સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : સ્તંભ


રાખનાં રમકડાં.. – કમલેશ જોષી 2

મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું, “કેવડો હતો એ હાથી?” ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત.


ચાંપાનેર – સ્વાતિ મુકેશ શાહ 14

ગુજરાતમાં આવેલું ચાંપાનેર ગામનું નામ તો ઘણાં બધાંએ સાંભળ્યું હશે અને જોયેલું પણ હશે. મારા આ પ્રવાસની વાત કંઇક અનેરી છે. ચાંપાનેરનો ઈતિહાસ વગેરે તો બધે મળી રહેશે એટલેજ મને થયું કે આજે તમને મારી રીતે સફર કરાવું.


‘કદાચ’ એટલે વળી શું? – રાજુલ ભાનુશાલી 23

લખતી વખતે શબ્દોનો કેફ ચઢે પછી વિષય પરથી અજાણતાં જ લપસી પડાય ત્યારે હસવું આવી જાય. સાબુવાળાં પોતાં કરતી વખતે લીસ્સી થઈ ગયેલી ફર્શ પરથી ફૂવડ ગૃહિણીની જેમ લપસી પડાયું હતું ત્યારે પણ આવું જ હસવું આવ્યું હતું!


ચોરટી – નયના મહેતા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 1

આજની વાર્તા “ચોરટી” સ્વ. ભાવેશ ચૌહાણ સ્પર્ધા 2020માં તૃતીય ક્રમે વિજેતા બની હતી. ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા શરૂ થાય છે, “ચોરટી, ચોરટી” શબ્દથી અને વાચકને ઉત્સુક કરી દે છે. એક સ્ત્રી ઉપર બાળક ચોરવાનો આરોપ છે,


બાળકોને રમતાં કરવાં એ આપણા માટે તો રમતવાત હોવી જોઈએ! – ભારતીબેન ગોહિલ 8

રમતો એ કેળવણીનું અભિન્ન અંગ છે. બાળવિકાસને ગતિ આપતી કેડી છે. ઉમંગ ઉલ્લાસનો જાણે રંગભર્યો ફુવારો છે. બાળકમાં સુષુપ્ત રીતે પડેલ ચેતનાને જગાડતી શક્તિ છે. જાણો, એ રમતોના ફાયદા પણ કેવા કેવા છે!


collage of portraits of cheerful woman

મન્નુ તેરા હુઆ અબ મેરા ક્યા હોગા – સુષમા શેઠ 27

બધાં મહેમાનો જમે પછી પ્લેટો ઉપાડનારાઓને કડક સૂચના અપાયેલી કે, ‘એંઠી પ્લેટો ફટાફટ ઉપાડી લેવી.’ તેમાં એ લોકો જમનાર પાછળ એવા ટાંપીને ઊભા રહી ગયેલા કે હજુ જમનારની ડોક આમ ફરે તેવામાં તો પ્લેટ ઉપડી જાય.


તુમ ઇતના જો દૂર જા રહે હો.. – આરઝૂ ભૂરાણી 6

ધારી લો કે તમારી પાસે 3 બોક્સ છે. પહેલું બોક્સ અણમોલ છે, હીરામોતીથી જડિત છે. બીજું બૉક્સ કાચનું પારદર્શક બોક્સ છે અને ત્રીજું બૉક્સ એ ખાલી પુઠ્ઠાનું ખોખું છે. હવે તમને 3 વસ્તુઓ આપવામાં આવે છે જેને તમારે આ બોકસીઝમાં ગોઠવવાની છે. ડન? કઈ ત્રણ વસ્તુઓ?


તું મેરા નસીબા ઢોલના.. – મીરા જોશી 2

આજની સવાર રોજ કરતાં કંઈક અલગ ઊગી હતી. ગઈ રાતે તે કહેલું, ‘સવારે તું જાગે ત્યારે મને જગાડજે..’ અને પોણા પાંચે તને જગાડીને ‘ગુડ મોર્નિંગ’ કહું ને તું કહે, ‘બસ પાંચ મિનીટ લાલી..’ ને તારું પાંચ મિનીટના બદલે ફરીવાર ઘસઘસાટ સૂઈ જવું!


તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના.. (સહજ ‘આનંદ…’) – હર્ષદ દવે 2

‘પ્રિય પિયાની રાહ જોવાની સ્થિતિ કેવી અકળાવે તેવી હોય છે! કાંઈ ગમે જ નહીં. અરે! ‘જીવવું’ ક્યાં ચુકાઈ ગયું તે પણ યાદ ન રહે. બહાવરા બની જવાય, મૂંઝાઈ જવાય. અને સમય સરતો અટકી જાય તો સારું એવી પ્રબળ ઈચ્છા પણ થાય! પણ એવું ક્યાં થઇ શકે છે!


Mank : એક વાંદરા અને મદારીઓની કથા – નરેન્દ્રસિંહ રાણા 12

એક હતો વાંદરો. એને એક મદારીએ પાળેલો. મદારી રોજ એને સરસ કપડાં અને ઘરેણાં પહેરાવે. રાજાની જેમ તૈયાર કરે. સરસ તૈયાર થયેલા વાંદરા પાસે મદારી રોજ ખેલ કરાવે. વાંદરો જેમ નાચે એમ વધુને વધુ તાળીઓ મળે. વાંદરો મોજમાં આવે અને કાયમ વિચારે કે એ ન હોય તો બિચારા મદારીનું શું થાય?


માણસાઈની મહેક – નિલેશ પટેલની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ 1

જાતથી બહાર નીકળાયું છે,
કેટલું વિસ્તરી જવાયું છે.

મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું,
મુક્ત અંધારથી થવાયું છે.


નીતિશતકના મૂલ્યો (૪) – ડૉ. રંજન જોશી 3

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૧૧ થી ૧૩ ના અર્થ સહ વિસ્તાર.


નૃત્યનિનાદ ૨ : નૃત્ય – ઉત્પતિ અને વ્યાખ્યા 6

આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ ‘નાદ’થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે ‘ૐ’ છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.


ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 13

“Everything is an art if you do it with heart”. એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! તમને તમારી ‘ઇકિગાઈ’ મળી ગઈ છે? શોધો અને લાંબુ, નીરોગી જીવન જીવો.


જાને વો કૌન સા દેશ જહાં તુમ.. – કમલેશ જોષી 6

રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.

toddler in pink and white polka dot shirt

શું અમૃતાએ સાહિરને ક્યારેય આવો પત્ર લખ્યો હશે? – નેહા રાવલ 1

‘फिर हाथ की कलम से, कागजों पर सरसराहट होने लगी, और जाने कितनी नज़्मे – पानी में बहेते हुए पेड़ो के पत्तो की तरह कागज़ों पर झड़ने लगी…’ આવું વાંચતા એમ થાય કે આ તો જાણે આપણી જ વાત કહી રહ્યા છે. જગતના દરેક સમયના દરેક પ્રેમીઓનાં DNA એકસરખા હોતા હશે?


શબ્દ રૂપી બ્રહ્મની સમજણ – શ્રદ્ધા ભટ્ટ 6

વાક્ એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. નિરુક્ત શાસ્ત્રમાં વાક્ નો એક પર્યાય સરસ્વત પણ છે. સરસ્વતી વાગ્દેવી પણ કહે છે. सरौ विविधम ज्ञानम विद्यते यस्याम चितौ सा सरस्वती। જેના ચિત્તમાં દરેક પ્રકારનું જ્ઞાન વિદ્યમાન છે તે સરસ્વતી. કેવું જ્ઞાન? सरस्: ज्ञानम અર્થાત પ્રશંસિત જ્ઞાન. જેની પ્રશંસા સમાજમાં કરી શકાય એવું જ્ઞાન.


ઐહોલ, પત્તદક્લ, બાદામી : પુરાતન મંદિરોના વિશ્વમાં.. – સ્વાતિ મુકેશ શાહ 5

અમે બિજાપુરથી હમ્પી જવાના હતા ત્યાં જાણ્યું કે બિજાપુરથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ઐહોલ હતું જ્યાં હિન્દુ સ્થાપત્યના બેનમુન મંદિર આવેલ હતાંં. હું તમને આજે ઐહોલની મુલાકાત કરાવીશ જે સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે.


