Yearly Archives: 2015


અપવાદરૂપ કાગડો – નટુભાઈ મોઢા 6

અનેક માણસોના સ્વાબાનુવના પ્રસંગોમાંથી જાણવા મળે કે માણસો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા ઘણીવાર જડ વસ્તુઓને ભાંડે છે, તેનું એક કારણ એ છે કે જવાબમાં જડ વસ્તુઓ વળતો પ્રહાર કરી શકતી નથી. કેટલાક પ્રસંગે અનાયાસે સજીવ વસ્તુઓ માટે પણ કેટલીકવાર નાપસંદ ગાળો કે અપશબ્દો મુખમાંથી નિકળી જતા હોય છે. પણ આ અલ્પજીવી હોય છે. જેમ કે, ખીલી પરનો ઘા, હથોડી ચૂકી જઈને અંગૂઠાના નખને કાળો કરી નાખે. કાગળનો ડૂચો વાળીને ઘા કરેલો બોલ કચરાપેટીમાં પડવાને બદલે ખૂણામાં જઈ પડે. રસ્તે ચાલતાં, શંકુ આકારના ભૂંગળામાંથી શેકેલી મગફળીનો બગડી ગયેલો છેલ્લો દાણો મોં નો સ્વાદ થૂ થૂ કરી નાખે. ભેલપૂરીના ઢગલામાંથી એકાદ વાંકડિયો વાળ આપણી જ પ્લેટમાં જ મોઢું કાઢે..


ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ 6

ઉર્વશીબેન પારેખની ચાર કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ


સામ્ય(વાદી)ઓની સુપડીમાં સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…! – 17

ઈતિહાસ તરફ પાછળ ફરીને નજર ઠરાવીએ તો ખ્યાલ આવશે કે તેમાં માત્ર ભારત ‘ગુલામ’ની સાંકળમાં જકડીને રહ્યો તેનું દરેક ફિલોસોફરોએ બખૂબી પોતાના પુસ્તકો ભરી-ભરીને વર્ણન કર્યું છે. પરંતુ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ અને ગુપ્ત વંશનું ભારત પરનું એકચક્રી શાસનનું વર્ણન જ ક્યાય જોવા નથી મળતું. જયારે ‘બાબર-અકબર’ જમાતની આખી સીરીઝનું પોતાની કલમ વડે એવું ‘ડીસ્ક્રીપ્શન’ આપતા ગયા અને પોતાની કલમથી દુનિયાને ભારતીય ઇતિહાસનું એવું તે ઇન્જેક્શન ‘પ્રિસ્ક્રિપ્શન’માં મુક્ત ગયા અને પાછળ એ લેનારાઓની લાઈન લાગતી ગઈ. અને ઇતિહાસને વિકૃત ચિતરવાની શરૂઆત અંગ્રેજોએ જ કરી દીધી અને ત્યારબાદ સામ્યવાદીઓની આખી જમાત કીડીઓની જેમ ધીરે ધીરે કોરી ખાઈને ખોખલી કરી મુકવા પહોચી ગઈ.


વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત 9

વાચકમિત્રોનો અનેરો પ્રતિભાવ અને પ્રેમ તેમની પ્રથમ પ્રયત્નની રચનાઓમાં ખૂબ જોવા મળે છે. કાંઈક લખવાની મહેચ્છા જે રીતે તેમની પાસે આ સુંદર રચનાઓ કરાવે છે એ ખરેખર આનંદ આપે છે. અક્ષરનાદ પર જેમની રચનાઓ આજે પ્રથમ વાર આવી રહી છે એવા મિત્રો, જિગરભાઈ અભાણી, કિશોરભાઈ પઢિયાર, નિરલભાઈ દ્વિવેદી અને ભૂમિકાબેન માછીની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદ વાચકો તેમને વધાવી લેશે એવી શુભેચ્છાઓ સાથે સર્વેનો અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ આભાર.


