Daily Archives: March 21, 2017


મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા 13

ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ – મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ – મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.