સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ચિંતન નિબંધ


વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ 5

શબ્દસૃષ્ટિ સામયિકનો દિવાળી વિશેષાંક અનેકવિધ લેખકોના વિવેચન વિશેના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાંથી શ્રી સતીશ વ્યાસનો ‘વિવેચન એટલે વિવાચન’ શીર્ષક ધરાવતો લેખ આજે પ્રસ્તુત કર્યો છે. તેઓ કહે છે, ‘વિવેચન મારે માટે તો વિવાચનનો વિષય છે. કશુંક વિશેષ વાંચવું ગમે તો, ન સમજાય તો વારંવાર વાંચવું. સર્જકે કરેલા વિશેષ ભાષાકર્મને ઉકેલવા મથવું. એણે આ સ્થાને આ જ શબ્દ શા માટે પ્ર-યોજ્યો હશે, એ સમયે મોના સંવિદની સ્થિતિ-અવસ્થિતિ કેવી હશે, એની મથામણ-માથામણ કેવી હશે, એને તટસ્થતા – તન્મયતા વચ્ચેની, ક્રિકેટના અમ્પાયરના જેવી, ભૂમિકાએ રહી મૂલવવી એટલે વિવાચન ! એમાં સહ્રદયતા પણ હોય, સાચુકલાઈ પણ હોય અને સૌંદર્યપરકતા પણ હોય !’ માણો આ સંપૂર્ણ લેખ, સાભાર શબ્દસૃષ્ટિ સામયિક.


વન વગડાની તુલસી.. – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 5

રમેશભાઈ ચાંપાનેરીની કલમે અનેક હાસ્યલેખ આપણે માણ્યા છે, તો આજનો આ ચિંતનલેખ કહો, વાર્તા કહો કે સાહિત્ય લેખ કહો… મનનીય સર્જનને ગમે તે પ્રકારમાં બાંધો, એ સદાય વિચારપ્રેરક જ હોય છે. રમેશભાઈ તેમની કલમનો આજનો આ સુંદર પ્રયાસ અક્ષરનાદની સાથે વહેંચી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

* * *

જીવન એટલે, શું શ્વાસોનું ધબકતા રહેવું? જીવન એટલે, શું મેં ઘડેલી મારી જીવન કુંડળીમાં મારે અલમસ્ત રહેવું? જીવન એટલે, શું લોકોમાં મારી રીતે મારી વાહ… વાહ… ઉભી કરી મારે મસ્ત બનીને રહેવું? લોકો મારી તકલાદી અને તકવાદી પીઠ થાબડે એમાં આનદ લેવો? ના… એ જીવન નથી. જે દેખાય છે, એ જીવનની પાછળ પણ એક જીવન છે……


ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા 4

આર્થિક, સામાજિક, સાહિત્યિક, કળાત્મક, સાંસ્કારિક વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે. આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય તોય તેમાં બીજી ભાષાનાં ખાતરોપણ છે જ. સાચી વાતતો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત + સ્થાનિક તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સરી પેઠે મિશ્રિત છે. ભાષા કરતાંયે લિપિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી.


તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર 4

ડૉ. સંતોષ દેવકરની આજની વાત આપણા શિક્ષણતંત્રની કરોડરજ્જુ એવા પ્રયોગશીલ સમર્પિત શિક્ષકો વિશેની વાત કહે છે. તેમના માટે કેળવણીકારો પ્રયોગશીલ શબ્દ વાપરતાં હોય છે, એવા શિક્ષકો જેઓ પરિપત્રો, સમય અને પુસ્તકોથી ઉપર વિદ્યાર્થીઓના જ્ઞાનસમૃદ્ધિ માટે કામ કરે છે. આપણે દરેકે આપણા શાળાજીવનમાં આવા અમુક શિક્ષકો તો જોયા જ હશે. આજની ડૉ. દેવકરની વાત સમર્પિત છે એવા જ આદરપાત્ર ‘ગુરુ’ને. અક્ષરનાદને આ સુંદર વિચારશીલ લેખ પાઠવવા બદલ ડૉ. દેવકરનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