શિવમહિમ્ન સ્તોત્ર : ગુજરાતી સમશ્લોકી અનુવાદ 20

આજે પ્રસ્તુત છે શિવમહિમા તથા ગુણગાન કરતા પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્રનો શ્રી ભૂપેન્દ્ર પંચાલ દ્વારા કરાયેલો ગુજરાતી સમશ્લોકી અનુવાદ..


ત્રણ અનોખી પદ્યરચનાઓ.. – સંજય થોરાત 12

કલ્પતરૂ પાવર ટ્રાન્ઝમિશન લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા સંજયભાઈ થોરાત અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે અને વિશેષતઃ લેખન સાથે સંકળાયેલા છે. ગાંધીનગર સાહિત્ય સભાના મંત્રી, અનેક પ્રકાશનોમાં પોતાની કલમ ચલાવતા સંજયભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, એ માટે તેમનું ઓનલાઈન વિશ્વમાં સ્વાગત છે. તેમની ત્રણેય રચનાઓ અનોખી છે, સ્વાઈન ફ્લ્યૂ, બુરખો અને ફેસબુક એ ત્રણેય સુંદર પદ્ય રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ સંજયભાઈનો આભાર અને શુભકામનાઓ.


જો દિખતા હૈ ઉસે… – રમેશભાઈ ચાંપાનેરી 8

ઘેલછા છે ભાઈ! “યે આતી હૈ, જાતી હૈ, ઔર રૂપ બદલકે વાપિસ આતી હૈ!” એમાં ‘ઓન્લી ફોર એડલ્ટ’ જેવું જરાયે ના હોય! ઓપન ફોર ઓલ! ઉંમરનો બાધ જ નહિ, ભલે ઉંમરનું પૂંછડું આવી ગયું હોય, પણ ઘેલછાનું પૂંછડું તો છેલ્લાં શ્વાસે પણ તરફડે! અને એવું પણ નહિ કે ઉંમરના પ્રમાણમાં જ અભરખા આવે, અભરખાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહિ એના કોઈ રૂપ નહિ, એના કોઈ રંગ નહિ, ને એના કોઈ સ્વાદ નહિ! બિલકુલ આત્મા જેવાં! માથામાં માત્ર ભેજું જ જોઈએ જેવું જેનું ભેજું એવી ફળદ્રુપ એની ઘેલછા! ‘મન ચંગા તો કથરોટમે ગંગા’ જેવું! એકવાર ઉપડવી જ જોઈએ, પછી અટકે શાની? નવા નવા લેબાસમાં ચાલુ જ રહે!


મોરલીધર પરણ્યો.. – ઝવેરચંદ મેઘાણી 2

‘એ… સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે!’

‘એ… ભાઈ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે!’

‘એ… પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો!’

રોજ સવાર પડે અને શેરીએ-શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય, ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેર ઘેર આ નોતરાં ફેરવતાં હતા.


બે પદ્ય રચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 9

ઘણાં વખતથી ડ્રાફ્ટમાં રહેલ આ બંને રચનાઓ પ્રસ્તુત કરવાની લાલચ આજે રોકી શક્તો નથી. મેં સામાન્યપણે અનુભવ્યું છે કે વ્યવસાયિક તણાવ અને ખેંચતાણ અત્યંત વધી જાય ત્યારે મારું સર્જન પણ વધતું જાય છે, એ રીતે છેલ્લા પાંચેક મહીનાની કપરી વ્યવસાયિક રાજકીય અવ્યવસ્થાને લીધે થયેલ સર્જનો હવે બહાર નીકળવા તક શોધશે. આજે પ્રસ્તુત છે મારી બે રચનાઓ, એક ગીત છે અને એક ગઝલ (જેવું, જો ગઝલ ન લાગે તો!) છે. આશા છે મિત્રોને ગમશે. આપના અભિપ્રાય જાણવા ગમશે.


