સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


પાંચ ઝેન કથાઓ – સંકલિત 15

ઝેન-બૌદ્ધ કથાઓ નાની પરંતુ ચમત્કૃતિપૂર્ણ સાર ધરાવતી પ્રેરણાદાયક અને બોધપ્રદ ટૂંકી વાર્તાઓ હોય છે. મનને દુન્યવી બંધનો અને મોહથી છોડાવીને અધ્યાત્મિકતા તરફ દોરી જવાનો તેનો મુખ્ય હેતુ હોય છે. વેબવિશ્વ પર ઉપલબ્ધ કેટલીક હ્રદયસ્પર્શી અને ગહન ચિંતન માંગી લેતી આવી જ પાંચ સુંદર ઝેનકથાઓનો અનુવાદ કરીને અહીં પ્રસ્તુત કરી છે. ગહન શબ્દોની મોહજાળમાં પડ્યા વગર સહજ પ્રસંગોના માધ્યમથી કેટલીક સમજદાર વાતો મૂકવાનો પ્રયત્ન આપને ગમશે એવી આશા છે.


આઇ એમ સ્યોર… (લઘુકથા) – નીલમ દોશી 14

ક્ષણિક આવેગને વશ થઈને લેવાયેલ અણઘટતું પગલું સ્વયંને માટે અને બીજાઓને માટે અનેક ઝંઝાવાતો સર્જીને જતું હોય છે. ક્યારેક કોઈક એકાદ ખુદાઈ ચમત્કાર મદદગાર બનીને આવે અને જીવનને ફરીથી તેના મૂળ હેતુ તરફ, માર્ગે લઈ આવે છે. નીલમબેન દોશીની આવી સુંદર કૃતિઓ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો આનંદ અદકેરો છે. અક્ષરનાદને પ્રસ્તુત લઘુકથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનીશું તો ઔપચારિકતા નિભાવ્યા જેવું લાગશે એટલે એવી ધૃષ્ટતા કરતો નથી. તેમના સ્નેહને તેમની જ આ રચના સાદર…


ભમરડો (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 8

ગામના પાદરે લીમડાનું ઘેઘૂર ઝાડ છે, અડીને તળાવ આવેલું છે. તળાવની પાળ ફરતે અનેક ઝાડની હાર ગામની શોભા વધારી રહ્યાં છે. નાના ભૂલકાઓ જ્યાં ત્યાં રમતા દેખાય છે. ગામ તો બહુ નાનું છે. પણ તેની શોભા ઘણી અનેરી માલૂમ પડે છે. ક્યાંકથી કોયલ નો અવાજ આવે છે તો ક્યારેક વળી મોરના ટહુકા પણ સંભળાય છે. સાંજે મનોહર આરતીની ઝાલર ને ઘંટારવનો નાદ દિલમાં અનોખી તૃપ્તિનો ભાવ પેદા કરે છે. સર્વે લોકો એકબીજા સાથે સંપ અને સહકારની ભાવનાથી રહે છે. આજે પણ તળાવની પાળ પર નાના ભૂલકાઓ રમી રહ્યા છે…..


વર્તમાનમાં જીવવાની રીત (બાળવાર્તા) – ચિરંતન પટ્ટણી ‘પ્રાર્થક’ 5

વ્યવસાયે અનેક ખ્યાતનામ કંપનીઓ સાથે ‘કંપની સેક્રેટરી’ તરીકે કાર્ય કરનાર શ્રી ચિરંતન પટ્ટણીના બાળવાર્તાઓ, કાવ્યસંગ્રહ, નવલકથા એમ વિવિધ સાહિત્યિક ક્ષેત્રમાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. અક્ષરનાદને તેમના પુસ્તકોનો સંપુટ તેમણે ભેટ કર્યો છે. આજે તેમના વાર્તાસંગ્રહ ‘રતન જતન’ માંથી એક બાળવાર્તા પ્રસ્તુત કરી છે. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. આ રચના પ્રસ્તુત કરવાની અને તેમના પુસ્તકોનો સંપુટ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


કનકપાત્ર – મોહનલાલ પટેલ 18

ટૂંકીવાર્તાઓના નિયમ હોય છે. ‘ધૂમકેતુ’ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ તો પછી ટૂંકીવાર્તાનું લઘુ સ્વરૂપ લઘુકથા વિષે શું કહી શકાય ? લેખક શ્રી મોહનલાલ પટેલનું નામ ગુજરાતી ટૂંકીવાર્તા સાથે ખાસ જોડાયેલું છે. તેમની એક અજોડ લઘુકથા આજે માણીઍ. લઘુકથા માટેનો વાચકનો પોતાનો અભિપ્રાય નક્કી કરવાનું પણ આ વાર્તા ‘કનકપાત્ર’ના નિમિત્તે ઠીક પણ રહેશે.


