સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : નવલકથા


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)

સમય જતા લિચ્છવીઓમાં હવે પોતાના મનોરથો સિદ્ધ કરવાના વિચારો ઘોળાવા શરુ થયા હતા. ધીરે ધીરે તખ્તો ગોઠવતો જતો હતો. લિચ્છવીઓ હવે અધીરા થયા હતા. હવે તો આમ્રપાલી શરત રજૂ કરે અને તે સ્વીકારીને તેને પોતાની કરી લઈએ એવું તેઓ વિચારતા હતા પણ..


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)

વર્ષકારે પોતે જ કરેલી ગોઠવણ મુજબ તેની યોજના આગળ વધે છે. બિંબિસારને અને વર્ષકારને પોતાની યોજના આગળ વધતી જોઈ આનંદ થાય છે. તે માટે હવે તેમણે ખાસ મુશ્કેલ પ્રયત્નો કરવા પડતા નથી. યોજનાનો અમલ કરવામાં તો બે-ત્રણ વર્ષ થઈ જાય તેમ લાગે છે. બ્રાહ્મણ અને રાજા બંને આ વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવા નહોતા ઈચ્છતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩) 1

પ્રકરણ ૧૩. આમ્રપાલી વૈશાલીના વિશાળ અતિથિ ભવનમાં હમણાથી ભારે ભીડ રહેવા લાગી હતી. વૈશાલી બહારથી જે લોકો આવતા તેઓ ત્યાં જ ઉતરતા. મોટાભાગના સંથાગારની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા જ આવતા હતા. એ વખતે એવી પ્રથા હતી. બહારથી આવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગણનાયકો જ નહીં અમાત્યો પણ ત્યાં આવતા હતા. જે લોકો આવતા તેઓ ગણરાજ્યની વાતો કરતા અને વિદેશ જઈને તેના વખાણ કરતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)

વૈશાલીના નગરજનો પાસે વાતનો બીજો વિષય આવ્યો વર્ષકારનો! જાણકાર હોવાના વહેમમાં ઘણા લોકો કહેવા લાગ્યા કે ‘દુનિયામાં દરેકનું મન કળી શકાય પણ અપમાનિત થયેલા બ્રાહ્મણનું મન વાંચી ન શકાય કેમકે તે ઝેરી નાગ કરતાંય ખતરનાક હોય છે. મગધને કેવી પીછેહઠ કરવી પડી! ઈતિહાસ ચાણક્યને જાણે જ છે. ધનનંદનું નિકંદન કાઢ્યા પછી જ તેને શિખા બાંધી હતી!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)

પોતાના માર્ગદર્શન પ્રમાણે ગણપતિ અને રાક્ષસ ચાલે તે માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી હતો. વર્ષકારે પોતાની યોજનામાં નાના ફેરફારો કર્યા. તેણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનાં આધારે એક જડબેસલાક ષડ્યંત્ર રચ્યું. તેણે ગણપતિને કહ્યું કે, ‘અત્યારે મગધમાં ગડબડ ચાલે છે તેનો લાભ લઈને તેના પર આક્રમણ કરવું જોઈએ. હું બધાનું નેતૃત્વ કરીશ.’


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦) 2

અંબીને લીધે વૈશાલી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ગણપતિ અને અમાત્ય રાક્ષસ અંબીને આંગણે આવીને ઊભા. તેઓ ઘરનું દિવ્ય વાતાવરણ જોઇને આભા બની ગયા હતા. અને… અંબીને જોઇને છક થઇ ગયા. રાક્ષસ વિચારવા લાગ્યો કે આટલું રૂપ તો તેણે આજસુધીમાં ક્યારેય જોયું નથી. કોઈ આટલું રૂપાળું હોઈ શકે તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે? વૈશાલીના યુવાનો જો આની પાછળ પાગલ ન થાય તો તેઓ યુવાન કેવી રીતે કહેવાય! અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ઠ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી આંખો, સપ્રમાણ નિતંબ, નાભિ પ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)

