Daily Archives: March 19, 2014


ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી 13

અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે,
અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ.

અને

આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.

જેવા અદ્રુત શે’ર સમાવતી ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.