નવરાત્રીના આજના અષ્ટમીના સપરમા દિવસે પ્રસ્તુત છે માતાની આરાધના અને મહિમાનું વર્ણન કરતી સુંદર રચનાઓ, ગરબા. હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમે પ્રસ્તુત આ સુંદર ગરબાનું ઈ-પુસ્તક આપ સૌને ગમશે એવી આશા છે. પ્રસ્તુત ઈ-પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હાર્દિકભાઈનો આભાર. આપ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી આ ઉપરાંત રઢિયાળી રાતના રાસ-ગરબા નું સંકલિત ઈ-પુસ્તક પણ ડાઊનલોડ કરી શક્શો. આ પુસ્તકો માટે જુઓ અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ.
વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ
15 ગત મહીને રાજકોટમાં જેટલો આનંદ રાકેશભાઈને મળીને, તેમના પુસ્તક સંગ્રહને જોઈને અને ખાસ તો તેમના સરળ સ્વભાવને લીધે તેમની સાથેની વાતોએ આપ્યો એ અવર્ણનીય છે. આજે પ્રસ્તુત છે તેમની વધુ ત્રણ સુંદર, છંદની પૂર્ણ શિસ્તમાં લખાયેલી, સાદ્યાંત માણવાલાયક ગઝલરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રાકેશભાઈ હાંસલિયાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.
ત્રણ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા
૧૭ વર્ષની રીયાએ છેલ્લાં કેટલાંક મહિનાઓથી એની મમ્મી લીનાબેન સાથે બોલવાનું લગભગ બંધ જેવું કરી દીધું. આમેય બે-ત્રણ વર્ષથી રીયા લીનાબેન સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તતી હતી. કોઈપણ ફંકશનમાં તે લીનાબેન સાથે જવા તૈયાર જ નહોતી થતી. લીનાબેન તથા તેમના પતિ પરેશભાઇ આધુનિક વિચારો ધરાવતાં હોવાથી એમને રીયાનું એમની સાથે ફંકશનમાં ન આવવું ખાસ અજુગતું લાગતું નહિ, પણ પછી તો રીયા ઘરનાં ફંકશનમાં પણ આવવાની આનાકાની કરવા લાગી. એકવાર પરેશભાઈએ ખૂબ કહ્યું તો રીયાએ એવી શરત મૂકી કે ‘મમ્મી ન આવવાની હોય તો આવું’. લીનાબેનને ખરાબ તો ખૂબ લાગ્યું પણ સમસમીને બેસી રહ્યાં. લીનાબેન તથા પરેશભાઈને સમજાતું જ ન હતું કે આટલા બધાં પ્રેમ અને લાડકોડમાં ઉછરેલી રીયા આટલું બધું ઉદ્ધત વર્તન કેમ કરે છે?
રીયાને મમ્મી નથી ગમતી.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૫)
11 પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ 'ઝાકળનું સરનામું' જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની 'લઘુતા' જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ લઘુકાવ્યો સમાવતા ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.
માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) ભાગ ૨ – પ્રતિમા પંડ્યા
43 નિમિષાબેન દલાલની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે, આજે તેઓ એક હ્રદયસ્પર્શી વાત સાથે ઉપસ્થિત થયા છે. વાર્તા પાઠવવાની સાથે તેમણે જે ઈ-મેલ કર્યો છે તેમાં લખ્યું છે, 'મારી આ છેલ્લી વાર્તા મૂકી અક્ષરનાદના વાચકોનો અભિપ્રાય લેવાની મારી ઇચ્છાને માન આપશો એવી આશા સહ...' અક્ષરનાદ પર અનેક લોકોની પ્રથમ રચનાઓ મૂકવાનો અવસર મળ્યો છે, પણ કોઈની છેલ્લી રચના! મેં તેમને ફોન કર્યો, હતોત્સાહ મન સાથે અને અનેકોની ટીકાઓ સાથે 'મમતા' સામયિકમાં છપાયેલ તેમની વાર્તા અંગેના વિવાદે તેઓ ખૂબ નિરાશ થઈ ગયેલા લાગ્યા.. આશા છે વાચકોને 'કુમાર'માં પ્રસિદ્ધ થયેલી તેમની પ્રસ્તુત રચના ગમશે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ આભાર.
