સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…

બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક ‘એથિક્સ’ ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨) 10

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ, ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો. એ બધુ ભેગુ કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧) 1

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો એ બધુંય ભેગું કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૫ 6

દર વખતની જેમ આ વખતે પણ પાંચ સુંદર અને મહદંશે ઉપયોગી નાવિન્યસભર વેબસાઈટ્સ વિશે થોડીક માહિતિ સાથે તેમની લિન્ક. આ વેબસાઈટ્સની યાદીમાં આજે શામેલ છે ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુવિધા આપતી એક વધુ વેબસાઈટ, એનિમેટેડ મૂવિઝ બનાવવાની સગવડ માટેનું સોફ્ટવેર મફત આપતી વેબસાઈટ, જગતના અનેક જોવાલાયક સ્થળોના સુંદર પેનોરમિક દ્રશ્યો બતાવતી વેબસાઈટ વિશે થોડુંક, તો આવા જ શહેરોના અનેક રેકોર્ડ કરેલ અવાજોની ઓનલાઈન લાઈબ્રેરી, બ્રાઊઝિંગ હિસ્ટ્રી શોધવાની સગવડ આપતી વેબસુવિધા વગેરે વેબસાઈટ્સ. આપને આ સાઈટ્સ વિશેની માહિતિ કેટલી ઉપયોગી રહે છે તે અવશ્ય જણાવશો.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૪ 5

નવો મોબાઈલ ખરીદવો હોય તો કઈ કંપનીનો મોબાઈલ, કયું મોડેલ અને જોઈતી સગવડો કયા નામે મળી રહેશે તે શોધવું અઘરું થઈ પડે છે. ગૂગલની આ માટેની સહાયરૂપ એવી એક સગવડ વિશે જાણો. યૂટ્યુબના વિડીયો ડાઊનલોડ કરી જોઈતા ફોર્મેટમાં કોમ્પ્યુટરમાં સંગ્રહવા માટેની સુવિધા ઓનલાઈન આપતી વેબસાઈટ વિશે, ઓનલાઈન ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુંદર સગવડ વિશે, અંગ્રેજી ટાઈપ દરમ્યાન શબ્દો અને વાક્યોના અનેક વિકલ્પો સૂચવતી સુવિધા વિશે, અનેક નાનીમોટી એપ્લિકેશન્સ જ્યાંથી ડાઊનલોડ કરી શકાય છે એવી સુવિધાઓ વિશેની વેબસાઈટ્સ વિશે આજની આ કડીમાં અહીં જણાવ્યું છે.


“અખંડ આનંદ” સામયિકમાં અક્ષરનાદની વધુ એક કૃતિ

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદ પર થોડા મહીનાઓ પહેલા પાલીતાણાના શ્રી ભીખાભાઈ સાંટીયાની મંદબુદ્ધિજનોને સાચવવાની અને સારવાર કરવાની સત્પ્રવૃત્તિ વિશે પ્રસ્તુત કરેલી કૃતિ, પ્રસિધ્ધ સામયિક અખંડ આનંદના નવેમ્બર ૨૦૧૦ના અંકમાં સમાવવામાં આવી છે. શ્રી ભીખાભાઈની સહ્રદયતા, ૧૬૦થી વધુ મંદબુદ્ધિજનોને સાચવવાની મહેનત, સદભાવના અને માનવસેવાના આ સુંદર કાર્ય વિશે વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તે હેતુથી લખેલો…….[ ]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૩ 2

ઈન્ટરનેટના વધતા વ્યાપ સાથે હવે નાની ઉંમરના અને અવયસ્ક અણસમજુ એવા બાળકોને પણ ઈન્ટરનેટનું વળગણ થવા માંડ્યું છે. પરંતુ માતા પિતા દરેક સમયે બાળક શું સર્ફ કરે છે એ જોવા તેની સાથે જ હોય એ જરૂરી નથી કે શક્ય પણ નથી. ગૂગલ તરફથી આ માટે અપાતી સગવડ વિશે આજે જણાવ્યું છે. ઉપરાંત અવનવી વેબસાઈટ વિશે માહિતિ આપતી આ શૃંખલા અંતર્ગત આજે કેટલીક નવી વેબસાઈટ, જેમાં વિકિપીડિયાના પાનાઓમાંથી ઈ-પુસ્તક બનાવવાની સગવડ, ગૂગલ બુક્સ વાંચવા માટે ડેસ્કટોપ એપ્લીકેશન, વર્ડ/ઓપન ઓફીસ માટેની ટેમ્પ્લેટ્સ મેળવવાની તથા એમપી૩ ગીતો ડાઊનલોડ કરવા જેવા વિવિધ વિષયોને લગતી વેબસાઈટ વિશે જણાવ્યું છે.


