Yearly Archives: 2015


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૬} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો સોળમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૫} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો પંદરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


અકસ્માતનો અનુભવ.. 11

ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો છે.


મુશ્કેલીઓ.. – બી. કે. નીતા 7

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, કુણઘેર ઉપ સેવાકેન્દ્ર, પાટણના બી. કે. નીતાજીએ અક્ષરનાદને આ લેખ પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર અને શુભકામનાઓ. જીવનની મુશ્કેલીઓ અને તેની સામે લડવાની વાત સમજાવતો આ સુંદર લેખ આજે પ્રસ્તુત છે.


ગુજરાતી ઑડીયો વાર્તા વિશેષ… 12

અક્ષરનાદ લઈને આવી રહ્યું છે આપણી ભાષાની કેટલીક સર્વપ્રિય કૃતિઓ, આપણા મૂર્ધન્ય સાહિત્યકારોની કલમે નિપજેલી ભાષાના નજરાણાં જેવી ગુજરાતી સદાબહાર વાર્તાઓનો અનોખો રસથાળ, ઑડીયો સ્વરૂપે… આજે ફક્ત તેની એક ઝલક…


બે માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ટી. સી. મકવાણા 13

શ્રી મકવાણાની પદ્યરચનાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ હતી, આજે તેમણે માઈક્રોફિક્શનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમની બે માઈક્રોફિક્શન વાર્તાઓ,


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧) 6

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાશે.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૪} 4

આજે માણો વેર વિરાસત નવલકથાનો ચૌદમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


તુમ મુજે યું જલા ના પાઓગે.. – રમેશ ચાંપાનેરી 7

ચાલો! શાંતિ થઇ ગઈને? બાળી લીધો મને? હવે જાવ બધા પોતપોતાના ઘરે… ને જલસો કરો. આવતા વરસે પાછાં મળીશું. આ જ દશેરાએ ને આ જ સ્થળે! હહા હા હહા હા! (રાવણનું અટ્ટહાસ્ય) એક વાત કહું દોસ્તો? તમે એમ માનો છો કે હું બળી ગયો ને તમે બધાએ મને બાળી દીધો. મારું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું! ભૂલો છો, તમે તો માત્ર મારું શરીર બાળ્યું.


વાચકોની પદ્યરચનાઓ.. – સંકલિત 5

આજે જે મિત્રોની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે એમાંથી ફક્ત હિતેશભાઈ ત્રિવેદી સિવાય બધાંયની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ છે. પાલડી, અમદાવાદના વિભાવન મહેતાની રચના, જુનાગઢમાં ચાર દિકરીઓની હોનારતને લઈને લખાયેલી જીએચસીએલમાં કેમિસ્ટ હિતેશ ત્રિવેદીની કૃતિ, માતૃભૂમીના નરબંકાઓનું યશોગાન કરતી વિરલ ત્રિવેદીની રચના અને વિશાલ પારેખની બે રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આપ આ સર્વે નવોદિતોને વધાવશો અને તેમની રચનાઓ આપને ગમશે. અક્ષરનાદમાં સૌનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


મધુરેણ સમાપયેત્! – વલીભાઈ મુસા 11

વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ રહેતી હતી તે જાગી ગઈ હતી. કલ્યાણરાય બિલ્લીપગે બહાર નીકળ્યા હતા અને દરવાજો પણ હળવેથી બંધ કર્યો હતો કે જેથી એની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ ક્યારનીય જાગી ગયેલી નાનકી શૌચાદિક્રિયા પતાવ્યા બાદ દાદા અને પોતાના માટેની ચા ટ્રેમાં લઈને બગીચામાં આવી ગઈ હતી.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૩} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો તેરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


જ્ઞાનેશ્વરી – ડૉ. કાન્તિ ગોર ‘કારણ’ 2

જ્ઞાન શબ્દ માનવજાતના વિકાસ સાથે સમૃદ્ધ થતો રહ્યો છે. અનુભવ અને અભ્યાસને આધારે માણસનું જ્ઞાન વધારે સમૃદ્ધ થતું રહ્યું છે. વેદકાળથી જ્ઞાનસમૃદ્ધિ વિકસતી રહી છે. વેદ શબ્દનો સામાન્ય અર્થ તો જ્ઞાન જ થાય છે. જ્ઞાનની આ યાત્રામાં કેટલાક પડાવ ખાસ ધ્યાન ખેંચે છે. જેમાં સૌપ્રથમ ઉલ્લેખ ઉપનિષદોના સાર સમાન શ્રીમદ ભગવદગીતાનો ઉદભવ કહી શકાય. આદિ શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રયી પર ટીકાઓ રચી. (પ્રસ્થાનત્રયી એટલે શ્રીમદ ભગવદગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો.) ત્રીજી ઘટના તે મરાઠીમાં જ્ઞાનેશ્વરીની રચના.


