સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


ચાર તરોતાઝા ગઝલો.. – રાકેશ હાંસલિયા 8

રાકેશભાઈની ચાર તરોતાઝા ગઝલો આજે પ્રસ્તુત કરી છે. ઝૂંપડીને બે વેંત અદ્ધર કરતી, ગારની ભીંતોને ખેતર કરતી, ચરણો વિના જાતરા કરતી, ખેતરોમાં ઉજાસ કરતી અને ફૂલની મ્હેકને શૂળમાં શોધતી તેમની કલ્પના ભાવકને રસતરબોળ કરી મૂકે એવી અદ્રુત છે. અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર કૃતિઓ વહેંચવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર.


ઓહવાટ – દીના પંડ્યા (કેતન મુન્શી વાર્તાસ્પર્ધા ૨ માં પ્રથમ આવેલ વાર્તા) 11

નર્મદ સાહિત્ય સભા, સુરત આયોજીત કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨ (૨૦૦૯-૧૦) માં કુલ ૩૧૭ વાર્તાઓ આવેલી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને પ્રા. સતીશ ડણાક તેના નિર્ણાયકો હતા. તેમાંથી પ્રથમ આવનાર દીનાબેન પંડ્યાની વાર્તા ‘ઓહવાટ’ને ૨૫૦૦૦/-નું પારિતોષિક મળ્યું હતું. ‘છાલક’ સામયિકમાં આ સ્પર્ધાની કેટલીક વાર્તાઓ પ્રગટ થઈ હતી એ અંક મને શ્રી જગદીપભાઈ ઉપાધ્યાય તરફથી ભેટ મળ્યો હતો. તેમાંથી ‘છાલક’ અને ‘નર્મદ સાહિત્ય સભા’ના આભાર સાથે આજે ‘ઓહવાટ’ અહીં પ્રસ્તુત કરી છે. વાર્તા ઘણા સમયથી ટાઈપમાં હતી, પણ આ એક એવી વાર્તા છે જેને ટાઈપ કરતા અને પ્રૂફ કરતા અક્ષરનાદની કોઈ પણ પોસ્ટ કરતા મને મહત્તમ સમય લાગ્યો, કારણ છે તેની ભાષા. બકુલેશ દેસાઈ આ વાર્તા માટે લખે છે તેમ, ‘ધુમ્રસેર હોય કે ધુમાડાના ગોટેગોટા, કેવાં નિરારકા હોય છે, સામાન્ય માનવીની ઇચ્છા આશા અપેક્ષા જેવાં! ઇચ્છા પૂરી થાય તો પણ તેની ઝંખના અને પ્રાપ્તિની વચગાળાની પળો કાંઈ ઓછા અકળાવનારા નથી હોતા! ‘ઓહવાટ’ ની નાયિકા સોમલી આવી બડભાગી છે. જે વિશિષ્ટ સંજોગોમાં બબ્બે દીકરીઓ પછી.. વાર્તાની લોકબોલી સભર સંવાદો તેને ઉજાળે છે, પુત્રપ્રાપ્તિની દડમજલ અને ગડમથલ આલેખતી આ વાર્તા તેની વિશિષ્ટ સંકલ્પના, વિલક્ષણ કથાબીજ અને સંવેદનશીલ સંયમિત નિર્વહણથી હ્રદયસ્પર્શી બની છે.’


ત્રણ સુંદર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 1

જિતેન્દ્રભાઈની ત્રણ સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અનેક સામયિકોમાં તેમની કૃતિઓ સતત માણવાનો અવસર મળે છે, આજની આ ત્રણ કૃતિઓ, ‘સપનાઓ..’, ‘અને મા યાદ આવી’, અને ‘હયાતી’ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિતેન્દ્રભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


સંકલિત કાવ્યરચનાઓ.. 5

આજે પ્રસ્તુત છે મિત્રોનું સર્જન એવી સંકલિત કાવ્યરચનાઓ, જેમાં શ્રી મિતુલ ઠાકર, શ્રી દેવિકા ધ્રુવ, શ્રી સરયૂ પરીખ અને શ્રી હર્ષદ દવેની રચનાઓ સમાવિષ્ટ છે. ઈ-મેલ દ્વારા રચનાઓ પાઠવવા બદલ બધા જ સર્જક મિત્રો નો ખૂબ ખૂબ આભાર.


ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ 17

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ અછાંદસ રચનાઓ છે. સુંદર રચનાઓ બદલ તેમને શુભકામનાઓ અને અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક બદલ આભાર.