લી. તારા વગર સૂકોભટ થઈ ગયેલો સંબંધ – રાજુલ ભાનુશાલી 22

ઘૂઘરીમાંથી ખણક છુટ્ટી પડી શકતી નથી, મધ અને મીઠાશને વિખૂટાં પાડી શકાતાં નથી. કોઈ વસ્તુમાંથી એની છાયાને દૂર કરી શકાય ખરી? તું મારી છાયા છે. મારી મીઠાશ છે. મારી ખણક છે. આપણે જુદા ન પડી શકીએ. આપણને જુદા ન પાડી શકાય.


વાર્તા વિશેના FAQ – એકતા નીરવ દોશી 13

આજે વ વાર્તાનો વ કોઈ વાર્તા કે તેનું વિવેચન લઈને નથી આવ્યું પણ આવ્યું છે વાર્તાની થોડી સમજણ લઈને! થોડી સમજણ તમારી અને થોડી સમજણ મારી ભેળવીને વિસ્તારીએ આપણી વાર્તા સમજવાની કળાને. તો આજનો લેખ છે વાર્તાને લગતા FAQ (Frequently Asked Questions) : વારંવાર ઉઠતા / પૂછાતા સવાલો…


શિક્ષક… બાળમાનસમાં કોતરાઈ જતું એક નામ – ભારતીબેન ગોહિલ 7

શું તમે તમારાં લાડકાં સંતાનો માટે ઉત્તમ વિદ્યાલયની શોધમાં છો? તો માત્ર આલીશાન બિલ્ડિંગ, આધુનિક સુવિધાઓ કે સ્માર્ટ રૂમ્સ જ ન જોશો. બાળકોના વિકાસમાં અત્યંત આવશ્યક એવા આ પાસા પર પણ અચૂક વિચારજો!

mother helping her daughter use a laptop

કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી 7

વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.


‘અનામિકા’ તું ભી તરસે! – હર્ષદ દવે

ઉર્દૂ કવિ મજરૂહ સુલતાનપુરીના ફિલ્મ-કથાને અનુરૂપ, પરિસ્થિતિને વ્યક્ત કરતા દરેક શબ્દને કિશોરદાનો કંઠ અને રાહુલ દેવનું સંગીત ન્યાય આપે છે. ‘અશ્રુની ભીનાશ ધરાવતી પાંપણો પર મારા પ્રિયપાત્ર સાથેનાં સપનાં વેરવિખેર થઇ ગયાં છે. અને તેથી મારું મન જેવી વ્યથા અનુભવે છે તેવી જ વ્યથા ‘અનામિકા’ તું પણ અનુભવે અને સંજીવકુમારની એ વ્યથા ઘૂંટાતી જાય છે.


Nomadland: એકલતાનું ગીત – નરેન્દ્રસિંહ રાણા 6

બૅન્ક એકાઉન્ટને બદલે સ્મૃતિઓના એકાઉન્ટને સમૃદ્ધ કરવામાં માનતા લોકો માટે આ ફિલ્મ છે. સંવેદનાઓને ફિલ્મી પડદે જીવંત જોવામાં માનતા લોકોને આ ફિલ્મ ચોક્ક્સ ગમશે.


લઘુકથા સ્વરૂપપરિચય : મોહનલાલ પટેલ; પુસ્તકસમીપે – અંકુર બેંકર 7

એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.
“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”
ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.


નીતિશતકના મૂલ્યો (૩) – ડૉ. રંજન જોશી 6

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૮ થી ૧૦ ના અર્થ સહ વિસ્તાર.


અધ્યાત્મનો અણસાર – પ્રદીપ રાવલ ‘સુમિરન’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ

કવિશ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.

જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.


નૃત્યનિનાદ ૧ : નૃત્ય – એક લલિતકળા 19

નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


સ્મશાન યાત્રા – કમલેશ જોષી 6

પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.