સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ચિંતન નિબંધ


મામેકં શરણં વ્રજ… – વિનોદભાઈ માછી 5

મનને વિકારોમાંથી છોડાવવાની બે રીતો છે – એક જ્ઞાન અને વૈરાગ્ય દ્રારા તેનું શમન કરીને, અને બીજી આ૫ણે જેવા છીએ તેવા પોતે પોતાને ૫રમાત્માને સમર્પિત કરી દઇએ.૫રમાત્મા સ્વયમ્ આ૫ણા દોષો દૂર કરી દેશે. આ૫ણે તેના માટે ચિંતા કરવાની જરૂરત નથી. ૫હેલી રીત ખુબ જ સુંદર છે તેને કરવી જ જોઇએ ૫ણ તે ખૂબ જ કઠિન છે. બીજી રીત સામાન્ય લાગે છે ૫ણ તે અમોઘ છે. દા.ત. એ આ૫ણી પાસે એક મકાન છે આ૫ણે તે મકાન કોઇને વેચી દીધું તો તે મકાન તે રાખનારનું થઇ ગયું. હવે તે મકાનમાં કચરો ભરાય, કોઇ તૂટફાટ થાય તો તેનું મરામત કામ કોણ કરાવશે? તેની જવાબદારી મકાન જેને રાખ્યું છે તેની છે, તેવી જ રીતે આ૫ણે જયારે ૫રમાત્માને સમર્પિત થઇ જઇએ, આ૫ણી પાસે જે તન મન ધન પ્રભુ ૫રમાત્માનું જ છે તે પ્રભુ ૫રમાત્માને જ સમર્પણ કરી દઇએ છીએ ત્યારે આ૫ણા ગુણ દોષ, ભૂલો, ખામીઓ, તન મન ધન ઇન્દ્રિયો, બુધ્ધિ આ બધું પ્રભુ ૫રમાત્માનું થઇ જાય છે. હવે તેને સ્વુચ્છ અને નિર્મળ રાખવું એ પ્રભુ ૫રમાત્માની જવાબદારી છે.


રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે 7

ગાંધીની કાવડ લઘુનવલ સાદ્યાંત રાજકારણનું કથાવસ્તુ ધરાવે છે તે કારણે તેને રાજકીય કથાવસ્તુ વાળી નવલકથા કહી શકાય, પણ આખરે તો નવલકથા ગમે તે વિષયને અનુલક્ષીને હોય, એનું હાર્દ સ્પર્શવું જોઈએ, લાલચુ, અપરાધી અને બદમાશ રાજકારણીઓ પાસે સત્તા મેળવવાની, મેળવીને ટકાવી રાખવાની ને બને તો વધારતા જવાની અનેક તરકીબો છે એમાંની એક આ નવલમાં આલેખાઈ છે તે છે શુદ્ધ માનવીને નિષ્કલંક પ્રતિભા અને પ્રતિમાને હાથો બનાવવાની. કરુણાશંકર માસ્તર ગાંધીજીના નિકટના સાથી અને સ્વાતંત્ર્યસેનાની છે તેમને હાથો બનાવવામાં બે લાભ, એક તો તેઓ સરકારની ટિકા કરતાં અટકે અને બીજો પક્ષના -સરકારના પક્ષમાં તેમનો ઉપયોગ કરી શકાય. રાજકારણીઓ માનવીને પણ મૅનેજેબલ કૉમોડીટી માને છે તે આ કૃતિમા ફલિત થાય છે. ગાંધીની કાવડ આપણી પ્રવર્તમાન વ્યવસ્થાનો આયનો પણ કહી શકાય, એ જ નવલકથાનો મને ગમતો એક નાનકડો ભાગ આજે પ્રસ્તુત છે.


હરખ શોકની હેડકી નહીં…. – સુરેશ દલાલ 3

ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ. આ જ વિષય પરત્વે – ભજન વિશે શ્રી સુરેશ દલાલે કરેલ ચિંતન આજે પ્રસ્તુત છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.


