ધરાધામ – રઘુવીર ચૌધરી 3
નાનપણમાં દાદાજી વૃક્ષની ઘટાની છાયામાં માળા ફેરવતા અને અગમનિગમની વાતો કરતાં, દાદાની એ બેઠકના અલભ્ય અનુભવો કવિને આજે પણ સાંભરે છે, અને એ બેઠકમાંથી તેમણે જે જીવનભાથું મેળવ્યું તેની વાત પ્રસ્તુત રચનામાં કવિ કહે છે. સમયનું ચક્ર ઘણું આગળ વધી ચૂક્યું છે પણ કવિનું મન એ ચક્રને પાછું ફેરવીને બાળપણમાં પહોંચી ગયું છે એ વાત કવિ રઘુવીર ચૌધરી કહે છે.