જો બકા! ભાઇબંધી એટલે ભાઇબંધી – ડૉ. હાર્દિક યાજ્ઞિક 11

નડીયાદથી શરૂ થયેલ સાપ્તાહિક ક્વોલિટી સક્સેસમાં મારી ટેકનોલોજીને લગતી કૉલમ ‘ઇન્ટરનેટની હકારાત્મક બાજુ’ પ્રસ્તુત થાય છે. દર રવિવારે પ્રસિદ્ધ થતાં આ સાપ્તાહિકમાં હાર્દિકભાઈ યાજ્ઞિકની સરસ નિયમિત કૉલમ ‘હું, તમે અને વાતો’ પ્રસ્તુત થાય છે. તેના ગતાંકની મિત્રતા વિશેની આ વાત આજે પ્રસ્તુત છે. ચોવીસ કૅરેટની શુદ્ધતાનો હોલમાર્ક ભલે ન હોય, પણ સો ટચની લાગણીઓથી તરબરતર થયેલો ખાલી એક દોસ્ત તમારી જોડે હોય ને, એટલે દુનિયાભરના સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં તમારું નામ જાતે જ ઉમેરી દેવાની તમને પૂરેપૂરી છૂટ છે. આજની રીતે કહેવું હોય તો કહી શકાય કે ‘જો બકા, ભાઇબંધ એટલે…’


સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ 6

માણસને સભ્ય થઈને સામાજમાં રહેવા માટે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે? કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે? કેટલાક સંવેદનશીલ માણસો, કળાકારો જીવનભર સભ્ય થવાનો, સુસંસ્કૃત થવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. કોઈક વિરલા સફળ થાય છે; બાકીના ઘણા જીવનભર આ સંઘર્ષમાં રહેંસાયા જ કરે છે. મરાઠી કવિ નારાયન સુર્વે લખે –
‘તડજોડ કરી જીવવું – જીવું છું,
દરરોજ અઘરું થતું જાય છે…


જ્ઞાન, કર્મ અને ભક્તિ.. – ડૉ. સંતોષ દેવકર 6

માણસને હ્રદય શા માટે છે? હાથ – પગ માણસને શા માટે મળ્યા છે? આંખોનું વિશેષ શુંં પ્રયોજન હોઇ શકે? જીવનનો અર્થ શું? જ્ઞાન શા માટે મેળવવુંં જોઈએ? કૃષ્ણએ જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા કેમ કર્યો છે? હકીકત તો એ છે કે નોકરી મેળવવાની લ્હાયમાં જીવનનો ઓરીજીનલ અભ્યાસક્રમ ભૂલી જવાય છે. ડિગ્રી અને કહેવાતા શિક્ષણ પાછળની ભાગદોડમાં જીવનના કર્મનો મર્મ જાણવાનો જ રહી જાય છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ વિશેની સુંદર વાત કહેતો પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો આભાર અને શુભકામનાઓ..


ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર 1

કાકાસાહેબ દૈનંદિની વાસરી ઘણાં વર્ષો લખતાં રહેલા, તેમને થતું કે જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ચિંતન કરીએ અને એ વાટે પોતાના પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ. આવા રોજીંદા ચિંતનને તેમણે ડાયરીના પાનાંની મર્યાદામાં બાંધીને લખવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૬૮માં તેમણે બસો સત્તાવીસ દિવસ માટે આવું ચિંતન નોંધ્યું છે, તેમાંથી ત્રણ મોતી આજે પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખ ‘પ્રાસંગિક પ્રતિસાદ’ જે તે દિવસનું ચિંતન – પુસ્તકમાંથી સાભાર લેવાયા છે. અત્રે પ્રસ્તુત ત્રણ મણકા વિવિધ વિષય જેમ કે, રિવાજી દુઃખ વિશે, ધર્મને બદલે લોકકેળવણી વિશે અને વિશ્વાસમૂલક આસ્તિકતા વિશે લખાયેલા ટૂંકા લેખો છે.