વાચકમિત્રોની ત્રણ કાવ્યરચનાઓ.. – સંકલિત 7

આજે પ્રસ્તુત છે પ્રથમ વખત અક્ષરનાદ પર પોતાની રચનાઓ પ્રસ્તુત કરી રહેલા ત્રણ નવોદિત રચનાકાર મિત્રોની કાવ્યરચનાઓ. બે અછાંદસ અને એક ભક્તિરચના સાથેનું આજનું સંકલન જેમાં કાળના ડંખની પીડા છે, જેમાં શબ્દો અને તેની અભિવ્યક્તિની વાત છે અને તેમાં શામળિયાને વિનંતિ પણ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


ત્રણ બાળગીતો – જીતેન્દ્ર પ્રજાપતિ 6

કવિમિત્ર જિતેન્દ્ર પ્રજાપતિના ઘરે થોડા દિવસ પહેલા લક્ષ્મીજીનું આગમન થયું છે. એ નાનકડી ઢીંગલીને લઈને કવિહ્રદયમાં જાગેલા સંવેદનો આ બાળગીતોમાં અભિવ્યક્ત થયાં છે. સદાય ગઝલો સાથે વ્યસ્ત રહેતા એક કવિને તેમની દીકરીએ આ ગીતો લખવા પ્રેર્યા છે એ વાત કેટલી આહ્લાદક છે! જિતેન્દ્રભાઈને વધાઈ સાથે આ ગીતોનું પણ સ્વાગત. અક્ષરનાદને આ ગીત પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


ત્રણ સુંદર કાવ્યરચનાઓ.. – પ્રતિમા પંડ્યા 11

પ્રતિમાબેન પંડ્યાના કાવ્યસંગ્રહ અને લઘુકાવ્યસંગ્રહ એક સાથે માણવાનો અવસર મળ્યો. તેમના લઘુકાવ્યો આ પહેલા આપણે અક્ષરનાદ પર માણ્યા છે, આજે પ્રસ્તુત છે તેમના કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસુ’ માંથી ત્રણ સુંદર, ભાવવહી, અર્થસભર અને અદ્રુત કાવ્યરચનાઓ. પ્રતિમાબેનની આ કવિતાઓ એ ભાવક હ્રદયમાં ગીતો રૂપે પડઘાય છે, એમાં કુદરત, જીવન અને માનવ સંવેદના સુંદર રીતે ઉભરીને આવે છે, ભાવક તેની સાથે ઓતપ્રોત થઈ શકે એવી સુંદર રચનાઓ ધરાવતો આ સંગ્રહ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. આજે માણીએ આ સંગ્રહની ત્રણ સુંદર કાવ્યરચનાઓ.


ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ 7

આજે લાંબા સમય બાદ કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો પ્રસ્તુત છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને ખૂબ શુભકામનાઓ તો વળી તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. અક્ષરનાદને ગઝલરચનાઓ પાઠવવા બદલ તેમને શુભકામનાઓ.


આંતરખોજની અભિવ્યક્તિ (કાવ્યાસ્વાદ) – તરુણ મહેતા 7

ભાવનગર સંસ્કારનગરી તરીકેની ઓળખ ઊભરી રહ્યું છે. આ ભૂમિ પર અનેક કવિઓ સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિને માનવતાની મહેકને જિવંત રાખી છે. પસ્તુત ગઝલ કવિયિત્રિ શ્રી જિજ્ઞાબેન ત્રિવેદી છે. જેમણે ‘અર્થના આકાશમાં’ સંગ્રહથી ભાવઓનું ધ્યાન ખેચ્યું છે. અનેક સામાયિકો, દૂરદર્શન અને આકાશવાણીમાં પણ તેની સર્જકતા પુરસ્કૃત થઈ છે. તેમની કવિતામાં ભાવસંવેદનની ગહેરાય અને અર્થની અગણિત શક્યતાઓ પડી છે.