આપણાં વેદોમાં ખાસ કરીને અથર્વ વેદમાં, પુરાણોમાં, રામાયણમાં, મહાભારતમાં અને જૈન તથા બુદ્ધ ધર્મમાં મગધ જેવા મહા રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડીસા વિસ્તારનો એ પ્રાંત રાજગૃહ (રાજગીર) તરીકે ઓળખાતો હતો. જે પછીથી મગધની રાજધાની પાટલીપુત્ર બન્યું અને આજે તે પટણા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એ બે હજાર સાતસોથી વધારે વર્ષોનો ઈતિહાસ ધરાવે છે. મગધમાં જ મૌર્યસામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યનાં મૂળ મળી આવે છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)

અંબી દિવસે દિવસે મોટી થતી જતી હતી. મહાનામન વૈશાલીમાં અંબારા ગામેથી ફરી વૈશાલીમાં આવ્યા પછી તો જાણે હંમેશાં વિચારોમાં જ ખોવાયેલા રહેવા લાગ્યા. સુદેશા પણ અંબી સાથે જાણે અંબી જેવડી થઇ ગઈ હતી. હવે તેને કંટાળો આવતો નહોતો, હવે તેને પહેલાં જે થાક લાગતો હતો તે પણ લાગતો ન હતો. જાણે અંબીનાં સ્વરૂપે તેને નવજીવન મળ્યું હતું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)

ઇતિહાસમાં જે મહાન મનુષ્યોના નામ સુવર્ણાક્ષરે કોતરાયેલા છે તેનું કારણ તેમનું અસાધારણ જીવન છે. અન્ય લોકોને ઉપયોગી થાય તેવાં કર્મો તેમણે કર્યા હોય છે. આથી એ વાત તો નક્કી છે કે જીવનમાં માણસે સારાં કામ કરવાં જોઈએ. ઇતિહાસમાં નામ અમર થાય તેવું વિચારીને કોઈ સારાં કામ કરે તો પણ તે ઇચ્છનીય છે. અઢી હજાર વર્ષો પછી આજે પણ આપણે ભગવાન તથાગત એટલે કે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધને યાદ કરીએ છીએ. તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)

હા, એ વાત સાવ સાચી હતી. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા, ‘તમે તમારી આંખો બંધ કરી લો!’ કારણ કે બુદ્ધ નહોતા ઈચ્છતા કે તેમના શિષ્યો તેને જુએ. પણ રાજ્યમાં થયેલી ઘોષણા તો દરેક શિષ્યના કાને પહોંચી ચૂકી હતી. વૈશાલીમાં ઠેર ઠેર એની જ ચર્ચા ચાલી રહી હતી. દેશમાં તો ઠીક પણ વૈશાલીની બહાર મગધમાં પણ સર્વત્ર એની જ ચર્ચા થતી હતી. અને આજ એ દિવસ આવી ગયો હતો! શું હતું આજે?


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૫)

