અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧) 13

“હે ડિયર, ખૂબ ખૂબ અભિનંદન“ વોટ્સએપ મેસેજ કર્યા બાદ ડૉ. આરાધનાએ બે ટીક થઇ ત્યાં સુધી એકીટશે મેસેજ જોયા કર્યો, પછી મોબાઈલ ટેબલ પર મૂકી, બાજુમાં પડેલું કાર્ડ ઉઠાવી બે ચાર વાર ફેરવી ફેરવીને જોયું અને વિચારમાં મગ્ન થઈને એ કાર્ડથી પોતાના મોં પર હવા વીંઝવા લાગ્યા. ‘નિલયની સગાઈ થઇ ગઈ!’ આનંદની સાથે જ આશ્ચર્યની બેવડી લાગણી થઈ આવી.

મોબાઈલમાં મેસેજનો ટોન સાંભળીને નિલયે કમને મેસેજ ખોલ્યો. આંખો સામે ઝબૂકી રહેલા મેસેજે એને જાણે નવેસરથી નીચોવી નાખ્યો. એક ઝનૂન સાથે જવાબ આપ્યા વગર એણે મોબાઈલ પાછો મૂકી દીધો. નજર સામે સતત આવા અનેક મેસેજ તરવર્યા કરતા હતા.


એક ડેટકથા – યામિની પટેલ 13

હું મારી નોટબુકમાં હોમવર્ક કરીએ રહી હતી કે અમારી અમસ્તાં શાંત રહેતી નાનકડી ગલીમાં હોર્ન વાગ્યો. મારાથી તરત બારી બહાર જોવાઈ ગયું. મૂવર્સ અને પેકર્સનો ટ્રક હતો. ઓહ! તો રસ્તાની પેલી બાજુ આવેલા બંધ પડેલા બંગલામાં કોઈ રહેવા આવતું લાગે છે.

કુતૂહલથી બધું છોડીને બારીએ આવી ઊભી રહી ગઈ. હવે ત્યાં ટ્રકની પાછળ એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બધા ઊતરી ગયા છે એમ માનીને હું એ લોકો વિષે અટકળો કરતી હતી ત્યાં તો ગાડીનું બારણું ખોલી એક છોકરો ઊતર્યો. જિન્સ, ટી શર્ટ, વાંકડિયા વાળ અને ભૂરી આંખો; જિન્સના ખિસ્સામાં હાથ નાખી અદાથી એ ઊભો હતો. લાગતું હતું કે આ બંગલો પહેલી વાર જોઈ રહ્યો છે. જાણે નજરથી એને માપી રહ્યો હોય એમ એ ઘર તેમજ આજુબાજુની લોન જોઈ રહ્યો હતો. પછી ડોક જરાક ગમ્યું હોય એમ હલાવી એ અંદર જવા લાગ્યો. હું એની પીઠ તાકી રહી. હવામાં એના વાળ ઊડી રહ્યા હતા. મને અચાનક થયું, એના આ વાંકડિયા વાળમાં આંગળા ફેરવ્યા હોય તો કેવું? મેં તરત જ માથું હલાવી એ વિચાર ખંખેરી નાખ્યો. ત્યાં તો મમ્મીની બૂમ સંભળાઈ.


પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી 20

શ્રી લતાબેન હિરાણીએ આલેખેલી પાંચ સુંદર પ્રસંગકથાઓ આજે પ્રસ્તુત કરી છે. આપણા સમાજજીવનમાંથી જ આવતી આ વાતો દરેકને સ્પર્શે એવી મનનીય અને અનુકરણીય છે. આસપાસના અનેક નકારાત્મક ઘટનાક્રમો વચ્ચે લતાબેનની આ હકારાત્મક કથાઓ આપણા માનસમાં આશાનો સંચાર કરશે એ ચોક્કસ. અક્ષરનાદને આ પ્રસંગકથાઓ પાઠવવા બદલ લતાબેન હિરાણીનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


