સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સતીશ વ્યાસ


વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ 5

શબ્દસૃષ્ટિ સામયિકનો દિવાળી વિશેષાંક અનેકવિધ લેખકોના વિવેચન વિશેના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાંથી શ્રી સતીશ વ્યાસનો ‘વિવેચન એટલે વિવાચન’ શીર્ષક ધરાવતો લેખ આજે પ્રસ્તુત કર્યો છે. તેઓ કહે છે, ‘વિવેચન મારે માટે તો વિવાચનનો વિષય છે. કશુંક વિશેષ વાંચવું ગમે તો, ન સમજાય તો વારંવાર વાંચવું. સર્જકે કરેલા વિશેષ ભાષાકર્મને ઉકેલવા મથવું. એણે આ સ્થાને આ જ શબ્દ શા માટે પ્ર-યોજ્યો હશે, એ સમયે મોના સંવિદની સ્થિતિ-અવસ્થિતિ કેવી હશે, એની મથામણ-માથામણ કેવી હશે, એને તટસ્થતા – તન્મયતા વચ્ચેની, ક્રિકેટના અમ્પાયરના જેવી, ભૂમિકાએ રહી મૂલવવી એટલે વિવાચન ! એમાં સહ્રદયતા પણ હોય, સાચુકલાઈ પણ હોય અને સૌંદર્યપરકતા પણ હોય !’ માણો આ સંપૂર્ણ લેખ, સાભાર શબ્દસૃષ્ટિ સામયિક.