્યુ છે. ત્રીજું મૃત્યુ એટલે અજ્ઞાનનું મૃત્યુ. દરેક ઉગતા – આથમતા  દિવસ્ સાથે જીવન કાંઇકને કાંઇક શીખવે છે. બાળક જન્મે ત્યારથી લઇને મૃત્યુ […]


થાકી ગયો છું – હરજીવન દાફડા 7

ક્યારેય ક્યાં અકારણ થાકી ગયો છું હું. પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયો છું હું. પ્રગટે અહીં પળેપળ પ્રશ્નો નવા નવા, શોધી નર્યા નિવારણ થાકી ગયો છું હું. તોયે તમારાં પાવન પગલાં થયા નહીં, કાયમ સજાવી આંગણ થાકી ગયો છું હું. પીડાવિહોણો મારગ એકે મળ્યો નહીં, વેઠી અકળ વિમાસણ થાકી ગયો છું હું. જાણી શક્યો ન જીવના અસલી સ્વભાવને, બેહદ કરી મથામણ થાકી ગયો છું હું.  – હરજીવન દાફડા જીવનની અનેક નિષ્ફળતાઓ અને તેના લીધે લાગેલા થાકનો અહીં ઉલ્લેખ કરતા કવિ સરસ રીતે તે થાકના વિવિધ કારણો સમજાવે છે. તેમના મતે તેઓ ક્યારેક અકારણ થાક્યા છે તો ક્યારેક પુષ્કળ ભારણથી થાકી ગયા છે. જીવનમાં માણસને વિવિધ અનુભવો થાય છે, ઘણાં દુખદ અને ઘણા સુખદ પરંતુ અહીં કવિને ક્યારેક કોઇ ખાસ કારણ વગર, અકારણ થાક લાગે એમ અનુભવાય છે. તો ક્યારેક જીવનના વિવિધ ક્ષેત્રોમાઁ આવતા તણાવ કે કાર્યબોજને લઇને પણ કવિ ખૂબ થાકી ગયા છે. જીવનના દરેક દિવસે, દરેક પળે નિતનવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નોને નિવારવામાઁ, તેમના ઉકેલ શોધવામાઁય કવિ ખૂબ થાકી ગયા છે. કવિએ તેમના મહેમાનો માટે, પ્રેમ પામવા માટે આંગણ કાયમ સજાવી રાખ્યું છે, પણ કોઈ આવ્યું બહીં, તેથી આંગણું સજાવી રાખીને પણ કવિ થાકી ગયા છે. જીવનના કાર્યો માટે તેમને પીડા વગરનો કોઇ માર્ગ મળ્યો નથી, દરેક ક્ષેત્રમાઁ તેમણે વેઠવું પડ્યું છે એ કારણે પણ કવિ થાક અનુભવે છે. જીવનનો મૂળ સ્વભાવ છે મથામણ, જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતા માટે, ભલે તે કૌટુંબિક હોય કે વ્યાપારિક, દરેક સ્થળે મથામણ કરવી પડે છે. કાંઇ મહેનત કર્યા વગર મળતું નથી એ  કાર્યનો નિયમ છે. કવિ જીવનના આ અસલી સ્વભાવને ન […]


બે ગઝલ – અમૃત ‘ઘાયલ’ 7

1. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી … ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાની માં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી … મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી ! કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી … 2. ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું “કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું. તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું, મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું. સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’ ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું  – અમૃત ‘ઘાયલ’


માં અંબા તે રમવા નીસર્યા – ગરબો 3

ચૈત્રી નોરતાં શરૂ થઇ ગયા છે, અને આ ચૈત્ર નવરાત્રી ભક્તિ અને સાધના કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જગતજનની માતાને યાદ કરતાં આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતાનો આ ગરબો …….  માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા, મા શો લીધો શણગાર રે … દેવી. મા પાવાની પટરાણી રે … દેવી. મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી. મા લીલાવટ દીવડી શોભતી .. દેવી. મા દામણી રત્નજડાવ રે .. દેવી. મા કાને કનક ફૂલ શોભતા .. દેવી. મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી. મા કોટે તે પાટિયાં હેમના .. દેવી. મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી. મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી. માને દશે આંગળીએ વેઢ રે .. દેવી. મા લીલા તે ગજનું કાપડું .. દેવી. મા છાયલ રાતી કોર રે .. દેવી. મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી. મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી. મા પગે તે કડલાં શોભતા .. દેવી. મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી. મા ગાય અને જે સાંભળે .. દેવી. તેની અંબા પૂરે આશ રે .. દેવી. ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી. મા જન્મોજનમનો દાસ રે .. દેવી.


એક ઓંકાર ગુરૂબાની : પંજાબી પ્રાર્થના (ભાષાંતર સાથે) – જીગ્નેશ અધ્યારૂ 9

વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]