સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ 17

આપણી કેટલીક પ્રશિષ્ટ નવલિકાઓ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની ‘જી’બા’ હોય, રામનારાયણ વિ. પાઠકની ‘જક્ષણી’ હોય કે ધૂમકેતુની ‘પોસ્ટઑફીસ’ આ બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા ‘રજપૂતાણી’ આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો – રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય છે અને એથીય નિરાળો અંત… ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.


ખાલીપો (વાર્તા) – નિમિષા દલાલ 18

અમેરિકાથી પ્રસિદ્ધ થતા સામયિક ‘ગુર્જરી ડાયેજેસ્ટ’ના ૨૦૧૩ – જુલાઈ મહિનાના અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની આ વાર્તા, ‘ખાલીપો’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી છે. ખાલીપો એક અજબની લાગણી છે અને દરેકે જીવનમાં એક કે બીજા સંજોગોમાં એ અનુભવ્યો જ હશે, પણ આજે પ્રસ્તુત વાર્તાની નાયિકા અલ્પનાનો ખાલીપો અજબ છે, અનોખો એ. એનું રહસ્ય તો અંતે જ ખબર પડે છે એવી સુંદર આ વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી નિમિષાબેન દલાલનો ખૂબ ખૂબ આભાર.


બે ટૂંકી વાર્તાઓ – વંદિતા રાજ્યગુરૂ દવે 11

વંદિતાબેન રાજ્યગુરૂ દવેની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે. વંદિતાબેનની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. આજની બે ટૂંકી વાર્તાઓ સમાજની આજની વસ્તુસ્થિતિ પર પ્રકાશ પાડે છે. પોતાની પુત્રી અને નોકરાણીની વચ્ચેના ભેદભાવની વાત હોય કે ગરીબની પોતાના પુત્રને ભણાવવા માટેની મથામણની વાત હોય, બંને વાર્તાઓ અનોખી છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા બદલ વંદિતાબેન રાજ્યગુરૂ દવેનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


બે પ્રસંગકથાઓ.. – પ્રસ્તુતિ: હર્ષદ દવે 12

નાનકડી કથા, નાનકડો પ્રસંગ કેવો સુંદર સંદેશ આપી શકે છે! હર્ષદભાઈ દવે દ્વારા અહીં પ્રસ્તુત પ્રસંગકથાઓ પણ થોડામાં ઘણું કહે છે. એક કથા મનની શાંતિ અને સ્વસ્થતાની અગત્યતા વિશે કહી જાય છે ત્યાં બીજી કથા ઉપદેશ આપવા અને સ્વયં તેનું પાલન કરવા વચ્ચેનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિઓ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો આભાર તથા શુભકામનાઓ.


સબધો પાડોશી (વાર્તા) – ઈશ્વર પેટલીકર 14

સબધાઈ એટલે મજબૂતી એ અર્થમાં સબધો પાડોશી એટલે અણીના સમયે સાથે ઉભો રહે તેવો મદદગાર પાડોશી, પણ શું ચંદ્રકાન્તભાઈ ખરેખર અભરામ માટે સબધો પડોશી નીવડ્યા? ઈશ્વરભાઈ પેટલીકરની વાર્તાઓના પાત્રો અને તેમની સંબંધ સૃષ્ટી અનોખી રીતે નિરૂપાયેલી હોય છે, એમની બધી વાર્તાઓની જેમ આ વાર્તામાં પણ અભરામ – અમીના – ચંદ્રકાંતભાઈના પાત્રોની લાગણીઓ, મજબૂરીઓ અને લાગણીના સંબંધની વાતો સુપેરે નિરુપાઈ છે. લોકમિલાપ દ્વારા પ્રકાશિત ખિસ્સાપોથી ‘ભાઈ, દિકરો અને પાડોશી’ માંથી આ વાર્તા સાભાર ઉદ્ધૃત કરવામાં આવી છે.


