સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


ચાર સોનેટ – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર પ્રસ્તુત થતી સબળ અને સુંદર રચનાઓ તેમની કલમનો પરિચય સુપેરે આપી જાય છે. તેમના ગીત, ગઝલના પુસ્તક ‘અરસપરસના મેળમાં’, બાઇબલ કાવ્યોનો સંગ્રહ ‘અજવાળાનો ધોધ’, મુકતક સંગ્રહ ‘હવાનાં રૂપ’ અને દૂહા સંગ્રહ ‘તડકાની છાલક’ છપાયાં છે. સોનેટનો સંગ્રહ તૈયાર છે તેમાંથી ચાર સોનેટ તેમણે આજે અક્ષરનાદના વાચકો સાથે વહેંચ્યા છે. અપેક્ષા છે કે ભાવકોને ગમશે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ ગઝલો – અમૃત ઘાયલ 11

અમૃત ઘાયલ સાહેબની રચનાઓના પરિચયમાં તો શું લખવું! તેમની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત છે, ૧. નીકળવા કરું તો મને જીવ રોકે.. ૨. દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી… અને ૩. શુષ્ક છું, બટકું નહી તો શું કરું! આપ સૌ આ ગઝલોને માણી શકો એ માટે અહીં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચનાઓ લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘અમૃત ઘાયલ’ ના ચૂંટેલા કાવ્યો -એ કાવ્યકોડિયાંમાંથી સાભાર લેવામાં આવ્યા છે.


ચાર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર તરોતાઝા ગઝલ રચનાઓ, ગઝલની બાંધણીમાં તેમણે ક્યાંક છૂટછાટ લીધી હોય તેવું લાગે તો પણ ગઝલનું હાર્દ અને તેનો ભાવ કૃતિને આસ્વાદ્ય બનાવે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હરેશ પાડલિયા 12

યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રહેતા શ્રી હરેશભાઈ વ્યવસાયે શિક્ષક છે અને અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. આજે તેમણે અહીં પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ પ્રસ્તુત કરી છે. માઈક્રોફિક્શનનું સ્વરૂપ નવોદિત લેખકોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે એ આનંદની વાત છે. વાચકોને આ પાંચેય વાર્તાઓ ગમશે એવી આશા સહ હરેશભાઈનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


ચાર સુંદર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 9

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આ જ શૃંખલામાં આજે પ્રસ્તુત છે તેમની હાર સુંદર ગઝલરચનાઓ. આશા છે આપને ગમશે. રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને.. (બે અછાંદસ) – ઉર્વશી પારેખ 10

એરીઝોના યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ ખાતર ગયેલા યુવાનને તેની મહેનતના પરિપાક રૂપે એમ.એસની ડિગ્રી મળે છે, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરવાનો એક ભાવ એ યુવકની માતાના મનમાં ઉદભવે છે, યુવકને એ સ્થળ, એ વસ્તુઓ અને લોકો સાથે લાગણી હોય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ તેની આ સફળતા બદલ દૂર દેશાવરથી તેની માતા પણ એ સર્વેનો આભાર માને છે, એક ડાયસ્પોરા યુવકની સફળતાનો યશ તેની ભારતીય માતા સજીવ-નિર્જીવ વસ્તુઓને કેવી સુંદર રીતે આપે છે એવા મતલબની વાત પ્રસ્તુત બે અછાંદસ સુપેરે કહી જાય છે. પ્રસ્તુત અપ્રગટ અછાંદસ કાવ્યો અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) 13

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


શબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast) 2

ગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે સંધ્યાભટ્ટ કૃત અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલું સુંદર શીર્ષક ગીત, ‘શબ્દ પેલે પાર..’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


પાંચ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 9

રાકેશભાઈની વધુ પાંચ ગઝલોનું આ ગુચ્છ અક્ષરનાદ પર પ્રસ્તુત કરતા અત્યંત આનંદ થાય છે. છંદની શિસ્તમાં લખાયેલી ભાવસભર અને ચોટદાર ગઝલો વાચકને ખૂબ ગમશે એવી આશા છે. પ્રસ્તુત ગઝલોની સાથે અક્ષરનાદ પર રાકેશભાઈની ત્રીસ ગઝલો પ્રસિદ્ધ થઈ છે જે અક્ષરનાદ માટે આનંદની વાત થઈ રહે છે. આવી જ સુંદર કૃતિઓની રચના અને ભાવકો સુધી અક્ષરનાદના માધ્યમથી તેને પહોંચાડવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ…


