સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


બે દેડકાઓ – અનુ. જીગ્નેશ અધ્યારૂ 2

આ નાનકડી વાર્તા બે મહત્વની વાતો કહી જાય છે,

૧. આપણી જીભમાં, આપણા શબ્દોમાં, જીવન અને મૃત્યુની શક્તિઓ રહેલી છે. કોઈકને, એવા હતોત્સાહી, દુઃખી માણસને પ્રોત્સાહનના બે શબ્દો તેમનો દિવસ, તેમની જીંદગી સુધારી આપવા આપણા બે શબ્દો પૂરતા છે.

૨. કોઈક હતોત્સાહી, દુઃખી માણસને આપણો કહેલો એક હતાશાનો શબ્દ નિષ્ફળતા સુધી, પ્રયત્નો કરવાની તેની ફરજને ચૂકાવી દેવા સુધીની હદે લઈ જઈ શકે છે.


એક ચપટી અજવાળું – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણી રચનાઓ મારી ડાયરીમાંથી અક્ષરનાદ પર આવતા વર્ષો લગાડી દે છે, એ કદાચ એમની સાથે જોડાયેલ પ્રસંગ હોય કે તેની સાથે, અતૂટ રીતે સંકળાયેલી સર્જનની લાગણીઓ…. જો કે એ બધી રચનાઓ સરસ છે કે સર્જનની માપપટ્ટી પર ખરી ઉતરે છે એવો કોઈ દાવો નથી, આ વાર્તા પણ કાંઇક એમ જ લખેલી, વર્ષો થયાં, આજે અચાનક એક જૂના પ્રસંગના સ્મરણ રૂપે આ વાર્તા પાછી યાદ આવી અને હિંમત કરીને પોસ્ટ કરી છે, વાર્તા તત્વ તદન સાધારણ છે, પણ વિશેષતા ફક્ત એટલી કે પ્રસંગનો ઘણોખરો ભાગ સત્યઘટના પર આધારીત છે.


સમય, જરૂરત અને યોગ્યતા – જીગ્નેશ ચાવડા 10

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી તેમના બસ મુસાફરીના એક સુંદર અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો આ પ્રયત્ન આપને ગમશે તેવી આશા છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા વારંવાર મળતી રહે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


છ ઝેન બોધકથાઓ – સંકલિત

ઝેન કથાઓની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ નાનકડા વિસ્તારમાં ખૂબ મોટી વાત કહી જાય છે. ઝેન કથાઓ ઘણી પ્રચલિત છે. ઝેન ગુરૂઓએ શિષ્યો સાથે થયેલા વિવિધ પ્રસંગો તથા સંસારની વિવિધ વસ્તુઓ અને વિષયો પર ટૂંકાણમાં પણ ખૂબ માર્મિક રીતે ચોટદાર અભિવ્યક્તિ ધરાવતી આવી ઝેન કથાઓ આપી છે જે ખૂબ પ્રખ્યાત છે અને બોધપ્રદ પણ બની રહે છે. આવીજ છ સંકલિત ઝેન વાર્તાઓ અત્રે પ્રસ્તુત છે.


વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા 13

શ્રી જીગ્નેશ ચાવડાની પદ્ય રચનાઓ આપે અક્ષરનાદ પર આ પહેલા પણ માણી છે, આજે પ્રથમ વખત તેમના તરફથી તેમના અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો વાર્તા લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


તમારા ચશ્મા કોઇને કામ લાગે? – અજ્ઞાત 7

સાચું નિદાન કર્યા પછી આપેલી સલાહ જ ઉપયોગી નીવડે છે. આ માટે આ નાનકડો વાર્તાલાપ આપને કાંઇક કહી રહ્યો છે. શું એ જાણવા માટે વાંચો આ સુંદર પરંતુ નાનકડો લેખ.


અલક મલકની કન્યા – ઉમાશંકર જોશી 2

શ્રી યશવંત શુક્લ દ્વારા સંપાદીત પુસ્તિકા “ઉમાશંકરની વારતાઓ” શ્રી ઉમાશંકર જોશીની કેટલીક શ્રેષ્ઠ ટૂંકી વારતાઓના સંગ્રહ છે. તેમાંથી આભાર સહ આજે વાંચો કૃતિ “અલક મલકની કન્યા” જે ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ સમાન રચના છે.