Courtesy Jhaverchandmeghani.com

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧૧) 6

આજની પ્રસ્તુત કથા દેવીદાસ બાપુ પરના હુમલા અને એને લીધે અમરમાંના વિચારવંટોળને પ્રસ્તુત કરે છે. ચમત્કારોથી નહીં પણ સતત સમર્પણ અને દરેક પ્રત્યેનો પ્રેમ અને સદભાવ જ સંત દેવીદાસને વિભૂતિ બનાવી શક્યો છે એ સમજણ અમરમાની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સોરઠી સંત સાહિત્યમાં સેવા અને ભેખના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ ઉદાહરણ વિલક્ષણ અને આગવું છે.


નામર્દ – વનુ પાંધી 3

ધીરેન્દ્ર મહેતાના સંપાદનમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘વનુ પાંધીની સાગરકથાઓ’નું પ્રકાશન ૨૦૦૯માં કર્યું, રઘુવીરભાઈ ચૌધરી આ વિશે કહે છે તેમ નોકરીને કારણે થયેલી રઝળપાટે તેમની અનુભવસમૃદ્ધિ વધારી એની વિગતો પણ ધીરેન્દ્રભાઇએ સંપાદકીયમાં આપી છે. સાગરકથાઓ એ વનુ પાંધીનું આગવું પ્રદાન છે. ‘છીપલાં’ અને ‘આવળ-બાવળ’ એ બે વાર્તાસંગ્રહો ઉપરાંત ગ્રંથસ્થ ન થયેલી પણ જુદાં જુદાં સામિયકોમાં પ્રગટ થયેલી સત્તર વાર્તાઓ તેમજ એક અપ્રગટ વાર્તામાંથી ધીરેન્દ્રભાઇએ તેર સાગરકથાઓ પસંદ કરી છે. તેમની વાર્તા ‘સઢ અને સુકાન’ અત્યંત પ્રસિદ્ધ થઈ છે, તો રણની જીવનશૈલી, આગવી પરિસ્થિતિઓ અને તેમાં લોકજીવન સાથેના પ્રસંગ વર્ણવતી પ્રસ્તુત વાર્તા ‘નામર્દ’ પણ વાચકના મનમાં આગવી છાપ ઊભી કરે છે.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૨} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો બારમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


કીડીઓ તમારી રૉલ-મૉડેલ – નટુભાઈ મોઢા 5

કીડી; નાની અથવા મોટી, સોયના નાકા જેવી ઝીણી, કાળી અથવા રાતી પણ સ્વભાવે એકરાગી.

કીડીનો ચટકો અનુભવવાથી આપણી આજુબાજુ તેના અસ્તિત્વની ખબર પડે છે. ચટકાની ખંજવાળ લાંબો સમય પીડાદાયક હોય છે. શા માટે ચટકો ભરે છે તે સંશોધનનો વિષય છે. પણ સામાન્યરીતે મનુષ્ય સ્વભાવ અનુગત પોતાનું ધાર્યું ન થાય ત્યારે ડંખ મારવો કુદરતી છે. પરંતું મનુષ્ય અને કીડીના ડીએનએમાં ઘણો તફાવત છે.


બંગાળમાં ઉજવાતાં દુર્ગાપૂજાનાં સાર્વજનિક ઉત્સવનો ઇતિહાસ – પૂર્વી મોદી મલકાણ 10

નવરાત્રિ અને દશેરાની ચર્ચા હોય અને બંગાળની દુર્ગાપૂજાની વાત ન હોય તો આ ઉત્સવ અધૂરો રહી જાય છે. વસ્તુતઃ દુર્ગાપૂજા વગર બંગાળ અને બંગાળીઓની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બંગાળમાં દશેરા એટલે રાવણદહન નહીં બલ્કી મહિષાસૂર વર્ધિનીનાં પૂજનનો સમય. માન્યતા છે કે નવમી સદીનાં પૂર્વાર્ધમાં બંગાળમાં જન્મેલા દિપક નામનાં સ્મૃતિકારોએ શક્તિ ઉપાસનાની પરિપાટિ (પરંપરા) ચાલું કરેલી. આ સ્મૃતિકારો પછી રઘુનંદન ભટ્ટાચાર્ય નામનાં વિદ્વાન બ્રાહ્મણે દશપ્રહારધારિણીનાં રૂપમાં (પોતાની દશે ભૂજાથી પ્રહાર કરનારી) શક્તિનું પ્રચલન કર્યું ત્યારે તેમણે માતાના આ સ્વરૂપને શાસ્ત્રીય વિધિવિધાનથી સંપુષ્ટ કરી.


