સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૧) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો પ્રથમ ભાગ.


સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ 10

દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યારે કોઇ બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય કે નિર્ણય લેવામાં તકલીફ થાય ત્યારે એ બંનેને સિક્કો ઉછાળી નિર્ણય લેતાં તમે સાંભળ્યા હશે. જીવનરૂપી સિક્કાની પણ બે બાજુઓ હોય છે. સારું-નરસું, સુખ-દુઃખ, હાસ્ય-રૂદન, ચડતી-પડતી, ખુશી-ગમ, અંધારું-અજવાળુ… આ બધી એકજ સિક્કાની બે બાજુઓ છે પણ બંને એકબીજાની વિરોધાભાસી. જીવનના દરેક બનાવોની પણ બે બાજુ હોય છે. એક સારી અને બીજી નરસી. દરેક બનાવોના પરિણામોને પણ બે નજરથી જોવાય છે. એક સારુ અને નરસું. વરસોથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવતી હતી. પણ હમણાં થોડાક વર્ષોથી એને શિક્ષિત બનાવવામાં આવી છે. એના હકમાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. પુરુષ સ્ત્રીને મારે તો સ્ત્રીની દયા ખાઈને પુરુષને દોષી માનવામાં આવે છે અને જો સ્ત્રી પુરુષને મારે તો એમ ચર્ચા થાય છે કે જરુર પુરુષે કંઈ અઘટીત કર્યું હશે. આમ દરેક બાબતમાં દોષી તો પુરુષજ બને છે. કાયદાઓ પણ સ્ત્રીનોજ સાથ આપે છે એટલે સ્ત્રી દ્વારા ઘણી જગ્યાએ એ કાયદાઓનો દુરુપયોગ થાય છે. અને એ કારણે પુરુષોને અન્યાય થઈ રહ્યો છે. કાયદા ઘડનારનો સ્ત્રીલક્ષી કાયદાઓ બનાવીને સમાજમાં સ્ત્રી-પુરુષને એક સરખો સામાજિક દરજ્જો મળે એ શુભ હેતુ હોઈ શકે છે પણ આગળ આપણે વાત કરી એમ સિક્કાની બીજી બાજુ રૂપે કેટલીક સ્ત્રીઓ એનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરે છે. પ્રસ્તુત છે આવો જ એક પ્રસંગ અને વિચાર….


કરણી તેવી પાર ઉતરણી.. – ઋત્વિ વ્યાસ મહેતા 9

અક્ષરનાદ પર ઋત્વિ વ્યાસ મહેતાની આ પ્રથમ કૃતિ છે. નાનકડી વાર્તામાં ભૃણ જાતિ પરીક્ષણ અને ભૃણ હત્યા વિશેનો તેમનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રથમ રજૂઆત બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ તેમને આવી વધુ કૃતિઓ રચવાની પ્રેરણા અને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