કરણીનું ફળ – કનુ ભગદેવ 6

મનોજ આજકાલ કરતાં ઘણા સમયથી પૈસાદાર બનવાના સપનાં જોતો હતો. એનું ખટપટિયું મગજ સહેલાઈથી પરસેવો પડ્યા વગર ક્યાંથી ને કેવીરીતે પૈસા મેળવવા એના વિચારોમાં જ હંમેશા અટવાયેલું રહેતું હતું. તે મુંબઈમાં ફોર્ટ સ્થિત ડૉ. દાદાભાઈ નવરોજી રોડ પર આવેલ એક રેડીમેડ વસ્ત્રોનાં ભવ્ય અને આલીશાન શોરૂમમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. શોરૂમમાં પાંચ સેલ્સમેનો ઉપરાંત એક હેડ કેશિયર પણ નોકરી કરતાં હતાં. શોરૂમમાં પ્રવેશતાં જ જમણા હાથે આવેલા કાઉન્ટર પાછળ શોરૂમના માલિક જમનાદાસની ઓફિસ હતી.
શોરૂમનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિનાં ૮:૩૦ સુધીનો હતો.

હેડ કેશિયર પીતાંબર શોરૂમ બંધ થયા પછી રાત્રે નવ વાગ્યે હિસાબ કિતાબ લઈને માલિક જમનાદાસની ઓફિસમાં ચાલ્યો જતો. ત્યાં એ પંદર-વીસ મિનીટ રોકાતો. પછી નવ વાગ્યે એક નાની સુટકેસમાં તે આખા દિવસના વેપારની રકમ લઈને બહાર નીકળતો અને રાતના દસ વાગ્યા સુધી કામકાજ કરતી બેંકમાં જમા કરાવી આવતો. બેંકમાં પૈસા જમા કરાવ્યાની રસીદ તે બીજે દિવસે સવારે આવીને ફાઈલમાં મૂકી દેતો હતો. કેશિયરનો આ ક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ હતો.


કેટલીક ગઝલરચનાઓ.. – મુકેશ ધારૈયા 8

બિલખા રોડ, જૂનાગઢના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે સિેનીયર લેક્ચરરના પદ પર કાર્યરત મુકેશભાઈ ધારૈયાની અક્ષરનાદ પર આ પ્રથમ પોસ્ટ છે. તેમણે કેટલીક ગઝલરચનાઓ અક્ષરનાદને પાઠવી છે જે બધી જ આજે અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પરિવારમાં મુકેશભાઈનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર.


એકાંકી “હાલરડું” – બાબુભાઇ વ્યાસ 8

એકાંકી નાટક: “હાલરડું”, લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

આ નાટક દિર્ગ્દર્શક, ભજવનારાઓ અને સ્ટેજ પર ની પ્રકાશ અને અવાજની વ્યવસ્થા કરવાવાળી વ્યક્તિઓ માટે એક પડકાર રૂપ છે, સમય સર સંવાદ અને રેડીઓ પર થતી ઉદઘોષણાઓ પણ નાટકનું એક મહત્વ નું અંગ છે. ૧૬ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ,ભાવનગર ની એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખાંડમાં પહેલી વખત ભજવાયું.

સમય: સને ૧૯૦૦ થી ૧૯૫૨
સ્થળ: હિન્દની કોઈ પણ માંનો ઓરડો

પાત્રો: માં, માસ્તર, વેપારી, સમાજ સુધારક, છાપાવાળો, રેડીઓ એનાઉન્સર, મુસાફર અને માંભારતી

પડદો ખૂલેછે ત્યારે સ્ટેજ ના એક ભાગ પર સ્પોટ લાઈટ ના અજવાળે એક માં તેના બાળક ને પારણામાં ઝૂલાવતી નજરે પડે છે. સ્ટેજ ના બાકીના ભાગ માં અંધારું છે,
માં હાલરડું ગાતી હોઈ છે, “ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલ ન કીજીયે”

માં નું હાલરડું ધીમે ધીમે શાંત થતું જાય છે. માં પારણામાંના બાળકને જુવે છે, ફરી હાલારડું ગંગાને છે.. …માં ઝોકે ચડે છે…સ્ટેજના બીજા ભાગ માં અજવાળું થાય છે અને માં નું સ્વપ્નું શરૂથાય છે.


‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી 14

આ પાંચમા અંકમાં છે,
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ વિજેતા લિડીયા ડેવીસની વિશેષ મુલાકાત
રાજુલ ભાનુશાલીનો અફલાતૂન સંપાદકીય લેખ જેમાં સાથે સાથે ભળે છે ઉર્દુ સાહિત્યકાર જનાબ સલીમ બિન રઝાક સાથે વાર્તાસ્વરૂપ વિશે વિગતે પ્રશ્નોત્તરી અને હિન્દીના પત્રકાર અને કવિ શ્રી લોકમિત્ર ગૌતમ સાથે લઘુકાવ્ય અને માઈક્રોફિક્શન વચ્ચે સમાનતા વિશે વાર્તાલાપ.
ગોપાલ ખેતાણીની કલમે માઈક્રોફિક્શનના ટચૂકડા તોફાન વિશે મજેદાર લેખ
ટૂંકી વાર્તા, લઘુકથા અને માઈક્રોફિક્શન વિશે વાર્તાકાર શ્રી અજય ઓઝાની કલમપ્રસાદી
અને સાથે સાથે સર્જન ગ્રૂપના નવા-જૂના મિત્રોની ચૂંટેલી સ-રસ માઈક્રોફિક્શન્સ


પદ્યરચનાઓ.. – પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી, કિલ્લોલ પંડ્યા, 7

મારી અંગત વ્યસ્તતાઓ અને અનિશ્ચિત જીવનપદ્ધતિ વચ્ચે ઘણાં સમયથી અક્ષરનાદ પર મૂકવાની બાકી રહી ગયેલી અનેક મિત્રોની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી અને કિલ્લોલ પંડ્યાની પદ્યરચનાઓ આજની આ પોસ્ટમાં શામેલ છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક બદલ સૌ સર્જક મિત્રોનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


ગુજરાતનું કાશ્મીર : ડાંગ – મેહુલ સુતરીયા 13

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલો ડાંગ જિલ્લો . ચારેકોર પથરાયેલું કુદરતી સૌન્દર્ય. બારેમાસ વહેતી નદીઓ,ગીચ જંગલો,ઉંચા વૃક્ષો …. કુદરતે જાણે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું ન હોય !!…

ડાંગ સાથે મારે હ્રદયનો સંબધ રહ્યો છે તેનું એક મૂળભૂત કારણ એ કે મારા સસરા આ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે એટલે દર વેકેશનમાં મારી પત્ની નિલમ અને બે પુત્રો આર્યન અને યશ સાથે ત્યાં જવાનું થતું. ડાંગ જવાનું થાય એટલે ઓછામાં ઓછો ૧૦ થી ૧૨ દિવસનો કાર્યક્રમ હોય જ . અમદાવાદમાં જેમ હું બાઈક લઈને ફર્યો છું તેવું જ ભ્રમણ મેં ડાંગના એ ડુંગરાળ અને ઢોળાવો વાળા રસ્તાઓ પર કર્યું છે. સાચું કહું તો ડાંગના એ કુદરતી સૌન્દર્યને ખોબલે ખોબલે પીધું છે અને હજી પણ જાણે તૃષા રહી ગઈ હોય એમ દર વેકેશનમાં ત્યાં જવાનો જાણે કે અંતરમનમાંથી સાદ આવે છે. અને ડાંગના એ બે ગામોની યાદો જ્યાં મેં ઘણો સમય વિતાવ્યો છે એવા સુબીર અને પિંપરી જાણે મને બોલાવે છે.


પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ 2

વિકાસ શબ્દ આપણને સહુને મનપસંદ થઈ પડ્યો છે. કદાચ એ આપણી રહેણીકરણીના સારા-નરસાપણાનો માપદંડ બનવા લાગ્યો છે. વિકાસ જરૂરી ખરો, પણ તેને મેળવવા ખાતર જે ચૂકવણું હોવું જોઈએ એ લઘુત્તમ હોવું ઘટે. આજે જ્યારે આપણે સહુ કદમ મિલાવીને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવા તરફ આગળ વધ્યા છીએ ત્યારે પર્યાવરણને લગતી બાબતો આપણા ધ્યાનમાં ન આવે.. કદાચ વિકાસના ભારે લાભ સામે પર્યાવરણવાદી લોકોની દલીલો નગણ્ય જ લાગે. આ બધું સ્વાભાવિક પણ છે, નજીકના ફાયદાને ભોગે દૂરના નુકસાન થોડા જોવા બેસાય! કાર્બન ડાયોક્સાઇડ, એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે શબ્દોને સામાન્ય લોકોમાં વાત પૂરતા કે પછી વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કે ક્યાંક પર્યાવરણના લેખોમાં ધ્યાને આવે છે; બેશક જાણવા જ જોઈએ, પણ સામાન્ય ભારતીયને મન એમાં આપણે ગુમાવવાનું શું?