એકવીસમી સદીનો ટપાલી (લઘુકથા) – ઋત્વિ વ્યાસ મહેતા 15

ટપાલી નામ પડતાં જ આપણી મનોસ્મૃતિ પર વૃદ્ધ, સાયકલ પર આવતા ટપાલીકાકાનું ચિત્ર ઊપસી આવે. ગાત્રો થીજાવતી ઠંડી હોય, શ્રાવણીયાના સરવડા કે દેહ દઝાડતો જેઠ મહિનો હોય – ટપાલી કાકા તેમનો પોટલો લઈને ચારેબાજુ ફરી વળતા, એકબીજાથી દૂર વસતા આપ્તજનો માટે પરોક્ષ રીતે સેતુબંધ બનતા અને એકલદશા ભોગવતા વૃદ્ધજનોની શૂન્યતા ઘડીક પૂરી દેતા ટપાલીકાકા ધીરે ધીરે આપણાં ઘરના એક સદસ્યની જેમ આપણી ચિઠ્ઠી પર આપણી સાથે હસતા અને આપણી સાથે રડતા. વર્ષોથી કાંઈ આવું જ આપણે સાંભળતા આવ્યા છીએ અને કાંઈ આવી જ છબી તરવરી ઉઠે, પણ એ છબીમાં અહીં થોડો નહીં – ઘણો બધો ફેરફાર છે. હવે આપણે એકવીસમી સદીના ટપાલીની વાત કરીએ….


કુંઠા (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 10

અક્ષરનાદ પર હરીશભાઈ થાનકીની આ પ્રથમ કૃતિ છે. પોરબંદરના શ્રી હરીશભાઈ જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. લાગણીઓને વાચા આપવાનું કામ એક લેખકનું છે, સમાજમાં ઘટતી ઘટનાઓ, પ્રસંગવિશેષ અથવા સંવેદનાને શબ્દોથી મઢવી અને વાચકના મનમાં તેની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરવી એ કામ શ્રી હરીશભાઈની કલમે આબાદ કરી બતાવ્યું છે. સંવેદનાનો પડઘો, રેખાનો એ હૈયા બળાપો કે પછી એ પ્રસંગને લીધે થતી અસરનો આટલો સજ્જડ સ્પર્શ એક વાર્તા કરાવી શકે એ તો હરીશભાઈની પ્રસ્તુત રચના વાંચીએ ત્યારે જ અનુભવાય. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


ભૂમિકા (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 8

ભૃણ પરીક્ષણ, કન્યા ભૃણ હત્યા જેવી ભયાનક ભૂલો અને દીકરીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખીને તેમના મનને દુભવતા અનેકો લોકોને ખોટું કર્યાનો અહેસાસ થાય, એ ભૂલના પસ્તાવા રૂપે તેમની આંખ ભીની થાય એવી એક સાવ સહજ અને સરળતાથી ગળે ઉતરી જાય એવી હ્રદયસ્પર્શી વાત દુર્ગેશભાઈ પ્રસ્તુત લઘુકથામાં લઈને આવ્યા છે. અખંડ આનંદમાં પ્રસ્તુત થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દુર્ગેશભાઈનો ખૂબ આભાર.


બંસી કાહે કો બજાઈ?… – કિશનસિંહ ચાવડા 6

‘અમાસના તારા’ પુસ્તક પરિચયમાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ એ જિપ્સીની કૃતિ છે, જિપ્સી એટલે પ્રાણશક્તિના ઉદ્વેકવાળો બહિર્મુખ માણસ. પણ જિપ્સીઓને માત્ર બહિર્મુખ લેખવામાં કદાચ અન્યાય થશે. બ્રાહ્ય જગતમાં ખોવાઈ જતા દેખાતા માણસો ક્યારેક ભીતરની સૃષ્ટિને શોધી રહેલા અંતર્મુખ યાત્રીઓઅણ હોય છે એ વાતનો અણસારો આ પુસ્તક આપે છે. ભાતભાતના ને જાતજાતના પાત્રો આ પુસ્તકમાં મળે છે, તેમાંથી શાળાજીવન દરમ્યાન, પાઠ્યપુસ્તકમાંથી જ મને સ્પર્શી ગયેલ ગુલબ્બોની અવિસ્મરણીય છબી, જીવનના આનંદને વર્ણવતી સમગ્ર કૃતિ અને તેમાં સાથે સાથે કુદરતનું મનોહર વર્ણન સદાય સ્મૃતિઓમાં રહ્યું છે. એ આજે આપ સૌની સાથે વહેંચવાનો આનંદ લેવો છે. ‘બંસી કાહે કો બજાઈ..’ સદાય મારો પ્રિય પાઠ રહ્યો છે.


