સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


વાચકોની પદ્યરચનાઓ.. – સંકલિત 1

ગુજરાત રાજ્ય સરકારના સચિવાલયમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી કિલ્લોલ પંડ્યા ગાંધીનગર, ગુજરાતના રહેવાસી છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ ગઝલરચનાઓ છે, શ્રી બાલકૃષ્ણ સોનેજીની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ એક સુંદર એક ગઝલ પ્રસ્તુત છે. ભાવનગરના શ્રી હાર્દિક મકવાણા અને શ્રી વિરલ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ પદ્યરચના છે. સર્વે મિત્રોની રચનાઓનું સ્વાગત છે, તેમની કલમને શુભકામનાઓ.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૮}

આજે માણો વેર વિરાસત નવલકથાનો અઢારમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


વાચકોની પદ્યરચનાઓ.. – સંકલિત 5

આજે જે મિત્રોની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે એમાંથી ફક્ત હિતેશભાઈ ત્રિવેદી સિવાય બધાંયની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ છે. પાલડી, અમદાવાદના વિભાવન મહેતાની રચના, જુનાગઢમાં ચાર દિકરીઓની હોનારતને લઈને લખાયેલી જીએચસીએલમાં કેમિસ્ટ હિતેશ ત્રિવેદીની કૃતિ, માતૃભૂમીના નરબંકાઓનું યશોગાન કરતી વિરલ ત્રિવેદીની રચના અને વિશાલ પારેખની બે રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આપ આ સર્વે નવોદિતોને વધાવશો અને તેમની રચનાઓ આપને ગમશે. અક્ષરનાદમાં સૌનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ 10

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર બીજીવાર પ્રસ્તુત થઈ રહેલી આ ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


INS કોચી? છે? નથી? નથી, છે? – અવધ પટેલ 9

અક્ષરનાદ પર શ્રી અવધ પટેલનો આ પ્રથમ લેખ છે અને આ દ્વારા સાહિત્ય ક્ષેત્રમાં ‘આઈએનએસ કોચી’ જેવા આપણા વિશિષ્ટ યુદ્ધજહાજ પરના સુંદર માહિતિભર્યા લેખ દ્વારા તેઓ પદાર્પણ કરી રહ્યાં છે ત્યારે તેમનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદ પર તેમનું સ્વાગત છે.


તું જ તારો ગાંધી… – રમેશ ચાંપાનેરી ‘રસમંજન ‘ 6

ગાંધીજીની જન્મજયંતિના આજના દિવસે ગાંધીજી આપણી વચ્ચે કઈ રીતે પ્રસ્તુત છે? તેમનું નામ અને ચહેરો તો અનેક રીતે આપણા રોજબરોજના વપરાશમાં આવે જ છે, પણ ગાંધીના વિચારોને ખરેખર આગળ ધપાવનાર અને વિશ્વને એ વિચારોના બળે સાચી દિશા દર્શાવનાર કોણ? રમેશભાઈની આ સરસ રચના ગાંધીજી અને એક સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સચોટ સંવાદ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ રમેશભાઈનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


ચાર ગઝલરચનાઓ.. – તખ્તસિંહ સોલંકી 15

તખ્તસિંહભાઈ સોલંકીએ તેમની અનેક સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવી છે, તેમાંથી આજે ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા તખ્તભાઈની ગઝલ છંદબંધારણને વરેલી, રચનાની શિસ્તમાં બંધાયેલ સુંદર ભાવસભર ગઝલરચનાઓ છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ રચનાઓ છે, તખ્તસિંહભાઈનું અક્ષરનાદ પર સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


સંકલિત પદ્યરચનાઓ – ટી. સી. મકવાણા 5

શ્રી મકવાણાની પદ્યરચના આ પહેલા વાચકોની સંકલિત રચનાઓમાં પ્રસ્તુત થઈ હતી, આજે તેમણે અક્ષરનાદને પાઠવેલી પાંચ રચનાઓ પ્રસ્તુત કરી છે. મહત્તમ અછાંદસ અને ક્યાંક લય પકડવાનો પ્રયત્ન કરતી આ રચનાઓની શાસ્ત્રીયતા કે બંધારણ વિશે કહેવા કરતા તેમના ભાવજગતની અને વિચારવિશ્વની વાતો પર ધ્યાન આપવું માણવાલાયક થઈ રહે છે. પદ્યસ્વરૂપની રચનામાં આગળ વધવા માટે તેમને શુભકામનાઓ.


