Yearly Archives: 2018


તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1

તેની ડાયરીમાં જે નથી તે પ્રસંગો મારે કહેવાના છે. તે, લક્ષ્મણ, બિત્તુબંગા – આ બધા આદિવાસી કેન્દ્રથી દૂર અરણ્યોમાં કામ કરતા હતા ત્યારે કેન્દ્રનું કામ યથાવત્ ચાલતું હતું. સુપ્રિયા ગામડાંઓમાં જતી, સ્ત્રીઓને તાલીમ આપતી. તેણે શાળાને પણ વ્યવસ્થિત કરી. છોકરીઓ કેન્દ્ર પર રહીને ભણી શકે તે માટેની સગવડ પણ થઈ. કાગળકામ કરતો ઝૂરકો સુપ્રિયા સાથે રહેતો.

સુરેનની સ્મૃતિમાં સંગીત-સમારોહ ગોઠવવાનો વિચાર સુપ્રિયાના મનમાં રમ્યા જ કરતો હતો. આ આખું વર્ષ તો બધાં છૂટાં-છવાયાં થઈ રહ્યા અને આયોજન થઈ ન શક્યું. આવતા વર્ષે તો સમારોહ ગોઠવવો જ છે તેવું વિચારીને તેણે ગણેશ શાસ્ત્રીને ત્યાં ચર્ચા ગોઠવી. ગુપ્તાજી અને તેમનાં મા પણ ગણેશ શાસ્ત્રીને ત્યાં આવ્યાં.


તત્ત્વમસિ : ૫ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“શાસ્ત્રીજી પાસે તબલાં શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપરિયા પણ સાથે બેસીને ગુરુશિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપરિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી, ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે.

આજ શાસ્ત્રીજીએ સુપરિયાનાં માતા-પિતાને યાદ કર્યાં. કહ્યું, ‘સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાંને સાંભળવાનું મન ન થાય. એ બેઉ હતાં ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત-સમારોહ ગોઠવી શકતો. હવે નથી થતું.’

‘બાપુ નથી, પણ તમે તો છો ને?’ સુપરિયાએ કહ્યું, ‘તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે.’


તત્ત્વમસિ : ૪ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1

તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલા પાંચ ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે: ‘ભીમ તકિયા.’ પછી ‘બિત્તુબંગા’ અને પેલી આકૃતિ. પાંડવોને માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતાં તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા. હાથમાં લાકડી-રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો.

રસ્તાથી થોડે જ દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સૂમસામ વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચકારી લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચાં ઊભેલાં મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતાં જ મારો અરણ્ય-ભ્રમણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો.


તત્ત્વમસિ : ૩ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“કીકા વૈદ રોજ સવારે આવે છે. હવેથી બે દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ – એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેય આવા વિજન સ્થાને, આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારેય માણ્યું નથી.

અમે જાતે રાંધીએ છીએ. મારાથી તો કાચુંપાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ. પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલી જ વાર આટલું વાંચ્યું હશે. ગઈ કાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલાં શીખવાનું પણ શરૂ કર્યું. બોલવામાં મુશ્કેલી પડે છે તે સિવાય ખાસ પીડા નથી.


તત્ત્વમસિ : ૨ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“પહાડી શહેરની ગલીઓમાં જીપ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારો સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઇવરને કહ્યું, ‘લગે હાથ ભીજવા દે કોઈ કે સાથમેં.’

અમે ખાલી હાથે આગળ ચાલ્યા. પાંચેક મિનિટમાં એક ડેલીબંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનને બીજે છેડે, આ ડેલીની બરાબર સામે લાંબી પરસાળ પર હારબંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસીક્યારો. ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય, વાછરડાં. પરસાળમાં ગાદી-તકિયાવાળો ઝૂલો. છેક સામેના ભાગે નાહવા-ધોવાની રૂમો.


તત્ત્વમસિ : ૧ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 5

“લે ખાઈ લે.”

સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે. હું ગાઢ નિદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં એમ સ્વર અને શબ્દ ઓળખવા પ્રયત્ન કરવો પડે છે. ‘લે ખાઈ લે.’ નિર્જન વનો, નિ:શબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલાતીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખાપાંખા શબ્દો સ્ત્રીસ્વરના છે એટલું જાણી શક્યો.

મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ, પથરાળ નદીટત પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગનાં ઘાઘરી-પોલકું પહેરેલી તે ગોઠણભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, ‘લે ખાઈ લે.’ તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે.


તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 3

નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારાં – રહેલાં ગ્રામજનો, મંદિર-નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો, મારી કલ્પના ઉપરાંત, સમાવેશ કર્યો છે. સાઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડૉગૉન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે.

આ દેશને, તેની પરમસૌંદર્યમય પ્રકૃતિને અને તેનાં માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઇચ્છા છે તેટલું અટન – દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા-માત્રમાં પણ મને માણસે-માણસે જીવનના જુદાજુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી. જોયા હોત તો ત્યાં પણ આવો જ અનુભવ થાત તેવો વિશ્વાસ ઊંડે ઊંડે છે.

– ધ્રુવ ભટ્ટ


રોલ નંબર નવ અને દસ – અજય ઓઝા 13

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. હજી ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આ શ્રેણીમાં એકે એક વિદ્યાર્થીની આગવી વાત, એમની આગવી વિશેષતાઓ અને સંઘર્ષની વાત હ્રદયસ્પર્શી બની રહે છે. આજે પ્રસ્તુત છે રોલ નંબર નવ અને દસ.


જંગલ કા રાજા કૌન? જિમ કોર્બેટ! – દર્શન ગાંધી 17

કોર્બેટ પાર્કમાં મહત્વનું આકર્ષણ એટલે જંગલ સફારી. એશિયાનું સૌથી પહેલવહેલો નેશનલ પાર્ક એટલે ભારતમાં ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આવેલ જિમ કોર્બેટ પાર્ક. ખુલ્લી જીપમાં જંગલની વચ્ચેથી પસાર થવાના વિચારથી જ જો રોમરોમ ઝણઝણી ઊઠતું હોય તો ખરેખર આ અનુભવ કરીએ ત્યારે કેવી લાગણી થાય! બસ આ જ વિચારથી કોર્બેટપાર્કની સફર ખેડી. જો તમારે સફારીની સફર કરવી હોય તો આગોતરું બુકિંગ કરવું પડે અને એ પણ એક મહિના પહેલા. અહીંયા તો ના બુકિંગ કરાવ્યું હતું ના તો સફરનો કોઈ જુગાડ. બધું જ ભગવાન ભરોસે મૂકીને કોર્બેટ પાર્કની હોટેલમાં આગમન કર્યું. સમય હતો બપોરના બે.


કેટલીક પદ્યકૃતિઓ – અનિલ ચાવડા 1

આપણા પ્રિય કવિમિત્ર શ્રી અનિલ ચાવડાનો આજે જન્મદિવસ છે. અક્ષરનાદ તરફથી અનિલભાઈને તેમની જ રચનાઓ દ્વારા શુભેચ્છાઓ. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને તેમની કલમને આમ જ કાયમ ઐશ્વર્ય બક્ષે જેથી આપણે તેમની રચનાઓથી અભિભૂત થતા રહીએ. આમ તો તેમની અસંખ્ય રચનાઓ ખૂબ ગમે છે, અને એટલી જ લોકપ્રિય છે, એમાંથી આજે થોડીક મનને નજીક એવી કૃતિઓ માણીએ.


ઓલ્ટર્ડ કાર્બન વેબશ્રેણી : આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના તાંતણે સંબંધોની વાત – જીજ્ઞેશ અધ્યારૂ 4

ઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે,

‘Death was the ultimate safeguard against the darkest dangers of our nature.’