જોહાન ગટેનબર્ગ – રજની વ્યાસ 7

જોહાન ગટેનબર્ગ (Johann Gutenberg) નો જન્મ જર્મનીના એક સુશિક્ષિત અને ઉચ્ચકુળના ગેન્સફ્લિશ કુંટુંબમાં સન ૧૪૩૭માં થયો હતો. જોહાનના પિતા જર્મનીમાં મેઝ ગામમાં આવેલી ટંકશાળમાં ખજાનાના મોટા અધિકારી હતા. મેઝ ગામ રહાઈન નદી ઉપર આવેલું મોટું વ્યાપારી શહેર હતું. જોહાને એક લૅટિન શાળામાં અભ્યાસ કર્યો હતો. સમય પસર કરવા તે ઘરમાં લાકડાના બ્લૉક્સ સાથે રમતો હતો. એ જમાનામાં છાપવા માટેનાં ચિત્રો પણ લાકડાના ટુકડા ઉપર કોતરી કાઢવામાં આવતાં હતા. તેના ઉપર શાહી ચોપડીને તેની છાપ કાગળ ઉપર તે ચિત્ર ઉપસાવાતું હતું એ ચિત્રો બાઈબલના વિવિધ પ્રસંગોને લગતાં હતાં.


શે’ર બહાર – સંકલિત 7

આજે પ્રસ્તુત છે શ્રી આશિત હૈદરાબાદી દ્વારા સંકલિત પુસ્તક ‘વાહ! ક્યા અંદાઝેબયાં..’ માંથી તારવીને મૂકેલા મને ગમી ગયેલા કેટલાક અદ્વિતિય શે’ર જેને માણીને તમે પણ ચોક્કસ ‘ક્યા બાત’ કહી ઉઠશો.


કોઈ બહારગામ ગયુ હોય.. – સુરેશ દલાલ, આસ્વાદ – તરુ કજારીયા 4

કોઈ બહારગામ ગયુ હોય
અને આપણને આવીને કહે
કે તમે મને યાદ આવ્યા હતા
તો મનને કેટલું સારુ લાગે… એ સુંદર કાવ્યનો આસ્વાદ…


ચાર ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 12

ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘ક્ષણોની મહેફિલ’ ગત અઠવાડીયે મળ્યો. ખૂબ પ્રેમથી તેમણે એ મને પાઠવ્યો એ બદલ તેમનો આભાર. તેમની ઇ-મેલ દ્વારા મળતી ગઝલોમાંથી પસાર થવાનો અવસર તો ઘણી વખત માણ્યો છે, પણ તેમના સંપૂર્ણ ગઝલસંગ્રહમાંથી પસાર થવાની ખૂબ મજા પડી. તેમાંથી મને ગમી ગયેલી ગઝલોમાંથી ચાર આજે પ્રસ્તુત કરી છે. ડૉ. મુકેશભાઈને આ સંગ્રહ બદલ અભિનંદન અને તેમની કલમને ભવિષ્યમાં આવા અનેક સંગ્રહો માટેની શુભકામનાઓ.


ઋણાનુબંધન – મનિષ રાજ્યગુરુ 12

બપોરના થાક્યોપાક્યો માંડ આડો પડ્યો હતો. ઉનાળાનો સૂર્ય દિવસે ને દિવસે વધુ આકરો બનતો જતો હતો. લૂ અનરાધાર વરસતી હતી. પડખાં ફેરવતો હતો ત્યાં જ લતાનો આદેશ છૂટ્યો :
‘ઍક્ટિવા બંધ છે. સુરેશ, તમે મને જી.પી.એસ.સી.ના ક્લાસ સુધી વિકાસવર્તુળ મૂકી જાવ ને.’ ઘરધણીનો આદેશ એટલે સુરેશ માટે ના પાડવાનો સવાલ જ નહિ.