ધરાધામ – રઘુવીર ચૌધરી 3

નાનપણમાં દાદાજી વૃક્ષની ઘટાની છાયામાં માળા ફેરવતા અને અગમનિગમની વાતો કરતાં, દાદાની એ બેઠકના અલભ્ય અનુભવો કવિને આજે પણ સાંભરે છે, અને એ બેઠકમાંથી તેમણે જે જીવનભાથું મેળવ્યું તેની વાત પ્રસ્તુત રચનામાં કવિ કહે છે. સમયનું ચક્ર ઘણું આગળ વધી ચૂક્યું છે પણ કવિનું મન એ ચક્રને પાછું ફેરવીને બાળપણમાં પહોંચી ગયું છે એ વાત કવિ રઘુવીર ચૌધરી કહે છે.


બે ગઝલરચનાઓ – જીજ્ઞા ત્રિવેદી 7

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પછી હવે બીજો સુંદર સંગ્રહ ‘શુકન સાચવ્યાં છે’ લઈને ઉપસ્થિત થયાં છે. ટૂંક સમયમાં એ સંગ્રહની ગઝલો તથા સંગ્રહનો આસ્વાદ આપણે માણીશું. આજે પ્રસ્તુત છે જીજ્ઞાબેનની બે નવી તરોતાઝા ગઝલો. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ જીજ્ઞાબેનનો આભાર અને શુભકામનાઓ.


ચાર મીરાકાવ્યો.. – લતા ભટ્ટ 9

આજે અહીઁ પ્રસ્તુત કરેલા ચાર મીરાકાવ્યો લતાબેન ભટ્ટ દ્વારા અક્ષરનાદને પાઠવવામાં આવ્યા છે. કાવ્યો મૌલિક તેમજ સ્વરચિત છે, સુંદર અને અર્થસભર છે તથા મીરા, શ્યામ, રાણા અને સ્વત્વની વચ્ચે કવયિત્રી પોતાનામાઁ ભક્તિનો સાર શોધવાની મથામણ કરે છે.. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ લતાબેનનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર 8

વ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક ‘છંદ કે સ્વચ્છંદ’ પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો – છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.


ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક.. – નીતિન ઢાઢોદરા 3

આજના બાળકની મનઃસ્થિતિ કેવી છે? માતાપિતા તરફથી એને શું મળવું જોઈએ અને શું મળે છે? અપેક્ષાઓ, ધારણાઓ અને આશાઓના ભારમાં એ સતત અન્યોની ઈચ્છાઓને વેંઢારતું રહે છે. સહેજ સ્નેહની આશામાં એ કેટકેટલું કરે છે? આવામાં કવિ નીતિન ઢાઢોદરા લઈને આવે છે એક ફુલટાઈમ વાલીની જરૂરતો વર્ણવતું અરજીપત્રક. અહીં પૂરી કરવાની જરૂરતો ભલે વાલી માટે વર્ણવાઈ હોય, પણ એ આખરે તો બાળકને એક અનોખું સ્નેહાર્દ્ર અને બાળસહજ વૃત્તિથી સભર બનાવવા માટેની પ્રાથમિક શરતો છે.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો બીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ગત અઠવાડીયાથી શરૂ થઈ રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


મારી બે ગઝલરચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

લાંબા સમય પછી આજે મારી બે ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રથમ રચના વિયોગમાં કે મોહભંગમાં ઝૂરતા એક પ્રેમીની સ્થિતિ બતાવે છે તો બીજી રચના જીવનના અનેક વળાંકો, અનેક ઘટનાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. સર્જન હમણાં ખૂબ ઘટી ગયું છે એવા અહેસાસ છતાં ગત અઠવાડીયે પૂર્ણ થયેલી આ બે ગઝલ રચનાઓ આપને ગમશે એવી આશા છે.