અને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન ‘કોર્ટિકલ સ્ટૅક’ આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી ‘સ્ટેક’ એમાં મૂકાવી શકે છે.


ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – CLOSED 6

માઇક્રોફિક્શન વાર્તા લખતા, સમજતા, મથતા મિત્રોની ટોળકી એટલે સર્જન વોટ્સએપ ગ્રૂપને આજે બે વર્ષ પૂરા થયા. દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા પછી બનેલા આ ગ્રૂપના બે માઈક્રોફિક્શન પુસ્તકો અને અનેક સામયિકો – વર્તમાનપત્રોમાં છપાયેલી એની રચનાઓ સાબિતી છે કે અહીં સતત શીખવાનો, લખવાનો, સમજવાનો, ચર્ચા કરવાનો અને સ્પષ્ટ પ્રતિભાવ આપવાનો સતત પ્રયત્ન થાય છે. આ અક્ષરનાદે ‘સર્જન’ ગ્રૂપ અને આ પહેલાની ત્રણ માઈક્રોફિક્શન સ્પર્ધાઓ એદ્વારા અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે, અને અહીં થતી મથામણ, જોડણી વિષયક ચર્ચાઓ અને વાર્તા સ્વરૂપનું વિવેચન ફક્ત માઈક્રોફિક્શન જ નહીં, લઘુકથાઓ અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ સભ્યોને ઉપયોગી થઈ રહે છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે ફરીથી દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો ચોથો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition


રોલ નંબર સાત અને આઠ – અજય ઓઝા 3

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. હજી ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આ શ્રેણીમાં એકે એક વિદ્યાર્થીની આગવી વાત, એમની આગવી વિશેષતાઓ અને સંઘર્ષની વાત હ્રદયસ્પર્શી બની રહે છે. આજે પ્રસ્તુત છે રોલ નંબર સાત અને આઠ.


ઈ-પુસ્તકો : ઈતિહાસથી વર્તમાન સુધી.. – જીજ્ઞેશ અધ્યારૂ 2

ઈ-પુસ્તકો આજે સર્વસામાન્ય થઈ પડ્યાં છે. ઈ-પુસ્તક એટલે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાંચી શકાય એવું પુસ્તક, એ અનેક ફોર્મેટમાં આવે છે, અપ્રાપ્ય પુસ્તકોના સ્કેન કરેલા ઈમેજ સ્વરૂપના પાનાંથી લઈને અડૉબેના પી.ડી.એફ, ઓપન ફોર્મેટ એટલે કે ઈપબ સ્વરૂપે, અમેઝોન કિન્ડલ વાપરે છે તે મોબી અથવા એ.ઝેડ.ડબલ્યૂ ફોર્મેટ અને અન્ય ઘણાં સ્વરૂપોમાં એ ઉપલબ્ધ છે.

૧૯૪૯માં એન્જેલા રૂઈઝ રોબલ્સે ઓટોમેટેડ રીડર બનાવ્યું હતું, પણ ન તો એને પ્રસિદ્ધિ ન મળી ન તો એ ચાલ્યું. ઈલેક્ટ્રોનિક પુસ્તકોનો વિચાર આપનાર અને તેની શરૂઆત કરનાર હતા માઈકલ હાર્ટ જેમણે અમેરિકાના બંધારણની નકલ તૈયાર કરી ૧૯૭૧માં પ્રોજેક્ટ ગુટનબર્ગ હેઠળ પ્રકાશિત કરી. (જે વર્ષે પ્રથમ ઈ-મેલ મોકલાયો હતો એ જ સમય)


ત્રણ પદ્યરચનાઓ – ધનિક ગોહેલ 1

જુનાગઢના શ્રી ધનિક ગોહેલ અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિઁગ કોલેજમાં ‘સાહિત્ય સરિતા’ અંતર્ગત ૨૦૧૬થી દર વર્ષે ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે થતા અનોખા ત્રિદિવસિય સાહિત્ય મેળાવડાના સ્થાપક અને આયોજક છે. મિકેનિકલ શાખામાં બી.ઈ કરી તેઓ હવે ગુજરાતી સાહિત્યમાં એમ.એ કરી રહ્યાં છે. વિવિધ વિષયો પર પોતાના વિચાર જાહેર મંચ પરથી મૂકે છે, ૫૦થી વધુ વ્યાખ્યાન તેઓ આપી ચૂક્યા છે. તેમની પદ્યરચનાઓ અનેક સાહિત્ય સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદમાં તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


રોલ નંબર પાંચ અને છ – અજય ઓઝા 4

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.