બિચ્ચારા દુખિયારા! – વલીભાઈ મુસા 8

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે :

“નામદાર ન્યાયાધીશ સાહેબ,

આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?


શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી 9

શું સાલું ભગવાને આપણું શરીર બનાવ્યુ! શરીરનો કોઈપણ માલ બહારથી આયાત કર્યા વગર પૃથ્વી પર નિકાસ કર્યો. પાછી પ્રોડક્ટમાં કોઈ મિસ્ટેક નહિ! એમાં કેવાં કેવાં તો ફર્નીચર સેટ કરેલાં. બધા જ ફર્નીચર પાછા એકબીજા સાથે સંકળાયેલા ને એકબીજા સાથે સહકાર પણ કેવો સોલિડ ને સંપ પણ કેવો મજબૂત! જીભડીએ કાલે મારા વિષે લવારો કરેલો એવી જીદ પકડીને, જઠરે ક્યારેય આવેલો માલ અટકાવ્યો નથી. દાંતે ખોરાક ચાવવા માટે હડતાળ પાડી નથી. બધા જ પોતપોતાનું કામ, એક પણ સુપરવાઈઝર કે સી.ઈ.ઓ વગર સંભાળે. ભગવાને વ્યવસ્થા જ એવી બનાવેલી કે એને ધક્કા મારવા જ ન પડે. ‘જીવે ત્યાં સુધી વાપરતો જા, ને હરિના ગુણ તું ગાતો જા. તું તારે જલસા કર બેટા!’ પણ કદર કોને છે?


તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 6

માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં અગ્રસર અક્ષરનાદની આ પહેલા આયોજીત બંને માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. આ બે સ્પર્ધાઓએ અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો ત્રીજો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition 3


અક્ષરનાદનો અગિયારમો જન્મદિવસ 47

અક્ષરનાદનો આજે અગિયારમો જન્મદિવસ છે. વર્ષોના વહાણાંં વાતા રહ્યાં અને સમય એની મેળે સરતો રહ્યો, જોતજોતામાંં એક દાયકો પસાર થઈ ગયો. વાચકોનો સતત પ્રેમ અને સાહિત્યના માધ્યમે કંઈક પામવાની, કંઈક મેળવવાની ઈચ્છા જ અક્ષરનાદના પાયામાં છે. સર્વે વડીલો, મિત્રો, વાંચનયજ્ઞમાં જોડાઈને અમારા ઉત્સાહમાંં સતત વધારો કરતા બધાંય સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર.


પેંડા – એક ‘મિષ્ટી’ કથા 32

આમ તો ઘણી મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!) બોર્ડમાં પાસ થયાની ખુશી હોય (હા હા પાસ.. તમારે સાલ્લું બોર્ડ ફર્સ્ટ જ આવવું હોય નહીં??) કે મફતલાલની વચલીનું રમણીકલાલના છગન સાથે ગોઠવાઈ ગયું હોય (હા ભઈ ખબર છે, બેય ચસ્કેલ છે.. પણ તમારે શું?), બચુભાઈનો પોયરો રિલાયન્સ જિઓમાં ગોઠવાઈ ગયો હોય (તમારી ટેણકી એની જોડે ફરતી એ ગમતું નહીં, અને હવે ટેણકી જોડે જ તમે જિઓ સિમ મંગાવ્યું, હેં ને?)


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૩ – જીજ્ઞેશ અધ્યારૂ 4

સર્જન વોટ્સએપ ગ્રૂપના ‘માઈક્રોસર્જન’ પુસ્તકમાં વ્યસ્તતાને લીધે આ શ્રેણીનો ત્રીજો હપ્તો મૂકવામાં વિલંબ થયો છે. પણ આજનો અને હવે પછીના હપ્તાઓમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શોર્ટફિલ્મ્સની કેટલીક નોંધપાત્ર ફિલ્મોને તેમની વિશેષતાઓ સાથે મૂકવાનો પ્રયત્ન રહેશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે ત્રણ ફિલ્મો, ત્રણેય લંબાઈ, વાર્તાકથન, ફિલ્માંકન અને પ્રકારની દ્રષ્ટિએ તદ્દન ભિન્ન ફિલ્મો છે.