ચાર સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 6

નિશ્ચિત સમયાંતરે હું જેની રાહ જોતો હોઉં, અર્થસભર અને છંદારણમાં ગોઠવાયેલી ગઝલરચનાઓ રાકેશભાઈ હાંસલિયાની સર્જનક્ષમતામાં રસતરબોળ થઈને અને તેમના હસ્તાક્ષરમાં ઉતરીને જ્યારે પણ મળે, અત્યંત આનંદ આપે છે. રાકેશભાઈની ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વાચકોને પણ તેમની રચનાઓ માણવી ખૂબ ગમે છે એ તેમની ગઝલો પરના પ્રતિભાવો દર વખતે પૂરવાર કરી આપે છે. અક્ષરનાદને આ સુંદર ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત 1

વાચકોની કાવ્યરચનાઓ અંતર્ગત આજે ગુણવંતભાઈ વૈદ્યની ત્રણ કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ગુણવંતભાઈની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે અને વાચકો તેમની કલમને સુપેરે જાણે છે. આ સાથે જીએચસીએલમાં કેમિસ્ટ તરીકે કાર્ય કરતા શ્રી હિતેષભાઈ ત્રિવેદીએ પણ ઉંમરના પાંચ દાયકા પછી તેમની લખવાની ઈચ્છાને પ્રથમ વખત સાકાર કરી છે. તો સાથે સાથે મોરબીના વિશાલભાઈ પારેખ પણ પ્રથમ વખત ગઝલરચના પર હાથ અજમાવી રહ્યા છે. વાચકો જ જ્યારે સર્જન કરવા પ્રેરાય એ હેતુ આ રચનાઓ મળ્યે સાકાર થતો દેખાય એ આનંદ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


મનનીય શે’ર સંકલન – જિતેન્દ્ર પ્રજાપતિ 7

જિતેન્દ્રભાઈની છંદબદ્ધ, ગઝલની પૂરેપૂરી શિસ્ત સાથે ઉતરતી, અર્થસભર અને ચિંતનપ્રેરક ગઝલરચનાઓનો હું હંમેશાથી મુરીદ રહ્યો છું. તેમની ગઝલરચનાની સફરને નજીકથી જોવાનો અને અનુભવવાનો અવસર મળ્યો છે. અક્ષરનાદ પર પણ તેઓ સતત અને નિયમિતપણે ગઝલરચનાઓ પાઠવતા રહ્યા છે. ગત મહીને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત તેમનો પ્રથમ ગઝલસંગ્રહ, ‘હું હવે કાગળ ઉપર’ તેમણે પાઠવ્યો છે. થોડાક દિવસોમાં ગઝલસંગ્રહનો આસ્વાદ અક્ષરનાદ પર માણીશું, આજે પ્રસ્ત્તુત છે તેમાંથી થોડાક, ‘વાહ’ કહેવા મજબૂર કરી દે એવા મનનીય શેર.


ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 5

રાજકોટના પ્રસિદ્ધ ગઝલકાર મિત્ર રાકેશભાઈ હાંસલિયાની કલમે અવતરેલી ચાર તરોતાઝા ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે વાચકમિત્રોને આ નવી રચનાઓ ગમશે. રાકેશભાઈ સદાય તેમની નવીન રચનાઓ અક્ષરનાદ વાચકો સાથે વહેંચે છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