દીદી.. મારી દીદી (વાર્તા) – નિમિષા દલાલ
10 ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત 'હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ' ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, 'હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.' હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત 'હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ' પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. 'હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ' પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. 'ક' ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ 'પાર્શ્વ પબ્લિકેશન' નો ખૂબ આભાર.
બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની
પૂર્વીબેનના અભ્યાસ લેખ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહ્યાં છે અને વાચકોનો સુંદર પ્રતિભાવ તેમને મળતો રહ્યો છે. આજે પ્રસ્તુત છે તેમનો એક સુંદર અભ્યાસ લેખ. રાધા વિશે આપણા અભ્યાસુઓ અને વિદ્વાનોમાં અનેક મતમતાંતરો રહ્યા છે. વિદ્વાનો માને છે કે મૂળ ગ્રંથો જેવા કે મહાભારત, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ નથી. રાધાનો પ્રથમ ઉલ્લેખ જેમાં મળે છે એ બ્રહ્મવૈવર્તકપુરાણના અનેક અન્ય ઘટનાઓ અને પ્રસંગો રૂઢીગત માન્યતાઓ અને પ્રચલિત કથાઓથી ભિન્ન છે એથી બ્રહ્મવૈવર્તકપુરાણ પર પણ અનેક પ્રશ્નો છે. મારે ઉમેરવાનું કે રાધા અને વિરજાના એકબીજાને આપેલા શ્રાપની જે વાત અહીં પૂર્વીબેન મૂકે છે તેમાં વિરજાના સેવક શ્રીદામાનું પણ એક પાત્ર ઉલ્લેખાયું છે, જેને રાધા અસુર તરીકે જન્મવાનો શ્રાપ આપે છે. અનેક સંપ્રદાય શ્રદ્ધા અને ઉપાસનામાં રાધાને કૃષ્ણની સમકક્ષ મૂકે છે. રાધાકૃષ્ણના અનેક મંદિર આપણે ત્યાં છે, નિશ્ચલ પ્રેમનું આ પ્રતીક આપણી સંસ્કૃતિમાં સર્જકો, કવિઓ અને ભક્તોએ હ્રદયસ્થ કર્યું છે, આમ શ્રદ્ધા શંકાઓની ઉપર રહે છે. પૂર્વીબેનનો આજનો લેખ આ જ બાબતને વિશદ રીતે આલેખે છે. સુંદર ચિંતન અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ પૂર્વીબેનનો આભાર અને તેમની સતત સંશોધનની મહેનતને શુભેચ્છાઓ.
વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ
માણસને સભ્ય થઈને સામાજમાં રહેવા માટે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે? કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે? કેટલાક સંવેદનશીલ માણસો, કળાકારો જીવનભર સભ્ય થવાનો, સુસંસ્કૃત થવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. કોઈક વિરલા સફળ થાય છે; બાકીના ઘણા જીવનભર આ સંઘર્ષમાં રહેંસાયા જ કરે છે. મરાઠી કવિ નારાયન સુર્વે લખે -
'તડજોડ કરી જીવવું - જીવું છું,
દરરોજ અઘરું થતું જાય છે...
સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ
25 પ્રસ્થાપિત લેખકો માને છે કે માઈક્રોફિક્શન કે જેને અક્ષરનાદ ગુજરાતીમાં 'વાર્તાપ્રકાર' તરીકે વિકસાવી રહ્યું છે એ શબ્દરમત છે, એ કોઈ વાર્તાપ્રકાર નથી. એક સર્જકે કહ્યું, 'એ થોડો સ્વીકાર્ય પ્રકાર છે? કયું સામયિક તેને વાર્તાપ્રકાર ગણશે? કયા સંપાદકો તેને પોતાના સંપાદનમાં સમાવશે?' મારે તેમને કહેવું છે, 'જરા ઘરેડમાંથી બહાર આવો સાહેબ, ગાર્ડિયન જેવું અખબાર જેને આજના જમાનાનો સર્વાધિક લોકપ્રિય વાર્તાપ્રકાર ગણાવે છે, વિશ્વના અગ્રગણ્ય અને પ્રચલિત વિદ્યાલયો જેની સ્પર્ધાઓ વર્ષોથી યોજે છે, ૧૯૪૮થી જે અંગ્રેજીમાં સર્જાઈ રહી છે એ માઈક્રોફિક્શનને ગુજરાતીમાં વિકસવા કોઈ સર્ટિફિકેટની જરૂર છે?'
