અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૪) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ત્રણ કાવ્યો.. – રધુવીર ચૌધરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડૉ. નિરંજન રાજ્યગુરુ 4

આજે પ્રસ્તુત છે ‘ગુજરાત’ સામયિકના દિપોત્સવી અંક ૨૦૧૬ માંથી સાભાર શ્રી રધુવીર ચૌધરી, શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. નિરંજન રાજ્યગુરુની પદ્યરચનાઓ…


માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪) 3

માઈક્રોફિક્શન સામયિક્ સર્જનનો ચોથ અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.. અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરો.. સાથેસાથે આજે માણીએ કલ્પેશભાઈ પટેલની કલમે લેખ.. ‘માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ..’


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૩) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ત્રણ પદ્યરચનાઓ – ગુણવંત વૈદ્ય 3

શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક 4

અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આજે પાંચ નવા ઈ-પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. પી કે દાવડા સંકલિત ‘મળવા જેવા માણસો’, ગૌરાંગભાઈ અમીનનું ‘૪૬૫ કટિંગ’, સન્ડે ઈ-મહેફિલનું ૧૪મું સંકલન પુસ્તક, સન્ડે ઈ-મહેફિલના જ વૃદ્ધાવસ્થાને લગતા લેખોનો સંગ્રહ ‘ગરવું ઘડપણ’ અને નાથુભાઈ ડોડિયા રચિત ઈ-પુસ્તક ‘દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો’ આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં નિ:શુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કર્યા છે.


ગામડે પાછી વળી.. – સં. સુરેશ જાની 4

હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.

આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી 7

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 6

રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.

જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.


લીંબુડા ઝૂલે તારા બારણે છબીલારાજ… – રમેશ ચાંપાનેરી 2

લીંબુ-મરચાની પોટલીને હું જ્યારે જ્યારે કોઈની બારસાખે, લટકતી જોઉં છું, ત્યારે ત્યારે મને દયા આવે છે. શું જમાનો આવ્યો.. આટલી સરસ શાકભાજીને સાલુ ફાંસીએ લટકવાનું… માનવીને ત્યાં લીંબુ-મરચાંના દર્શન કરતાં સહેલાઈથી મા-બાપના દર્શન થતાં હોય, એમ ફોટા મૂક્યા હોય તો વડીલ ભૂતની પણ તાકાત નહીં કે મેલી નજરને એડમિશન આપે.


શૅર ધ લોડ – આરોહી શેઠ 8

હમણાં થોડા સમયથી ઍરિયલ ઈન્ડિયાની જાહેરાત આવે છે. શૅર ધ લોડ. ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક જાહેરાત છે. એક પિતા પોતાની પુત્રીના ઘરે જાય છે અને જુએ કે પોતની લાડકવાયી કેટલી મોટી થઈ ગઈ છે. ઘરના બધા કામ સંભાળે છે સાથે નોકરી પણ કરે છે, તેનો પતિ પણ નોકરી કરે છે! ..ફક્ત નોકરી જ કરે છે.


વેકેશન.. – શૈલેશ પંડ્યા 6

આજથી વેકેશનનું હસતું રમતું છેલ્લાં દોઢ મહિનાથી ઊછળતું-કૂદતું, ખીલતું ને આંગણને ખીલાવતું ફૂલ હવે કરમાઈ જશે. મામાનું ઘર હવે ખાલી ખાલી લાગશે.. આપણા સૌરાષ્ટ્રમાં તો વેકેશનનો મહિનો એટલે મામાનો મહિનો.. ભાગ્યેજ કો’ક ઘર એવું હશે કે જેના બાળકો વેકેશનમાં મામાને ઘરે ના ગયા હોય..


કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા 20

બ્રિટનની એટલી સરકારે હિન્દુસ્તાનને આઝાદી આપવાનો નિર્ણય લીધા પછી, એની પુર્વ તૈયારી રૂપે ઓગસ્ટ ૧૯૪૬ માં વાઈસરોય લોર્ડ વેવલના વડપણ નીચે સંપૂર્ણપણે હિન્દુસ્તનીઓનું પ્રધાનમંડળ નિમ્યું. એ પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરૂ, લીયાકાતઅલીખાન, વલ્લભભાઈ પટેલ, આઈ. આઈ. ચુંદરીગર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુર રબ નસ્તાર, મૌલાના આઝાદ, સી. રાજગોપાલાચારી, ડો. જહોન મથાઈ, ગઝનફરઅલી ખાન, સરદાર બલદેવસિંગ, જગજીવનરામ, સી. એચ. ભાભા. અને જોગેન્દ્રનાથ મંડલ મંત્રીઓ હતા. કુલ ૧૪ પ્રધાનોમાંથી ચાર મુસ્લીમ હતા.


આજ દિવાળી, કાલ દિવાળી – ગોપાલ ખેતાણી 20

“દિવાળી” – આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી.

અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ધમધમતું બજાર. અત્યારે દિવાળી એટલે શોપીંગ મોલમાં જ ઉઠાવાતો આનંદ. દિવાળી એટલે રજાઓ છે તો ઘરને તાળા મારી બહાર નીકળી જવાની તક. ઘરે હોય તો મહેમાન આવશે ને?!! કોણ નાસ્તા બનાવવાની અને પરોણાગત કરવાની લપ કરે. રજા આવી છે તો બહાર ફરી લઈએ, નિરાંત તો ખરી.


નવા વર્ષના સાલમુબારક, મનની અંતરંગ વાતો.. – સંપાદક 8

અક્ષરનાદના વિશ્વભરમાં વસતા સર્વે વાચકમિત્રો, સતત સહકાર અને પ્રોત્સાહન આપતા વડીલ સર્જકમિત્રો તથા ઉત્સાહસભર નવોદિત સર્જકમિત્રો અને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ તથા સામયિકના વિશાળ અક્ષરમય પરિવારને નવા વર્ષના સાલમુબારક, આ નવું વર્ષ આપ સર્વેને તથા આપના પરિવારજનોને સફળતા, જ્ઞાન, ઐશ્વર્ય, સંતોષ, સાહસ, હિંમત, ધગશ અને ઉત્સાહ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. સાહિત્ય સાથેની આપણી આ સફર સતત અને સહજ રહે એવી ઈચ્છા ઈશ્વરના શ્રીચરણોમાં અર્પણ..


એકવીસ માઈક્રોફિક્શન વાર્તાઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14

આ એકવીસ વાર્તાઓ – ડ્રેબલ્સના શીર્ષક ‘સર્જન’ ગ્રૂપમાં જોડી બનાવીને થીમ તરીકે અપાયા હતા જેના આધારે મિત્રોએ માઈક્રોફિક્શન વાર્તાઓ લખી. હાર્દિકભાઈએ એ દરેક થીમ પર હાથ અજમાવ્યો.. અને પરિણામ સ્વરૂપ પ્રસ્તુત છે આ અનોખી એકવીસ વાર્તાઓ.. વોટ્સએપમાં આજકાલ જેમની માઈક્રોફિક્શન્સ વાયરલ થઈ નામ વગર કે અન્યોને નામે ફરે છે એવા હાર્દિકભાઈની આ વાર્તાઓ પણ તેમના નામ સાથે વાયરલ થાય એવી શુભેચ્છાઓ આપવી અસ્થાને તો નથી ને?


લશ્કરી ફસલ – સં. સુરેશ જાની 4

કોઈ લશ્કરના માણસે રિટાયર થઈને ખેતી કરી હોય, એની ફસલની આ વાત નથી! આ ગામમાં જન્મેલા મોટા ભાગના પુરૂષો લશ્કરમાં જોડાય છે. મજાની વાત તો એ છે કે, આ વીરભૂમિ પંજાબ, હરિયાણા કે રાજસ્થાનની વાત પણ નથી. આન્ધ્ર પ્રદેશના મોટા શહેર રાજામુન્દ્રીથી માંડ વીસ માઈલ દૂર, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડપલ્લીગુડમ પાસે આવેલા માધવરામ ગામમાં સૈકાંઓથી લશ્કરમાં કામ કરવાનો રિવાજ છે !

