Yearly Archives: 2014


ખોલી નાખ… – સઆદત હસન મન્ટો, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

૧૧ મે ૧૯૧૨માં અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતના સમરાલા (જી. લુધિયાણા)માં જન્મેલ મન્ટોની વાર્તાઓ આઝાદી પહેલાના એ સમયે પણ ચર્ચામાં રહેલી, અશ્લીલતાના આરોપમાં તેની વાર્તાઓ ઘેરાઈ હતી, પણ સમાજને પોતાનો ઘૃણાસ્પદ ચહેરો બતાવવામાં મન્ટોની કલમે ક્યારેય પાછીપાની નથી કરી. એની ઉંમર સાત વર્ષની હતી ત્યારે અમૃતસરમાં બર્બર જલિયાંવાલા હત્યાકાંડ થયેલ, એ જ સમયગાળામાં મન્ટોએ ઉર્દુમાં વાર્તા લખવાનું શરૂ કર્યું, આજે મન્ટોની એક અતિપ્રસિદ્ધ વાર્તા ‘खोल दो’ નો ગુજરાતી અનુવાદ ‘ખોલી નાખ..’ એ શિર્ષક સાથે પ્રસ્તુત કરી રહ્યો છું, મૂળ વાર્તામાં રહેલ કેટલાક મુશ્કેલ ઉર્દુ શબ્દોના ગુજરાતી અર્થ શોધી આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેની મદદ લીધી હતી એ બદલ તેમનો આભાર. આપણા દેશની રાષ્ટ્રભાષા સહ અન્ય ભાષાઓની આવી કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરી ઓનલાઈન મૂકવાની જરૂરત જણાઈ રહી છે. આશા છે આ પ્રયત્ન ઉપયોગી થશે.


ચાર ગીતો.. – યાકૂબ પરમાર 12

આપણે ત્યાં કાવ્યસંગીતનો એક અલગ જ દરજ્જો છે. તદ્દન શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ગઝલગાયકી ઉપરાંત આપણી કવિતાઓ અને ગીતોના ગાયનનો એક અનોખો પ્રકાર વિકસ્યો છે. કાવ્ય લખાઈ ગયા પછી સ્વરકાર તેને સ્વરનિયોજન અને સંગીત સહ ગેય બનાવે છે. તો ક્યારેક કવિ પોતે જ ગીતોને એવા ઢાળમાં રચે છે કે જેથી તેની ગેયતા આપોઆપ પ્રસ્થાપિત થઈ શકે છે. આવા જ ચાર સુંદર ગીતકાવ્યો યાકૂબભાઈ પરમાર આજે પ્રસ્તુત કરી રહ્યા છે. ચારેય ગીતોના વિષયો ભિન્ન છે, ઝાકળરૂપ ઈશ્વરને પોતાની વાત કહીને, હરીને અક્ષર સાથે સરખાવીને, નસીબની મજાક વિશે વાત કરીને અને શોષિત નારી વિશે – એમ ચાર સુંદર ગીત અક્ષરનાદને પાઠવવા બદલ યાકૂબભાઈનો આભાર તથા તેમના સર્જનને શુભકામનાઓ.


લઘુકથાઓ… – ડૉ. નિલેશ ત્રિવેદી, ગુણવંત વૈદ્ય 12

પ્રથમ લઘુવાર્તા ડૉ. નિલેશ ત્રિવેદીની કલમે નિપજેલી સંબંધોની સરસ વાત કહે છે, તો આ લઘુકથા સાથેસાથે આજે પ્રસ્તુત છે શ્રી ગુણવંતભાઈ વૈદ્યની બે લઘુકથાઓ… ગુણવંતભાઈની કૃતિ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આશા છે આપને ગમશે. કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો અને ડૉ. નિલેશ ત્રિવેદીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


