સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : સમીક્ષા


‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ 11

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી શ્રેણી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ જોયા પછી મન અફસોસથી ભરાઈ ગયું. ઓશો જીવતા હતા ત્યારે તેમની સાથે અમેરિકામાં જે થયું એ તો ભારોભાર પૂર્વગ્રહયુક્ત હતું જ પણ આ ડોક્યુમેન્ટરી એ જ બીમાર માનસિકતાને એક દેખાવડા સજાવેલા માળખા સાથે સાચી ઠેરવવાનો સુનિયોજીત પ્રયત્ન છે. હું ઓશોનો અનુયાયી નથી અને એમના એકાદ બે પુસ્તકો બાદ કરતા કે ઓનલાઈન અમુક વિડીઓ જોવા સિવાય એમનો ખાસ ચાહક પણ નથી, પણ આ ડોક્યુમેન્ટરી જોયા પછી એમના વિશે અને આનંદશીલા વિશે ઘણું વાંચ્યુ. અને આખરે ઘણાં વખતે આ રિવ્યૂ પૂરો કરી શક્યો છું.


ફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ 2

આજકાલ ફેમિનિઝમનો વાયરો વાય છે, ઘણી રીતે એ યથાર્થ પણ છે. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કદાચ હવે આઉટડેટેડ છે, પોતાના અલગ અસ્તિત્વને ઝંખતી – પામતી સ્ત્રીઓની વાત કહેતી ઘણી ફિલ્મો – ટી.વી અને વેબ શ્રેણીઓ આવી રહી છે, એમાંથી ઘણી એ વાતને યોગ્ય રીતે મૂકી શકવામાં સફળ રહી છે, અમુક એવી પણ છે જે ફેમિનિઝમના પેકેટમાં એ જ ચવાઈને ડુચ્ચો થઈ ગયેલી વાતો ભયાનક રીતે ડ્રામેટાઈઝ કરીને મૂકે છે..


હું ચંદ્રકાંત બક્ષી – એક હિંમતભર્યો નાટ્યપ્રયોગ 4

બક્ષીના જીવનની, સંઘર્ષો અને સંતોષની, વ્યક્તિત્વ અને ખુદ્દારીની વાત સચોટ કહેતી એકદમ ચુસ્ત સ્ક્રિપ્ટ, જે કહેવું છે એ સિવાય કંઈ જ નહીં કહેવાની કાળજી અને અભિનયનો ઉજાસ – હું ચંદ્રકાંત બક્ષી આ બધા જ માપદંડો સજ્જડ સાચવે છે. બક્ષીનામા લગભગ બેથી વધુ વખત વાંચ્યું છે, એટલે એમના જીવન વિશે તો ખ્યાલ હતો જ. ગયા મહીને કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં હતો ત્યારેય બક્ષીને યાદ કરેલા. પાલનપુર અને કલકત્તા, બંને સાથે બક્ષીનું અદ્વિતિય જોડાણ નાટકમાં સતત ઝળક્યા કરે છે.