સાંઢ નાથ્યો… – ઈશ્વર પેટલીકર 9

તો આ જ નવલકથા વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખ્યું છે, “ચોકઠામાંથી મુક્ત થયેલો કોઈ કોઈ લેખક એકાએક ઝબકે છે અને પોતાની અનુભવેલી, પગ તળે ખૂંદેલી કે પ્રાણ ભરીને પીધેલી નાની એવી લોકદુનિયાનું પણ કલાદર્શન લઈ આવે છે, ત્યારે ગુજરાતમાં નવાં અજવાળાં પથરાય છે અને અષાઢની પ્રથમ દ્રષ્ટિએ પલળેલી ધરતીની ધૂળમાંથી જે સોડમ ઉઠે છે તેવી સોડમ આપણને પ્રસન્ન કરે છે, એ સોડમ સાતેક વર્ષ પૂર્વે ભાઈ પન્નાલાલ પટેલ આવ્યા અને આજે ભાઈ ઈશ્વર પેટલીકર લાવે છે. ‘જનમટીપ’ની પાત્રસૃષ્ટિ પાટણવાડિયાના નામે ઓળખાતી ગુજરાતના ખેડુ – ઠાકરડાઓની એક સૌથી નીચલી કોમમાંથી લેવામાં આવી છે. એ કોમ જાણીતી છે મારફાડ અને ચોરીલૂંતના ગુનાઓ માટે, પણ કલાકારનું નિશાન ફોજદાર, સમાજસુધારક, જેલર કે ન્યાયકર્તાના ધ્યેયથી છેક જ અનોખું છે. એ ધ્યેય માણસમાત્રના બહિરંગનું પડ ભેદીને એના અંતરંગમાં ઉતરી તેમની માનવતાનું હાર્દ પકડવાનું છે. ‘જનમટીપ’માં એ માનવતા ઝીલાઈ છે. વાર્તાનો ઉપાડ, પ્રસંગોનો ઉપાડ, પાત્રોની બુદ્ધિશક્તિની ચતુઃસીમાને સાચવી રાખતો પાત્રવિકાસ, વાર્તાલાપોની સુરેખતા અને તે સર્વનેય જેનો અભાવ નિરર્થક બનાવે તેવું કસબીની ધીરતાનું તત્વ ‘જનમટીપ’ને સાંગોપાંગ કૃતિ બનાવી શક્યું છે.” કદાચ શાળામાં અથવા અન્યત્ર આ પાઠ વાંચેલો એવું આછુ યાદ છે ખરું. એ રસદાર કૃતિનો, એમાંના એક પ્રસંગની સાથે સ્વાદ આજે આપ સૌ સાથે ફરી લઈ રહ્યો છું.


તપસ્યા (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 5

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા સામાન્ય જીવનમાં સર્જાતા પ્રસંગો અને સંબંધોની વાત કહી જાય છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદ પર તેમની આ બીજી વાર્તા છે. મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


ગોવિંદનું ખેતર (ટૂંકી વાર્તા) – ધૂમકેતુ 7

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન જાણીતું છે. વિષયવૈવિધ્ય, સચોટ અને સ્પષ્ટ પાત્રાલેખન, તાદ્દશ વર્ણનો અને ભાવનામય વાતાવરણની ચિત્રાત્મકતા, માનવ સંવેદનોની સૂક્ષ્મ અભિવ્યક્તિ, તીવ્ર સંવેદનો સાથે સમયોચિત કથાવસ્તુને કંડારીને તેમણે અનેક સુંદર ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રસ્તુત વાર્તામાં નગરજીવનના મોહમાં રઘુનાથ મહારાજનો પુત્ર ગોવિંદ હર્યાભર્યા કુટુંબને, રાજપુર ગામને છોડીને શહેરમાં નોકરી કરવા જાય છે. શહેરના મોહમાં કૃત્રિમ અને પ્રદૂષિત જીવનવ્યવસ્થા તેને મોતના મુખમાં ધકેલે છે. અને જીવનના અંતે ફરીથી મૂળ જગ્યાએ આવે છે – વાર્તાઓની સાથે સંકળાયેલ ઘટનાપ્રસંગમાં ગ્રામજીવનની નાની નાની બાબતો – સંસ્કારો, પ્રકૃતિનો ખોળો, બંધુત્વની ભાવના વગેરેનું સરળ નિરુપણ અહીં થાય છે. ગામડાના નાનકડા જમીનના ટુકડા સાથે જેટલું સાદગીભર્યું અને ભર્યુંભર્યું જીવન છે એટલું શહેરી સંસ્કૃતિમાં નથી એ પ્રભાવક રીતે અહીં દ્રષ્ટિગોચર થાય છે.


યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 10

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 11

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર.


પ્રસંગમોતીઓ… – સંકલિત 6

એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા ‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર લીધું છે.


