Yearly Archives: 2011


પ્રસંગમાળાના મોતી – સંકલિત 3

‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર લીધેલા પ્રસંગમાળાના ત્રણ મોતીરૂપ પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. સંપાદન શ્રી. મહેન્દ્ર મેઘાણીનું છે. શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’, શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ તથા શ્રી બબલભાઇ મહેતા દ્વારા આલેખાયેલા ત્રણ સુંદર તથા પ્રેરણાદાયક પ્રસંગોથી આ પ્રસંગમાળા શોભી રહી છે.


મોહમયી મુંબાઈ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 14

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….


દોસ્ત આનું નામ તો… જિન્દગાની – જિજ્ઞેશ અધ્યારૂ 14

ક્યારેક કોઈક મનપસંદ ગીત ગણગણતા, એની કડીઓમાં, એના સંગીતના પ્રભાવમાં કાંઈક નવું સર્જન થાય એવું મારી સાથે આ પહેલા પણ એકાદ બે વખત થયું છે. આ વખતે આ પ્રક્રિયા થોડીક ઝડપી રહી કારણકે કોઈ સુધારા વધારાની અપેક્ષા વગર સતત એક પછી એક પંક્તિઓ સાથે આ આખુંય ગીત સ્ફૂર્યું છે. આજે એ જ આપ સૌની સાથે વહેંચી રહ્યો છું, જેથી તેના વિશે આપના પ્રતિભાવો જાણી શકાય.

જ્યાં શરૂ, ત્યાં ખતમ, આમ થઈ આ કહાની,
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની…..


એકવીસમી સદી લાવી રહી છે ઉજ્જ્વળ ભવિષ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 3

એકવીસમી સદી સુખદ સંભાવનાઓનો સમય છે. વીસમી સદીમાં ઉ૫લબ્ધિઓ ઓછી અને વિભીષિકાઓ વધારે પેદા થઈ છે. હવે એમાં ક્રાંતિકારી ૫રિવર્તન થશે. સવાર-સાંજના સંધિકાળની જેમ વીસમી સદીના અંત અને એકવીસમી સદીના આરંભનો આ સમય યુગસંધિનો છે. આ દરમિયાન મધ્યમ કક્ષાનાં સ્થૂળ અને સૂક્ષ્મ ૫રિવર્તનોની ક્રાંતિકારી તૈયારી થશે. એકવીસમી સદી સતયુગ લઈને આવી રહી છે. પ્રસ્તુત છે પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે આજે ગઇ સદીમાં લખાયેલ આજના સમય વિશેનું હકારાત્મક લેખન.


વિવાહ સંસ્કાર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

વિવાહ સંસ્કાર અંતર્ગત વિવિધ વિધીઓ અને સંકલ્પો સામાન્ય રીતે આપણને વિગતે ખબર હોતી નથી. વિવાહની વિધિઓમાં અને પ્રસંગોમાં સ્નેહીઓ સાથે આપણે એટલા હળીમળી જઈએ છીએ કે આપણે આ સંસ્કારના વિવિધ પગથીયાઓને વિધિ માનીને નિભાવીએ છીએ. તેની મૂળભૂત ભાવનાને આપણે અછડતી જ જાણીએ છીએ. આ મંગલ પરિણયની વિવિધ વિધિ વિશે જાણવાનાં મંગલાચરણ કરીએ. હિંદુ ધર્મમાં દામ્પત્ય (ગૃહસ્થાશ્રમ ) એ સૌથી મહત્વનો આશ્રમ છે કારણકે એ સમગ્ર સામાજીક માળખાનો આધાર છે. જેમાં વિધિ-વિધાન આપેલાં છે એ ‘ગૃહસૂત્ર’ પણ વૈદિક પરંપરાને આગળ વધારે છે. આ વિધિ વિશેની, ‘વિવાહ સંસ્કાર’ ની વિગતે શાસ્ત્રીય માહિતિ આપતી આ નાનકડી પુસ્તિકા અક્ષરનાદના અનોખા પુસ્તક ડાઊનલોડ વિભાગનું ઘરેણું બની રહેશે તે ચોક્કસ.


મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી 6

આજે શ્રી ઝવેરચંદ મેઘાણીની પૂણ્ય-તિથિ છે. ( 28 ઑગષ્ટ 1896 — 9 માર્ચ 1947 ) આજે તેમની કલમની પ્રસાદી, “મન મોર બની થનગાટ કરે…” વિશે તેમણે 1944 માં કહેલું, “કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલું, અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.”


ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ 2

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે’રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.


બે ગઝલો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 3

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ આપણી ભાષાના એક ખૂબ જાણીતા – માનીતા કવિ છે. તેમના ‘છોડીને આવ તું…’ ગઝલસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ૨૦૦૫ નો પ્રથમ પુરસ્કાર અને હરિન્દ્ર્ર દવે પારિતોષિક મળ્યાં છે. તો તેમનો બીજો ગઝલસંગ્રહ ‘કોઈ તારું નથી’ પણ એવો જ મનનીય અને સુંદર ગઝલોનો ગુચ્છ છે, જેમાંથી આજે બે ગઝલ અહીં ઉદધૃત કરી છે. બંને ગઝલો અને તેના પ્રત્યેક શે’ર સાંગોપાંગ, સીધી ચોટ કરીને ભાવકના હ્રદયને સ્પર્શે એવા સુંદર અને અર્થપૂર્ણ છે. આ જ પુસ્તકમાં તેમણે કેટલાક સુંદર મત્લા પણ આપ્યા છે, જેમાંથી કેટલાક આજે અહીં લીધાં છે.


‘કઈંક ઢીંચાક’ – એક સંગીતમય અવસરમાં જોડાવાનું આમંત્રણ… 1

આ “અવસર પરિવાર” ગુજરાતી સુગમસંગીતથી મઢેલું પોતાનું પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) “કઈંક ઢીંચાક” બહાર પાડવા જઈ રહ્યું છે. તો જે કોઈ કવિ મિત્ર આ આલ્બનો ભાગ બનવા ઇચ્છતા હોય તેમના માટે કેટલીક અગત્યની માહિતી.


‘ના, હું તો ગાઈશ જ….’ – પંચતંત્રની વાર્તા 5

ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક જાણીતી વાર્તા.


સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે 2

વિદુરે મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો કે શિવ શીલવાનોમાં શ્રેષ્ઠ છે અને દક્ષ પુત્રી વત્સલ છે તો પછી દક્ષે સતીનો અનાદર અને શિવનો દ્વેષ શા માટે કર્યો ? જે શાંત, નિર્વૈર, આત્મારામ મહાદેવ છે તેનો ભલા, કોઈ દ્વેષ કરી શકે ? અને આ જમાઈ તથા સસરા વચ્ચે દ્વેષ પણ એવો કે જેમાં સતીને દેહત્યાગ કરવો પડે ! આનું કારણ શું ? આ પ્રશ્નના જવાબ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે આજે શિવ અને સતી વિશેની અનેરી સમજણભરી વાત કહી ગયેલા આપણા સાંઈ મકરન્દની કલમે માણીએ આપણી જ કથાઓનો એક નવો આયામ અને સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ એવો અનેરો મર્મ.


બે કાવ્યરચનાઓ – જગદીશ જોશી 8

શ્રી જગદીશ જોષીની કવિતાને શ્રી સુરેશ દલાલ ‘કાળા ગુલમ્હોરની કવિતા’ કહે છે. તેમની કવિતામાં કવિતા વિશેના કાવ્યો છે, રાજકારણ અને સામાજિક અભિજ્ઞતા છે, કટાક્ષ છે, નગરજીવનની વ્યથા છે, જીવનનો થાક અને કંટાળો છે, મૃત્યુની ઝંખનાના કાવ્યો છે. એમની કવિતામાં પરંપરા છે, પણ એ કવિતા પરંપરાગત નથી. એ પ્રયોગશીલ છે, પણ અખતરાબાજ નથી. વેદના અને તેની સચ્ચાઈ છે ચિત્રાત્મકતા છે, અભિવ્યક્તિની તાજગી છે. આવા જ આપણી ભાષાની યાદગાર રચનાઓના કર્તા એવા શ્રી જગદીશ જોષીની બે રચનાઓ આજે પ્રસ્તુત છે.