વરદાન પાછું લઈ લો – ચક્રવર્તી રાજગોપાલાચારી (અનુ. મુકુલ કલાર્થી) 3

એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રઘ્ઘાથી ભક્તિ કરતો હતો. એની નિર્મળ ભક્તિ જોઇ ભગવાન પ્રસન્ન થયા. એક દિવસ તેની આગળ પ્રગટ થઇને ભગવાને કહ્યું, “વત્સ, તને જે ગમે તે વરદાન માગ.” ભગવાને આમ એકાએક પોતાની સામે ઊભેલા જોઇ ખેડૂત અચંબો પામી ગયો. શું માગવું એ તેને સૂઝ્યું નહીં. આથી ભગવાન હસીને બોલ્યા,”તું સંકોચ રાખીશ નહીં. તારી જે ઇચ્છા થાય તે માગ. પણ એટલું ઘ્યાનમાં રાખજે કે તને હું જે આપીશ તે તારા પાડોશીઓને પણ માગ્યા વિના મળશે.” ખેડૂતે કહ્યું,: “:બરાબર છે, બાપજી. પણ શું માગવું એનીમને અત્યારે સૂઝ પડતી નથી. ઘરવાળીને પૂછીને કાલે તમને જણાવીશ.” બીજે દિવસે ખેડૂતે ભગવાનનું ઘ્યાન ઘર્યું, ત્યારે તેમણે પ્રગટ થઇને પૂછ્યું, “કેમ ભાઇ, શો વિચાર કર્યો?” ”હે કરુણાસાગર, મારામાં બુઘ્ઘિ ઓછી છે. મારી સ્ત્રી સાથે મસલત કરીને એમ નક્કી કર્યું છે કે મારી પેટી રૂપિયાથી ભરાઇ જાય અને તેમાંથી ગમે તેટલા રૂપિયા કાઢું તોયે તે ખાલી ન થાય, એવું વરદાન તમારી પાસે માગવું” ”એ તને જરૂર આપીશ. પણ મારી શરત યાદ છે ને? જે વસ્તુ તને મળશે એ તારા ગામના બઘા લોકોને પણ મળશે .” ”દયાનિઘિ! બઘું બરાબર યાદ છે. મને જે મળે તે મારા પાડોશીઓને પણ મળે, એ તો વધારે આનંદની વાત છે.” ”તસ્થાતુ!” કહીને ભગવાન અંતરઘ્યાન થયા. ખેડૂતે ઘેર જઇને પેટી જોઇ તો રૂપિયાથી ખીચોખીચ ભરેલી હતી! બીજે દિવસે ખીસામાં ખૂબ રૂપિયા ભરીને પોતાની સ્ત્રી માટે સાડીઓ ખરીદવા તે નીકળ્યો. રસ્તામાં એને જેટલા લોકો મળ્યા તે બઘાના મોં પર આનંદ આનંદ જ હતો. ખેડૂતને ભગવાનની શરત યાદ આવી. વરદાન કાંઇ તેને એકલાને જ થોડું મળ્યું હતું? બીજાની ખુશી જોઇને તે પણ ખૂબ રાજી થયો. […]


કલ્ચર મોતી – હરિશ્ચંદ્ર 2

‘કેમ, બહેનને સ્ટેશન પર તેડવા ન ગયાં?’ ‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને! નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’ ‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને! તમારી બહેનને સારું ઘર ન મળ્યું ?’ ‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ! ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું?’ એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી?’ ‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે? હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે?’ વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં?’ ‘દૂબળી ? ના રે ના. આખો દિ’ ફળોનો રસ પીઉં છું. ટૉનિક લઉં છું.’ વસંત બોલી. બહેનને ઓરડે ઓરડે ફેરવી હજારો રૂપિયાનું ફર્નિચર, કારપેટ્સ, પડદા વગેરે બતાવી રહી હતી. ‘તું તો મારે ત્યાં પહેલી જ વાર આવી, નહીં? અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’ ‘મને તો બઘું જ પસંદ છે.’ ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં? પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’ ‘એ તો બચપણની વાતો. હવે શું?’ વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને!’ કોણ જાણે કેમ એના મનમાં થોડી કડવાશ આવી ગઈ. એ ઇચ્છતી હતી કે ઇન્દુ એનો બંગલો જુએ, બગીચો જુએ, […]


અગમ્ય અનુભવ – દામુભાઈ શુક્લ 5

વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીમાં એક જ ફેર છે. બુઘ્ઘી મર્યાદા પૂરી થયા પછી જે કાંઈ બને છે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટી ‘અનુકૂળ કે પ્રતિકૂળ અકસ્માત’ કહે છે. ધાર્મિક દ્રષ્ટી કહે છે કે એ મર્યાદા પછી શ્રધ્ધાનું અમર્યાદિત ક્ષેત્ર શરૂ થાય છે; અને બુધ્ધિથી ન સમજાય એવી બાબતોને, જે અગમ્ય અને અકલ્પ શક્તિ જગતનું નિયંત્રણ અને સંચાલન કરી રહી છે તેના પ્રત્યક્ષ આવિર્ભાવરૂપે એ શ્રધ્ધા ઓળખાવે છે. દ્રષ્ટિ ભેદે ભલે જુદાં નામ અપાય, સત્યને એથી કંઈ આંચ આવતી નથી. જેનો મર્મ બુધ્ધિની મદદથી હું હજુ પામી શક્યો નથી એવી નીચેની સત્યઘટના-જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કદાચ ‘અનુકૂળ અકસ્માત’ કહેશે -રજૂ કરું છું. લગભગ ૬૫ વર્ષ પહેલાંની વાત છે. અમે ત્રણ કુટુંબો આબુ ગયાં હતાં. એક સાંજે, જેમ અનેક માણસો જાય છે તેમ, અમે પણ ‘સનસેટ પોઈન્ટ’ જોવા ગયાં હતાં ધરાઈને સૂર્યાસ્તનું દર્શન કર્યું અને આડાંઅવળાં ગપ્પાં માર્યા. એટલામાં તો અંધારું થઈ ગયું હતું. ચાલવા માંડ્યાં ત્યાં અમારામાંથી એકે દરખાસ્ત મૂકીઃ ‘બધા જાય છે એ રસ્તે નહિ, પાછળની કેડીને રસ્તે થઈને જઈએ.’ બીજા સભ્યોએ આનાકાની કરી, એટલે અમારી મંડળીમાંથી એક સભ્ય, જેઓ વારંવાર આબુ આવતા હતા તે, બોલી ઊઠ્યાઃ ‘આ રસ્તો મેં ખૂંદી નાખ્યો છે. સડકના રસ્તા કરતાં એ ટૂંકો છે. આ બધા મુકામે પહોંચશે તે પહેલાં પહોંચી જઈશું.’ બીજા ભાઈએ ઉમેર્યું  ‘ આપણે આટલા બધા છીએ, એટલે વાઘ આવશે તો એ પણ ગભરાઈને ભાગી જશે.’ સૂર્યાસ્ત જોવાના આનંદનો ઉન્માદ તો હતો જ. સાંજનો  સુંદર સમય હતો, સમૂહ હતો; એટલે લાંબો વિચાર કર્યા વિના બઘા એ રસ્તે ચાલવા માંડ્યા. થોડું થોડું અજવાળું રહ્યું અને કેડી દેખાઈ ત્યાં સુઘી તો કંઈ મુશ્કેલી ના પડી. રસ્તો પૂરો થયો અને નખી ઉપરની […]