સર્જકની પ્રેરણા (વાર્તા) – ચિરાગ વિઠલાણી 12

વાર્તાઓના અનેકવિધ સ્વરૂપો અને અનુભવો એક સંપાદક હોવાને લીધે મળતાં રહે છે. બે લીટી અને ચાલીસની આસપાસ શબ્દો ધરાવતી, ચોટદાર અને થોડામાં ખૂબ કહેતી – ઓછું કહેતી અને વધુ સમજવા મજબૂર કરતી નાનકડી માઈક્રોફિક્શનથી લઈને ઉંડાણપૂર્વક અને દરેકે દરેક સંવેદનને ઝીલતી ત્રણ હજાર શબ્દોની વાર્તાઓ સુધી વૈવિધ્યપૂર્ણ રચનાઓ જાણવા અને માણવા મળે છે, દરેક પ્રકારનો પોતાનો આગવો વાચકવર્ગ છે. ચિરાગભાઈ વિઠલાણીની પ્રસ્તુત વાર્તા એક ચિત્રકારની અને તેના પ્રેમની વાત છે. ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર વધુ એક રચના આજે પ્રસ્તુત છે. લંબાણ પૂર્વક લખાઈ હોવા છતાં રસક્ષતિ વગરની પ્રસ્તુતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ચિરાગભાઈને અનેક શુભેચ્છાઓ.


શિવો અને રેવા (વાર્તા) – ગુણવંત વૈદ્ય 10

કુદરતી આફતો દ્વારા જ્યારે વિષમ પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે માનવતાની સાચી કસોટી થાય છે. વિપરીત સંજોગોમાં ટકી રહેવાની અને સંઘર્ષરત રહેવાની ક્ષમતાએજ કદાચ માનવજાતને આજના યુગ સુધી પહોંચાડી હશે ! આવી જ એક હોનારત દરમ્યાન વિખૂટાં પડેલ શિવા અને રેવાની વાત ગુણવંતભાઈ અહીં લઈ આવ્યા છે. ઘટનાની સચોટ આલેખનક્ષમતા અને સંજોગો તથા ભાવનાઓનું હ્રદયંગમ આલેખન એ ગુણવંતભાઈની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


કોને ખબર કેમ.. (વાર્તા) – અશ્વિન દેસાઈ 15

‘૮૭માં સપરીવાર ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલ અશ્વિનભાઈ દેસાઈને ‘૯૩ માં જીવલેણ સ્ટ્રોક આવ્યો, શરીરનું ડાબુ અંગ કામ કરવામાંથી નિવૃત્તિ લઈ ગયું, તો પણ એક હાથે સર્જનનો તેમનો પ્રયાસ તો ચાલુ જ રહ્યો. જો કે એ પહેલા પણ તેમને ‘૭૮માં વાર્તાઓ માટે ‘કુમારચંદ્રક’ મળ્યો હતો, કાંતિ મડિયા સાથે નાટકોમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો, પણ સંતાનોના ઉચ્ચ અભ્યાસની મજબૂરીએ સાહિત્ય અને સર્જન પ્રત્યેની આ લાગણીઓ છોડીને ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થવું પડ્યું. છતાંય ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ જરાય ઓછો થયો નથી. અહીં પ્રસિદ્ધ વાર્તા ‘કોને ખબર કેમ..’ વાચકો માટેના ‘મમતા’ સામયિકના દીપોત્સવી અંક – ‘ડાયસ્પોરા સિતારા’ માં છપાઈ હતી. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ શ્રી અશ્વિનભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે – ashvindesai47@gmail.com પર કરી શકાશે.


પરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા 10

સમાજને બદીરૂપ પરંપરા અને નકારાત્મક રૂઢીઓને તોડીને આગળ વધવા માંગતી આજની યુવાપેઢીની વાત કરતી પ્રસ્તુત વાર્તા શ્રી વલીભાઈ મુસાની રચના છે. આજના યુવાનો સમાજને નુકસાનકારક એવી પ્રણાલીઓને તોડીને નૂતન સમાજની રચનામાં યોગદાન આપી શકે છે એ મતલબની વાત કહેતો વલીભાઈનો પ્રસ્તુત પ્રયત્ન વાચકમિત્રો સમક્ષ તેમણે આજે અક્ષરનાદના માધ્યમથી મૂક્યો છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવાની તક આપવા બદલ તેમનો આભાર તથા અનેક શુભકામનાઓ.