ત્રણ પદ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 16

મિતુલભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેઓ ત્રણ પદ્યરચનાઓ લઈને ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


દસ મુકતકો.. – યાકૂબ પરમાર 8

અક્ષરનાદ પર જેમની પદ્યરચનાઓ સમયાંતરે માણવા મળે છે તેવા યાકૂબભાઈ પરમારનો મુક્તકસંગ્રહ ‘હવાનાં રૂપ’ અમદાવાદના રંગદ્વાર પ્રકાશન તરફથી ૨૦૧૨માં પ્રકાશિત થયો હતો. આજે પ્રસ્તુત છે તેમણે અક્ષરનાદને પાઠવેલાં દસ સુંદર મુક્તક. છંદબદ્ધ અને રચનાની શિસ્ત સાથેની આ કૃતિઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


સંકલિત ગઝલરચનાઓ.. – ‘લઈને.. અગિયારમી દિશા’ સંગ્રહમાંથી 6

ફેસબુક પર ગુજરાતી ગઝલસર્જનમાં રત એવા મિત્રોના એક સમૂહ દ્વારા તેમના ગઝલસર્જનને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરાયું. ‘ગઝલ તો હું લખું’ ફેસબુક ગૃપના ગઝલકાર મિત્રો પારૂલ ખખ્ખર, મોહસીન મીર, મેહુલ ભટ્ટ, ભાવેશ શાહ, ટેરેન્સ જાની, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, કાંતિ વાછાણી, યોગેન્દુ જોષી અને અનંત રાઠોડની ગઝલરચનાઓનું સંકલન એટલે સુંદર ગઝલસંગ્રહ ‘લઈને. અગિયારમી દિશા’. આજે પ્રસ્તુત છે તેમાંથી પાંચ સુંદર ગઝલો. અક્ષરનાદને ગઝલસંગ્રહ પાઠવવા બદલ શ્રી કાંતિ વાછાણીનો ખૂબ આભાર અને સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ. સોશિયલ મિડીયાના સુંદર અને સાર્થક ઉપયોગની આ પદ્ધતિ અનેકોને ઉપયોગી થઈ રહે એવી શુભકામનાઓ.


સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત આસ્વાદલેખમાં તેઓ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની મીરાંમય શબ્દરચનાની વાત ખૂબ સુંદર રીતે મૂકે છે.કવિશ્રીએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર – ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે ‘સાચા અર્થ’માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું? પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે.


ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી 10

ડૉ. મુકેશ જોષીની સુંદર રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે તેમની બે ગઝલરચનાઓ અને ચાર મુક્તકો. સુંદર અને સાતત્યસભર રચનાઓ તેમના સર્જનની વિશેષતાઓ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને શુભકામનાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની કૃતિઓ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકોના પ્રેમને પામે છે. આજે પ્રસ્તુત છે તેમની કલમે વધુ ચાર ગઝલરચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 15

ગત મહીને રાજકોટમાં જેટલો આનંદ રાકેશભાઈને મળીને, તેમના પુસ્તક સંગ્રહને જોઈને અને ખાસ તો તેમના સરળ સ્વભાવને લીધે તેમની સાથેની વાતોએ આપ્યો એ અવર્ણનીય છે. આજે પ્રસ્તુત છે તેમની વધુ ત્રણ સુંદર, છંદની પૂર્ણ શિસ્તમાં લખાયેલી, સાદ્યાંત માણવાલાયક ગઝલરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રાકેશભાઈ હાંસલિયાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) ભાગ ૨ – પ્રતિમા પંડ્યા 11

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ લઘુકાવ્યો સમાવતા ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 25

પ્રસ્થાપિત લેખકો માને છે કે માઈક્રોફિક્શન કે જેને અક્ષરનાદ ગુજરાતીમાં ‘વાર્તાપ્રકાર’ તરીકે વિકસાવી રહ્યું છે એ શબ્દરમત છે, એ કોઈ વાર્તાપ્રકાર નથી. એક સર્જકે કહ્યું, ‘એ થોડો સ્વીકાર્ય પ્રકાર છે? કયું સામયિક તેને વાર્તાપ્રકાર ગણશે? કયા સંપાદકો તેને પોતાના સંપાદનમાં સમાવશે?’ મારે તેમને કહેવું છે, ‘જરા ઘરેડમાંથી બહાર આવો સાહેબ, ગાર્ડિયન જેવું અખબાર જેને આજના જમાનાનો સર્વાધિક લોકપ્રિય વાર્તાપ્રકાર ગણાવે છે, વિશ્વના અગ્રગણ્ય અને પ્રચલિત વિદ્યાલયો જેની સ્પર્ધાઓ વર્ષોથી યોજે છે, ૧૯૪૮થી જે અંગ્રેજીમાં સર્જાઈ રહી છે એ માઈક્રોફિક્શનને ગુજરાતીમાં વિકસવા કોઈ સર્ટિફિકેટની જરૂર છે?’

