સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


પરિતૃપ્તિ – કલ્યાણી વ્યાસ 3

વાંચકમિત્રોની કૃતિઓ સતત અક્ષરનાદને મળતી રહે છે, જેમાં પદ્ય રચનાઓ વિશેષ હોય છે. જો કે તેમાંની બધી કૃતિઓ અહીં સમાવવી શક્ય નથી, પરંતુ મહત્તમ રચનાઓને અહીં સમાવવાનો પ્રયત્ન કરાય છે. યોગ્ય રચનાઓ વહેલી મોડી પણ અવશ્ય પ્રસ્તુત કરાય છે. થોડાક સમય પહેલા અક્ષરનાદને મળેલ શ્રીમતી કલ્યાણીબેન વ્યાસની અછાંદસ રચના આજે પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ ઇન્દ્રધનુષી પદ્યરચનાઓ – મનોજ શુક્લ 4

રાજકોટ જીલ્લામાં ન્યાયાધીશશ્રીના અંગત મદદનીશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ શ્રી મનોજભાઈ શુક્લની ભાવઉર્મિઓ તેમના વ્યવસાય ક્ષેત્રથી અલગ સાહિત્યગંગામાં તેમના પદ્યસંગ્રહ ‘લઈ ખિસ્સામાં તડકો’ દ્વારા ગીત, અછાંદસ અને ગઝલ જેવા વિવિધરંગી કાવ્યપ્રકારોમાં અભિવ્યક્ત થાય છે. રાજકોટની સાહિત્યિક અભિગમની સંસ્થા ‘વ્યંજના’ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, ‘સાહિત્યમાં સમાયેલ સહિત કે જેનો વ્યાપ અણુ પરમાણુથી બ્રહ્માંડ અને વ્યક્તિ, વ્યક્તિથી સમષ્ટિ સુધી અનેક તત્વો, ભાવો, તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિના સ્થિત્યંતરો અનેકવિધ રીતે અભિવ્યક્ત થયા કરતાં હોય તે મેં મારા હોવાપણાની ક્ષુલ્લકતા સાથે ચાલતી સતત પ્રક્રિયામાં જે મન, હ્રદયને સ્પર્શી અને વ્યક્ત થવા મથ્યું અને જે થયું તે આ, અહીં થયું.’ આજે આ સંગ્રહમાંથી જ ત્રણ વિવિધરંગી રચનાઓ પ્રસ્તુત કરી છે.


ભાઈ બહેન – બાલમુકુન્દ દવે 3

બાલમુકુન્દ દવે આપણી ભાષાના જાણીતા કવિ છે. વડોદરાના આ કવિએ આપણને ‘કુંતલ’ અને ‘પરિક્રમા’ જેવા સરસ કાવ્યસંગ્રહો આપ્યા છે. પાછલા પહોરે જ્યારે ઘરનાં બધાં ઊંઘી ગયા હોય ત્યારે ભાઈ બહેન ચૂપકીદીથી બહાર છટકી જઈ ખુલ્લામાં કુદરતના સૌંદર્યનો કેવી રીતે આનંદ માણે છે તે પ્રસ્તુત ગીતમાં સુપેરે વર્ણવાયું છે. કુદરતની મોકળાશ અનુભવ્યા પછી તો ઘરમાં ગૂંગળામણ લાગે તે કવિએ ભાઈ બહેનના નિર્દોષ તોફાન અને હેતના ચિત્રણની સાથે સાથે સચોટ આલેખ્યું છે.


બે પદ્યરચનાઓ – સંકલિત 7

અક્ષરનાદના વાંચકમિત્રો શ્રી હર્ષદ દવે અને શ્રી ધવલભાઈ સોની દ્વારા પાઠવવામાં આવેલી આ સુંદર રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બંને રચનાઓ મૌલિક છે અને અનોખા વિચારો લઈને આવે છે. શેરબજારના વ્યવસાયી એવા શ્રી ધવલભાઈ સોની જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિ વિશેની એક સરસ રચના લઈને આવે છે તો હર્ષદભાઈ દવે એ જ ઈશ્વરને પામવાના દુન્યવી પ્રયત્નોની વ્યર્થતા સમજાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે 9