ત્રણ ગઝલરચનાઓ.. – ગુણવંત વૈદ્ય 8

ગુણવંતભાઈ વૈદ્યની વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની ત્રણ ગઝલ પ્રસ્તુત છે જેમાંની એકનું વિષયવસ્તુ ચૂંટણી, વચનો અને તેમની પૂર્તિ વિશે છે, બીજી ગઝલ શક્યતાઓની ગઝલ છે, હિંમતની વાત કરે છે અને ત્રીજી ગઝલ તો ગઝલ વિશેની જ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ચાર અદ્રુત ગઝલો.. – યાકૂબ પરમાર 11

આજે પ્રસ્તુત છે યાકૂબભાઈની ચાર સુંદર, અનેરી અને વિચારપ્રેરક ચાર ગઝલો. પ્રથમ ગઝલ ‘શરણમ્ ગચ્છામી’ વિષયવસ્તુ અને પ્રસ્તુતિ એમ બંને રીતે અદ્વિતિય છે, શબ્દચમત્કૃતિની રીતે બીજી ગઝલ અને બની બેઠેલાઓ વિશેની ત્રીજી ગઝલ આગવી કૃતિઓ છે તો પોતાના વિશ્વના અનેકવિધ વિભાગોને આવરતી સ્વત્વના સ્વીકાર સમી ચોથી ગઝલ સુંદર છે. ચારેય માણવાલાયક ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ચાર કાવ્યરચનાઓ – ઉર્વશી પારેખ 10

ભીનાશને અને સંવેદનાઓને કેવો ગાઢ સંબંધ હશે! ખુશીઓ પણ આંખમાં પાણી લાવે અને દુઃખો પણ, પથ્થરોના મકાનોમાં વસતી હીમ જેવી થીજી ગયેલી લાગણીઓ ભીતરમાં નર્યા સ્પંદનો અનુભવે છે. ઉર્વશીબેનના સુંદર ‘અછાંદસ’ સંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી ઉપરોક્ત કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ભીની લાગણીઓના સંબંધોને શોધતાં શોધતાં કરોળિયાની જેમ અટવાયા કરવું એ જ તો કાવ્યનું મૂળ છે, અને કાવ્યોમાં લાગણીના, સંવેદનાના અને ઝંખનાઓના દરેક પાસાને કોમળતાથી સ્પર્શતી તેમની કલમ અનેરી પ્રતીતિ કરાવે છે. સંગ્રહ અક્ષરનાદને ભેટ કરવા બદલ અને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 6

૭૬ વર્ષની ઉંમરે પણ સર્જનરત એવા શ્રી હરેશભાઈ બક્ષી મિસ્ટીકલ રીસર્ચમાં સ્પેશીયલાઈઝેશન કરીને પી.એચ.ડી. થયેલ છે, અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા અને http://www.soundofindia.com જેવી સંગીત સમૃદ્ધ વેબસાઈટ અને એ વિષયના પુસ્તકો આપનાર હરેશભાઈની અક્ષરનાદ પર આજે પહેલી કૃતિ પ્રસ્તુત થઈ છે. અક્ષરનાદ પર હાસ્યલેખ પ્રસ્તુત કરતા રમેશભાઈની ‘આત્મદર્શન’ નામની સુંદર કૃતિ અને હ્યુસ્ટનથી દેવિકાબેન ધ્રુવની ગુજરાત વિશેની રચના એમ ત્રણ કવિમિત્રોની રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને આ સંકલન ગમશે.


ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી 13

અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે,
અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ.

અને

આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.