જીવનમાં નિયમનું મહત્વ – સંજય દોશી 2

સંજયભાઈ દોશીનો પ્રસ્તુત લેખ જીવનમાં નિયમનું મહત્વ અને એ વિશેના વિવિધ ચિંતન પ્રસ્તુત કરે છે. સંજયભાઈએ લેખની સાથે તેમનો પરિચય આપ્યો નથી. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને વધુ નિખાર મળતો રહે એવી શુભેચ્છાઓ સહ આભાર.


વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

અંગત વ્યવસાયિક જીવનની તકલીફો, અનુભવો અને રાજકારણ વિશે અંગત ડાયરીમાં લખવું અલગ વાત છે પણ એ જ જાહેર મંચ પર મૂકવું એ મુશ્કેલ છે. એમાં અનેક ભયસ્થાનો છે. લોકોની નજરમાં આળસુ, રઘવાયા, ગાંડા કે તકવાદી ગણાઈ જવાનો ભય, કોઈકની સામેના માનસિક વિરોધને શબ્દદેહ આપી બેસવાનો અને એ રીતે અંગત અણગમાને વ્યક્ત થઈ જવા દેવાનો ભય, પોતાની જાતને વધુ પડતી પ્રોજેક્ટ કરી બેસવાનો ભય, પોતાની ક્ષમતાઓને વધારે આંકી બેસવાનો ભય, વ્યવસાયિક ગુપ્તતા અને ‘ટ્રેડ સીક્રેટ’ના છત્તા થઈ જવાનો ભય, કોઈકના નજીકના ગણાઈ જવાનો ભય, કોઈકના તમારા પ્રત્યેના અકારણ અણગમા વિશે તમે જાણો છો એ બતાવવાનો ભય…. પણ છતાંય એક ત્રીજો પુરુષ એકવચનના સ્વરૂપે ૧૧થી વધુ વર્ષના વ્યવસાયિક જીવનમાં મેં જે અનુભવ્યું છે એ આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાય અને શોખને મેં અત્યાર સુધી પ્રયત્ને અલગ જ રાખ્યા છે, ક્યારેક સાહિત્યનો સહારો વ્યવસાયિક તકલીફોને હળવી કરવામાં ઉપયોગી થયો છે, પણ એ વિશે ઉપર બતાવ્યા એ બધાંય ભયસ્થાનોથી ઉપર જઈને લખવું એ મારૂ એક પ્રકારનું માનસીક દુઃસાહસ જ કહી શકાય…


કોયલના ટહુકાથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ – ડૉ. સંતોષ દેવકર 10

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ કોયલના ટહુકાની, એના સ્વરની મદદથી આનંદાનુભૂતિની અને એ દ્વારા ઈશ્વરની અનુભૂતિની વાત કહે છે. એ ટહુકાએ જાણે ઉપકાર કર્યો છે, રોજીંદી ક્રિયાઓ બદલાઈ છે, અંતરની અનુભૂતિએ માનસની પ્રકૃતિને બદલી છે, એવા કોયલના ટહુકાને જેણે માણ્યો નથી એણે ઘણુંય ગુમાવ્યુ છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


ગુરુપૂર્ણિમાએ યાદોના પ્રદેશમાં…. – જીજ્ઞેશ અધ્યારૂ 19

આજની આ વાત અંગત છે, પણ ગુરુ વિશેની વાત તો આમ જ રહેવાની. મારા એ આદરપાત્ર, ખૂબ સ્નેહી અને પોતાની ફરજનિષ્ઠામાં અચૂક એવા શાળા સમયના શિક્ષકો વિશે આજે અહીં વાત મૂકી રહ્યો છું. ગુરુપૂર્ણિમા બધાને માટે ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા જ છે કે આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર એવા આપણા શ્રદ્ધેય ગુરુને આજના દિવસે વિશેષતઃ આદર અને સન્માન આપી શકીએ, તેમને યાદ કરી શકીએ.