સમોવડ (ટૂંકી વાર્તા) – અજય ઓઝા 6

અજયભાઈ ઓઝાની પ્રસ્તુત ટૂંકી વાર્તા ફેબ્રુઆરી ૨૦૦૯ના અખંડ આનંદમાં તથા સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના વિશેષાંક રંગોલીમાં પ્રસિદ્ધ થઈ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અજયભાઈનો ખૂબ ખૂબ આભાર.


શોધું છું ખુદને તારી આંખોમાં… (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી 30

ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. કૃતિ ટૂંકી વાર્તા છે, સમય અને સંજોગોને આધીન બે યુવાન હૈયાઓના પ્રેમની અને એકબીજાને મેળવવાની ઝંખનાઓની વાત છે જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. પ્રથમ કૃતિ બદલ ખૂબ અભિનંદન, અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા બદલ અભિનંદન અને તેમની કલમે આવી વધુ કૃતિઓ રચાતી રહે એ માટે શુભેચ્છાઓ.


કોને કહું ? (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

નિમિષાબેનની રચનાઓ અક્ષરનાદ માટે નિયમિતરૂપે મળે છે, પ્રસ્તુત થાય છે અને વાચકોના પ્રેમને પામે છે એ આનંદની વાત છે. એક સંપાદક તરીકે તેમની બળુકી રચનાઓને પ્રસ્તુત કરવાનો અનેરો આનંદ પણ છે. સ્ત્રીકેન્દ્રી સાહિત્યરચનાઓ આપણે ત્યાં ઘણી છે, પરંતુ સ્ત્રીઓની વાતને વાચા આપતી પ્રસ્તુત રચના જેવી કૃતિઓ જૂન છે. પ્રસ્તુત વાર્તા બદલ નિમિષાબેનને અભિનંદન અને શુભેચ્છાઓ.


નડતર (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 5

શ્રી દુર્ગેશભાઈ ઓઝા આપણી ભાષાના જાણીતા લેખક છે. અનેક સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહે છે. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો સુપેરે પરિચય આપનારા દુર્ગેશભાઈ ટૂંકી વાર્તાઓના સિદ્ધહસ્ત સર્જક છે. મમતઆ સામયિકના ૨૦૧૨, જુલાઈ અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમની પ્રસ્તુત વાર્તા નડતર માનવસહજ સ્વભાવની અને સંબંધોની તદ્દન સરળ પરંતુ અસરકારક રજૂઆત છે. આંતરખોજ દ્વારા જ માણસ અન્યો સાથેના પોતાના સંબંધો ટકાવી શકે, સંબંધોને સૌથી વધુ નડતર માણસના પોતાના અહંનુ જ હોય છે એ વાત પ્રસ્તુત વાર્તામાં તેઓ સુપેરે કહી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દુર્ગેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


બદમાશ (ટૂંકી વાર્તા) – ઝવેરચંદ મેઘાણી 9

આપણા રાષ્ટ્રીય શાયર અને ગુજરાતીના આગવા લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીનો ૨૮ ઓગસ્ટે – આજે જન્મદિવસ છે, તેમને આજના દિવસે તેમની જ એક સુંદર વાર્તા દ્વારા યાદ કરીએ, અક્ષરનાદ અને સમગ્ર વાચક પરિવાર તરફથી શ્રી મેઘાણીને વંદન

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઇએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રૂક્ષ્મિણીએ એ પછડાટમાંથી ઊઠી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રૈન સ્ટેશન-યાર્ડને વટાવી ગઇ.

ખાલી પડેલા પ્લાટફોર્મ પર જે કોઇ આ દૃશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી : ‘સા’બલોકના પોરિયા થઇ ગયા બધા ! – ‘પંક્ચ્યુઅલ’ ટાઇમ પર જ આવનારા !’

‘— ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !’

આ વાક્યે રામલાલને ચમકાવ્યો…..