‘સર્જન’ માઈક્રોફિક્શનનું એક વર્ષ.. – જીજ્ઞેશ અધ્યારૂ 28

એક પુસ્તક, ઓગણપચાસ લેખકો અને ૭૦થી વધુ વાર્તાઓ.. ઓગણપચાસમાંથી ચાલીસ પહેલી વખત પ્રિન્ટ થયા.. કાલે સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ ત્રિપાઠી હોલમાં સાથે બેસીને જ્યારે બધાના મનની વાતો નીકળતી રહી તેમ તેમ એ સમજાતું ગયું કે આ પુસ્તક ફક્ત એક પુસ્તક નથી, વાર્તાઓનું સંકલન માત્ર નથી, પણ આ પુસ્તક એક જવાબ છે એ તમામ લોકોને જેમણે ક્યાંકને ક્યાંક આ લોકોની અંદર રહેલા સર્જકને પડકાર્યો છે, અવગણ્યો છે, ધુત્કાર્યો છે. કોઈકને માટે ‘તું શું કરી લેવાનો?’ એ પ્રશ્નનો જવાબ શબ્દોથી આપવાને બદલે બતાવી શકાય એવી ક્ષમતા વાળું આ પુસ્તક છે તો કોઈકને માટે પોતાના થીજી ગયેલા જીવનમાં ફરીથી વસંત લાવવાનો આ માર્ગ છે. એક બહેને કહ્યું કે વર્ષોથી કોઈ દિવસ તેઓ તેમના પતિ વગર એકલા નીકળ્યા નથી, પણ આજે સર્જન મેળાવડા માટે આવ્યા. કોઈક પોતાના સામાજીક પ્રસંગોને, કોઈક પોતાની પારિવારીક જવાબદારીઓને તો કોઈક પોતાની નોકરીને આ એક દિવસ માટે ગમે તેમ આઘા ઠેલીને કેમ ભેગા થયેલા? અહીં આવવું સ્વૈચ્છિક હતું, તો આ બધા દૂરદૂરથી કેમ આવ્યા?


સબસે બડા રૂપૈયા – વિનોબા 2

આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.


શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20

માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..


હત્યારો! – હરિશ્ચંદ્ર 6

મધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા… એક…બે… પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય? એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક…બે…ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો… કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.


પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2

કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..


શાશ્વત ગાંધી – ગાંધીવાણી 2

ભાઈ દાદાચાનજી,

તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાતો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.


લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ 7

લોકો કહેતા હોય છે કે વિકલાંગ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ કાર્ય નથી કરી શકતી, કારણકે તેઓને તેમ કરવામાં તેમની નબળાઈ તેમને નડતી હોય છે. ના, એવું નથી, એક મા પોતે વિકલાંગ હોય છતાં, ગમે તેટલી તકલીફ ભોગવતી હોય છતાં તે પોતાના બાળકને જે કેળવણી આપે છે તે શ્રેષ્ઠ હોય છે. પોતાના બાળકો માટેની સમસ્યાઓનો ઉકેલ લાવી જિંદગી આનંદથી જીવવા માટે કાબેલ બનાવે છે.

આ વાતને આત્મસાત કરનાર છે બે હાથ વગરની માતા! જેણે પોતાના જેવા સંતાનના જીવન જીવવાના અભિગમને કેવું કેળવ્યું તે જાણીશું તો આપણા હાથ બન્નેને સલામ કરવા અચૂક ઊંચકાઈ જશે! ચાલો, હાથ વગર જન્મેલ, ફક્ત પોતાના પગની મદદ વડે દાંતને બ્રશ કરતા, નહાતા, ખાતા અને કમ્પ્યૂટરની ગેમ રમતાં મા-બેટાની જિંદગીમાં એક ડોકીયું કરી લઈએ.


પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4

એક દિવસ રાત્રે અંધારામાં મારા ઘરે દરવાજા આગળ એક કદાવર અને બિહામણો માણસ જોયો. તેનો ચહેરો કાળો અને ભરાવદાર હતો. પહેલાં તો હું ગભરાઈ ગયો કે અડધી રાત્રે આ ભયાનક પ્રાણી કોણ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત યમરાજ લાગે છે. ચોક્કસ મને લેવા આવ્યા લાગે છે. મેં કહ્યું ‘પધારો સાહેબ, આજે આ બાજુ ક્યાંથી ભુલા પડ્યા? શું સ્વર્ગમાં સારા હોશિયાર માણસોની ખોટ છે તે મારે ત્યાં દર્શન દીધાં? અત્યારે હું ચૂંટણીની ધમાલમાં ખૂબ વ્યસ્ત છું એટલે અપોઈન્ટમેન્ટ લઈને આવો તો સારું રહેશે.’ પરંતુ મારું કહ્યું કશું કાને ધર્યું નહીં. તેમણે સીધા સોફા પર આસન જમાવી દીધું.


માલસરના માર્ગે! – ગોપાલ ખેતાણી 30

હરવું, ફરવું, રખડવુ, પ્રવાસ, વિચરણ, યાત્રા, ભટકવું, પિકનિક, ટુર, ડે-આઉટ! અહાહા! ઘણાં બધા નામ….શેના ?

કુપમંડુકવ્રુત્તીમાંથી બહાર નિકળવાના જ સ્તો. “ફરે તે ચરે, બાંધ્યો ભુખે મરે”, સમજવા, અનુસરવા જેવું વાક્ય આપણે નાનપણથી ભણીયે છિએ.

“I would rather walk with a friend in the dark, than alone in the light.” – Helen Keller

પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા પરંતુ “માલસરનો પ્રવાસ” કંઇક અલગ જ છાપ છોડી ચૂક્યો છે. તો અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું.

આ પ્રવાસ યાદગાર એટલે રહ્યો કે ફક્ત માલસર જવું એટલી જ ખબર હતી, કેવી રીતે જવું, ત્યાં કેટલો વખત રેહવું અને ત્યાંથી બીજે કશે જવું કે નહિ એવુ કશુ પ્લાનીંગ કર્યુ જ નહોતું.
બસ, એમ જ રખડવા નીકળી પડવાનુ, હરીનુ નામ લઇને!


તારા જન્મદિન પર – ભરત કાપડીઆ 1

શું ખપે આ વરસગાંઠે?
શુભકામનાની મઘમઘતી મજૂસ,
જોઈ સર્વ લોક થાય ખુશ.

ભરી તેમાં થોડી મોજમઝા ને ઝાઝો બધો રાજીપો,
ચપટીક સૌન્દર્ય ને કુલ નંગ ગપતાલીશ ચમત્કારો.
થોડી થોડી છટા ને ખોબલે ખોબલે પ્રેમ,
આંખો ભરાય એટલી સફળતા,


મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા 13

ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ – મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ – મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.


માઈક્રોકાવ્યો.. – પારસ હેમાણી 6

લઘુકાવ્યો, ઉર્ફ માઈક્રોકાવ્યોનો ખૂબ સુંદર સંગ્રહ પારસભાઈ હેમાણીએ ભેટ આપ્યો. ૧૦૮ મણકાની માળાના એ કાવ્યોમાંથી પસાર થતાં અને માણતા કાવ્યરચનાઓથી ક્યાંય વધુ વાતો એમાં બિટવીન ધ લાઈન્સ મળી. આ સુંદર કાવ્યરચનાઓનો સંગ્રહ “આપણી વાત” માંથી પસાર થવાની તક આપવા બદલ પારસભાઈનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. આજે તેમના સંગ્રહમાંથી માણીએ કેટલીક જાનદાર રચનાઓ.. આ સંગ્રહમાં એટલી બધી સરસ લઘુકાવ્ય રચનાઓ છે કે એક પોસ્ટમાં નથી લઈ શકાયા એટલે તેનો બીજો ભાગ પણ માણીશું.


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માઈક્રોફિક્શન વિશે ઘણાંં મિત્રો પૂછે છે કે ‘એ સમજવામાં અઘરી હોવી જરૂરી છે?’ કેટલાક મિત્રો શોર્ટફિલ્મો વિશે પણ પૂછે છે, ‘સહેલાઈથી સમજમાં આવે એવી કેમ નથી?’

