સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 2

આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ ચારેય વાચકમિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ…. મીઠા ઝઘડા પ્રેમ વધારે છે… પહેલી રચનાનું શીર્ષક ‘સંવાદ તો કર’ કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા ‘પંખી તડપતુ મળ્યું’ માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.


ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 11

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર.


છે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી

શ્રી કાયમ હઝારીનું નામ અક્ષરનાદના વાચકો માટે નવું નથી. ‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. તેમની ગઝલો અને ગઝલસંગ્રહ સુદ્ધાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયાં છે. આજે પ્રસ્તુત છે તેમની જ એક ગઝલનો ડૉ. શૈલેશ ટેવાણી દ્વારા સુંદર આસ્વાદ કરાવાયો છે તે આજે પ્રસ્તુત કર્યો છે. આ ગઝલ આસ્વાદ પોએટ્રી સામયિકના કવિ શ્રી કાયમ’ હઝારી વિશેષાંકમાંથી લેવામાં આવ્યો છે. ‘છે મારી એટલી થાપણ…’ એ સુંદર ગઝલ અને તેનો આસ્વાદ આજે પ્રસ્તુત છે.


બે ગઝલ રચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 5

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ બે સુંદર ગઝલો. પ્રથમ ગઝલમાં જ્યાં જીવનના અંત વિશેની વાત મર્મસભર રીતે થઈ છે, તો બીજી ગઝલ રચનારીતોને ધ્યાનમાં લેતા એક પ્રયોગ છે. અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


ગ્રો ઓલ્ડ વિથ મી… – રોબર્ટ બ્રાઉન, અનુ. મકરન્દ દવે 3

આજે પ્રસ્તુત છે એક ખૂબ ટૂંકી રચના, ખૂબ ટૂંકો અનુવાદ છતાં ખૂબ લાંબો અને ઉંડો ભાવાર્થ. કવિતા મૂળે રોબર્ટ બ્રાઉનિંગની છે અને અનુવાદ શ્રી મકરન્દ દવેએ આપ્યો છે. મુગ્ધાવસ્થા પસાર કરીને જીવનપથ પર એકબીજાને સહારે આગળ વધી રહેલા એક યુગલના મનની આ વાત છે. વિશ્વાસના વિધાન સાથે સહકાર અને સુંદર સમજણ ધરાવતા આ બંને પરસ્પર મૌનમાં પણ એકબીજાને કેટકેટલું કહી જતા હશે એવો સહેજે વિચાર થાય તેવી સુંદર રચના અને તેનો એવો જ મનહર ભાવાનુવાદ અત્રે પ્રસ્તુત છે. વધુ સમજવાનું ભાવક પર જ છોડી દઈએ તો કેટકેટલા અર્થો નીકળતા દેખાશે? જો કે મકરન્દ દવે એ તો આ આખી રચનાના એક નાનકડા ભાગનો જ અનુવાદ આપ્યો છે, પણ એ પછી મેં મૂળ રચના આખી મૂકી છે. અનુવાદનો પ્રયત્ન કરવા ધારતા મિત્રો માટે એક સરસ પગદંડી તૈયાર છે.


વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત 11

નવા નવા રચનાકારોને પ્રથમ અને તે પછી અનેકવિધ પ્રસિદ્ધિ માટે માધ્યમ ઉપલબ્ધ કરાવવા અક્ષરનાદ સદાય તત્પર હોય છે. આ વાતના અનુસંધાનમાં આજે માણીએ શ્રી કુસુમ પટેલની એક રચના, તો શ્રી નરેશભાઈ સાબલપરા દ્વારા લગાગા લગાગા લગાગા ગાગાગા સ્વરૂપમાં લખાયેલી સુંદર ગઝલ પણ આજે પ્રસ્તુત છે. વાચકોને જરૂરી પ્રોત્સાહન અને સૂચનો આપ સૌ તરફથી આવકાર્ય છે.