કોંકણના કેટલાક અદ્રુત, નયનરમ્ય, શાંત બીચ પર… – જીજ્ઞેશ અધ્યારૂ 21

પૂનાથી અમારી કોંકણના બીચ અને રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલા રમણીય અને સુંદર બીચ દિવેઅગાર જવાની અને આસપાસના સ્થળોએ ફરવાની આખીય સુંદર પ્રવાસ સાથે આનંદોત્સવની વાત અહીં ફોટોગ્રાફ સહીત મૂકી છે. ડિસેમ્બર ૨૧થી ૨૫ સુધીમાં બે દિવસ અમે આ સ્થળોએ વીતાવ્યા હતાં. એ ઘટનાના સંભારણા રૂપે આ કૃતિ પ્રસ્તુત કરી છે.


વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત 9

આજે ઘણા લાંબા સમયે વાચકોની પદ્યરચનાઓનું સંકલન પ્રસ્તુત કરી રહ્યો છું. ‘આ શું થયું…’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સિટી એન્જીનીયર તરીકે કાર્ય કરતા વિજયભાઈ પ્રિયદર્શીની રચના છે. તો બીજી કૃતિ ચંદ્રકાન્તભાઈ લોઢવિયાની છે. તો ધર્મેશભાઈ ઉનાગરની રચના ઔદ્યોગિક કામદારોને માટે ‘સુરક્ષા સહિત સેવા’ના આદર્શની વાત સમજાવે છે, ઉદ્યોગોમાં થતા જીવલેણ અને ગંભીર અકસ્માતોથી બચીને કામ કરવાનો સંદેશ તેમાં છે. અક્ષરનાદ પર આ ત્રણેય મિત્રોની પ્રથમ રચનાઓ છે, તો મિતુલભાઈની બે કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે જેમની આ પહેલા પણ એક રચના અહીં પ્રસ્તુત થઈ ચૂકી છે. સૌ મિત્રોને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર.


રજસ્વલા – હિતેન ભટ્ટ 8

અમદાવાદના હિતેનભાઈ ભટ્ટની પ્રસ્તુત સુંદર લઘુવાર્તા તેમણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા માટે પાઠવી છે. અહીં તેમની આ પ્રથમ કૃતિ છે, વાર્તા મનનીય છે, વિચારપ્રેરક છે અને થોડામાં ઘણું કહી જાય છે. કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે 10

‘ઘણીવાર એક હૂંફાળો સ્પર્શ, એક સ્વાભાવિક સ્મિત, પ્રેમાળ શબ્દ, કોઈને સાંભળવા માટે ઉત્સુક કાન કે નિખાલસ અને સાચો અભિપ્રાય અથવા એકાદા નાના એવા પરોપકારના કામની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ પરંતુ તે બધામાં જીવનની દિશા બદલી નાખવાની જબરદસ્ત સંભવિતતા રહેલી હોય છે.’ એવા સુંદર સંદેશ સાથેની પ્રસ્તુત પ્રસંગવાર્તા જીવનમાં મદદની અને હકારાત્મક વિચારસરણીની અગત્યતા દર્શાવે છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ 9

સાહિત્ય સંગમ, સૂરત દ્વારા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે તેવા ભવસુખભાઈ શિલુના પુસ્તક “સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા…. – એક અલગ દ્રષ્ટિકોણ” માંથી ઉપરોક્ત લેખ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધિ અર્થે પાઠવ્યો છે. લેખના મૂળ શિર્ષક “રામાયણ.. નવી નજરે..” ને બદલે મેં Polyandry Vs Monogamy એવું શિર્ષક આપ્યું છે કારણ કે આ લેખમાં ફક્ત રામાયણ, મહાભારત કે અન્ય ગ્રંથવિશેષની વાત નથી પરંતુ આર્યો – અનાર્યોની સંસ્કૃતિ વચ્ચેના મૂળભૂત તફાવતમાંના એક એવા Polyandry Vs Monogamy વિશે વાત થઈ છે. લેખ ગહન વિચાર, ચિંતન અને ચર્ચા માંગી લે છે. આર્ય અનાર્ય સંસ્કૃતિઓના તફાવત અને ભેદ છતાં તેમના સમન્વયથી બનેલી સંસ્કૃતિમાં આર્ય મૂલ્યોનો ફાળો અને પ્રભાવ વધુ જોવા મળે છે. આશા છે આ લેખ જેવી જ અનેક વિગતો સહિતનું ચિંતન ભવસુખભાઈના પુસ્તકમાંથી આપણને મળશે. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ભવસુખભાઈનો આભાર.


બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 8

આ પહેલા પ્રસ્તુત થયેલ ચાર અછાંદસ કાવ્યો બાદ આજે દિનેશભાઈ બીજી વાર તેમના અછાંદસ સાથે ઉપસ્થિત થયા છે. પાલનપુર, બનાસકાંઠાના દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા બે વિરહી અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 23

ઉર્દૂ સાહિત્‍યના પ્રખ્‍યાત સર્જક સઆદત હસન મન્ટો (ઈ.સ. ૧૯૧ર – ૧૯પપ)ની કેટલીક વાર્તાઓ ખૂબ જ વિશદ પાર્શ્વભૂમિકામાં લખાયેલી જોવા મળે છે, અને એમાંથી કેટલીક માઈક્રોફિક્શનના મૂળ ફોર્મેટને સ્પર્શતી હોવાનો આભાસ પણ થાય છે. આક્રોશભર્યા પણ મજબૂર પાત્રો, થોડામાં ઘણુંબધું કહી શકવાની ક્ષમતા અને વાર્તાના ખુલ્લા છેડાઓ દ્વારા વાચકને મળતો સર્જનનો આનંદ એ તેમની વિશિષ્ટતાઓ હતી, માઈક્રોફિક્શનના ક્ષેત્રને સ્પર્શતા લેખકે મન્ટોનું સાહિત્ય અવશ્ય વાંચવું જોઈએ એવું મારું માનવું છે. માઈક્રોફિક્શનના અક્ષરનાદ પરના ખેડાણને સતત આગળ ધપાવતા હેમલભાઈ વૈષ્ણવની પાંચ માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત છે. વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર.


મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ 11

ઉર્વશીબેન પારેખના સુંદર અને અનુભૂતિસભર કાવ્યસંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. માતાને અભ્યર્થના કરી રહેલ સંતાન તેના ગુણોને, તેની ક્ષમતાઓ, લાગણીઓ અને કપરા સંજોગોમાં પણ મક્કમ રહી સામનો કરવા જેવી વાતને યાદ કરી તેમના જેવા જ ગુણો પોતાનામાં સિંચાય એવું યાચે છે. સુંદર કાવ્યસંગ્રહ અક્ષરનાદને પાઠવવા અને આ કાવ્ય પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

સ્ત્રીઓને સમાન અધિકાર અને સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારતા સમાજમાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્વતંત્ર સ્ત્રી સ્વીકર્ય નથી. આવી જ એક પુત્રી વિશે તેના માતા પિતાના વિચારો, તેના લગ્ન અંગેની ચિંતા વગેરે વાતોના પરિદ્રશ્યમાં ઝીલાયેલી નિમિષાબેનની આ વાર્તા એ મુખ્ય પાત્રની નિર્ણયશક્તિના સ્વરૂપે એક અગત્યનો સંદેશ આપી જાય છે, એટલો જ સંદેશ કે પોતાના જીવનના અગત્યના નિર્ણયો લેવા અને તેની અસરો સાથે જીવવા એ તૈયાર હોય છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખ આભાર તથા શુભકામનાઓ.


તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ 7

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, વાચકમિત્રોના પ્રેમને પામી છે. આજે તેઓ પોતાની પટેલપોથીમાંથી વધુ એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ‘ઈમાનદારીનું પૂંછડું’ નામનો આ પ્રસંગ પોતપોતાનાં દ્રષ્ટિકોણ પર અવલંબિત છે… પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આ વેલ-ઇન-ટાઈમ એટલે શું નાથ! – રમેશ ચાંપાનેરી 10

આ વેલ-ઇન-ટાઈમ ડે એટલે કે વેલેન્ટાઈન ડે વિશે ‘આમ આદમી’ ચમન અને ચંચીનો નિર્દોષ અને હાસ્યસભર વાર્તાલાપ રમેશભાઈ ચાંપાનેરીએ પ્રસ્તુત કર્યો છે. ચમનીયો ચાર વાગ્યેનો ઉઠીને, નાહીધોઈ તૈયાર થઈને ઉંદરડાની માફક ઘરમાં આંટા મારે છે. ચંચી હજી ઉઠી નથી. વેલેન્ટાઈન ડે નો ધુમાડો એના મગજે ચઢી ગયો છે. ફૂલ કરમાવા લાગ્યું છે. ઘડીક એમ પણ થાય કે લાવ બહાર નીકળીને કોઈને ફૂલ આપી જ આવું., પણ….


માનવજીવનની સાર્થકતા.. – વિનોદ માછી 2

ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ મનુષ્‍ય જન્મ મોટા ભાગ્યના યોગથી જ મળતો હોય છે અને દેવતાઓને ૫ણ દુર્લભ છે એમ વેદ પુરાણ વગેરે સદગ્રંથો ૫ણ કહે છે. આ મનુષ્‍ય જન્મ જે સાધનોના ધામરૂ૫ છે અને મોક્ષ દ્વારરૂ૫ છે તેને પ્રાપ્‍ત કરી જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે બધા પાછળથી દુઃખ પામે છે. માથુ ધુણાવી ધુણાવીને ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલા ફળ માટે કાળ.. કર્મ કે ઈશ્વર ઉ૫ર મિથ્યા દોષ લગાવે છે. આ સર્વોત્તમ એવા મનુષ્‍ય શરીરની પ્રાપ્‍તિ થયાનું ફળ વિષયભોગનું સુખ નથી અને સ્વર્ગનું સુખ ૫ણ નથી, કેમકે આ લોકમાં વિષયભોગનું સુખ અને ૫રલોકમાં સ્વર્ગનું સુખ અલ્પકાળ સુધી જ રહે છે અને ૫રીણામે દુઃખદાયી જ નિવડે છે. જે લોકો મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવે છે તેઓ મૂર્ખતાથી અમૃતના બદલે વિષ ગ્રહણ કરે છે. જેઓ પારસમણીને ગુમાવીને ચણોઠી લે તેમને ક્યારેય લોકો ડાહ્યા કહેતા નથી.


ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય 13

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. નિસ્યંદન સામયિકના સંપાદક અને કવિમિત્ર યોગેશભાઈ તેમાં ભાગ લેવા આણંદ પહોંચ્યા હતા. આ અધિવેશનના આયોજન પ્રત્યે ઉદાસીનતા અને પાંખી હાજરી જેવા કારણોને લીધે તેમને મનમાં ખૂંચતી કેફિયત તેઓ અહીં રજૂ કરી રહ્યા છે. શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આવા તો અનેક પ્રશ્નો તેમના મનમાં અનુત્તર રહી જવા પામ્યા છે, પ્રયત્ન કરીએ આપણી રીતે તેના ઉત્તર આપણી પોતાની જાતને આપવાનો… નિસ્યંદનના સંપાદકીય તરીકે લખાયેલ પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


રાજકારણ… – સાગર ચૌહાણ 12

રાજકારણ વિશેની પ્રસ્તુત પદ્યરચના પદ્યના કયા પ્રકારને અવલંબે છે એ સવાલને અવગણીએ તો એમ કહી શકાય કે રાજકારણીઓ અને તેમના મનમાં સતત ચાલતા સત્તા, સંપત્તિ અને ખુરશીના મોહને અહીં રાજકોટના સાગરભાઈ ચૌહાણ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ સાગરભાઈનો આભાર તથા શુભકામનાઓ.


અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે 9

સ્ત્રી ભૃણહત્યા એવો વિષય છે જેના વિશે અનેક વખત લખાયું છે, લખાયું તેના એક ટકા જેટલું પણ સમાજ દ્વારા ભાગ્યે જ અનુસરાયું છે, મોટી ગુલબાંગો અને વાતો છતાં આજે પણ, અત્યારે પણ ક્યાંક ભૃણહત્યા થઈ જ રહી હશે, અને એ પણ ભૃણના માદા હોવાના કારણે… હર્ષદભાઈનો લેખ આપણા સંકુચિત અને વિકૃત સમાજની આ જ બદી સામે લખાયેલો છે અને અક્ષરનાદ આવી કૃતિઓ પ્રસિદ્ધ કરીને ખરેખર ગર્વ અનુભવે છે, એકાદ પણ ભૃણ જો આ આખીય વેબસાઈટના બધાંય પ્રયત્નોને લીધે બચી શક્યું હોય – બચી શકે તો તેથી વધુ શું હોઈ શકે? આશા રાખીએ કે આવા અનેક લેખો એકાદ વિકૃત અને ભૃણ હત્યા કરવા તત્પર માનસીકતાને બદલવામાં ભાગ ભજવી શકે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 15

ડૉ. મુકેશભાઈ જોષીની ત્રણ સુંદર ગઝલરચના આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


ત્રણ લઘુકથાઓ.. – સંકલિત 8

આજે પ્રસ્તુત છે ત્રણ ટૂંકી વાર્તાઓ… બે નાનકડી વાર્તાઓ સર્જન છે ધવલભાઈ સોનીનું જે તેમણે પ્રસ્તુત કરવા માટે પાઠવી છે અને એક વાર્તા કાંતિલાલ વાઘેલાએ અક્ષરનાદને પ્રસ્તુતિ માટે પાઠવી છે. ત્રણેય વાર્તાઓ સુંદર અને રસપ્રદ છે. આશા છે વાચકમિત્રોને ગમશે…


વહેમોથી વીંટળાયેલું વિશ્વ – વંદિતા દવે 8

આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને બિલાડી આડી ઉતરે તો આપણા પગ ચાલતા થંભી જશે, ઘરની બહાર નીકળતા હોઈએ અને છીંક આવે એટલે પણ થોડીવાર માટે અટકી જઈએ. અમુક અગત્યના કામે જતા હોઈએ અને સામું કોણ મળે એ પરથી જ પરિણામની અટકળ કરી લઈએ. અમુકવાર અમુક રંગના કપડાં જ પહેરાય, દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજે લીંબુ-મરચાં લટકાવાય, ક્યાંક કામે જતા હોઈએ અને કોઈક પાછળથી ટોકે તો કામ પૂરું ન થાય, બહાર જતી વેળા ચા નાસ્તાની વાત અવાણી ન શકાય…. આવી માનસિકતાને શું કહેવાય?


સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ 1

હમણાં દુનિયામાં હિગ્ઝ બોઝોનની અસરો નોંધવાની સફળતા મળી. બ્રહ્માંડના સર્જન પાછળનું રહસ્ય શોધવા જતાં એક સ્ટાન્ડર્ડ મૉડલ તરીકે ઓળખાતી બિગ-બેંગ થિયરીને મોટાભાગના વિજ્ઞાનીઓએ માન્યતા આપી જેમાં… બ્રહ્માંડ એક વખત અત્યંત સૂક્ષ્મ, ઘટ્ટ અને ગરમ હતું, ત્યારે એક અત્યંત વૈશ્વિક મહાવિસ્ફોટ (Cosmic Explosion) થયો જેને બિગ-બેંગ કહેવામાં આવે છે. આ ઘટના ૧૩.૭ અબજ (અબજ એટલે એકડા પર નવ મીંડા સમજવા) વર્ષ પહેલા બની હોવાનું અનુમાન છે. બિગબેંગ થિયરીનું સ્ટાન્ડર્ડ મૉડેલ અને હમણાં જેનું અસ્તિત્વ શોધાયું તેને હિગ્ઝબોઝોન એટલે કે God’s particle કહે છે. આપણે બ્રહ્માંડની રચનાના આ રહસ્યને સાંખ્યદર્શનમાં વર્ણવેલી થિયરી સાથે તપાસીશું. સાંખ્યદર્શનની રચના સમયે અદ્યતન ટૅલિસ્કોપ કે માઈક્રોસ્કોપ જેવા સાધનો કે વાતાનુકૂલિત પ્રયોગશાળાઓ નહોતી છતાં ઘણાં રહસ્યો ઉકેલ્યા હોવાનું માનવામાં વાંધાસરખું નથી. વળી અહીં ભારતીય જ્ઞાનની મહાનતા કે Pseudo Scientific Theory આપવાનો પ્રયત્ન નથી પણ એક જ દિશામાં સમાંતર વિચારો સરળતાથી જાણી શકાય એવો પ્રયાસ છે. ભૂમિપુત્ર સપ્ટેમ્બર ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચાર ગઝલો – યાકૂબ પરમાર 2

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિઓ છે. ચાર સુંદર ગઝલો આજે તેમણે પ્રસ્તુત કરી છે. આ સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ભાષણ વિશે ભાષણ… – હરનિશ જાની 5

ભાષણ વિશે ભાષણ… ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? ભાષણની અસર લોકો પર કેવી છે? ભાષણનો વિષય, ભાષણ સાંભળવાની મઝા જેવા ભાષણને લગતા અનેક વિષયો પર લેખિતમાં ભાષણ આજે પ્રસ્તુત કર્યું છે. સૂરતમાં તાજેતરમાં યોજાઈ ગયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધિવેશનને લક્ષમાં રાખીને આ કૃતિ પ્રસ્તુત કરવાની ઇચ્છા થઈ. આ જ વિષયને લગતો અન્ય એક લેખ પણ ટૂંક સમયમાં પ્રસ્તુત થશે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હરનિશભાઈનો આભાર તથા શુભકામનાઓ.


પાંચ સુંદર ગઝલો.. – રાકેશ હાંસલિયા 7

રાકેશભાઈની ગઝલો માણવાનો અને પ્રસ્તુત કરવાનો એક અનોખો આનંદ હોય છે. ગઝલમાં સત્વ અને તત્વને સમાવતા હોવા છતાં ચુસ્ત છંદબંધારણ અને સુંદર વિષયાનુભૂતિ સહિતની કૃતિઓ તેમની વિશેષતા રહી છે. અક્ષરનાદનું સદભાગ્ય છે કે આવા રચનાકારો અક્ષરનાદને તેમની કૃતિઓ પ્રસ્તુત કરવાનું ગૌરવ આપે છે, રાકેશભાઈની પાંચ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. વૃક્ષના છાંયડારૂપી પ્રસાદની વાત હોય કે શબ્દનો નિરાકાર સાદ હોય, આજીવન દળતી ડોશીની વાત હોય કે ઘેરા થતાં સ્મરણની વાત હોય, દરેકે દરેક ભાવને, દરેક લાગણીને શબ્દોમાં મઢીને મૂકાઈ છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