પ્રસ્તુત મૂળ કવિતા અંગ્રેજીની ખૂબ પ્રચલિત રચના છે અને શ્રી મકરન્દ દવે દ્વારા કરાયેલો તેનો અનુવાદ પણ એટલો જ મનોહર અને સુંદર છે. બંનેના ભાવ સામિપ્યને જોઈ શકાય તે હેતુથી અહીં મૂળ કૃતિ પણ પ્રસ્તુત કરી છે. દીકરીઓ વિશેની અનુવાદિત કૃતિઓમાં આ રચનાનું સ્થાન અદ્વિતિય છે અને અનુવાદની સૌથી સરસ વાત એ છે કે પ્રસ્તુત રચના આપણી ભાષામાં જ રચાઈ હોય એટલી જ અસરકારક અને પોતીકી લાગે છે.


એહવા આગેવાનને – ઝવેરચંદ મેઘાણી 3

આજે મધ્યમવર્ગ તથા ગરીબીની રેખા નીચે જીવનારો વર્ગ અનેક વિષમતાઓ અને પડકારો વચ્ચે જીવે છે. મોઁઘવારી, અસુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વધતી જતી ગરીબી, વિકાસના નામે ગણ્યાગાંઠ્યા લોકોની અઢળક સમૃદ્ધિમાં વધારો અને સરેરાશ લોકોની વધી રહેલી કંગાલીયત. આવા બધા સમવિષમ વિરોધાભાસોની વચ્ચે યાદ આવે ગાંધીજી અને તેમના માટે શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રસ્તુત રચના. એક અચ્છા આગેવાનની, એના લક્ષણોની તેમણે કરેલી વાત આજે ક્યાંય બંધબેસતી હોય એમ લાગે છે ખરું? જો કે એમણે અહીં મહદંશે સારા આગેવાનના લક્ષણો જ વર્ણવ્યા છે, તેની સામે કુ-નેતાઓ, પ્રજાને ખોટા રસ્તે દોરનારા અને પોતાના ખિસ્સા ભરનારા નેતાઓ વિશે તેમણે લખેલું એક પંક્તિયુગ્મ જ થોડામાં ઘણું કહી જાય છે!


બે અર્થસભર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે ફરી તેમની બે સુંદર ગઝલ અહીં પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની ઘણી રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ જોષી પાસે જવાની વાતની ભૂમિકા સાથે અનેક અર્થગહન વાતો કહે છે, કઈ કઈ બાબતોના નસીબની જિજ્ઞાસા તેમને છે! જ્યારે બીજી ગઝલ અપ્રાપ્ય શક્યતાઓનો વિષય છે. બંને અર્થસભર ગઝલ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત 3

અક્ષરનાદના ત્રણ વાચકમિત્રો, શ્રી ધવલભાઈ સોની, શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રી હર્ષદભાઈ દવેએ પાઠવેલી તેમની મૌલિક રચનાઓ આજે પ્રસ્તુત છે. ત્રણેય રચનાઓના વિષયોની વિવિધતા અને રચનાનું અનોખું ભાવવિશ્વ એ રચનાઓની વિશેષતા છે. ત્રણેય મિત્રો – વડીલોનો આ રચનાઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ 1

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની – સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, ‘પળના દિવાલ બારી પળની રવેશ છે’ કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે ‘મેં એટલે સમયને એ રીત પારખ્યો છે’ કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, ‘મને પરણશો?’ ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


શ્રી જગદીપ ઉપાધ્યાય દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૨ (Audiocast) 5

અક્ષરનાદ અક્ષરપર્વની શોભામાં અભિવૃદ્ધિ કરવા તદ્દન સહજતાથી અને મિત્રભાવે કાવ્યપઠન માટે સંમતિ આપનાર શ્રી જગદીપભાઈ ઉપાધ્યાયની કલમને, તેમના જ સ્વરોમાં આજે આપ સૌની સાથે વહેચી રહ્યો છું. તેમણે અક્ષરપર્વમાં પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ વિષય વિવિધતાને લીધે તો વિશેષ ખરી જ, પણ એ ત્રણેય પોતાના વિષયાનુગત ક્ષેત્રમાં પણ એટલીજ સજ્જડ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેવી સુંદર થઈ છે. ‘છાલક’ સામયિકને ખૂબ જ ટૂંક સમયમાં એક પ્રતિષ્ઠિત સામયિકને છાજે એવી સરસ રીતે માવજત આપનાર જગદીપભાઈનો અક્ષરનાદના આ પર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને સુંદર રચનાઓ વડે શ્રોતાઓને તરબતર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે પ્રસ્તુત છે એ દિવસે તેમણે પ્રસ્તુત કરેલી ત્રણ રચનાઓ અક્ષરદેહે તેમજ તેમના સ્વરમાં.


દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક 21

અમેરીકાની સફરે પોતાના સ્વર અને કૌશલનો પરિચય આપી રહેલા હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમનો ચમત્કાર અક્ષરનાદના વાંચકો માટે પરિચિત જ છે. આજે તેમની એક વધુ રચના અહીં પ્રસ્તુત છે. દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે એ પ્રશ્ન સાથે ઉપસ્થિત થયેલ હાર્દિકભાઈની આ પદ્ય રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે. દીકરીની વિવિધ વાતોને, તેના દ્વારા લેવાતી કાળજીને, તેના નિઃસ્વાર્થ પ્રેમને અને અંતે પારકા ઘરે તેની વિદાયને – આ બધી વાતોને અહીં તેઓ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આમાં કોઈ ઉપદેશની વાત નથી, સહજ ઘટનાઓની, જીવનની અને સંબંધોની જરૂરતોની વાત છે. રચના ખૂબ જ સરસ અને સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


આવ્યો મેહુલો રે! – લોકગીત 4

ગઈકાલથી, તા. ૧૧ જુલાઈથી અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં મૂશળધાર – ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, વાવણીની મૌસમ ફરી દસ્તક દઈ ચૂકી છે, અને આમેય મને સદાય આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો અને મહેનત કરવાનો એ શ્રેષ્ઠ સમય લાગ્યો છે. ધરતીનો ધબકાર સર્જતો, અંગેઅંગમાં ઉમંગની અને ‘હાશ’ની હેલીઓ વરસાવતો મેહુલો આવી પહોંચ્યો છે તેની જડ-ચેતન સૃષ્ટિમાં કેવી અસર થાય છે તે દર્શાવતું પ્રસ્તુત લોકગીત ખરેખર આપણી ગ્રામ્યસંસ્કૃતિનો આવિર્ભાવ કરાવી જાય છે. મેહુલાને ધરતીનો ધણી કહીને ધરતી માટેના તેના પ્રેમ, ઉપકાર અને લાગણીના સંબંધોને દર્શાવતું આ લોકગીત તરત હોઠે ચઢી જાય તેવું સરળ અને સરસ છે.


એક અક્ષરનાદી ગઝલ – જિજ્ઞેશ અધ્યારૂ 13

અક્ષરનાદના ચાર વર્ષ પૂર્ણ થયાની, અક્ષરપર્વની ઉજવણી વખતે પ્રસ્તુત કરવા ધારેલી આ ગઝલ એ સમયે મત્લાના શે’રથી આગળ વધી જ ન શકી. જો કે ‘નાદ’ થોડો કોઈ સમયના બંધનને અનુસરે? અને અચાનક આજે બે મહીના પછી આખે આખી ગઝલ સાંગોપાંગ ઉદભવી અને એ જ રીતે અપડાઊન સફર દરમ્યાન બસમાં શબ્દદેહને પામી. આ અક્ષરનાદના હેતુને વર્ણવતી ગઝલ છે એથી વધુ સુજ્ઞ વાચકોને મારે શું કહેવાનું હોય? સૂચનો, પ્રતિભાવો, સુધારાઓ સદાય આવકાર્ય જ હોય.


આપજે … – અશ્વિન ચંદારાણા 9

ઉદ્દેશ સામયિકના ફેબ્રુઆરી ૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલી શ્રી અશ્વિનભાઈ ચંદારાણાની પ્રસ્તુત ગઝલ ‘આપજે…’ ઈશ્વર પાસેની માંગણીનો એક નવો આયામ ઉભો કરે છે. ગઝલકાર પ્રભુ પાસે સુખ સમૃદ્ધિ નથી માંગતા, પણ ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ રહી શકવાની ક્ષમતા પ્રાર્થે છે. તો ચોથા અને પાંચમાં શેરમાં તેઓ યુવાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલી પેઢી માટે બાળપણ પૂર્ણ શક્યતાઓએ ખીલી શકે તેવું યોગ્ય જ્ઞાન આપતી નિશાળો અને ‘વળતો મલાજો’ માંગે છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર.