નવી આશાઓ સાથેનું મંગળ પ્રભાત….. – સંપાદકીય 2

સર્વે વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી નવા વર્ષના સાલમુબારક. દિવાળીનું પર્વ આવ્યું અને સમયના વહેણમાં એ પણ ભૂતકાળમાં, વીતેલા સમયની યાદગીરી રૂપે સચવાઈ ગયું. અનેક ખુશીઓ સાથે આપણે સૌએ વિક્રમ સંવત ૨૦૬૭નું, નવા વર્ષનું સ્વાગત કર્યું. તહેવારો અને ઉજાણીનો એ માહોલ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે. આજે લાભપાંચમથી બજારો ફરીથી ધમધમતા થઈ જશે, અને એમ એમ નવા વર્ષના શ્રીગણેશ થશે. ગત વર્ષની વાતો કરવાનું આમ તો કોઈ પ્રયોજન નથી, પરંતુ બધાંય આયોજનો, બધા લક્ષ્યાંકો આપણી નજર સમક્ષ કરવા ભૂતકાળને પણ સંસ્મરણમાં રાખવો જોઈએ. એ જ પ્રયત્ન અંતર્ગત આજે થોડીક વાતો…


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ 8

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આ ત્રણ ભાગમાં સફરની વાત. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. આ પહેલા મૂકેલ પ્રથમ અને બીજા ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે ત્રીજો અને અંતિમ ભાગ. લાભપાંચમ સુધી અક્ષરનાદ પર નવી કૃતિઓ નહીં આવે. નવા વર્ષે ફરી મળીશું. સાલ મુબારક…


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 2

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. ગઈકાલે મૂકેલ પ્રથમ ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે બીજો ભાગ.


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૧) – જીજ્ઞેશ અધ્યારૂ 6

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે.


દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે. પ્રગતિની સૌથી ઉત્તમ તકોને સૌથી કપરો સમય કે સૌથી ભયાનક પડકારો તરીકે જોવામાં આવે છે. આપણામાંના દરેકે, આપણા જીવનમાં જે તકલીફો કે યાતનાઓ વેઠી છે, એ ન આવી હોત તો આજે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા હોત ખરાં? નવી પેઢી વિશે આપણું તારણ શું છે? શું આપણે એવું ઈચ્છીશું કે નવી પેઢીને આપણે ભોગવેલી તકલીફો અને કપરો સમય અનુભવવા દેવો જોઈએ? કે પછી આપણા સંગ્રહિત સારા-નરસા અનુભવોમાંથી તેઓ કાંઈક પદાર્થ પાઠ શીખે તેમ થવું જોઈએ? જો તમે કદાચ એકાદ મિનિટ પૂરતું પણ થોભો, અને તમારા જીવનના સારા-ખરાબ અનુભવો, જે પાઠ જીવને તમને અત્યાર સુધી ભણાવ્યા તે વિશે વિચારો તો એવી કઈ વાત છે જે તમે એમની ઊંમરે જાણતા નહોતા પણ જાણી હોત તો ઘણી ઉપયોગ થઈ પડી હોત એવું તમને લાગે છે? હું તેમને આ વાતો અવશ્ય કહેવા માગું.


આ-બૈલ ના કસ્ટમર કેરમાં – જીજ્ઞેશ અધ્યારૂ 2

મોબાઈલ અજબની વસ્તુ છે. ફક્ત બે માણસોને નહીં, બે વિચારધારાને, બે પેઢીઓને જોડતી એ અનેરી કડી થઈ રહી છે. સંદેશાવ્યવહાર ઉત્ક્રાંતિની શરૂઆતમાં પેજર આવ્યા, જે વચેટીયા જેવા હતાં, પણ ટૂંક સમયમાં એ પ્રજાતિ નામશેષ થઈ ગઈ. પછી મોબાઈલ આવ્યા, અને છવાઈ ગયા, તેમની નવી નવી જાતો ઉત્તરોત્તર વિકસતી રહી, આજે કોમ્પ્યુટરનું કામ સુધ્ધાં કરી આપતા મોબાઈલ ઉપલબ્ધ છે. સંદેશ પહોંચાડવાના મૂળભૂત કાર્યની સાથે અનેક અન્ય સુવિધાઓ પણ એમાં મળી રહે છે. મોબાઈલ સુવિધાઓનો હજુ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને પૂરતો પરિચય નથી. આવા જ કોઈ ગામઠી મિત્ર કસ્ટમર કેરમાં ફોન કરે તો શું કરી શકે તેવી સંભાવનાઓ સભર વાર્તાલાપ કેવો હોય? હજુ આવા સરળ લોકો આપણી નજીક વસે છે એ પણ એક હકીકત છે.


