સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


જાપાની કવિતા : એક વિહંગાવલોકન – નંદિતા મુનિ 7

‘અસ્તિત્વદર્શન’ ના નવેમ્બરના પરિચય અંકમાંથી આજે નંદિતા મુનિની કલમે કરીએ એક ઉડતી જાપાની કાવ્યયાત્રા. જાપાની સંસ્કૃતિમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલ્કે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોથી યથાતથ ઉતરી આવ્યા છે. જાપાનની પાર્ટીઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોના પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના તમામ વ્યવસાયના લોકો ત્યાં નિઃસંકોચ કાવ્યસર્જન કરે છે. ‘અસ્તિત્વદર્શન’ નો પરિચય અંક અક્ષરનાદને પાઠવવા અને તેમાંથી લેખ પ્રસ્તુત કરવાના સદ્ભાવસભર સૂચન બદલ કર્દમાચાર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટનો આભાર તથા નવી શરૂઆત બદલ શુભકામનાઓ.


ત્રણ બહુરંગી ગઝલો.. – રાકેશ હાંસલિયા 14

રાકેશભાઈ હાંસલિયાનું નામ અક્ષરનાદી વાચકો માટે નવું નથી, મંજાયેલી કલમનો બહુરંગી સ્વાદ આપણે અહીં આ પહેલા પણ માણ્યો છે. પણ આજે તેમણે પાઠવેલી ગઝલો, તેઓ કહે છે તેમ, ‘નવી નક્કોર’ છે અને છતાંય એ બાળસહજ અનુભૂતિનો એક અનોખો અર્થ લઈને આવે છે. સામાન્ય રીતે ગઝલો મોટેરાંઓ માટે જ લખાતી હોય એવું અનુભવાયું છે, પણ અહીંની પહેલી ગઝલ ‘બાળગઝલ’ છે, બીજી ગઝલનો વિસ્તાર મા સુધી પહોંચે છે અને ત્રીજી ગઝલ માંથી ઠાકોર સુધી લઈ જાય છે. ગઝલોને તેના જ શેરમાંથી શીર્ષક આપવાનો યત્ન મેં કર્યો છે. અક્ષરનાદને તેમની કૃતિઓથી સતત તરબતર કરવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 17

અક્ષરનાદ પર જે મૂકવા માટે હું સતત અવસર શોધતો હોઉં છું અને જેને પ્રસ્તુત કરવાની સૌથી વધુ મજા આવતી હોય એ છે વાચકોની પદ્યરચનાઓ. આ એવા મિત્રો છે જે વ્યવસાયિક કવિઓ નથી, જેમના કાવ્યસંગ્રહો બહાર પડ્યા નથી, જેમણે મુશાયરાઓ ગજવ્યા નથી કે સામયિકોમાં તેમની કવિતાઓ છપાઈ નથી, પણ તેમની લાગણી અને દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવા માટે તેમણે પદ્યરચના કરવાનું બીડુ ઝડપ્યું છે. પ્રસ્થાપિત કવિઓની સરખામણીમાં તેમની કલમ કદાચ એટલી મંજાયેલી, શાસ્ત્રીય કે અન્ય ભૂલો વગરની ન હોય પરંતુ તેના વિષયો અને અભિવ્યક્તિ પ્રસ્થાપિત કવિઓથી સદાય અગ્ર રહે છે. આજે પ્રસ્તુત રચનાઓના વિષયો જુઓ… ઘાટકોપર, મુંબઈના પિયુષભાઈની વોટ્સએપની કવિતા, નસીબ – મંગળ શનિમાં ખોવાયેલ ભાગ્યને શોધવાની ક્ષુલ્લક કોશિશને અરવિંદભાઈ સોની વાચા આપે છે તો ડૉ. પ્રવીણ સેદાની માદા ભૃણહત્યા જેવા વિષયને વાચા આપે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર.


બે પદ્યરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

ડૉ. મુકેશભાઈ જોષીની બે સુંદર અને અર્થસભર પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી 10

પોતાની દૈનંદીય વ્યસ્તતા વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યો પાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્ય સંગ્રહો પ્રકટ થયા છે: ‘દિવાનગી’, ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ તથા ‘આદમ-ઈવનું પહેલું ચુંબન.’ શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે.’ આ ત્રણેય ગઝલો ‘કાયમ’ હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ ૨૦૦૦ના અંકમાંથી અહીં પ્રસ્તુત કરી છે.