પ્રકરણ ૫ – વૈશાલીમાં કૌતુક ! પછાત ગણાતા આજના બિહારનો એક ઈતિહાસ હતો. માની ન શકાય પણ એ આપણા અસ્તિત્વ જેટલી જ નક્કર હકીકત છે કે એક જમાનામાં બિહારમાં ભારતનો સુવર્ણ યુગ હતો! બિહાર એટલે વિહાર… વિહાર શબ્દનો એક અર્થ છે ‘બૌદ્ધ મઠ’. તે ૧૦૦૦ વર્ષ સુધી સત્તા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. પ્રાચીન બિહાર મગધ તરીકે સુવિખ્યાત હતું. ભારતનું તે પ્રથમ સામ્રાજ્ય હતું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોનો ઉદય પણ તે સમયમાં થયો હતો. ત્યાંથી જ બૌદ્ધ વિશ્વમાં પ્રસર્યો અને ત્યાર બાદ આધુનિક બિહારનો જન્મ થયો. મગધની રાજધાની પાટલીપુત્ર હતી જે આજે પટણા તરીકે ઓળખાય છે. તે સમયમાં મગધ શિક્ષણ, કળા, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે બહુ આગળપડતું સ્થાન ધરાવતું હતું. તે ત્યારના ૧૬ મોટાં રાજ્યોમાંનું (મહાજનપદ)  એક મોટું રાજ્ય હતું. અત્યારે જે પુરાતત્વ ખાતાને હવાલે થયેલું દર્શનીય સ્થળ છે તે વૈશાલી બિહારનું પ્રથમ પ્રજાતંત્ર રાજ્ય હતું. ડો. રાજેન્દ્રપ્રસાદની કર્મભૂમિ, ચંપારણથી જ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળનો આરંભ કર્યો હતો. ખુદીરામ બોઝ, આચાર્ય જે.બી.ક્રિપલાની અને જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરુષો પણ ત્યાંથી જ મળ્યા છે. પણ ગંગા નદીને કિનારે આવેલા વૈશાલી લીચ્છવીઓની રાજધાની હતી. ત્યાં જ છે અશોક સ્તંભ, ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કુંડલાગ્રામ. બુદ્ધ અને જૈન ધર્મ આપનાર એ શહેર ત્યારે બહુ જ વિશાળ હતું. તે સમૃદ્ધ પણ હતું. કળા, નૃત્ય, અભ્યાસ, ધનધાન્ય બધામાં વિકાસમાન. જરા કલ્પના કરી જુઓ કે ત્યાં ૭,૭૦૭ જેટલા મેદાનો અને તેટલાં જ તળાવો હતા. મહાવનો હતાં. વૈશાલીથી સીધા હિમાલયની તળેટીએ પહોંચી શકાતું. વૈશાલી પ્રથમ પ્રજા માટે, પ્રજા વડે અને પ્રજા દ્વારા ચલાવવામાં આવતું ગણરાજ્ય હતું. અત્યારે ચુંટાય છે તેમ જ ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા. સંથાગાર, વિધાનસભા, […]


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪) 3

વસન્ત ઋતુ સર્વત્ર આનંદ ફેલાવતી હતી. વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. બધાના હૃદયમાં શુભ ભાવનાઓ ઉભરાતી હતી. ધરતી હસતી હતી. ઝર ઝર કરતાં ઝરણાં સાથે હરણાં જાણે હોડમાં ઉતર્યા હોય તેમ દોડતાં, કૂદતાં ઠેકતાં હતાં. આકાશ પણ પોતાની સ્વચ્છતાનો અને વિશાળતાનો પરિચય આપતું હતું. પર્વતોને તો પંખીઓનાં ગાન સાંભળીને ડોલવું હતું પણ ધરતીમાતાની ગોદમાંથી ચસકી શકતા ન હતા. સૂર્યના કિરણો પર સવાર થઈને પતંગિયા કયા ફૂલ પર બેસવું તેની વિમાસણમાં આમતેમ ઉડતાં હતાં અને ભ્રમરનો ગુંજારવ વૃક્ષોના પર્ણોમાંથી પસાર થતા પવન સાથે સંતાકૂકડી રમતો હતો. વૃક્ષોનો આનંદ જાણે ક્યાંય સમાતો નહોતો. આબે મોર આવ્યા હતા અને વસન્ત ઋતુને વધાવતા હતા.


રોલ નંબર બાર અને તેર – અજય ઓઝા 3

‘યસ સર..’ આ નિરવ. સખત ધમાલિયો અને તોફાની. કોઈને ગાંઠે જ નહિ. ભણવામાં તો ચિત્ત જ નહિ. લેશન નહિ કરવાનું. ચોપડી જ ખોલવાની નહિ.

આમ તો એ આ વર્ષથી જ મારા વર્ગમાં આવેલો. જૂઓ ને, તાજેતરનો જ જાડા કાચવાળા ચશ્મામાં એનો ફોટો પણ કેવો આવ્યો છે !