કાળો ફુગ્ગો આકાશમાં ઉડે? 8

એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો હતો. તેને જોઈને બાળકો કિકિયારીઓ કરતા અને ફુગ્ગો ખરીદવા આકર્ષાતા. આ પ્રમાણે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઈ તેનો ઝભ્ભો ખેંચી રહ્યો છે તેવું જણાયું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આદિવાસી બાળક હતો. નજર મળતા જ આદિવાસી છોકરાએ તેને પૂછ્યું, “તમે કાળા રંગનો ફુગ્ગો આકાશમાં છોડશો તો તે પણ આકાશમાં ઉડશે ….. ?” ફુગ્ગાવાળો ક્ષણભર વિચારમાં પડી ગયો. આ છોકરો આમ કેમ પૂછે છે તેની નજર છોકરાની શ્યામ ત્વચા પર ગઈ, અને તેના મગજમાં ઝબકારો થયો. ફુગ્ગાવાળાએ વાત્સલ્ય પૂર્વક આદિવાસી છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો, “બેટા ફુગ્ગાઓ તેમનો રંગ લઈને નહીં પણ તેમની ભીતરમાં જે હોય તેના બળે જ ઉપર જતા હોય છે, રંગ ભલે કોઈ પણ હોય, કોઈ ફરક પડતો નથી…” ચારિત્ર્ય અને સફળતા મનુષ્યના હ્રદયમાંથી પ્રગટે છે. ******************** એક વૃધ્ધો શાણો મનુષ્ય પોતાના ગામની ભાગોળે બેઠો હતો. એક પ્રવાસીએ આવીને તેને પૂછ્યું, ” આ ગામમાં માણસો કેવા છે? હું અત્યારે જે ગામમાં જાઉં છું તે છોડીને મારે બીજે ગામ રહેવા જવું છે” વૃધ્ધ મનુષ્યે સામે પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું, “લુચ્ચા, જડ અને સ્વાર્થી”, શાણા માણસે કહ્યું “અહીં પણ લુચ્ચા, જડ અને સ્વાર્થી માણસો જ રહે છે.” થોડા વખત પછી બીજા પ્રવાસી એ આવીને પેલા વૃધ્ધને એજ પ્રશ્ન પૂછ્યો, વૃધ્ધે તેને સામું પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું “અમારા ગામના માણસો તો ખૂબ […]


એક આંસુ – ભાનુશંકર આચાર્ય 2

હું ઈશ્વરનો પરમ ઉપાસક, અનન્યાશ્રયી ભક્ત કે દ્રઢશ્રધ્ધ પૂજક ન હતો અને નથી. માણસ ઈશ્વર પ્રત્યે દરકારી કે બેદરકારી ગમે તે બતાવી રહે છતાં ઈશ્વર કલ્યાણમૂર્તિ છે, તે સર્વનો રક્ષક અને સહાયક છે તેમ તો હું એક અનુભવ પછી માનતો થયો છું. પ્રત્યેક વ્યક્તિને જીવનની કોઈ એક ક્ષણ ધન્ય બની હોય તેવો અનુભવ મળે છે જ. એક ક્ષણની તેવી સ્મૃતિ વારંવાર યાદ કરવામાં આવે તો નાસ્તિક મનુષ્ય આસ્તિક બની જાય છે. પાપી જન પુણ્યાત્મિકા ભાગીરથીથી પણ વધુ પવિત્ર બની જાય છે. ઈશ્વર સમદ્રષ્ટિવાળો છે; તે પાપી કે પુણ્યવાન, આસ્તિક કે નાસ્તિક, ભક્ત કે અભક્ત, દરેકને કોઈવાર પ્રત્યક્ષ થઈને અગર પરોક્ષ રીતે સાન્નિધ્યનું ભાન કરાવે છે. દર્શન દે છે. માત્ર ઈશ્વરનું દર્શન થયા પછી તેનું સ્મરણ જ, પછીથી મનુષ્ય જાગૃત રહે તો, તેના ઉધ્ધાર માટે સ્વતંત્ર અવલંબન બની શકે છે. બલ્કે મનુષ્ય તે દર્શનને ન વિસ્મરે તો તે ક્ષણ તેના જીવનની ધન્ય પળ બની જાય છે. આખું જગત સ્વાર્થી છે. હું કેમ સ્વાર્થી ન હોઉં? પરંતુ આસ્તિક અને શ્રધ્ધાળુ માતાપિતા પાસેથી ઈશ્વરનું સ્મરણ ગમે તે મુશ્કેલ પળમાંથી પણ ઉગારી લે છે તેવો ઉપદેશ મળેલો. નાનપણમાં જ મળેલો આ ઉપદેશ મને હજી યાદ છે. સંકટમાં ઈશ્વર સ્મરણ હું કદી ચૂકતો નથી. હું વિદ્યાર્થી હતો. ઈશ્વર સ્મરણ માત્ર સ્વાર્થ પૂરતું જ મારો આધાર હતું. પણ મુશ્કેલીમાં પાર ઉતારવા ઈષ્ટનું સ્મરણ અમોઘ શસ્ત્ર છે તેમ તો સ્વાર્થ ભાવનાની સાથે જ હું અત્યંત વિશ્વાસપૂર્વક માનતો. ઈષ્ટદેવનું સ્મરણ કર્યા સિવાય નિશાળે ન જવું કે ઘર બહાર પગ ન મૂકવો તે ટેવ માતાપિતાના ઉપદેશથી નાનપણથી જ પડી હતી. ઈચ્છાએ કે અનિચ્છાએ, શ્રધ્ધાથી કે અંધશ્રધ્ધાથી ઈરાદાપૂર્વક કે નિન ઈરાદે […]


શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમબેન દોશી 10

  “‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા આ ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? “   ” દેવુ નાનો હતો ત્યારે આ બધા રંગો તેને બહું ગમતા..તેથી મને થયું કે….એ આવે છે  તો…”   ” અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ.” રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું.  “પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા આ ઘરમાં પાંચ દિવસ પણ  નહીં ટકે.   ભૂલી ગઇ ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો.. પણ બે દિવસમાં બહાનું કાઢી ને ભાગી ગયો હતો. ‘ આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે  છે ? ‘ યાદ છે ને આવું કેટલું ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉં.  હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા…હવે બદલાઇશું. “   ” એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા  ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? “   “‘ બધી માને એવું જ લાગતું હોય છે. પણ સો વાતની એક વાત…. ! આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો જ નથી આપવો ને !  કોઇ જોખમ મારે નથી લેવું. બધું  તેને ગમે તેવું કરી નાખીશું.  પછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. “   […]


બે નાદાન બાળકો – હરિશ્ચંદ્ર (વીણેલા ફૂલ – ભાગ ૨) 9

‘કમલ ભઈલા!તું હજી જાગે છે? કેમ રડે છે? ‘ દસવર્ષની  નીના ડૂસકાં ભરી રહેલ નાના ભાઈને પૂછે છે. ‘દીદી, પપ્પા ક્યારે  આવશે? એમની પાસે ચાલ ને!’ ‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય?’ ‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં. માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી  એની પાસે જ સૂઈ ગઈ. ‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે? પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’ ‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી. ‘દીદી, કેમ ઘ્રૂજે છે? તને શું થયું? તાવ આવ્યો?’ ‘ચૂપ રહે, માસી આવી રહી છે.’ ‘કેમ નીના,શં છે? ઓહો! ભાઈને કાંઈ બહુ લાડ કરાવે છે ને! મારી શું વાતો કરતાં હતાં? બોલ! બળ્યું મારું નસીબ. બહેન પોતે તો સ્વર્ગમાં પહોંચી ગઈ, પણ મારે માથે આ વેંઢાર નાખતી ગઈ.’ માસીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ‘કેમ શું થયું? માસા પણ આવી પહોંચ્યા. ‘મારું માથું ! ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’ ‘કાંઈ લીધું તો નથી ને? પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા. ‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં. ‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે!’ એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું?’ ‘અને મજાતો એ કે મેં કહ્યું, ત્રણસો-ચારસોની વ્યવસ્થા કરી દે,તો તને છોડાવવાની જવાબદારી મારી. ત્યારે સતવાદી બોલ્યા, હું લાંચ આપીશ નહીં. આપવી ન્’તી તો લીધી […]


શાંતુ બા – વિકાસ બેલાણી

“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી, પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા, મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું  “ એમનું નામ શાંતુબા. અમે પણ એમને શાંતુબા જ કહેતા. મેલી સાડીમાં સહેજ વળી ગયેલો પાતળો દેહ, ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને સાથે એક પોટલુ, આ થયો શાંતુબા નો પ્રાથમિક પરીચય. અમને હંમેશા શાંતુબાની રાહ હોય જ. હતું એમ કે શાંતુબા શિયાળામાં ચણી બોર વેચવા આવતા અને ઉનાળામાં ટેટી-મતીરા લઇને આવતા. એમનો સાદ પડે અને આખી શેરીના છોકરાઓ ભેગા થઇ જતા. બધાને મન શાંતુબા એમના પોતાના બા કરતા પણ વધારે વહાલા હતાં. શાંતુબાનો ચહેરો એકદમ ભોળો, એમને એક વાર મળનારને એમના પ્રત્યે તરત જ આત્મિયતા બંધાઇ જતી. શાંતુબા બોર વેચવા આવતા એ કરતા વધારે એમ કહેવાય કે એ બોર વહેંચવા આવતા. લાલ મિઠા ચણી બોર જ્યારે અમને એમના હાથેથી મળતાં તો એવું લાગતું જાણે શાંતુબા નહીં પણ ખુદ શબરી અમને બોર આપતી હોય. મને યાદ છે મારા મમ્મી ઘણી વાર શાંતુબાને જમાડતા અને ક્યારેક લોટ કે એવું આપતા, શેરીમાં બીજા પણ ઘણા આવું કરતાં. હું ઘણી વાર બાળ સહજ જિજ્ઞાસાથી પુછતો કે ” મમ્મી,આપણે જેમ આપણા ઘરે જમીએ છીએ એમ શાંતુબાને એમના ઘરે જમવાનું નહી હોય!”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા? મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો?” મમ્મી કેહતા કે એવું ના […]


અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ 5

એડિનબેરોમાં સેન્ડીનામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે દીવાસળીની પેટીઓ વેચી જીવન નિર્વાહ કરતો હતો. એક વખત તેણે એક ગૃહસ્થને એક દીવાસળીની પેટી વેચાતી આપી. તે ગૃહસ્થ પાસે પરચૂરણ નહોતું. તેથી પેલા છોકરાને એક શિલીંગ આપ્યો. સેન્ડી તે શિલીંગ વટાવવા ગયો. પેલા ગૃહસ્થે ઘણી વાર રાહ જોઈ પણ તે પાછો આવ્યો નહીં. એટલે કંટાળીને તે ગૃહસ્થ પોતાને ઘરે ગયા. સાંજે તે છોકરા સેન્ડીનો નાનો ભાઈ રૂબી તે ગૃહસ્થનું ઘર શોધતો શોધતો આવી પહોંચ્યો. તે ગૃહસ્થને તેણે પૂછ્યું, “સાહેબ, મારા ભાઈ સેન્ડી પાસેથી આપે એક દીવાસળીની એક પેટી ખરીદ કરી હતી અને એક શિલીંગ આપ્યો હતો પણ એ શિલીંગ વટાવવા જતા તેને એક ઘોડાએ લાત મારી, એના બંને પગ ભાંગી ગયા છે. અને તે બચે તેમ નથી, વળી અકસ્માતને લીધે તેણે બધા પૈસા પણ ગુમાવ્યા છે, હું આપને માત્ર ચાર પેન્સ આપી શકું એમ છું તો મહેરબાની કરી સ્વિકારી લો. બાકીની રકમ પણ હું જલ્દી આપી દઈશ.” પેલા ગૃહસ્થને તેની પાસેથી કાંઈ પણ લીધું નહીં, તેમને સેન્ડીની દયા આવી, તેથી તે તરતજ પેલા છોકરા સાથે તેને જોવા ગયા, તે એક ખૂણામાં છોડીયાના ઢગલા પર પડ્યો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બબડતો હતો, “રૂબી, તારી સંભાળ કોણ રાખશે?…” પેલા ગૃહસ્થે તેને દિલાસો આપ્યો અને રૂબીની સંભાળ લેવાનું વચન આપ્યું. પેલા છોકરાને શાંતિ થઈ અને તે થોડીક વારમાં મરણ પામ્યો. જખમી થઈ મરણ પામનારા આ નાનકડા ગરીબ છોકરામાંય ઇશ્વરે કેવી પ્રામાણિકતા મૂકી હતી?


મારા મૃત્યુ પછીની થોડીક ક્ષણો (ભાગ ૨) 11

પૂર્વાધ વાંચો અહીં, ક્લિક કરો મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) ********* હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ,  મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો. રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો. મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.” મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.” તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?” “હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં. ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ….. મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો…… મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી […]


મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) 17

મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની…… મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે… E@@@@@——> શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું….. જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક […]


પાપા, આ ચું ચે? – જીગ્નેશ અધ્યારૂ 18

હું ઓફીસથી આવીને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો હતો, અને મારી પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. મારી દોઢ વર્ષની દીકરી તેના રમકડાં સાથે રમી રહી હતી. હું ટીવી પર કોઈક સારો કાર્યક્રમ શોધવાની પેરવીમાં હતો કે અચાનક મારી પુત્રી મને પૂછી બેઠી, “પાપા આ શું છે?” હું અવાચક થઈ ગયો. અમે તેને શીખવતા હતા કે આને હાથ કહેવાય, આને પગ કહેવાય, કે હાર્દીની આંખો ક્યાં છે ને હાર્દીના કાન ક્યાં છે, વગેરે વગેરે અને તે અમને ઈશારાથી જવાબ આપતી. પણ આમ તેના મોઢે પહેલી વાર આવો પ્રશ્ન સાંભળ્યો, મારી પત્ની ખુશ થતી રસોડામાં થી ત્યાં આવી ઉભી અને ખેલ જોઈ રહી. મેં તેને જવાબ આપ્યો, “બેટા એને હાથ કહેવાય”. ફરી તે જ પ્રશ્ન, “પાપા આ શું છે?” અને મેં ફરી એ જ જવાબ આપ્યો “આ હાથ છે.” મને તેના હાવભાવ જોવાની મજા આવવા લાગી. તેને કદાચ સંતોષ નહીં થયો હોય એટલે તેણે પાછું ફેરવ્યું “પાપા, આને હાથ કહેવાય?” એને એમ કે આમાં એવુ તો શું છે કે આને હાથ કહેવો પડે? ડોકીને ઉંચી નીચી કરી, ઝાટકો મારી આવા પ્રશ્નો પૂછવાની તેની આવડત પહેલી વાર જોઈ રહેલા અમે તેના જવાબો આપવા તત્પર હતા. “હા આને હાથ કહેવાય……” થોડા સમય પછી ફરી “પપ્પા આ શું છે?”, મેં જવાબ આપ્યો “આને રીમોટ કહેવાય”, તો તે ફરી પૂછે “મીમોટ કહેવાય?” “હા દીકરા” મેં કહ્યું. જમતી વખતે “પપ્પા આ શું છે?” “બેટા આ રોટલી કહેવાય” “રોતલી?” “હા રોટલી” તેની મમ્મી એ જવાબ આપ્યો. અને તેને ખવડાવવાનો પ્રયત્ન પાછો શરૂ કર્યો. એકવાર મકોડાને પકડીને પૂછે “પપ્પા આ શું છે?” તેની મમ્મી તેને ખીજાઈ ને કહે “ફેંકી દે […]


એક ચપટી પ્રેમ 9

આ વાર્તા વાંચી અને બહુ ગમી પણ તેના લેખક વિષે માહિતી નથી. …રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનુ બનાવવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ માં જમવાનુ બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનુ જમવાનુ એટલુ સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જ્યારે મમ્મી જમવાનુ બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યુ કે જરૂર આ ડબ્બામાં જરૂર એવુ કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઈ જાય છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવુ કહેતા પણ સાંભળ્યુ હતુ કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો. એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યુ કે કોઈ વાંધો નહી હવે મમ્મી આરામ કરશે અને જમવાનુ પોતે બનાવશે. જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યુ કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયુ તો ડબ્બામાં કશુ જ નહોતુ. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી. રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં લખ્યુ હતુ કે – બેટા તુ જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી. ….કેટલી સારી વાત છે ને કે અમારા દરેક કામમાં થોડો […]


બિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની

વેનીસના ઓપેરા હાઊસ માં બિથોવન નો ઓપેરા હતો વેનિસ શહેરમાં તેનો જોરશોરથી પ્રસાર થયો હતો અને તેના શો ની બધી ટીકીટ ખૂબ મોંઘી હોવા છતાં વેચાઈ ગઈ હતી. બિથોવન અને તેમના મિત્ર ઓપેરા ના આગલા દિવસની સાંજે વેનિસ શહેરની ગલીઓ માંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ફરવા નીકળ્યા હતા. ગલીઓમાંથી ચાલતા ચાલતા અચાનક તેમને એક ઝૂંપડામાંથી સંગીતનો મધુર ધ્વનિ સંભળાયો. બિથોવન તો જાણે સંગીત માટે જ સર્જાયેલા હતા. તેમના પગ આપમેળે તે ઝૂપડા તરફ ઉપડ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો એક છોકરો ઝૂંપડામાં બેઠેલો હતો અને તેની બહેન વાજીંત્ર વગાડતી હતી. તેના સુરો ખરેખર ખૂબ સુંદર હતા. છોકરાએ બિધોવનને જોઈને પૂછ્યું કે તે કોણ છે. પેલી છોકરીની એકાગ્રતા તૂટી અને તેનું સંગીત બંધ થયું. બિથોવન બોલ્યા કે અમે સંગીત પ્રેમી છીએ અને તમારૂ સુંદર સંગીત સાંભળીને આ તરફ આવી ચડ્યા છીએ. તેણે આસપાસ નજર કરી તો ગરીબી ચારે તરફ પ્રસરેલી હતી. બંને ભાઈ બહેન ના કપડા અસ્ત વ્યસ્ત હતા, ફાટેલા તૂટેલા અને ચિંથરેહાલ હતા. અને સૌથી આશ્ચર્યની વાત તો એ કે પેલી છોકરી અંધ હતી. બિથોવને તેમને કહ્યું કે તમે મને હજી સંગીત નો સ્વાદ લેવા દો. પેલી છોકરીએ વગાડ્યું અને તેણે બેઠા બેઠા સાંભળ્યા કર્યું. થોડી વાર પછી તેણે પેલી છોકરીના હાથમાં થી વાજીંત્ર લઈ લીધું અને વગાડવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં પેલી છોકરી તેને ઓળખી ગઈ, ખુશીના માર્યા તે ઊછળી પડી.”તમે બિથોવન છો ને?” તેણે પૂછ્યું. તેનો ભાઈ પણ બિથોવન ને જોઈ ખુશ થઈ ગયો.”તમારા ઓપેરા માં આવવા માટે મારી બહેન ખૂબ જીદ કરતી હતી પણ એ એક ટીકીટ અમારી જીવનભરની કમાઈ થી ય ક્યાંય વધારે છે…”તેણે મજબૂરી ભર્યા સ્વરે કહ્યું. બિથોવન કહે “હવે હું અહીં છું ને……આજે અહીં જ તમને […]


બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ 7

બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ આમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. ગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો. આ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો. એક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બધી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય. તેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે “પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ?” “મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું” મહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો. “મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, […]


જીવનની વાસ્તવિક્તા – જીગ્નેશ અધ્યારૂ 5

{ એક વાર્તા અંગ્રેજી માં વાંચી….આમ તો અનુવાદ છે પણ આ અનુવાદ ફક્ત એક અનુવાદ ન રહેતા મનની વાત થઈ ગઈ છે… }   એક રાજાને ચાર રાણીઓ હતી. રાજા તેની ચોથી રાણીને સૌથી વધારે પ્રેમ કરતો. તે રાણી માટે રાજા જાત જાતના વસ્ત્રો અને અલંકારો મંગાવતો, તેના બધા શોખ રાજા પૂરા કરતો અને તેને સૌથી ઊતમ વસ્તુઓ તે આપતો, તેનું સૌથી વધારે ધ્યાન રાખતો.   ત્રીજી રાણી પર રાજાને બહુ વિશ્વાસ નહોતો. રાજા જો કે તેને પણ સદા ખુશ રાખતો, તેને આજુ બાજુના રાજ્યો વિષે માહિતિ આપતો, અને સદા તેને તંદુરસ્ત રહેવા માટે બધી સગવડ કરી આપી હતી. જો કે તેને મનમાં એમ થતુ કે આ રાણી એક દીવસ તેને છોડી ને જ જવાની છે. તે તેની બીજી પત્ની ને પણ પ્રેમ કરતો. તે રાજા માટે સદા વિશ્વાસુ, મિત્ર અને સહ્રદયી હતી. તે રાજાનું ઘણું ધ્યાન રાખતી. ઘણી વાર રાજા તેને અપમાનિત કરતો, અવગણતો પણ તે સદા રાજાની સાથે હતી. તે રાજા ને મુશ્કેલી ના સમયમાં સદા સાથ આપતી. રાજા ની પહેલી પત્ની ખૂબ સરળ અને સુંદર હતી. તેણે રાજાને તેની કીર્તી અને પ્રસિધ્ધી અપાવી હતી. રાજાના શાસનમાં તે અસંખ્યવાર તેને મદદરૂપ થતી. રાજા તેને જરાય પ્રેમ ન કરતો, કે કહો તે છે જ નહીં તેમ જ વર્તતો…પણ આ રાણી તેની સાથે ને સાથે જ રહેતી.   એકવાર રાજા ખૂબ જ બીમાર પડ્યો. તેને ખબર પડી ગઈ હતી કે તેનો અંતિમ સમય નજીક છે. તેને થયું કે લાવ બધી રાણીઓને બોલાવી પૂછી જોઊં કે કોને મારી કેટલી ચિંતા છે… તેણે તેની ચોથી રાણીને બોલાવી, પાસે બેસાડી અને તેને પૂછ્યું […]


દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી 8

 “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.” આ ઘટના ગયા મે – જુન માસની છે,અને હું આ ઘટના ક્યારેય ભૂલી શકું એમ નથી. હું જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે આંખમાંથી આંસુ નીકળી આવે છે. એ સમયે હું સુઝલોન એનર્જી નામની કંપનીમાં જોબ કરતો હતો,હું એમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્લાનીંગ – ડેવેલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ માં એન્જિનીયર હતો. મારી ફરજના ભાગરૂપે મારે ઘણીવાર ગુજરાત અને રાજસ્થાનની સાઇટ પર લાંબી-લાંબી ટુર કરવાની થતી અને એ ટુર દરમીયાન ઘણીવાર અવનવા અનુભવો થતા. અહિં જે ઘટનાની વાત કરવાનો છું એ આવી જ એક ટુર દરમીયાન બનેલી. મે-જુન નો એ સમય હતો, મને અચાનક જ રાજકોટ – જામનગર અને પોરબંદર  જિલ્લાઓની નજીક આવેલી તમામ સાઇટોનો સર્વે કરવાનો  ઓર્ડર મળ્યો હતો. હું વડોદરાથી બસમાં રાજકોટ જવા નીકળ્યો, ત્યાં થોડું પ્લાનીંગ કરી એક આસીસ્ટન્ટ સાથે બીજે દિવસે મારે ગાડી લઇ નીકળવાનું હતું. બીજા દિવસે ડ્રાઇવર ગાડી લઇને આવી ગયો અને અમે ત્રણ જણ, હું, મારો  આસીસ્ટન્ટ અશોક, અને ડ્રાઇવર સર્વે માટે નીકળી પડ્યા. એ સમયની વાત કરું તો ઊનાળો એના ચરમ પર હતો,  વરસાદને તો હજી વાર હતી અને સુર્યનારાયણ આકાશમાંથી ભયંકર આગ વર્ષાવી રહ્યાં હતાં. અમે લોકો ધોરાજી – ઉપલેટા તરફ જઇ રહ્યાં હતાં.અમે ત્યાંનું કામ ફટાફટ પતાવી આગળ જવા નીકળ્યા. અમારે જેમ બને એમ બરડા ડુંગર (પોરબંદર) તરફ જવું હતું.આગળથી એક રસ્તો ભાણવડ તરફ જતો હતો જે બાજુ અમારે જવાનું હતું. બપોરના લગભગ બે વાગ્યા હતાં,ધોમધખતો તાપ હતો અને રસ્તા પર એકલ-દોકલ વાહન સિવાય દુર સુધી કોઇ દેખાતું ન હતું. અમારી ગાડી પણ ઝડપથી આગળ વધી રહી હતી. અચાનક […]


વેપારીનું પેટ – સંત ‘પુનિત’ 3

વેપારીનું પેટ કદીયે કળાય નહિ. વેપારીનું સદાયે પડખું સેવનારી એની પત્ની પણ ન કળી શકે, તો પછી બીજા સામાન્ય માણસનું તો ગજું જ કેટલું? એક વેપારી રજાના દિવસે ઘેર બેઠા બેઠા ચોપડામાંથી ઉઘરાણીનો ઉતારો ઉતારી રહ્યાં હતા ત્યાં જ એમને આંગણે સાયકલની ઘંટડી રણકી ઉઠી. વેપારી ભાઈએ ગાદી-તકિયે બેઠાં બેઠાં જ પૂછયું : કોણ ? ‘શેઠજી, તમારો તાર આવ્યો છે,’ કહીને કુરિયરવાળાએ તાર મળ્યાની સહી ભરવાનુ ફોર્મ વેપારી ભાઈ પાસે મુક્યું. વેપારીએ ફોર્મ પર સહી કરી, તારનુ કવર તોડ્યું. પછી તાર વાંચવા માંડયો. તારની ડિલિવરી કરી, કુરિયરવાળો તો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. એના મનમાં એમ કે, કોઈ ખુશાલીનો હોય તો શેઠ પાસે બક્ષિસ માંગુ. તાર વાંચતા વાંચતા જ વેપારીની મુખમુદ્રા ગંભીર બની ગઈ. બેઠકરૂમમાંથી પત્નીને સાદ પાડતા વેપારી બોલ્યો : ‘અરે સાંભળ્યું કે ? સ્ટવ પર પાણી ગરમ મૂકો. સ્ટવ પર પાણી ગરમ મૂકવાની વાત સાંભળતા જ કુરિયરવાળાની આશા નિરાશામાં પલટાઈ ગઈ. બક્ષિસની આશા પડતી મેલી એ વિદાય થયો. કુરિયરવાળો સાયકલ પર બેસીને વિદાય થયો ત્યાં જ વેપારીના શ્રીમતીજી રસોડામાંથી ડોકિયું કરતા બોલ્યા : ‘કેમ, કોઈના સ્વર્ગવાસના સમાચાર છે. સ્ટવ પર પાણી ગરમ થવા મૂકી દીધું છે. ‘તો પછી એમાં ચા, ખાંડ અને દૂધ નાખી દે. આપણો બાબો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો છે. ખુશાલીનો તાર છે.’ વેપારી કેવા પાકા હોય છે. પેલા કુરિયરવાળાને બક્ષિસના બે રૂપિયા ન દેવા પડે એ માટે કેવું નાટક કર્યું. પત્નીને હૈયે પણ એક વાર તો ફાળ પડાવી દીધી ને…. પતિદેવની બુધ્ધિ પર વારી જતી પત્ની, પતિની સૂચનાનો અમલ કરવા માટે રસોડામાં પાછી ફરી. સંત ‘પુનિત’