અક્ષરનાદ લોકમત – ભેટ યોજના ૨ : ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા‚ નવધા ભક્તિ‚ યોગસાધના‚ નામ અને વચનની સાધના‚ ક્રિયાયોગ‚ શીલવંત સાધુના લક્ષણો‚ સંતના લક્ષણો‚ આત્મસમર્પણ‚ ભક્તિનો માર્ગ‚ નાડીશુદ્ધિ‚ મનની સ્થિરતા‚ સાધુની સંગત‚ વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ‚ જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે. ગંગાસતીના ભજનોનું ઈ-પુસ્તક તો અક્ષરનાદ પર ડાઊનલોડ માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે જ, પરંતુ આજે એથી પણ વધુ આનંદની વહેંચણીના સમાચાર છે…
તો અક્ષરનાદ ફરી એક વખત આપના માટે લઈને આવ્યું છે અનેરી ભેટ જીતવાનો સુંદર અવસર, ટી સીરીઝ તરફથી હાલમાં જ પ્રસ્તુત થયેલી ગંગાસતીના ભજનોની ઓડીયો સીડી આપ જીતી શકો છો, એ માટે આપે શું કરવાનું છે? વધુ વિગતો માટે સમગ્ર પોસ્ટ જુઓ…


જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast) 28

અક્ષરનાદના ઑડીયો વિભાગની શરૂઆત માટે ‘જય સોમનાથ… !’ થી વિશેષ શું હોય ? સોમનાથ દાદાની આ કૃપા જ છે કે વિશેષ રૂપે મેં હાર્દિકભાઈને આ નાટકની એક નાનકડી પરિચય કડી આપવા વિનંતિ કરી અને તેમણે હોંશે હોંશે એ મોકલી આપી છે, અને બીજી કોઈ પણ રીતે આ સાંભળવાનો અવસર કદાચ ન મળે પણ અહીં તેનો પરિચય, ક. મા. મુનશીનું વર્ણન, કેટલાક સંવાદો અને એ રીતે આ નાટકની ઝાંખી આપવાનો આ પ્રયત્ન આપ સૌને પસંદ આવશે એવી આશા છે.


આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ 39

આપ સૌને માટે એક-બે સરસ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું. અને એટલે જ થયું કે આ સમાચારો સાથે તેમના વિશે થોડીક વિગતે વાત થઈ જાય.


બે ગઝલો – લલિત ત્રિવેદી 5

શ્રી લલિત ત્રિવેદીની ઉપરોક્ત બંને ગઝલો ચોટદાર અંદાઝેબયાંના સજ્જડ ઉદાહરણો પ્રસ્તુત કરે છે, પ્રથમ ગઝલમાં જ્યાં ગઝલકાર પ્રિયતમા અને/અથવા પરમેશ્વરને સંબોધતાં હોય તેવો અહેસાસ ભાવકના મનમાં સહેજે ઉપસે, પ્રભુને કાંઈક પ્રત્યક્ષ કરી દેખાડવાની વાત તો ફક્ત ગઝલકાર જ કહી શકે, તો બીજી ગઝલમાં પોતાની – સ્વની સીમાઓને વર્ણવતા તેઓ એ જ ઇશ્વરને સંબોધીને પોતાના અસ્તિત્વને વિવિધ સ્વરૂપોમાં જેમ કે, ક્ષણભ્ંગુર, ઘેઘૂર, મજબૂર, ચકનાચૂર જેવા કાફિયાઓ દ્વારા ખૂબ અસરકારક રીતે કહી જાય છે. ટૂંકમાં બંને ગઝલો નમૂનેદાર અને માણવાલાયક બની છે.


સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (ઇ-પુસ્તક ડાઊનલોડ) 3

પ્રેમાનંદની અમર કૃતિઓ એવી સુદામાચરિત્ર અને નરસિંહ મહેતાની હૂંડી આપણા સાહિત્યના સરનામાં છે. સુદામાચરિત્ર મિત્રતાની એક અનોખી પરિભાષા સ્થાપે છે તો હૂંડી શ્રદ્ધાનો અને ધીરજનો વિજય બતાવે છે. આપ સૌને માટે આજે પ્રસ્તુત છે ઇ-પુસ્તક સુદામાચરિત્ર આખ્યાનકથા સાથે અને નરસૈયાની હૂંડી. આશા છે આપને આ ઇ-પુસ્તક ઉપયોગી નિવડશે.