માઈક્રોફિક્શનના આ યજ્ઞમાં, અક્ષરનાદ આયોજીત પ્રથમ ગુજરાતી માઈક્રોફિક્શનની આ સ્પર્ધામાં અમે આયોજકો તરીકે ભાગ નહીં લઈ શકીએ તો શું થયું? સર્જન પ્રક્રિયા તો સતત રહે જ છે. આજે પ્રસ્તુત છે મારી ૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ. હું આજે પહેલા એક માઈક્રોફિક્શન વાર્તાકાર અને પછી સંપાદક. નિખાલસ પ્રતિભાવોનું સ્વાગત છે.
૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ
23 નવોદિત રચનાકારોને મંચ આપવાની પોતાની એક અનોખી જ મજા છે. ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ગાંધીનગરમાં મેટલર્જીના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહેલા પ્રિન્સભાઈ ગજ્જરની અક્ષરનાદ પર આ પ્રથમ રચનાઓ છે, ત્રણેય અછાંદસ સુંદર છે, પણ વિશેષ ધ્યાન ખેંચે છે એક નવોદિત તરીકે તેમની વિષયપસંદગી. ત્રણેય ભિન્ન વિષયોમાં તેમનો સર્જનનો પ્રયત્ન સરસ છે પરંતુ તેમાં પ્રથમ અછાંદસ ધ્યાન ખેંચે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ પ્રિન્સભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
ત્રણ પદ્યરચનાઓ… – પ્રિન્સ ગજ્જર
5 ૭ વર્ષની નિધિનાં પપ્પા ગુરૂદેવભાઇ તથા મમ્મી સંજનાબેન નિધિનાં બદલાયેલા વર્તનથી ચિતિંત હતા. નિધિ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી. જ્યારે પણ મોકો મળે ત્યારે અંદરનાં રૂમમાં જતી રહેતી અને પરાણે બહાર ના લાવો તો કલાકો સુધી એકલા જ રહેવાનું પસંદ કરતી. સંજનાબેન ઘણીવાર નિધિ રૂમમાં એકલી હોય ત્યારે દબાતા પગલે જોવા જતાં તો નિધિ કાં તો એકલી એકલી વાતો કરતી હોય અથવા એકાદ રમકડાં સાથે રમતી હોય. એને એકલી રમતી જોઇ સંજનાબેન એની સાથે રમવાની તૈયારી બતાવતા પણ એવા વખતે નિધિ ફરી ચૂપચાપ થઈ જતી. ઘરની આસપાસ રહેતા બાળકો સાથે તો નિધિ પહેલેથીજ ભળતી ન્હોતી. સંજનાબેન સ્કુલમાં મળવા જતાં તો ટીચરનાં કહેવા પ્રમાણે શરૂઆતથી જ નિધિનું વર્તન એવું હતું કે ક્લાસમાં એની હાજરીની ખાસ નોંધ લેવાતી નહીં. સાત વર્ષની નિર્દોષ ઉંમરમાં એવું તે શું થયું કે નિધિનાં વર્તનમાં આટલું મોટું પરિવર્તન આવ્યું?
નિધિ બની મમ્મીનું પ્યાદું.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૪)
92 હા, જે શીર્ષક તમે વાંચ્યુ એ તદ્દન સાચું છે. ચાલો ફક્ત છ શબ્દોમાં આજે આપણી વાર્તા મૂકવાનો પ્રયત્ન કરીએ, જોઈએ ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કોણ કહી શકે છે.. આપની છ શબ્દોની વાત પ્રતિભાવમાં મૂકો.
આજે લખીએ છ શબ્દોની વાર્તા – માઈક્રો ફિક્શન…
15 અક્ષરનાદ સાથે સંપાદક તરીકેની યાત્રામાં ઘણાં મિત્રોના સંપર્કમાં આવવાનું થયું, જેમના ચહેરા જોયા નથી, કદી મળ્યા નથી પણ ઈ-મેલ કે ચેટ દ્વારા સંપર્ક અને તેમની કૃતિઓને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો આનંદ જ તેમના સતત વધતા સ્નેહ, વિશ્વાસ અને મિત્રતાના મૂળભૂત કારણ. આવા જ એક મિત્ર હેમલભાઈ વૈષ્ણવ, તેમના સર્જનો લગભગ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહે છે. હેમલભાઈની અક્ષરનાદ પરની સર્જનયાત્રાને એક વર્ષ પૂર્ણ થયું. તેમની આ સર્જનયાત્રા સતત આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ સાથે આજે પ્રસ્તુત છે તેમની એક નવી કૃતિ - એક સુંદર ટૂંકી વાર્તા. હેમલભાઈને અનેક શુભકામનાઓ સહ અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા બદલ આભાર.