શ્યામ ફરી ગોકુળ પધારો… – જિજ્ઞેશ અધ્યારૂ 5

કોઈક અલગ જ હેતુથી સમયના બંધનોને અનુસરીને વિશેષ પ્રસંગ માટે બનાવેલુ આ ગીત તે પ્રસંગમાં એક કે બીજા કારણોને લઈને સ્થાન પામી શક્યું નહીં. પરંતુ મને લાગે છે કે સમયના બંધનને અનુસરીને, વિષયના બંધનને અનુસરીને થયેલી આ મારી પ્રથમ રચના છે. ગોપીઓએ કૃષ્ણની સદાય રાહ જોઈ છે, જોતી રહી છે. શ્યામ હવે ગોકુળનો કા’ન નથી પરંતુ મથુરાના મહારાજ છે, છતાંય ગોપીઓને માટે એ રાજા નહીં, તેમના મનપ્રદેશમાં મુક્તપણે વિહાર કરતો, મટકીઓ ફોડતો, માખણ ચોરતો, ગાયો ચરાવતો અને અને અનેક લીલાઓ કરતો કા’નો છે. એ જ કહાનની રાહ જોતી ગોપીઓ અને રાધાના મનોભાવોને આલેખવાનો પ્રયત્ન પ્રસ્તુત ગીતમાં થયો છે.


કાચી રે નજરુંના ઘેન – જ્યોતિ હિરાણી 1

મુંબઈ વિલેપાર્લે વસતા શ્રી જ્યોતિબેન હિરાણીએ ૧૯૯૮થી કાવ્યો લખવાનું શરૂ કર્યુ, તેમજ ૨૦૦૮ માં “શબ્દો જળના મીન” નામે તેમનો કાવ્યસંગ્રહ પણ પ્રસિદ્ધ થયેલ છે. કવિતા, ધબક, પરબ, ગઝલગરિમા તેમજ અન્ય સામયિકોમાં તેમના કાવ્યો સમયાંતરે પ્રગટ થયા છે. અત્યારે જન્મભૂમિ દૈનિકના ‘કલમ કિતાબ’ વિભાગમાં તેઓ પુસ્તકાવલોકનો લખે છે. સપનાઓની વાતથી ધબકતું અને શમણાઓ અને નિંદર વચ્ચેની કશમકશભરી દશા દર્શાવતું પ્રસ્તુત ગીતકાવ્ય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમના સર્જનો આમ જ આપણને આનંદ આપતા રહે તેવી શુભકામનાઓ.


દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું 3

ભૂપેશ અધ્વર્યું એટલે અપાર સંભાવનાઓના કવિ. અકાળે મૃત્યુને ભેટેલા એવા આ કવિમાં ઘણી સંભાવનાઓ પડેલી. પ્રસ્તુત રચનામાં અરીસાને સમયના એક જથ્થા તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે, એ અરીસાની એક તરફ મથુરાના મહારાજ કૃષ્ણ છે તો બીજી તરફ ગોકુળનો ગોવાળ, માખણચોર કાનજી, કા’નો છે. ભૂતકાળમાં સરી પડતા કોઈ અદના માણસની જેમ જ કૃષ્ણના મનમંદિરમાં પણ જમનાના નીર, ગાયોના ધણ અને કદંબડાળ ઝૂલી રહે છે. મથુરાના ઝરૂખેથી ગોકુળને જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા યાદોના વૃંદાવનમાં ખોવાયેલા કૃષ્ણનું આ સુંદર વ્યક્તિચિત્ર શ્રી ભૂપેશ અધ્વર્યુ રજૂ કરે છે. અને એ જ આ સુંદર રચનાની વિશેષતા પણ છે.