કે ઝઘડો લોચનમનનો… – દયારામ 2

દયારામ પ્રભુરામ ભટ્ટ મૂળ વડોદરા જીલ્લાના ચાંદોદ ગામના હતા. તેમણૅ અનેક ગરબીઓ, રાસ, આખ્યાન વગેરે રચ્યા છે. ભક્તિરસ અને શૃંગારરસ તેમની પદ્યરચનાઓની મુખ્ય વિશેષતાઓ છે. પ્રસ્તુત ગરબીમાં કૃષ્ણભક્તિ વિષય અંતર્ગત આંખ અને મન એ બે વચ્ચે કૃષ્ણ સાથે પહેલી પ્રીત કોણે કરી એ વિશે મીઠો ઝઘડો ચાલે છે. બન્નેના ઝઘડાનો સુંદર ઉકેલ બુદ્ધિ દ્વારા કરાવી કવિ અનેરી ચમત્કૃતિ સર્જી જાય છે. પ્રસ્તુત રચના ‘દયારામ સુધા’ માંથી સાભાર લેવામાં આવી છે.


પ્રસંગમોતીઓ… – સંકલિત 6

એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા ‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર લીધું છે.


ત્રણ પદ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 5

વાચકોની રચનાઓને યોગ્ય સ્થાન અને પ્રસિદ્ધિ અપાવવાનો અક્ષરનાદનો સદા પ્રયત્ન રહો છે. અક્ષરનાદના વાચક અને હવે મોટાભાગે સતત પોતાની કૃતિઓ પાઠવતા શ્રી જનકભાઈ ઝીઁઝુવાડિયાની ત્રણ કાવ્યરચનાઓ આજે અત્રે પ્રસ્તુત છે. આશા છે તેમના આ પ્રયત્નને વાચકમિત્રો વધાવશે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જનકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ 5

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે તેમની કલમે માણીએ શ્રી હરીશ ધોબીની એક સુંદર ગઝલનો આસ્વાદ. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ આસ્વાદ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


હું નથી (ગઝલ) – જટિલ વ્યાસ 2

આ નવ શે’રની ‘ગાગાલગા’ ના આવર્તન ધરાવતી ગઝલ સુંદર, સાદ્યાંત આસ્વાદ્ય અને ખૂબ જ ચોટદાર છે. વિશુદ્ધ પ્રેમ, પ્રણયની સચોટ ભાવોર્મિઓ, માનવમનની નિર્લેપતા અને ખુમારી જેવા ભાવોને પ્રસ્તુત ગઝલના શે’રમાં સુંદર રીતે પ્રગટ કરાયા છે. સામાન્ય રીતે આટલા બધા શે’ર ધરાવતી ગઝલના બધા શે’ર અસરકારક ન પણ હોય એ શક્ય છે, પરંતુ આ નવ શે’રની ગઝલમાં એક પણ શે’ર એવો વધારાનો કે અસર વગરનો લાગતો નથી અને એ જ આ ગઝલની આગવી વિશેષતા પણ છે.


અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે ! – ‘કાયમ’ હઝારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે. તેઓનું 1992માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.’ ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે. આ સુંદર સંગ્રહ અક્ષરનાદને મોકલવા અને ભાવકોને રસતરબોળ કરવા માટે તેને ડાઉનલોડ વિભાગમાં મૂકવાની તક આપવા બદલ શ્રી ‘કાયમ’ હઝારી સાહેબને નતમસ્તક. આ આખું પુસ્તક આજથી ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.


એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે 6

ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ – લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય માણસ. તેઓ કહે છે, ‘Pity thy nation whose statesman is a fox, whose philosopher is a juggler and whose art is an art of patching and mimicking.’ આ રચનાનો અનુવાદ / આસ્વાદ શ્રી મકરન્દ દવેએ કરાવ્યો છે, જાણે દેશ માટેની જિબ્રાનની વેદનાનો સાક્ષાત્કાર થયો હોય એવો સચોટ અનુવાદ તેમણે આપ્યો છે.