બે લઘુકથાઓ.. – દુર્ગેશ ઓઝા 14

૧. અભિનય ‘નહિ….. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરા રખડી પડશે…. સાહેબ, મારી ભૂલ થઇ ગઈ….’ ‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિં” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેનો ગુસ્સો અકારણ તો નહોતો જ… અસરરહિત ઉચ્ચારણ… ભાવશૂન્ય ચહેરો..! શર્માંસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી, જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતા કહેલું કે, ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઇ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો “વટેય” પડી જશે.’ પણ એને બદલે આ તો માથે પડ્યો’તો ! સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો. ‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા ! લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કારવ્યંઉ બધું ધૂળમાં જ મળી જાય ને ?’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા, શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘સોરી, યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો… વચ્ચે બોલવાની કોશિશ ન કરો… પહેલાં મારી વાત પૂરી સાંભળી લો… એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે… ને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા એ પાછા લઇ લેજો…’ ‘નહિ……..! દયા કરો સાહેબ, […]


અભિવ્યક્તિ Vs પ્રેમ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 19

આજે મારી જ કલમે એકાદ વર્ષ પહેલા આકાર પામેલી એક વાર્તા પ્રસ્તુત કરી છે. પોતાની કૃતિ માટે પ્રસ્તાવના બાંધવી એ થોડુંક અજુગતું લાગે છે, ખાસ કરીને જ્યારે વાત કડવી સચ્ચાઈ તરફ આંગળી ચીંધતી હોય, અને અહીં બતાવેલ વાત તો…. ચાલો, વાચકમિત્રો પર જ એ છોડી દઈએ… આ અધૂરી પ્રસ્તાવના પ્રતિભાવમાં પૂરી થશે તો ગમશે…


લાગણીઓનું લાક્ષાગૃહ (વાર્તા) – નિમિષા દલાલ 11

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા એક માતાની લાગણીઓને ખૂબ સુંદર રીતે અને ચોક્કસ ઘટનાક્રમની એરણે વાચા આપે છે. નિમિષાબેનની વાર્તાઓ અક્ષરનાદને સતત મળતી રહે છે એ સદભાગ્ય છે, તેમની કૃતિઓ વાચકને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે અને વાર્તાતત્વમાં એકરસ થઈને વાચક એ ઘટનાપ્રવાહમાં સાંગોપાંગ ડૂબી રહે છે એ જ તેમના સર્જનની ખૂબીઓ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


બે લઘુકથાઓ.. – આશિષ આચાર્ય 13

આશિષભાઈ આચાર્યની આ બે લઘુકથાઓ આપણા સંબંધોના મહત્વ અને આજના સમાજ જીવનની માનસીક કુરૂપતા છત્તી કરે છે. પ્રસ્તુત બે લઘુકથાઓ ગુર્જર પ્રકાશન દ્વારા ઓક્ટોબર ૨૦૦૯માં પ્રસિદ્ધ વાર્તા ઉત્સવમાં છપાઈ હતી. અક્ષરનાદને આ બે લઘુકથાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


મુન્નો (વાર્તા) – ગુણવંત વૈદ્ય 14

તાજેતરમાં ઉતરાખંડમાં થયેલા વિનાશની તસવીરો, વર્ણનો અને પ્રકોપ જોઈને હૈયું રડી ઉઠે એ સ્વભાવિક છે, હજારો લોકો જેમાં મૃત્યુનો ભોગ બન્યા છે અને કેટલાય કુટુંબો જે હોનારતમાં વિચ્છેદ પામ્યા છે એવા કુટુંબોના, મૃત્યુ પામેલા એ શ્રદ્ધાળુ યાત્રીઓના અને તેમના કુટુંબીજનોના દુઃખને અને તેમની વ્યથાને, જે ભોગ બન્યા છે એ સિવાય કોઈ ભાગ્યે જ સમજી શકે. લગભગ દરેક હતભાગી કુટુંબ એ જ પ્રશ્ન પૂછી રહ્યું છે, ‘આવું અમારી સાથે જ શા માટે? અમારો શો વાંક?’ કુદરતની સામે લાચાર વામણા માણસની આ આંતરીક ખોજ છે, જે સતત ચાલતી આવી છે અને કદાચ હજુ પણ ચાલુ જ રહેશે… આવા જ સૂરની – એક અનોખી વ્યથાની કૃતિ આજે પ્રસ્તુત કરી છે. ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ બાદ લખાયેલી શ્રી ગુણવંતભાઈ વૈદ્યની પ્રસ્તુત વાર્તાને ‘ઓપિનિયન’ સમાચારપત્ર, લંડન દ્વારા યોજાતી વ।ર્તાસ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી અને પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અક્ષરનાદના વાચકો માટે ગુણવંતભાઈએ પાઠવેલી આ વાર્તા આજે આપ સૌ માટે અત્રે પ્રસ્તુત છે. ઈશ્વર સૌ મૃતકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.