પાંચ પદ્યરચનાઓ.. – સંકલિત 4

આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિક મકવાણા (હાર્દ), શ્રી દેવિકા રાહુલ ધ્રુવ, ડો. હેમાલી સંઘવી, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન‘ અને શ્રી બાલકૃષ્ણ સોનેજી ‘બે-ગમ’ ની પદ્યરચનાઓ. પાંચેય સર્જકમિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


રોલ નંબર ત્રણ અને ચાર – અજય ઓઝા 6

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.


પાંચ નવા ઈ-પુસ્તકો 2

રેશનલ વિચારોને અભિવ્યક્ત કરતો, અનેક લેખકોના વિચારોને સ્થાન આપતો સરસ મજાનો બ્લોગ ચલાવતા શ્રી ગોવિંદભાઈ મારુએ પાઠવેલ પાંચ નવા ઈ-પુસ્તકો અક્ષરનાદ પર આજથી ઉપલબ્ધ છે. આ ઈ-પુસ્તકો અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુનો ખૂબ આભાર. આ ઈ-પુસ્તકો છે..

૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે
૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી
૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ
૪. દેતે હૈ ભગવાનકો ધોખા – દિનેશ સવાણી
૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ


બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી 1

કવિશ્રી દિલહર સંઘવીનું પુરું નામ હરિપ્રસાદ મોહનલાલ સંઘવી, મુંબઈ ખાતે ૧૮-૧૧-૧૯૩૨ના રોજ જન્મ. આજીવન સિહોર (જી. ભાવનગર) રહ્યાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગૌતમી’માં ગીત ગઝલ અને મુક્તકના સર્જન પછી મુખ્યત્વે ગઝલમાં સર્જન કર્યું. ‘કસ્તુરી’ અને ‘દિશા’ પછી મરણોત્તર સંગ્રહ ‘મનોરથ’ પ્રગટ થયો. મિત્રોએ અગાઉના ત્રણ સંગ્રહોમાંથી ચયન કરીને ‘પસંદગી’નું પ્રકાશન કર્યું. પ્રસ્તુત બંને ગઝલો અખંડ આનંદ સામયિકના શ્રી હરીકૃષ્ણ પાઠક સંપાદિત ‘કાવ્યકુંજ’ અંતર્ગત ‘આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો’માં ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયા છે, તેમાંથી અહીં સાભાર લીધા છે.


રોલ નંબર એક અને બે – અજય ઓઝા 12

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ.


માણસ ગંધાય, માણસ ખાઉં : કેનિબલિઝમ – કુલદીપ લહેરુ 16

આ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે. ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. “કસ્ટમ ઓફ ધ સી” તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.


બ્રિજ પાઠકનું કાવ્ય આસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’ : ડાઊનલોડ 1

આજે #WorldPoetryDay વિશ્વ કવિતા દિવસ છે. એ ઉપલક્ષ્યમાં અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે વડોદરાના યુવા કવિ શ્રી બ્રિજ પાઠકનું કાવ્યઆસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’


હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા 5

વુમન્સ ડે પાછો આવ્યો ને ગયો! અચાનક જ બધાને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર યાદ આવવા લાગ્યા હતા! કેટલાય પતિદેવોને “જમવાનું આજે ત્તમે બનાવજો!” નો આદેશ મળી ગયો હશે. વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઈક્વાલિટી પર કેટકેટલુંય લખાયું, બોલાયું. વ્હોટસએપ પર તો ચક્કાજામ જ સમજો! એક દિવસ માટે હલ્લા બોલ અને પછી બધુ ભૂલી જવાનું.

