Daily Archives: July 22, 2010


પંચતત્વ ચિંતન (ભાગ 1) – હરસુખરાય જોશી

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના સેવાનિવૃત્ત ઉચ્ચ અધિકારી છે, અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. પ્રસ્તુત ચિંતનલેખમાં તેઓ પંચતત્વ વિશેના તેમના વિચાર પ્રગટ કરે છે, માનવશરીર પાંચ તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું સંયોજીત સ્વરૂપ છે એમ માનવામાં આવે છે, આ પાંચેય તત્વો વિશે, તેમના માનવશરીરમાં કાર્ય અને મહત્વ વિશે અહીં વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત લેખમાં પ્રથમ ત્રણ તત્વો, પૃથ્વી – અગ્નિ અને જળ તત્વ વિશે વિચારો વ્યક્ત થયાં છે. આ લેખ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હરસુખરાય જોશીનો ખૂબ ખૂબ આભાર.