‘મન્ટો’ ફિલ્મ રિવ્યૂ – જીજ્ઞેશ અધ્યારૂ 2

ઘણાં વખતે એક ફિલ્મ જોઈને અજબ સંતોષ થયો. મન્ટો ફિલ્મ વિશે પહેલીવાર સાંભળેલું દિલ્હીમાં ગયા વર્ષે થયેલા ટાઈમ્સ લિટરેચર ફેસ્ટિવલમાં જેમાં નંદિતા દાસને સાંભળવાનો અવસર મળેલો. કોઈએ એમને પૂછ્યું હતું કે મન્ટો એક ફિલ્મ તરીકે એમની વાર્તાઓને, એમના જીવન અને વ્યક્તિત્વને કેટલો ન્યાય આપી શક્શે? બે કલાકમાં તમે કેટલુંક બતાવી શક્શો. નંદિતાએ કહેલું કે મન્ટોના જીવનનો સૌથી અગત્યનો ભાગ – ૧૯૪૬થી ૧૯૫૦ સુધીનો સમય ફિલ્મમાં લેવાયો છે, અને ફિલ્મ જોયા પછી મને લાગે છે કે જાણે આથી વધુ સચોટ રીતે મન્ટો વિશે, એમના સર્જન અને એમના વ્યક્તિત્વ વિશે કોઈ કહી શક્યું હોત નહીં. મન્ટોના ચાહકો માટે આ એક અદનો અવસર છે.. આર્ટફિલ્મનું લેબલ લઈને આવી હોવાથી ‘મન્ટો’ ફિલ્મ જલ્દી જ થિએટરોમાંથી નીકળી જશે, પણ એ પહેલા એને જોઈ આવો.. રેસ ૩ કે વીરે કી વેડિંગ જેવી વાહિયાત ફિલ્મોને બદલે મન્ટો બે વખત જોઈ શકાય એવી ફિલ્મ છે. એક અદના લેખકને, ભારત અને પાકિસ્તાનના ભાગલાથી આહત થયેલા એક સર્જક જીવને એના સર્જનોથી ઓળખવાનો આ ફિલ્મથી વધુ સારો અવસર ભાગ્યે જ મળશે. નંદિતા દાસને તેમના આ સુંદર સાહસ બદલ વધાવી લેવા જોઈએ. અને ક્યાંક મનને ખૂણે આશાનું એવું બીજ પણ રોપાયું કે આપણા ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્ય કે મરીઝના જીવન પર પણ આવી કોઈ સુંદર ફિલ્મ બને તો!


સંબંધોની લાઈફલાઈન : ‘વેન્ટિલેટર’ – જીજ્ઞેશ અધ્યારૂ 1

આજકાલ ગુજરાતી ફિલ્મો નવી આદત પાડી રહી છે, થિએટરમાં મનગમતી સીટ પર બેસીને જાણે આપણા જ માટે શો ગોઠવાયો હોય એમ ફિલ્મ જોવાની આદત. દિલ્હી હતો ત્યારે નોઈડામાં ચાલ મન જીતવા જઈએ જોઈ, આખા થિએટરમાં પાંચ-છ જણ હતા, ગયા અઠવાડીયે નટસમ્રાટ જોઈ ત્યારે ત્રીસેક જણ હતા, એમાંય પાંચેક કપલ હતા જેમને કઈ ફિલ્મ છે એની સાથે કોઈ મતલબ નહોતો, નટસમ્રાટમાં તો મારી આગળ ટિકિટ લઈ રહેલા ભાઈએ કહ્યું, “કયું ખાલી છે?” પેલા બહેન કહે, “નટસમ્રાટ” તો કહે, ‘બે ટિકિટ આપો.” પણ બહેને જ્યારે ૨૮૦ રૂપિયા કહ્યા તો એ ભાઈ એમની સાથે આવેલા બહેનને કહે ‘ગુજરાતી ફિલમની ટિકિટ ૧૪૦, બોલો..’ હા, વડોદરામાં રેવા હાઉસફુલ હતું, પણ એવા પ્રસંગો ગુજરાતી ફિલ્મો માટે કેટલા?

એટલે ગઈકાલે મોટેરાના પી.વી.આરમાં ‘વેન્ટિલેટર’ જોવા ગયા અને અડધાથી વધારે થિએટર ભરેલું જોયું તો હરખના આંસુુ છલકાઈ ગયા. ક્યારેક મનગમતી સીટ ન મળવાનોય આનંદ હોય છે.


ઓલ્ટર્ડ કાર્બન વેબશ્રેણી : આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના તાંતણે સંબંધોની વાત – જીજ્ઞેશ અધ્યારૂ 4

ઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે,

‘Death was the ultimate safeguard against the darkest dangers of our nature.’

અને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન ‘કોર્ટિકલ સ્ટૅક’ આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી ‘સ્ટેક’ એમાં મૂકાવી શકે છે.


