સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


આશિર્વાદ – રૂપેન પટેલ 20

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘આશિર્વાદ’ જીવનના સંજોગોમાં થતા ફેરફારને લીધે ક્યારે કોની જરુરત પડે એવી અનિશ્ચિતતાઓનિ વચ્ચે મહેકતા માનવધર્મને, સમાજવ્યવસ્થાને લીધે જળવાઇ રહેલિ વર્ણવ્યવસ્થા અને તેને લઇને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ વિશેનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


અફસોસ! – રૂપેન પટેલ 24

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘અફસોસ !’ જીવનના અનેક પ્રસંગોને લઈને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ અને ઉતાવળીયા નિર્ણયોથી થતી તકલીફોનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


કુંભ લગ્ન – ભારતી દલાલ 7

સંજોગો ક્યારેક તદ્દન વિરુદ્ધનું કામ કરતા હોય તેમ લાગ્યા કરે છે. જે વસ્તુની વાંછના હોય તે ન જ મળે એવું સતત બનતું પણ અનુભવાય. આવી જ એક સ્ત્રીની મનોવેદના, નસીબની વાતો, બાળક માટેની ઇચ્છા વગેરેને સાંકળીને એક સરસ વાત અહીં પ્રસ્તુત થઈ છે. સરી જતા નસીબને, ક્ષણોને, સંબંધોને પકડી રાખવાનો એક પ્રયાસ થતો અહીં જોઈ શકાય છે.


રસધારની વાર્તાઓ (ભાગ ૨) – ઝવેરચંદ મેઘાણી (ઇ પુસ્તક ડાઉનલોડ) 4

મારા મિત્ર માયાભાઈ વાઘ જ્યારે જ્યારે રા’નવઘણની આ વાત તેમની આગવી શૈલીમાં દોહાઓ લલકારતા કહે છે ત્યારે સાંભળનારના કાનને ખરેખર અનેરી શાતા મળે છે. રા’નવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે. આશા છે આ ઈ-પુસ્તકની બધી વાતો સાથે ઉત્કટતાથી તેના ઈ-સંસ્કરણને પણ આવકારાશે.


જન્મોત્સવ – સુરેશ જોષી 8

૩-૫-૧૯૨૧માં જન્મેલા અને ૬-૯-૧૯૮૬ ના રોજ આ દુનિયાને અલવિદા કહી ગયેલા સ્વ. શ્રી સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં એક અનોખા પ્રકારની, અનોખા પ્રવાહની વાર્તાસૃષ્ટિના નિર્માતા હતાં. તેમની વાર્તાઓમાંના જીવનતત્વનો ધબકાર અને ક્યારેક ચિત્કાર સજ્જડ આંખોના માધ્યમથી આપણા માનસ કાન સુધી પહોંચે છે એટલી સશક્તતા અને સચોટતાભરી ભાવસૃષ્ટિ તેઓ જન્માવી શકતા. પ્રસ્તુત વાર્તા મેં ક્યારેક શાળાજીવનમાં વાંચેલી અને એનો પ્રભાવ મનના કોઈક ખૂણે સદાને માટે અંકિત રહી ગયેલો. શ્રી સુરેશ જોષીની વાર્તાઓની સંકલન પુસ્તિકા ” હાથમાં આવી પછી એમાંથી આ વાર્તા વાંચતા એ સ્મૃતિઓ ફરી ઉપસી આવી. વાર્તાનું ક્લેવર, વાત પહોંચાડવાની આખીય પદ્ધતિ અને વાતનો મુખ્ય સાર, ત્રણેય રીતે આ વાર્તા રચનાત્મકતાની દ્રષ્ટિએ અને વાંચક સુધી પહોંચતા વાતના ભાવને લઈને મને આકર્ષે છે. પ્રસ્તુત છે હ્રદયના ધબકારા ચૂકાવી દેતી વાર્તા… ‘જન્મોત્સવ’


આપઘાત – આશિષ આચાર્ય 14

આજે પ્રસ્તુત છે વર્તમાન સમયના યુવાનની વ્યથાને અક્ષરદેહ આપતી એક ટૂંકી વાર્તા. અક્ષરનાદને આ સુંદર વાર્તા મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ અમદાવાદના શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તેમની કલમે આપણને આમ જ સુંદર કૃતિઓ મળતી રહે.