માનવતાના વેરી – સ્વામી આનંદ 4

વિશ્વ જે ઝડપે અણુયુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે, અણુશસ્ત્રો અને તેમના માટેના મિસાઈલ વગેરેની જે દોડ આજે ચાલી રહી છે તેમાં વિકાસ માટે વપરાવાના કરોડો અબજો રૂપિયા હોમાઈ રહ્યા છે. લોકો એક તરફ ગરીબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાને નામે રાષ્ટ્રો અણુસત્તા બનવા તરફ આંધળી દોડ લગાવી રહ્યા છે. આ જ વિષય પરત્વે એક સ્વામી આનંદે વર્ષો પહેલા લખેલ લેખ આજે પ્રસ્તુત છે જે ‘માનવતાના વેરી’ માંથી લેવામાં આવ્યો છે.


એક નાસ્તિકતાભર્યો આસ્તિક લેખ….. 19

હાર્દિકભાઈ યાજ્ઞિક આમ તો અક્ષરનાદ પર વાર્તાઓ અને પદ્યરચના રૂપે ઘણી વાર ઉપસ્થિત થયા છે, તેમનો અવાજ પણ ઑડીયોકાસ્ટ વિભાગમાં આપણે માણ્યો જ છે, પરંતુ આજે વિચારમંથન અથવા તો કહો કે આત્મમંથન રૂપે એક નાનકડો પરંતુ ચોટદાર મુદ્દો તેઓ ઉપસ્થિત કરી રહ્યા છે. નાસ્તિકતા અને આસ્તિકતા વચ્ચે, ઈશ્વરને પામવાની, ભજવાની અને તેના અસ્તિત્વને સમજવાની મથામણો વચ્ચે જે સવાલ લગભગ દરેકને કોઈકને કોઈક ક્ષણે થતો હશે એવો સવાલ અને તેનો જવાબ શોધવાની મથામણ તેઓ પ્રસ્તુત લેખમાં કરે છે. તેમની મથામણને અંતે જવાબ તો સૌએ પોતે જ શોધવાનો છે, પરંતુ આ એક આંગળીચીંધણ છે, આત્મમંથન માટેની શરૂઆત છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. આપના નિખાલસ પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.


સરળ, છતાં રસપ્રદ જીવન… – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

જીવનને સરળ બનાવવું એટલું સરળ નથી. લિયોની વેબસાઈટની મદદથી છેલ્લા કેટલાક સમયથી ઝેન વિચારસરણી સાથે પરિચિત થયો. કેટલું આશ્ચર્યજનક છે કે ઝેન શબ્દ આપના સંસ્કૃતના શબ્દ ‘ધ્યાન’ પરથી જ ઉતરી આવેલો છે – ઝેન ફીલસૂફી એ કોઈ પણ ક્રિયાને ધ્યાનપૂર્વક કરવાની પદ્ધતિ છે, સરળતાપૂર્વક અને સહજતાથી તેનો પૂરો આનંદ લઈને કરવાની પદ્ધતિ છે. આજે જીવનમાં મોટા ફેરફારો નહીં પણ નાનકડા બદલાવોની જરૂર છે અને એવી જ કેટલીક સામાન્ય પણ ઉપયોગી વાતો અહીં મૂકી છે. પ્રેરણા લીધી છે લિયોના બ્લોગ પરથી જ પણ તેમાં મારા અનુભવો અને વાતો ઉમેર્યા છે. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


મારો ખુદાતાલા… – ડૉ. પ્રફુલ્લ શાહ 6

સાવરકુંડલામાં એક અનોખા ડૉક્ટર વસે છે, એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો, રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર, કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં ડૉક્ટર સાહેબ અને તેમના ધર્મપત્નિ – આ બંનેએ સક્રિય રસ લીધો છે. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક – એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે જ, તે પછી એ જ અનુભવોનું વધુ વિશદ ભાથું ‘મનેખ નાનું મન મોટું’ એ નામે પ્રસિદ્ધ થયું, એમાંથી જ એક વાત આજે અહીં ટાંકી છે. જીવનમાં મોટી નકારાત્મક બાબતોની સામે ફક્ત એક જ હકારાત્મક વાત ઘણી પ્રેરણા આપતી જાય છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. પ્રફુલ્લ શાહનો ખૂબ ખૂબ આભાર.


વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ 8

પીપાવાવમાં અમારી કંપની દ્વારા ઉજવાયેલ નેશનલ સેફ્ટી વીક અંતર્ગત ૬ માર્ચના રોજ મેં રક્તદાન કર્યું, એટલે ભાવનગર બ્લડબેંક તરફથી સ્વામી વિવેકાનંદે કહેલા વાક્યો અને વિચારોના લિફ્લેટ્સ કાર્ડનો એક સંગ્રહ ભેટ આપવામાં આવ્યો. આ સંગ્રહ ખરેખર વસાવવા લાયક છે, જે ફક્ત ૪૦ રૂપિયાનો છે અને ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાણી સફળતાના સૂત્રો’ એ શિર્ષક હેઠળ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાયો છે. વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય, સફળતા, ઈચ્છાશક્તિ, નિર્ભયતા, સામર્થ્ય, ત્યાગ અને આત્મશ્રદ્ધા જેવા વિષયો પર સુંદર સંકલન કરાયું છે. પ્રસ્તુત છે એ સંપુટમાંથી કેટલાક આફરીન કહી ઉઠીએ એવા વિચારબિંદુઓ.


બિંદુ – મોરલીધર દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7

આજે જે પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે તેનું શિર્ષક છે ‘બિંદુ’ અને નામ મુજબ લેખક શ્રી મોરલીધર દોશીના પોતાના અને તેમને ગમેલા અન્યોના વિચારબિંદુઓનું એક સરસ નાનકડું સંકલન છે. પુસ્તક ઈ.સ. 2000માં લેખકના મૃત્યુ વખતે પ્રૂફ રીડીંગ થઈને તૈયાર હતું, તે પછી તેમના પુત્ર શ્રી સુરેશભાઈ દોશીએ 2001માં પ્રકાશિત કર્યું. વાચકોને વહેંચવા માટે તેમણે આ પુસ્તક અક્ષરનાદને પાઠવ્યું છે. પુસ્તક આજથી ડાઉનલોડ માટે અક્ષરનાદ પર ઉપલબ્ધ છે. અત્રે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક વિચારબિંદુઓ.


વાંચે ગુજરાત કે ગુજરાતીનું વાંચન! (?) – અશોક વૈષ્ણવ 11

ગત સપ્તાહમાં અલગ અલગ જ્ગ્યાએ અલગ અલગ સંદર્ભમાં ‘વાંચન’ અને ‘ગુજરાતી’વિષે વાંચવાનો યોગ થયો. ગુજરાતીઓ “વાંચે” છે, વાંચનપ્રત્યેની તેમની આગવી અભિરૂચીઓ પણ છે અને આ વર્ગ સંખ્યાબળમાં સાવ નગણ્ય તો નથી જ તેમ તો જણાય જ છે. એટલે હવે તો ગુજરાતને વાંચતુ કરવા માટે કોઇપણ પ્રકાશનની સાઈટ પર જઇને કે નજદીકનાં વાંચનાલયમાં જઇ ને કે પછી સ્ટૉરમાં જઇને કે પછી પોતાનાં કોપ્યુટર કે ટૅબ્લૅટપર ઉતારીને સહેલાઇથી જે ઇચ્છો તે વાંચી શકો તેવી સગવડ હાથવેંત થવી જોઇએ. ગુજરાતી બાળકને નાનપણ અને કિશોરાવસ્થાથી જ અન્ય સ્પર્ધાત્મક પ્રવૃતિઓની સરખામણીમાં વાચનનું આકર્ષણ થાય તો તે વયથીજ વાંચનની ટેવ વિકસે. તે માટે ખાસ પ્રયત્નોપણ કરવા જોઇએ.


બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે 2

શ્રી હર્ષદભાઈ દવેએ ચિંતન અને વિચારપ્રેરક પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. ‘ફૂલછાબ’ દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં એમણે ટૂંકા પરંતુ ચોટદાર પ્રસંગોને લઈને ‘પલ દો પલ’ નામની કટાર અંતર્ગત જે લેખો લખ્યા તેનું નાનકડું પરંતુ અસરકારક અને સુંદર સંકલન એટલે આ પુસ્તક – ‘પલ દો પલ’. આ પુસ્તક વૈવિધ્યસભર ટૂંકા પ્રસંગોને આવરી લઈને કોઈ ઉપદેશ આપવાની કોશિશ વગર ફક્ત એક પ્રસંગ તરીકે રજૂ કરે છે. તેમાં ક્યાંક ગંભીર વિચારપ્રેરક લેખ પણ છે તો ક્યાંક રમૂજ પણ ઝળકે છે. આજના માણસને વાંચનમાં પણ લાઘવ અને વૈવિધ્ય જોઈએ છે. સંસ્કૃત મિમાંસકોએ એવું કહ્યું છે કે જો કાનો અને માત્ર પણ બચાવી શકાય તો પુત્રજન્મ જેવો આનંદ થાય. હર્ષદભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં અનેક પુત્રજન્મનો આનંદ વહેંચ્યો છે. એક અવશ્ય વાંચવા જેવું રત્ન અને ૫૯ નાનામોટા લેખોના આ સંગ્રહમાંથી આજે બે કૃતિઓ પ્રસ્તુત કરી છે. ‘પતિ-પત્ની અને સ્વોટ વિશ્લેષણ’ તથા ‘જરા ગુજરાતી ગુંજન…’ શીર્ષક ધરાવતા આ બે લેખ સુંદર અને અનોખા છે.


સ્મશાનમાંના એક વૃક્ષની વિચારધારા – બાબુભાઈ રાણા 2

સ્મશાનમાં રહેલા એક વૃક્ષની આ આત્મકથા નથી. આત્મકથાઓમાંતો જીવનનો ચિતાર આવે છે, કોઈ પદાર્થના જીવનની મહત્વની ઘટનાઓ અને સર્જનથી તેના વિસર્જન સુધીની અનેક વાતો આવે છે, પરંતુ શ્રી બાબુભાઈ રાણાએ પાઠવેલી આ અનોખી કૃતિ સ્મશાનમાંના એક વૃક્ષની વિચાર સરવાણી છે. સ્મશાનમાં રહેલ વૃક્ષ માનવજાત વિશે, માણસના સમગ્ર જીવનક્રમની – પેઢીઓની વાતો વિચારે છે અને એ વિશે અનોખુ ચિંતન કરે છે. વિશદ અને મુદ્દાસર ચિંતન તથા અનોખી પ્રસ્તુતિ આ કૃતિની આગવી વિશેષતાઓ છે. બાબુભાઈ ભગવતીભાઈ રાણાનો પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


સ્ત્રીકેળવણી – નર્મદ 5

પ્રસ્તુત લેખમાં નર્મદના સ્ત્રીકેળવણી વિષયક વિચારોની અભિવ્યક્તિ સુપેરે અને સ્પષ્ટતાથી કરાઈ છે. ૧૮૩૩ થી ૧૮૮૬ના તેમના જીવનકાળમાં, આજથી સવાસો વર્ષોથી પણ વધુ પહેલા વ્યક્ત કરાયેલા એક સ્પષ્ટવક્તાને છાજે તેવા આ વિચારો નર્મદની વિશેષતા છે. એક કેળવાયેલી સ્ત્રી કુટુંબ માટે, ઘર માટે, સમાજ માટે અને આવનારી પેઢીઓ માટે કેટલું યોગદાન આપી શકે છે એ તેમણે આલેખ્યું ચે. આમ પણ નર્મદ કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમને નાબૂદ કરવાની દિશામાં સદાય લખતાં, તો સ્ત્રી કેળવણીની તેમની આ તરફેણ એ સમયે તો એક સાહસિક પગલું જ ગણાય. પ્રસ્તુત છે સવાસો વર્ષો પહેલા સમાજસુધારણાની દિશામાં લખાયેલો એક અનોખો લેખ.