ગોઝારાં નીર – પંકજ સોની 7

અડાજણ, સૂરતના રહેવાસી શ્રી પંકજભાઈ એન સોનીએ અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા, ‘ગોઝારા નીર’ પાઠવી છે. સૂરતમાં આવેલા પૂરની કારમી યાદો એમાં ડોકાય છે તો એક પરિવારની પીંખાઈ જવાની ઘટના હૈયું હચમચાવી મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આશા છે તેમની કલમે આવી વધુ કૃતિઓ આપણને મળતી રહેશે. તેમને આભાર સહ શુભકામનાઓ.


વિનિપાત – ધૂમકેતુ 13

વિનિપાત એ ધૂમકેતુ રચિત સમાજની પોતાની ઐતિહાસીક ધરોહરને વેડફી નાંખવાની અને એક અજાણ્યા પરદેશીએ તેને ઓળખીને જાળવવા દાખવેલ ઈચ્છાની વાત કરતી આગવી નવલિકા છે. પણ આટલું કહ્યા પછી એ પણ ઉમેરવું છે કે એ ફક્ત આવા વિષયવસ્તુ સાથેની એક સામાન્ય ટૂંકી વાર્તા નથી, એ વિષયવસ્તુ, સંવેદન, સર્જનની રચનારીતિ કે વર્ણન કૌશલ્યની દ્રષ્ટિએ અનોખી છે અને આપણી ભાષાના સર્વેશ્રેષ્ઠ સર્જનોમાં આગવું સ્થાન ધરાવે છે. શાળામાં પણ આ કૃતિ અમે ભણેલા એવું આછું યાદ આવે છે. ગુજરાતી શાળાકીય શિક્ષણમાં આવી અદ્વિતિય રચનાઓને સ્થાન મળ્યું છે એ ત્યારના વિદ્યાર્થીઓ માટે અનેરી આનંદની વાત હતી જે આનંદ અને માતૃભાષાનો પ્રેમ આજની ‘અંગ્રેજી જનરેશન’ને મળતો નથી. આશા છે કે તેમને હાથવગા એવા આ આંતરજાળ દ્વારા તેમને આ આનંદની અનુભૂતિનો સાક્ષાત્કાર થઈ શક્શે.


પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

પ્રસ્તુત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’, એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ, સરળીકરણ અને સંકલન પામેલી અકેક પાનાની બોધપ્રદ અને સુંદર કથાઓનો સંગ્રહ છે. શ્રી મહેશ દવેની આ પુસ્તકોની શૃંખલા પાંદડે પાંદડે મોતી થી શરૂ થયેલી અને આ શૃંખલા ખૂબ પ્રચલિત થઈ વાચકો દ્વારા અનેરા પ્રેમ અને આદરને પામી છે. અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ અંગત મુશ્કેલીઓ અને છેલ્લા એક મહીના ઉપરાંતથી સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં વિલંબ થયો. અગાઊ એ નવરાત્રી અને પછી દિવાળીના દિવસે મૂકવા માટે પ્રયત્ન કરેલો, પરંતુ ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં થયેલ વિલંબને પગલે તે છેક હવે પ્રસ્તુત થઈ રહી છે.
આ પુસ્તક અક્ષરનાદ પર મૂકવાની તક આપવા બદલ શ્રી મહેશ દવેનો ખૂબ ખૂબ આભાર. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ એવી આ કથાઓનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.


