Yearly Archives: 2021


નૃત્યનિનાદ ૨ : નૃત્ય – ઉત્પતિ અને વ્યાખ્યા 6

આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ ‘નાદ’થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે ‘ૐ’ છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.


ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 13

“Everything is an art if you do it with heart”. એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! તમને તમારી ‘ઇકિગાઈ’ મળી ગઈ છે? શોધો અને લાંબુ, નીરોગી જીવન જીવો.


જાને વો કૌન સા દેશ જહાં તુમ.. – કમલેશ જોષી 6

રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.

toddler in pink and white polka dot shirt

શું અમૃતાએ સાહિરને ક્યારેય આવો પત્ર લખ્યો હશે? – નેહા રાવલ 1

‘फिर हाथ की कलम से, कागजों पर सरसराहट होने लगी, और जाने कितनी नज़्मे – पानी में बहेते हुए पेड़ो के पत्तो की तरह कागज़ों पर झड़ने लगी…’ આવું વાંચતા એમ થાય કે આ તો જાણે આપણી જ વાત કહી રહ્યા છે. જગતના દરેક સમયના દરેક પ્રેમીઓનાં DNA એકસરખા હોતા હશે?


શબ્દ રૂપી બ્રહ્મની સમજણ – શ્રદ્ધા ભટ્ટ 6

વાક્ એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. નિરુક્ત શાસ્ત્રમાં વાક્ નો એક પર્યાય સરસ્વત પણ છે. સરસ્વતી વાગ્દેવી પણ કહે છે. सरौ विविधम ज्ञानम विद्यते यस्याम चितौ सा सरस्वती। જેના ચિત્તમાં દરેક પ્રકારનું જ્ઞાન વિદ્યમાન છે તે સરસ્વતી. કેવું જ્ઞાન? सरस्: ज्ञानम અર્થાત પ્રશંસિત જ્ઞાન. જેની પ્રશંસા સમાજમાં કરી શકાય એવું જ્ઞાન.


ઐહોલ, પત્તદક્લ, બાદામી : પુરાતન મંદિરોના વિશ્વમાં.. – સ્વાતિ મુકેશ શાહ 5

અમે બિજાપુરથી હમ્પી જવાના હતા ત્યાં જાણ્યું કે બિજાપુરથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ઐહોલ હતું જ્યાં હિન્દુ સ્થાપત્યના બેનમુન મંદિર આવેલ હતાંં. હું તમને આજે ઐહોલની મુલાકાત કરાવીશ જે સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે.


લી. તારા વગર સૂકોભટ થઈ ગયેલો સંબંધ – રાજુલ ભાનુશાલી 22

ઘૂઘરીમાંથી ખણક છુટ્ટી પડી શકતી નથી, મધ અને મીઠાશને વિખૂટાં પાડી શકાતાં નથી. કોઈ વસ્તુમાંથી એની છાયાને દૂર કરી શકાય ખરી? તું મારી છાયા છે. મારી મીઠાશ છે. મારી ખણક છે. આપણે જુદા ન પડી શકીએ. આપણને જુદા ન પાડી શકાય.


fashion people woman art

કોલકાતામાં માણેલા લગ્નો અને કોલકાતાની ચટાકેદાર વાનગીઓ! – હરસુખ રાયવડેરા 3

કોલકાતાની બીજી એક સારી વાત એ છે કે બધી વાનગીઓના ભાવ પણ અહીં વ્યાજબી છે. અહીં રહેતા મજૂરો ૩૦ રૂપિયામાં ભરપેટ દાળ, ભાત અને રોટલી ખાઈ શકે છે. અને એટલે જ ભારતના કોઈ પણ શહેર કરતાંં ગરીબ લોકોની વસ્તી અહી વધારે છે. અહી બસના ભાડા પણ ઘણાંં ઓછા છે.


મારા ક્ષેમ કુશળની જવાબદારી ઉઠાવીશ ને? – નીલમ દોશી 1

હે પરમાત્મા, હવે જયારે હું મારી જાત વિશે સભાન બન્યો છું, એક નવી રીતે જીવવાનો નિશ્વય કર્યો છે ત્યારે હું મારા અવગુણોને દૂર કરવા કટિબધ્ધ બનીશ. જોકે એ કામ કંઇ રાતોરાત નથી થવાનું. પણ હવે મારા જીવનનું સુકાન તને સોંપવું છે.

tealight candle on human palms

woman holding white bear plush toy

વેલેન્ટાઇનનું વ્હાલ.. – શીતલ ગઢવી 1

“હું માસિકમાં બેસતી થઈને મારાં બાપુજીએ વેવિશાળ કરી દીધા. અમે દસ બુનો. એ પણ હવા હોરી. એક ભાઈ હારુ મારી માએ દસ પથરા જણ્યા. પ્રેમ તો માવતર પાસેય ન ભાળ્યો. મારી મા કે’તી કે બીજી બે બુનો તો આવતા પહેલા જ સરગ સિધાવી.”