ડો. આનંદીબાઈ : ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરના જીવનની હકીકતો.. – જીજ્ઞેશ અધ્યારૂ 10

આજથી દોઢસો વર્ષ પહેલા જ્યારે છોકરી જન્મે એ જ ભારણ ગણાતું, ને ગર્ભમાં થતા હુમલાઓથી એ બચી જાય તો નરકના અનુભવો આપતું જીવન એની રાહ જોઈને ઉભું જ હોય એ સંજોગોમાં અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું ગીતા માણેક લિખિત અને અભિનેત્રી માનસી જોશી જેને એકલે હાથે સ્ટેજ પર એક કલાક વીસ મિનિટ ધુંવાધાર અભિનય દ્વારા પડદા પર જીવંત કરી આપે છે એ યમુના ઉર્ફે આનંદી ગોપાલ જોશીનું જીવન પ્રસ્તુત કરતું આ નાટક એક રોલર કોસ્ટર રાઈડ છે. એમના ડૉક્ટર બનવાની વાત તો ફક્ત એ યશકલગીનું એક પીછું છે, પણ ખરો પુરુષાર્થ(!) તો તેમણે કરેલો સમાજની સામે સતત સંઘર્ષ છે.


પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે 1

રેંગા એક એકત્રિત કરેલ શ્રુંખલાબદ્ધ કાવ્ય છે. આ બે કે બેથી વધારે સહયોગી કવિઓ દ્વારા રચાયેલી એક કવિતા છે. રેંગા કવિતામાં જે રીતે બે અથવા બેથી વધારે સહયોગી કવિ હોય છે તે જ રીતે તેમાં બે અથવા બેથી વધારે છંદ પણ હોય છે. પ્રત્યેક છંદનું સ્વરૂપ એક ‘વાકા’ (અથવા ‘તાંકા’) કવિતા જેવું હોય છે. આ રીતે રેંગા કેટલાયે (ઓછામાં ઓછા બે) કવિઓ દ્વારા રચિત વાકા કવિતાઓના સંચયનું સાધારણ સંયોજન કરીને બનાવવામાં આવેલી એક શ્રુંખલાબદ્ધ કવિતા છે.


વેસ્ટવર્લ્ડ (ટી.વી. શ્રેણી) : કલ્પના અને હકીકત વચ્ચેનો પ્રદેશ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માણસના મનમાં શું ભંડારાયેલું છે? જો સમાજના, સભ્યતાના, કાયદાના, સંબંધોના, જીવનનિર્વાહના કે એવા કોઈ પણ બંધન ન હોય તો માણસ કેવો હોય? એનો અસલી ચહેરો, એનું ખરું સ્વરૂપ કેવું હોય? એવું જ હોય જેવું અત્યારે છે? કદાચ અત્યારે પણ કામનાઓ, વિકૃતિઓ, ઈચ્છાઓ બળવો પોકારીને મનનો કબજો લઈ લે છે, અને કદાચ સંજોગો ઈચ્છાઓને કચડીને રોજીરોટી કમાવા કે કુટુંબના ભરણપોષણ માટે, કચડાયેલી ઈચ્છાઓ સાથેની જિંદગી જીવવા મજબૂર કરી દેતી હોય છે, અને એટલે જ રોજેરોજ છાપામાં આપણે નિતનવા સમાચારો જોઈએ છીએ.. પણ બંધનો વગરનું જીવન કેવું હોય? બંધનો વગરના માણસની જરૂરીયાતો શું હોય? ઈચ્છાઓની પૂર્તીનો? માણસની અંદરનો જાનવર જાગે અને સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટના સિદ્ધાંત મુજબ બળિયાઓ રાજ કરે કે પછી માણસ વધુ સંતુષ્ટ, વધુ પરીપક્વ બનીને ઉભરે? આવા અને એથીય વધુ વિચારપ્રેરક તત્વોને પોતાનામાં સમાવીને એક અનોખા વિશ્વના દ્વાર આપણી સમક્ષ ખોલતી એક અદ્રુત ટેલિવિઝન શ્રેણી એટલે વેસ્ટવર્લ્ડ, ટી.વી. શ્રેણીઓમાં અનેક સાવ વાહિયાત, નકામી અને ખોટા સંદેશા આપી જતી હોય છે, તો કેટલીક તો એથીય ખરાબ, કોઈ મતલબ વગરની નકરો ટાઈમપાસ જ હોય છે, પણ વેસ્ટવર્લ્ડ એમાં ખૂબ મોટો અપવાદ છે.