ખેમી – રામનારાયણ પાઠક 7

શ્રી મનસુખલાલ ઝવેરી કહે છે તેમ કથનના ત્રણ મુખ્ય અંગો – પાત્ર, ક્રિયા અને વાતાવરણ વાચકના ચિત પર એક જ છાપ મૂકી જતા હોવાથી આને વાર્તામાં પ્રાધન્ય મળે તે કુદરતી છે. પાત્રોની ગતિવિધિ અને વાર્તાને અનુરૂપ વાતાવરણનું નિર્માણ પણ સર્જકના ચિત્રમાં ચાલતા અભિનિવેશ સાથે અનુકૂલન સાધે તો જ તેનું પરિણામ અનોખું આવી શકે. પ્રસ્તુત વાર્તામાં પણ આ જ વિશેષતા ભંડારાયેલી પડી છે. શ્રી રા. વિ. પાઠકની કલમનો ચમત્કાર અહીં સ્થળે સ્થળે થયા કરે છે. સામાન્યજીવનનું તાદ્દશ નિરૂપણ, એ જીવનની ઘટનાઓ અને રૂઢિઓનું સહજ આલેખન પ્રસ્તુત વાર્તાની વિશેષતા છે, તો એક ઉંડો કટાક્ષ પણ સમાજને માટે એમાંથી નીકળતો જણાય છે. ગુજરાતી ભાષાની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓમાં પ્રસ્તુત વાર્તા ‘ખેમી’ અવશ્ય સ્થાન પામે. આજે આપ સૌની સાથે એ વહેંચતા આપણી ભાષાના એક અમૂલ્ય ખજાનાને માણવાની મજા મળી છે.


હાથતાળી – રૂપેન પટેલ 17

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત વાર્તા આજના જીવનની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. ઘણાં ગુનાહિત માનસ ધરાવતા લોકોના જીવનમાં ગુનો આચરવો એ સામાન્ય કાર્ય જેટલું સરળ થઈ ગયું છે. અને એ કાદવમાંથી નીકળવા માંગનારે સતત જાગૃત રહેવું ઘટે. રૂપેનભાઈની સરસ વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ જ છે, પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પાંચ દાણા – અજ્ઞાત 5

પ્રસ્તુત બોધકથા એક સરળ પણ અગત્યનિ વાત તરફ ધ્યાન દોરે છે, પહેલાના સમયમાં જે અગત્યનું મનાતું અને આજના સમયમાંતો જેની એથીય વધુ જરૂર છે એવું વ્યવહાર કૌશલ્ય – વિચારવિવેક સુખી અને ગૌરવપ્રદ જીવનનું એક અગત્યનું જમાપાસું છે. આજે અહીં મૂકેલી સરળ અને સુંદર વાર્તામાં વ્યવહારીક શાણપણ અને ચાતુર્ય દેખાડતી નાની વહુ જેવી ગૃહિણીઓ ખરેખર ગૃહલક્ષ્મી બની રહે એ ચોક્કસ છે.


બે પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 13

શ્રી મહેશ દવે દ્વારા સંકલિત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’ અનેક સરસ ટૂંકી બોધકથાઓનો સંગ્રહ છે. તેમાંથી આજે બે સરસ બોધપ્રદ ટૂંકી કથાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ કથા કહે છે કે ઈશ્વરે એકલા મનુષ્ય માટે સૃષ્ટિ નથી બનાવી. વિશ્વની રચના સર્વ જીવો માટે કરવામાં આવી છે. ખરી શાંતિ અંદરના ધ્યાનની છે.તો બીજી કથા ભાવિના ગર્ભમાં સમાયેલા મોઘમ ઈશારાઓને સમતા પૂર્વક સ્વીકારવાની વાત કરે છે.


શિબિરાજા – નાનાભાઈ ભટ્ટ 4

આપણી સંસ્કૃતિમાં શરણે આવેલાને રક્ષણ આપવાનો મહિમા ખૂબ મોટો છે. માનવી તો ઠીક, પણ શરણે આવેલા પશુ પક્ષીની સેવા તથા રક્ષા માટે જીવન ત્યજવા તૈયાર થયેલા અનેક મહાપુરુષોની કથાઓ જાણીતી છે. શિબિરાજા પોતાને શરણે આવેલા હોલાના પ્રાણની રક્ષા માટે કઈ રીતે પોતાની જાતનો ભોગ આપવા તત્પર થાય છે અને દેવોની કસોટીમાંથી તે પસાર થાય છે તેવી વાત પ્રસ્તુત વાર્તામાં સરસ રીતે આલેખાઈ છે.