જેવા અદ્રુત શે’ર સમાવતી ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


ત્રણ ગઝલો.. – કાંતિ વાછાણી 9

થોડાક સમય પહેલા ફેસબુક પરના યુવાકવિઓના મેળાવડા જેવા ‘ગઝલ તો હું લખું’ ગૃપના અગિયાર કવિઓએ સાથે મળીને પ્રસ્તુત કર્યો અનોખો સંગ્રહ ‘લઇને અગિયારમી દિશા’, તેમાં યુવા કવિમિત્રો મોહસીન મીર, મેહુલ ભટ્ટ, પારુલ ખખ્ખર, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, યોગેન્દુ જોષી, અનંત રાઠોડ અને કાંતિ વાછાણીની કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. એમાંના એક રચનાકાર કાંતિ વાછાણીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પર કાંતિભાઈની રચનાઓ પ્રથમ વખત પ્રસ્તુત થઈ રહી છે. ઉપરાંત ગઝલસંગ્રહ ‘લઇને અગિયારમી દિશા’ ભેટ કરવા બદલ પણ કાંતિભાઈનો આભાર તથા તેમની કૃતિઓ બદલ શુભકામનાઓ.


પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા 13

આજે પ્રસ્તુત છે રાકેશભાઈ હાંસલિયાની વધુ પાંચ અદ્રુત ગઝલરચનાઓ. ‘જીવે છે’ ગઝલ બે અંતિમો વચ્ચે જીવાતા જીવનની અને તેના અંતિમોની વાત મૂકે છે, હ્રદયની સંવેદનહીનતા વિશેની વાત તેઓ બીજી ગઝલમાં કહે છે, મનની પ્રાપ્તિ છતાં અતૃપ્તિની ભાવનાનો પડઘો તેમની ત્રીજી ગઝલમાં ઉભરે છે, તો ચોથી ગઝલ આશંકાઓના સાચા થવાનો ભય વ્યક્ત કરે છે. પાંચમી અને અંતિમ ગઝલના એક જ શે’રમાં રાકેશભાઈ બધુંય કહી દે છે,

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,
બોલતા’તા અશ્રુઓ સપના ઉપર

ટૂંક સમયમાં રાકેશભાઈનો નવો ગઝલસંગ્રહ ‘જે તરફ તું મને લઈ જશે..’ પ્રકાશિત થઈ રહ્યો છે, એ બદલ અક્ષરનાદના તમામ વાચકો અને અમારા તરફથી શુભકામનાઓ. સર્જનની આ પરંપરા આમ જ સદાય વિસ્તરતી અને વિકસતી રહે એવી શુભકામનાઓ અને અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ચાર ગીતો.. – યાકૂબ પરમાર 12

આપણે ત્યાં કાવ્યસંગીતનો એક અલગ જ દરજ્જો છે. તદ્દન શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ગઝલગાયકી ઉપરાંત આપણી કવિતાઓ અને ગીતોના ગાયનનો એક અનોખો પ્રકાર વિકસ્યો છે. કાવ્ય લખાઈ ગયા પછી સ્વરકાર તેને સ્વરનિયોજન અને સંગીત સહ ગેય બનાવે છે. તો ક્યારેક કવિ પોતે જ ગીતોને એવા ઢાળમાં રચે છે કે જેથી તેની ગેયતા આપોઆપ પ્રસ્થાપિત થઈ શકે છે. આવા જ ચાર સુંદર ગીતકાવ્યો યાકૂબભાઈ પરમાર આજે પ્રસ્તુત કરી રહ્યા છે. ચારેય ગીતોના વિષયો ભિન્ન છે, ઝાકળરૂપ ઈશ્વરને પોતાની વાત કહીને, હરીને અક્ષર સાથે સરખાવીને, નસીબની મજાક વિશે વાત કરીને અને શોષિત નારી વિશે – એમ ચાર સુંદર ગીત અક્ષરનાદને પાઠવવા બદલ યાકૂબભાઈનો આભાર તથા તેમના સર્જનને શુભકામનાઓ.


વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત 9

આજે ઘણા લાંબા સમયે વાચકોની પદ્યરચનાઓનું સંકલન પ્રસ્તુત કરી રહ્યો છું. ‘આ શું થયું…’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સિટી એન્જીનીયર તરીકે કાર્ય કરતા વિજયભાઈ પ્રિયદર્શીની રચના છે. તો બીજી કૃતિ ચંદ્રકાન્તભાઈ લોઢવિયાની છે. તો ધર્મેશભાઈ ઉનાગરની રચના ઔદ્યોગિક કામદારોને માટે ‘સુરક્ષા સહિત સેવા’ના આદર્શની વાત સમજાવે છે, ઉદ્યોગોમાં થતા જીવલેણ અને ગંભીર અકસ્માતોથી બચીને કામ કરવાનો સંદેશ તેમાં છે. અક્ષરનાદ પર આ ત્રણેય મિત્રોની પ્રથમ રચનાઓ છે, તો મિતુલભાઈની બે કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે જેમની આ પહેલા પણ એક રચના અહીં પ્રસ્તુત થઈ ચૂકી છે. સૌ મિત્રોને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર.


બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 8

આ પહેલા પ્રસ્તુત થયેલ ચાર અછાંદસ કાવ્યો બાદ આજે દિનેશભાઈ બીજી વાર તેમના અછાંદસ સાથે ઉપસ્થિત થયા છે. પાલનપુર, બનાસકાંઠાના દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા બે વિરહી અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ 11

ઉર્વશીબેન પારેખના સુંદર અને અનુભૂતિસભર કાવ્યસંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. માતાને અભ્યર્થના કરી રહેલ સંતાન તેના ગુણોને, તેની ક્ષમતાઓ, લાગણીઓ અને કપરા સંજોગોમાં પણ મક્કમ રહી સામનો કરવા જેવી વાતને યાદ કરી તેમના જેવા જ ગુણો પોતાનામાં સિંચાય એવું યાચે છે. સુંદર કાવ્યસંગ્રહ અક્ષરનાદને પાઠવવા અને આ કાવ્ય પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


રાજકારણ… – સાગર ચૌહાણ 12

રાજકારણ વિશેની પ્રસ્તુત પદ્યરચના પદ્યના કયા પ્રકારને અવલંબે છે એ સવાલને અવગણીએ તો એમ કહી શકાય કે રાજકારણીઓ અને તેમના મનમાં સતત ચાલતા સત્તા, સંપત્તિ અને ખુરશીના મોહને અહીં રાજકોટના સાગરભાઈ ચૌહાણ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ સાગરભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 15

ડૉ. મુકેશભાઈ જોષીની ત્રણ સુંદર ગઝલરચના આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


ચાર ગઝલો – યાકૂબ પરમાર 2

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિઓ છે. ચાર સુંદર ગઝલો આજે તેમણે પ્રસ્તુત કરી છે. આ સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


પાંચ સુંદર ગઝલો.. – રાકેશ હાંસલિયા 7

રાકેશભાઈની ગઝલો માણવાનો અને પ્રસ્તુત કરવાનો એક અનોખો આનંદ હોય છે. ગઝલમાં સત્વ અને તત્વને સમાવતા હોવા છતાં ચુસ્ત છંદબંધારણ અને સુંદર વિષયાનુભૂતિ સહિતની કૃતિઓ તેમની વિશેષતા રહી છે. અક્ષરનાદનું સદભાગ્ય છે કે આવા રચનાકારો અક્ષરનાદને તેમની કૃતિઓ પ્રસ્તુત કરવાનું ગૌરવ આપે છે, રાકેશભાઈની પાંચ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. વૃક્ષના છાંયડારૂપી પ્રસાદની વાત હોય કે શબ્દનો નિરાકાર સાદ હોય, આજીવન દળતી ડોશીની વાત હોય કે ઘેરા થતાં સ્મરણની વાત હોય, દરેકે દરેક ભાવને, દરેક લાગણીને શબ્દોમાં મઢીને મૂકાઈ છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ચકલી ચકલાંનું અંગ્રેજીકરણ…- જીજ્ઞા ત્રિવેદી 21

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞાબેન ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્યરચના જેમાં તેઓ અંગ્રેજીના વધતા પ્રભાવને હાસ્યસભર રીતે ચકલા-ચકલીની વાતોમાં અભિવ્યક્ત કરી રહ્યા છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને તેમની કલમે આપણને આવી સુંદર, અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


બે ગઝલો.. – ગની દહીંવાલા 3

૧૯૦૮માં સૂરતમાં જન્મેલ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની’ દહીંવાલા ગઝલ કવિ. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન ચલાવી. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી તથા ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય થયા. ‘ગાતાં ઝરણાં’, ‘મહેક’, ‘મધુરપ’ અને ‘ગનીમત’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત બે ગઝલો જયન્ત પાઠક દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