અભિનેત્રી – અંશુ જોશી (ટૂંકી વાર્તા) 2

અમદાવાદ નિવાસી શ્રી અંશુભાઈની પ્રસ્તુત ટૂંકી વાર્તા એક સ્ત્રીના જીવનની અનોખી વ્યથાનું શબ્દસ્વરૂપ વર્ણવે છે. સતત પ્રવાહમાં વહાવતી અને છતાંય અંત માટે પકડી રાખતી આ વાત સાદ્યાંત માણવાલાયક રચના છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી અંશુભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


તડ ને ફડ – વર્ષા જોષી 9

કેટલીક વખત આપણી પોતાની માન્યતાઓ અને ધારણાઓ વાતને કેવી ખોટા વિચારે પરોવી આપે છે એવું દ્રષ્ટાંત તાદ્દશ્ય કરતી પ્રસ્તુત વાર્તા ખરેખર આંખ ઉઘાડનારી ઘટના જેવી છે. મનજી એ આપણા ગ્રામ્યસમાજના માનસનો પડઘો છે, એ જેટલો નિખાલસ છે એટલો જ તરત નિર્ણય લઈ લેનારો પણ છે, તો શારદા એક ગૃહિણી હોવા ઉપરાંત એક પ્રેમાળ અને કાળજી લેનારી પત્ની પણ છે, એ વાતનો અહેસાસ આ વાર્તા વાંચ્યા પછી સહેજે થાય. ખૂબ સુંદર ગૂંથણી સાથેનો સતત વાર્તા પ્રવાહ આ ટૂંકી વાર્તાને અનેરા રંગે રંગી જાય છે.


રાજના વેર – હાર્દિક યાજ્ઞિક 11

એક વાર્તાની સાથે સાથે તેની પૂરક અથવા સમાંતર ચાલતી બીજી વાત મૂળ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો વાર્તાની અસરકારકતામાં અનેરો બદલાવ આવે છે. રા’ નવઘણની વાતના તાર સાથે ચાલતી વાર્તાની મુખ્ય ધારા એવી સરસ રીતે ભળી જાય છે કે વાર્તાનો એક અભિન્ન અંગ બની જાય છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક દૂરદર્શન અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે ફરજ બજાવે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ.


બે લઘુકથાઓ – સંકલિત 3

આજે પ્રસ્તુત છે બે લઘુવાર્તાઓ, માઈક્રોફિક્શનનું પોતાનું સૌંદર્ય હોય છે, ખૂબ ઓછા શબ્દોમાં ઘણું કહી દેવાની ક્ષમતા કેળવવી અનોખી બાબત છે. માઈક્રોફિક્શન વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર સમયાંતરે આવતી રહી છે. આજની બે વાર્તાઓ પણ લઘુકથાઓના સંદર્ભે અનોખું નાવિન્ય ધરાવે છે. બદલાતી પૃષ્ઠભૂમી, નવીન વાર્તાતત્વ અને વાર્તામાં ભારોભાર રહેલું અધ્યાહાર સત્વ તેની મુખ્ય બાબતો છે.


ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત 4

ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.


રસધારની વાર્તાઓ – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 11

શ્રી ઝવેરચંદ મેઘાણીએ, ‘લોકસાહિત્ય, ધરતીનું ધાવણ’ માં કહ્યું છે, “યથાશક્તિ મેં મારા એક જ પ્રાન્તની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું, મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી, હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને આ સાદ પાડું છું કે – થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો, આપણા રાનીપરજ અને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકરપટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી, યુનિવર્સિટીને દ્વારે હાજર કરો, સાચો સુયશ તો જ ચડશે.” સૌરાષ્ટ્રની રસધાર”માં તેમણે જે લોકવાણીનું લોકકથાઓનું દોહન કરેલું છે, તેને રસધારની વાર્તાઓ અંતર્ગત સંકલિત કરાઈ છે. આ જ પુસ્તકની ઈ-આવૃત્તિનો પ્રથમ ભાગ આજે પ્રસ્તુત છે. ઈ-પુસ્તકની મર્યાદાઓને ધ્યાનમાં રાખતાં, તેને બે ભાગમાં મૂકવી પડી રહી છે. દિવાળીના શુભ અવસરે વાંચનનો આ રસથાળ વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી ભેટ તરીકે પ્રસ્તુત છે.