રિવાજ (વાર્તા) – હેમલ વૈષ્ણવ
8 યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
ચાર ગઝલ – યાકૂબ પરમાર
23 વાર્તા લખવાનો કુસુમબેન પટેલનો આ પ્રથમ પ્રયત્ન છે, અછાંદસ સર્જનમાં અને કાવ્યસર્જનમાં તેમને આનંદ આવે છે. અભ્યાસકાળ દરમ્યાન ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેમણે ભાગ લીધો છે. લખવું અને વાંચવું તેમની મનગમતી પ્રવૃત્તિ છે. અક્ષરનાદ પરના આ પ્રથમ પ્રયત્ન બદલ તેમને અભિનંદન અને તેમની કલમને શુભકામનાઓ. આશા છે તેમની આ સુંદર રચના વાચકોને પણ પસંદ આવશે.
કાળુ (વાર્તા) – કુસુમ પટેલ
7 આજકાલની પરિસ્થિતિઓ, સામાજીક, રાજકીય અને લોકજીવન વિશેની વાતો લઈને રમેશભાઈ ચાંપાનેરીએ પૂ. બાપુ, ગાંધીજીને એક પત્ર લખ્યો છે, હળવી શૈલીમાં પણ ભારે વાતો અસરકારક રીતે મૂકી શક્યા હોવાને લીધે રમેશભાઈનો પ્રસ્તુત લેખ ખૂબ જ સુંદર અને માણવાલાયક થયો છે. તેમની આગવી શૈલીની અસર સાથે અનેક વાતો તેમણે અહીં સાંકળી લીધી છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.
ખુરશી સુધી જવાનો.. – રમેશ ચાંપાનેરી ‘રસમંજન’
પ્રવાસવર્ણનો વાંચવા અને લખવા વિશે મને નાનપણથી લાલચ રહી છે, ન જોયેલી સૃષ્ટી અને એક યાત્રીની દ્રષ્ટીનો સુભગ સંયોગ વાચકને જાણે એ અજાણ્યા પ્રદેશની સર્વાંગસંપૂર્ણ વિગત આપે છે કેટલાક પ્રવાસનિબંધો કાળથી પર હોય છે. 'કૈલાસ' (૧૯૬૨) માંથી સ્વામી પ્રણવતીર્થજી દ્વારા લખાયેલ આજનો આ પ્રવાસનિબંધ 'આજ મેં કૈલાસ દીઠો !' એક અનોખી અનુભૂતિ લઈને આવે છે. અક્ષરનાદનું તો મૂળ જ છે અંતરની અનુભૂતિનો ધ્વનિ - અને કૈલાસ માનસરોવર જેવા સ્થળોની વાત અ-ક્ષર જ હોવાની. સ્વામીજીનો અનુભવ એક સાચા તીર્થયાત્રીનો અનુભવ છે, કષ્ટોને પાર જ દર્શન છે એવી વાત સાથે તેમણે કૈલાસના દર્શન કર્યાં ત્યારની અનુભૂતિની વાત વાચકને જાણે તેમની કલમે કૈલાસદર્શન કરાવે છે.
આજ મેં કૈલાસ દીઠો ! – સ્વામી પ્રણવતીર્થજી
માણસને હ્રદય શા માટે છે? હાથ - પગ માણસને શા માટે મળ્યા છે? આંખોનું વિશેષ શુંં પ્રયોજન હોઇ શકે? જીવનનો અર્થ શું? જ્ઞાન શા માટે મેળવવુંં જોઈએ? કૃષ્ણએ જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા કેમ કર્યો છે? હકીકત તો એ છે કે નોકરી મેળવવાની લ્હાયમાં જીવનનો ઓરીજીનલ અભ્યાસક્રમ ભૂલી જવાય છે. ડિગ્રી અને કહેવાતા શિક્ષણ પાછળની ભાગદોડમાં જીવનના કર્મનો મર્મ જાણવાનો જ રહી જાય છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ વિશેની સુંદર વાત કહેતો પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો આભાર અને શુભકામનાઓ..