જીવનની પ્રયોગશાળાઓ – વિનોબા

વિનોબાજીએ ‘અહિંસાની ખોજ’ માં લખ્યું છે, ‘તેર વર્ષો સુધી ભારતમાં સતત પદયાત્રા ચાલી. કંઈક શાશ્વત કાર્ય આગળ ચાલતું રહે એ દ્રષ્ટિએ મેં છ આશ્રમોની સ્થાપના કરી. આ આશ્રમોએ સારાં લોકોપયોગી કામો કર્યા છે એ કહેતાં મને ખુશી થાય છે. આશ્રમોને મેં ‘લેબોરેટરીના પ્રયોગ’ કહ્યા છે. પ્રયોગશાળા બજારમાં નહીં, એકાંત સ્થાનમાં ખોલાય છે, પરંતુ એમાં જે પ્રયોગ થાય છે એમના માટે જે સામગ્રી એકઠી કરાય છે તે બધી સામાજિક હોય છે. પ્રયોગ તો ‘કંડિશન્ડ’ પરિસ્થિતિમાં કરાય છે પરંતુ એમાંથી નીકળનારા પરિણામ આખા સમાજને લાગુ પડાય છે.’ આવા જ બે આશ્રમો વિશે તેમના વિચારો પ્રસ્તુત છે.


અંધ ગુરુ – સિધ્ધાર્થ ભરોડિયા 8

અંધ લોકોને ભાષા અને બ્રેઈલ સ્વરૂપે સંવાદનું એક માધ્યમ આપનાર લૂઈ બ્રેઈલની ઓળખાણની સાથે સાથે તત્કાલીન સમસ્યાઓને સાંકળી લઈને, જીવનના મૂલતઃ સારને રજૂ કરતી એક વાત અનોખા અને આગવા સ્વરૂપે રજૂ કરતી આ વાત અક્ષરનાદના વાચકમિત્ર શ્રી સિદ્ધાર્થભાઈ ભરોડિયાની કલમે અવતરી છે અને મિત્રો સાથે વહેંચવા માટે તેમણે એ પાઠવી છે.


करिष्ये वचनं तव। – ઉમાશંકર જોશી 6

આખી ગીતાનો મર્મ કોઈ એક ચરણમાં શોધવો હોય તો તે ઉપરના શબ્દોમાં શોધી શકાય. શ્રીકૃષ્ણ અર્જુનને જીવનના રહસ્યનું વિવિધ રીતે દર્શન કરાવે છે. એને પેરે પેરે બધું સમજાવે છે. મોહવશ થઈને તું જે કરવા નાખુશ છે તે અવશપણે – પરાણે પણ તારે કરવું પડવાનું જ છે એમ પણ એ જરૂર કહે છે. તેમ છતાં એ પછી તરત જ બધી દલીલો પૂરી થતાં, અંતે અર્જુનને મુક્ત રાખે છે. આમ આ ચરણમાં કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણેયના સમન્વયપૂર્વકના મુક્ત આત્મસમર્પણનો ગીતાનો સંદેશ વ્યક્ત થયો છે એવી વાત શ્રી ઉમાશંકર જોશી સરળતાપૂર્વક અને ઉપદેશના ભાર વગર વાચક સુધી સહેલાઈથી પહોંચાડે છે.


અજંપો – દોલતભાઈ દેસાઈ 5

આજના યુગની આત્યંતિક સમસ્યા અને અન્ય બધી સમસ્યાઓનું મૂળ એટલે અજંપો. આ અજંપાના કારણો અને તેના ઉપાયો વિશે એક સરસ લેખ ધ્યાનમાં આવ્યો સંત પુનિત સેવા ટ્રસ્ટ, જનકલ્યાણ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પ્રાર્થના’ માંથી. શ્રી દોલતભાઈ દેસાઈનો આ લેખ આજના સમયની સમાજવ્યવસ્થાની મુખ્ય તકલીફને સરસ અને સરળ રીતે સ્પર્શે છે.