માંડ ૬,૫૦૦ માણસની વસ્તી ધરાવતા આ ગામના દરેક ઘરમાંથી કમ સે કમ એક જવાન તો લશ્કરમાં ભરતી થયેલો હોય જ. કોઈક ઘરમાં તો ચાર ચાર જણ. આજની તારીખમાં ૧૦૯ પુરૂષો લશ્કરમાં કામ કરે છે જેમાંના ૬૫ તો લશ્કરી જવાન છે. બાકીના વહીવટી કામમાં જોટાયેલા છે. ગામની ૭૦ ટકાથી વધારે વસ્તી શિક્ષિત છે


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૧) – નીલમ દોશી 7

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


મિઠ્ઠુ – એન્જલ ધોળકિયા 14

નાનકડી પ્રાચી ઓફીસ કવાર્ટર્સના આંગણામાં હિંચકે બેઠી ‘લકડીકી કાઠી’ ગીત ગણગણી રહી હતી. ઓચિંતી એક આહટે એના ગુલાબી ચહેરાને વધુ ગુલાબી બનાવી દીધો!! આંખોમાં એક અદભુત ચમક અને ચહેરા પર નર્યા રોમાંચ સાથે પ્રાચી ઉભી થઇ અને બિલ્લીપગે રસોડામાંથી એક જામફળ લાવી પાળી પર મૂકીને ચૂપચાપ બેસી ગઈ. કરેણના ઝાડ અને છત વચ્ચે ઝૂલતા વાયર પર એક પોપટ આવીને બેઠો હતો. પ્રાચી મનોમન બસ ઇચ્છવા લાગી કે આ પોપટ એના ઘરનું મીઠઠું જામફળ ખાઈ ને અહીં જ રહી જાય. અને થયું પણ એવું જ! એ પોપટ જામફળ ખાઈ ત્યારે તો ઉડી ગયો. પણ બીજા દિવસે ફરી આવ્યો અને બેઠો. જાણે એની નાનકડી દોસ્ત પાસે ફરી જામફળની ઉઘરાણી કરતો હોય.


જંગલનો કોલ (કેન્યા) – પિન્કી દલાલ 8

કેન્યાની ઓળખ મસાઇમારાથી છે. મસાઇ છે જંગલમાં વસતી એક પ્રજાતિ, જેમના નામ પરથી મસાઇ નામ અસ્તિત્વમાં આવ્યું, મારા છે ત્યાંની નદી અને એ ઉપરાંત મસાઇ ભાષામાં મારાનો અર્થ છે જોવા મળવું, એ પછી ઝાડ હોય, પ્રાણી હોય, પંખી હોય, માણસો હોય, એટલે જંગલનું નામ મસાઇમારા.

મસાઇમારા નામના ઉચ્ચારણ સાથે નજર સામે આવે પીળા ખડ એટલે કે સૂકાયેલાં ઊંચા ઘાસના વન, એમાં જમ્બો થડ, પાંખા ડાળખી ને પાન ધરાવતાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવા બાઓબાબ નામના વૃક્ષ અને બિગ ફાઈવ…

આ બિગ ફાઈવ એટલે જેનાથી મસાઇમારાની ઓળખ છે તે પાંચ મોટાં પ્રાણીઓ એટલે સિંહ, રહાઈનો, જિરાફ, હાથી અને ચિત્તા. આ ઉપરાંત ઝીબ્રા, જંગલી ભેંસ, બાઈસન, હરણાંની ગણતરી હમણાં નથી કરવી.