જ્ઞાન, કર્મ અને ભક્તિ.. – ડૉ. સંતોષ દેવકર
21 ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં મિકેનીકલ એન્જીનીયરીંગ શાખાના એક્ઝેક્યુટીવ ટ્રેઈની તરીકે ફરજ બજાવતા નિતીનભાઈ લીંબાસીયાની અક્ષરનાદ પરની આ પ્રથમ પ્રસ્તુતિ છે. વળી પદ્યરચનાનો આ તેમનો પ્રથમ પ્રયત્ન છે. નવોદિત લેખકોને એક મંચ આપવાનો હેતુ અક્ષરનાદ સદાય નજર સમક્ષ રાખે છે, તેથી બહુરંગી શાખાઓમાં અને અનેકવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પણ તેમના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી વાંચનનો અને સર્જનનો સમય કાઢવાની પ્રેરણા મળે છે. નીતિનભાઈની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. તેમની કલમને શુભેચ્છાઓ અને અક્ષરનાદને રચનાઓ મોકલવા બદલ તેમનો આભાર.
ત્રણ પદ્યરચનાઓ – નિતીન લીંબાસીયા
8 રમૂજ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. જો હાસ્ય-વિનોદ આપણા રૂટીન જીવનમાં ન હોત તો આપણી શું દુર્ગતિ થાત, એ કલ્પના પણ મુશ્કેલ છે. વિનોદવૃત્તિના કેટલાય પ્રકાર છે. નિર્દોષ, નિર્ભેળ, નિર્દંશ હાસ્ય હવે બહુ ઓછું જોવા મળે છે. ટીવી પર જોવા મળતી કોમેડીમાં હવે બ્લેક કોમેડી (જેમાં મૃત્યુ, આતંકવાદ, રેપ, યુદ્ધ, વગેરે પ્રકારના વર્જ્ય વિષયો પર કોમેડી કરવામાં આવે છે.), બ્લૂ કોમેડી (જેમાં સેક્સ જેવા વિષય પર વિનોદ થાય છે), સટાયર, વિટ, વ. કેટલાય પ્રકારે દર્શક-શ્રોતા-વાચકનું મનોરંજન થતું હોય છે. આજકાલ ટીવીના માધ્યમથી સ્ટેન્ડ અપ કોમેડી દ્વારા લોકોને હસાવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલે છે. એમાં ક્યારેક તો લોકોને ગલગલિયાં કરીને હસાવવાની ફરજ પડાતી હોય તેમ ગમે તેવી ભદ્દી કોમેડીનો પણ આશરો લેવાતો હોય છે. આ જ વિષય પરનો ભરતભાઈ કાપડીઆનો સરળ સુંદર લેખ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભરતભાઈ કાપડીઆનો આભાર અને શુભકામનાઓ.
સામાજિક રમૂજ – ભરત કાપડીઆ
13 તમે અમિતાભ બચ્ચનને શું વેચતા જોયા છે? આમ તો અનેક વસ્તુઓ પણ ફક્ત જાહેરાત નહીં, સાચ્ચે વસ્તુ વેચતા! અરુણાબેન અને પૂર્વીબેનના મીઠાસભર્યા લેખ પછી એ જ શ્રેણીમાં આજે હર્ષદભાઈનો ગોળ વિશેનો રસપ્રદ લેખ પ્રસ્તુત છે. આપણા જીવનમાં વણાઈ ગયેલ ગોળની અનેક વાતો લઈને હર્ષદભાઈ આજે ઉપસ્થિત થયા છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો આભાર અને શુભકામનાઓ.