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩) 2

જમદગ્નિઋષિ અને રેણુકાને પાંચ પુત્રો હતા. રેણુકાના માનસિક સ્ખલનથી ક્રોધિત થઈને તેમણેપોતાના પ્રથમ ચાર પુત્રોને રેણુકાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી હતી પરંતુ એક યા બીજા બહાને ચારેયે એમ કરવાની ના પાડી. એટલે ઋષીએ તેમને શાપ આપીને વ્યંઢળ (નપુંસક) બનાવી દીધા. અને પછી જમદગ્નિ ઋષિએ પરશુરામને તેની માતાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી ત્યારે પરશુરામે પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને તે જમીન પર પડતાં જ તેનાં અસંખ્ય મસ્તકો બનીને સંસારમાં ફેલાઈ ગયાં! અને તે માતા યેલમ્માનાં નામથી પૂજાવા લાગ્યા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) 2

કેવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઇ હતી! ત્રણેય નિર્દોષ માણસોથી ભૂલ થઇ હતી. એ પણ જ્ઞાની હતા તેવા માણસોથી. માટે જ કહ્યું છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. આપણે તો એ પણ જાણીએ છીએ કે સાચ ને નહીં આંચ. પરંતુ રેણુકાએ ખોટો વિચાર કર્યો અને સાચું બોલી. એ સાંભળી ઋષિ જમદગ્નિએ ક્રોધિત થઈને અનુચિત આદેશ આપ્યો. રેણુકાને સજીવન કરીને પરશુરામે પિતાશ્રીના આદેશનો ભંગ કર્યો. ખરેખર, સંજોગો સામે માનવી લાચાર હોય છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧) 16

નદી બે કાંઠે વહેતી હતી. નદીનાં શીતળ વહેતાં જળને જોઈ ઋષિના મનમાં અજબ આંદોલનો ઉઠતાં હતાં. તેમના મનમાં પણ હળવે હળવે વિચારોનો પ્રવાહ વહેતો હતો. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં, આલ્હાદક સૂર્યોદય સમયે તેમનો આશ્રમ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

એ સરસ્વતી નદીના કિનારે આશ્રમમાં ઋષિ જમદગ્નિ, ઋષિપત્ની રેણુકા અને ઋષિપુત્રો રહેતાં હતાં. ઋષિ પરંપરા પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને મધ્યાન્હ સમયે, ત્રિકાળ સંધ્યા કરવાથી મનની શક્તિમાં તથા સ્મૃતિમાં વધારો થતો એટલું જ નહીં પરંતુ તેમનું આયુષ્ય પણ તેથી જ વધતું હતું. એટલે જ તેઓ વર્ષો સુધી જપ-તપ કરી શકતા હતા. પ્રદૂષણમુક્ત, બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગી, પ્રાતઃ કાર્ય આટોપી સૂર્યોદય થતા તેના પહેલા કિરણ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતા હતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રસ્તાવના) 9

ગુજરાતી નવલકથાનો આરંભ જ ઐતિહાસિક નવલકથાથી થયો છે. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ ગુજરાતીની સૌ પ્રથમ નવલકથા ગણાવાઈ છે. એ પછીનાં દોઢસો વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલી સાહસ્રાધિક નવલકથાઓએ એમનાં અવનવાં રૂપો બતાવ્યાં છે. ક.મા.મુનશી અને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાને શિખર પર બેસાડી છે. આજે અનુઆધુનિક યુગમાં પણ કથાસર્જકોનું ઐતિહાસિક વિષયવસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી જેનું દૃષ્ટાંત તાજેતરમાં જ પ્રગટ થનાર પ્રકાશ પંડ્યા અને હર્ષદ દવે લિખિત નવલકથા ‘આમ્રપાલી’ છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (ઉપસંહાર) 2