માઈક્રોફિક્શનના આ યજ્ઞમાં, અક્ષરનાદ આયોજીત પ્રથમ ગુજરાતી માઈક્રોફિક્શનની આ સ્પર્ધામાં અમે આયોજકો તરીકે ભાગ નહીં લઈ શકીએ તો શું થયું? સર્જન પ્રક્રિયા તો સતત રહે જ છે. આજે પ્રસ્તુત છે મારી ૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ. હું આજે પહેલા એક માઈક્રોફિક્શન વાર્તાકાર અને પછી સંપાદક. નિખાલસ પ્રતિભાવોનું સ્વાગત છે.


ત્રણ પદ્યરચનાઓ… – પ્રિન્સ ગજ્જર 23

નવોદિત રચનાકારોને મંચ આપવાની પોતાની એક અનોખી જ મજા છે. ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ગાંધીનગરમાં મેટલર્જીના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહેલા પ્રિન્સભાઈ ગજ્જરની અક્ષરનાદ પર આ પ્રથમ રચનાઓ છે, ત્રણેય અછાંદસ સુંદર છે, પણ વિશેષ ધ્યાન ખેંચે છે એક નવોદિત તરીકે તેમની વિષયપસંદગી. ત્રણેય ભિન્ન વિષયોમાં તેમનો સર્જનનો પ્રયત્ન સરસ છે પરંતુ તેમાં પ્રથમ અછાંદસ ધ્યાન ખેંચે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ પ્રિન્સભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 8

યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ પદ્યરચનાઓ – નિતીન લીંબાસીયા 21

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં મિકેનીકલ એન્જીનીયરીંગ શાખાના એક્ઝેક્યુટીવ ટ્રેઈની તરીકે ફરજ બજાવતા નિતીનભાઈ લીંબાસીયાની અક્ષરનાદ પરની આ પ્રથમ પ્રસ્તુતિ છે. વળી પદ્યરચનાનો આ તેમનો પ્રથમ પ્રયત્ન છે. નવોદિત લેખકોને એક મંચ આપવાનો હેતુ અક્ષરનાદ સદાય નજર સમક્ષ રાખે છે, તેથી બહુરંગી શાખાઓમાં અને અનેકવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પણ તેમના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી વાંચનનો અને સર્જનનો સમય કાઢવાની પ્રેરણા મળે છે. નીતિનભાઈની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. તેમની કલમને શુભેચ્છાઓ અને અક્ષરનાદને રચનાઓ મોકલવા બદલ તેમનો આભાર.


બે અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 6

દિનેશભાઈ જગાણીના સર્જન સ્વરૂપ અનેક અછાંદસ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજના તેમના બે અછાંદસ આજકાલના વરસાદી ‘ફ્રેન્ડશીપ ડે’ ના વાતાવરણને અનુરૂપ રચનાઓ છે. ફ્રેન્ડશીપ ડે ની નિરર્થકતા અને વરસાદી સાંજે એકલતાના ઓછાયામાં પ્રિયતમની યાદમાં ખોવાયેલ કવિ તેમની વ્યથા આ રીતે વ્યક્ત કરે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ આભાર, શુભકામનાઓ.


અભિવ્યક્તિની અનુભૂતિ – દિનેશ કાનાણી 9

કવિમિત્ર શ્રી રાકેશભાઈ હાંસલીયાને રાજકોટમાં તેમના ઘરે મળ્યો, અને તેમની પાસેથી શ્રી દિનેશભાઈ કાનાણી સંપાદિત સુંદર સામયિક ‘ડાયલોગ’ના બે અંકો મળ્યા. સુંદર સંપાદનનો અનુભવ સાથે સાથે એક કવિની પોતાની અનુભૂતિનો સ્વાદ પણ આ સામયિકમાં વાચકને મળી રહે છે. જુલાઈ-ઓગસ્ટના અંકમાં દિનેશભાઈએ મૂકેલ ‘આ ક્ષણે આટલું કહેવું છે..’ આજે મેં અપનાવેલ શીર્ષક ‘અભિવ્યક્તિની અનુભૂતિ’ સાથે મૂક્યું છે. સુંદર અછાંદસ આજના સમયની અભિવ્યક્તિમાં રહેલ ખાલીપણા વિશે કહે છે.