“……તો તો હવે બોવ ધ્યાન રાખવું પડશે !” (વાર્તા) – મિતુલ ઠાકર 13

અક્ષરનાદ પર મિતુલભાઈની આ પ્રથમ રચના છે, ગ્રામ્યસમાજની સામાન્ય સમજનું, ઘટનાઓ અને પ્રસંગોનું અહીં સરળ આલેખન થયું છે. એક નાનકડી ગેરસમજ લગ્નજીવનમાં કેવા ઝંઝાવાત સર્જી શકે તેનું પ્રસ્તુત કૃતિ સુંદર ઉદાહરણ છે. ગ્રામ્યભાષા અને લહેકાને સમાવવાનો મિતુલભાઈનો પ્રયત્ન સરસ છે. આ કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


શાશ્વતની શોધ.. – કર્દમ આચાર્ય 2

અસ્તિત્વદર્શન એક વિચારપત્ર છે, ચિંતનાત્મક દાર્શનિક પત્રિકા. પ્રાચીન – અર્વાચીન એવા તત્વજ્ઞાનોને એક આગવી રીતે જોવાની દ્રષ્ટિ તો અહીં અભિપ્રેત છે જ, ઉપરાંત જીવનને સ્પર્શતી બાબતોને એક દાર્શનિકના દ્રષ્ટિકોણથી જોવાની કલા હસ્તગત કરવાનો એક પ્રયત્ન છે. આદર્શવાદ અને વ્યવહારવાદની સમજ સાથે આદર્શ વાસ્તવવાદ તરફ ઈંગિત કરતી કર્દમ આચાર્યની પ્રતિભાસ વિચારણા આજે અહીં પ્રસ્તુત કરી છે. આદર્શવાદ – idealism અને વ્યવહારવાદ – practicalism એ બંને શબ્દોના અર્થમાં ઉંડા ઉતરીને ideal practicalism અથવા આદર્શની શક્ય એટલું નજીક રહેલી વાસ્તવિકતા વિશેના વિચારની તાત્વિક વિચારસરણી અહીં પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ‘અસ્તિત્વદર્શન’ નો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચકલી ચકલાંનું અંગ્રેજીકરણ…- જીજ્ઞા ત્રિવેદી 21

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞાબેન ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્યરચના જેમાં તેઓ અંગ્રેજીના વધતા પ્રભાવને હાસ્યસભર રીતે ચકલા-ચકલીની વાતોમાં અભિવ્યક્ત કરી રહ્યા છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને તેમની કલમે આપણને આવી સુંદર, અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


કાગળ (વાર્તા) – નિમિષા દલાલ 16

વિશ્વ ગુજરાતી સમાજઆ સામયિકના દિપોત્સવી અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની ‘કાગળ’ વાર્તા સમકાલીન સમાજવ્યવસ્થાની ખૂબીઓ અને ખામીઓ સાથેનું સમગ્રતયા ચિત્ર પ્રસ્તુત કરે છે. વાર્તામાં અમુક અંશે સસ્પેન્સનું તત્વ પણ છે તો વાચકને અનેક વિકલ્પો વિચારવાની તક આપતો અંત પણ અહીં છે. નિમિષાબેનની કલમ દરેક નવી વાર્તા સાથે વધુ ને વધુ નિખરતી રહી છે એ આ વાર્તા સાથે પણ દેખાઈ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આયુની ઋતુ – ઉત્સવ તલાટી 19

અમેરીકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહેલા ઉત્સવભાઈ તલાટીની આ પ્રથમ રચના છે. આયુ ઋતુને પ્રેમ હ્રદયથી કરે છે, બંને મળી શક્યા નથી – મળી શકવાના નથી એ હકીકત છે. અણધારી રીતે યુવાનીમાં જ જીવનના અંતિમ પડાવ પર ઊભેલા આયુને એ હકીકતની ખબર છે અને એ વાતને લઈને તેનો ઋતુને સંબોધીને લખાયેલ આ પત્ર વિશેષ બની રહે છે. પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવા તેમણે અક્ષરનાદને પાઠવી છે. પ્રથમ સર્જન વિશેષ હોય છે અને અનેક મિત્રોએ એ માટે અક્ષરનાદને તક આપી છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ ઉત્સવભાઈનો આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.