કસર તો રહી છે – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 5

જીવનમાં આવી, પોતાની આગવી અસર અને પ્રભાવ મૂકીને જતા રહેનારા, જીવનભર જુદાઈનો અભિશાપ આપી જનારા પ્રિયપાત્રને તેના પ્રિયતમનો સંદેશ કેવો હોઈ શકે? તે દ્રષ્ટિપટમાં નથી, તે સ્મરણોના રણમાં ઝાંઝવાસમ ભાસે છે, પણ છતાંય નિષ્ફળ પ્રેમની અભિલાષા તો જુઓ, એ હજુય એમ વિચારીને જીવે છે કે એમને પણ અમારી કસર ક્યાંક તો વર્તાતી જ હશે ને? તેમની નજરમાં પણ આપણા માટે થોડીક ફિકર ક્યારેક તો આવી હશે ને. મૃગજળોમાં જીવતા અભિપ્સાના હરણાંને તરફડતું મૃત્યુ જ મળે એમાં શી નવાઈ? એટલે અંત અવશ્યંભાવી હોવા છતાં વિચારોના મહેલોમાં વિહરનારાના મનોભાવોનું થોડુંક પ્રદર્શન પ્રસ્તુત ગઝલના માધ્યમથી કરવાનો પ્રયત્ન કર્યો છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૨ 3

શૃંખલાની અન્ય કડીઓની જેમ જ આજે પ્રસ્તુત છે કેટલીક ઓછી જાણીતી પરંતુ સુંદર અને / અથવા ઉપયોગી વેબસાઈટસ. અહીં કળાને વહેંચવા, માણવા અને પ્રોત્સાહન આપવાની કોશીશ કરતી વેબસાઈટ છે તો ચિત્રો અને ગણિતિય સંજ્ઞાઓ / આલેખોથી સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરતી વેબસાઈટ પણ છે, બાયોડેટા બનાવવાની અને વહેંચવાની ઓનલાઈન અને મફત સગવડ આપતી વેબસાઈટ છે તો પ્રેરણાત્મક પોસ્ટરો અને અન્ય સાધનો પર તેની પ્રિન્ટ આપતી વેબસાઈટ પણ છે. આપને આ શૃંખલા કેવી લાગે છે, અહીં આપને કયા પ્રકારની વેબસાઈટ વિશે જાણવું ગમશે?


સર્વે નંબર ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ટૂંકી વાર્તા) 11

આ એક ટૂંકી વાર્તા છે જેનું મૂળ એક સત્યઘટનારૂપી નાનકડા બીજમાં પડ્યું છે, ને વાર્તાની અન્ય કલ્પનાઓ મારી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે સર્જાતી ઘટનાઓ અને રૂઢીઓથી ચાલતી આવેલી માન્યતાઓને આજના ઉપલક્ષ્યમાં, શહેરીકરણ અને ઔદ્યોગીકરણના ઓછાયા હેઠળ શબ્દાંકીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય આ વાત માટે બીજુ કાંઈ કહેવાપણું રહેતું નથી.


લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ 1

ક્યારેક કોઈકની સાથે થયેલા અકસ્માતો પણ અન્યો માટે આશિર્વાદની પૂર્વભૂમિકા સર્જી જતા હોય તો એવા અકસ્માતોને શું કહેવું? અકસ્માત માટે આપણે ત્યાં “દૈવયોગે થયેલી ઘટના” એવો શબ્દ પણ વપરાય છે, આવા અકસ્માતો પાછળ પણ દૈવ કાંઈક હકારાત્મક અને સમાજોપયોગી કરવાનો વિચાર મૂકતા હશે ! ક્યારેક અકસ્માત ભોગ બનવું પડ્યું હોય તેવી ઘટનાનાં પ્રત્યાઘાતો ધાર્યા પણ ન હોય એવા અનોખા હોઈ શકે છે. આવી જ એક અનોખી જીવન બચાવ ઝુંબેશ અનેક રાજ્યોના હાઈવે પર ચલાવી રહેલા ડૉ. સુબ્રતો દાસ અને તેમના પત્નિ શ્રીમતી સુસ્મિતા દાસના અનોખા કાર્યની વાત આજે પ્રસ્તુત છે.


