Yearly Archives: 2011


શ્રી સૉલિડ મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૭ (Audiocast) 1

અક્ષરપર્વમાં ગઝલસંધ્યા આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવાની હા પાડ્યા પછી શ્રી જશવંતભાઈ મહેતા અને શ્રી દીનાબેન શાહને પણ સાદર શામેલ કરનાર અને અક્ષરપર્વને ઘરના જ ઉત્સવની જેમ પોતીકી રીતે ભાગ લઈને ચાર ચાંદ લગાવનાર શ્રી સૉલિડભાઈ મહેતાની ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં આજે માણીએ. અક્ષરપર્વમાં આટલા સરસ અને ઉમદા સહયોગ બદલ સૉલિડભાઈને આભારના કયા શબ્દો વડે નવાજવા? શબ્દો એ અભિવ્યક્તિમાં કાયમ ઓછા જ પડવાના. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ શ્રી સૉલિડભાઈ મહેતાનો ખૂબ ખૂબ વંદન.


ડૉ. દીના શાહ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૬ (Audiocast) 7

વડોદરામાં ગાયનેકોલોજીસ્ટ એવા ડૉ. શ્રી દીનાબેન શાહ અક્ષરપર્વમાં આમ તો શ્રી સોલિડ મહેતા સાહેબને મળવા આવ્યા હતાં પણ અમારા સૌના આગ્રહે તેમણે તેમની રચના પ્રસ્તુત કરવાની સહર્ષ સંમતિ આપી. આજે પ્રસ્તુત છે તેમના જ સ્વરમાં તેમની ત્રણ રચનાઓ, જેમાં બે ગઝલ તથા એક ગીતનો સમાવેશ થાય છે. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ ડૉ. દીનાબેનનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન 7

અક્ષરપર્વમાં ‘નાદ’ સ્વરૂપને તેમના સુંદર વાંસળીવાદન વડે પ્રસ્થાપિત કરવાની વિનંતિ મેં શ્રી પ્રસાદભાઈ સાઠેને કરી અને તેમણે એ માટેની સહર્ષ સંમતિ આપી. સમગ્ર સંગીતસંધ્યા દરમ્યાન તો તેમણે સુંદર વાંસળીવાદન વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા જ હતાં, પણ દસેક મિનિટની તેમની આ વિશેષ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉલ્લાસમય કરી દીધું. તેમણે ઉલ્લાસ અને ઉમંગના પ્રતીક સ્વરૂપ ‘દેશ રાગ’ પ્રસ્તુત કર્યો. – સાંભળીએ શ્રી પ્રસાદભાઈ સાઠેનું વાંસળીવાદન.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૪ 2

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો સતત યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ચોથા દિવસે પ્રથમ વિડીયોમાં હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત મેં ગાયેલું શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની રચના એવું “ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ….” પ્રસ્તુત કર્યું છે.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩ 5

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ત્રીજા દિવસે પ્રથમ વિડીયો અંતર્ગત હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત વડોદરાના મિત્ર શ્રી કિરણભાઈ નવાથે ના સ્વરમાં સાંભળીએ એક સરસ ગીત તથા બીજા વિડીયોમાં શ્રી જલ્પાબેન કટકીયા દ્વારા ગવાયેલી સદાબહાર ગઝલ ‘થાય સરખામણી તો….’ રજૂ કરી છે.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨ 4

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો ગઈકાલથી અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે પ્રતિભા અધ્યારૂ અને શ્રી ગોપાલભાઈ પારેખની કેફિયત તથા બીજા ભાગમાં શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકના સુંદર અને મંત્રમુગ્ધ કરી દે તેવા સંચાલન સાથે સંગીત સંધ્યાના પ્રથમ બે ગીતો, જેમને સ્વર શ્રી રાહુલભાઈ રાનડેનો છે. વાંસળી પર શ્રી પ્રસાદભાઈ સાઠેનો જાદૂ પણ આપ જોઈ શક્શો.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧ 10

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો આજથી અક્ષરનાદ પર મૂકવાની શરૂઆત કરી રહ્યો છું. આજે આ પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે મારી વાત અને સાથે દીપપ્રાગટ્ય પ્રસ્તુત છે. આવતીકાલથી સૂર ઉમંગી – સંગીત સંધ્યાના વિડીયો માણી શકાશે.