વાચકમિત્રોની કાવ્યરચનાઓ.. – સંકલિત 9

અક્ષરનાદ માટે અનેક મિત્રોની રચનાઓ મળતી રહે છે જેમાં ૯૦% પદ્યરચનાઓ હોય છે, કેટલીક સુંદર અને માણવાલાયક કૃતિઓ પ્રસ્તુતિ માટે મળે છે અને સાથે એમાં કેટલીક રચનાઓ એવી પણ હોય છે જે ભૂલો સાથે પણ, કોઈ બંધારણમાં બેસી શકે એવી કદાચ જ હોય. જે મિત્રો પ્રથમ વખત કાવ્યરચના કરતા હોય તેમની ભૂલ થવી સ્વભાવિક છે, તેમની રચનાઓમાં વિચારના પ્રાધન્યને લીધે અને શાસ્ત્રીય સર્જનની જાણકારીના અભાવને લીધે પ્રસ્તુતિ માટે પસંદ ન થાય એવો ભય પણ રહે છે. પણ ત્યારબાદ વધુ સર્જન કરતી વખતે તેઓ જે તે પદ્યપ્રકારની જાણકારી મેળવી સર્જનરત થાય તે ઇચ્છનીય છે. લગભગ બંને પ્રકારની રચનાઓનો સમન્વય કરીને સમયાંતરે આ પદ્યરચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થાય જ છે, એ જ શ્રેણીમાં પસંદ કરીને આજે પાંચ મિત્રોની કૃતિઓ પ્રસ્તુત કરી છે. સંજય ગુંદલાવકર, ટી.સી. મકવાણા, વિનોદ પટેલ, આશિષ આચાર્ય અને હંસા રાઠોડ ‘અનુભૂતિ’ ની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બધાંય મિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર અને તેમની સર્જનયાત્રા માટે શુભેચ્છાઓ.


પાંચ કાવ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 4

બદલાતા સમય અને સંજોગોની સાથે સર્જનમાં સંકળાતી વાતો પણ રંગાય છે. મિતુલભાઈની પાંચ રચનાઓ પૈકીની પહેલી ‘વ્યથા’ આવી જ વાત લાવી છે, જે સત્યઘટના આસપાસની છે. નાયક તેની પરણેતર ને મળવા માટે તરસી રહ્યો હતો અને પેલી તેની વહુની વડીલોની આમન્યા અને ગરીબ ઘરમાં સુવાની સંકડાશથી તે વ્યથિત થઇ ગયો હતો. જયારે લગ્નના બે ચાર દિવસ પછી તેના વૃદ્ધ બાપને મળવા અને હરખ કરવા આવતા ગામના વયોવૃદ્ધો તેના બાપને કહેતા કે “આતા હવે તો દાદા બનશે પશી થોડા આપડી વાટ જોઈ ને બેહી રેવાના, એય ને આવનારા કિકલા હાર્યે ટેમ કાઢી નાખશે…” ત્યારે નાયક છોભીલું હસી ને આઘોપાછો થઇ જતો. આવા જ ભાવો સાથે વણાયેલી તેમની પાંચ કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. મિતુલભાઈનો આ રચનાઓ બદલ આભાર અને શુભકામનાઓ.


ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ 6

ઉર્વશીબેન પારેખની ચાર કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ


વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત 9

વાચકમિત્રોનો અનેરો પ્રતિભાવ અને પ્રેમ તેમની પ્રથમ પ્રયત્નની રચનાઓમાં ખૂબ જોવા મળે છે. કાંઈક લખવાની મહેચ્છા જે રીતે તેમની પાસે આ સુંદર રચનાઓ કરાવે છે એ ખરેખર આનંદ આપે છે. અક્ષરનાદ પર જેમની રચનાઓ આજે પ્રથમ વાર આવી રહી છે એવા મિત્રો, જિગરભાઈ અભાણી, કિશોરભાઈ પઢિયાર, નિરલભાઈ દ્વિવેદી અને ભૂમિકાબેન માછીની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદ વાચકો તેમને વધાવી લેશે એવી શુભેચ્છાઓ સાથે સર્વેનો અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ આભાર.


ત્રણ અનોખી પદ્યરચનાઓ.. – સંજય થોરાત 12

કલ્પતરૂ પાવર ટ્રાન્ઝમિશન લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા સંજયભાઈ થોરાત અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે અને વિશેષતઃ લેખન સાથે સંકળાયેલા છે. ગાંધીનગર સાહિત્ય સભાના મંત્રી, અનેક પ્રકાશનોમાં પોતાની કલમ ચલાવતા સંજયભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, એ માટે તેમનું ઓનલાઈન વિશ્વમાં સ્વાગત છે. તેમની ત્રણેય રચનાઓ અનોખી છે, સ્વાઈન ફ્લ્યૂ, બુરખો અને ફેસબુક એ ત્રણેય સુંદર પદ્ય રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ સંજયભાઈનો આભાર અને શુભકામનાઓ.