ટ્રેકીંગ જેવી જિંદગી… – ડૉ. નીના વૈદ્ય 6

શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પ્રેક્ટિસ કરતા પીડિઍટ્રિશન ડૉ. નીના પિયુષ વૈદ્ય આજે અક્ષરનાદના વાચકો સાથે તેમનો અનુભવ અને વિચારો વહેંચી રહ્યા છે. હિમાચલ પ્રદેશની સોલાંગ વેલીમાં ટ્રેકીંગ માટે ગયેલા એ અનુભવનું ચિંતન આજે અહીં તેમણે પ્રસ્તુત કર્યું છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર તથા અક્ષરનાદ પર પ્રથમ કૃતિ બદલ હાર્દિક સ્વાગત સાથે તેમની કલમને શુભકામનાઓ.


સવારનું અલાર્મ – ગુણવંત વૈદ્ય 9

ગુણવંતભાઈ વૈદ્યની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે પ્રસ્તુત છે મંદિર વિશેની, આરતી વિશેની તેમની મનોવ્યથાનું સહોટ નિરુપણ એવી પ્રસ્તુત ઘટના. ગુણવંતભાઈના પ્રસ્તુત ચિંતનને વાચકો આવકારશે એવી અપેક્ષા સહ પ્રસ્તુત છે કૃતિ – સવારનું અલાર્મ, મંદિર…


અમાસને દા’ડે દરિયો ના’વો છ… (સમુદ્રાન્તિકે) – ધ્રુવ ભટ્ટ 7

શ્રી ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’ માંથી સાભાર. પ્રસ્તુત રચના અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ધ્રુવભાઈનો આભાર. દરીયાનું સતત સાંન્નિધ્ય જે રીતે મને પ્રિય છે એવો જ કાંઈક ભાવ પ્રસ્તુત વાતમાં એક વૃદ્ધા કહે છે, ધ્રુવભાઈ તેમને શબ્દો આપે છે, “આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. એ તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરી શણગાર્યુ છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા- મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે.” દરીયા વિશેની આવી સુંદર વાત પ્રસ્તુત કર્યા વગર કઈ રીતે રહી શકાય?


કેળવણીના દાવા કરતી શાળાઓની પોલંપોલ – ડૉ. સંતોષ દેવકર 8

દરેક મા-બાપ ઈચ્છે છે કે પોતાનુ બાળક સારી શાળામાં પ્રવેશ મેળવે. એવી શાળામાં એડમિશન લે કે જ્યાં તેનો સર્વાંગી વિકાસ થાય. જીવનની પ્રત્યેક મુસીબતનો સામનો કરે, તે ક્યાંય પાછો ન પડે. માત્ર હાથ પગની કેળવણી ઉપરાંત મગજ અને હદયની કેળવણી તેને મળે. પણ કેળવણીના દાવા કરતી મોટા ભાગની શાળાઓ સાચી કેળવણી આપવામાં નિષ્ફળ જાય છે. છેતરામણી જાહેરાતો કરીને, મસમોટી ફી ઊઘરાવીને પોતાના આપેલા વચનો પૂરા કરવામાં ઊણી ઊતરે છે. સાચી હકીકત તો એ છે કે કહેવાતી મોટી શાળાઓ સહિત તમામ માત્ર હાથ-પગની કેળવણી આપી શકે છે. મગજ અને હૃદયની કેળવણી આપી શકતા નથી. એ વિશેની વાત ડૉ. દેવકર તેમના પ્રસ્તુત લેખમાં કહે છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


