બે પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 13
શ્રી મહેશ દવે દ્વારા સંકલિત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’ અનેક સરસ ટૂંકી બોધકથાઓનો સંગ્રહ છે. તેમાંથી આજે બે સરસ બોધપ્રદ ટૂંકી કથાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ કથા કહે છે કે ઈશ્વરે એકલા મનુષ્ય માટે સૃષ્ટિ નથી બનાવી. વિશ્વની રચના સર્વ જીવો માટે કરવામાં આવી છે. ખરી શાંતિ અંદરના ધ્યાનની છે.તો બીજી કથા ભાવિના ગર્ભમાં સમાયેલા મોઘમ ઈશારાઓને સમતા પૂર્વક સ્વીકારવાની વાત કરે છે.