13 Reasons why આ ટી.વી. શ્રેણી જોવાલાયક નથી.. – જીજ્ઞેશ અધ્યારૂ 7

મગજ, સમય અને પૈસાનો બગાડ એવી ૨૦૦૭ની જય અશૅરની આ જ નામવાળી નવલકથા પરથી બનેલી નેટફ્લિક્સની અમેરીકન ટેલીવિઝન શ્રેણી 13 Reasons why આત્મહત્યાને યથાર્થ ઠેરવી એ માટેના ક્ષુલ્લક કારણો વિશે વિગતે વાત કરતી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજીક જીવન, મિત્રતા, સ્વાર્થ, અભિમાન અને ઘેલછાઓને દર્શાવવાનો ભયાનક નિષ્ફળ પ્રયત્ન છે.

વાતના મૂળમાં છે ૧૭ વર્ષની હેન્ના બેકર નામની એક છોકરી જે હાઈસ્કૂલમાં ભણે છે, પહેલા જ હપ્તામાં દેખાડાયું છે કે હેન્નાએ આત્મહત્યા કરી છે, તેના વર્ગમાં જ ભણતો ક્લે જેન્સન હેન્નાનો મિત્ર હતો, તેને ઘરે એક પાર્સલ મળે છે, જેમાં કુલ ૭ કેસેટ્સ છે. ક્લે એ કેસેટને સાંભળવાનું શરૂ કરે એટલે એ ચોંકી જાય છે, કારણકે તેમાં હેન્નાનો અવાજ છે. હેન્ના કહે છે કે તેણે આત્મહત્યા કરવી પડી એના ૧૩ કારણો છે, એના વર્ગના કે શાળાના એવા ૧૩ જણની વાત આ કેસેટ્સમાં એણે કરી છે, અને એ ૧૩માં ક્યાંક ક્લે પોતે પણ છે. હેન્ના પહેલા વ્યક્તિ વિશે વાત કરે એની સાથે સાથે ક્લેને એ સ્થળો જ્યાં હેન્નાને નાસીપાસ કરે એવી ઘટનાઓ બની ત્યાં જવાનું પણ કહે છે…


‘લવની ભવાઈ’ – મજેદાર, સરળ, સબળ ગુજરાતી ફિલ્મ 4

ફિલ્મની ચર્ચા નીકળે ત્યારે ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મો છે જે હું ગર્વથી મારા પંજાબી કે સાઉથ ઈન્ડિયન મિત્રોને સૂચવું, અને ટી.વી પર આવે ત્યારે સમજાવતો પણ હોઉં છું. ‘લવની ભવાઈ’ ચૂકવા જેવી નથી. આપણે ભાષાને, આપણી ફિલ્મોને આપણે આંખો પર નહીં બેસાડીએ તો કોણ કરશે? આવી સરસ ફિલ્મ બનાવવા બદલ ‘લવની ભવાઈ’ની આખી ટીમનો આભાર, તમારી મહેનતને અને ધગશને ખરેખર દાદ છે.. મોજ પડી ગઈ.. પૈસા વસૂલ ફિલ્મ.. ખૂબ સફળ થાય એવી શુભેચ્છાઓ


શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? – જીજ્ઞેશ અધ્યારૂ 11

‘ગેમ ઑફ થ્રોન્સ’ આજકાલ સમાચાર માધ્યમમાં અને સોશિયલ મિડીયામાં સતત આટલું બધું કેમ ચમક્યા કરે છે. મહીનાઓ પહેલા વિકિપીડિયા પર ગેમ ઑફ થ્રોન્સનો અનુદિત ગુજરાતી લેખ લખવાનું શરૂ કર્યું ત્યારે ઘણુંય મૂકવાની ઈચ્છા હતી, પણ વિકિપીડિયાના બંધારણમાં એ શક્ય નથી. એ અધૂરા લેખને પાછો પૂરો કરવાનું શરૂ કર્યું અને આ લેખની ઈચ્છા જોર કરી ગઈ. શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? કદાચ શ્રેણી વિશે બધુંય અને પૂરતું ન કહી શકું પણ જેટલું ગમ્યું, સમજાયું એ લખવાનો પ્રયત્ન કર્યો છે.


દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ 11

દિલ્હીમાં જોવાલાયક અનેક સ્થળો છે, ઐતિહાસિક સ્મારકો, અદ્રુત સંગ્રહાલયો, દર્શનીય સ્થળો, ખરીદીના અને ઉજાણીના અનેક સ્થળો.. પણ એ બધામાં મારા જેવા પુસ્તકપ્રેમીને જો કોઈ જગ્યા સૌથી વધુ ગમી ગઈ હોય તો એ છે જૂની દિલ્હીના દરિયાગંજનું રવિવારી પુસ્તકબજાર.

દરિયાગંજ વિસ્તાર આઝાદી પહેલા અંગ્રેજોનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર હતો. લગભગ ૧૯૬૪માં શરૂ થયું હોવાનું મનાય છે તે દિલ્હીનું આ પુસ્તક બજાર અનેક રીતે અનોખું છે. નામ જ સૂચવે છે તેમ દર રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ ભરાતું આ પુસ્તક બજાર બપોર સુધીમાં તો મહદંશે ખાલી થઈ જાય છે. લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી, સામાન્યથી વધુ પહોળી એવી આ ફુટપાથ પર ફક્ત ચાલવા જેટલી જગ્યા છોડીને અનેક વિક્રેતાઓ તેમના પુસ્તકોની ચાદર પાથરી દે છે. અહીં તમને પીળી પડી ગયેલી વર્ષો જૂની એલિસ્ટર મેલ્કેઈનની નૉવેલથી લઈને મિર્ઝા ગાલિબની ગઝલો સુધીની, તસલીમા નસરીનની લજ્જાથી લઈને સઆદત હસન મન્ટોની વાર્તાઓ સુધીની, GRE, GMAT, Gate, TOEFL, SSC વગેરે જેવી અભ્યાસને લગતી..


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૩ – જીજ્ઞેશ અધ્યારૂ 4

સર્જન વોટ્સએપ ગ્રૂપના ‘માઈક્રોસર્જન’ પુસ્તકમાં વ્યસ્તતાને લીધે આ શ્રેણીનો ત્રીજો હપ્તો મૂકવામાં વિલંબ થયો છે. પણ આજનો અને હવે પછીના હપ્તાઓમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શોર્ટફિલ્મ્સની કેટલીક નોંધપાત્ર ફિલ્મોને તેમની વિશેષતાઓ સાથે મૂકવાનો પ્રયત્ન રહેશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે ત્રણ ફિલ્મો, ત્રણેય લંબાઈ, વાર્તાકથન, ફિલ્માંકન અને પ્રકારની દ્રષ્ટિએ તદ્દન ભિન્ન ફિલ્મો છે.


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માઈક્રોફિક્શન વિશે ઘણાંં મિત્રો પૂછે છે કે ‘એ સમજવામાં અઘરી હોવી જરૂરી છે?’ કેટલાક મિત્રો શોર્ટફિલ્મો વિશે પણ પૂછે છે, ‘સહેલાઈથી સમજમાં આવે એવી કેમ નથી?’

મારે કહેવું છે કે આપણી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ મુખ્ય કથાનકની સાથે સાથે એક સુંંદર અન્ડરકરંટ લઈને ચાલે છે. ઘણી વખત એવું થાય કે નવલકથાનું કોઈ એક પાત્ર કે કોઈ ઘટના શરૂઆતમાં ફક્ત એક સહજ ઉલ્લેખ પામી હોય એ નવલકથાના કોઈ એક ભાગમાં એક અગત્યનું પાત્ર બનીને ઉપસી આવે. ઉદાહરણ તરીકે અશ્વિની ભટ્ટની ઁગાર્’કે ‘કટીબંધ’જોઈ લો. પણ એથી અલગ માઈક્રોફિક્શન વાર્તાઓ વાર્તાકથનના આદર્શ ફોર્મેટ, એક હકારાત્મક, એક નકારાત્મક પાત્ર, બંને વચ્ચેનો ખટરાગ અને અંતે સત્યની જીત એવા માળખામાં કે ક્યારેક એની આસપાસ પણ હોય એ જરૂરી નથી, આજની ઘણી વાર્તાઓ પોતે પોતાનું અલગ માળખું અને સ્થાન લઈને આવે છે.

