સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


ઑફિસમાં સર્જાતા ‘કામાયણો’ ! – ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી 7

માણસના મનમાં અજાગ્રત રીતે જાગતું વિજાતીય ખેંચાણ આજની પેઢીમાં – નોકરીઓમાં સતત નજીક રહેતા લોકોમાં અસંબદ્ધ રીતે ઉદ્ભવે છે. એ અકળાવે છે, ક્યારેક ઉકાળે છે. આ અસંતોષ વકરે ત્યારે સામાજિક રીતિ-રિવાજોનો તાલમેલ તોડીને મનોવિકૃતિ કે મનોરુગ્ણતા રૂપે પ્રગટતો હોય છે. કાવ્યમાં કલ્પના છે એક મોટી કોર્પોરેટ ઓફિસની જેમાં એકી સાથે અનેક સ્ત્રી પુરૂષોને ઑફિસના કામ નિમિત્તે પરસ્પર મળવાહળવાનો ને ટોળટપ્પાનો અવકાશ છે, ને તે છતાંય ઑફિસ છે એટલે જવાબદારીનો બોજ છે, જાહેર સ્થળ હોવાથી એ મનોવિકૃતિઓને યથેચ્છ પ્રકટાવવાનો મોકો આપતું નથી. પણ એમાંથી ચોરાયેલી ક્ષણોમાં નરનારીઓ છાનગપતિયાંની રમત રમે છે.


એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા 6

પ્રસ્તુત ગઝલ ‘એ સમયની વાત સાંભળ…’ બદલાતા સમય, આધુનિકીકરણ – શહેરીકરણ અને જીવનપદ્ધતિઓ સાથે તાલ મેળવી રહેલા માનવે ગુમાવેલી અનેક યાદગાર વાતોનો સુંદર સંચય લઈને આવે છે. આ બધી સવલતોને કાંઈ વર્ષો વીતી ગયા નથી… હમણાં, આ નજીકના ભૂતકાળમાં આપણી પાસે આ બધુંય હતું, પણ આજે એને કોરાણે મૂકીને આગળ વધી ગયેલા આપણે હવે ફક્ત એ સમયની વાત જ સાંભળવાના. અક્ષરનાદને આ સુંદર રચના મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની 13

આમ તો આ બાળવાર્તા કહેવાય, પણ મેનેજમેન્ટના કોઈ પણ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ ગણી શકાય તેવી આ વાર્તા અનેક અર્થો દર્શાવી શકે તેમ છે, તારવી શકાય તેવું નવનીત આમાં ભારોભાર પડ્યું છે. અનેક વ્યવસ્થાઓ પરનો કટાક્ષ પણ આમાંથી સજ્જડ ચોટ આપતો છલકાય છે. બાળકોથી લઈને મોટેરાંઓ સુધી સહુને લાગૂ પડતી આ વાર્તા ખરેખર ફક્ત બાળવાર્તા થોડી છે !


બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી 5

પ્રસ્તુત ગઝલ પરંપરામૂલક અને અભિધામૂલક છે. આજના મનુષ્યની જિંદગી ઢંઢોળવા આ લખાઈ હોય તેમ લાગે. કવિનો અહીં પવિત્ર આક્રોશ પ્રગટ થાય છે, તેઓ કહે છે કે જે અલ્લાહ અને રામને નામે થતાં દંગલોમાં અનેક લોકો મરે છે તે તો નિર્દોષ મનુષ્ય જ છે. ઘૃણાસ્પદ કામો થયા કરે એ અવગણીને માત્ર જીભથી રટાતા નામનો કવિને ખપ નથી એ મતલબનું અને અંતે પ્રેમ અને સહ્રદયતાની સરસ વાત સમજાવતી પ્રસ્તુત ગઝ્લનો આસ્વાદ રમેશ પારેખે તેમના સંપાદિત પુસ્તક ‘કવિતા એટલે આ…’ માં આપ્યો છે.