ઓસ્કરની ચડતીના દિવસો હવે પૂરા થઈ ચૂક્યા હતા. યુદ્ધે તેને ચડતીના દિવસો દેખાડ્યા હતા એ રીતે શાંતિનો સમય તેને ક્યારેય ચડતી આપવાનો ન હતો! ઓસ્કર અને એમિલિ હવે જર્મનીના મ્યુનિકમાં પહોંચી ગયા હતા. થોડો સમય તેઓ રોસનર બંધુની સાથે રહ્યા હતા, કારણે કે હેનરી અને તેનો ભાઈ મ્યુનિકના એક રેસ્ટોરન્ટમાં સંગીત પીરસવા માટે જોડાઈ ગયા હતા, અને ઠીક-ઠીક સમૃદ્ધ પણ થઈ ગયા હતા! રોસનરના સાંકડા અને ખીચોખીચ એપાર્ટમેન્ટમાં એક જૂનો કેદી ઓસ્કરને મળ્યો ત્યારે તેનો ફાટેલો કોટ જોઈને એ આઘાત પામી ગયો હતો! ક્રેકોવ અને મોરાવિયાની તેની સંપત્તિ તો રશિયનોએ કબજે લઈ લીધી હતી અને બચેલું ઝવેરાત ખાવા-પીવામાં વપરાઈ ગયું હતું. ફિજનબમ કુટુંબ મ્યુનિકમાં આવ્યું ત્યારે તેઓ ઓસ્કરની નવીનતમ પ્રેમિકાને મળ્યા હતા! એ યહૂદી છોકરી બ્રિનલિટ્ઝમાંના બચી ગયેલાઓમાંની કોઈ ન હતી, પરંતુ તેના કરતાં પણ ખરાબ છાવણીમાં રહીને આવી હતી! ઓસ્કરને મળવા આવનારા લોકો, ઓસ્કરની આવી નબળાઈઓને કારણે એમિલિ માટે શરમ અનુભવતા હતા.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૮) 1

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૭)

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૬)

એમોન અને બૉસ સહિતના ઓસ્કરના બધા જ શરાબી મિત્રો ઓસ્કરને યહૂદી વાયરસનો શિકાર ગણાવીને ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, અને તે પણ માત્ર કહેવા ખાતર નહીં! હકીકતમાં તેઓ શબ્દશઃ એવું માનતા હતા! અને તેઓ તો આવા વાયરસનો શિકાર થયેલા માણસનો કોઈ વાંક પણ કાઢતા ન હતા! સારા-સારા માણસો સાથે આવું થતું તેમણે જોયું હતું! મગજનો કેટલોક હિસ્સો ગુલામીમાં એવો સપડાઈ જતો હોય છે, જેમાં અડધી જગ્યામાં બેક્ટેરિયા ભરેલા હોય, અને અડધી જગ્યામાં જાદુ! એ બેક્ટેરિયા ચેપી હતા કે નહીં એવું કોઈ પૂછે, તો જવાબમાં તેઓ તરત જ હા કહી દેતા! જો જો, ખૂબ જ ચેપી છે આ બેક્ટેરિયા તો…! ઓબરલેફ્ટેનન્ટ સસ્મથના કિસ્સાને તેઓ ચેપ લાગવાના એક જાણીતા દાખલા તરીકે ટાંકતા હતા!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૫)

ઓસ્કરની ફેક્ટરીમાં ઉત્પાદન તો કંઈ થતું ન હતું. “એક ગોળી પણ નહીં,” બ્રિનલિટ્ઝના કેદીઓ માથું ધુણાવીને કહેશે. એવી ૪૫ એમએમની એવી એક પણ ગોળી નહીં, જેનો ઉપયોગ કરી શકાય! અને રોકેટનું એક ખોખું પણ નહીં! ક્રેકોવના વર્ષો દરમ્યાન ડેફમાં થયેલું ઉત્પાદન અને બ્રિનલિટ્ઝના હિસાબો વચ્ચેનો તફાવત ઓસ્કર પોતે પણ કબૂલે છે. ઝેબ્લોસીમાં ૧૬,૦૦૦,૦૦૦ જર્મન માર્કનાં એનેમલવાળાં વાસણોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૪)

