સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ચિંતન નિબંધ


ગાંધી મૂલ્યો : પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દીવાદાંડી – મહિમ્ન પંડ્યા 2

ધાંગધ્રાની એસ પી કોલેજમાં પંદર વર્ષથી ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અને કોલેજના ભીંતપત્ર ‘સ્પંદન’ નું સંપાદન કરતા શ્રી મહિમ્ન ભાઈ ધાંગધ્રા કોલેજમાં જ ગાંધીદર્શન કેન્દ્ર ચલાવે છે જેના માધ્યમથી તેઓ પ્રશ્નોત્તરી સ્પર્ધા, નિબંધ, વકૃત્વ સ્પર્ધા જેવા આયોજનો કરે છે. ગાંધી નિર્વાણ દિન નિમિતે તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવેલો આ સરસ ચિંતન લેખ અમુક કારણોસર થોડોક વિલંબથી આવી રહ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં ગાંધી મૂલ્યો માટેની જરૂરતો તથા તેની મદદથી સમાજના વિભિન્ન વિભાગો અને અંગોને વિકસિત તથા તંદુરસ્ત રાખવા માટેની વિચારસરણી તેમણે પ્રસ્તુત લેખમાં વિગતે આપી છે. આ સુંદર કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી મહિમ્નભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


ટેકનોલોજીનાં દબાણ નીચેનો સમાજ – આર્નોલ્ડ ટૉયન્બી (અનુ. તખ્તસિંહ પરમાર) 2

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ટેકનોલોજીની ક્રાંતિના પરીણામે ઉભા થયેલા પ્રશ્નો અને યુદ્ધ જેવા માનવ અસ્તિત્વને પડકારતા પ્રશ્નોને પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


બાળકનું ઘરમાં સ્થાન કયું? – ગિજુભાઈ બધેકા 7

આપણે ઇચ્છીએ છીએ કે જેવાં આપણે છીએ તેવાં બાળકો થાય. આપણે પોતે જ ઠરાવી દીધું છે કે બાળકો માટે આપણો આદર્શ પૂરતો છે. આપણાથી ઉચ્ચ વૃત્તિનાં ને શક્તિનાં બાળકો થઈ શકે એ ખ્યાલ આપણામાં છે? દુનિયા આગળ વધે છે કે પાછળ જાય છે? બાળવિચારને આપણા હદયમાં કેટલું સ્થાન છે? આપણે કહીએ છીએ કે એનાથી એ ન બને; આપણે માનીએ છીએ કે એનામાં વ્યવસ્થા કરવાની શક્તિ જ નથી. પણ આપણને આંખ જ ક્યાં છે? અજ્ઞાન ઘોર અંધારું આપણી ફરતું ફરી વળ્યું છે. એના ઉપરના વિશ્વાસથી એને કોઇવાર આપણને તક આપી છે? બાળકો વિશેના આવા જ વિચારો સાથે આંખો ખોલી નાંખે તેવા તથ્યો સાથે ગિજુભાઈ બધેકાના આ લેખને આજે ‘મા બાપોને’ એ પુસ્તકમાંથી અહીં લીધો છે.


સત્યનું સ્વાગત – મકરંદ દવે 2

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. પ્રથમ લેખમાં માણીએ મહાભારતના કેટલાક પ્રસંગો વિશે તેમનાં વિચારમોતી, બહારથી એ પ્રસંગો એવા વરવા લાગે છે કે એને છીપલાંની જેમ ફગાવી આગળ વધવાનું મન થાય. પણ એને હાથમાં લઇ બરાબર તપાસીએ ને એનાં પડ ભેદી જોવા પ્રયત્ન કરીએ તો સત્યનું સુંદર મોતી એમાં ઝગારા મારતું હોય છે. આવો એક પ્રસંગ, જેમાં મહાભારતનાં બીજ પડ્યાં છે એ, વ્યાસના નિયોગનો છે.