મિઠડી – રાજુ કોટક 14

આજકાલ સોશિયલ મીડીયાનો જમાનો છે, ફેસબુક, ટ્વિટર અને એવી કાંઈ કેટલીય સાઈટ્સ માધ્યમ બનીને લોકોને એકબીજા સાથે જોડે છે. વર્ચ્યુઅલ વિશ્વનો આ સંબંધ ક્યારેક બે હૈયાંને નજીક લાવવામાં પણ કારણભૂત બનતો હોય છે. પરંતુ આ આભાસી વિશ્વના સંબંધો અને ઓળખાણ પર કેટલો વિશ્વાસ રાખી શકાય? શક્ય છે કે કોઈ તમારી સાથે છળ કરવા ન માંગતુ હોય પરંતુ એ તમને ગુમાવવા પણ ન ઈચ્છતું હોય, એવા સંજોગોનું શું ? રાજુભાઈ કોટકની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, અને છતાંય તેમના લેખનમાં ક્યાંય નવોદિત હોવાને લીધે કોઈ પણ ઉણપ વર્તાતી નથી. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય 14

પ્રસ્તુત લઘુકથા શ્રી ગુણવંતભાઈ વૈદ્યએ ઈ. સ. 1969 માં લખી હતી અને તેમના ભણતર દરમ્યાન – કોલેજમાં યોજાતી વાર્તાસ્પર્ધામાં એ પ્રથમ વિજેતા ઘોષિત થઇ હતી. તેમના લેખનકાર્યની સહુ પ્રથમ રચના આ વાર્તા જ હતી. એટલે કે વાર્તા ક્ષેત્રે તેમનું પ્રથમ સંતાન આ ‘ગોરખપુરનો કલાકાર’ વાર્તા. આશા છે કે આપને તેમનો વીતેલા વખતનો આ પ્રયાસ ગમશે. આ વાર્તા અંગેના પ્રતિભાવો આપ જરૂરથી આપશો. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગુણવંતભાઈ વૈદ્યનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ 22

નિમિષાબેનની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે, સરપ્રાઈઝ અને અંતિમ – એ બે વાર્તાઓનું વિષયવસ્તુ તદ્દ્ન ભિન્ન અને જુદા જુદા દ્રષ્ટિકોણને સ્વરૂપ આપનારું છે, ટૂંકી વાર્તા અને લઘુકથાના સ્વરૂપની વચ્ચે સ્થિર થયેલ પ્રસ્તુત રચનાઓ નિમિષાબેનની સબળ તથા અર્થપૂર્ણ કલમની પરિચાયક છે. આપનો આ વાર્તાઓ વિશેનો પ્રતિભાવ જાણવા તેઓ આતુર છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 18

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમના અનેક ચાહકોમાં એક હું પણ છું, ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રસ્તુત કૃતિ એક પુરૂષની અનોખી અસમંજસને દર્શાવે છે, આમ તો આ વાર્તા કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી, પરંતુ વાચકને વાર્તાના અંતે એવો જ કાંઈક અહેસાસ જરૂર થશે…. અને છતાંય જાતિ આધારીત ભિન્નતા ધરાવતા સમાજની બીક એક પુરુષને કેવી બાબતોમાં ડર ભોગવતો કરી દે છે એ પ્રસ્તુત વાર્તા પરથી સ્વયં સ્પષ્ટ છે. નવા વિષયો, અનોખા ઘટનાક્રમ અને માનવ લાગણીઓને સહજતાથી પ્રગટ કરી શકવાની હાર્દિકભાઈની ક્ષમતા ખરેખર કાબિલેદાદ છે. વાચકમિત્રોના પ્રતિભાવોની તેઓ રાહ જોઈ રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે 8