અક્ષર – હિંમત ખાટસૂરિયા 8

‘અક્ષર’ રદીફની પ્રસ્તુત સુંદર અને સાંગોપાંગ અર્થપૂર્ણ ગઝલ શ્રી હિંમત ખાટસૂરિયા દ્વારા સર્જન પામેલી છે. શબ્દસૃષ્ટિ સામયિકના દલિતસાહિત્ય વિશેષાંક (નવેમ્બર ૨૦૦૩) માંથી અહીં સાભાર લીધી છે. ગઝલના અર્થ, પ્રત્યેક શે’રની વાત સમજવા અને તેના અર્થને સમજાવવા આજે વાચકોને ઈજન છે. જાણે કે આજે વાચકો માટે ગઝલનો આસ્વાદ કરાવવાનું ઈજન છે. પ્રતિભાવમાં આવો શક્યતઃ આસ્વાદ, વાચકોના વિચારો સાથે જાણવાની ઈચ્છા ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા વખતે જ થઈ હતી પરંતુ સંજોગોવશાત એ શક્ય ન બન્યું નહોતું. આજે આ નવીન ઉપક્રમ મૂક્યો છે. આશા છે દરેક નવા અખતરાની જેમ પ્રસ્તુત પહેલને પણ પ્રતિભાવો સાંપડશે.


ત્રણ અછાંદસ.. – દેવિકા ધૃવ 13

દેવિકાબેન ધૃવની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ અછાંદસ માણસની ‘વેદના’ વિશે કહે છે, બીજી રચના વિચારમાંથી સર્જનની પ્રક્રિયાનું આછું રેખાંકન છે ત્યાં ત્રીજી રચના ‘માનસપુત્રી’ એક દિકરીની તેની માતા સાથેની હ્રદયંગમ વાત મૂકે છે. ત્રણેય સુંદર રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર.


ચાર સુંદર ગઝલો – રાકેશ હાંસલિયા 18

શ્રી રાકેશભાઈ હાંસલિયાની કૃતિઓ અક્ષરનાદને નિયમિત મળે છે અને પ્રસિદ્ધ થતી રહી છે, સાથે સાથે વાચકોનો પણ સુંદર પ્રતિભાવ તેમને સાંપડ્યો છે. આ જ શ્રેણીમાં તેમની વધુ ચાર સુંદર ગઝલો આજે પ્રસ્તુત છે. અગ્રગણ્ય સાહિત્ય સામયિકોમાં તેમની ગઝલો હવે પ્રસ્તુત થઈ રહી છે એ આનંદની વાત છે તો તેમની આ યાત્રામાં અક્ષરનાદ સાથે છે એ વાતનો હર્ષ પણ ખરો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર ગઝલો. આ ગઝલો સર્જકના મનોવિશ્વની વાત વાચક સુધી સરળતાથી પહોંચાડી શકે એવી અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) – પ્રતિમા પંડ્યા 28

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


સર્જન.. – ટેડ હ્યુ, અનુ. ઉમેદભાઈ મણિયાર 4

એડવર્ડ જેમ્સ ‘ટૅડ’ હ્યુ (૧૯૩૦-૧૯૯૮) બ્રિટિશ કવિ અને બાળકો માટેના સાહિત્યના લેખક, પોતાની પેઢીના અગ્રગણ્ય કવિ અને રચનાકાર હતાં. અમેરિકન કવયિત્રી સ્લાવિયા પ્લાથ સાથે તેમના લગ્ન થયા હતાં, ખટરાગભર્યા લગ્નજીવન અને પ્લાથની આત્મહત્યાએ તેઓ ચર્ચાના ચકડોળે ચડ્યા હતાં, ૨૦૦૮માં ટાઈમ્સ સામયિકે ‘હ્યુ’ને ૧૯૪૫થી ૫૦ અગ્રગણ્ય કવિઓની યાદીમાં ચોથા ક્રમે મૂક્યા છે. સર્જનપ્રક્રિયાને અનોખી રીતે અછાંદસમાં આવરી લેતા હ્યુના કાવ્યને ઉમેદભાઈ મણિયારે અનુદિત કર્યું છે, એ કાવ્યાનુવાદ આજે પ્રસ્તુત છે.


ત્રણ સુંદર બાળગીતો – ઝવેરચંદ મેઘાણી 3

બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ‘શિવાજીનું હાલરડું’ હોય, ‘તલવારનો વારસદાર’ કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું ‘ચારણ-કન્યા’, મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાતેહ લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગુંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે ત્રણ બાળગીતો અહીં મૂક્યા છે.