વીણેલા મોતી – ૧ 1

સખત તડકા માં પરસેવે રેબઝેબ થતાં કેટલાક મજૂરો પથ્થર તોડી રહ્યા હતા. એવામાં કોઈકે આવીને એક મજૂર ને પૂછ્યું “શું કરો છો?” મજૂરે અકળાઈને તે માણસની સામે જોયું અને સખત ગુસ્સાથી તેને તતડાવી નાખતા કહ્યું “જોતો નથી પથ્થર તોડું છું?” પેલા માણસને તે મજૂરને પૂછ્યાનો અફ્સોસ થયો… તેને થયું આને વધારે પૂછવાથી કાંઈ ફાયદો નથી માટે તે આગળ ચાલ્યો.. તેણે બીજા એક મજૂરને પૂછ્યું “શું કરો છો?” પેલાએ માથુ ઊંચુ કર્યા વગર જ જવાબ આપ્યો…”પેટીયું રળવા માટે પથ્થર તોડી રહ્યો છું ભાઈ” પેલાને તેના જવાબ થી પન સંતોષ ના થયો…તેણે એક અન્ય મજૂર જોયો…તે ગીતો ગાતા ગાતા આનંદથી પથ્થર તોડતો હતો. આ માણસે ત્યાં જઈને પૂછ્યું “ભાઈ શું કરો છો??”પેલાએ આકાશ તરફ બે હાથ ઊંચા કર્યા અને બોલ્યો “ભગવાન ના મંદીર માટે પથ્થર તોડું છું ભાઈ…..મજૂરી તો ગમે ત્યાં કરવાની જ છે પણ પ્રભુનું કામ કરવાની મજા આવે છે.” ત્રણેય મજૂર એકજ પરીસ્થિતિમાં એક સરખુંજ કામ કરતા હતા પણ તે કામ પ્રત્યેનો તેમનો ભાવ સાવ અલગ અલગ હતો. પહેલો મજૂર જે કામ કરતો હતો તેને તે જરાય પસંદ ન હતુ….એટલે એણે અકળાઈને જવાબ આપ્યો. જે કામ ગમતુ નથી પણ કરવુ પડે છે તેને સ્વિકારતા મન પાછું પડે છે. કામ કર્યા વગર ચાલે તેમ નથી એટલે તે કરે છે, પણ જાણે કોઈ બળજબરીથી કરાવતુ હોય તેમ. એ જાણે કે ગુલામી અનુભવતો હતો, અને એના અંદરની આ ગુલામીએ આક્રમક રૂપ લઈ લીધુ એટલે એણે આવો જવાબ આપ્યો.જ્યારે બીજા મજૂરની મનોદશા પણ કાંઈ અલગ નથી પણ તેણે પરીસ્થિતિ સ્વિકારી લીધી છે, કારણ કે એ સમજે છે કે આ કર્યા વગર રોજીરોટી મળે એમ […]


રામજી કાકા – જીગ્નેશ અધ્યારૂ 3

આ વાત છૅ ૧૯૮૫ ની આસપાસ ના વખત ની. હું ત્યારૅ ઘણૉ નાનૉ હતૉ, માંડ બીજા ધૉરણ માં હૉઇશ. પૉરબંદર ના કડીયાપ્લૉટ માં આવૅલી સરકારી શાળા માં ભણતૉ. ત્યારની સંઘરાયૅલી ઘણી યાદૉ માં મુખ્ય યાદગીરી રામજી કાકાની છૅ. પૉરબંદર કડીયાપ્લૉટ માં તૅ સમયૅ રહૅનારા માટૅ રામજી કાકા અજાણ્યા નથી. ડીલૅ અંગરખુ, નીચૅ પૉતડી અનૅ ખભૅ પાણી ની ડૉલ ભરૅલ કાવડ સાથૅ ના ઍ ઋિષ સમાન લાગતા. અમનૅ શાળા નીં રીશૅષ માં તૅ કાયમ બહારના ઑટલા પર મળતા. ચાર પાંચ મટકા ભરીનૅ પાણી ઍ ઑટલાની આસપાસ ગૉઠવૅલ હૉય, ઑટલાના કીનારા પર હારબંધ પ્યાલા ગૉઠવ્યા હૉય, અનૅ રીશૅષનૉ બૅલ વાગૅ ઍટલૅ રામજી કાકા જૅમ યુધ્ધ લડવા સૈિનક તૈયાર થાય ઍમ સજ્જ થઇ જાય. બધા પાણી પીવા દૉડૅ ઍટલૅ ઍ હાથ માં લૉટૉ લઇ નૅ ઉભા થઇ જાય. બધાનૅ હારબંધ ઉભા રાખૅ, અનૅ પછી જય રામજીકી બૉલતા જાય. સામૅ જવાબ મળે એટલૅ ઍ પાણી આપૅ. કૉઇ જય રામજીકી ના બૉલૅ તૉ ઍ ગુસ્સૅ ના થાય પણ પાછું જય રામજીકી બૉલૅ અનૅ બૉલાવૅ. શાળામાં નળ હતા પણ મનૅ યાદ નથી કૅ મૅં કૉઇ િદવસ ત્યાં પાણી પીધું હૉય. રામજીકાકા ના ઑટલૅ ઠંડા પાણી સાથૅ ઍમની મીઠી વાતૉ સાંભળવા મળતી. કૉઇ નું રીઝલ્ટ ખરાબ આવૅ તૉ રામજી કાકા ઍનૅ પ્રૅમ થી ભણવા માટૅ સમજાવૅ, કૉઇ તૉફાન કરૅ તૉ રામજી કાકા ઍનૅ પાણી ના આપવાની ધમકી આપૅ.  પૉતાના માં-બાપનું કહૅલું ના કરતા છૉકરઑ રામજીકાકાનું કહૅલુ માનતા. અમારા બધા માટૅ તૉ ઍ જાણૅ ભાઇબંધ હતા. શાળા છૂટ્યા પછી પણ અમૅ ઍમની પાસૅ બૅસતા અનૅ રામાયણ અનૅ અરજણ ના ઉદાહરણૉ ઍમની ગામઠી ભાષા માં માણતા. શાળા ની બાજુમાં […]