તુમ્હેં યાદ હો કિ ન યાદ હો – મોમિન 3

૧૮૦૦ની સાલમાં જન્મેલા હકીમ મોમિનખાન ‘મોમિન’ મિર્ઝા ગાલિબ તથા ઝૌક વગેરેના સમકાલીન ગઝલકાર હતા. બહાદુરશાહ ઝફરના દરબારમાં શાયરોની પંક્તિના અવિભાજ્ય અંગ એવા મોમિન પ્રેમની ભાવઉર્મિઓથી ભરપૂર ગઝલ અને નઝ્મ એટલી મધુર અને નાજુક ભાષામાં રચતા કે તેમની શાયરીના ગાલિબ પણ પ્રશંસક હતા. આજે પ્રસ્તુત છે તેમની એક સરસ અને સાદ્યાંત ઈશ્કના મિજાજમાં ડૂબેલી જાનદાર ગઝલ.


રામાયણ (અનુઆધુનિક) – અશ્વિન ચંદારાણા 15

‘રખડપટ્ટી’, ‘બિલ ગેટ્સ’, ‘હું ચોક્કસ આવીશ’ જેવા સુંદર પુસ્તકોના લેખક, જાણીતા ગઝલકાર, બાળસાહિત્યકાર એવા શ્રી અશ્વિન ચંદારાણાની પ્રસ્તુત રચના સપ્ટેમ્બર 2007 માં ‘કવિતા’ સામયિકમાં પ્રસ્તુત થઈ હતી. સદાકાળ સંદર્ભો અને પ્રસંગોના ઉલ્લેખ છતાં એ જ ઘટનાઓને નોખા પરિપ્રેક્ષ્યમાં આજના સંદર્ભે પુન: પ્રસ્તુત કરવાનો સરસ પ્રયત્ન તેમણે કર્યો છે. બદલાયેલા મૂલ્યોને લઈને તેની રામાયણ સાથેની સરખામણી અહીં જોઇ શકાય છે. રામાયણનું પ્રસ્તુત અનુઆધુનિક સ્વરુપ વાંચકોને ગમશે એવી આશા છે. આ રચના અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી 5

શ્રી હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ ના કાવ્યસંગ્રહ ‘પછી’ નો આસ્વાદ લેખ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહના વિવિધતા ભર્યા સંચયમાંથી એક અનોખું અછાંદસ – (કવિ) અર્જુનને કૃષ્ણોપદેશ. મનપ્રદેશમાં રહેતા શબ્દો જ્યારે અક્ષરદેહ ધારણકરીને કાગળ પર અવતરિત થવા આનાકાની કરતા હોય અને એ ખેંચતાણને લઈને શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર થયેલા અર્જુનને નાદરૂપી શ્રીકૃષ્ણ મનમાં પડઘાતા શું કહે છે…. આવો જાણીએ એ જવાબ શ્રી અલ્પ ત્રિવેદીના આ સુંદર અછાંદસ દ્વારા.


આજ પધારે હરિ – ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ (Audiocast) 8

શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ની ‘સકલ કવિતા’ માંથી શ્રી માધવ રામાનુજ, સંગીત નિર્દેશક સ્વ. શ્રી છીપા તથા શ્રી સ્નેહરશ્મિના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ દ્વારા પસંદ કરાયેલી રચનાઓ ‘સ્નેહનિકેતન’ દ્વારા સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે. સંગીત નિર્દેશન સ્વ. શ્રી એફ. આર. છીપા દ્વારા તથા સંગીત સંચાલન શ્રી અમિત ઠક્કર દ્વારા કરાયું છે. અક્ષરનાદને આ આખુંય આલ્બમ મોકલવા બદલ શ્રી સિદ્ધાર્થ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહની બધી રચનાઓ સમયાંતરે આપણે માણીશું. આજે એ જ સંગ્રહમાંથી માણીએ એક સુંદર રચના …. ‘આજ પધારે હરિ’ ઑડીયો સ્વરૂપે.


બે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ 3

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે, તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે, તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે. તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે, તત્વમસી, અતરાપી, અકૂપાર, કર્ણલોક, અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય ‘ગાય તેના ગીત’, લેખન પ્રત્યેની આગવી સૂઝ, ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે. આજે એ બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે આ નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 3

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની બે ગઝલ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો શ્વાસને પણ સંબંધી બનાવી દે છે, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે, તો ઝંખનાઓનું ભેગા થવું એટલે લાગણી એવો અર્થ પણ અહીં ઉપસે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 21

આજે પ્રસ્તુત છે એક ખૂબ જ સુંદર ગઝલપઠન, “પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે….” ચાલો સાંભળીએ આ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં. ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.