ડૉ. હિલ્ફ્સ્તેઇન, હેન્ડલર, લેવ્કોવિક્ઝ અને બાઇબર્સ્તેઇમે ક્રેંકેન્સ્ટ્યૂબમાં ડૉક્ટર તરીકે કામ કર્યું હતું. ટાઇફસ ફાટી નીકળવાની શક્યતાઓથી તેઓ સારી પેઠે પરિચિત હતા. આરોગ્ય માટે ટાયફસ જોખમરૂપ  હોવા ઉપરાંત, ઉપરથી આવેલા હુકમ પ્રમાણે બ્રિનલિટ્ઝને બંધ કરી દેવા માટેનું એક કારણ પણ બની શકે તેમ હતો! ચેપ લાગ્યો હોય તેવા કેદીઓને બળદગાડામાં ભરી-ભરીને બર્કેન્યુમાં બનાવેલી ટાયફસ માટેની ખાસ બેરેકમાં નાખી આવીને ત્યાં જ મરવા માટે છોડી દેવાના આદેશો આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓ બ્રિનલિટ્ઝ પહોંચી તેના, એક અઠવાડિયા પછી, ઓસ્કર એક દિવસ સવાર-સવારમાં દવાખાનાની મુલાકાતે ગયો, તે દરમ્યાન બાઇર્બેસ્તેઇને તેને બે સ્ત્રીઓમાં ટાયફસ હોવાની શક્યતા અંગે જાણ કરી! માથાનો દુખાવો, તાવ, બેચેની, આખાયે શરીરમાં સામાન્ય કળતર, વેગેરે જેવાં લક્ષણો શરૂ થઈ ગયાં હતાં. થોડા જ દિવસોમાં ટાઇફસના લાક્ષણિક ચાઠા દેખાવાની બાઇબર્સ્ટેનની ધારણા હતી. બંને સ્ત્રીઓને ફેક્ટરીથી ક્યાંક અલગ રાખવી પડે તેમ હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૩)

એમેલિયાની માફક બ્રિનલિટ્ઝની છાવણી પણ ઓસ્કરના ખર્ચે જ ચાલતી હતી. અમલદારશાહીના નિયમો પ્રમાણે ફેક્ટરીની અંદર ચાલતી બધી જ છાવણીઓ માલિકના ખર્ચે જ બાંધવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે મોટાભાગના ઉદ્યોગપતિઓને તારની વાડ અને પરચુરણ ચીજવસ્તુઓ જેવા નાના-મોટા ખર્ચ જેટલી કમાણી તો કેદીઓની સસ્તી મજુરીમાંથી જ થઈ જતી હતી! હકીકતે ક્રપ્પ અને ફાર્બન જેવા જર્મનીના માનીતા ઉદ્યોગપતિઓ તો એસએસની સંસ્થાએ પૂરી પાડેલી ચીજવસ્તુઓ અને તેમણે ફાળવેલા મજૂરોની મદદથી જ પોતાની છાવણી બાંધતા હતા. ઓસ્કર એસએસનો માનીતો ન હતો, એટલે તેને ખાસ કંઈ મળતું ન હતું! એસએસ દ્વારા તેને  સિમેન્ટના થોડા વેગનો બૉસ મારફતે અને બૉસે ઠરાવેલી ઘટાડેલી કાળાબજારની કિંમતે મળ્યા હતા. ફેક્ટરીના ઉત્પાદનમાં વાપરવા અને ચીજવસ્તુઓની હેરફેર માટે બે-ત્રણ ટન પેટ્રોલ અને બળતણનું તેલ પણ બૉસે જ તેને આપ્યું હતું. છાવણી ફરતે વાડ કરવા માટે થોડો તાર તો એ એમેલિયામાંથી લઈ આવ્યો હતો.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૨)