STOP PRESS – ગર્વ લેવા જેવા નોખા ભારતીયની અનોખી વાત 13

એક ખૂબ જ અગત્યની અને આપની એક નાનકડી મદદ માંગતી વાત, એક ભારતીયને, એના અનોખા કામને એક નામ અને મદદ અપાવવાની વાત. એક ભારતીયના સદભાવનાના, સમાજોપયોગી કામને આખાય વિશ્વમાં ઓળખાણ અપાવવાનો, એના કામમાં મદદ કરવાનો અનેરો ઉત્સવ અને અવસર. આજનો આ લેખ અવશ્ય વાંચશો.


ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ 6

લગાગા નાં બે આવર્તન વાળી ટૂંકી બહેરની ગઝલ રચનામાં આ પ્રથમ પગરવ છે, એક પ્રેમી પ્રેમની સજા રૂપે, એને મળેલી નિષ્ફળતા વિશે શું વિચારી શકે એ આલેખવાનો એક નાનકડો પ્રયત્ન છે. એકમેકના થવાની જે તીવ્રતા હોય છે તેને બદલે અચાનક પ્રેમમાં મળેલી નિષ્ફળતા જે અજબ ઉદાસીનો, હ્રદય તૂટ્યાંનો અને એકલતાનાં લખલખાં જેવો અનુભવ કરાવી જાય છે એનું અછડતું આલેખન મૂકવાનો યત્ન છે.


એક વરસાદી અછાંદસ – જીજ્ઞેશ અધ્યારૂ 6

વરસાદની આ મૌસમમાં જો કોઈનો વિયોગ સૌથી વધુ સાલે તો એ છે પ્રિયપાત્ર. એ સ્નેહીજન આવી ભીની રંગતમાં પણ દૂર છે, એમના આવવાનો વર્તારો છે, પણ એ ક્યારે આવશે એ તો કેમ કહેવાય? કુદરત પણ જાણે એમના આવવાના સમાચારથી ખુશ થઈ ઉઠી છે, ઝૂમી ઉઠી છે, આવા વિહવળતાભર્યા સંજોગોમાં એક અછાંદસ સ્ફૂર્યું ને અહીં મૂક્યું એ બધુંય પેલી નાનીશી વાદળીએ વરસાવેલી વાછટ જેટલું જ સાહજીક, આહ્લાદક છે.


કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. આજે ગઝલના છંદો પારખવા વિશે જાણીએ. ગઝલના છંદો પારખતાં શીખવા ગઝલના લગા’ત્મક સ્વરૂપનો પરિચય જરૂરી છે, આ શૃંખલામાં આપણે ગઝલરચના માટે વિવિધ લગા’ત્મક સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે કેટલીક ગઝલોના છંદ પારખવાનો મહાવરો અને પ્રયત્ન કરીશું


અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા … 9

અક્ષરનાદ દ્વારા ઓગસ્ટ ૨૦૧૦ માં મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ થી ૭ ના વિદ્યાર્થી મિત્રો માટે એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન થયેલું, અક્ષરનાદનું આ પહેલું નાનકડું સાહસ હતું. આ આખાય અનુભવ વિશે, તેના પ્રસંગોચિત સ્મરણો અને એ આખીય પ્રક્રિયાએ આપેલા વિચારબીજ વિશેની વાત આજે અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧ 11

Know More ઇન્ટરનેટ એ શૃંખલા એક અનોખી કડીઓની હારમાળા બની રહી છે, અહીં મૂકવામાં આવતી વેબસાઈટ્સમાં વૈવિધ્ય જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાંય ગમી જાય તેવી વેબસાઈટ વિશે લખવાની લાલચ રોકી શક્તો નથી. આજે આવી સાત વેબસાઈટ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન વાંચનથી સંગીત અને પ્રેરણાદાયક પ્રવચનો સુધીના વિષયોના વિશાળ વિસ્તારને તે આવરી લે છે. ખૂબ સરસ પ્રતિસાદ મળતો રહ્યો છે એવી આ શૃંખલા અને એમાં આપને કયા વિષય વિશેની વેબસાઈટ વિશે જાણવામાં મજા પડશે એવું જણાવશો. આજે ઈન્ટરનેટના સાગરના કેટલાક મોતીઓનો સંગ્રહ અહીં મૂક્યો છે.