મારે કહેવું છે કે આપણી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ મુખ્ય કથાનકની સાથે સાથે એક સુંંદર અન્ડરકરંટ લઈને ચાલે છે. ઘણી વખત એવું થાય કે નવલકથાનું કોઈ એક પાત્ર કે કોઈ ઘટના શરૂઆતમાં ફક્ત એક સહજ ઉલ્લેખ પામી હોય એ નવલકથાના કોઈ એક ભાગમાં એક અગત્યનું પાત્ર બનીને ઉપસી આવે. ઉદાહરણ તરીકે અશ્વિની ભટ્ટની ઁગાર્’કે ‘કટીબંધ’જોઈ લો. પણ એથી અલગ માઈક્રોફિક્શન વાર્તાઓ વાર્તાકથનના આદર્શ ફોર્મેટ, એક હકારાત્મક, એક નકારાત્મક પાત્ર, બંને વચ્ચેનો ખટરાગ અને અંતે સત્યની જીત એવા માળખામાં કે ક્યારેક એની આસપાસ પણ હોય એ જરૂરી નથી, આજની ઘણી વાર્તાઓ પોતે પોતાનું અલગ માળખું અને સ્થાન લઈને આવે છે.

દલીલ મૂકીએ તો દરેક વાર્તામાં એક ઍન્ટૅગનિસ્ટ હોય જ, માણસ નહીં તો ક્યારેક સંજોગો તો ક્યારેક નિર્ણયો પણ ઍન્ટૅગનિસ્ટ હોઈ શકે, અને એમાં માઈક્રોફિક્શન પણ બાકાત નથી. જેમ કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા ‘જન્મોત્સવ’માં વેલજી ડોસાનું પાત્ર વાર્તાનું આખું માળખુ બદલી આપે છે, વેલજી ડોસો વાર્તાનું મુખ્ય પાત્ર નથી, એ વાર્તાનો ઍન્ટૅગનિસ્ટ પણ નથી, અને છતાંય તમને એના પર તરત જ ઘૃણા થઈ આવે. એ વાર્તાનો પ્રભાવ છે, એક સાથે અનેક વાતો એમાં કહેવાઈ છે. આર્થિક અસમાનતાની, જરૂરતની, ઘૃણાસ્પદ નિર્ણયની અને બાળકની.. ઘણી શોર્ટફિલ્મ્સ આ જ રીતે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અને એ જ તેમને ટૂંકી હોવા છતાં યાદગાર બનાવે છે.

આજે જે ફિલ્મો લીધી છે એ બધી મેં એકથી વધુ વખત જોઈ છે, એ બધી જ મને અનોખી અને મજેદાર લાગી છે. શોર્ટફિલ્મની આ શ્રેણી માટે જો હું એકથી દસ ક્રમ આપું તો આજની આ ત્રણેય ફિલ્મો એમાં અવશ્ય આવે જ..


કથક નૃત્યનું ભાવદર્પણ : ઠૂમરી – સ્વાતિ અજય મહેતા

લલિત ગાયનનો એક પ્રકાર ઠૂમરી ગાયનક્ષેત્રના જેટલો લોકપ્રિય છે તેટલો જ ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલી કથકમાં પણ અતિ લોકપ્રિય અને તેના અતૂટ હિસ્સા સમાન છે. આ વાતની કથક પ્રેમી રસિકોને વિશેષ રૂપથી જાણ હોય જ. યોગાનુકૂલ પરિવર્તનોની દરેક કલા પર અસર આવતી જ હોય છે. કાલાંતરે કથક નૃત્યપ્રયોગોમાં પણ માત્ર મનોરંજનની ભાવનામાંથી બહાર નીકળી, તેનું પ્રાચીન મંદિર સ્વરૂપ તથા તેના અભિનયની અદાકારીને પૂર્ણ રીતે ખીલવવામાં ‘ઠૂમરી’નું બહુ અમૂલ્ય યોગદાન છે. કથક નૃત્યમાં નર્તનના ત્રણે ભેદો નૃત્ત, નૃત્ય અને નાટ્ય, ત્રણે અંગોનું સમૃદ્ધ અને વૈભવી સ્થાન છે અને એ દ્રષ્ટિએ કથક સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. ભારતીય પરંપરામાં નર્તન ક્રિયાના ત્રણે ભેદોમાં નાટ્યને રસાશ્રિત, નૃત્તને તાલલયાશ્રિત અને નૃત્યને ભાવાશ્રિત મનાયાં છે. ધનંજયે ‘દશરૂપક’ માં લખ્યું જ છે એ માન્યતાથી નૃત્યનું મુખ્ય કાર્ય ભાવોનું પ્રદર્શન છે.