રાઘવનના સહકાર્યકરો – ધીરુબહેન પટેલ 6

પ્રસ્તુત વાર્તામાં મદ્રાસથી મુંબઈ નોકરી કરવા આવેલો રાઘવન સહકાર્યકરોથી અતડો રહી, પોતાના કામમાં મશગૂલ રહેતો હતો. આ કારણે એ શેઠનો માનીતો બન્યો, પણ સહકાર્યકરોમાં અપ્રિય બન્યો. સૌની મજાક-મશ્કરીનું પાત્ર બન્યો. રાઘવનના અતડાપણા પાછળ ને કામના ઢસરડા પાછળ એની ગરીબાઈ, કૌટુંબિક જવાબદારી અને કૉલેજનો અભ્યાસ પૂરો કરવાનું ધ્યેય કારણભૂત છે, એવું સાથીઓને જ્યાં સુધી સમજાયું નહિ ત્યાં સુધી રાઘવન અને એના સહકાર્યકરો વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. પણ રાઘવનની ગંભીર માંદગીના પ્રસંગે રાઘવનને તેનાં સાથી પ્રેમ અને સહાનુભૂતિનો તો એ સાથીઓને રાઘવનની ગરીબીમાં પણ ટકી રહેલી અભ્યાસની ધગશનો ખ્યાલ આવે છે. સમજણની આ ભૂમિકા બંધાયા પછી અંતર ઘટી જાય છે. હદયની એકતા સ્થપાય છે. આપણે જુદા જુદા પ્રાંતના રહેવાસીઓ હોઈએ તો પણ એક જ રાષ્ટ્રના નાગરિક છીએ એવો રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ વાર્તામાં રહેલો છે.


સર્વે નંબર ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ટૂંકી વાર્તા) 11

આ એક ટૂંકી વાર્તા છે જેનું મૂળ એક સત્યઘટનારૂપી નાનકડા બીજમાં પડ્યું છે, ને વાર્તાની અન્ય કલ્પનાઓ મારી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે સર્જાતી ઘટનાઓ અને રૂઢીઓથી ચાલતી આવેલી માન્યતાઓને આજના ઉપલક્ષ્યમાં, શહેરીકરણ અને ઔદ્યોગીકરણના ઓછાયા હેઠળ શબ્દાંકીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય આ વાત માટે બીજુ કાંઈ કહેવાપણું રહેતું નથી.


નવો મગર અને નવો વાંદરો – બકુલ ત્રિપાઠી 6

શ્રી બકુલ ત્રિપાઠીનો હાસ્યકથા સંગ્રહ “શેક્સપિયરનું શ્રાદ્ધ” એ નામે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયેલો, કુલ ૨૫ હાસ્યલેખોના આ અનેરા ખડખડાટ સંગ્રહમાં વિષયશિર્ષકો પણ એવા જ અનેરા છે, જેમ કે, વાટકી-એક રહસ્યકથા, પિનાક વિનાના પિનાકપાણી, કવિતાનું શું થયું, ડોક્ટર થર્મોમીટર ગળી ગયા વગેરે. આજે આ હાસ્યસંગ્રહમાંથી માણીએ એક પ્રતિવાર્તા, નવો મગર અને નવો વાંદરો.


પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા 13

અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.