માણી લઉં હું આજને… (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 12

સામાન્ય રીતે વાર્તાની ઝડપ એટલી હોવી જોઈએ કે તેના વિષયવસ્તુને પૂર્ણપણે વાચક સુધી પહોઁચાડી શકાય, અતિશય ઝડપથી વહેતા પ્રસંગો અને સંવાદો વાર્તાનું સ્વરૂપ થોડુંક ગૂંચવણભર્યું કરી શકે છે. રિતેશભાઈની વાર્તાઓ ઝડપી હોવા છતા આ બાબતોને સફળ રીતે સંભાળી શકે છે. જો કે આજની વાર્તામાં એક સમજદારી ભર્યા સંબંધ વિશેની વાત તેઓ અનોખી ધીરજથી અને તેમની કાયમી ઝડપી ગતિ વગર કહે છે, વાર્તામાં એક અનોખો ઠહેરાવ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


અસ્થિ વિસર્જન (ટૂંકી વાર્તા) .. – નિમિષા દલાલ 7

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા આજના સમાજની વરવી બાજુ દર્શાવે છે. આવી ઘટનાઓ તો આપણા સમાજની નબળી અને ગુનાહિત માનસીકતા રજૂ કરે છે. નિમિષાબેનની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે. તેમની વાર્તાઓની આગવી માવજતને લીધે વાંચવી ગમે તેવી હોય છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


નવનિર્માણ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ (મમતા સામયિક જુલાઈ 2012) 18

અમારા સહ-પ્રવાસીઓના અનુભવ રૂપ પ્રવાસવર્ણનો અને અન્ય લેખ તો ઘણા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે જ, પરંતુ મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. શ્રી મધુ રાય દ્વારા શરૂ કરાયેલ વાર્તાઓ માટેના વિશેષ સામયિક ‘મમતા’ ના જુલાઈ 2012ના અંકમાં મારી વાર્તા ‘નવનિર્માણ’ પ્રસિદ્ધ થઈ છે એ મારા માટે આનંદનો અનેરો અવસર છે. ભૂકંપ અમારા – સિવિલ ઈજનેરોના માંદલા પડેલ પ્રૉફેશનમાં ઑક્સિજનની જેમ આવેલો, જેને જુઓ એ બધા તેનો ફાયદો લેવામાં મચી પડ્યા હતા એવો મારો અંગત અનુભવ છે. હું તો ત્યારે હજુ બેચલર ડિગ્રી મેળવીને નવો સવો બહાર પડેલો. પછી ભૂજ ગયો અને નોકરીમાં જોડાયો તેના દસ દિવસમાં ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. મનમાં સંગ્રહાઈ રહેલો એ જ ઘટનાક્રમ વાર્તા સ્વરૂપે બહાર નીકળ્યો છે આજે બાર વર્ષ પછી અને શ્રી મધુ રાયનો આભાર એટલે વિશેષ માનવો જોઈએ કે તેમણે એ અનુભવને સાચા માર્ગદર્શન વડે પ્રસ્તુત કરવાની આ સુંદર તક મને આપી અને મમતા જેવા વાર્તાકારો માટેના વિશેષ સામયિકમાં તેને સ્થાન આપ્યું. મહદંશે સત્યઘટના અને વાર્તા માટે જરૂરી નાનકડા ફેરફારો આ વાતનું મૂળ છે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે.

Mamta magazine July 2012 issue

વન્સ અગેઈન…(ટૂંકી વાર્તા) – અજય ઓઝા 7

અમુક સ્વાર્થપરાયણ લોકો દ્વારા આધુનિક યુગમાં દરેક લાગણીની કિંમત અંકાઈ રહી છે, પ્રેમ હોય કે મિત્રતા, બધા સંબંધોમાં સ્વાર્થની છાંટ દેખાવા લાગી છે, આવા જ એક પ્રસંગની કહાણી પ્રસ્તુત વાર્તા રજૂ કરે છે. ખૂબ સુંદર રીતે ગૂંથાયેલી વાર્તામાં વાચક સતત ગૂંથાયેલો રહે છે. અખંડ આનંદ સામયિકના જુલાઈ 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રસ્તુત સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભાવનગરના શ્રી અજયભાઈ ઓઝાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સુંદર રચનાઓ દ્વારા આપણું મનોરંજન કરતી રહે તેવી શુભકામનાઓ.


ઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 5

રીતેશભાઈની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકમિત્રોને પસંદ પણ આવે છે. આજે એક ખૂબ સાદી પૃષ્ઠભૂમીમાં ઉભી કરેલી આ વાર્તા સાચા પ્રેમની – વિશુદ્ધ પ્રેમની એક સરસ વાત લઈને આવે છે. આજના સમયમાં જ્યાં પ્રેમને સાવ તકલાદી, ચીલાચાલુ અને ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે ત્યારે આવી વાર્તાઓ એક સરળ અને સહજ માર્ગ તરફ આંગળી ચીંધે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 14

અક્ષરનાદ પર નિમિષાબેનની આ સતત છઠ્ઠી ટૂંકી વાર્તા છે અને એક ગૃહિણી સર્જક તરીકે, સમાજજીવનની સામાન્યતમ બાબતોને પાત્રો અને કહાનીઓમાં વણી લઈને પ્રતિબિંબ બતાવવાની તેમની આગવી વિશેષતા તેમની સહજ પ્રસંગો ધરાવતી વાર્તાને સુંદરતા અને વિશેષતા બક્ષે છે. બાળમજૂરી વિશે આપણામાંથી કોણ અજાણ છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે આસપાસ મજૂરી કરતા ભૂલકાંઓ નહીં જોયા હોય. સંવેદનશીલ નિમિષાબેને એક નાનકડા છોકરાની ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઈચ્છાની વાતને પ્રસ્તુત વાર્તામાં ધ્યેય સહ તેમણે વણી છે અને એ દ્વારા તેઓ સુંદર સંદેશ પણ આપી શકે છે. આવા સુંદર અને ઉપયોગી વિષયને અપનાવવા બદલ તેમનો ખૂબ આભાર.


તનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 6

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત અને કલમ ચલાવવાનો આનંદ. લખવાનો તેમનો પ્રયત્ન આજે ફરી એક વાર આપણી સાથે તેઓ વહેંચી રહ્યા છે. આ પહેલા અક્ષરનદ પર તેમની એક વાર્તા આવી ચૂકી છે. આજની તેમની કૃતિ વર્ણવે છે એક યુવતીની વાતને, એક ઉંમરલાયક – જેલમાં જ જીવન વીતાવીને વૃદ્ધત્વ પામેલી વૃદ્ધાની લાગણીઓ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


મરીઝની ગઝલ… (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 15

હાર્દિકભાઈની અક્ષરનાદના વાચકોને સુપેરે ઓળખાણ છે, તેમની કૃતિઓને મળતા પ્રતિભાવ એ વાત સાબિત કરે છે કે તેમની કલમના અમારી જેમ અનેકો પ્રસંશકો છે. આજે પ્રસ્તુત છે હાર્દિકભાઈની કલમેથી નીતરેલી વધુ એક સુંદર વાર્તા, તેમની રચનાઓમાં બંધિયારપણું નથી હોતુ, વાર્તાના વિષયવસ્તુ પણ ચીલાચાલુ અને સામાન્ય ન હોતા અનોખુ હોય છે. મને લાગે છે ત્યાં સુધી તેમની વાર્તાઓ એક અનોખુ સ્થાન બનાવી શકે એટલી સદ્ધર અને સુઘડ હોય છે. આજે પ્રસ્તુત છે તેમની એક નવી રચના, અને વાર્તાનું નામ કદાચ તમને ગેરમાર્ગે ન દોરે એ માટે સ્પષ્ટતા કરી દઉં, કે મરીઝની ગઝલ શીર્ષક ધરાવતી આ એક ટૂંકી વાર્તા છે.


રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 10

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત ખરી. લખવાનો તેમનો પ્રયત્ન આજે સૌ મિત્રો સાથે તેઓ વહેંચી રહ્યા છે. તેમની કૃતિ વર્ણવે છે એક યુવતી પોતાના લગ્નની પહેલી રાત્રે પતિની રાહ જોવા દરમ્યાન મળેલી થોડીક ક્ષણોની વિચારધારા, એ પળોની લાગણીનું મિશ્રણ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


રાઘવ, એક દ્રષ્ટાંત… – ઋત્વિ વ્યાસ મહેતા 11

આજ ના જમાના માં જ્યારે લોકો ફેરિયા અને બીજા સ્વાંગ ધરીને ઘરોમાં ચોરીઓ કરે છે એ લોકો નથી જાણતા કે આવા કૃત્ય થી સાચે જ એ વ્યવસાય પર નભનારા લોકોની રોજી રોટી છીનવાઈ જાય તેવું જોખમ તેઓ ઉભું કરતા જાય છે ત્યારે પ્રસ્તુત પ્રસંગ લોકોની આંખો ઉઘાડી આપવા સક્ષમ છે. આપણી આસપાસ થતી આવી ઘટનાઓ ચટપટી અથવ મસાલેદાર કહાનીઓ જેવી ન હોય તો પણ જીવન પર તેની અસર વધુ થાય છે કારણકે આ આપણી હકીકતની દુનિયા છે. આવો જ એક પ્રસંગ આજે ઋત્વિબેન વ્યાસ મહેતા લઈને આવ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સર્જનની આ સફર માટે તેમને અનેક શુભકામનાઓ.