બાઈકની કિક મારી મને-કમને નીકળી જવું પડ્યું. તડકામાં લતાએ બુકાનીની જેમ દુપટ્ટો મોં પર બાંધેલો ને પોતે તો ઉઘાડા-છોગે. લતાના મનમાં તો ઉચ્ચશિક્ષણના અરમાન હતા. લતા રસ્તામાં નોલેજ – પરીક્ષાની નવી નવી વાતો કરતી હતી. સુરેશના મન પર તો ઊંઘ જ સવાર હતી. ક્યારે ગામનું તળાવ ને વિકાસ-વર્તુળ આવી ગયું તેની ખબર જ ન પડી. ને લતાએ લહેકો કર્યો :
‘સાંજે લેવા આવી જજો.’


પ્રેરિઅર કૂતરો : આપણો વફાદાર મિત્ર – ઙો. મિહિર વોરા 3

દેખાવમાં સસલાં અને ખિસકોલીના હાઇબ્રિડ એટલે કે વર્ણશંકર જાતિના લાગતા પ્રેરિઅર ડોગ બહુ વિશિષ્ટ છે. આ કૂતરાંઓને માનવજાતિના એક વર્ગ કરતાં પણ વધુ ગુણવાન અને સારા કહેવા પાછળનું કારણ ફક્ત તેમનો સ્વભાવ જ નથી પણ આ કૂતરાંઓ દરરોજ સૂર્યોદયના અડધો કલાક પહેલાં જાગી જાય છે અને હાથ જોડીને રીતસર સૂર્યદેવતાને નમન કરે છે. ઈથોલોજિસ્ટસ એટલે કે પશુઓની વર્તણૂક અને સ્વભાવનું લાંબા સમય સુધી કુદરતી વાતાવરણમાં જ નિરીક્ષણ કરનારાઓએ જોયું છે કે પ્રેરિઅર ડોગ્સ વહેલી સવારે સૂર્યોદય પહેલાં તેમના નાના-નાના પંજાઓ જોડીને નમસ્કારની મુદ્રામાં આંખ બંધ કરીને ઊભા રહે છે.


ચાર તરોતાઝા ગઝલો.. – રાકેશ હાંસલિયા 8

રાકેશભાઈની ચાર તરોતાઝા ગઝલો આજે પ્રસ્તુત કરી છે. ઝૂંપડીને બે વેંત અદ્ધર કરતી, ગારની ભીંતોને ખેતર કરતી, ચરણો વિના જાતરા કરતી, ખેતરોમાં ઉજાસ કરતી અને ફૂલની મ્હેકને શૂળમાં શોધતી તેમની કલ્પના ભાવકને રસતરબોળ કરી મૂકે એવી અદ્રુત છે. અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર કૃતિઓ વહેંચવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર.