૧૫ ચોટદાર અછાંદસ.. – ધવલ સોની 8

૧૫ અછાંદસ, દરેકની શરૂઆત સમાન, ‘ને…’, દરેકની વાત અલગ, દરેકનું ભાવવિશ્વ અને વિષયવસ્તુ અલગ અને છતાંય એ પંદરેય નાનકડાં અછાંદસને એક તાંતણે બાંધતી દોરી એટલે સંવેદનશીલ હ્રદય. આમ તો દરેક અછાંદસમાં વાચક કહેવા પૂરતી એક વાર્તા શોધી જ કાઢશે, પરંતુ એ વાતની ભીતરમાં રહેલ ભાવને સમજવાનો પ્રયત્ન કદાચ તેના સર્જનને વિશેષ ન્યાય આપી શક્શે. અમદાવાદના ધવલભાઈ સોનીનો અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


ચાર અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 12

પાલનપુર, બનાસકાંઠાના શ્રી દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા ચાર અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. ચારેય અછાંદસ સુંદર અને અર્થસભર છે. શહેરમાં અનુભવાતા નિરસ ઋતુપરિવર્તનની વાત હોય, જીવનમાં પ્રિય પાત્રની અનુપસ્થિતિના વિચાર હોય, વિચારોના ઝાંઝવાને જોવાનો પ્રયત્ન હોય કે રણની વ્યથાના માર્ગે માણસની એકલતાને વાચા આપવાનો પ્રયત્ન હોય, ચારેય અછાંદસ માણવાલાયક સર્જાયા છે. અક્ષરનાદ પર દિનેશભાઈની આ પ્રથમ કૃતિ છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ગઝલ અષ્ટક + હસ્તાક્ષર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 8

આજે શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે અને તેમને આપણી શુભેચ્છાઓ પાઠવવા તેમની જ આઠ ગઝલો અને એક પ્રલંબ લયની અતિસુંદર હસ્તાક્ષર ગઝલ પ્રસ્તુત કરવાથી વધુ ઉપર્યુક્ત માધ્યમ કયું હોઈ શકે? બધી જ ગઝલો સુંદર અને બંધારણની રીતે ચુસ્ત છે, પ્રલંબ લયની ગઝલ તો વળી એક અનોખા વિશ્વમાં જ લઈ જાય છે. આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેઓ સતત આમ જ આગળ વધતા રહે, અર્થસભર, સંવેદનાસભર અને લાગણીશીલ કૃતિઓ દ્વારા આમ જ આપણી લાગણીઓને વાચા આપતા રહે એવી શુભેચ્છાઓ. ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી અક્ષરનાદના સર્વે વાચકો વતી ઈશ્વરને પ્રાર્થના સાથે તેમની કૃતિઓ તેમને જ સાદર.


માને એમ કે… – વિનોદ ગાંધી, આસ્વાદ : ઉર્વશી પારેખ 12

એક માતાની તેના બાળક માટેની ઝંખનાનું આ કાવ્ય છે. બાળકો મોટા થઇ જાય પછી માતા અને મોટા થયેલા સંતાનો વચ્ચેનો સંબંધ મૂળ અને ફૂલ વચ્ચેનાં સંબંધ જેવો હોય છે. માતા પરદેશ ગયેલા પુત્ર માટે અલગ પ્રયત્નો-ઘટનાઓ વડે પુત્રનાં પાછા આવવાની આશા રાખે છે, રાહ જુએ છે માનું હ્રદય છે ને તેથી આજે નહીં તો કાલે, આ કારણે નહિ તો બીજા કારણે પણ એ ચોક્કસ પાછો આવશે. નહીં આવે તેવો તો વિચાર પણ નથી કરી શકતી. કવિશ્રીએ આ કવિતામાં આશાભરી, રાહ જોતી માતાનું મન સરસ રીતે તાદ્શ્ય કર્યુ છે. પ્રસ્તુત રચના ઉર્વશીબેન પારેખના કાવ્યાસ્વાદના સુંદર પુસ્તક ‘કાવ્યાનુભૂતિ’ માંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ ઉર્વશીબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.