ઑફિસમાં સર્જાતા ‘કામાયણો’ ! – ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી 7

માણસના મનમાં અજાગ્રત રીતે જાગતું વિજાતીય ખેંચાણ આજની પેઢીમાં – નોકરીઓમાં સતત નજીક રહેતા લોકોમાં અસંબદ્ધ રીતે ઉદ્ભવે છે. એ અકળાવે છે, ક્યારેક ઉકાળે છે. આ અસંતોષ વકરે ત્યારે સામાજિક રીતિ-રિવાજોનો તાલમેલ તોડીને મનોવિકૃતિ કે મનોરુગ્ણતા રૂપે પ્રગટતો હોય છે. કાવ્યમાં કલ્પના છે એક મોટી કોર્પોરેટ ઓફિસની જેમાં એકી સાથે અનેક સ્ત્રી પુરૂષોને ઑફિસના કામ નિમિત્તે પરસ્પર મળવાહળવાનો ને ટોળટપ્પાનો અવકાશ છે, ને તે છતાંય ઑફિસ છે એટલે જવાબદારીનો બોજ છે, જાહેર સ્થળ હોવાથી એ મનોવિકૃતિઓને યથેચ્છ પ્રકટાવવાનો મોકો આપતું નથી. પણ એમાંથી ચોરાયેલી ક્ષણોમાં નરનારીઓ છાનગપતિયાંની રમત રમે છે.


એક અવિસ્મરણીય ઉત્સવ ‘અક્ષર પર્વ’ – અક્ષરાંજલી 11

તારીખ ૧૪મી મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન શ્રેયસ વિદ્યાલયના સભાગૃહમાં અક્ષરનાદ.કોમ વેબસાઈટના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશને વધાવવા યોજાયેલ અક્ષરપર્વ ખૂબ જ સરસ અને એકથી એક ચડીયાતી પ્રસ્તુતિઓ સાથે આનંદ અને યાદગાર સંભારણાઓ આપી ગયું. આ સમગ્ર પ્રસંગનો વિડીયો અક્ષરનાદ પર આવશે જ, આજે ફક્ત શબ્દાંજલી આપવાનો યત્ન કરવો છે.


એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા 6

પ્રસ્તુત ગઝલ ‘એ સમયની વાત સાંભળ…’ બદલાતા સમય, આધુનિકીકરણ – શહેરીકરણ અને જીવનપદ્ધતિઓ સાથે તાલ મેળવી રહેલા માનવે ગુમાવેલી અનેક યાદગાર વાતોનો સુંદર સંચય લઈને આવે છે. આ બધી સવલતોને કાંઈ વર્ષો વીતી ગયા નથી… હમણાં, આ નજીકના ભૂતકાળમાં આપણી પાસે આ બધુંય હતું, પણ આજે એને કોરાણે મૂકીને આગળ વધી ગયેલા આપણે હવે ફક્ત એ સમયની વાત જ સાંભળવાના. અક્ષરનાદને આ સુંદર રચના મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની 13

આમ તો આ બાળવાર્તા કહેવાય, પણ મેનેજમેન્ટના કોઈ પણ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ ગણી શકાય તેવી આ વાર્તા અનેક અર્થો દર્શાવી શકે તેમ છે, તારવી શકાય તેવું નવનીત આમાં ભારોભાર પડ્યું છે. અનેક વ્યવસ્થાઓ પરનો કટાક્ષ પણ આમાંથી સજ્જડ ચોટ આપતો છલકાય છે. બાળકોથી લઈને મોટેરાંઓ સુધી સહુને લાગૂ પડતી આ વાર્તા ખરેખર ફક્ત બાળવાર્તા થોડી છે !


બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી 5

પ્રસ્તુત ગઝલ પરંપરામૂલક અને અભિધામૂલક છે. આજના મનુષ્યની જિંદગી ઢંઢોળવા આ લખાઈ હોય તેમ લાગે. કવિનો અહીં પવિત્ર આક્રોશ પ્રગટ થાય છે, તેઓ કહે છે કે જે અલ્લાહ અને રામને નામે થતાં દંગલોમાં અનેક લોકો મરે છે તે તો નિર્દોષ મનુષ્ય જ છે. ઘૃણાસ્પદ કામો થયા કરે એ અવગણીને માત્ર જીભથી રટાતા નામનો કવિને ખપ નથી એ મતલબનું અને અંતે પ્રેમ અને સહ્રદયતાની સરસ વાત સમજાવતી પ્રસ્તુત ગઝ્લનો આસ્વાદ રમેશ પારેખે તેમના સંપાદિત પુસ્તક ‘કવિતા એટલે આ…’ માં આપ્યો છે.


તુમ્હેં યાદ હો કિ ન યાદ હો – મોમિન 3

૧૮૦૦ની સાલમાં જન્મેલા હકીમ મોમિનખાન ‘મોમિન’ મિર્ઝા ગાલિબ તથા ઝૌક વગેરેના સમકાલીન ગઝલકાર હતા. બહાદુરશાહ ઝફરના દરબારમાં શાયરોની પંક્તિના અવિભાજ્ય અંગ એવા મોમિન પ્રેમની ભાવઉર્મિઓથી ભરપૂર ગઝલ અને નઝ્મ એટલી મધુર અને નાજુક ભાષામાં રચતા કે તેમની શાયરીના ગાલિબ પણ પ્રશંસક હતા. આજે પ્રસ્તુત છે તેમની એક સરસ અને સાદ્યાંત ઈશ્કના મિજાજમાં ડૂબેલી જાનદાર ગઝલ.


રામાયણ (અનુઆધુનિક) – અશ્વિન ચંદારાણા 15

‘રખડપટ્ટી’, ‘બિલ ગેટ્સ’, ‘હું ચોક્કસ આવીશ’ જેવા સુંદર પુસ્તકોના લેખક, જાણીતા ગઝલકાર, બાળસાહિત્યકાર એવા શ્રી અશ્વિન ચંદારાણાની પ્રસ્તુત રચના સપ્ટેમ્બર 2007 માં ‘કવિતા’ સામયિકમાં પ્રસ્તુત થઈ હતી. સદાકાળ સંદર્ભો અને પ્રસંગોના ઉલ્લેખ છતાં એ જ ઘટનાઓને નોખા પરિપ્રેક્ષ્યમાં આજના સંદર્ભે પુન: પ્રસ્તુત કરવાનો સરસ પ્રયત્ન તેમણે કર્યો છે. બદલાયેલા મૂલ્યોને લઈને તેની રામાયણ સાથેની સરખામણી અહીં જોઇ શકાય છે. રામાયણનું પ્રસ્તુત અનુઆધુનિક સ્વરુપ વાંચકોને ગમશે એવી આશા છે. આ રચના અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


વરઘોડો – હાર્દિક યાજ્ઞિક 13

આજે પ્રસ્તુત એવી ટૂંકી વાર્તામાં હાર્દિકભાઈની નિરૂપણની, એક પ્રસંગને કેન્દ્રમાં રાખીને આખી વાત વર્ણવી શકવાની ક્ષમતા દેખાઈ આવે છે. નંદુનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેના ભૂતકાળને વાર્તાનું આગવું તત્વ બનાવીને વર્તમાનમાં તેના મનોજગતને પ્રસ્તુત કરે છે. વાર્તાનો અંત તેની સતત રહેતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી 5

શ્રી હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ ના કાવ્યસંગ્રહ ‘પછી’ નો આસ્વાદ લેખ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહના વિવિધતા ભર્યા સંચયમાંથી એક અનોખું અછાંદસ – (કવિ) અર્જુનને કૃષ્ણોપદેશ. મનપ્રદેશમાં રહેતા શબ્દો જ્યારે અક્ષરદેહ ધારણકરીને કાગળ પર અવતરિત થવા આનાકાની કરતા હોય અને એ ખેંચતાણને લઈને શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર થયેલા અર્જુનને નાદરૂપી શ્રીકૃષ્ણ મનમાં પડઘાતા શું કહે છે…. આવો જાણીએ એ જવાબ શ્રી અલ્પ ત્રિવેદીના આ સુંદર અછાંદસ દ્વારા.


ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ – લીરલબાઈ 1

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં લીરલબાઈ કે નીરલદેનો જન્મ થયો હોવાનું મનાય છે. લીરલબાઈએ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ. પ્રસ્તુત ભજનમાં શરીરની અંદર વસતા આતમતત્વને જ લીરલબાઈ સમગ્ર જીવનનો સાર બતાવે છે, જે કાંઈ પડ્યું છે તે માંહ્યલામાં જ છે અને એટલે જ જે શોધ કરવાની છે તે પણ અંતરમાં જ થવી જોઈએ એ અર્થનું આ ભજન ખૂબ જ માર્મિક છતાં લોકભોગ્ય છે.


Shabda Sugandhi Sur Umangi

અક્ષરનાદ આયોજિત “અક્ષર પર્વ” – શબ્દ સુગંધી, સૂર ઉમંગી…. 12

અક્ષરનાદને મે, ૨૦૧૧ માં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મિત્રોના આગ્રહ અને તે પછી પ્રસ્થાપિત સાહિત્યકાર વડીલોના માર્ગદર્શન તળે ગુજરાતી બ્લોગજગતનો – એક વેબસાઈટ દ્વારા અને વેબસાઈટ માટે જ આયોજિત થયો હોય એવો પ્રથમ કાર્યક્રમ અક્ષરનાદ તારીખ ૧૪ મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન, શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, વડોદરા મુકામે કરવા જઈ રહ્યું છે. હવે વાત મૂળ કાર્યક્રમની કરીએ, તો કાર્યક્રમની મૂળ વિગત મુખ્યત્વે નીચે મુજબના પ્રસંગોમાં વહેંચાયેલી છે, અક્ષરનાદ પરિચય અને કર્મવિશેષ, કવિ મિલન – શબ્દ સુગંધી, સંગીત સંધ્યા – સૂર ઉમંગી. અનેક વરિષ્ઠ સાહિત્યકાર, વડીલ મિત્રોએ, બ્લોગર મિત્રોએ, સહભાવકોએ કાર્યક્રમમાં આવવા માટે તેમની સંમતિ આપી છે, અને મને જણાવતા આનંદ થાય છે કે કવિમિલન સમગ્રપણે, દબદબા સાથે, અનેક આદરણીય વડીલોની હાજરીએ શોભી ઉઠવાનું છે. આપ આવશો ને ?


આજ પધારે હરિ – ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ (Audiocast) 8

શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ની ‘સકલ કવિતા’ માંથી શ્રી માધવ રામાનુજ, સંગીત નિર્દેશક સ્વ. શ્રી છીપા તથા શ્રી સ્નેહરશ્મિના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ દ્વારા પસંદ કરાયેલી રચનાઓ ‘સ્નેહનિકેતન’ દ્વારા સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે. સંગીત નિર્દેશન સ્વ. શ્રી એફ. આર. છીપા દ્વારા તથા સંગીત સંચાલન શ્રી અમિત ઠક્કર દ્વારા કરાયું છે. અક્ષરનાદને આ આખુંય આલ્બમ મોકલવા બદલ શ્રી સિદ્ધાર્થ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહની બધી રચનાઓ સમયાંતરે આપણે માણીશું. આજે એ જ સંગ્રહમાંથી માણીએ એક સુંદર રચના …. ‘આજ પધારે હરિ’ ઑડીયો સ્વરૂપે.