If you call me – સરોજીની નાયડુ, અનુ. મકરન્દ દવે 2

સરોજીની નાયડુ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્યાનના તેમના ઈંગ્લેંડ નિવાસ દરમ્યાન લંડનની કિંગ્સ કોલેજમાં ભણ્યા. અહીં તેમનો પરિચય અને સંપર્ક અંગ્રેજ કવિ આર્થર સિમન્સ સાથે થયો. સરોજીની નાયડુના કાવ્યોના પુસ્તકોમાં ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલ “ધ ગોલ્ડન થ્રેશોલ્ડ”, “ધ બર્ડ ઓફ ટાઈમ” અને “ધ બ્રોકન વિંગ” મુખ્ય છે. ઉપરોક્ત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ “ધ બ્રોકન વિંગ” માંથી લેવામાં આવેલું છે. પ્રિયતમના ફક્ત એક જ ઈશારે, ફક્ત એક પોકાર પર ઓળઘોળ થવા, દોડીને આવવા તત્પર પ્રેમિકાનું પ્રાથમિક શબ્દચિત્ર અહીં દેખાય, પણ અંતિમ ચાર કડીઓમાં એ કાવ્ય પ્રિયતમથી ક્યાંય આગળ વધીને વિશ્વસમ્રાટ ઈશ્વર સુધી પહોંચતું હોવાની અનુભૂતિ થાય જ.


બે ગઝલો – શૂન્ય પાલનપુરી 9

અલીખાન ઉસ્માનખાન બલૂચ ‘શૂન્ય પાલનપુરી’ સાહેબના સમગ્ર સર્જનનો રસથાળ પીરસતું પુસ્તક શૂન્યની સૃષ્ટિ હમણાં માણી રહ્યો છું. તેમના અનેક સદાબહાર સર્જનોનો અહીં ભંડાર છે. સંવેદનાની સણસણતી ચોટ, સૂર શબ્દ અને ભાષા પર પ્રભુત્વ તથા ક્યારેક અધ્યાત્મવાણીની ઝલક તેમની ગઝલોમાં દેખાઈ આવે છે. હૈયામાં ઉઠેલી ટીસ અને દર્દનો નાતો તેમની ગઝલો સાથે કાયમ રહ્યો છે. એમની જે ગઝલોમાં ભારોભાર દર્દ છે તે હૈયાને રડાવી જાય છે, તો તેમના અર્થસભર શબ્દપ્રયોગો થાકેલા મનને નવી વિચારદિશા આપે છે.


માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast) 23

માં બાપને ભૂલશો નહીં; સંત પુનિતની આ રચના જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે એક અનોખી લાગણી ઉભરાઈ આવે. આજના અતિઆધુનિક ઝડપી યુગમાં ઘરથી, માતાપિતા અને સગાવહાલાઓથી કેટલાય જોજનો દૂર, ભલેને એ મજબૂરીને લીધે હોય, છતાંય વસતાં આપણે આ ગીતની શીખને કેટલી પચાવી શકીએ છીએ, અને એ પચાવીએ તોય તેને કેટલી અમલમાં મૂકી શકીએ છીએ એ સમજવાનો અને વિચારવાનો વિષય છે. એવામાં આપણા સાહિત્યરત્નોમાં રહેલો આવો જ કોઈક ‘નાદ’ મનને ક્યાંક ઝંઝોળતો હશે, શું કહેતો હશે ? સાંભળો ……


લાડકડી – બાલમુકુંદ દવે 5

વહાલી લાડકડી દીકરીને વિદાય આપતી વખતે, કન્યાદાન કરતી વખતે માતા પિતાના મનમાં ઉગતા મનોભાવો, સુખ અને દુ:ખની મિશ્ર લાગણીઓની વાત શ્રી બાલમુકુંદ દવેની આ રચનામાં અદભુત રીતે ઝીલાય છે. કન્યાવિદાયના ગીતો અને કાવ્ય રચનાઓની આપણા સાહિત્યમાં કોઇ ખોટ નથી અને ભાવપૂર્ણ રચનાઓ પહેલેથી જ ભાવકોને આકર્ષતી રહી છે. આજે પ્રસ્તુત છે એવી જ એક વહાલભરી, પ્રેમસભર સુંદર રચના


મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) 2

સંપાદકોએ કવિની સમગ્ર ગઝલ કૃતિઓમાંથી ચુનંદા ૧૫૧ શેરોની પસંદગી કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું શીર્ષક ૧૫૧-હીરા યથાર્થ છે કારણ કે કવિ મુસાફિર પાલનપુરીના વિપુલ ગઝલ સર્જનરૂપી સાગરમાં મહાલતાં-મહાલતાં અને ડૂબકીઓ લગાવતાં હાથ લાગેલા રત્ન સમા ચુનંદા શેરો અમોએ આ પુસ્તિકાના પાને પાને ટાંક્યા છે ! કવિની મૂડી એના શબ્દનું તેજ હોય છે, એના ઝળહળાટ થકી કવિ સહ્રદયોના દિલ-દિમાગને અજવાળી શકે. અહીં મૂકાયેલા કવિ મુસાફિરના આ બધા જ શેર કવિની સંવેદી ચેતનાનો અમૂલ્ય ખજાનો છે. પ્રતિભાશાળી ભાવકો માટે આ પુસ્તિકા રત્નવાટિકા જ નહી, રસવાટિકા પણ બની રહેશે.


શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) 6

વિચારપ્રેરક અને પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ ભટ્ટ દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. ભક્તિ રચના હકિકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે આ “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરેલી. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ-ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે.અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત 2

ધૂળેટીનો સપરમો દહાડો છે, ઘેરૈયાઓના ટોળા મળ્યાં છે અને આવતા જતા બધાંયને વિવિધ રંગોએ રંગવા ઘેરૈયાઓ તૈયાર થઈ ઉભા છે, તેમણે ઘેરો ઘાલ્યો છે. આવા જ અર્થની વાત શ્રી વેણીભાઈ પુરોહિત પ્રસ્તુત કાવ્યરચના અંતર્ગત કહે છે. નવા ઇલાલને સંબોધીને કહેવાયેલી આ વાતઆજના તહેવાર સાથે કેટલી બંધબેસતી આવે છે?

સર્વે વાંચક મિત્રોને અક્ષરનાદ તરફથી હોળી – ધૂળેટીની અનેક શુભકામનાઓ.


આશિર્વાદ – રૂપેન પટેલ 20

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘આશિર્વાદ’ જીવનના સંજોગોમાં થતા ફેરફારને લીધે ક્યારે કોની જરુરત પડે એવી અનિશ્ચિતતાઓનિ વચ્ચે મહેકતા માનવધર્મને, સમાજવ્યવસ્થાને લીધે જળવાઇ રહેલિ વર્ણવ્યવસ્થા અને તેને લઇને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ વિશેનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે 4

શ્રી હરિન્દ્ર દવેની અનેકો રચનાઓમાં કૃષ્ણપ્રેમ અચૂક ઝળકે છે. તેમની આવી જ કૃષ્ણના રંગે રંગાયેલ રચનાઓનો સંગ્રહ એટલે સંગ્રહ ‘મારગે મળ્યા’તા શ્યામ’. આ સુંદર સંગ્રહમાંથી આજે પ્રસ્તુત છે બે કૃષ્ણપ્રીતીની રચનાઓ. પ્રથમ રચનામાં જ્યાં કૃષ્ણના વાંક દેખાડીને ગોપીઓ તેમની હાજરીને ઝંખે છે તો બીજી રચના, ‘રથના ચીલામાં આંખ પૂરો’ તેમના મથુરા ચાલ્યા ગયા પછીની રાધા અને ગોપીઓની મનોસ્થિતિનું પ્રભાવી વર્ણન કરી જાય છે. સુંદર ઉપમાઓને લીધે આ કાવ્ય પણ માણવાયોગ્ય અને મનભાવન થયું છે. તો સાથે એ જ પુસ્તકમાંથી કાંગડા શૈલીમાં અંકિત થયેલી રાધા કૃષ્ણની છબી મૂકી છે.