હર્ષદભાઈ દવેના પુસ્તક ‘પલ દો પલ’માંથી સાભાર લેવામાં આવેલ પ્રસ્તુત ત્રણ મોતીઓ વિશેષ બોધપ્રદ પ્રસંગો છે. પ્રથમ ઘટનાક્રમ પ્રેમ અને તેની અભિવ્યક્તિના ખયાલોને સુંદર રીતે વર્ણવે છે અને તેની જરૂરત વિશે સહજતાથી ઘણું બધું કહી જાય છે. એક અનાથ બાળકીના જીવન વિશે કહેતી કહેતી બીજી વાત ભાગ્ય અને તકના ચક્રને વર્ણવે છે તો ત્રીજો પ્રસંગ ભાષાકીય દ્રષ્ટિએ રૂમાલ શબ્દના ઉંડાણમાં લઈ જાય છે. ત્રણેય પ્રસંગો અહીં પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


દીકરો – વિનોદિની નીલકંઠ 13

પીતાંબરનો નાનો ભાઇ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું, જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઇને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.

પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતાં પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું: “જો બેટા કાંતિ, આ તારી બીજી બા.”


સ્નેહાંજલી (ટૂંકી વાર્તા) – કલ્યાણી વ્યાસ 7

શ્રી કલ્યાણીબેન વ્યાસની ફેબ્રુઆરી ૨૦૧૩માં ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રસ્તુત થયેલી વાર્તા ‘સ્નેહાંજલી’ અહીં પ્રસ્તુત કરી છે. અખંડ આનંદ સામયિકમાં આવતી કૃતિઓ સત્વસભર અને સુંદર ઉપદેશની સાથે આવે છે એવો સામાન્ય અનુભવ છે, એ જ માર્ગ પર કલ્યાણીબેનની પ્રસ્તુત કૃતિ પણ ઘટનાક્રમની સાથે સાથે સુંદર સંદેશ લઈને આવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર.


તક.. (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી 20

ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર આ બીજી કૃતિ છે, સત્વસભર અને અનેકવિધ સમાજોપયોગી મુદ્દાઓને સાંકળી લઈને હકારાત્મક સંદેશ આપતી પ્રસ્તુત કૃતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય. આજના બે વિદ્યાર્થીઓની પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવાની ધગશ અને એ માટે ખપ પૂરતા બધાજ પ્રયત્ન કરી છૂટવાની વાત છે જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શુભેચ્છાઓ.


દન્યાવાદ, નામસ્તે ! (ટૂંકી વાર્તા) – વલીભાઈ મુસા 15

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં રહેતા શ્રી વલીભાઈ મુસા ૭૨ વર્ષની ઉંમરે પણ સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. નવલિકા, નિબંધ, કાવ્ય, વિવેચન, હાસ્યલેખો, હાસ્યહાઈકુ, વ્યંગ્ય, કાવ્યો જેવા અનેક ક્ષેત્રોમાં લેખનરત વલીભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. ‘દન્યાવાદ, નામસ્તે !’ શીર્ષક ધરાવતી આ કૃતિને વાર્તાથી વધુ એક પ્રસંગ તરીકે જોવી જોઈએ જેમાં માનવમૂલ્યોના પ્રતિષ્ઠાન માટે કરાતા એક અનોખા પ્રયત્નનો ચિતાર આપવામાઁ આવ્યો છે. કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ વલીભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


મારા અતિ પ્રિય ગૌતમ… – ભદ્રા વડગામા 11

શ્રી ભદ્રાબેન વડગામાની પ્રસ્તુત કૃતિ એક પત્ર છે, ગાડ્રિયન’માં આવેલા એક પત્ર પરથી પ્રેરણા લઈને લખાયેલ આ કૃતિ એક અકસ્માતમાં પોતાના જીવનસાથીને ગુમાવી બેઠેલ સ્ત્રીનો મનોભાવ ખૂબ સુંદર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. શ્રી અનિલ વ્યાસ અને શ્રી રમણભાઈ પટેલ દ્વારા પસંદગીની ડાયસ્પોરા કૃતિઓના સંકલન ‘આચમન’માં તે પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


નિર્ણય.. (લઘુકથા) – ગુણવંત વૈદ્ય 9

શ્રી ગુણવંતભાઈ વૈદ્યની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. લઘુકથાના સ્વરૂપમાં એક પાતળા તંતુને ખૂબ ચીવટપૂર્વક ઉંડાણ સુધી લઈ જઈ તેના વિશે આવી કૃતિ રચવી એ ખૂબ કપરું અને ધ્યાન માંગી લેતું કાર્ય છે. એક નાનકડા બાળકના મનમાં અલગ અલગ રહેતા તેના માતા-પિતા વિશેની વાત, તેના પિતાની માતા વિશેની વિચારસરણી વગેરે ખૂબ સુંદર રીતે તેઓ પ્રગટ કરી શક્યા છે એ બદલ અભિનંદન અને અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ 16

