સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. મહેબૂબ દેસાઈ


‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ 6

૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજે “મહાશિવરાત્રી” ઉજવી, આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે અને ‘મન તડપત હરી દરશન કો આજ’ એ ગીત વિશે ડૉ. મહેબૂબ દેસાઈની કૃતિ પ્રસ્તુત કરી છે. ડૉ. દેસાઈનો અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.


મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના – ડૉ. મહેબૂબ દેસાઈ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4

‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ – આજે આ અનોખા પુસ્તકને અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું, હિન્દુ અને ઈસ્લામ – બંને ધર્મોનું રસદર્શન, મનન અને ચિંતન તથા તેના જીવનમાં અનુભવેલા ઉદાહરણોને ટાંકીને શ્રી ડૉ. મહેબૂબ દેસાઈએ આ સુંદર ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. અક્ષરનાદને આ પુસ્તક નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડૉ. મહેબૂબભાઈને અનેક શુભકામનાઓ.