છાયાચિત્રનો જન્મ – કિશનસિંહ ચાવડા 4

શ્રી કિશનસિંહ ચાવડાના પુસ્તક ‘સમુદ્રના દ્વીપ’માં સંસ્કૃતિ અને અન્ય સામયિકોમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ છે. પ્રસ્તુત લેખમાં તેઓ કુમાઉ પ્રદેશના અંદરના પહાડોની રમણીયતા અને એ અંગેના પોતાના વિચાર તથા આનુષંગિક પ્રસંગો મનોહર રીતે રજૂ કરે છે. પ્રસ્તુત લેખ હિમાલયપ્રેમીઓને હ્રદયસ્થ થઈ જાય એવો સુંદર અને અનુભૂતિસભર છે.


ટેલિવિઝનની અસરકારકતા, પારિવારીક સંબંધોનું ઉઠમણું – ડૉ. સંતોષ દેવકર 10

ડૉ. સંતોષ દેવકર જયહિંદ સમાચારપત્રમાં દર રવિવારે ‘મેઘધનુષ’ નામની લોકપ્રિય કૉલમ અંતર્ગત લખે છે. મૂલ્યો આધારીત અને જીવનદર્શન કરાવતા લેખો તેમની વિશેષતા છે. તેમના લગભગ સાતેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને બે પ્રકાશન હેઠળ છે. પ્રસ્તુત લેખમાં ટેલિવિઝનની અસરકારકતા અને નજીકની તથા દૂરગામી અસરો પર તેમણે સરસ અને સરળ ચિંતન પ્રસ્તુત કર્યું છે. ટીવીની કૌટુંબિક, શારીરિક, માનસિક, સાંસ્કૃતિક અને સામાજિક અસર વિશે તેમણે વિગતે મુદ્દાસર વાત કરી છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી 13

એક જાણીતી સરકારી એન્જિનીઅરીંગ કૉલિજમાં બી.ઈ. (મિકેનીકલ)માં અભ્યાસ કરતા જીમિતભાઈ એન્જિનીઅરીંગ શાખાના તેમના અનુભવના આધારે આજની શિક્ષણવ્યવસ્થા, તેના વ્યાપારીકરણ અને તેની અસરકારકતા વિશે સુંદર વિચારો લઈને આવ્યા છે. એક એન્જિનીઅર હોવાને નાતે અને એ જ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોવાને લીધે આ બધી બાબતોમાં હું પૂરો ટેકો આપું છું. એન્જિનીઅરીંગ જેવા ખૂબ વ્યવસાયિક, સચોટ અને ચોક્કસ જાણકારી માંગી લેતા અને અનેકોને સાંકળતા ક્ષેત્રના અભ્યાસમાં દાખવાતી બેદરકારી, પછી ભલેને એ બંને પક્ષે – વિદ્યાર્થિઓ અને સંસ્થાઓની – હોય, સરવાળે નુકસાન સમાજનું જ કરે છે. આ લગભગ બધાંએ સામાન્ય ગણીને સ્વીકારી લીધેલી વાતો પ્રત્યે જીમિતભાઈનો પુણ્યપ્રકોપ તેમના હૈયાની બળતરાનો પૂરાવો છે. અને એમ કરીને વ્યવસ્થાની ગેરરીતિઓ પ્રત્યે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરવા બદલ પણ એ અભિનંદનને પાત્ર છે. અક્ષરનાદ પર તેમની આ પહેલી રચના છે, એ બદલ અને ઉંડા મંથન બદલ તેમને શુભકામનાઓ.