સાપુતારા પ્રવાસના સંસ્મરણો – મિત્સુ મહેતા 6

સાપુતારા ડાંગ જીલ્લામાં આવેલું છે. બીલીમોરા સાપુતારાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. અમદાવાદથી મુંબઈ લોકલ ટ્રેઈન પકડી બીલીમોરા સુધી જવા નીકળ્યા. સુરત પછી તમને આખા રસ્તે મસ્ત લીલી વનરાઈઓ – ખેતરો જોવા મળે. બીલીમોરા બસ સ્ટેશન – રેલ્વે સ્ટેશન સામે સામે જ છે. અમે સમયસર ૮.૩૦ – ૮.૪૫ સુધીમાં પહોચી ગયા અને ત્યાં ‘ઈન્કવાયરી ઓફિસ’ માં પૂછતા ખબર પડી કે એક બસ ‘સપ્તશ્રુંગી-સાપુતારા’ની, ૯ વાગ્યે આવશે. બીલીમોરાથી સાપુતારાનો રસ્તો આશરે ત્રણથી સાડાત્રણ કલાકનો. અમે બસની રાહ જોતાં બેઠા. સુરત – વઘઈ, બીલીમોરા – અમદાવાદ એમ બધી બસ એક પછી એક આવતી જાય, પણ સાપુતારાની નહીં. પાછું કોઈ પ્રાઈવેટ વાહન પણ ન મળે. દોઢેક કલાક રાહ જોઈ પણ કોઈ બસ નહીં.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૧} 3

આજે માણો વેર વિરાસત નવલકથાનો અગીયારમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ 10

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર બીજીવાર પ્રસ્તુત થઈ રહેલી આ ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


INS કોચી? છે? નથી? નથી, છે? – અવધ પટેલ 9

અક્ષરનાદ પર શ્રી અવધ પટેલનો આ પ્રથમ લેખ છે અને આ દ્વારા સાહિત્ય ક્ષેત્રમાં ‘આઈએનએસ કોચી’ જેવા આપણા વિશિષ્ટ યુદ્ધજહાજ પરના સુંદર માહિતિભર્યા લેખ દ્વારા તેઓ પદાર્પણ કરી રહ્યાં છે ત્યારે તેમનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદ પર તેમનું સ્વાગત છે.


ધર્મનું કેન્સર.. – કંદર્પ પટેલ 3

બોસ સેલરી નથી વધારતો, મજૂરી કામ કરીને થાક્યો, અરે..! આ ધૂળ જેવી જિંદગી, છોકરાઓની ફી, પેલીની રોજની અલગ ડિમાન્ડ, મમ્મી-પપ્પાનું રોજનું એનું એ જ ભાષણ, આ ટ્રાફિકમાં અપ-ડાઉન, કંટાળાજનક જિંદગી….! હાય..હાય…હાય..! છેલ્લે દરેકના ચહેરા પર જાણે તાજમહેલ પોતાનો હતો અને કોઈક ચોરી ગયું હોય તેવું ચકલીની ચાંચ જેવું મોઢું કરીને બેઠા હોય.

જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે..!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડ્યા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલ માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે.


ગોવા : ૧૯૭૦ સુધી.. – પી. કે. દાવડા 9

૧૯૬૧ના ડિસેમ્બરમા ગોવા પોર્ચુગીસ શાસનથી મુક્ત થઈ ભારતમા ભળી ગયું. લગભગ આઠ વર્ષ પછી ૧૯૬૯ના ડિસેમ્બરમા મારી બદલી ગોવામા થઈ. ગોવામા “ઝુવારી ફર્ટીલાઈઝર લીમીટેડ” ના નિર્માણનું કામ “લાર્સન એન્ડ ટુબ્રો” ને મળેલું. હું ત્યારે “લાર્સન એન્ડ ટુબ્રો” માં સિવિલ એંજીનીઅર તરીકે કામ કરતો હતો. એ વખતે મુંબઈથી ગોવા જવા એક બસ સર્વિસ હતી, એક ship service હતી અને પૂનાથી બદલી કરી એક મીટરગેજ રેલ્વે હતી. રોજ Vasco Express નામની એક જ ગાડી બપોરે બે-અઢી વાગે મડગાંવ પહોંચતી.


તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ 3

આ વાત છે એક અજાણ્યા પણ જાણીતા લોકોની, નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા લેખકે પ્રયત્ન કર્યો છે. રાતના અંધારામાં સિફતથી પોતાનું કામ કરીને ઓગળી જતા લોકો વિશેની વાયકાઓ અને ૬૪ કળામાં એક કળા ગણાયેલ આ માનવસમાજ વિશેની વાત ધ્રુવભાઈ આ પુસ્તકમાં કરે છે.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૦} 3

આજે માણો વેર વિરાસત નવલકથાનો દસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


તું જ તારો ગાંધી… – રમેશ ચાંપાનેરી ‘રસમંજન ‘ 6

ગાંધીજીની જન્મજયંતિના આજના દિવસે ગાંધીજી આપણી વચ્ચે કઈ રીતે પ્રસ્તુત છે? તેમનું નામ અને ચહેરો તો અનેક રીતે આપણા રોજબરોજના વપરાશમાં આવે જ છે, પણ ગાંધીના વિચારોને ખરેખર આગળ ધપાવનાર અને વિશ્વને એ વિચારોના બળે સાચી દિશા દર્શાવનાર કોણ? રમેશભાઈની આ સરસ રચના ગાંધીજી અને એક સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સચોટ સંવાદ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ રમેશભાઈનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


વડનગરનાં જોવાલાયક સ્થળો.. – કનૈયાલાલ દવે

ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે મહેસાણા જીલ્લાનું વડનગર શહેર, ગુજરાતના પ્રવેશદ્વાર સમા કીર્તિતોરણ, શર્મિષ્ઠા સરોવર, પશ્ચિમ મહેતાની વાવ કે હાટકેશ્વર મંદિર અને વડનગરના દરવાજાઓ એમ પુરાતન વારસાના અપ્રતિમ સ્મારકો તથા ઉત્ખનન પછી મળી આવેલા ઐતિહાસિક પુરાવા અને પુરાતન ભવ્ય વારસાએ વડનગરને અનોખું સ્થાન આપ્યું છે. વડનગરના કેટલાક જાણીતા સ્થળો વિશેની વાત સયાજી બાલજ્ઞાનમાળાનું પુસ્તક ૧૪૯મું ‘વડનગર’ માંથી આજે પ્રસ્તુત કરી છે.


આદર્શ વક્તાની ઓળખ.. – ડૉ. સંતોષ દેવકર 3

વકતા જયારે સમયનું ભાન રાખ્યા વગર અને પૂરતી તૈયારી વગર પ્રવચન કરે ત્યારે તે પ્રવચન “બકવાસ”ની કક્ષાએ પહોંચતું હોય છે. (વકતા કન્વર્ટ ઈનટુ બકતા) પ્રથમ તો વકતા તરીકે કોને બોલાવવા એ મોટો પ્રશ્ન આયોજકો માટે થતો હોય છે. અને ખરેખર ખૂબ અઘરું છે સારા વકતાઓને આમંત્રવા. માનો કે વકતા તો મળી ગયા પરંતુ તેને કોની સામે બોલવાનું છે કે પ્રવચન આપવાનું છે અથવા કાર્યક્રમનો વિષય શું છે? તે બાબતથી માહિતગાર કરવા જોઈએ અથવા વકતાએ આ માહિતિ આયોજકો પાસેથી પહેલેથી જ મેળવી લેવી જોઈએ. શ્રોતાઓની વય ને ધ્યાને નહિ લેતાં વકતાઓ ફજેતી પામતા હોય છે.


મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

પોતાની નોકરી અને ઘરેડમાં બંધાયેલા જીવનથી ત્રસ્ત અને નિરાશ બ્રોની વેર એવું કાંઈક કરવા માંગતી હતી જે તેને કાંઈક ઉપયોગી કર્યાનો અહેસાસ અને આત્મસંતોષ આપી શકે. તેણે મૃત્યુશય્યા પર પોતાના આખરી દિવસો વીતાવી રહેલા લોકોને જ્યાં સારવાર મળી રહી હોય એવી એક હોસ્પિટલમાં તેમની કાળજી લેવાનું શરૂ કર્યું. અનેક દર્દીઓની અંગત કાળજી લેતાં તેણે એ દર્દીઓના જીવનને, તેમની આશાઓ અપેક્ષાઓ અને નિરાશાઓને, મૃત્યુ વખતના તેમના રંજ અને અફસોસને ખૂબ નજીકથી અવલોકવાની તક મળી. આાવા દર્દીઓની સાથે તેમના જીવનના છેલ્લા ત્રણથી બાર અઠવાડીયા વીતાવવાનો અવસર તેને મળ્યો, અને આ દરમ્યાનમાં તેણે જે નોંધ્યું એ હતું એ દર્દીઓને મૃત્યુશય્યા પર થયેલ જીવનમાં કાંઈક ન કર્યાનો અફસોસ કે રંજ…