ગજેન્દ્રમોક્ષ – કરસનદાસ માણેક 5

આપણી પુરાણકથાઓ રસસંપન્ન, બોધપ્રદ અને માહિતિસભર હોય છે. આવી જ એક કથા એટલે ગજેન્દ્રમોક્ષ. શ્રી કરસનદાસ માણેકની નીવડેલી કલમે આજે માણીએ ગજેન્દ્રમોક્ષ. હૂહૂ નામે એક ગંધર્વ પોતાની કળાસિદ્ધિને કારણે મદોન્મત્ત બનીને, તપસ્વી પુરુષોનું અપમાન કરતો કરતો જગતમાં ફરી રહ્યો હતો. એવામાં એકવાર તેને ધૌમ્ય માનમા એક મહામુનિનો ભેટો થઇ ગયો. ધૌમ્ય પોતાની ફકીરીની મસ્તીમાં જ મશગૂલ હતા. પણ ગર્વથી ચકચૂર બનેલા ગંધર્વને, એ મસ્તી શી રીતે સમજાય? એણે તો એ મસ્તીને જડતા જ સમજી લીધી અને ઉપહાસ અને અપમાનથી નવાજી. ઋષિએ એને શાપ આપ્યો:’તારો દેહ ગંધર્વનો છે,’ તેમણે કહ્યું.’પણ તારો આત્મા એક હિંસક મગરમચ્છ જેવો છે; માટે જા, તું મગરમચ્છ થઇ ને પડ.’…


થોડા માટે તાલ ન બગડે… – રંભાબહેન ગાંધી 7

સન્માર્ગે જવાની પ્રેરણા આપનાર કે અંધકારભર્યા રસ્તે પ્રકાશના એક જ કિરણે મંઝિલ દેખાડનાર પ્રસંગો, વાક્યો કે પ્રેરણાદાયી જીવનચરિત્રો એવા તે અનોખા હોય છે કે તેમની અસર સજ્જડ છાપ મૂકી જાય છે. એક જ દુહાની ભૂમિકા કેટકેટલા લોકોને પોતપોતાની નબળાઈઓ સ્વીકારીને સાચા રસ્તે લઈ જવામાં ભાગ ભજવે છે તે ઉપરોક્ત સુંદર દ્રષ્ટાંતકથા પરથી સુંદર રીતે ફલિત થાય છે. આવા નાનકડા અને ટૂંકા પ્રસંગો પણ કેટલા મહત્વના ઉપદેશના વાહક બની શકે છે તે પ્રસ્તુત વાત પરથી સ્પષ્ટ થાય છે.


ઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક 20

કહાની આમ તો સાવ સરળ અને સીધી સાદી છે. હજારો લોકોની જિંદગીમાં આ રોજની વાત છે, પણ એનાથી કોને ફરક પડે છે? બીજાઓની પીડાને સમજવાની ચિંતા કરવા જેટલો સમય સંકુચિત અર્થમાં આપણી પાસે અને બૃહદ અર્થમાં સમાજ પાસે વધ્યો છે ખરો? સમાજને આવી કહાનીઓથી કોઈ ફરક પડતો નથી. આવો જ એક રોજીંદો પ્રસંગ થોડીક અનોખી પશ્ચાદભૂમીમાં હાર્દિકભાઈ યાજ્ઞિકે અહીં આલેખ્યો છે. હાર્દિકભાઈની કલમ એક પછી એક કૃતિઓ સાથે નિખરતી જાય છે અને અક્ષરનાદને આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ હવે તેમનો આભાર માનવા જેટલી ઔપચારિકતા હવે રહી નથી.