ચાર કૃષ્ણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ 15

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. રક્ષાબંધન, જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ, કૃષ્ણમય થવાના ભીના ભીના અનરાધાર દિવસો.. પણ ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક બીજા ઘરને, એક મહત્વની હસ્તીને તો જાણે ભૂલી જ જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે એની કલ્પના દેવિકાબેન પ્રસ્તુત કરે છે, તો અન્ય એક રચનામાં કોમ્પ્યુટરના સ્ક્રીન પર કૃષ્ણને આમંત્રણ પણ પાઠવે છે. કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 7

યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


નારીની વ્યથા… – પલ્લવી ત્રિવેદી, અનુ. હર્ષદ દવે. 11

શ્રી પલ્લવી ત્રિવેદીનું આ કાવ્ય જેનો અનુવાદ હર્ષદ દવે દ્વારા કરાયો છે, એ આજના સમયની નારીનું, કદાચ સૌથી ધગધગતું અને પુરુષોને તેમની જ ભાષામાં કહેવાયેલું એક અનોખું સત્ય છે. આજકાલના વિશ્વમાં નારી પર થતા અનેક આક્રમણો, બળાત્કારો અને અન્યાયની ખબરોથી જ્યારે સમાચારપત્રો અને ટીવી વગેરે સતત ચમકતા રાખે છે એવામાં પ્રસ્તુત કાવ્ય એક અનોખી આભા સાથે એક નારીનો, એક ગૌરવાન્વિતા નારીનો વિશ્વની આંખમાં આંખ નાખીને અપાયેલ જવાબ છે. સર્જન બદલ પલ્લવીબેન અને અનુવાદ બદલ તથા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


‘જે તરફ તું લઈ જશે..’ એ તરફ.. – રાકેશભાઈ હાંસલિયાના ગઝલસંગ્રહનો આસ્વાદ 13

બાળપણથી અનેક સર્જકોની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એ ગઝલોને અનેરા આદરથી જોઈ છે – માણી છે. ગઝલ સાંભળ્યા પછી સદાય થતું કે અરે, આ તો મારી પોતાની જ વાત તેમણે કહી.. નવોદિત ગઝલકારોની શ્રેણીમાંથી પ્રસ્થાપિત રચયિતાની શ્રેણીમાં પ્રવેશેલા રાકેશભાઈ હાંસલિયા તેમની રચનાઓ દ્વારા એવી જ વાત અને એ જ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે. અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતી તેમની ગઝલો સદાય તેમના સુંદર હસ્તાક્ષરોમાં અને આનંદિત થઈ જવાય તેવા પત્ર સાથે મળે તેની સદાય રાહ જોતો હોઉં છું, એવામાં તેમનો ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ મળ્યો. વરસાદી મૌસમમાં એ ગઝલો માણવાની મજા આવી, એક નહીં પણ અનેક વખત એ ગઝલોનો સાથ માણ્યો. આજે એ સંગ્રહ વિશે લખી રહ્યો છું ત્યારે એક સર્જકને તેમના ભાવક દ્વારા અપાયેલું આ એક આભારદર્શન જ ગણી શકાય. પ્રસ્થાપિત કવિમિત્રોની જેમ ‘ગઝલસઁગ્રહનો આસ્વાદ’ એવું શિર્ષક લખવાની ધૃષ્ટતા તો કરી, પણ અંતે તો આ ગઝલસંગ્રહની સફરમાં જે મેળવ્યું એ જ, કે એથી ક્યાંય ઓછું મૂકી શક્યો છું. રાકેશભાઈ આવી વધુ રચનાઓ દ્વારા સતત સર્જનરત રહે અને તેમની કલમે અનેક હ્રદયંગમ કૃતિઓ આપણને મળતી રહે એવી શુભેચ્છા સહ પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ બદલ અનેક શુભેચ્છાઓ.


બે પદ્યરચનાઓ.. – દિનેશ જગાણી ‘અલિપ્ત’, હેમલ વૈષ્ણવ 7

આજે બે પદ્યરચનાઓ પ્રસ્તુત છે, બે કવિમિત્રો દિનેશ જગાણી ‘અલિપ્ત’ અને હેમલ વૈષ્ણવ તેઅની રચનાઓ સાથે ઉપસ્થિત થયા છે. દિનેશભાઈનુ અછાંદસ અને હેમલભાઈની પદ્યરચના – એ બંને પોતપોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરે છે. બંને મિત્રોનો પોતાની રચના અક્ષરનાદને પાઠવવા બદલ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.