ચૂંટણીકારણને મારી અલવિદા! – પુરુષોત્તમ માવળંકર 4

ચૂંટણીનો, પ્રચારનો, દેશને લાગતી વળગતી બાબતો વિશે વિશદ ચર્ચા અને ભાવિ અંગેના આયોજનોની ચર્ચાઓનો માહોલ અત્યારે ખરેખરો જામ્યો છે. જે ગામ કે શહેરમાં જુઓ ત્યાં સભાઓ, જે ન્યૂઝચેનલ જુઓ ત્યાં ચર્ચાઓ – અને સાથે સાથે તબક્કાવાર ચૂંટણી, લોકશાહીનો સૌથી મહાન અને પ્રજાને સત્તાની સોંપણીની જવાબદારી આપતો દિવસ આવ્યો છે. આવા સમયે લોકસભાની ચૂંટણી ત્રણ વખત લડનાર અને અમદાવાદની લોકસભાની બેઠક પરથી ઈન્દુચાચાના નિધન પછી તેમની ખાલી પડેલી સીટ પર ચૂંટાઈને આવનાર મુ. પુરુષોત્તમ માવળંકરની વાત આજે અહીં તેમની જ કલમે પ્રસ્તુત થઈ છે. ‘અસ્તિત્વદર્શન’ સામયિકના એપ્રિલ ૨૦૧૪ના અંક માંથી ઉપરોક્ત લેખ ઉદધૃત કરવામાં આવ્યો છે એ બદલ સામયિકનો આભાર.


પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે 8

મનની શાંતિ અને પ્રસન્નતા ઉછીની મળતી નથી. તે ધનદોલતથી ખરીદી શકાતી નથી. પોતાને કે બીજા કોઈને છેતરીને પ્રસન્નતા પામી શકાતી નથી. મનમાં દુર્ભાવના અને છળકપટ હોય તેનું ચિત્ત શાંત કે પ્રસન્ન ન હોઈ શકે. પ્રસન્નતાના પુષ્પો તો સુખ, શાંતિ અને સ્વસ્થતાના બાગમાં જ ખીલે. સહુને પ્રસન્નતા મળે તેવું કાંઇક કરવું જોઈએ. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વિકસાવી શકાય. સુખી થવાનો ઈજારો કોઈ પાસે નથી. પરંતુ જો તમે પ્રામાણિકપણે, નિખાલસપણે, અહીં કહેલી બાબતો પર વિચાર કરી યથાશક્તિ તેનાં પર અમલ કરશો તો સુખ-શાંતિ તમારા હૃદયમાં જરૂર આવી વસશે. ત્યારે તમે સુખ-શાંતિ અને પ્રસન્નતાના સરોવરમાં તરી શકશો અને આહ્લાદક શીતળતા અનુભવી શકશો. તો તમે જીવનનો સાચો, પરમ આનંદ અનુભવશો અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પણ કેળવી શકશો. તમને પ્રસન્ન થતાં તમારા સિવાય કોઈ અટકાવી નહીં શકે એ અભય વચન છે!


ચાંદની (લઘુનિબંધ) – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 3

દિનેશભાઈની અક્ષરનાદ પર આ પહેલા અછાંદસ કાવ્યરચનાઓ પ્રસ્તુત થઈ છે. આજે તેઓ એક અનોખો લઘુનિબંધ અથવા કહો કે વિચારવિસ્તાર લઈને ઉપસ્થિત થયા છે. ‘ચાંદની’ વિશેની તેમની આ નાનકડી કૃતિ સુંદર છે, અલગ છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપણાં બાળકોની ખાતર.. – ગિજુભાઈ બધેકા 4

ગુજરાત પર શ્રી ગિજુભાઈ બધેકાનું અમિટ ઋણ છે, વીસમી સદીની ત્રીશીના દાયકા અગા ઉના અને એ પછીના શિક્ષણમાં / અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે. અને તેને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને જાય છે. અગા ઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેના માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. ગિજુભાઈએ જેવા શિક્ષકની, શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહીં, કદાચ વાતાવરણ, સાધનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે, પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યાં. પુસ્તક ‘માબાપોને..’ આગવું પુસ્તક છે અને વિશ્વમાં ભાગ્યે જ બાળકોના પક્ષે માબાપોને માટે આવું લખાયું હશે. અહીં ગિજુભાઈએ બાળકોની વકીલાત કરી છે, તેમના સુખ માટેના પ્રયત્નો કરવાની ટહેલ, તેમને સમજવાને માટે યાચના કરી છે. આપણાં બાળકોને ખાતર આપણે શું કરવું જોઈએ એ સમજાવવાનો નિષ્ઠાપૂર્વકનો અને સંવેદનશીલ પ્રયાસ છે. આશા છે વાચકમિત્રોને આવી અનોખી કૃતિઓ માણવાનું ગમશે.