દીકરા ! – જગદીપ ઉપાધ્યાય 13

નર્મદ સાહિત્યસભા સૂરત અંતર્ગત આયોજિત કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૨ સને ૨૦૦૯ – ૧૦ માં કુલ ૩૧૭ વાર્તાઓ આવી હતી. અહીં ગુજરાત, ગુજરાત બહાર અને વિદેશથી પણ વાર્તાકારોએ ઉમળકાથી ભાગ લીધો હતો. આ જ વાર્તાઓમાંથી શ્રી જગદીપ ઉપાધ્યાયની ‘દીકરા !’ આજે સાભાર અહીં પ્રસ્તુત કરી છે. ‘દીકરા !’ એક અનોખી આભા સર્જતી વાર્તા છે, વાર્તાની બાંધણી જેટલી ચોક્કસ છે એટલો જ વાર્તાપ્રવાહ સતત છે. વાર્તાના ઉઘાડ વખતે વાચકના મનમાં સર્જાયેલા દ્રશ્ય ચિત્રના અંત સુધી પહોંચતા ભૂક્કા થઈ જાય એવી સજ્જડ કારીગરી લેખકે કરી છે. વાર્તાનો અંત ફૂલગુલાબી નથી, પણ જિંદગીની વાર્તાઓમાં ખાધું, પીધું અને રાજ કર્યું જેવા સુખદ અંત દરેક વખતે હોતા નથી. કથાવસ્તુ સત્યની લગભગ અડીને ચાલે છે, અને વાંચકને તેના પ્રભાવમાં અંત સુધી જકડી રાખે છે.


ચાલો સંસ્કૃત શીખીએ …. ભાગ ૫ 14

આપણે પ્રથમ-મધ્યમ પુરુષ નો અભ્યાસ કર્યો. હવે ઉત્તમ પુરુષ નો અભ્યાસ કરીશું. જ્યારે આપણે પોતના વિષે વાત કરતા હોઇએ ત્યારે ઉત્તમ પુરુષ નો પ્રયોગ કરીશું. એક બાળકની દિનચર્યા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું.


બે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ 3

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે, તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે, તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે. તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે, તત્વમસી, અતરાપી, અકૂપાર, કર્ણલોક, અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય ‘ગાય તેના ગીત’, લેખન પ્રત્યેની આગવી સૂઝ, ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે. આજે એ બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે આ નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે 8

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ બીજી રચના છે, આ પહેલા તેમની એક નવલિકા પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખમાં તેઓ દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદપ્રાપ્તિ માટેના રસ્તાઓ ચીંધે છે. નાની નાની વાતો પણ કેટલી મહત્વની થઈ પડે અને સંબંધના પાયાને મજબૂત બનાવે છે તે વંદિતાબહેન અહીં કહે છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 3

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની બે ગઝલ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો શ્વાસને પણ સંબંધી બનાવી દે છે, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે, તો ઝંખનાઓનું ભેગા થવું એટલે લાગણી એવો અર્થ પણ અહીં ઉપસે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 21

આજે પ્રસ્તુત છે એક ખૂબ જ સુંદર ગઝલપઠન, “પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે….” ચાલો સાંભળીએ આ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં. ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.


ગાંધી વિરુદ્ધ મોહન – ફિલ્મમાં અદાકારીનો મારો પ્રથમ અનુભવ 18

અક્ષરનાદની આ સફર દરમ્યાન અનેક આનંદસભર અને અવનવા અનુભવો થતાં રહે છે, નવા મિત્રો મળતા રહે છે. ઘણી વખત અનોખા અવસર અનાયાસ આંગણે આવીને આમંત્રે છે. ફેબ્રુઆરી ૨૦૧૧ દરમ્યાન એક વાચકમિત્ર ગૌરાંગીબેન પટેલનો પ્રતિભાવ મળ્યો હતો, જે અંતર્ગત તેમણે તેમની નાની ફિલ્મમાં ‘ગાંધીજીનું પાત્ર ભજવતા અદાકાર’નું પાત્ર ભજવવા માટે પૂછેલું. પરંતુ મેં માન્યું કે એ ખૂબ મોટી વાત છે, આપણા ક્ષેત્ર બહારની વાત છે અને વધુ તો સમય માંગી લેતી પ્રક્રિયા, એટલે એની સાથે જોડાવું લગભગ અશક્ય છે. પણ મારા પોતાના આશ્ચર્ય વચ્ચે એ ભૂમિકા મેં ભજવી છે, દિવસ પણ ઘણો વિશેષ થઈ રહ્યો અને અનુભવ પણ ખૂબ સરસ રહ્યો, એ અનુભવની થોડીક ઝાંખી આજે પ્રસ્તુત કરી છે.


ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૪ 2

આપણે प्रथमपुरुषः एकवचन નો અગાઊની કડીઓમાં વિસ્તારથી અભ્યાસ કર્યો. આજે આપણે प्रथमपुरुषः द्विवचन તેમજ बहुवचन નો ઉદાહરણો તથા સમજૂતિ સાથે અભ્યાસ કરીશું.


ડૉ. મૌલિકભાઈ શાહના બે ગુજરાતી વેબ રત્નો – જિજ્ઞેશ અધ્યારૂ 4

ગયા વર્ષે “બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ” એ શિર્ષક અંતર્ગત એક લેખ લખેલો. બ્લોગજગત અને ગુજરાતી બ્લોગજગતની શક્યતાઓ વિશે ત્યાં મારા થોડાક વિચારો પ્રગટ કરેલા. એ જ અંતર્ગત એવો એક આશાવાદ પણ પ્રગટ થયો હતો કે, “બ્લોગ માટે ફક્ત કવિતા, ગઝલ કે વાર્તાઓ જ હોવા જોઈએ એવું કોણે કહ્યું? અરે એક ડોક્ટર પોતાના અનુભવો વિશે, લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા અને જીવનપધ્ધતિ વિકસાવવા માટે પણ બ્લોગ લખી જ શકે ને?” ગુજરાતી બ્લોગજગતના “માતૃત્વની કેડીએ…” જેવા એક સરસ બ્લોગના સર્જક અને વ્યવસાયે ડોક્ટર મિત્ર શ્રી મૌલિકભાઈ શાહનું સર્જન એવી, ગુજરાતી વેબ રત્નો સમાન બે વેબસાઈટ્સ વિશે આજે વિગતે જાણીએ.


રવીન્દ્રનાથની ચિંતનકણિકાઓ – નગીનદાસ પારેખ 1

કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, “રવિબાબુએ પોતાની ઉત્કૃષ્ટ અને વિસ્તૃત કવિતામાં જે વિચારો કલ્પનાઓ અને ભાવનાઓ ખીલવ્યાં છે તે સમજવા માટે આ કંડીકાઓ જેટલું બીજું ઉત્તમ સહાયક સાહિત્ય નથી. નાનપણથી પ્રકૃતિ સાથે અને પ્રકૃતિના સનાતન બાળક સમી ગ્રામીણ પ્રજા સાથે ઊંડો પરિચય અને સ્વભાવમાં અંતર્મુખતા હોવાથી નિરીક્ષણ, પરીક્ષણ અને ચિંતન એ ત્રણે વ્યાપાર એમને માટે સ્વાભાવિક હતાં. એમાંથી જે જીવન ઉપાસના તેઓ કરી ગયાં તેનો નિચોડ આ ચિંતનકણિકાઓ આપણને આપે છે.” શ્રી નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત અને શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંકલિત પુસ્તિકા “રવિન્દ્રનાથની ચિંતન કણિકા” માંથી આ રત્નો સાભાર લીધાં છે.


ત્રણ સુંદર મજાના બાળગીતો – સંકલિત 11

બાળગીતો આપણા બાળપણની અનેરી યાદો છે. આજે ક્યાંક ‘પા પા પગલી…’ કે ‘મેં એક બિલાડી પાળી છે’ કે ‘નાની મારી આંખ’ સંભળાય ને કોણ પોતાના બાળપણમાં ન ખોવાઈ જાય ? પણ આ ટ્વિન્કલીયા સ્ટારે આપણા એ ચાંદામામાની ચમકને ઝાંખી પાડી દીધી છે. હવેના બાળકો આ ગીતો સિવાય જ મોટા થઈ રહ્યા છે. એમને નથી શિવાજીનું હાલરડું મળતું કે નથી ધ્રૃવ પ્રહલાદની અને ચેલૈયાની વાતો સાંભળવા મળતી. ‘ચકી ચોખા ખાંડે છે’ જેવા જોડકણા હોય કે ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ હોય, એ પદ્ય રચનાઓ દરેક બાળકના મનમંદિરમાં વસેલી રહેતી. આજેય એ ગીતો યાદ આવે ને મને નાનું થવા તલપાપડ થઈ ઉઠે છે. આજે પ્રસ્તુત છે આવા જ ત્રણ અતિપ્રચલિત, સુંદર અને ભોળા – બાળગીતો.