‘હિંદ સ્વરાજ’ ની મૂળ વાત નખ દર્પણમાં – કાન્તિ શાહ

હિંદ સ્વરાજ ભલભલા થાપ ખાઈ જાય એવું પુસ્તક છે. ગોખલેને આ લખાણ એટલું અણઘડ લાગેલું કે તેમણે ભવિષ્ય ભાખ્યું કે ગાંધી હિંદમાં એક વરસ રહ્યા પછી જાતે જ આ પુસ્તકનો નાશ કરશે. નહેરૂએ કહેલું કે હું આને અવાસ્તવિક માનું છું. કોંગ્રેસે તો તેની ચર્ચા વિચારણા કરવાનું જ મુનાસિબ નથી માન્યું. જ્યારે બીજી બાજુ ગાંધીજીએ જાતે થઈને લખ્યું હોય, અંદરના ધક્કાથી લખ્યું હોય તેવું આ એક જ પુસ્તક છે, એમણે કહ્યું છે, ‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યુ, બહુ વિચાર્યું જે મારા વિચારો છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા મારી ફરજ સમજ્યો છું.’ આ પુસ્તકના મૂળ વિચારનો શ્રી કાન્તિભાઈ શાહનો સંવર્ધિત અને સરળ આસ્વાદ આજે અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધી નિર્વાણ દિવસે આજે તેમના વિચારોને સાચા અર્થમાં સમજવા અને આત્મબદ્ધ કરવાથી વધુ મોટી શ્રદ્ધાંજલી કઈ હોઈ શકે?


એ ખોવાયેલી દીકરી…. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે વિશેષ 5

૨૪ જાન્યુઆરીની તારીખને ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ જાહેર કરીને ભારત સરકારે દર વર્ષે એ દિવસની ઉજવણી અને તે દ્વારા દીકરીઓ વિશે જાગૃતિ અને સદભાવ પ્રગટાવવાનું ધ્યેય રાખ્યું છે. શા માટે આ એક વિશેષ દિવસની જાહેરાત કરવાની જરૂર પડી? કહેવાતા આટલા બધા આધુનિક જમાનામાં પણ કોઈ એક જાતિને પોતાનું અસ્તિત્વ જાળવવા અને સમસ્યાઓ ઉકેલવા આ વિશેષ ધ્યાન જોઈએ છે? વાત એક નાનકડી બાળકીની છે… વાંચો વધુ આ વિશે.


જીંદગી : વ્યાખ્યા કે અનુભવ – હાર્દિક યાજ્ઞિક 11

જીંદગી વિશે અનેક વિચારો, અનેક ચિંતનો અને વિવેચનો આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, પણ જીવનના સમગ્ર દ્રશ્યને શબ્દોની પીંછી વડે વ્યાખ્યાથી લઈને અનુભવ સુધીના કેનવાસ પર એબસ્ટ્રેક્ટ સ્વરૂપે ચીતરવાનો સુંદર પ્રયત્ન શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનો છે. વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈની આ ત્રીજી કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


(હતાશા) ખંખેરી નાંખો અને ઉપર ચઢો… – અજ્ઞાત 10

હતાશા અને નિરાશાનો સમય હોય, ધારેલી કોઈ વાત, કોઈ લક્ષ્ય સિદ્ધ ન થઈ રહ્યું હોય અને નાસીપાસ થઈ જવાય એવા સંજોગો ઉભા થાય એવા સમયે સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે સાહિત્ય, સાહિત્યની હકારાત્મકતા માણસની અંદર રહેલી હિંમત અને ધૈર્યને જીવંત રાખે છે, મુસીબતો સામે લડવાની પ્રેરણા આપે છે. આવી જ એક દ્રષ્ટાંત કથા અત્રે પ્રસ્તુત છે.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૭) 11

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૬) 3

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ 3)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૨)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧ 2

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભરપૂર વરસતા વરસાદમાં અમે આ વિચારગોષ્ઠીનું શ્રવણ કરવાનો લહાવો લેવા પહોંચ્યા. જેમ જેમ અહીં વિદ્વાનોના ભજન અને ભજન ઈતિહાસ તથા પરંપરાઓ વિશેના વિચારો વ્યક્ત થયા તેમ તેમ મેઘરાજાએ પણ તેમની અવરિત વર્ષા ચાલુ રાખી. ભજન ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન રહેશે.


સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’ 2

કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં ‘કોમન મેન’, ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી. પ્રામાણિક, નિષ્પક્ષ, તાટસ્થપૂર્ણ વ્યવહાર, સંયમ, કોઠાસૂઝ પ્રેરિત અભિગમ આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ પ્રયોજાય છે. સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં “લંડન ટાઈમ્સે” એક મૃત્યુનોંધ છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.


સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકન 3

હકારાત્મક વિચારો ઘણી બધી જગ્યાએથી વાંચવા મળી શક્શે, પણ એ મહદંશે આંધળાઓ જેમ હાથીનું વર્ણન કરે, કોઈક પૂંછડીનું ને કોઈક સૂંઢનું એમ અછડતો ઉલ્લેખ હોય છે, હકારાત્મક બાબતો પર પુસ્તકો લખી નાખનાર માણસ પોતે એના વેચાણના વિચારે નકારાત્મક હોય એમ પણ બને! પણ અબ્રાહમ લિંકન જેવા એક અનોખા મહામાનવના મુખે, જેણે નિષ્ફળતાઓની લાંબી વણઝારને પાર કરીને સુખનો અનુભવ કર્યો છે, અનેક પ્રતિકૂળતાઓ છતાં પોતાના રસ્તેથી જરાય ચલાયમાન ન થયાં, એવા પ્રેરણાદાયી પુરૂષની વાત તો ધ્યાનમાં રાખવા લાયક હોય જ ને! આજે પ્રસ્તુત છે આવો જ એક સરસ વિચાર.


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


પ્રાર્થનાથી પ્રભુ ને ત્વમેવ માતા.. – ગોપાલ પારેખ 1

ગોપાલભાઈ પારેખ તેમના ગુજરાતી બ્લોગ પર તો સદવાંચનનો પ્રસાર પ્રસાર કરતાં જ રહે છે, પણ ક્યારેક આમ તેમના વિચારોને પણ અભિવ્યક્તિનું માધ્યમ બનાવી આપણાં સૌની સાથે વહેંચતા રહે છે. ગુજરાતીના સમૃદ્ધ બ્લોગ્સ પૈકી એક જેને ગણી શકાય એવો તેમનો “મા ગુર્જરીના ચરણે…” સાહિત્ય સંચયનો ખજાનો છે. આજે પ્રાર્થના અને પ્રભુમિલન વિશે તેમના ચિંતન વિચારો પ્રસ્તુત છે, તો “ત્વમેવ માતા”ની રચનાત્મકતા ચોટદાર થઈ છે. અક્ષરનાદને આ સુંદર વિચારો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે. પ્રગતિની સૌથી ઉત્તમ તકોને સૌથી કપરો સમય કે સૌથી ભયાનક પડકારો તરીકે જોવામાં આવે છે. આપણામાંના દરેકે, આપણા જીવનમાં જે તકલીફો કે યાતનાઓ વેઠી છે, એ ન આવી હોત તો આજે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા હોત ખરાં? નવી પેઢી વિશે આપણું તારણ શું છે? શું આપણે એવું ઈચ્છીશું કે નવી પેઢીને આપણે ભોગવેલી તકલીફો અને કપરો સમય અનુભવવા દેવો જોઈએ? કે પછી આપણા સંગ્રહિત સારા-નરસા અનુભવોમાંથી તેઓ કાંઈક પદાર્થ પાઠ શીખે તેમ થવું જોઈએ? જો તમે કદાચ એકાદ મિનિટ પૂરતું પણ થોભો, અને તમારા જીવનના સારા-ખરાબ અનુભવો, જે પાઠ જીવને તમને અત્યાર સુધી ભણાવ્યા તે વિશે વિચારો તો એવી કઈ વાત છે જે તમે એમની ઊંમરે જાણતા નહોતા પણ જાણી હોત તો ઘણી ઉપયોગ થઈ પડી હોત એવું તમને લાગે છે? હું તેમને આ વાતો અવશ્ય કહેવા માગું.


ચાણક્યના નીતિશાસ્ત્રના કેટલાક સૂત્રો 17

વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો, જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.


પ્રેરણા પુષ્પો – સંકલિત 4

“આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થઈ રહ્યું” જેવી ધ્રૃવપંક્તિ જેના શીર્ષપૃષ્ઠ પર અંકિત છે એવા અમદાવાદના શ્રી શંકરભાઈ લ. પટેલ દ્વારા સંકલિત સુંદર બોધપ્રદ અને ચોટદાર ટૂંકા પ્રસંગો અને મરમી વાતો સાથેનું પુસ્તક”પ્રેરણાનું પુષ્પ” પુષ્પ – ૨, એક શુભેચ્છક દ્વારા મને ભેટ મળ્યું. ઘણાં વખતે અનેક પુસ્તકોની વચ્ચેથી જેના વિધાનો સીધી અસર કરે એવું કોઈ પુસ્તક વાંચીને ખૂબ આનંદ થયો. એ જ પ્રેરણાદાયી પુસ્તકમાંથી અત્રે કેટલાક પ્રેરણાપુષ્પો લીધાં છે. દરેકે દરેક પુષ્પની આગવી સુવાસ, પોતાની સુંદરતા અને સંદેશ છે.


તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ 7

તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ. અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણ કહે છે કે માત્ર મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને – ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. આવા સુંદર ચિંતન સાથેનો અનેરો પ્રેમાળ નિબંધ.


ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર 2

‘સંસ્કૃતિનો વિસ્તાર’ એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ‌‌‌‌‌‌‌ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે.અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયાં તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળમાં ઠંડક અને શીયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૂતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે. હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે. અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.


કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.


આઝાદી કી મશાલ – મહેન્દ્ર મેઘાણી (પુસ્તક ડાઉનલોડ) 1

આઝાદી કી મશાલ પુસ્તક દેશની સ્થિતિ વિશે વર્ષો પહેલા સંકલિત પરંતુ આજના સમયમાં પણ પ્રસ્તુત એવો ખજાનો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતમાં લડવૈયાઓ અને આઝાદી પછી દેશના ઘડવૈયાઓ દ્વારા આપણને અપાયેલા સત્વશીલ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહે નહીં, તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. પ્રજાસત્તાકની સ્થાપના પછીનાં સાઠેક વરસોમાં દેશમાં દુષ્ટ બળોની એવી રમણા અવરનવાર ચાલતી રહી છે. આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણકરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આ પુસ્તક અનેક મહાપુરૂષોના આચાર અને વિચારના મંથનનો પ્રસંગોનો પરિપાક છે તો સાથે સાથે આપણા માટે એક અનેરા વિચારમંથનની શરૂઆત છે. ઇ-પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કરતાં અનન્ય ગૌરવની લાગણી થાય એવી આ પુસ્તિકા વાંચવા લાયક – વહેંચવા લાયક છે.


પરંપરાગત વિરુદ્ધ પ્રગતિશીલ કેળવણી – જોન ડ્યૂઈ, અનુ. નટવરલાલ બુચ

જોન ડ્યૂઈ છેલ્લા પોણોસો વર્ષોમાં કેળવણીના ક્ષેત્રમાં પ્રયોગો કરી તેમાંથી નવી પેઢીને સારી અને ઉપયોગી કેળવણી મળે તેવા પ્રયત્નો કરતા વિચારકોમાં મોખરે છે. તેમના નાના પણ ઘણાં ઉપયોગી પુસ્તક “Experience and Education” નો ગુજરાતીમાં અનુવાદ શ્રી નટવરલાલ બૂચ ગુજરાતીમાં “અનુભવ અને કેળવણી” અંતર્ગત કર્યો છે. આપણી સમજમાં કેળવણી શબ્દનો સ્પષ્ટ અર્થ શું થાય? જોન ડ્યૂઈ કહે છે, “કેળવણીનું વસ્તુ તે ભૂતકાળમાં તૈયાર થયેલ માહિતિના જથ્થા અને આવડતોનું બનેલ છે; તેથી શાળાનું મુખ્ય કામ આ બન્નેને નવી પેઢીને પહોંચાડવાનું છે.” પ્રસ્તુત લેખ જે પુસ્તક “અનુભવ અને કેળવણી” માંથી લેવામાં આવ્યો છે તેમાં લેખક પરંપરાપ્રાપ્ત અને પ્રગતિશીલ એ બંને કેળવણી પ્રવાહોનું પૃથક્કરણ કરે છે. મૂલતઃ અમેરિકન શિક્ષણશાસ્ત્ર અને વ્યવસ્થા ઉપર આધારિત આ પુસ્તક આપણી શિક્ષણવ્યવસ્થાને એથીય વધુ લાગુ પડે છે. અહીં એક એવી શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ વિચારાયું છે જે નકારાત્મક નહીં, વિધેયાત્મક રચના અને કેળવણી પર આધારિત હોય. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રથમ પ્રકરણ માંથી લેવામાં આવ્યો છે.


પંચતત્વ ચિંતન (ભાગ 1) – હરસુખરાય જોશી

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના સેવાનિવૃત્ત ઉચ્ચ અધિકારી છે, અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. પ્રસ્તુત ચિંતનલેખમાં તેઓ પંચતત્વ વિશેના તેમના વિચાર પ્રગટ કરે છે, માનવશરીર પાંચ તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું સંયોજીત સ્વરૂપ છે એમ માનવામાં આવે છે, આ પાંચેય તત્વો વિશે, તેમના માનવશરીરમાં કાર્ય અને મહત્વ વિશે અહીં વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત લેખમાં પ્રથમ ત્રણ તત્વો, પૃથ્વી – અગ્નિ અને જળ તત્વ વિશે વિચારો વ્યક્ત થયાં છે. આ લેખ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હરસુખરાય જોશીનો ખૂબ ખૂબ આભાર.