દોસ્ત આનું નામ તો… જિન્દગાની – જિજ્ઞેશ અધ્યારૂ 14

ક્યારેક કોઈક મનપસંદ ગીત ગણગણતા, એની કડીઓમાં, એના સંગીતના પ્રભાવમાં કાંઈક નવું સર્જન થાય એવું મારી સાથે આ પહેલા પણ એકાદ બે વખત થયું છે. આ વખતે આ પ્રક્રિયા થોડીક ઝડપી રહી કારણકે કોઈ સુધારા વધારાની અપેક્ષા વગર સતત એક પછી એક પંક્તિઓ સાથે આ આખુંય ગીત સ્ફૂર્યું છે. આજે એ જ આપ સૌની સાથે વહેંચી રહ્યો છું, જેથી તેના વિશે આપના પ્રતિભાવો જાણી શકાય.

જ્યાં શરૂ, ત્યાં ખતમ, આમ થઈ આ કહાની,
દોસ્ત આનું નામ તો રાખશું જિન્દગાની…..


મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી 6

આજે શ્રી ઝવેરચંદ મેઘાણીની પૂણ્ય-તિથિ છે. ( 28 ઑગષ્ટ 1896 — 9 માર્ચ 1947 ) આજે તેમની કલમની પ્રસાદી, “મન મોર બની થનગાટ કરે…” વિશે તેમણે 1944 માં કહેલું, “કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલું, અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.”


ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ 2

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે’રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.


બે ગઝલો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 3

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ આપણી ભાષાના એક ખૂબ જાણીતા – માનીતા કવિ છે. તેમના ‘છોડીને આવ તું…’ ગઝલસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ૨૦૦૫ નો પ્રથમ પુરસ્કાર અને હરિન્દ્ર્ર દવે પારિતોષિક મળ્યાં છે. તો તેમનો બીજો ગઝલસંગ્રહ ‘કોઈ તારું નથી’ પણ એવો જ મનનીય અને સુંદર ગઝલોનો ગુચ્છ છે, જેમાંથી આજે બે ગઝલ અહીં ઉદધૃત કરી છે. બંને ગઝલો અને તેના પ્રત્યેક શે’ર સાંગોપાંગ, સીધી ચોટ કરીને ભાવકના હ્રદયને સ્પર્શે એવા સુંદર અને અર્થપૂર્ણ છે. આ જ પુસ્તકમાં તેમણે કેટલાક સુંદર મત્લા પણ આપ્યા છે, જેમાંથી કેટલાક આજે અહીં લીધાં છે.


‘કઈંક ઢીંચાક’ – એક સંગીતમય અવસરમાં જોડાવાનું આમંત્રણ… 1

આ “અવસર પરિવાર” ગુજરાતી સુગમસંગીતથી મઢેલું પોતાનું પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) “કઈંક ઢીંચાક” બહાર પાડવા જઈ રહ્યું છે. તો જે કોઈ કવિ મિત્ર આ આલ્બનો ભાગ બનવા ઇચ્છતા હોય તેમના માટે કેટલીક અગત્યની માહિતી.


બે કાવ્યરચનાઓ – જગદીશ જોશી 8

શ્રી જગદીશ જોષીની કવિતાને શ્રી સુરેશ દલાલ ‘કાળા ગુલમ્હોરની કવિતા’ કહે છે. તેમની કવિતામાં કવિતા વિશેના કાવ્યો છે, રાજકારણ અને સામાજિક અભિજ્ઞતા છે, કટાક્ષ છે, નગરજીવનની વ્યથા છે, જીવનનો થાક અને કંટાળો છે, મૃત્યુની ઝંખનાના કાવ્યો છે. એમની કવિતામાં પરંપરા છે, પણ એ કવિતા પરંપરાગત નથી. એ પ્રયોગશીલ છે, પણ અખતરાબાજ નથી. વેદના અને તેની સચ્ચાઈ છે ચિત્રાત્મકતા છે, અભિવ્યક્તિની તાજગી છે. આવા જ આપણી ભાષાની યાદગાર રચનાઓના કર્તા એવા શ્રી જગદીશ જોષીની બે રચનાઓ આજે પ્રસ્તુત છે.