બે ગઝલો – મનોજ ખંડેરિયા 3

શ્રી રાજેન્દ્ર શુક્લ જેમના માટે કહે છે, ‘કરતાલ, કરતાલ વિષે જબ અલખની ખોજ હશે, દેખાય ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.’ એવા આપણી ભાષાના પ્રયોગશીલ કવિતાના – ગઝલના એક અગ્રગણ્ય સર્જકની બે ગઝલો આજે પ્રસ્તુત છે. પ્રથમ ગઝલ ‘સાચવી રાખો…’ માં અંતરના સૂક્ષ્મતમ ભાવોને ટકાવી રાખવાની સરસ લાગણીશીલ વાત તેઓ કરે છે. દરેક પ્રકારના ભાવની, લાગણીની પોતાની આગવી જરૂરત છે અને એ જરૂરતોને જાળવેલી સંવેદના વડે પૂરી કરવાની વાત અહીં ખૂબ સરસ રીતે રજૂ થઈ છે, તો બીજી ગઝલમાં ‘શું ચીજ છે’ શબ્દોના અનોખા ઉપયોગથી એ જ આંતરીક ભાવોની અભિવ્યક્તિ તથા કલ્પનાની – રૂપકોની મનોહર રજૂઆત દરેકે દરેક શે’ર પર ભાવકને ‘વાહ..’ કહેવા મજબૂર કરી દે છે.


અફસોસ! – રૂપેન પટેલ 24

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘અફસોસ !’ જીવનના અનેક પ્રસંગોને લઈને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ અને ઉતાવળીયા નિર્ણયોથી થતી તકલીફોનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ ભીતરની વાતને મર્માળુ ઉદાહરણો દ્વારા સમજાવીને, એ લાગણીઓને અભિવ્યક્ત થવાનો અવસર આપે છે તો બીજી ગઝલ તો ગઝલની જ વ્યાખ્યા એક અનોખા સ્વરૂપે સ્થાપે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 15

આજકાલ વેબસાઈટ્સ અને બ્લોગ્સની બોલબાલા છે. એક તરફ જ્યાં વર્ડપ્રેસ.કોમ અને બ્લોગર જેવી અનેક બ્લોગ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં સામે પક્ષે વર્ડપ્રેસ.ઓર્ગની મદદથી પોતાના ડોમેઈન પર વેબસાઈટ બનાવતા અનેક લોકો મળી આવશે. આવા જ હેતુઓને લઈને વર્ડપ્રેસની મદદથી વેબસાઈટ બનાવવાની રીત તથા ઉપયોગી સૂચનાઓ સાથેની એક ઈ-પુસ્તિકા આજે પ્રસ્તુત કરી છે. અહીં આપેલી માહિતિ આ વિષયની ખૂબ પ્રાથમિક અને શરૂઆત કરનારાઓ માટેની છે. વર્ડપ્રેસ.ઓર્ગનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેને વિગતે સમજાવવા એક અલગ મોટું પુસ્તક લખવું પડે, એટલે અહીં ફક્ત વેબસાઈટ બનાવવા જેટલી જ માહિતિ આપી છે. આજથી આ ઈ-પુસ્તક પણ ડાઊનલોડ વિભાગમાં તદ્દન મફત ઉપલબ્ધ છે.


શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા 6

રહસ્યાત્મક અનૂભુતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ નરસિંહ, મીરાં પછી મકરન્દ દવેને મૂકી શકાય તેવી ક્ષમતા તેમના કાવ્યોમાં છે. તેમની રચનાઓમાં રહસ્યવાદી અનુભવની ભીનાશ, કાવ્યાત્મક સૂક્ષ્મતા અને સૌંદર્ય વિશેષ ઉતર્યા છે. ‘દૂરની ડાળી’ કાવ્ય અગમની ઝૂલતી કાળી કાયાને પ્રતિબિંબિત કરે છે. આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે. આ કાવ્ય સુરેખ, ઉત્કૃષ્ટ અને આંતર અનુભૂતિની રહસ્યાત્મકતાને પ્રકટ કરતું અર્વાચીન ગુજરાતી કવિતાનું એક વિરલ કાવ્ય લાગે તો એમાં આશ્ચર્ય નથી. માણીએ શ્રી મકરન્દ દવેનું આ કાવ્ય અને કાવ્યનો આસ્વાદ.


મિલે સૂર મેરા તુમ્હારા… અક્ષરનાદના જૂના સંપાદક 1

આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા શરૂ થયેલ આવો જ એક સંબંધ જે અક્ષરનાદની જ નિપજ છે, ઘણાં ઓનલાઈન મિત્રો માંથી એક, વડીલ અને છતાં યુવાન, જેમને હું ફક્ત એકાદ વખત ફક્ત અડધા કલાક પૂરતો અલપઝલપ જ મળ્યો છું અને છતાં દિવસમાં એક – બે ફોન ન થાય તો એમને કે મને અડવું લાગે એવા સહજ સ્વભાવવાળા અક્ષરનાદના નવા, પણ જૂના સંપાદક વિશે વાત સાથે બ્લોગજગત વિશે વિચાર.