જોરદાર ગોળની ગળચટ્ટી વાતો… – હર્ષદ દવે
૧૪ વર્ષનાં શશાંકના મમ્મી શ્રદ્ધાબેન પોતાનાં દિકરાના બુદ્ધિ આંક પ્રત્યે ચિંતિત હતાં. શ્રદ્ધાબેનનાં કહેવા પ્રમાણે શશાંકની યાદશક્તિ, સમજશક્તિ તથા ગ્રહણશક્તિ ઓછી થઈ ગઈ હતી. આઠમાં ધોરણમાં ભણતો શશાંક છઠ્ઠા ધોરણ સુધી વગર ટ્યુશને ક્લાસમાં પ્રથમ કે દ્વિતીય આવતો હતો અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવતા. સાતમા ધોરણમાં એનો નંબર થોડો પાછળ ગયો અને આઠમાની છ માસિક પરીક્ષામાં શશાંક એક વિષયમાં નાપાસ થયો. શ્રદ્ધાબેનને સમજાતું જ ન્હોતુ કે પહેલા કરતા ઘણી વધારે મહેનત કરતો હોવા છતાં શશાંક ભણવામાં દિવસે ને દિવસે કેમ પાછળ પડતો જાય છે?
શશાંકને ઠોઠ કહી શકાય? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૩)
28 અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્રદ વિગતો રજૂ કરે છે. પૂર્વીબેનની રચનાઓ તેમના સંશોધન અને અભ્યાસપૂર્ણ તારણોથી સમૃદ્ધ હોય છે, એમ આજનો તેમનો લેખ પણ માહિતીપ્રચૂર થયો છે. આવી સુંદર અને ઉપયોગી કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ પૂર્વીબેનનો આભાર.
ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ
આજે ગણેશજીના આગમનનો દિવસ, કહેવાય છે કે પાર્વતીજીએ ગુફાની બહાર બેસાડેલા ગણેશજીએ શિવજીને અંદર જતા રોક્યા, ગુસ્સે થયેલ શિવજીએ તેમનું મસ્તક કાપ્યું, પાર્વતીજીના વિલાપ અને સ્પષ્ટતાએ ગણેશજીને હાથીનું મસ્તક મળ્યું, આમ ગણેશજીનો પુનર્જન્મ થયો એ ઘટના ભાદરવા સુદ ચતુર્થીના દિવસે થઈ હોવાનું મનાય છે. ઈ.સ ૧૮૯૩થી આ દિવસને લોકમાન્ય ટિળકે સાર્વજનિક ઉત્સવના સ્વરૂપે મૂક્યો. ગણેશજીનું પ્રિય ભોજન એટલે લાડુ, તો બામણભાઈનો લાડુ સાથેનો જન્મોજન્મનો નાતો એવું કહેવાય છે, એ જ લાડુ વિશે વિગતે વાત આજે અરુણાબેન જાડેજાના પ્રસ્તુત લેખમાં મૂકાઈ છે. નવનીત સમર્પણના જુલાઈ ૧૪ના અંકમાં પ્રસ્તુત થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અરુણાબેનનો ખૂબ આભાર.
પરથમ પરણામ મારા લાડુજીને કહેજો… – અરુણા જાડેજા
6 દિનેશભાઈ જગાણીના સર્જન સ્વરૂપ અનેક અછાંદસ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજના તેમના બે અછાંદસ આજકાલના વરસાદી 'ફ્રેન્ડશીપ ડે' ના વાતાવરણને અનુરૂપ રચનાઓ છે. ફ્રેન્ડશીપ ડે ની નિરર્થકતા અને વરસાદી સાંજે એકલતાના ઓછાયામાં પ્રિયતમની યાદમાં ખોવાયેલ કવિ તેમની વ્યથા આ રીતે વ્યક્ત કરે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ આભાર, શુભકામનાઓ.
બે અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’
15 બોરીવલી ઈસ્ટ, મુંબઈ ખાતે રહેતા સમીરાબેનની અક્ષરનાદ પર આ પ્રથમ રજૂઆત છે અને મને આનંદ છે કે તેમની પ્રથમ કૃતિઓ માઈક્રો ફિક્શન છે. તેઓ લઘુકથાઓ અને ગઝલ પણ લખે છે. માઈક્રોફિક્શન લખવાનો આ તેમનો પ્રત્યમ પ્રયાસ છે એ બદલ અને અક્ષરનાદને આ ત્રણ સુંદર કૃતિઓ મોકલવા બદલ સમીરાબેનનો આભાર અને શુભકામનાઓ.