સ્મૃતિની સફરે… રક્ષાબંધન – ડો પ્રવીણ સેદાની. 2

રક્ષાબંધન એ એક સંબંધના અનેરા સ્નેહાળ બંધનની ઉજવણીનો, એ જવાબદારીના વહનની સહજ સ્વીકૃતિનો અને સૌથી વધુ તો ભાઈ બહેનના એક બીજા પ્રત્યેના સ્નેહનો ઉત્સવ છે. ડો. પ્રવીણ સેદાની દ્વારા અહીં પ્રસ્તુત કરાયેલી પ્રસંગકથા આ જ દિવસના મહત્વની એક અનેરી દાસ્તાન કહી જાય છે. દરેક તહેવારોની સાથે કેટલીક યાદો, સ્મરણો જોડાયેલા હોય જ છે, રક્ષાબંધન વિશેના એવા જ સ્મરણોનું ભાથું લઈને અક્ષરનાદના વાચકમિત્રો સાથે વહેંચનારા ડો. પ્રવીણ સેદાનીની લાગણીઓ આપણને સૌને સ્પર્શી જશે એ ચોક્કસ. યાદોની આવી સુંદર સફરે આપણને લઈ જવા બદલ અને આ સ્નેહ ગાથા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. દરેક ભાઈ બહેનના સ્નેહને વંદન સાથે સર્વે વાંચકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.


જુમો ભિસ્તી – ધૂમકેતુ 50

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫)આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ તણખા ભાગ – માંથી લેવામાં આવી છે. જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, મને ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. આ સુંદર રચના ગોપાલભાઈ પારેખની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.


સાચી મૂડી – ગિરીશ શર્મા 1

૧૯૭૩થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કર્મઠ સંનિષ્ઠ કાર્યકર, દેશભક્તિના રંગે રંગાયેલા શ્રી ગિરીશ મ. શર્માના કેટલાક સંસ્મરણો ધરાવતું પુસ્તક પારિજાતના પુષ્પો તેમના બાળપણના કેટલાક સંસ્મરણો, સ્વાનુભાવે સંસ્કારાયેલા કેટલાક ચરિત્રો અને મૌલિક સર્ગશક્તિના પરિપાક રૂપ કેટલાક પાત્રો એમણે આ સંચયમાં મૂક્યાં છે. એક નિષ્ઠાવાન, કલાકારના ચિત્રને સહજ એવી સ્ફુરણા એમણે સાદી સીધી ભાષામાં અહીં વહેતી કરી છે. આ પ્રસંગ કે સ્મરણચિત્ર સંગ્રહના ફૂલોને કોઈ વાર્તા કહે કે ન કહે તેની ઝાઝી તમા તેમને નથી, છતાં અહીં પાતળું તો પાતળું વાર્તાતત્વ નથી એમ કોણ કહેશે? નસીબજોગે ૨૦૦૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ પુસ્તક વિમોચનમાં હાજર રહેવાનો અવસર મને મળેલો. ત્યારથી આ પુસ્તકના સહજ પ્રસંગો અને સરળ દર્શન વાંચવા, મમળાવવા ગમતાં રહ્યાં છે. આજે પ્રસ્તુત છે એ પુસ્તકમાંથી એક પ્રસંગચિત્ર. આ રચના અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગિરીશભાઈ શર્માનો ખૂબ ખૂબ આભાર.


અપ્રાપ્ય પુસ્તક (અને માણસ) – ગિરીશ ગણાત્રા 8

ક્યારેક એક નાનકડો પ્રસંગ પણ જીવનભરનું સંભારણું બની રહે છે, એક નાનકડી ઘટના પણ માનસપટ પર તેની અમિટ છાપ છોડી જાય છે. આવી જ કાંઈક વાત અહીં પ્રસ્તુત વાતમાં લેખક કહે છે. એક પુસ્તકની શોધ માટેનો પુસ્તકવિક્રેતાનો પ્રયત્ન અને પુસ્તક મળ્યા પછી તેની સાથે જોડાયેલા સંસ્મરણો લેખક માટે એક આગવો પ્રસંગ બની રહ્યાં એ ઘટનાનું સુંદર આલેખન અત્રે થયું છે. પ્રસ્તુત લેખ ‘પ્રસાર’ ના પુસ્તક ‘વાચન – ૨૦૦૮’ માંથી સાભાર લેવામાં આવ્યો છે.