પ્રણય ત્રિકોણ – હરજીવન થાનકી 4

ના – પ્રણય ત્રિકોણના ખૂણા સાથે ત્રણ બાજુઓ પણ ખરી. પ્રણય ત્રિકોણ શબ્દ ભારે છેતરામણો છે. આ પ્રણયમાં એકે ખૂણાને સ્થાન નથી, ત્યાં ત્રણની તો વાત જ શી કરવી? વાત તો હોવી જોઈએ સાથે ને સાથે રહેતા બે પાટાઓની જે શરૂઆતથી અંત સુધી એકબીજાનો સાથ નિભાવે છે, આવા જ વિચારો લઈને આજે આ નાનકડી ચિંતનિકા…


સાંતીડુ જોડીને – અખો 2

આપણા આદ્ય સાહિત્યકારોએ સામાન્ય જીવનપ્રવૃત્તિઓનો સહારો લઈને તેની પ્રવૃત્તિઓમાં સમજણના સૂર કેવા પ્રગટાવ્યા છે તેનું ઉદાહરણ અખાની આ સુંદર રચના છે. ખેડૂત ખેતી કરવા સાંતીડુ જોડે છે, ત્યારથી લઈને વાવણી સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેને સતત માનવતા અનુભવવા, શ્રદ્ધા રાખવા અને મહેનત કરવાની શીખ કેવી માર્મિક રીતે અહીં અપાઈ છે !


શે’ર સમૃદ્ધિ – સંકલિત 8

આજે પ્રસ્તુત છે વિવિધ સંદર્ભોમાંથી મેળવેલા અને મને ગમતાં શે’રોનું એક નાનકડું સંકલન. આ શે’ર સંકલન વિવિધ વિષયોને આવરી લે છે અને વિવિધ ગઝલકારોના શે’ર અહીં સાભાર લીધાં છે. ક્યાંક વસંતનો વૈભવ તો ક્યાંક તૂટેલા હૈયાની વેદના, વિષયવૈવિધ્ય પણ આપોઆપ જળવાયું છે.


આપણે… – ‘રાઝ’ નવસારવી 5

સૈયદ સગીરઅહમદ અલીજાન ઉર્ફ રાઝ સાહેબની ઉપરોક્ત ગઝલ ‘આપણે’ શબ્દને રદીફ તરીકે તેના વિશાળ અર્થમાં લઈ સરસ ગઝલ પ્રયોજે છે. ગઝલ પોતાની સાથેની જ વાત અથવા અંતરંગ સંવાદની પરિભાષામાં છે. શે’રની પ્રથમ પંક્તિઓમાં આપણને મળેલા અવસરોની વાત કરાઈ છે, અને બીજી પંક્તિઓમાં તેને આપણે કઈ રીતે વેડફી રહ્યા છીએ તેનું ચિંતન વ્યક્ત થયું છે. તો ગઝલની રવાની એની ચરમસીમા પર પહોંચે એવા મક્તાના શેરમાં ગઝલકાર એક ચોટદાર વિકલ્પ પણ આપે છે. આજે પ્રસ્તુત કરેલી, સ્વની સાથેના સંવાદરૂપી આ ગઝલ ખરેખર માણવાલાયક થઈ છે.


(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા 4

આજે પ્રસ્તુત છે ગુજરાતની ભજનપરંપરા અને પાટ ઉપાસના સંદર્ભે પ્રસારભારતી – દૂરદર્શન રાજકોટમાં કાર્યરત મિત્ર શ્રી તરુણભાઈ મહેતાનો આ વિશિષ્ઠ લેખ. આપણી ભજનપરંપરા અને તેના અસ્તિત્વની વિવિધ આધારભૂત તથા સંદર્ભિત વાતો સાથે તેમણે આ પ્રયત્ન કર્યો છે. ભજનનો એક અર્થ ‘છોડવું’ પણ થાય, જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી. આપણી આ જ ભજનપરંપરા વિશે વિગતે જાણીએ


સદવિચારોની ગંગોત્રી – સંકલિત 6

કેટલાક વિચારો એક નાનકડા બીજ રૂપે હોય છે, એક વિચારબીજ અનેક વિચારમંથનોને પ્રેરે છે, અને તેમાંય સદવિચારો તો અમૃતસ્વરૂપ હોય છે. મન માટે તે એક સફાઈ કામદારની ગરજ સારે છે, પ્રસ્તુત છે એવા જ કેટલાક વિચારો.