આજના હાઈટેક સમયમાં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારની સામે અવાજ ઉઠાવવો પડે છે.. પણ કેમ? સાચું કહું તો સ્ત્રી-સશક્તિકરણ શબ્દ મને સમજવામાં થોડો અઘરો પડે છે. સ્ત્રીનું તો બીજુ રૂપ જ છે શક્તિ, એટલે જ તો આપણે નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. સ્ત્રી સશક્ત હતી, છે અને રહેશે; પણ તેનો અનુભવ તેણે જાતે કરવાનો છે. બાળકને જન્મ આપતી વખતે ૨૦ હાડકાં એક-સાથે તૂટે એટલી પીડા સહન કરનારી સ્ત્રી સ્વયં શક્તિ નથી તો શું છે?


મારા વહેલી સવારના મુલાકાતીઓ.. – નીલમ દોશી 11

ધીરગંભીર, તિમિરઘેરી રજની પણ પોતે રાતભર પાથરેલ પથારો પોતાના પાલવમાં સંકેલી… એક એક તારલિયાને વીણી લઇ.. ગૂપચૂપ.. છાને પગલે.. ફરી મળવાનો વાયદો કરી.. ભાવભીની વિદાય લેવાની તૈયારી કરી રહી છે. ચન્દ્રને પોતાની સાથે ખેંચી જવા થોડીવાર શોધખોળ આદરે છે. પણ ચન્દ્ર કંઇ તારલા જેવો ડાહ્યો થોડો છે? તે તો હજુ આસમાનમાં સંતાકૂકડી રમ્યા કરે છે. જવાની શી ઉતાવળ છે? જરા ઉષારાણી ને બાય તો કહી દઉં. અને ઉષારાણી ને મળવાના અરમાન સાથે તે આસમાનની ગઠરીમાંથી છટકી, ‘તમે સૌ પહોંચતા થાઓ.. ત્યાં હું આવું છું..’ એના જેવું કંઇક કહી પોતાની ગતિ મંદ કરી નાખે છે. એમ કંઇ ઉષારાણીના દર્શન કર્યા સિવાય કેમ જવાય? એને માઠું ન લાગે?


આંખો – ડૉ. હેમાલી સંઘવી 14

થોડા સમય પહેલા બનેલી એક સત્યઘટના યાદ આવે છે. એક નવું પુસ્તક માર્કેટમાં આવ્યું એના વિષે સમાચાર હતા. એમ તો ઘણાં પુસ્તકો છપાઇને આવતા હોય તો એમાં શું મોટી વાત? પણ આ પુસ્તક વિષે ખાસ વાત એ હ્તી કે આ પુસ્તક્ના લેખકે એને પેનથી કે કોમ્પ્યુટર પર લખ્યું નહોતું. એણે હોસ્પિટલના બૅડ પરથી બે લાખ આંખના પલકારાથી આ પુસ્તકો બીજા પાસે લખાવ્યું હતું. કારણ કે એના શરીરમાં ફક્ત આંખો જ કામ કરી રહી છે. હા, આંખો, મારી, તમારી, આપણા બધાની આંખો, જે હોય છે આપણી પણ જુએ છે હંમેશા બીજાને. આંખો જે ક્યારે બોલતી નથી પણ લોચો એટલો મોટો છે કે ક્યારેય ચૂપ રહેતી નથી.


ત્રણ પદ્યરચનાઓ – પરબતકુમાર નાયી 4

એટલે સાલ્યા કરે છે આંગણાને ખોટ એની,
આજ પણ એ આંખ અંદર લઈને પડછાયા ફરે છે.

* *
રડે છે આજ પણ શેરી વચાળે આંખ બે પ્યારી,
તમે આવો, તમે આવો બધા રટણા લગાવે છે.

* *
તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું,
પણ પછી હું લાગણીનો છોડ નૈ વાવી શકું.