છોકરમત કોની? – ઈશ્વર પેટલીકર 7

અરૂણાએ માન્યું હતું કે નિરંજન સાથેના લગ્નની ઈચ્છાને મા બાપ વગર વિરોધે સ્વીકારી લેશે. પંદર વરસ ઉપર જે ઘરે મોટી બેનને પરણાવી હતી તે જ ઘરે એના દિયર સાથે પોતાના લગ્નનો વિરોધ કરવાનું કારણ ન હતું. વળી મોટીબેનને પરણાવી ત્યારે ભાવિ જમાઈની અંગત લાયકાત તરફ ધ્યાન આપ્યું ન હતું. ધરનો ધંધો છે એટલે ઓછું ભણતર જીવનની કારકિર્દીમાં અવરોધરૂપ બનવાનું ન હતું. મોટીબેન જેટલો એસ.એસ.સી. સુધીનો મૂરતિયાનો અભ્યાસ પૂરતો માન્યો હતો. જ્યારે નિરંજનનો અભ્યાસ એની અંગત શક્તિ પુરવાર કરતો એન્જિનિયરનો હતો. એન્જિનિયરોની બેકારી જાણીતી હોવા છતાં એની તેજસ્વિતાને લીધે પરિણામ બહાર પડતાં એ જાણીતી પેઢીમાં સારા પગારે નોકરી મેળવી શક્યો હતો.


જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો) 12

એક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. ‘જક્ષણી’


ઋતુકલ્પ : પ્રેમની મોસમ બારેમાસ.. – દિનેશ દેસાઈ 5

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલિ” મહાકાવ્યમાં લખ્યું છે કે “પ્રકૃતિના વિવિધ રંગ-રૂપ આપણને પ્રેમ શીખવે છે. પ્રકૃતિને ચાહ્યા વિના આપણે નિતાંત પ્રેમની અનુભૂતિ કરી શકીએ નહીં.”

ખરેખર પ્રકૃતિ અને પ્રેમનો ગાઢ નાતો છે. વિક્રમ સંવત અનુસાર કાર્તિક – કારતક મહિનાથી આસો મહિના સુધીના બાર મહિના અનુસાર ઋતુકલ્પનો વૈભવ આપણને માણવા મળે છે. મોસમના આ ગુચ્છ પોતપોતાના અંદાજમાં આપણને જાણે પ્રેમનો સંદેશ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય આ દરેક મોસમમાં જુદો જુદો મિજાજ પ્રગટ કરે છે. પ્રેમની મોસમ તો બારે માસ જામતી હોય છે. પ્રકૃતિ સ્વયં પ્રેમનું પ્રતીક બની રહે છે.


અક્ષરનાદ ઈ-પુસ્તકોના પંદર લાખ ડાઊનલોડ.. – સંપાદક 11

અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં મૂકેલા ઈ-પુસ્તકોનો આંકડો પંદર લાખ પંચોત્તેર હજાર ડાઊનલોડ ક્લિક્સને પાર કરી ગયો છે. અને આ ઉપરાંત અમારા ઈ-પુસ્તકોના ડેઈલીહન્ટ પરની ક્લિક્સ અહીં ગણી નથી. વળી ઈ-મેલ દ્વારા ફોરવર્ડ થતા, વોટ્સએપ દ્વારા ફોરવર્ડ થતા અને અનેક મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા અમને પૂછીને / પૂછ્યા વગર વહેંચાતા અક્ષરનાદના પુસ્તકોની ક્લિક્સ પણ અહીં ગણી નથી.. ગણવી શક્ય પણ નથી.

વધુ વિગતે જોઈએ તો, અક્ષરનાદ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા ૫૭ ઈ-પુસ્તકોના ચૌદ લાખથી વધુ, ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ સન્ડે ઈ-મહેફિલ ઈ-પુસ્તકોના દોઢલાખથી વધુ અને ગોવિંદભાઈ મારૂએ પાઠવેલા ઈ-પુસ્તકોના પચીસહજારથી વધુ ડાઊનલોડ થઈ ચૂક્યા છે.


નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી 34

“ભૂખ લગી હૈ? બસ દો મિનિટ..” (પણ થઈ જાય દસ મિનિટ) અને કટોરામાં ઢિલા-ઢફ્ફ ગૂંચળા પોતાની માથે ગરમ મસાલાનું આવરણ ઢાંકીને પડ્યા હોય નૂડલ્સ. આ નૂડલ્સને કોઇએ અવાજ કર્યો. નૂડલ્સ બોલ્યા “કોણ?” જવાબ આવ્યો, “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં લેકીન નામ હૈ સેવ-મમરા!”

અહીં જો કે મેગી કે અન્ય કોઈ નૂડલ્સને ખરાબ દેખાડવાનો ઉદ્દેશ્ય છે જ નહિ, મેગીએ કોલેજકાળમાં અમને સાચવ્યા છે. પણ સેવ – મમરાએ તો સૌથી વિષમ પરિસ્થિતીમાં પણ સાથ આપ્યો છે તેની વાત કરવી છે.


કેવી રીતે ચાલે છે ઈન્ટરનેટનું અર્થતંત્ર? – હિમાંશુ કીકાણી 8

ઈન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિગમાં જોવા મળતી જાહેરાત અને ઈન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું એ તમે જાણો છો?

સામાન્ય જાહેરખબરોમાં એકસાથે અનેક લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, જ્યારે ઈન્ટરનેટ પરની જાહેરાતમાં જે વ્યક્તિ એ જાહેરખબરમાંની પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવાની સૌથી વધુ શક્યતા હોય એ એક વ્યક્તિને જ નિશાન બનાવાય છે – અર્જુનના તીરની જેમ બરાબરમાછલીની આંખ પર!


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૦) – નીલમ દોશી 9

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ભ્રમ! – કનુ ભગદેવ 4

શિખા ખૂબ જ ઉદાસ અને પરેશાન હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ જે ભ્રમમાં રાચતી હતી તે અચાનક જ તૂટી ગયો હતો. આજકાલ કરતાં ઘણા દિવસથી તે માનસિક પરિતાપ ભોગવતી હતી. એ મનોમન પોતાનાં બોસ અમરને ચાહતી હતી. ઘણી વખત અમરે ખૂબ જ નિખાલસતાથી એની સાથે વાતો કરી હતી, ફિલ્મો જોઈ હતી અને સાથે ફરવા માટે પણ ગયા હતાં. આથી તે મનોમન એમ માની બેઠી હતી કે પોતાની જેમ અમર પણ પોતાને ચાહે છે. જયારે અમરના હ્યદયમાં શિખા પ્રત્યે આવો કોઈ ભાવ નહોતો. તે એને પોતાની પર્સનલ સેક્રેટરી અને સાથે જ પોતાની મિત્ર માનતો હતો. એથી વિશેષ કઈ જ નહી. એ તો શિખાની સાથે જ રહેતી તેની બહેનપણી આરતીને ચાહતો હતો.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..


ચહેરો – ઈલા આરબ મહેતા 6

સ્વ. ગુણવંતરાય આચાર્યની દીકરી ઈલા આરબ મહેતાએ પિતાજીનો સાહિત્યનો વારસો જાળવી રાખ્યો, બલકે વધાર્યો. ખાસ કરીને નવલકથા અને વાર્તાસાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે. વ્યવસાયે અધ્યાપિકા હતાં એટલે એમની અભ્યાસવૃત્તિનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. તેમની અમુક જ વાર્તાઓ સંપાદન-સંગ્રહોમાં જોવા મળે છે. એ સિવાય પણ તેમની ઘણી વાર્તાઓ સુંદર કલાના નમૂના જેવી છે. તેમની ‘ચહેરો’ વાર્તા આપણા સાહિત્યની એક સદાબહાર, તરોતાઝા વાર્તા છે. ‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લીધી છે. ડૉ. અસ્મા માંકડ દ્વારા સંપાદિત આ સંગ્રહમાં ૪૩ આવી જ સુંદર સદાબહાર વાર્તાઓ છે.