૧૯૬૩માં એમેલિયાના એક ભૂતપૂર્વ કેદીએ ન્યુયોર્કથી ‘માર્ટિન બબર સોસાયટી’ને લખેલો એક દુઃખદ પત્ર મળ્યો. પત્રમાં એણે લખેલું, કે એમેલિયાના બધા જ કેદીઓને મુક્તિ અપાવવાનું વચન ઓસ્કરે આપ્યું હતું. બદલામાં લોકોએ પોતાના શ્રમ વડે તેનું ઋણ ચૂકવી તેને સમૃદ્ધ બનાવ્યો હતો. અને છતાં પણ અમુક લોકોને તેના લિસ્ટમાં સામેલ કરાયા ન હતા. એ માણસને એવું લાગતું હતું, કે એ લિસ્ટમાં ન સમાવીને તેની સાથે દગાબાજી કરવામાં આવી હતી. કોઈ બીજા જ માણસે કહેલા જુઠ્ઠાણાને કારણે પોતાને આગ પરથી પસાર થવું પડ્યું હોય તેવા રોષ સાથે તેણે એ પછી જે કંઈ બન્યું તેને માટે ઓસ્કરને જવાબદાર ઠેરવ્યો હતો. ગ્રોસ રોસનની ઘતનાઓ, મોથેસનની ટેકરી પરથી કેદીઓને જે રીતે ફેંકી દેવામાં આવ્યા હતા તે, અને જે ભયાનક મૃત્યુકૂચ સાથે વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો… એ બધા માટે તેણે ઓસ્કરને જ જવાબદાર ઠેરવ્યો હતો! એ પત્રમાં સહજ ગુસ્સાને વશ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું હતું, કે એ લિસ્ટમાં પોતાનું હોવું એ કેટલી રાહતદાયક બાબત હતી, અને એ લિસ્ટમાંથી નીકળી જવું એ કેવી દૂર્ભાગ્યપૂર્ણ બાબત હતી!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૧)

શિન્ડલર વિશે કોઈપણ ચર્ચા નીકળે, યુદ્ધમાં બચી ગયેલા હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલરના મિત્રો આંખનું મટકું મારીને માથું ધુણાવીને ઓસ્કરના શુભ આશયોનો સરવાળો કરવાનો લગભગ ગાણિતિક પ્રયત્ન કરવાનું શરુ કરી દેતા હતા! શિન્ડલરના યહૂદીઓમાં ભાઈચારાની જે લાગણી હજુ પણ જોવા મળે છે તેની પાછળ તેમની એક જ દલીલ હોય છે, કે “મને તો સમજાતું જ નથી કે ઓસ્કરે આવું શા માટે કર્યું હશે!” વાતની માંડણી કરવા માટે એવું કહી શકાય ખરું, કે ઓસ્કર એક જુગારી હતો, લાગણીપ્રધાન વ્યક્તિ હતો, વગેરે. સંબંધોમાં પારદર્શિતા અને કંઈક સારું કામ કરવા માટેની સ્વભાવગત સરળતા તેને પસંદ હતી. ઓસ્કર પ્રકૃતિએ એક એવો ક્રાંતિકારી હતો જેને વ્યવસ્થાતંત્રનો ઉપહાસ કરવો ગમતો હતો; તેના સ્વભાવમાં ઉપર-ઉપર દેખાતી આંતરિક શાંતિની ઓથે, જરર પડ્યે આક્રમક બની શકવાની, કોઈનો પણ પ્રતિકાર કરવાની અને કોઈનાથી દબાઈ ન જવાની એક પ્રચંડ શક્તિ છુપાયેલી હતી! પરંતુ અહીં વાપરવામાં આવેલો એક પણ શબ્દ, જ્યાં-ત્યાંથી એકઠા કરીને નોંધેલા કે પછી ઉમેરેલા આ બધા જ શબ્દો, ઓસ્કરના એ સાતત્યભર્યા દૃઢનિશ્ચયનું વર્ણન કરી શકે તેમ નથી, જેના આધારે ૧૯૪૪ની પાનખરમાં એમેલિયાના તેના સાથિદારો માટે ઓસ્કરે એક અંતિમ સ્વર્ગ ઊભું કરી આપ્યું હતું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૦)

ઓકેએચ (આર્મિ હાઇ કમાન્ડ)ના સિક્કા મારેલા હુકમો ઓસ્કરના ટેબલ પર પહોંચી ગયા હતા. યુદ્ધની પરિસ્થિતિના કારણે યુદ્ધ મંત્રાલયના ડાયરેક્ટરે ઓસ્કરને સંદેશો મોકલાવ્યો હતો, કે ‘કેએલ પ્લાઝોવ’ અને એમેલિયાની છાવણીઓને વિખેરી નાખવાની હતી. એમેલિયાના કેદીઓને વિસ્થાપિત કરવામાં આવે ત્યાં સુધી એમેલિયામાંથી પ્લાઝોવની છાવણીમાં પાછા મોકલી આપવાના હતા. ઓસ્કરે પોતે પણ, પ્લાન્ટને બંધ કરવા જરૂરી ટેકનિશ્યનોને રાખીને ઝેબ્લોસી ખાતેના પોતાના કામકાજને જેટલું બને તેટલું વહેલું સમેટી લેવાનું હતું. વધારે માહિતી મેળવવા માટે ઓસ્કરે ‘ઓકેએચ બર્લિન’ સ્થિત વિસર્જન સમિતિને અરજી કરવાની હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૯) 1