નિમિષાબેન રચિત ત્રણ સુંદર લઘુકથાઓ આજે પ્રસ્તુત છે. લઘુકથાઓમાં ગૂઢ અર્થ અને કૃતિનું ટૂંકુ પરંતુ સચોટ અને સબળ માળખું તેને ધાર બક્ષે છે અને નિમિષાબેનની પ્રસ્તુત કૃતિઓમાં એ સુપેરે અનુભવી શકાય એમ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


વરસાદ (લઘુકથા) – દુર્ગેશ ઓઝા 18

કુમાર સામયિકના ડિસેમ્બર 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલી લેખક શ્રી દુર્ગેશભાઈ ઓઝાની પ્રસ્તુત લઘુકથા ‘વરસાદ’ મર્મસભર છે, ટૂંકી છે અને ખરેખર માઈક્રોફિક્શન અને લઘુકથાની વચ્ચેની લંબાઈ ધરાવતી અનોખી કૃતિ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


સાંજનો સૂર્યોદય (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 17

લઘુકથાઓમાં પ્રસંગોને ગૂંથીને, પાત્રોને સાંકળીને તેને રસપ્રદ બનાવવાની હથોટી એક સિદ્ધહસ્ત લેખકનું લક્ષણ છે પરંતુ સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેવી રીતે વાર્તામાં એક કે તેથી વધુ હકારાત્મક સંદેશ વણી શકવાની ક્ષમતા તેને ખરેખર યાદગાર બનાવે છે. પોરબંદરના શ્રી હરીશભાઈ થાનકી જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. પ્રસ્તુત લઘુકથા વાર્તાના મૂળ તત્વ સાથે એક સુંદર સંદેશ પણ આપી જાય છે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


પાંચ લઘુકથાઓ – નિમિષા દલાલ 12

એક લેખક સતત એવી કૃતિઓ લખી શકે જે સંપાદક અને વાચક એમ બંનેને ગમે એ અનેરી ઉપલબ્ધી કહેવાય, સામાન્ય રીતે અક્ષરનાદ પર અનેક લેખકોની કૃતિઓ મળતી હોય છે અને એક-બે વધુ તો ત્રણેક કૃતિઓ પછી એક પ્રકારનો લેખન સંકોચ અથવા આંતરીક ઉદાસીનતા વ્યક્ત થાય છે. અક્ષરનાદ પર એવા વાચકોની / નવોદિત લેખકોની અનેક કૃતિઓ હશે જેની સંખ્યા બે-ત્રણથી વધી નથી. પોતાની કૃતિઓનું સ્તર વધુ ઉંચુ લઈ જવાની અભિલાષાએ લેખન છોડી બેઠેલા અનેક મિત્રો માટે પ્રયત્ન ન કરવાને કોઈ કારણ નથી. અક્ષરનાદ પર જેમના લેખ સતત મળતા રહે છે, પ્રસ્તુત થતા રહે છે તેમાં નિમિષાબેન દલાલ શામેલ છે. અહીં આજે તેમની દસમી કૃતિ છે. આજની આ સુંદર વાર્તાઓ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ક્રાંતિ – ભરત કોટડિયા 8

ભરતભાઈ કોટડીયાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. સમાજજીવનને અને સંસ્કૃતિને નિસબત ધરાવતા વિષયવસ્તુ સાથેની આ વાર્તા ભૃણપરીક્ષણ અને સ્ત્રી ભૃણહત્યા જેવા વિષયને સુંદર રીતે એક દોરીમાં પરોવીને વાર્તાના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરી છે. અહીં તેમણે સૂચવેલી ક્રાંતિ કોઈ વિશાળ સામાજીક ક્રાંતિ નથી પરંતુ દરેકને મનમાં અને વ્યવહારમાં સમાવવા જેવી માનસીક ક્રાંતિ છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કર વાની તાક આપવા બદલ શ્રી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેકો શુભકામનાઓ. અનિવાર્ય સંજોગોને કારણે તેમની વાર્તા ખૂબ મોડી પ્રસ્તુત થઈ રહી છે એ બદલ ક્ષમા.