ડો. આનંદીબાઈ : ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરના જીવનની હકીકતો.. – જીજ્ઞેશ અધ્યારૂ 10

આજથી દોઢસો વર્ષ પહેલા જ્યારે છોકરી જન્મે એ જ ભારણ ગણાતું, ને ગર્ભમાં થતા હુમલાઓથી એ બચી જાય તો નરકના અનુભવો આપતું જીવન એની રાહ જોઈને ઉભું જ હોય એ સંજોગોમાં અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું ગીતા માણેક લિખિત અને અભિનેત્રી માનસી જોશી જેને એકલે હાથે સ્ટેજ પર એક કલાક વીસ મિનિટ ધુંવાધાર અભિનય દ્વારા પડદા પર જીવંત કરી આપે છે એ યમુના ઉર્ફે આનંદી ગોપાલ જોશીનું જીવન પ્રસ્તુત કરતું આ નાટક એક રોલર કોસ્ટર રાઈડ છે. એમના ડૉક્ટર બનવાની વાત તો ફક્ત એ યશકલગીનું એક પીછું છે, પણ ખરો પુરુષાર્થ(!) તો તેમણે કરેલો સમાજની સામે સતત સંઘર્ષ છે.


બાળવાર્તા અને બાળક – હીરલ વ્યાસ 5

વાંચન માણસને વિચારશીલ બનાવે છે. અને આ વાંચનબીજ બાળપણથી જ બાળકના મનમાં રોપવામાં આવે તો એ સારુ-નરસું વિચારી શકે અને જિંદગીમાં સાચા સમયે સાચા નિર્ણયો લઈ શકે. પણ જ્યારે બાળક નાનું હોય કે વાંચતા શીખ્યું ન હોય ત્યારે માતા-પિતા કે ઘરના બીજા સભ્યોના મોઢેથી કહેવાતી બાળવાર્તાઓ એક નવું વિશ્વ બાળક સામે મુકી શકે છે. વાર્તાથી બાળકની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ વધે છે.

એ સિવાય વાર્તા ગમે તે ભાષામાં હોય, બાળક નવા શબ્દો શીખી શકે છે. એનું શ્બ્દ વૈભવ વધે છે.


ફાગણ ફોરમતો… – દિનેશ જગાણી 9

બે દિવસ પહેલાં હાથીદ્રા ગયેલા ત્યારે ગામના મંદિરની ટેકરી (નાના પર્વત) પરથી નીચે જોતાં દૂર દૂર સુધી ફેલાયેલા ઘઉંના ખેતરો જાણે સુતરફેણીના ચોસલાઓ ગોઠવ્યા હોય એવા લાગતા હતા. પીળા-લીલા રંગથી સભર ઘઉંના ખેતરો અમારા વિસ્તારનું નામ ‘ધાનધાર(દાર)’ એવું યાદ અપાવી રહ્યા હતાં. એમાંય વચ્ચે-વચ્ચે ઉગેલા ખજૂરીના વૃક્ષો, દૂર પર્વતોમાંથી આવતો સુકાઈ ગયેલી નદીનો પટ ખેતરો વચ્ચેથી ગામ તરફ જતો; આસપાસ ખજૂરીના વૃક્ષોથી શોભતો વહેળો-રસ્તો, ટેકરી નીચેનું મંદિર પરિસર અને આખા વિસ્તારને ત્રણ તરફથી ઘેરીને ઉભેલી અરવલ્લીની ગિરિમાળા. એવું થતું હતું કે અહિયાં રહેવા એક ઘર અને ગમતું કામ મળી જાય! મને હાથીદ્રા ગામના લોકોની સહેજ ઈર્ષા આવી! એમને આ વૈભવ સહજપ્રાપ્ય છે. હાથીદ્રાથી ગોઢ ગામ થઇ ધાણધા ગામ સુધીનો રસ્તો પણ સુંદર. ગોઢ ગામતો આખું પર્વતોમાં વસેલું છે.