અમે સસ્તામાં વેચાયા… – કાયમ હઝારી 4

કહેવાય છે કે ઈશ્વરનો કારોબાર તદ્દન પારદર્શક અને સચોટ છે, પણ ગઝલકાર અહીં ખુદાને તેમની એ સચોટતા છતાં કેમ છુપાવું પડે છે એ વિશે સવાલ કરે છે. ખુદાને તથા સનમને એમ બંનેને લાગુ પડતી આ સમરસ ગઝલમાં તેમને શોધવા જતા પોતે ખોવાઈ ગયાનો અહેસાસ ગઝલકારને થાય છે. આ ગઝલમાં ખુદાને વિશે અથવાતો સનમને લઈને કવિને અનેક ફરીયાદો છે, તો માનવની સદાયની કુટેવો પર પણ તેઓ દર્દ વ્યક્ત કરે છે, પ્રીતનો પરોક્ષ ઈઝહાર પણ કરે છે અને અંતે મક્તાના શે’રમાં સર્વસ્વ સમર્પણનો ભાવ ગઝલને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડે છે. કાયમ હઝારી સાહેબની આ ગઝલ આમ એક સર્વાંગસંપૂર્ણ માણવાલાયક ગઝલ છે.


દરપે તેરે પહોંચના મુશ્કીલ નહીં – જિજ્ઞેશ અધ્યારૂ 7

સવાઈ પીર દરગાહ અને એ નાનકડો બેટ પીપાવાવ પાસેના દરીયાનું મોતી છે. એક સંબંધીને દરગાહ પર લઈ જતાં, પોણા કલાકની એ બોટ સફરમાં ઉપરોક્ત ગીત સવાઈ પીર સંદર્ભે મનમાં આવ્યું. એ પહેલા મનમાં રાગ ઉદભવ્યો અને આપોઆપ શબ્દો મૂકાતા ગયા. બે ત્રણ વખત એ જ પરિસ્થિતિમાં ગાયા પછી તેને ઓફિસ આવીને કાગળ પર ઉતાર્યું. તેના પ્રકાર – શાસ્ત્રીયતા વિશે કોઈ માહિતિ નથી, પરંતુ ફક્ત આ સર્જનને સૌ સાથે વહેંચવાના ઉમંગે જ અહીં પ્રસ્તુત કર્યું છે.


હાય શરમ ! – શેખાદમ આબુવાલા 5

શરમના અંચળા નીચે છુપાયેલી રસિકતાએ પ્રગટ થતી નાયિકાની પ્રણય માધુરીનો સૂક્ષ્મ અને પ્રગાઢ અનુભવ નાયકમુખે વ્યક્ત કરતી આ નમૂનેદાર ગઝલ છે. હાય શરમ ! જેવા સુંદર રદીફ અને ધર્યો, મર્યો, સર્યો, વર્યો જેવા યથાર્થ કાફિયાના ઉપયોગથી આ ગઝલ સાંગોપાંગ બળુકી થઈ છે. આ સફળ પ્રણયની ગઝલ છે. નાયકને પ્રિયતમા તેની સન્મુખ જે લજ્જા પ્રગટ કરે છે તે મૂંઝવે છે. પ્રણયની અભિવ્યક્તિમાં નાયકને નાયિકાની શરમ નડે છે છતાંય એ મીઠી મૂંઝવણને સ-રસ શબ્દો દ્વારા શેખાદમ આબુવાલાની જેમ બીજુ કોણ આમ અભિવ્યક્ત કરી શકે ?


વાયદા તું કરે છે – કિંજલગીરી ગોસ્વામી 13

સૂરતના રહેવાસી એવા શ્રી કિંજલગીરી ગોસ્વામી એક અદના કાવ્યરસીયા તો છે જ સાથે એક ખૂબ સારા સર્જક પણ છે તેની ખાતરી તેમની ઉપરોક્ત ગઝલ સુંદર રીતે કરાવી જાય છે. પ્રિયતમાને પ્રેમનો – સતત સાથ અને સહવાસનો તથા સાથે સાથે વિરહની આછી વેદનાનો સંદેશ અહીં કવિ આપવાનો પ્રયત્ન કરે છે. અક્ષરનાદને ઉપરોક્ત રચના મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી કિંજગલીરી ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર.


ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ… – મીનપિયાસી 4

સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોને પ્રાદેશિક વિશિષ્ટતા અને રાજ્યસંસ્થાઓના અસ્તિત્વ વખતનાં અનેરા નામો મળ્યા છે, ગોહિલવાડ હોય કે સોરઠ, હાલાર હોય કે હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું નામ ઝાલાવાડ હોય, આ પંથકના વાસીઓ એ વિશેષ નામથી ઓળખાતા અને જ્યાં જાય ત્યાં દેશ પરદેશ સુધી એ પંથકની મહેક નામમાં સાચવીને લઈ જતાં. કવિ શ્રી મીનપિયાસીનું પ્રસ્તુત ગીત પણ ઝાલાવાડની લોકવંદના સમું જ છે. વતન અને તેની ધરતી પ્રત્યેનું વહાલ આ ગીતમાં વહાવ્યું છે. માતૃભૂમી પ્રત્યેનો ગર્વ અને ગૌરવ અહીં અભિવ્યક્ત થાય છે. ઝાલાવાડની ધરતીને કુદરતે આપેલી કુરૂપતાઓ પણ કવિને મન તો મોહિત કરી દે તેવી સુંદરતા જ છે. અને તે જ આ સુંદર ગીતની સાર્થકતા પણ છે.


ટેભા ભરતી સોયની આત્મકથા – રામદરશ મિશ્ર, આસ્વાદ રમેશ પારેખ 1

ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો ‘શબ્દની જાતરા સત્ય સુધી…’ અને ‘કવિતા એટલે આ…’ આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા – પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી.


શ્રી જશવંત મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૧ (Audiocast) 2

શ્રી જશવંતભાઈ સાથે સંપર્ક કરાવી આપવાનું સંપૂર્ણ શ્રેય શ્રી સૉલિડ મહેતાને જાય છે. જેટલી સબળ અને સુઘડ ગઝલ તેમણે પ્રસ્તુત કરી છે એટલું જ અર્થગાંભીર્ય તેમના શે’રમાં ઝળકે છે. અક્ષરપર્વમાં કવિ સંમેલનને શોભાવવા ઉપસ્થિત રહીને સૌને તેમના ગઝલરસમાં તરબોળ કરી મૂકવા બદલ શ્રી જશવંત મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવો, આજે વાંચીએ અને સાંભળીએ તેમની એ ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં


શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16

આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.


શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast) 10

શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં.


શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast) 8

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


શ્રી સૉલિડ મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૭ (Audiocast) 1

અક્ષરપર્વમાં ગઝલસંધ્યા આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવાની હા પાડ્યા પછી શ્રી જશવંતભાઈ મહેતા અને શ્રી દીનાબેન શાહને પણ સાદર શામેલ કરનાર અને અક્ષરપર્વને ઘરના જ ઉત્સવની જેમ પોતીકી રીતે ભાગ લઈને ચાર ચાંદ લગાવનાર શ્રી સૉલિડભાઈ મહેતાની ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં આજે માણીએ. અક્ષરપર્વમાં આટલા સરસ અને ઉમદા સહયોગ બદલ સૉલિડભાઈને આભારના કયા શબ્દો વડે નવાજવા? શબ્દો એ અભિવ્યક્તિમાં કાયમ ઓછા જ પડવાના. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ શ્રી સૉલિડભાઈ મહેતાનો ખૂબ ખૂબ વંદન.


ડૉ. દીના શાહ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૬ (Audiocast) 7

વડોદરામાં ગાયનેકોલોજીસ્ટ એવા ડૉ. શ્રી દીનાબેન શાહ અક્ષરપર્વમાં આમ તો શ્રી સોલિડ મહેતા સાહેબને મળવા આવ્યા હતાં પણ અમારા સૌના આગ્રહે તેમણે તેમની રચના પ્રસ્તુત કરવાની સહર્ષ સંમતિ આપી. આજે પ્રસ્તુત છે તેમના જ સ્વરમાં તેમની ત્રણ રચનાઓ, જેમાં બે ગઝલ તથા એક ગીતનો સમાવેશ થાય છે. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ ડૉ. દીનાબેનનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩ 5

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ત્રીજા દિવસે પ્રથમ વિડીયો અંતર્ગત હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત વડોદરાના મિત્ર શ્રી કિરણભાઈ નવાથે ના સ્વરમાં સાંભળીએ એક સરસ ગીત તથા બીજા વિડીયોમાં શ્રી જલ્પાબેન કટકીયા દ્વારા ગવાયેલી સદાબહાર ગઝલ ‘થાય સરખામણી તો….’ રજૂ કરી છે.