પ્રેરક કથાઓ (વાંચનયાત્રાનો પ્રસાદ) – ‌સંકલિત 5

આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.


મહેતાબ – નિમિષા દલાલ 8

નિમિષાબેન દલાલની આ પહેલા ચાર વાર્તાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. ગૂંચવણો વગરની અને સામાન્ય જીવનઘટનાઓને સહજતાથી સ્પર્શતી અને એવી જ સરળ પ્રવાહી શૈલી અને ભાષા ધરાવતી તેમની વાર્તાઓમાં આપણા સમાજજીવનની સરળતા ઝળકે છે. ઘરકામમાંથી નવરાશ મેળવીને એક ગૃહિણી આમ સતત સાહિત્યસર્જનના પ્રયત્નમાં રત રહે તે ખરેખર એક પ્રશંશાપાત્ર વાત કહેવાય. આજે પ્રસ્તુત છે તેમની એક વધુ વાર્તા તેમના આગવા અંદાઝમાં. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


હીરાની ખાણ (અધ્યાત્મ-કથાઓ) – ભાણદેવ 8

‘કસ્તુરી કુંડલ બસે મગ ખોજે બન માંહી’ મૃગની નાભિમાં કસ્તુરી છે, તે કસ્તુરીની સુગંધ લઈને સુગંધના કેન્દ્રની શોધ માટે વનમાં ભટકી રહ્યો છે. અરે ! તેને કોઈ તો સમજાવો કે જે વસ્તુની શોધમાં તે જંગલમાં ભટકી રહ્યો છે તે તેની પોતાની નાભિમાં જ છે – એ સુગંધ તેની નાભિમાંથી જ આવી રહી છે. માણસનું પણ આવું જ નથી? જે પરમતત્વને, પરમ આનંદને, શાંતિને શોધવા માટે આપણે અહીં ત્યાં સર્વત્ર ભટકીએ છીએ તે પરમાનંદનું કેન્દ્ર સચ્ચિદાનંદ આત્મા તો આપણી અંદર જ છે. અરે, તે આપણું પોતાનું નિજ સ્વરૂપ જ છે. આંખ ખોલો અને જુઓ – તમે જે શોધો છો તે તો તમારી અંદર – તમારી પાસે જ સદા સર્વદા છે. આ જ વાતને સુંદર કથાનક ઉદાહરણ દ્વારા અહિં પ્રસ્તુત કરાઈ છે.


અનોખું મિલન – નિમિષા દલાલ 7

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


પંઢરીબાઈ – બકુલેશ ભટ્ટ 8

ભાવનગર ખાતે રહેતા શ્રી બકુલેશભાઈ ભટ્ટ એક ફ્રિલાન્સ લેખક અને કૉલમિસ્ટ છે, જન્મભૂમીમાં તેઓ લઘુનવલો આપી ચૂક્યા છે, ૬૭ – ૬૮ વર્ષની ઉંમરે પણ તેઓ સતત લેખનરત છે. સત્યઘટના પર આધારિત પ્રસ્તુત હ્રદયસ્પર્શી પ્રસંગ આજના સમયમાં પણ ટકી રહેલી પ્રમાણિકતાનો પરિચાયક છે, ઘરકામ કરનારી પંઢરીબાઈનું મૂઠી ઉંચેરુ સ્વરૂપ દર્શાવીને ભાવકના મનમાં તેમના વિશેનું સ્પષ્ટ ચિત્ર લેખક ઉપસાવી શક્યા છે. મોટા મોટા કૌભાંડો અને કરોડોના ગોટાળાઓ વચ્ચે કામદાર વર્ગના લોકોની માનવતાના આવા પ્રસંગો નોંધવા આજના સમયમાં વધુ જરૂરી છે, તેમની પ્રમાણિકતા કોઈ નોંધની મોહતાજ નથી પણ તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે – ધનવાનોની લાલસા આવા ગરીબોની ઉદારતાની સામે પાણી ભરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બકુલેશભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૨) 8

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો બીજો ભાગ