દલીલ મૂકીએ તો દરેક વાર્તામાં એક ઍન્ટૅગનિસ્ટ હોય જ, માણસ નહીં તો ક્યારેક સંજોગો તો ક્યારેક નિર્ણયો પણ ઍન્ટૅગનિસ્ટ હોઈ શકે, અને એમાં માઈક્રોફિક્શન પણ બાકાત નથી. જેમ કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા ‘જન્મોત્સવ’માં વેલજી ડોસાનું પાત્ર વાર્તાનું આખું માળખુ બદલી આપે છે, વેલજી ડોસો વાર્તાનું મુખ્ય પાત્ર નથી, એ વાર્તાનો ઍન્ટૅગનિસ્ટ પણ નથી, અને છતાંય તમને એના પર તરત જ ઘૃણા થઈ આવે. એ વાર્તાનો પ્રભાવ છે, એક સાથે અનેક વાતો એમાં કહેવાઈ છે. આર્થિક અસમાનતાની, જરૂરતની, ઘૃણાસ્પદ નિર્ણયની અને બાળકની.. ઘણી શોર્ટફિલ્મ્સ આ જ રીતે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અને એ જ તેમને ટૂંકી હોવા છતાં યાદગાર બનાવે છે.

આજે જે ફિલ્મો લીધી છે એ બધી મેં એકથી વધુ વખત જોઈ છે, એ બધી જ મને અનોખી અને મજેદાર લાગી છે. શોર્ટફિલ્મની આ શ્રેણી માટે જો હું એકથી દસ ક્રમ આપું તો આજની આ ત્રણેય ફિલ્મો એમાં અવશ્ય આવે જ..


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૧ – જીજ્ઞેશ અધ્યારૂ 6

છેલ્લા થોડાક અઠવાડીયાના સતત પ્રવાસને લીધે શોર્ટફિલ્મ્સના વિશ્વને હું ખૂબ નજીકથી જોઈ રહ્યો છું. (થેન્ક્સ ટુ જીઓ) અંગ્રેજીમાં તો અજબગજબની શોર્ટફિલ્મ્સ મોજૂદ છે જ, હોરર, ડ્રામા, રોમાન્સ અને સામાજિક વિષયોને સ્પર્શતી અનેક અંગ્રેજી શોર્ટફિલ્મ્સ ખૂબ વખણાઈ પણ છે. હિન્દીમાં ઘણી સરસ શોર્ટફિલ્મ્સ બની છે. બોલિવુડના નામાંકિત ડાયરેક્ટર્સ ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ, મીરા નાયર વગેરે સિવાય અનેક ફિલ્મો એવી પણ છે જેના દિગ્દર્શકો કે કલાકારોના નામ અજાણ્યા છે, પણ તેમની આ ફિલ્મો જ તેમનો પરિચય આપે છે. આપણે આ શ્રેણીમાં ભાષાથી પર થઈને તેના સત્વ અને ગુણવત્તાને આધારે ઘણી શોર્ટફિલ્મોની વાત વિગતે કરીશું, તેમાં રહેલા માઈક્રોફિક્શનના મૂળને તપાસવાનો યત્ન કરીશું અને સહેજમાં ઘણું કહી જતી એ અસાધારણ ફિલ્મો માણીશું. આજે વાત કરી છે ક્લાઉડિયા બેરીની “ધ ચિકન”, ક્રાયલર એકર્સ્ટ્રોમની ‘રીસેટ’ અને શ્લોક શર્માની ‘બોમ્બે મિરર’ વિશે..