વિચારમાળાના કેટલાક મોતી… – હર્ષદ દવે 13

વિચારમાળાના મોતીઓ મનની પાચકદવા છે, જેમ ભારેખમ ખોરાકને પચાવવા એક નાનકડી ગોળી કામ કરી જાય છે તેમ જીવનના મોટા વિઘ્નો, તકલીફો અને દુઃખોની સામે લડવા આવી વિચારકણીકાઓ અનેરું પ્રેરકબળ અને શક્તિ પૂરી પાડી જાય છે. કયા સમયે કઈ પંક્તિ કે વાત નવો માર્ગ ચીંધી જશે એ તો કોણ કહી શકે? આજે પ્રસ્તુત છે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા સંકલિત આવા જ કેટલાક વિચારમાળાના મોતીઓ.


દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.. – ભવસુખ શિલુ 3

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરી મહાભારત, સાંખ્યદર્શન, યોગદર્શન દ્વારા આ ચારેય બાબતોની તાર્કક છણાવટ થઈ છેસ તેથી મહાભારત, સાંખ્ય અને યોગદર્શનમાં શ્રેષ્ઠ, તટસ્થ અને યોગ્ય વિચારોનું મહત્તમ સંકલન થયું છે. હિન્દુઓનું ધર્મ વિશેનું ઊંંડું ચિન્તન સ્થળ અને સમયની મર્યાદા વગરનું છે. તેથી જ તેને સનાતન ધર્મ કહયો છે જે સર્વ સ્થળે અને કોઈ પણ સમયે માન્ય રાખી શકાય એવો છે.


મારી દીકરીના પરિવારને… – હર્ષદ દવે 7

હું મારી વહાલસોઈ દીકરીના ‘નવા’ પરિવારને કાંઇક કહું એવું વિચારતો હતો. પણ મને થયું કે એ તો અવિવેક ગણાશે કારણ કે હવે તેનાં લગ્ન થઇ ગયા છે, તેને માટે હવે તે જ ‘પરિવાર’ છે. સાચું કહું છું, મને તેની સામે કોઈ વાંધો નથી. ખરું જોતાં મારી દીકરી હવે પહેલાં ‘તમારી’ જ કાળજી લે એવું હું ઈચ્છું છું. તેના જીવનમાં મારે હવે પાછળ રહીને મારી ભૂમિકા નિભાવવાનો સમય છે. આ વાત હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું. પરંતુ હું એક અનુરોધ જરૂર કરીશ કે …..

દીકરીઓ વિશેના સર્જનોને અક્ષરનાદ સદાય વાંછતુ રહ્યું છે, અને એ જ ઇચ્છા અંતર્ગત આજે પ્રસ્તુત છે હર્ષદભાઈની દીકરીના પરિવારને, જેના નજીકના ભૂતકાળમાં જ લગ્ન થયા છે એવી દીકરીના પરિવારને કાંઈક અંશે વિનંતિ, થોડીક ભલામણ અને હ્રદયસ્થ ઈચ્છાઓ… અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ 6

૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજે “મહાશિવરાત્રી” ઉજવી, આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે અને ‘મન તડપત હરી દરશન કો આજ’ એ ગીત વિશે ડૉ. મહેબૂબ દેસાઈની કૃતિ પ્રસ્તુત કરી છે. ડૉ. દેસાઈનો અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.


દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે 10

‘ઘણીવાર એક હૂંફાળો સ્પર્શ, એક સ્વાભાવિક સ્મિત, પ્રેમાળ શબ્દ, કોઈને સાંભળવા માટે ઉત્સુક કાન કે નિખાલસ અને સાચો અભિપ્રાય અથવા એકાદા નાના એવા પરોપકારના કામની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ પરંતુ તે બધામાં જીવનની દિશા બદલી નાખવાની જબરદસ્ત સંભવિતતા રહેલી હોય છે.’ એવા સુંદર સંદેશ સાથેની પ્રસ્તુત પ્રસંગવાર્તા જીવનમાં મદદની અને હકારાત્મક વિચારસરણીની અગત્યતા દર્શાવે છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ 9

સાહિત્ય સંગમ, સૂરત દ્વારા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે તેવા ભવસુખભાઈ શિલુના પુસ્તક “સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા…. – એક અલગ દ્રષ્ટિકોણ” માંથી ઉપરોક્ત લેખ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધિ અર્થે પાઠવ્યો છે. લેખના મૂળ શિર્ષક “રામાયણ.. નવી નજરે..” ને બદલે મેં Polyandry Vs Monogamy એવું શિર્ષક આપ્યું છે કારણ કે આ લેખમાં ફક્ત રામાયણ, મહાભારત કે અન્ય ગ્રંથવિશેષની વાત નથી પરંતુ આર્યો – અનાર્યોની સંસ્કૃતિ વચ્ચેના મૂળભૂત તફાવતમાંના એક એવા Polyandry Vs Monogamy વિશે વાત થઈ છે. લેખ ગહન વિચાર, ચિંતન અને ચર્ચા માંગી લે છે. આર્ય અનાર્ય સંસ્કૃતિઓના તફાવત અને ભેદ છતાં તેમના સમન્વયથી બનેલી સંસ્કૃતિમાં આર્ય મૂલ્યોનો ફાળો અને પ્રભાવ વધુ જોવા મળે છે. આશા છે આ લેખ જેવી જ અનેક વિગતો સહિતનું ચિંતન ભવસુખભાઈના પુસ્તકમાંથી આપણને મળશે. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ભવસુખભાઈનો આભાર.


માનવજીવનની સાર્થકતા.. – વિનોદ માછી 2

ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ મનુષ્‍ય જન્મ મોટા ભાગ્યના યોગથી જ મળતો હોય છે અને દેવતાઓને ૫ણ દુર્લભ છે એમ વેદ પુરાણ વગેરે સદગ્રંથો ૫ણ કહે છે. આ મનુષ્‍ય જન્મ જે સાધનોના ધામરૂ૫ છે અને મોક્ષ દ્વારરૂ૫ છે તેને પ્રાપ્‍ત કરી જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે બધા પાછળથી દુઃખ પામે છે. માથુ ધુણાવી ધુણાવીને ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલા ફળ માટે કાળ.. કર્મ કે ઈશ્વર ઉ૫ર મિથ્યા દોષ લગાવે છે. આ સર્વોત્તમ એવા મનુષ્‍ય શરીરની પ્રાપ્‍તિ થયાનું ફળ વિષયભોગનું સુખ નથી અને સ્વર્ગનું સુખ ૫ણ નથી, કેમકે આ લોકમાં વિષયભોગનું સુખ અને ૫રલોકમાં સ્વર્ગનું સુખ અલ્પકાળ સુધી જ રહે છે અને ૫રીણામે દુઃખદાયી જ નિવડે છે. જે લોકો મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવે છે તેઓ મૂર્ખતાથી અમૃતના બદલે વિષ ગ્રહણ કરે છે. જેઓ પારસમણીને ગુમાવીને ચણોઠી લે તેમને ક્યારેય લોકો ડાહ્યા કહેતા નથી.