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨) 6

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


ગઝલત્રયી – મહેન્દ્ર જોશી 5

કવિ શ્રી મહેન્દ્ર જોશીની ગઝલરચનાઓ, ગીતો અને અછાંદસ ધરાવતો સંગ્રહ ‘ઈથરના સમુદ્ર’ જુલાઈ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયો. એક જ શબ્દો કેટલા વિવિધ અર્થો ધરાવતો હોઈ શકે? એક રસાયણશાસ્ત્રી માટે ઈથર કાર્બનયુક્ત અણુઓના વિષમ બંધારણ ધરાવતા રસાયણનો શબ્દ છે જ્યારે એ જ શબ્દનો તાત્વિક અર્થ થાય છે એક અતિ સૂક્ષ્મ તત્વ જ્યાંથી પ્રકાશના – જ્ઞાન અને સંવેદનાંના મોજાંઓનો સંચાર થાય છે. શ્રી મહેન્દ્રભાઈ જોશી સર્જિત ‘ઈથરના સમુદ્ર’ દરેક રીતે સાદ્યાંત માણવાલાયક અને આસ્વાદ્ય કાવ્યગ્રંથ છે. આ સંગ્રહમાંથી આજે ત્રણ ગઝલ પ્રસ્તુત કરી છે. ‘છાપી શકે તો છાપ’, ‘બને તો આવજે’ અને ‘..ક્યાં છે આમ તો..’ એ ત્રણ ગઝલો અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


કોઈ રમે ચોપાટ જી.. – નીનુ મઝુમદાર 8

જન્માષ્ટમી આવી અને ફરીથી કૄષ્ણ જન્મની ઉજવણી સાથે સાથે અનેકવિધ પ્રકારની જુગારની રમતો પણ શરૂ થઈ ગઈ. કોને ખબર કેમ આવા પવિત્ર અને સુંદર ઉત્સવને એક બદી સાથે જોડવામાં આવ્યો હશે? નિર્દોષ રમતનું સ્થાન જ્યારે લત લે છે ત્યારે તનતોડ મહેનત કરીને કમાયેલ ગરીબ અને મધ્યમવર્ગની કમાણી આવા બિનજરૂરી માર્ગે વેડફાઈ જતી જોવામાં આવે છે. પરંતુ શ્રી નિનુ મઝુમદાર આનો એક અનોખો અર્થ પ્રસ્તુત કરે છે. મોરારીબાપુની કથામાં વર્ષો પહેલા સોગઠાંબાજીની બોલબાલા રહેતી, જીવનને સોગઠાંબાજી સાથે સરખાવીને તેઓ લાલ, કાળા, પીળા અને લીલાં સોગઠાંઓ અને તેમના તાત્વિક અર્થો સમજાવતાં. નિનુ મઝુમદાર સોગઠાંબાજીનો તેમણે કાવ્યબદ્ધ કરેલ અર્થ અહીં વાચક સમક્ષ મૂકે છે. સોગઠાંબાજીને ઈશ્વરની રમત તરીકે સમજાવીને તેઓ કેટલી ગહન વાત સહજમાં કહી જાય છે? આશા રાખીએ કે આપણા તહેવારો અને ઉત્સવો, તેમની ઉજવણી તથા વિવિધ રૂઢિગત ક્રિયાઓના મૂળભૂત અર્થ સુધી આપણે પહોંચી શકીએ.


મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા 11

જેમના બે સંગ્રહો, અનુક્રમે કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસું ‘(ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ) અને ‘ઝાકળનું સરનામું’ (લઘુકાવ્યોનો સંગ્રહ) પ્રસિદ્ધ થયા છે તેવા કવયિત્રી પ્રતિમાબેન પંડ્યા એક ઋજુહ્રદય રચનાકાર છે. પ્રસ્તુત રચના ‘ખુલ્લાં મૂક્યાં છે કમાડ…’ આતુરતા, વ્હાલભીની લાગણી, આગમનની પ્રતીક્ષા અને ઉલ્લાસને સુપેરે વ્યક્ત કરતાં તેઓ કુદરતને અને ઘરને પણ એ લાગણીમાં એકાકાર થયેલાં અનુભવે છે. આવનારની રાહમાં ફક્ત ઘરનાં કમાડ નહીં પરંતુ હૈયાના દ્વાર પણ તેમણે ઉઘાડાં રાખ્યાં છે. ઉર્મિશીલ હ્રદયને ઝાંઝરી પણ ગાતી સંભળાય છે અને શ્વાસમાં પણ ગુલમ્હોર અનુભવાય છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે… – ‘કાયમ હઝારી’, આસ્વાદ – રમેશ પારેખ 11