ઓહવાટ – દીના પંડ્યા (કેતન મુન્શી વાર્તાસ્પર્ધા ૨ માં પ્રથમ આવેલ વાર્તા) 11

નર્મદ સાહિત્ય સભા, સુરત આયોજીત કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨ (૨૦૦૯-૧૦) માં કુલ ૩૧૭ વાર્તાઓ આવેલી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને પ્રા. સતીશ ડણાક તેના નિર્ણાયકો હતા. તેમાંથી પ્રથમ આવનાર દીનાબેન પંડ્યાની વાર્તા ‘ઓહવાટ’ને ૨૫૦૦૦/-નું પારિતોષિક મળ્યું હતું. ‘છાલક’ સામયિકમાં આ સ્પર્ધાની કેટલીક વાર્તાઓ પ્રગટ થઈ હતી એ અંક મને શ્રી જગદીપભાઈ ઉપાધ્યાય તરફથી ભેટ મળ્યો હતો. તેમાંથી ‘છાલક’ અને ‘નર્મદ સાહિત્ય સભા’ના આભાર સાથે આજે ‘ઓહવાટ’ અહીં પ્રસ્તુત કરી છે. વાર્તા ઘણા સમયથી ટાઈપમાં હતી, પણ આ એક એવી વાર્તા છે જેને ટાઈપ કરતા અને પ્રૂફ કરતા અક્ષરનાદની કોઈ પણ પોસ્ટ કરતા મને મહત્તમ સમય લાગ્યો, કારણ છે તેની ભાષા. બકુલેશ દેસાઈ આ વાર્તા માટે લખે છે તેમ, ‘ધુમ્રસેર હોય કે ધુમાડાના ગોટેગોટા, કેવાં નિરારકા હોય છે, સામાન્ય માનવીની ઇચ્છા આશા અપેક્ષા જેવાં! ઇચ્છા પૂરી થાય તો પણ તેની ઝંખના અને પ્રાપ્તિની વચગાળાની પળો કાંઈ ઓછા અકળાવનારા નથી હોતા! ‘ઓહવાટ’ ની નાયિકા સોમલી આવી બડભાગી છે. જે વિશિષ્ટ સંજોગોમાં બબ્બે દીકરીઓ પછી.. વાર્તાની લોકબોલી સભર સંવાદો તેને ઉજાળે છે, પુત્રપ્રાપ્તિની દડમજલ અને ગડમથલ આલેખતી આ વાર્તા તેની વિશિષ્ટ સંકલ્પના, વિલક્ષણ કથાબીજ અને સંવેદનશીલ સંયમિત નિર્વહણથી હ્રદયસ્પર્શી બની છે.’


ત્રણ સુંદર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 1

જિતેન્દ્રભાઈની ત્રણ સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અનેક સામયિકોમાં તેમની કૃતિઓ સતત માણવાનો અવસર મળે છે, આજની આ ત્રણ કૃતિઓ, ‘સપનાઓ..’, ‘અને મા યાદ આવી’, અને ‘હયાતી’ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિતેન્દ્રભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા 5

પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ – મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૫ – વિવિધ પ્રતિયોગી મિત્રો 4

પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ, બીજી ચાર વાર્તાઓ, ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ અને ચાર વાર્તાઓનો ચોથો ભાગ આપણે આ પહેલા માણ્યા, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો પાંચમો અને અંતિમ ભાગ.


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૪ – વિવિધ પ્રતિયોગી મિત્રો 13

પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ, બીજી ચાર વાર્તાઓ અને ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ આપણે આ પહેલા માણી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ચોથો ભાગ.


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૩ – વિવિધ પ્રતિયોગી મિત્રો 13

પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ અને બીજી ચાર વાર્તાઓ આપણે આ પહેલા માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ.


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૨ – વિવિધ પ્રતિયોગી મિત્રો 15

ગઈકાલથી પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ આપણે કાલે માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ.


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧ – વિવિધ પ્રતિયોગી મિત્રો 21

આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક સુંદર માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજે ગોપાલ ખેતાણી, કિશોર પટેલ, નિતીન લિંબાસીયા અને વલીભાઈ મુસાની વાર્તાઓ પ્રસ્તુત કરી છે.


અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ 23

હા…….શ

આ સૌપ્રથમ લાગણી છે જે આજે મને ચોતરફથી ઘેરી વળે છે. ચાર મહીનાના અક્ષમ્ય વિલંબ પછી આજે જ્યારે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ જાહેર કરી રહ્યો છું ત્યારે ખૂબ અસંતોષ છે, અસંતોષ મારી પોતાની પ્રત્યે જ છે, અને એ છે અનેક વાચકો અને સ્પર્ધકોને તેમની કૃતિઓ માણતા અને એ કૃતિઓની મૂલવણી જાણતા મહીનાઓ સુધી રોકી રાખવાનો. આ માટેના બહાનાઓની મારી વાત અલગથી કરી જ છે, અહીં પરિણામો અને વિજેતાઓની જ વાત.