ઉનાળાના એ ગુંગળાવી નાખે એવા દિવસે એમોનની ઑફિસની અંદર ખુલ્લી બારી પાસે બેઠેલા ઓસ્કરના મનમાં શરુઆતથી જ એવી છાપ પડી હતી કે આ મુલાકાત એક નાટક જ બની રહેવાની હતી! કદાચ મેડરિટ્ઝ અને બૉસને પણ એવું જ લાગ્યું હશે, કારણ કે તેમની નજર પણ વારેઘડીએ એમોન પરથી હટીને બારીની બહાર દેખાતી ચૂનાના પત્થરની ટ્રોલીઓ પર, અને આવ-જા કરતી ટ્રકો કે વેગનો પર જ જતી હતી.


ન ઇતી…! – ધ્રુવ ભટ્ટ 15

થોડા વખત પહેલા ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ અહીં મૂક્યું હતું અને એને વાચકોનો બહોળો પ્રતિભાવ મળ્યો હતો. આજે એનું દસમું પ્રકરણ ધ્રુવભાઈના સૌજન્યથી મૂકી રહ્યાં છીએ. એ સમયે આ નવલકથાને ‘ના’ એવું નામ આપેલું જે હવે ‘ન ઇતી…!’ છે. સાથેે તેેેેનું મુુુુખપૃષ્ઠ પણ પ્રથમ વખત ધ્રુવભાઈના વાચકો સમક્ષ મૂક્યું છે.

શા માટે આવું મુખપૃષ્ઠ?

૧. કવર-પેજ પર મૂકેલી તસવીરમાં છે તે ઈબુ પર્તિવીની મૂર્તી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય મ્યૂઝીયમમાં છે પ્રાગૈતિહાસિક સમયથી ઇન્ડોનેશિયાના દ્વીપસમૂહના આદિવાસીઓ પૃથ્વીને જીવન આપનાર માતા, પ્રકૃતિની દેવી માનતા. પ્રથમ સહસ્ત્રાબ્દીમાં આ મૂર્તી બની અને તેને દેવી પૃથ્વી (પર્તિવી) નામ આપવામાં આવ્યું.

૨. પાશ્ચાદભૂમાં સંધ્યા સમયના આકાશમાં દેવયાની તારાવિશ્વ (The Andromeda Galaxy) નું ચિત્ર છે. આકાશ સાવ સ્પષ્ટ હોય અને બીજા કોઈ પ્રકાશનો અવરોધ ન નડે તો આ તારાવિશ્વ નરી આંખે મોટા ઝાંખા ધાબા જેવું જોઈ શકાય છે. આ તારાવિશ્વ જો વધુ પ્રકાશિત હોત તો તે પૃથ્વી પરથી આ ચિત્રમાં બતાવ્યું છે તેવું અને તે માપનું દેખાત.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૮)

વહીવટીભવનમાં આવેલી એમોનની ઑફિસમાં બે ટાઇપિસ્ટ હતા, જેમાં એક કુ. કોચમેન નામની જર્મન યુવતી હતી, અને બીજો એક મહેનતુ અને યુવાન યહૂદી કેદી મિતેક પેમ્પર હતો. આગળ જતાં આ પેમ્પરને ઓસ્કર પોતાનો સેક્રેટરી બનાવવાનો હતો, પરંતુ ‘૪૪ના ઉનાળામાં તો એ એમોન માટે કામ કરતો હતો. અને એટલે જ, બીજા લોકોની માફક એ પણ પોતાની હાલત બાબતે બહુ આશાવાદી ન હતો.