અક્ષરનાદ પર થોડાંક મહીનાઓ પર શ્રી કાયમ હઝારી સાહેબની આ જ કૃતિ, ‘બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે…” પ્રસ્તુત કરી હતી… આજે શ્રી રમેશ પારેખ દ્વારા કરાવાયેલ આ ગઝલનો સુંદર આસ્વાદ ‘કાયમ’ હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ 2000 અંકમાંથી અહીં પ્રસ્તુત કર્યો છે. જેવી સુંદર અને અસરકારક આ ગઝલ છે એવો જ સુંદર તેનો આસ્વાદ છે…


ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે 6

વરસાદની ઋતુ છે, શ્રાવણ મહીનો શરૂ થયો છે, ભક્તિ અને વર્ષાની અદભુત સરવાણી વહી રહી છે, વડીલો જ્યાં ધર્મ, ધ્યાન, ભક્તિ, વાવણી અને ખેડ જેવી બાબતોમાં વ્યસ્ત થઈ ગયા છે એવામાં બાળકો તો એ સરવડાંને મન ભરીને માણી જ રહ્યાં હશે. આવા અદભુત સમયે અક્ષરનાદને તેમની કલમ પ્રસાદી વડે સતત સમૃદ્ધ કરતા હર્ષદભાઈ દવે એ બાળકોના મનોભાવોને પદ્યમાં વણીને સરસ પ્રસ્તુતિ લઈ આવ્યા છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ચાર ગઝલરચનાઓ… – રાકેશ હાંસલિયા 11

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો હતો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આ પહેલા ‘જીવા’ રદીફ ધરાવતી ચાર ગઝલો અક્ષરનાદ પર આપણે માણી હતી, આજે પ્રસ્તુત છે તેમની ત્રણ ગઝલો સાથે એક હસ્તાક્ષર ગઝલ. આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ દ્વિતિય પ્રસ્તુતિ છે, અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


બે પદ્યરચનાઓ.. – મહેન્દ્રસિંહ પઢીયાર ‘મરમી’, ડૉ. મુકેશ જોષી 7

બે કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. ધોધમાર ધારે વરસતા વરસાદમાં સખીને પોતાના મનની વાત વર્ણવતી નાયિકાની મનોદશાનું સ-રસ આલેખન કવિ શ્રી મહેન્દ્રસિંહ પઢીયાર કરી રહ્યા છે. તો બીજી રચનામાં કવિ શ્રી ડૉ. મુકેશ જોષી તેમની આ પહેલા પ્રસ્તુત થયેલી ગઝલોના પ્રતિભાવનો પ્રતિભાવ આપી રહ્યાં છે. કૃતિઓમાં છંદ-બંધારણ વગેરેની શાસ્ત્રીય ભૂલ વિશે ધ્યાન દોરતા મિત્રોને તેઓ એ રચનાના ભાવ વિશે પણ પોતાનો મત આપવા કહે છે. બંને રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ કવિમિત્રોનો આભાર અને શુભકામનાઓ.


વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 5

વાચકોની અસંખ્ય પદ્યરચનાઓ અક્ષરનાદને મળતી રહે છે, રોજ લગભગ એક કૃતિ મળે છે, અને તેમાંથી પ્રસ્તુત – પ્રસિદ્ધ કરવા યોગ્ય ભલે “અમૅચ્યોર” પરંતુ શરૂઆતનું બ્યૂગલ વગાડતી નવોદિત રચનાકારોની આ કૃતિઓને સૌપ્રથમ મંચ આપવાનો આનંદ અક્ષરનાદ શરૂઆતથી જ લેતું – વહેંચતુ આવ્યું છે. જે રચનાઓ અહીં પ્રસ્તુત નથી થતી તેમાંથી આશાસ્પદ રચનાકારોને તેમની રચનાઓમાં ભૂલસુધાર વિશે તેમને સૂચવવાનો પ્રયત્ન રહે છે. આજે બે વાચકમિત્રો, અંજલીબેન જાદવ અને નિરજભાઈ માકડિયાની પદ્યરચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. ઉપરાંત મિત્ર શ્રી પી. યુ. ઠક્કરની એક પદ્યરચના પણ અહિં પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવા યોગ્ય ગણવા બદલ સર્વેનો આભાર.


ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષી એક અદના ગઝલકાર છે અને તેમની થોડીક ગઝલો તેમણે અક્ષરનાદના ભાવકો સાથે વહેંચવા માટે પાઠવી છે. એ કૃતિઓમાંથી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. સુંદર, પૂરતા શેર ધરાવતી અને ગઝલની શિસ્તને વરેલી કૃતિઓ તેમની વિશેષતા જણાય છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ ડૉ. મુકેશ જોશીને શુભેચ્છાઓ અને આવી જ અનેકવિધ સબળ રચનાઓ બદલ હાર્દિક શુભકામનાઓ સાથે આભાર.


જિંદગી.. – દેવિકા ધૃવ 7

શ્રી દેવિકાબેન ધ્રુવની એક અછાંદસ પદ્યરચના આજે પ્રસ્તુત છે, કૃતિમાં જીવનને વિષયવસ્તુ બનાવીને તેની સાથે અનેકવિધ ઉપમાઓ તથા સરખામણીઓની શબ્દરમતે એક સુંદર મનોભાવ પ્રસ્તુત કરાયો છે, દેવિકાબેનની પ્રસ્તુત રચના વાચકના મનને એક આગવી તાજગીથી ભરી દે છે.. રચના પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ત્રણ વરસાદી ગીત.. – ધૃવ ભટ્ટ 14

‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે’

કહીને પોતાના ગીતોને સર્વના આનંદ માટે ખુલ્લા મૂકી દેનાર સર્જક એટલે ધૃવભાઈ ભટ્ટ. હું અને મૃગેશભાઈ તેમને મળવા ગયેલાં ત્યારે તેમણે ભેટ કરેલી ગીતોની આ પુસ્તિકા, ‘ગાય તેનાં ગીત’ માંથી ઉપરોક્ત ત્રણ વરસાદી ગીતો આજે પ્રસ્તુત કર્યા છે. મૌસમ પણ છે, મિજાજ પણ છે અને કાચા સોનાને ઝીલવાની તાલાવેલી પણ ખરી ! પ્રસ્તુત ગીતો અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી ધૃવભાઈનો આભાર.


મુક્તક સપ્તક – જીતેન્દ્ર પ્રજાપતિ 11

આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેમને કરેલા લાંબા લાંબા કૉલ્સ દરમ્યાન મોબાઈલ પર તેમની નવી લખાયેલી કૃતિઓને સાંભળવી અને સાઈટ પર અનેક સહકાર્યકરોના આશ્ચર્ય વચ્ચે તેમની ગઝલોને ‘વાહ સાહેબ, વાહ’ કહેવું એ એક અગમ્ય લહાવો છે. અનેક સિદ્ધહસ્ત ગઝલકારો અને સંપાદકો દ્વારા તેમની કલમના ગરિમાગાન સાંભળ્યા છે. આજે પ્રસ્તુત છે તેમની નવી રચનાઓ – મુક્તક સપ્તક. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભેચ્છાઓ. તેમનાં હસ્તાક્ષરમાં પણ એક મુક્તક અહીં પ્રસ્તુત કર્યું છે.


કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.


બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ 7

પ્રસ્તુત રચનામાં જાણે કવિએ ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથાને મનમાં જ ભંડારી રાખવાની સલાહ હોય, કવિ પ્રસ્તુત રચનામાં જીવનની કેટલીક મહત્વની શીખ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહનું પ્રસ્તુત કાવ્ય એથી જ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે.


દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા 5

આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની મશહૂર ગઝલ ‘દીવાનો બની જા સમજદાર જેવો’ જે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કોડીયા’ માંથી લેવામાં આવી છે..

દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો…


અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે 7

પ્રેમરસની, શૃંગારની વાતો વ્યક્ત કરવામાં આપણું સાહિત્ય આજે પણ એટલું જ સમૃદ્ધ અને સદ્ધર છે જેટલું એ સદાકાળ રહ્યું છે. જ્યાં આજના સર્જકો ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રસ્થાપિત બંધનો તોડીને આગળ વધી રહ્યા છે ત્યાં આપણા સદાબહાર કવિઓ-ગઝલકારોએ કરેલ કૃતિઓ હજુ તેમની સિદ્ધહસ્ત સર્જકતાનો પરિચય આપતી અડીખમ ઊભી છે. પ્રસ્તુત કૃતિ એક પ્રેમીકાની તેના પ્રિયતમ વિશેની લાગણીઓને ખૂબ સુંદર રીતે વાચા આપે છે, શ્રી હરીન્દ્ર દવેની સર્જકતાનું આ એક ઓછું જાણીતું પણ અતિશય સબળ ઉદાહરણ છે.