દર્પણ – મીનળ દીક્ષિત (ટૂંકી વાર્તા) 4

પ્રસ્તુત ટૂંકી વાર્તા સંબંધોના અનોખા જાળાને વર્ણવે છે. ખૂબ જ સહજ પરંતુ સરસ બોધ સરળ રીતે આપતી વાત અહીં થઈ છે. એક દીકરીની ગૃહલક્ષ્મી બનવાની સફર અને સાસરા પ્રત્યે તેની ફરજોનું સાચું ભાન તેને કઈ રીતે થાય છે એવી વાત ખૂબ માર્મિક રીતે વર્ણવતી આ સુંદર વાર્તા શ્રી મીનળ દીક્ષિતની રચના છે અને જનકલ્યાણ સામયિકના એપ્રિલ ૨૦૦૮ ના અંક માંથી સાભાર લેવામાં આવી છે.


પ્રેરક પ્રસંગો – સંકલિત 16

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.


શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી 8

કોઈકના જીવનની સત્યકથા એક વાર્તા માત્ર ન હોઈ શકે, અને લાગણીઓનું એ ઘોડાપૂર, વ્યક્તિવિશેષ માટે વીતેલા એ પ્રસંગોની મહત્તા આમ કોઈ કૃતિમાં પૂર્ણપણે વ્યક્ત પણ ન જ થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે શ્રી વિકાસ બેલાણીએ તેમના મિત્ર એવા વિશ્વાસની આ વાત અક્ષરનાદ માટે મોકલી ત્યારે બે ઘડી થયું કે આ વાત મૂકવી જોઈએ કે નહીં? સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. અને આ વાત સત્યઘટના છે, કોલેજમાં ભણતા, મુગ્ધાવસ્થાના આકર્ષણમાં પ્રેમરોગી થતાં કોઈને પણ આ વાત સામાન્ય લાગે, પરંતુ એ વ્યક્તિવિશેષ માટે તો એ અસામાન્ય જ રહેવાની. આ વાત અહીં મૂકવાનો હેતુ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે અનેક શુભેચ્છાઓ.


નો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા) 2

ગુજરાતી ભાષામાં આવી સુંદર વિજ્ઞાનકથાઓ (સાયન્સ ફિક્શન) ખૂબ જૂજ છે; શોધી ન મળે. વર્ષો પહેલાં શાળામાં કોઈક ધોરણમાં આ વાર્તા ભણ્યા હતાં, કદાચ ધોરણ આઠમાં. જોકે ત્યારે વાર્તાને સમજવાનો દ્રષ્ટિકોણ અપરિપક્વ હતો. મને આવી વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. જોકે કાલ્પનિક હોવા છતાં વાર્તાનો અંત ખૂબ અદ્ભુત થયો છે. પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય મનુષ્યના અંત પછી પણ સતત રહેશે એ વાતની અનુભૂતિ અહીં ખૂબ સુંદર(અનુભૂતિ સુંદર ન હોય ) રીતે થાય છે. વૈજ્ઞાનિક પરિકલ્પના દ્વારા લેખકે ભાવનાત્મક હેતુ સિદ્ધ કરવાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. માનવજાતને બચાવવા પ્રેમથી મોટું પરિબળ બીજું કોઈ નથી એ વાત પણ સુંદર રીતે પ્રતિપાદિત થાય છે.


ડાઘ – ભગવતીકુમાર શર્મા 4

અમુક રચનાઓ લેખકના જીવનમાંતો સીમાસ્તંભ રૂપ કૃતિ હોય જ છે, પરંતુ સાહિત્યની એક અખંડ પરંપરા માટે પણ તે એવો જ એક જાળવી રાખવા જેવો ખજાનો હોય છે. શ્રી ભગવતિકુમાર શર્મા આપણા આવાજ એક આદરણીય અગ્રગણ્ય રચનાકાર છે જેમની કૃતિઓ ખૂબ ઉમંગથી વંચાય છે, માણી શકાય છે. આજે પ્રસ્તુત છે તેમની એક સદાબહાર સુંદર ગદ્યકૃતિ. આ વાર્તા એક સમાજજીવન અને તેની રૂઢીઓનું પ્રતિબિંબ પાડે છે. સુંદર પ્રસંગવર્ણન, ધારદાર શરૂઆત, વાર્તાતત્વની વિશેષતા અને એવો જ સુંદર અંત આ ગદ્યકૃતિની વિશેષતા છે.