વાર્તા વિશેના FAQ – એકતા નીરવ દોશી 13

આજે વ વાર્તાનો વ કોઈ વાર્તા કે તેનું વિવેચન લઈને નથી આવ્યું પણ આવ્યું છે વાર્તાની થોડી સમજણ લઈને! થોડી સમજણ તમારી અને થોડી સમજણ મારી ભેળવીને વિસ્તારીએ આપણી વાર્તા સમજવાની કળાને. તો આજનો લેખ છે વાર્તાને લગતા FAQ (Frequently Asked Questions) : વારંવાર ઉઠતા / પૂછાતા સવાલો…


mother helping her daughter use a laptop

શિક્ષક… બાળમાનસમાં કોતરાઈ જતું એક નામ – ભારતીબેન ગોહિલ 7

શું તમે તમારાં લાડકાં સંતાનો માટે ઉત્તમ વિદ્યાલયની શોધમાં છો? તો માત્ર આલીશાન બિલ્ડિંગ, આધુનિક સુવિધાઓ કે સ્માર્ટ રૂમ્સ જ ન જોશો. બાળકોના વિકાસમાં અત્યંત આવશ્યક એવા આ પાસા પર પણ અચૂક વિચારજો!


કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી 7

વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.


‘અનામિકા’ તું ભી તરસે! – હર્ષદ દવે

ઉર્દૂ કવિ મજરૂહ સુલતાનપુરીના ફિલ્મ-કથાને અનુરૂપ, પરિસ્થિતિને વ્યક્ત કરતા દરેક શબ્દને કિશોરદાનો કંઠ અને રાહુલ દેવનું સંગીત ન્યાય આપે છે. ‘અશ્રુની ભીનાશ ધરાવતી પાંપણો પર મારા પ્રિયપાત્ર સાથેનાં સપનાં વેરવિખેર થઇ ગયાં છે. અને તેથી મારું મન જેવી વ્યથા અનુભવે છે તેવી જ વ્યથા ‘અનામિકા’ તું પણ અનુભવે અને સંજીવકુમારની એ વ્યથા ઘૂંટાતી જાય છે.


સારા માણસ બનવાનું ગમે છે? (પરમ સખા પરમેશ્વરને : ૩) – નીલમ દોશી

હે ઇશ્વર, મને જાણ છે કે હું મારી અનેક આદતોનો બંદીવાન બની ગયો છું.. મેં પોતે રચેલા કેદખાનામાં પૂરાઇ ગયો છું. ફૂલ પર રહેલા ઝાકળનુ સૌન્દર્ય માણતા મને નથી આવડતું,


Nomadland: એકલતાનું ગીત – નરેન્દ્રસિંહ રાણા 6

બૅન્ક એકાઉન્ટને બદલે સ્મૃતિઓના એકાઉન્ટને સમૃદ્ધ કરવામાં માનતા લોકો માટે આ ફિલ્મ છે. સંવેદનાઓને ફિલ્મી પડદે જીવંત જોવામાં માનતા લોકોને આ ફિલ્મ ચોક્ક્સ ગમશે.


લઘુકથા સ્વરૂપપરિચય : મોહનલાલ પટેલ; પુસ્તકસમીપે – અંકુર બેંકર 7

એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.
“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”
ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.


નીતિશતકના મૂલ્યો (૩) – ડૉ. રંજન જોશી 6

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૮ થી ૧૦ ના અર્થ સહ વિસ્તાર.


અધ્યાત્મનો અણસાર – પ્રદીપ રાવલ ‘સુમિરન’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ

કવિશ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.

જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.


નૃત્યનિનાદ ૧ : નૃત્ય – એક લલિતકળા 19

નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


સ્મશાન યાત્રા – કમલેશ જોષી 6

પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.


એક પત્ર સારંગપુરના ઘરને.. – નેહા રાવલ 13

તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં… એ સમયની હુંફ મને ઘેરી વળે છે!


આઝાદીની પૂર્વસંધ્યાએ.. : અર્ધી રાત્રે આઝાદી – ધર્મેન્દ્ર કનાલા 14

આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.


શ્રદ્ધા મતલબ.. – શ્રદ્ધા ભટ્ટ 19

શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?


લદ્દાખ (સફરનામું) ભાગ ૨ – સ્વાતિ મુકેશ શાહ 9

પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,


મોહી પડવાની પળ – રાજુલ ભાનુશાલી 32

ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું.


ન્યુઝ સ્ટોરી – મનહર ઓઝા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 12

મારી દ્રષ્ટિએ આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી કટાક્ષિકા છે. જેમાં એક ફિલ્મની ગતિએ દ્રશ્યો બદલાય છે. આ વાર્તા હજુ ધીમી અને લાંબી થઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં દરેક પાત્રના મનોમંથનનો અવકાશ હતો. જેને કારણે પાત્રના ઘડતરને પણ મજબૂતી મળી શકત. હજુ વધારે ઘૂંટી શકાય તેવી વાર્તા ચોક્કસપણે સામાજિક નિસબત ધરાવે છે.


ન્યુઝ સ્ટોરી – મનહર ઓઝા 2

“યુ વોન્ટ બીલીવ પાર્થ, તે દિવસે સ્ટોરી માટે હું ભૂખ્યો તરસ્યો આખીરાત રખડ્યો હતો. બસ, મનમાં નક્કી કર્યું હતું, કે સવારે એક સરસ સ્ટોરી લઈને જ ઓફિસે જઈશ.”


boy in gray hoodie doing with tongue out

બાળકોની ધમાચકડી એટલે તાન, જુસ્સો અને થનગનાટ! – ભારતીબેન ગોહિલ 16

આપણે આપણાં બાળકોને શિસ્તમાં રાખી ડાહ્યાં ડમરાં બેસાડી દેવાને બદલે તેને ધમાચકડી કરતાં, નવું શીખતાં, જુસ્સો વ્યક્ત કરતાં ને થનગનાટ કરતાં કરી દઈએ. તેનું અમૂલ્ય બાળપણ સૌ સાથે મળીને ઉજવીએ!