બે પદ્ય રચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 9

ઘણાં વખતથી ડ્રાફ્ટમાં રહેલ આ બંને રચનાઓ પ્રસ્તુત કરવાની લાલચ આજે રોકી શક્તો નથી. મેં સામાન્યપણે અનુભવ્યું છે કે વ્યવસાયિક તણાવ અને ખેંચતાણ અત્યંત વધી જાય ત્યારે મારું સર્જન પણ વધતું જાય છે, એ રીતે છેલ્લા પાંચેક મહીનાની કપરી વ્યવસાયિક રાજકીય અવ્યવસ્થાને લીધે થયેલ સર્જનો હવે બહાર નીકળવા તક શોધશે. આજે પ્રસ્તુત છે મારી બે રચનાઓ, એક ગીત છે અને એક ગઝલ (જેવું, જો ગઝલ ન લાગે તો!) છે. આશા છે મિત્રોને ગમશે. આપના અભિપ્રાય જાણવા ગમશે.


જોહાન ગટેનબર્ગ – રજની વ્યાસ 7

જોહાન ગટેનબર્ગ (Johann Gutenberg) નો જન્મ જર્મનીના એક સુશિક્ષિત અને ઉચ્ચકુળના ગેન્સફ્લિશ કુંટુંબમાં સન ૧૪૩૭માં થયો હતો. જોહાનના પિતા જર્મનીમાં મેઝ ગામમાં આવેલી ટંકશાળમાં ખજાનાના મોટા અધિકારી હતા. મેઝ ગામ રહાઈન નદી ઉપર આવેલું મોટું વ્યાપારી શહેર હતું. જોહાને એક લૅટિન શાળામાં અભ્યાસ કર્યો હતો. સમય પસર કરવા તે ઘરમાં લાકડાના બ્લૉક્સ સાથે રમતો હતો. એ જમાનામાં છાપવા માટેનાં ચિત્રો પણ લાકડાના ટુકડા ઉપર કોતરી કાઢવામાં આવતાં હતા. તેના ઉપર શાહી ચોપડીને તેની છાપ કાગળ ઉપર તે ચિત્ર ઉપસાવાતું હતું એ ચિત્રો બાઈબલના વિવિધ પ્રસંગોને લગતાં હતાં.


શે’ર બહાર – સંકલિત 7

આજે પ્રસ્તુત છે શ્રી આશિત હૈદરાબાદી દ્વારા સંકલિત પુસ્તક ‘વાહ! ક્યા અંદાઝેબયાં..’ માંથી તારવીને મૂકેલા મને ગમી ગયેલા કેટલાક અદ્વિતિય શે’ર જેને માણીને તમે પણ ચોક્કસ ‘ક્યા બાત’ કહી ઉઠશો.


કોઈ બહારગામ ગયુ હોય.. – સુરેશ દલાલ, આસ્વાદ – તરુ કજારીયા 4

કોઈ બહારગામ ગયુ હોય
અને આપણને આવીને કહે
કે તમે મને યાદ આવ્યા હતા
તો મનને કેટલું સારુ લાગે… એ સુંદર કાવ્યનો આસ્વાદ…


ચાર ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 12

ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘ક્ષણોની મહેફિલ’ ગત અઠવાડીયે મળ્યો. ખૂબ પ્રેમથી તેમણે એ મને પાઠવ્યો એ બદલ તેમનો આભાર. તેમની ઇ-મેલ દ્વારા મળતી ગઝલોમાંથી પસાર થવાનો અવસર તો ઘણી વખત માણ્યો છે, પણ તેમના સંપૂર્ણ ગઝલસંગ્રહમાંથી પસાર થવાની ખૂબ મજા પડી. તેમાંથી મને ગમી ગયેલી ગઝલોમાંથી ચાર આજે પ્રસ્તુત કરી છે. ડૉ. મુકેશભાઈને આ સંગ્રહ બદલ અભિનંદન અને તેમની કલમને ભવિષ્યમાં આવા અનેક સંગ્રહો માટેની શુભકામનાઓ.