એક માંને… દીકરી તરફથી… – ઉર્વશી પારેખ 13

એક માંને પુત્રી તરફથી લખાયેલ પત્ર – પત્રરૂપે માં દીકરી વચ્ચેના સંબંધની એક અનોખી તાસીર અને સમજણ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવી છે પૂનાથી અક્ષરનાદના વાચકમિત્ર શ્રી ઉર્વશીબેન પારેખે. સંબંધોની સમજણ અને ન બોલાયેલા શબ્દોના અર્થો મન સુધી પહોંચે ત્યારે જ આવો માતા પુત્રીનો સંબંધ સંભવી શકે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેકો શુભકામનાઓ


લ્હાય – નરેશ સાબલપરા

અક્ષરનાદ દ્વારા ગત વર્ષે રજૂ કરાયેલ ચાલો ગઝલ શીખીએ શૃંખલા ઘણા મિત્રોને ઉપયોગી અને મદદગાર નીવડી છે એવો તેમનો મત છે. આવા જ એક વાચકમિત્ર છે શ્રી નરેશભાઈ સાબલપરા. તેઓ કહે છે, ‘આપની જ લેખમાળા ‘ચાલો ગઝલ શીખીએ’ દ્વારા જે શીખવા મળ્યું તે થકી મળેલા ઉત્સાહથી ઘણા પ્રયાસો કર્યા અને મારી રીતે જે મને સારું લાગ્યુ તે આપને મોકલું છું. ઊંડાણથી છંદશાસ્ત્ર અને ઉચ્ચારણભારનો અભ્યાસ નથી એટલે ભૂલો થઈ હોય તો માફ કરશો..’ આજે માણીએ તેમની એક સરસ ગઝલરચના જે મુક્તઝિબ બહેર – ગાગાગાલના આવર્તનમાં છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ શ્રી નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમને સર્જનની આ સફર માટે અનેક શુભકામનાઓ.


બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય… – ન્હાનાલાલ દ. કવિ 4

જગતભરના કવિઓ, દ્રષ્ટાઓ, મનીષીઓએ માતાના મહિમાનું ગાન કર્યું છે. મા એટલે ફક્ત જન્મ આપનારી નહીં, મા એટલે માતૃભૂમી, માતૃભાષા એ સઘળું. આપણા મહાકવિ શ્રી ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’ ગ્રંથ (ભાગ-૧)માં માતાના મહિમાનું અદભુત સ્તોત્ર લખ્યું છે. કવિએ માતાને ગંગોત્રી અને સ્રષ્ટા સરિખડી કહી બિરદાવી છે. આજે પ્રસ્તુત છે માતૃવંદનાની આ અનોખી સ્તુતિ.


થોડાંક હાઈકુ – વિજય જોશી 21

નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. અને એટલે જ હાઈકુનું સર્જન પોતાનામાં એક પડકાર છે. મૂળ વડોદરાના પણ ૪૦ વર્ષથી અમેરીકામાં સ્થાયી અને હવે નિવૃત્તિમય પ્રવૃત્તિશીલ જીવન અને કાવ્યમય પ્રકૃતિ સાથે આનંદ કરી રહેલા વિજયભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યરચનાઓ લખે છે. તેમની રચનાઓમાંથી આજે માણીએ થોડાક સુંદર હાઈકુઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર.