અ પ્રિન્સિપલ ટુ ફોલો – જીજ્ઞેશ અધ્યારૂ 11

પ્રસંગ સાવ સામાન્ય છે, અને મારી સાથે ફક્ત પાંચ વર્ષ ઉપર થયેલો, હું તેનો સાક્ષી છું, પણ એ દિવસે મને મારા જીવનમાં પાળવા માટે એક જરૂરી સિધ્ધાંત આપ્યો, ગમે તેટલી વાતો કહ્યા કરીએ, બગણાં ફૂંકીએ પણ જો વ્યવહારમાં ન ઉતરે તો એ અર્થ વિહીન છે. એ ફક્ત સંજોગો હોઈ શકે કે ત્યારે એ પ્રસંગના હિસ્સા રૂપે એક અંગ્રેજ સાહેબ અને ભારતીય ઈજનેરો – ઈજારાદાર હતા, એનાથી ઉલટું પણ હોઈ શકે, પણ વાત સિધ્ધાંતની છે, વાત છે એક માણસના દ્રઢ નિશ્ચયની.


પરિવર્તિત દિવાળી – જીગ્નેશ દેખતાવાલા 3

અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી જીગ્નેશ દેખતાવાલા વ્યવસાયે કોમ્પ્યુટર ઈજનેર છે અને મુંબઈ ખાતે ઓરેકલ ફાઈનાન્સીયલ સર્વિસિસમાં પ્રોસેસ કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. પ્રસ્તુત વાર્તા તેમની અક્ષરનાદ પર પ્રથમ રચના છે. જીવનના વિવિધ સંજોગોમાં પણ પોતાની ઉપકાર કરવાની સ્વભાવગત ખાસીયતો ન છોડનાર ગૌરીબેનનું ખૂબ સુંદર પાત્રાલેખન તેમણે આ વાર્તામાં કર્યું છે. આવી વધુ રચનાઓ તેમની કલમ થકી આપણને મળતી રહે તેવી શુભકામનાઓ સાથે અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


મા કેમ મરી ગઈ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો) 12

વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.


ખુદા હાફિજ ! – હરિશ્ચંદ્ર 3

પ્રસ્તુત વાર્તામાં એક નાનકડા ગામડાંના તદન ભોળા અને માસૂમ લોકોની વચ્ચે જીવતા સેનાના એક ડોક્ટરની અનુભવવાણી અને ગ્રામ્યજનોની લાગણીની અનુભૂતીની વાત સાહજીક રીતે કહેવાઈ છે. પરસ્પર મદદ કરવાની અને માનવીય સંબંધોની સાચી કદર કરવાની ભાવના અહીં ખૂબજ સુંદર રીતે વર્ણવાઈ છે.

ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે ” વીણેલા ફૂલ “.


ઇબ્રાહીમકાકા – મહાદેવભાઇ દેસાઈ 4

“ઈબ્રાહીમકાકા” – વર્ષો પહેલા શાળામાં ભણતી વખતે ક્યાંક આ સુંદર વાર્તા આવી હતી એવું આછું આછું યાદ છે. ઈબ્રાહીમકાકા, જુમો ભિશ્તી, મંગૂ ડોશી જેવા પાત્રોની વચ્ચે વસતું, તેમના વિચારોમાં ખોવાઈ જતું એ બાંળપણ કેટલું સુંદર હતું, લેખકના શબ્દો ક્યાંક મારા માટે પણ એટલા જ સાચા છે, આ ચમત્કારનો અર્થ ને તેનો મહિમા એ વખતે હું કળી શક્યો ન હતો, પણ હવે હું કળી શકું છું. જીવનઘડતર માટે પસંદ થયેલી આવી સુંદર વાર્તાઓ આજે વર્ષો પછી જ્યારે વાંચવા મળે ત્યારે મન ખૂબ પ્રફુલ્લિત થઈ જાય એ તદન સ્વાભાવિક છે.