મંગળ ઉપર આંટો મારવા આવવું છે…! – રમેશભાઈ ચાંપાનેરી 5

જ્યારથી ચમનિયાના કાનમાં કોઈએ ફૂંક મારી છે, ત્યારથી એના મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું છે, બોલો! લોકોય સ્હેજ પણ સીધાં નહી ને? વાતમાં આમ તો કંઈ માલ જ નથી પણ કહેવાય છે ને કે, “કબ હું મન રંગત રંગ ચઢે, કબ હું મન સોચત હૈ ધન કો, કબ હું મન માનુની દેખ ચલે ઔર કબ હું મન સૌચત હૈ મનકો!” જેનું મન બગડ્યું, એનું મગજ ફાટે જ ફાટે! વાત જાણે એમ છે કે નેધરલેન્ડની માર્સ વન નામની કોઈ સંસ્થાએ, સમાનવ મંગળયાત્રા ગોઠવી અને તેમાં જનારા પ્રવાસીનો બધો ખર્ચ પણ આ સંસ્થા ભોગવવાની આ માટેના યાત્રિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે. બસ આ વાતની જોરદાર ફૂંક, કોઈ પેટબળાએ મારા આ બોકળાના કાનમાં એવી મારી કે મારેલી ફૂંકનું આખું વાવાઝોડું થઇ ગયું! સાથે એવો મસાલો પણ ભરી આપ્યો કે આ યાદીમા નામ નંખાવવું હોય, તો તું રમેશ ચાંપાનેરીનો કોન્ટેક્ટ કર, તારો ખાસ મિત્ર છે એટલે ફટ દઈને પતી જશે. બસ ત્યારથી એ મારો પડછાયો બનીને ફરે છે, પીછો જ નથી છોડતો.


માતૃભાષા દ્વારા પાંગરતું જીવન – મીરા ભટ્ટ 11

શું વ્યક્તિગત જીવનમાં કે શું સામાજિક જીવનમાં, ક્યારેક એવો તબક્કો જરૂર આવે છે, જ્યારે અન્યને કોઈ વાત ગળે ઉતરવા નાની લીટી ભૂંસવાને બદલે એની સામે મોટી લીટી દોરીને બતાવવી જ પડે !

આપણી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપણા પોતાના જીવનને સમૃદ્ધ કરવા કેટલું અનિવાર્ય છે – આ સત્ય ગુજરાતની જનતાને ગળે ઉતારવાનું હવે અઘરું થઈ પડ્યું છે. સમજાવટનું જાણે ‘સેચ્યુરેટેડ પોઈન્ટ’ આવી ગયું છે. હવામાં આવી દલીલ સંભળાય છે – તમે લાખ કહો પણ અમારાં સંતાનના વિકાસ માટે ‘અંગ્રેજી’ને શિક્ષણનું માધ્યમ બનાવ્યા વગર બીજો કોઈ ઉપાય અમને ગળે ઊતરતો નથી !’


સંકલિત કાવ્યરચનાઓ.. 5

આજે પ્રસ્તુત છે મિત્રોનું સર્જન એવી સંકલિત કાવ્યરચનાઓ, જેમાં શ્રી મિતુલ ઠાકર, શ્રી દેવિકા ધ્રુવ, શ્રી સરયૂ પરીખ અને શ્રી હર્ષદ દવેની રચનાઓ સમાવિષ્ટ છે. ઈ-મેલ દ્વારા રચનાઓ પાઠવવા બદલ બધા જ સર્જક મિત્રો નો ખૂબ ખૂબ આભાર.


અલખની અહાલેક જગાવતો મહાશિવરાત્રીનો મેળો – હરેશ દવે 5

અલખ નિરંજન…
બમ બમ ભોલે…
હર હર મહાદેવ…
આવા ભક્તિ સભર નિનાદોથી ગિરનારની ગિરીકંદરાઓ સતત ગુંજતી રહે છે. જુનાગઢ શહેર થી સાત કી.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાનિધ્યમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રીક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એકજ ઝંખના છે. ભગવન ભોળાનાથના દર્શન અને તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મહાલવું.


ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest 12

શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.