અન્વેષણ – જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ 1

જે. કૃષ્ણમૂર્તિના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. થિયોસોફીકલ સોસાયટીના એન્ની બેસન્ટે કૃષ્ણમૂર્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો, જેમના મતે શ્રી કૃણમૂર્તિ વિશ્વ સમક્ષ સાચા જ્ઞાનનો પ્રચાર કરનાર વાહક બનવાના હતાં. વિશ્વભરમાં કૃષ્ણમૂર્તિ એક મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર પામ્યા છે. તેમણે કોઈ પણ ધર્મ કે ફિલસૂફીને સવિસ્તાર સમજાવવાનો યત્ન નથી કર્યો, પરંતુ આપણને રોજીંદા જીવનમાં લાગૂ પડતી વાતો, હિંસા અને ભ્રષ્ટાચારના વ્યાપ સાથે જીવન જીવવા આડે આવતા વિઘ્નો અંગે તેમણે વાતો કરી. માનવજાતને ડર, ગુસ્સો અને દુઃખોથી મુક્ત થઈને જીવવાની જરૂરત પર ભાર મૂક્યો. કોઈ પણ ધર્મ કે રાજકીય ક્ષેત્રની વાત ન કરતા તેમણે એવા તત્વોને માણસજાતને વિભાજીત કરતા પરિબળો ગણાવ્યા. બહુ ઓછા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી કે તેમના બોધથી પરિચિત હશે અને તેથી પણ ઓછા લોકોને એ ખબર હશે કે તેમણે એક સમયે કાવ્યો પણ લખ્યા હતાં. આજે તેમનું એક કાવ્ય – શાશ્વતીનું – સમજીએ. આ કાવ્યનો અનુવાદ શ્રી હર્ષદ દવે અને શ્રી ભારત કાપડિયાએ કર્યો છે જે ‘નવનીત સમર્પણ’ એપ્રિલ ૧૯૮૯ માં પ્રકાશિત થયો હતો.


મળીશું… – રોન અચિસોન, અનુ. જયંત મેઘાણી 5

રોન અચિસોનના એક અત્યંત સુંદર કાવ્ય, ‘We will meet again’ નો અનુવાદ શ્રી જયંતભાઈ મેઘાણીએ કર્યો છે, તેને શીર્ષક આપ્યું છે ‘મળીશું’. અહીં વાત ક્ષુલ્લક કે સ્થૂળ મુલાકાતની નથી, એ વાત છે એક અનોખા મિલનની ચાહનાની, કયા મિત્રને અને ક્યારે મળવાની વાત અહીં કહેવાઈ છે એ સમજી શકે એટલા તો વાચકમિત્રો સુજ્ઞ છે જ. પ્રસ્તુત રચના બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.


સો સો રે સલામુ મારા ભાંડુડાને… – ઝવેરચંદ મેઘાણી (Audiocast) 5

ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, ‘હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.’ પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા – મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિન્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા — અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું ‘સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.’ આ ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિના મતે સ્વતંત્રતા કે સ્વાધીનતા કઇ ચીજ છે. કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાઇ – મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી.


બે ગઝલ – હર્ષદ દવે 2

પહેલાં ગઝલના વિષયોમાં ઈશ્વર, સુંદરી અને શરાબ એ ત્રણનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે વિષય-વૈવિધ્ય વધ્યું છે. શ્રી હર્ષદભાઈ દવેએ એક પ્રાયોગિક ગઝલ મે ૧૯૮૫ માં લખી હતી જે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. આ એક ‘અલગ’ રચના છે જે આજથી પચીસ વર્ષ પૂર્વે ‘રંગતરંગ’ માસિકમાં પ્રકાશિત થઇ હતી. બીજી એક રચના ‘અટાણે’ પ્રાકૃતિક તત્વોમાં પણ ‘બળિયાના બે ભાગ’ જેવો ન્યાય હોય છે તે જુદી રીતે દર્શાવવાનો તેમનો પ્રયત્ન છે. નમતું હંમેશાં નબળાએ જ જોખવાનું આવે અને તેનું સમર્થન અન્ય સમજુ તત્વો જ કરે એ કેવું! અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલો પાઠવવા અને રજૂ કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


વાચકોની રચનાઓ – સંકલિત 9

આજે એક સાથે ચાર વાચકમિત્રો દ્વારા પાઠવવામાં આવેલી પાંચ રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. વડોદરાના શ્રી કમલેશભાઈ વ્યાસનું સર્જન વતન મારું ઘવાયું છે’ દેશપ્રેમની ભાવનાઓનો અનોખો ચિતાર છે, શ્રી હસમુખભાઈ યાદવ દ્વારા રચિત ‘તે છે ગઝલ’ ચાર શે’રની સુંદર ગઝલ છે. જનકભાઈ ઝીંઝુવાડિયાની કાવ્યરચનાઓ આ પાહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, તેમની બે નવી રચનાઓ આજે પ્રસ્તુત કરી છે અને અંતે શ્રી યોગેશભાઈ ચુડગર દ્વારા પાઠવવામાં આવેલ ધર્મ અને વિજ્ઞાન એ એક અનોખી સરખામણીઓની હારમાળા સર્જે છે. આમ આજે વિવિધરંગી સર્જનોની વાછટમાં વાચકોને મહાલવાનો અવસર મળશે.


મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’ 28

ગીરમાં, સમય ચોક્કસ તો યાદ નથી પણ લગભગ બે ત્રણ વર્ષ પહેલા થયેલા એક નેસ ડાયરામાં ઉપરોક્ત ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન, ‘મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે.’ સાંભળેલું, ડાયરામાં પ્રસ્તુતકર્તાએ ‘રામકૃપા ત્યાં રોજ દીવાળી…’ એ મર્મભેદી પંક્તિ એટલી તો ભાવથી ગાઈ હતી કે ત્યારે થયેલું આ કોઈ લોકગીત હશે, પણ પછી તેમણે પ્રસ્તુતિને અંતે રચનાકાર તરીકે શ્રી તખ્તદાન રોહડિયાનું નામ કહેલું એ બરાબર યાદ છે. ત્યારથી આ પંક્તિઓ અમારા સફર-જનોના મનમાં સતત રમતી રહી છે. આજે એ જ મોજ આપ સૌની સાથે વહેંચાઈ રહી છે. મારા વનભેરુઓની એ પ્રિય કંડીકાઓ છે તો મને પણ એ ગાવાની ખૂબ મજા આવી છે. આવી સુંદર રચનાના સર્જકને અનેકો સલામ અને નતમસ્તક.


પ્રયત્નો કરે છે… – ગની દહીંવાલા 2

શ્રી ગની દહીંવાલાની ગઝલ વિશે કવિશ્રી નયન દેસાઈ કહે છે, ‘ગની’ ભાઈની ગઝલોમાં કાફિયા અને રદીફનું ચયન ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે. ગઝલોમાં અપેક્ષિત એવી ભાવની પુષ્ટતા, કાફિયા અને રદીફનું શેરમાં બરાબર રીતે ઓગળી જવું અને વાતચીતની જીવંતતા દર્શાવવા સંબોધનની યોજના કરવી પણ ‘ગની’ ભાઈની વિશેષતા છે. ક્યાંય પણ છીછરા કે સસ્તા થયા વગર, વાહવાહીના તૂંકા રસ્તા લીધા વગર તેમણે લાંબા સમય સુધી વિદ્વાનો કે સામાન્ય જનતાના હ્રદયમાં અમિટ સ્થાન જમાવ્યું છે. પ્રસ્તુત ગઝલ તેમની આ વાતની ખાત્રી દરેક શેરમાં સુપેરે કરાવી જાય છે.


બે ગઝલો – ધૂની માંડલિયા 4

શ્રી ધૂની માંડલિયાના ઓગસ્ટ ૧૯૮૨માં પ્રગટ થયેલ ગઝલસંગ્રહ ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ નો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે આપણે આ અગાઊ અક્ષરનાદ પર માણ્યો છે, આજે પ્રસ્તુત છે એ જ ગઝલસંગ્રહની બે જાનદાર ગઝલો. ગઝલસંગ્રહની પ્રસ્તાવનામાં પ્રથમ ગઝલ વિશે શ્રી ચિનુ મોદી કહે છે તેમ, ‘ત્રણ શેર કોઈ ગઝલમાંથી ઉત્તમ મળે તો આખી ગઝલ ઉત્તમ લેખવાનો અલેખિત રિવાજ છે, અહીં તો છ શેર ઉત્તમ, ગુજરાતી ગઝલ ધૂનીની ઓશીંગણ રહે એવી આ રચના છે. મત્લઆમાં જ ધૂનીએ ઉત્તમ ગઝલનો પાયો નાંખ્યો, મુક્ત કાફિયા રાખી ઉડ્ડયનની શક્યતાઓ રાખી અને એ શક્યતાઓને વાસ્તવમાં પરિવર્તિત કરી. માછલી અને દરિયાના પ્રતીકોનો નવેસરથી ઉપયોગ ‘ઋણાનુબંધ’ એ પદને કારણે ધૂનીએ શક્ય બનાવ્યો. બંને ગઝલો માણવી ગમે તેવી સુંદર અને મમળાવવી ગમે તેવી યાદગાર થઈ છે.


પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટી ને… – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત ગીત આસ્વાદમાં મુખ્યત્વે સદાબહાર ગાયક શ્રી મહેન્દ્ર કપૂરજીની વાત થઈ છે, અને પૂર્વભૂમિકા છે તેમના દ્વારા ગવાયેલું અમર ગીત, ‘પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામનાં.’ આ સુંદર સફર સંગીતપ્રેમીઓને ખૂબ ગમશે એવી આશા સાથે માણીએ.


બે પદ્યરચનાઓ – પૂજા મહેતા 5

પૂજાબહેન મહેતાએ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ કર્યું છે તથા બી.એડ ની ડિગ્રી મેળવી છે, હવે તેઓ એમ.એડની પદવી મેળવવા માટે વધુ અભ્યાસરત છે. આજે પ્રસ્તુત બે કાવ્ય રચનાઓના માધ્યમથી તેમણે પોતાની લાગણી અને કલ્પનાને લોકોના મનના અવકાશ સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. તેમના આ પ્રથમ પ્રયત્નને અક્ષરનાદ સુધી પહોંચાડવા અને પ્રસ્તુત કરવા માટેની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. ભવિષ્યમાં આવા અનેક સર્જનો તેમની કલમે આપણને મળતા રહે તે માટે તેમને અનેક શુભકામનાઓ.


દુહાઓ અને સાખીઓ – સંકલિત 10

ભજનિકો ભજનની શરૂઆત કરતા પહેલા સાખીઓ ગાય છે, અને તે દ્વારા તેઓ શ્રોતાજનોનું ધ્યાન કાર્યક્રમ સાંભળવા તૈયાર કરે છે. સાખી બે લીટીમાં અખૂટ બોધ સમાવતી શબ્દના બાણ સમી કણિકાઓ છે. જે સાર આપવામાં મોટા ગ્રંથો નિષ્ફળ જાય છે એ આ બે લીટીના દુહાઓ કે સાખીઓ સચોટતાથી આપી જાય છે. આવા જ થોડાક દુહાઓ – સાખીઓનું સંકલન અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


બે પદ્યરચનાઓ – હર્ષદ દવે 2

અક્ષરનાદના વાચકમિત્ર શ્રી હર્ષદભાઈ દવેની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેઓ બે સરસ પદ્ય રચનાઓ લઈને હાજર થયા છે. અકોણી આરજૂ અને અંકન જેવા અનોખા શીર્ષક ધરાવતી આ રચનાઓની બાંધણી પણ એટલી જ સુંદર છે. આ બંને કૃતિઓ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


થઈ જાય તો! – હાર્દિક યાજ્ઞિક 6

હાર્દિકભાઈ યાજ્ઞિક અક્ષરનાદ પર તેમની કૃતિઓ સાથે સમયાંતરે પ્રસ્તુત થાય છે. આજે તેમની એક સરસ પદ્ય રચના ‘થઈ જાય તો…’ પ્રસ્તુત છે. ક્યારેક કોઈક અણધારી, અસહજ ઘટના થઈ જાય તો, એવી શંકા વ્યક્ત કરતા હાર્દિકભાઈ પદ્યની શરૂઆતની શંકાઓથી તેના અંત તરફ પહોંચતા અનોખી આશાનો તાંતણો દેખાડી જાય છે. આવી સુંદર રચના અક્ષરનાદ ને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.