ત્રણ માઈક્રો ફિક્શન વાર્તાઓ – સમીરા આસિફ
9 મૂળે અમદાવાદમાં જન્મેલા, નવી મુંબઈ - વાશીમાં રહેતા અને હાલ પૉર્ટલેન્ડ, અમેરિકા સ્થિત જિતેન્દ્રભાઈ પાઢ પત્રકારત્વ અને સાહિત્યના જીવ છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકો સાથે કામ કર્યા બાદ ૨૦૦૫માં તેમણે નવી મુંબઈમાં માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી જેવી અનેકવિધ જવાબદારીઓ સાથે અખબાર કર્યું. અત્યારે તેમના પુત્ર સાથે તેઓ પૉર્ટલેન્ડ છે. આજના લેખમાં એક અમેરિકન એન.આર.આઈ વાચકની નજરે તેઓ ઇન્ટરનેટ અને આપણી ભાષાના ઓનલાઈન સાહિત્યની વાત લઈને આવ્યા છે. અક્ષરનાદને લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ જિતેન્દ્રભાઈનો આભાર.
વિદેશની અટારીએથી.. વેબજગતનું વાંચન – જિતેન્દ્ર પાઢ
6 લિઓનો બ્લોગ મારા વ્યવસાયિક જીવનમાં અનેક વખત ઉપયોગી થયો છે, અને ઉપરોક્ત અનુવાદ કર્યો છે એ લેખને હું લગભગ નિયમિતપણે વાંચતો રહું છું, આવા અનેક લેખ જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. ઝેનહેબિટ્સની હેબિટ ઘણીવાર નાની બાબતો પર મોટી વાત કહી જાય છે. આ સુંદર લેખ બદલ લિઓનો આભાર, આશા છે મારી જેમ અન્ય વાચકોને પણ આ બાબતો ઉપયોગી થશે.
અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ
કાકાસાહેબ દૈનંદિની વાસરી ઘણાં વર્ષો લખતાં રહેલા, તેમને થતું કે જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ચિંતન કરીએ અને એ વાટે પોતાના પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ. આવા રોજીંદા ચિંતનને તેમણે ડાયરીના પાનાંની મર્યાદામાં બાંધીને લખવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૬૮માં તેમણે બસો સત્તાવીસ દિવસ માટે આવું ચિંતન નોંધ્યું છે, તેમાંથી ત્રણ મોતી આજે પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખ 'પ્રાસંગિક પ્રતિસાદ' જે તે દિવસનું ચિંતન - પુસ્તકમાંથી સાભાર લેવાયા છે. અત્રે પ્રસ્તુત ત્રણ મણકા વિવિધ વિષય જેમ કે, રિવાજી દુઃખ વિશે, ધર્મને બદલે લોકકેળવણી વિશે અને વિશ્વાસમૂલક આસ્તિકતા વિશે લખાયેલા ટૂંકા લેખો છે.
ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર
2 જેમનો વૈશ્વિક સ્તર પર મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર કરવામાં આવે છે તેવા જે. કૃષ્ણમૂર્તિએ રાજેશ દલાલને પોતાની સાથે રહેવા માટે આમંત્રિત કર્યા હતા. કારણ કે તેઓ સર્જનશીલ શિક્ષક હતા. રાજેશ દલાલ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી હતા. તેઓ કાનપુર આઈઆઈટીના સ્નાતક હતા. પરંતુ પોતાની ઉજ્જવળ કારકિર્દીની તક તેમને વારાણસીની રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાતા અટકાવી શકી ન હતી. ૧૯૮૬માં કૃષ્ણમૂર્તિના દેહ વિલય બાદ તેમણે ચેન્નાઈમાં 'વસંત વિહાર' ને સ્ટડી સેન્ટર તરીકે વિકસાવવામાં સારો એવો ફાળો આપ્યો હતો અને કેએફઆઈની બધી શાળાઓ તથા અભ્યાસ કેન્દ્રો સાથે પણ તેઓ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે કૃષ્ણમૂર્તિના બોધને આત્મસાત કર્યો હતો. તેમણે ઘણા યુવાન લોકોને અને નવાગંતુકોને કૃષ્ણમૂર્તિના બોધને સમજવામાં ભરપૂર સહાય કરી હતી. કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન તરફથી પ્રકાશિત થતી પત્રિકા 'અંતરમેળ' નાં મે-ઓગસ્ટ અંકમાં તેમને આપવામાં આવેલી ભાવાંજલિનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે.