અંગ્રેજી સાહિત્યનું આચમન – ડૉ. મધુસુદન પારેખ

મેરેડિયે એનાં કાવ્યોમાં શૈલીનું વૈવિધ્ય દાખવીને અભિવ્યક્તિની બાબતમાં એક આગવો અવાજ પ્રગટ કર્યો છે. તેનો કાવ્ય સંગ્રહ ‘પોએમ્સ ઍન્ડ લિરિક્સ ઑવ ધ જૉય ઑવ અર્થ (Poems and Lyrics of the joy of earth 1883) માં પ્રકૃતિના રહસ્ય, એની ગતિ વગેરેનો પોતાની વિશિષ્ટ બૌદ્ધિક શક્તિથી, કલ્પના બળે ડાર્વિન (Darvin) ની ઉત્ક્રાન્તિવાદ (Evolution) ની થીઅરી અધ્યાત્મ (spiritualism) ને તાકે છે. એ ભૌતિક વાસ્તવિકતાનો આધાર લઈને તેમ જ અનુભવપૂત હકીકતોની માંડણી કરીને નવા આશાવાદનો સંચાર કરે છે. ઉત્ક્રાન્તિ (Evolution) એ વૈશ્વિક નિયમ છે, અરે સિદ્ધાંત જ છે. આત્મધર્મનો એમાં નકાર નથી. સૃષ્ટિના ઊંડાણમાં, એની અંતર્ગત દિવ્યતા રહેલી છે. અને ધરતી, મનુષ્યની માતા, નવરાપણાનો અને પ્રગ્યાનો ઝરો છે. તેમાં વારંવાર ડૂબકી મારીને મનુષ્યે તાજગી મેળવવાની છે. કલ્પનાદ્રષ્ટિ હોય તો પ્રકૃતિ માણસને વ્યવસ્થા શીખવે છે. સૌંદર્યબોધ કરે છે અને સદગુણ ખીલવે છે તથા અધીન રહેવામાં મનુષ્ય આનંદનો અનૂભવ કરે છે.


ગુજરાતી ‘અર્બન’ સિનેમામાં ફુગાવો.. – નિલય ભાવસાર 9

શું અત્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે? આજકાલ ગુજરાતી સિનેમા, નાટક અને મીડિયા સાથે જોડાયેલા લોકોમાં આ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ તેનો સીધો અને સરળ જવાબ છે, ‘ના’. વર્ષ ૨૦૧૨માં આવેલી અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’થી લઈને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઇ છે પરંતુ તે પૈકી માત્ર પાંચ કે છ ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળ થઇ છે જેમાં ‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘લગે રહો ગુજ્જુભાઈ’ અને ‘થઇ જશે’ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની અપાર સફળતા બાદ આજકાલ ગુજરાતી ફિલ્મ્સ બનાવવા માટે જાણે લાઈન લાગી છે અને તે પૈકીના મોટાભાગના ફિલ્મમેકર્સ ‘છેલ્લો દિવસ’ જેવી અથવા તે કક્ષાની કોમેડી ફિલ્મ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.


અસમિયા કવિતાનો ઇતિહાસ – યોગેશ વૈદ્ય 2

એવું મનાય છે કે અસમિયા સાહિત્યનો ઉદ્ભવ તેરમી સદીમાં થયો. તેનું પ્રારંભિક રૂપ ચર્યાપદના દોહાઓમાં મળે છે, જે છઠ્ઠી સદીથી તેરમી સદીની વચ્ચેનો સમય ગણાય છે. બારમી સદીના અંત સુધી લોકગાથાઓ, ગીતો વગેરે મૌખિક રૂપમાં જ હતાં. મણિકુંવર- ફૂલકુંવર ગીત એક લોકગાથા જ છે. તંત્ર-મંત્ર પણ મળે છે પણ લેખિત અસમિયા સાહિત્ય તો તેરમી સદી પછી જ મળે છે.


(ઑસ્કર ૨૦૧૬) ધ રેવનન્ટ.. જિજીવિષા અને પ્રતિશોધની અનોખી કથા.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

મૃત્યુ પછી પણ પાછો ફરનાર અથવા જીવનની ખૂબ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી જનાર માણસ.. જીવન માટે, અસ્તિત્વ ટકાવવા માટે જીવસટોસટનું સાહસ કરીને મૃત્યુના મુખમાંથી પણ પાછો આવનાર માણસ એટલે રેવનન્ટ.

વાત છે ૧૭૮૩માં અત્યારના અમેરિકાના પેન્સિલવેનીયા રાજ્યમાં જન્મ લેનાર અને પોતાના સખત પ્રયત્નો અને અદ્રુત હિંમતને લીધે જીવસટોસટના જોખમોમાંથી સુપેરે જીવતા રહેનાર હ્યૂ ગ્લાસની..