સત્યવ્રત – ઉમાશંકર જોશી 8

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી સાહિત્યકાર ઉમાશંકર જોશીએ કવિતા, વાર્તા, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન જેવા અનેક સાહિત્યપ્રકારો ખેડ્યા છે. દારૂ, જુગાર અને ચોરીમાં પડેલો માણસ એક સાધુના માત્ર થોડાક સમયના સંપર્કે કેવો સુધરે છે, સાચું બોલવાના વ્રતથી તેના જીવનમાં અને ભાગ્યમાં કેવો પલટો આવે છે તે આ કથામાં બતાવ્યું છે. ચોર અને રાજા વચ્ચેના સંવાદો પ્રભાવશાળી છે તો ચોરની સાથે ક્યાંક પ્રધાનની સરખામણી અનાયાસ થઈ જ જાય! સરળ, સુઘડ અને બોધપ્રદ આ વાર્તા સાદ્યાંત અર્થગહન છે.


થીગડું – સુરેશ જોષી 17

પ્રસ્તુત વાર્તા ‘થીગડું’માં પ્રભાશંકરના જીવનની સમાંતરે ચિરાયુની કથા દ્વારા સ્મૃતિ અને અપેક્ષા વચ્ચે મૂકાયેલા માનવીનું જીવન કેવું હોય એ પ્રશ્ન ગૂંથાયો છે. ‘થીગડું’ના અભિધાયુક્ત અર્થથી લઈ વ્યંજનાપૂર્ણ અર્થ સુધીનો વિસ્તાર આ વાર્તામાં છે. ચિરાયુ તથા પ્રભાશંકરના સમય વાર્તાને અંતે એકબીજામાં ભળી જતા લાગે છે, જીવનસંધ્યાએ પોતાના કોટના રંગ સાથે મેળ ન ખાતું કપડું લઈને થીગડું મારવાનો વ્યર્થ પ્રયત્ન પ્રભાશંકર કરે છે. ચિરાયુ થીગડું મરાવવા બારણે બારણે ભટકે છે. એને માટે પેલું કપડું એના અસ્તિત્વનો અનિવાર્ય અને દૂર ન કરી શકાય એવો અંશ છે. કોઈકને તેનું વસ્ત્ર ફેંકીને તેને મુક્ત કરવો છે, પણ ચિરાયુને તો તેને સંધાવીને વધુ જીવવું છે, માનવમાત્રનો આ અમર વિષાદ છે. એની પૂર્ણતાની ખોજ કે સુંદર રહેવાની ઝંખના ભાગ્યે જ ટકાઊ રહે છે. બે સમાંતર કથાનકોમાં એકબીજાને ‘ઑવરલેપ’ કરતી ઝંખનાઓ, એકની અમરતાની ઝંખના અને બીજાની નાનકડી જિંદગીના વિષાદ અને એકલતાની વાત આ વાર્તાના અર્થઘટનને અનેક શક્યતાઓ આપે છે.


મારી નોકરી… – તેજસ જોશી 12

ચિત્રલેખા દીપોત્સવી, નવનીત સમર્પણ, આરપાર દીપોત્સવી અને મુબઈ સમાચાર જેવા પ્રકાશનોમાં જેમની ટૂંકી વાર્તાઓ છપાઈ ચૂકી છે તેવા શ્રી તેજસભાઈ જોશીની પ્રસ્તુત વાર્તા ભગવાન કૃષ્ણની પૃથ્વી પર કૃષ્ણલાલ તરીકે નોકરી મેળવવા આપેલા ઈન્ટરરવ્યુની – સાક્ષાત્કારની ઝલક દર્શાવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને મોકલવા બદલ અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ શ્રી તેજસભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૨) 6

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 1

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.