માઇકલ – રસિક ઝવેરી 28

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં તેમણે ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું, ‘ગ્રંથાગાર’ માસિકનું પ્રકાશન કરતાં અને ‘અખંડ આનંદ’ તથા ‘સમર્પણ’ જેવા સામયિકોના તંત્રી. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ વિશેષ પાત્રાલેખન – નિબંધ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ એક મોહક ત્રિપુટી સાથે તેમની મુલાકાત થઈ જાય છે, ટૉમ, મેરિયાના અને નાનકડો માઇકલ. નાનકડા માઇકલનું હ્રદયસ્પર્શી પાત્રાલેખન પ્રસ્તુત નિબંધની આગવી વિશેષતા છે. અજાણ્યે બંધાઈ જતા અને અવિસ્મરણીય એવા માઇકલ સાથેના ઋણાનુબંધની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે. જેટલી ચોટદાર નિબંધની પ્રસ્તુતિ છે એથીય વધુ કરુણ અંત ભાવકોની આંખને ભીની કરી દે છે.


પાદરનો પીપળો – ચુનીલાલ મડિયા 2

આપણી ભાષાના એક જાણીતા સાહિત્યકાર, શ્રી ચુનિલાલ મડિયાએ અનેક યાદગાર નાટકો, નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યો અને વિવેચનો લખ્યાં છે. અહીં પ્રસ્તુત નિબંધમાં પાદરના પીપળાની આત્મકથા આલેખાઈ છે. પીપળો જાણે પોતાની કથા કહે છે. આપણા સમાજજીવનમાં પીપળાનું મહત્વ અહીં સુપેરે આલેખાયું છે. રૂઢિઓ, માન્યતાઓ વગેરેની વચ્ચે એક પીપળાના અસ્તિત્વની મહત્તા અહીં આલેખાઈ છે. જો કે હવેના સમયમાં, ઔદ્યોગિકરણને લીધે વૃક્ષો આડેધડ કપાઈ રહ્યાં છે ત્યારે આ માન્યતાઓ અને રૂઢિઓ ફક્ત નિબંધોમાં જ ન રહી જાય એ જોવું રહ્યું.


એક સંપાદકની અનુભવકથા – ગુલાબદાસ બ્રોકર 3

આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, અનુવાદક અને વિવેચક એવા શ્રી ગુલાબદાસ બ્રોકર (૧૯૦૯) ઘણાં અગ્રણી સામયિકોમાં તંત્રી તરીકે કાર્યરત રહેલાં, જેમ કે એકાંકી (૧૯૫૧-૫૩), ગુજરાતી નાટ્ય (૧૯૬૦) અને પરબ (૧૯૬૪-૭૪). સાહિત્ય સામયિકોના સંપાદકો – તંત્રીઓની અનુભવકથા વિગતે વર્ણવતા પ્રત્યક્ષ સામયિકના વિશેષાંક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ (૧૯૯૬) માંથી પ્રસ્તુત અનુભવગાથા લેવામાં આવી છે.


વિચારમોતીઓ, અમૃતબિંદુઓ – મહાત્મા ગાંધી 5

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ગાંધી ગંગાના બંને ભાગ હંમેશા મારા ડેસ્ક પર રહે છે. ગાંધી વિચારોની પારદર્શી, પ્રાયોગીક અને સ્પષ્ટ સરળતા અને વિષયોની વિવિધતા મને સદાય આકર્ષે છે, અને એવા જ સરસ વિચારો અને પ્રસંગોનો સંચય શ્રી મહેન્દ્રભાઈએ આપ્યો છે. આ જ ગાંધીગંગાના કેટલાક અમૃતબિંદુઓ આજે અહીં સંકલિત કર્યા છે. ગાંધી ચીંધ્યા પથ પર ચાલનાર અન્ના હઝારેનું અનશન ચાલી રહ્યું છે ત્યારે મમળાવવા જેવા આ વિચારો આજના સમયની તાતી જરૂરીયાત છે.


ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ 2

લોકસંગીતના, લોકસાહિત્યના અભ્યાસુ અને મર્મજ્ઞ એવા ડૉ. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ પ્રસ્તુત ચિંતનલેખમાં ગુજરાતી લોકસંગીત વિશે પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે. લોકસંગીતના ઉદભવ અને વિશેષતાઓ દર્શાવવા સાથે પ્રસ્તુત સમયમાં ગુજરાતી લોકગીત-સંગીતના થઈ રહેલા હ્રાસ સામે તેઓ લાલબત્તી ધરે છે. આપણી આ આગવી ધરોહરને સંકલન – સંમાર્જન – સંપાદન અને તેમાં સંશોધન કરી શકાય અને તેની પૂર્ણપણે મૂળ સ્વરૂપમાં જાળવણી કરી શકાય તે માટે નિરંજનભાઈ સતત કાર્યરત છે, એ માટેની તેમની ચિંતા પણ પ્રસ્તુત લેખમાં દેખાઈ આવે છે.


સમ્યક દર્શન – પૂ. સુનંદાબાઈ સ્વામી 2

ગુણાગ્રહી અને દોષાગ્રહી એ બે સામાન્ય રીતે વિચારદ્રષ્ટિના બે પ્રકાર છે. જીવનમાં સફળ થવા માટે સમ્યકદ્રષ્ટિ હોવી જોઈએ. જેની દ્રષ્ટિ સમ્યક હોય છે તેનો વ્યવહાર પણ કાળક્રમે સમ્યક બની જાય છે. જો આપણે જગતને જે છે તેવા સ્વરૂપે જોઈશું તો ધર્મમાં પણ ઘણા આગળ વધી શકીશું. સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દર્શન સાધનાની સીડી ઉપરનું પ્રથમ સોપાન છે. ખૂબ સરળ બોધવાર્તા દ્વારા આ વાત કહેવાનો અહીં પ્રયત્ન થયો છે.


ધર્મ – એક શાશ્વત આવશ્યકતા? – આર્નોલ્ડ ટૉયન્બી, અનુ. તખ્તસિંહ પરમાર 1

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી ‘ભાવિમાં ટકી રહેવા માટે’ પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ધર્મનું ભાવિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને ભૌતિક સમૃદ્ધિઓ વચ્ચેની ભેદસૃષ્ટિ, ટેકનોલોજીને મદદ કરી રહેલ વિજ્ઞાન ધર્મને મદદ કરી શકે કે નહિં જેવા અનેક પ્રશ્નોને પોતાની તર્કબદ્ધ દલીલો સાથે પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


ચોમાસું માણીએ ! – કાકા કાલેલકર 7

કાકાસાહેબ કાલેલકર આપણી ભાષાના પ્રથમ હરોળના નિબંધકાર ગણાય છે. નિબંધોના તેમના અનેક પુસ્તકોમાં આપણને રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક, સૌંદર્યચાહક, કલા અને સાહિત્યના ચિરંતન પ્રેમી અને પ્રવાસશોખીન કાકાસાહેબના વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય છે. પ્રસ્તુત નિબંધમાં ચોમાસાની ઋતુમાં બદલાતી પ્રકૃતિસૃષ્ટિનું ચિત્રાત્મક શૈલીએ નિરૂપણ થયું છે. આકાશના વાદળોની લીલા તથા ઊષા અને સંધ્યાના અવનવા રંગોના સૌંદર્યનું વર્ણન કરી પ્રકૃતિલીલાનું રસપાન કરવાનું સૂચવે છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત થઈ જાય છે. અહીં પ્રકૃતિ, ભૂપૃષ્ઠ અને કીટસૃષ્ટિ – એ ત્રણેયનું કાવ્યાત્મક અને મધુર ભાષામાં નિરૂપણ થયું હોવાથી નિબંધનું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે.


દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે 8

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ બીજી રચના છે, આ પહેલા તેમની એક નવલિકા પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખમાં તેઓ દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદપ્રાપ્તિ માટેના રસ્તાઓ ચીંધે છે. નાની નાની વાતો પણ કેટલી મહત્વની થઈ પડે અને સંબંધના પાયાને મજબૂત બનાવે છે તે વંદિતાબહેન અહીં કહે છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


રવીન્દ્રનાથની ચિંતનકણિકાઓ – નગીનદાસ પારેખ 1

કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, “રવિબાબુએ પોતાની ઉત્કૃષ્ટ અને વિસ્તૃત કવિતામાં જે વિચારો કલ્પનાઓ અને ભાવનાઓ ખીલવ્યાં છે તે સમજવા માટે આ કંડીકાઓ જેટલું બીજું ઉત્તમ સહાયક સાહિત્ય નથી. નાનપણથી પ્રકૃતિ સાથે અને પ્રકૃતિના સનાતન બાળક સમી ગ્રામીણ પ્રજા સાથે ઊંડો પરિચય અને સ્વભાવમાં અંતર્મુખતા હોવાથી નિરીક્ષણ, પરીક્ષણ અને ચિંતન એ ત્રણે વ્યાપાર એમને માટે સ્વાભાવિક હતાં. એમાંથી જે જીવન ઉપાસના તેઓ કરી ગયાં તેનો નિચોડ આ ચિંતનકણિકાઓ આપણને આપે છે.” શ્રી નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત અને શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંકલિત પુસ્તિકા “રવિન્દ્રનાથની ચિંતન કણિકા” માંથી આ રત્નો સાભાર લીધાં છે.


ત્યારે કરીશું શું? – સ્વામી અખંડાનંદ સરસ્વતી 5

એક બાળક હાથમાં ઉઘાડું ચાકૂ લઈને રમે છે ને તેથી એને વાગી જવાની પૂરી બીક છે. તો તેની પાસેથી ચાકૂ મુકાવી દેવા શું કરશો ? દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં પોતપોતાની સમજ મુજબ પગલાં ભરશે. માનવનું મન – ચિત્ત પણ પેલા બાળક જેવું છે. એ પણ વિષમય ધારવાળુ વિષયરૂપી ઉઘાડુ ચાકૂ લઈને સંસારમાં રમ્યા કરે છે અને તેમ કરતા તેને વાગી બેસવાનો પૂરેપૂરો ભય હોવાથી તે વિષયરૂપી ચાકૂથી મુક્ત કરવાની ખૂબ જ જરૂર છે એ વિષયાનુસંગત વાત અહીં થઇ છે.


ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 15

જીવન એક પ્રવાસ છે તો એ પ્રવાસના અવરોધભર્યા, મુશ્કેલ માર્ગો પર આગળ વધવામાં હતાશા અનુભવાય, ઉત્સાહ ઓસરી જાય અને કોઇ બાજી ધારી હોય તે રીતે પાર ન પડતી હોય, સતત ચાલવા, પ્રગતિના પંથે સતત આગળ વધવા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણા વિદ્વાનોએ, સાક્ષરોએ ઉદાહરણો દ્વારા સૂચવેલા પ્રસંગોને – તેના મર્મને ઓળખીએ અને તે દ્વારા આપણા જીવનને વધુ ઉપયોગી, સાર્થક બનાવી શકીએ. પ્રસ્તુત છે આવા જ અત્યંત સુંદર ત્રણ પ્રસંગમોતી.


પ્રણય ત્રિકોણ – હરજીવન થાનકી 4

ના – પ્રણય ત્રિકોણના ખૂણા સાથે ત્રણ બાજુઓ પણ ખરી. પ્રણય ત્રિકોણ શબ્દ ભારે છેતરામણો છે. આ પ્રણયમાં એકે ખૂણાને સ્થાન નથી, ત્યાં ત્રણની તો વાત જ શી કરવી? વાત તો હોવી જોઈએ સાથે ને સાથે રહેતા બે પાટાઓની જે શરૂઆતથી અંત સુધી એકબીજાનો સાથ નિભાવે છે, આવા જ વિચારો લઈને આજે આ નાનકડી ચિંતનિકા…