બે ગઝલો – લલિત ત્રિવેદી 5

શ્રી લલિત ત્રિવેદીની ઉપરોક્ત બંને ગઝલો ચોટદાર અંદાઝેબયાંના સજ્જડ ઉદાહરણો પ્રસ્તુત કરે છે, પ્રથમ ગઝલમાં જ્યાં ગઝલકાર પ્રિયતમા અને/અથવા પરમેશ્વરને સંબોધતાં હોય તેવો અહેસાસ ભાવકના મનમાં સહેજે ઉપસે, પ્રભુને કાંઈક પ્રત્યક્ષ કરી દેખાડવાની વાત તો ફક્ત ગઝલકાર જ કહી શકે, તો બીજી ગઝલમાં પોતાની – સ્વની સીમાઓને વર્ણવતા તેઓ એ જ ઇશ્વરને સંબોધીને પોતાના અસ્તિત્વને વિવિધ સ્વરૂપોમાં જેમ કે, ક્ષણભ્ંગુર, ઘેઘૂર, મજબૂર, ચકનાચૂર જેવા કાફિયાઓ દ્વારા ખૂબ અસરકારક રીતે કહી જાય છે. ટૂંકમાં બંને ગઝલો નમૂનેદાર અને માણવાલાયક બની છે.


બે ગઝલો – મનોજ ખંડેરિયા 3

શ્રી રાજેન્દ્ર શુક્લ જેમના માટે કહે છે, ‘કરતાલ, કરતાલ વિષે જબ અલખની ખોજ હશે, દેખાય ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.’ એવા આપણી ભાષાના પ્રયોગશીલ કવિતાના – ગઝલના એક અગ્રગણ્ય સર્જકની બે ગઝલો આજે પ્રસ્તુત છે. પ્રથમ ગઝલ ‘સાચવી રાખો…’ માં અંતરના સૂક્ષ્મતમ ભાવોને ટકાવી રાખવાની સરસ લાગણીશીલ વાત તેઓ કરે છે. દરેક પ્રકારના ભાવની, લાગણીની પોતાની આગવી જરૂરત છે અને એ જરૂરતોને જાળવેલી સંવેદના વડે પૂરી કરવાની વાત અહીં ખૂબ સરસ રીતે રજૂ થઈ છે, તો બીજી ગઝલમાં ‘શું ચીજ છે’ શબ્દોના અનોખા ઉપયોગથી એ જ આંતરીક ભાવોની અભિવ્યક્તિ તથા કલ્પનાની – રૂપકોની મનોહર રજૂઆત દરેકે દરેક શે’ર પર ભાવકને ‘વાહ..’ કહેવા મજબૂર કરી દે છે.


બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ ભીતરની વાતને મર્માળુ ઉદાહરણો દ્વારા સમજાવીને, એ લાગણીઓને અભિવ્યક્ત થવાનો અવસર આપે છે તો બીજી ગઝલ તો ગઝલની જ વ્યાખ્યા એક અનોખા સ્વરૂપે સ્થાપે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા 6

રહસ્યાત્મક અનૂભુતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ નરસિંહ, મીરાં પછી મકરન્દ દવેને મૂકી શકાય તેવી ક્ષમતા તેમના કાવ્યોમાં છે. તેમની રચનાઓમાં રહસ્યવાદી અનુભવની ભીનાશ, કાવ્યાત્મક સૂક્ષ્મતા અને સૌંદર્ય વિશેષ ઉતર્યા છે. ‘દૂરની ડાળી’ કાવ્ય અગમની ઝૂલતી કાળી કાયાને પ્રતિબિંબિત કરે છે. આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે. આ કાવ્ય સુરેખ, ઉત્કૃષ્ટ અને આંતર અનુભૂતિની રહસ્યાત્મકતાને પ્રકટ કરતું અર્વાચીન ગુજરાતી કવિતાનું એક વિરલ કાવ્ય લાગે તો એમાં આશ્ચર્ય નથી. માણીએ શ્રી મકરન્દ દવેનું આ કાવ્ય અને કાવ્યનો આસ્વાદ.