વરઘોડો – હાર્દિક યાજ્ઞિક 13

આજે પ્રસ્તુત એવી ટૂંકી વાર્તામાં હાર્દિકભાઈની નિરૂપણની, એક પ્રસંગને કેન્દ્રમાં રાખીને આખી વાત વર્ણવી શકવાની ક્ષમતા દેખાઈ આવે છે. નંદુનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેના ભૂતકાળને વાર્તાનું આગવું તત્વ બનાવીને વર્તમાનમાં તેના મનોજગતને પ્રસ્તુત કરે છે. વાર્તાનો અંત તેની સતત રહેતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


દીકરા ! – જગદીપ ઉપાધ્યાય 13

નર્મદ સાહિત્યસભા સૂરત અંતર્ગત આયોજિત કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૨ સને ૨૦૦૯ – ૧૦ માં કુલ ૩૧૭ વાર્તાઓ આવી હતી. અહીં ગુજરાત, ગુજરાત બહાર અને વિદેશથી પણ વાર્તાકારોએ ઉમળકાથી ભાગ લીધો હતો. આ જ વાર્તાઓમાંથી શ્રી જગદીપ ઉપાધ્યાયની ‘દીકરા !’ આજે સાભાર અહીં પ્રસ્તુત કરી છે. ‘દીકરા !’ એક અનોખી આભા સર્જતી વાર્તા છે, વાર્તાની બાંધણી જેટલી ચોક્કસ છે એટલો જ વાર્તાપ્રવાહ સતત છે. વાર્તાના ઉઘાડ વખતે વાચકના મનમાં સર્જાયેલા દ્રશ્ય ચિત્રના અંત સુધી પહોંચતા ભૂક્કા થઈ જાય એવી સજ્જડ કારીગરી લેખકે કરી છે. વાર્તાનો અંત ફૂલગુલાબી નથી, પણ જિંદગીની વાર્તાઓમાં ખાધું, પીધું અને રાજ કર્યું જેવા સુખદ અંત દરેક વખતે હોતા નથી. કથાવસ્તુ સત્યની લગભગ અડીને ચાલે છે, અને વાંચકને તેના પ્રભાવમાં અંત સુધી જકડી રાખે છે.


શમણાંનું મોત – વંદિતા રાજ્યગુરૂ દવે 11

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. ગરીબ ખોરડાંની એક વૃદ્ધાની પોતાની પૌત્રીને પરણાવવાની ઇચ્છા અને સગવડ ન હોવા છતાં ગમેતેમ કરીને આયોજન કર્યું છે એવો કરીયાવર આપવાના શમણાંનું કઈ રીતે અણધાર્યું મોત થાય છે એ પ્રસ્તુત વાર્તામાં બતાવવાનો તેમનો પ્રયત્ન છે. ગામઠી બોલીને ઉતારવાનો તેમનો પ્રયત્ન તથા ઝડપી પ્રસંગપટ વાર્તાની ખાસીયતો છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 15

જીવન એક પ્રવાસ છે તો એ પ્રવાસના અવરોધભર્યા, મુશ્કેલ માર્ગો પર આગળ વધવામાં હતાશા અનુભવાય, ઉત્સાહ ઓસરી જાય અને કોઇ બાજી ધારી હોય તે રીતે પાર ન પડતી હોય, સતત ચાલવા, પ્રગતિના પંથે સતત આગળ વધવા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણા વિદ્વાનોએ, સાક્ષરોએ ઉદાહરણો દ્વારા સૂચવેલા પ્રસંગોને – તેના મર્મને ઓળખીએ અને તે દ્વારા આપણા જીવનને વધુ ઉપયોગી, સાર્થક બનાવી શકીએ. પ્રસ્તુત છે આવા જ અત્યંત સુંદર ત્રણ પ્રસંગમોતી.


રમ્મફાસ્ટ કાકા – હાર્દિક યાજ્ઞિક 14

હાર્દિકભાઈનું નામ અક્ષરનાદના વાંચકો માટે નવું નથી. તેમની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર આવી ચૂકી છે. આજે પ્રસ્તુત વાતમાં હાર્દિકભાઈ એક પાત્રની, નામે ‘રમ્મફાસ્ટ કાકા’ની વાત કરવા તેમનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેમના ગુણોને અને પોતાના પર કરેલા ઉપકારને વર્ણવે છે. વાર્તાનો અંત તેની સતત જકડી રાખતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.