The Beginner’s Guide to Aksharnaad

અક્ષરનાદને તેના શરૂઆતના સમયથી, મે 2007થી સતત સાથ આપનારા ઘણાં વાંચક મિત્રો છે, પરંતુ એ સિવાય આપનામાંથી ઘણાં મિત્રો નવા વાંચકો છે. નવા મિત્રોને આ સુંદર પ્રવૃત્તિને સમજવા અને અનેક સુંદર અનન્ય કૃતિઓ વાંચવાના કાર્યમાં મદદરૂપ થવાનો ઉદ્દેશ લઈને મેં આ મિત્રો માટે મદદરૂપ એક માર્ગદર્શિકા બનાવી છે, આ પધ્ધતિસરની શરૂઆત કરાવવાનો પ્રયત્ન છે જેથી અક્ષરનાદની વૈવિધ્ય ધરાવતી સુંદર કૃતિઓ વિશે તેમને પૂરતી માહિતી મળી રહે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ફિલ્મી ગઝલો અને છંદો) 4

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વિશે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. વિવિધ ફિલ્મી ગઝલો અને તેમના છંદો વિશે જાણીએ.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૬ – જીજ્ઞેશ અધ્યારૂ (રદીફ, કાફિયા, મત્લા, મક્તા..) 6

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે એના બીજાં અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે વાત કરીએ. ગઝલના પૂર્ણ સ્વરૂપને સમજવા આ અંગોની અને તેમના વિશેના વિવિધ નિયમોની સમજ મેળવવી જરૂરી બની રહે છે. જો કે એ પહેલા આ વિશિષ્ટ અંગો ગઝલમાં ક્યાં ક્યાં આવે છે એ જોવા એક ઉદાહરણરૂપ ગઝલ અને તેની સાથે વિવિધ અંગોનું સ્થાન જાણીએ. એ પછી ગઝલના એ અંગોની વિસ્તૃત ચર્ચા લઈએ.


એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 11

હમણાં થોડાક વખત ઉપર એક વડીલના સંપર્કમાં આવેલો, વાત પરથી તેઓ દુઃખી જણાતા હતાં, કહે, “ભગવાને કાયમ અન્યાય જ કર્યે રાખ્યો, તેનામાં આસ્થા રાખનાર પર કાયમ તે કસોટીઓ અને પરીક્ષાઓના ડુંગર ખડક્યા જ કરે છે. તેના પરની શ્રદ્ધા કદી ડગી નથી, પરંતુ એનો પ્રત્યુત્તર તેણે કદી સાનુકૂળ આપ્યો નથી.” જો કે તેમના દુઃખો વ્યાજબી હતા, એમના પુત્રો તેમને મૂકવા કોઈ “વ્યવસ્થિત” વૃદ્ધાશ્રમ શોધતા હતાં. જો કે તેમની પાસે એટલી મિલ્કત છે કે તે પોતે એક આખોય વૃદ્ધાશ્રમ ખોલી અને પાલવી શકે, પણ એ મિલ્કત માટેના કારસાઓ પણ ચાલ્યા જ કરે છે. એમની વેદનાઓ અને શ્રધ્ધા વચ્ચે અથડાતી લાગણીઓને સ્વરૂપ આપવાનો આ ગઝલ એક નાનકડો પ્રયત્ન છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..) 6

આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી અને ગઝલના છંદશાસ્ત્ર અંતર્ગત આઠ સંપૂર્ણ છંદો વિશે જાણકારી પછી આજે મિશ્ર વિકારી છંદો અને તેમના ઉદાહરણો જોઈએ. શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માં ગઝલનું મુખ્ય સંધી (પદભાર) ને આધારે ગણવિભાજન દર્શાવે છે, તે મુજબ આપણે આજે મિશ્ર તથા વિકારી છંદો વિશે ઉદાહરણો સહિત જોઈશું.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૪ – જીજ્ઞેશ અધ્યારૂ (આઠ સંપૂર્ણ બહેરોની છંદસમજ..) 9

“ચાલો ગઝલ શીખીએ…” શૃંખલા અંતર્ગત આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ અને છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી. હવે ગઝલના છંદો વિશે જાણીએ. આ વિષય લાંબો અને વિશદ છણાવટવાળો હોઈ વિભાગોમાં વહેંચેલો છે, અને તેથી ક્રમશઃ તેના ખંડો પ્રસ્તુત થશે. આજે રૂકન, અરકાન, અને તેનાથી બનતી આઠ સંપૂર્ણ (સાલિમ) બહેરોની માહિતિ એ. આ પહેલાના આ શ્રેણીના લેખો અહીં ( ચાલો ગઝલ શીખીએ) ક્લિક કરીને વાંચી શકાય છે.